ભય …પણ એક દિવસ નિર્ભય – ભય ફોબિયા દુર કરવાનો ઉત્સવ હેલોવીન
રાતનો સમય.. સુસવાટા સાથે પવન.. અંધારું ઘોર,..રાક્ષસોના બિહામણા અવાજ, લોહી નીતરતો હાથ, અંધાર કોટડી …ભયથી છળી મરે એવાં ભૂખ્યાં વરુના મોંઢા…વિચિત્ર મોટા નખવાળા રાક્ષસોના લોહી નીતરતા અડધા શરીર ..કબ્રસ્તાન અને જાગેલા મડદાં, આ ભયાનક મુખાકૃતિવાળા પમ્પ્કિન અને બિહામણાં માણસોનું એક ટોળું ?..એમાં એક ચૂડેલ નજદીક આવે ઘરની બેલ મારે અને બોલે ટ્રિક કે ટ્રીટ…? ડર લાગે ટ્રીટ બોલશું તો આ ભુતડા ખાઈ જશે ……અને સૌ હસી પડે…ભય નો સ્વીકાર …
મિત્રો આજ હેલોવીન મજા… એક અનોખો અનુભવ,આજે સાંજે જો તમે અમેરિકાની શેરીઓમાં ચાલવા નીકળશો તો ચારે બાજુએ ભૂત – પ્રેતનાં પૂતળાંઓ લટક્તાં દેખાશે ! કોઈએ આંગણામાં હાડપિંંજર લટકાવ્યું હશે , તો કોઈ એ બારણે ખોપરીનું તોરણ લટકાવ્યું હશે! કોઈ પહેલી જ વાર અમેરિકા આવ્યું હોય એ તો ડરી જ જાય આવાં દ્રશ્યો જોઈ ને !આ સુધરેલા ગણાતા ભણેલ ગણેલ દેશમાંયે , કોઈ આદિવાસી સમાજમાં ઉજવાતો હોય તેવો ભુતડાની જમાતનો ઉત્સવ ?
કંઈક બે હજાર વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડ – આયર્લેન્ડ વિસ્તારની સેલ્ટીક પ્રજા પાનખર ઋતુનો અંત ‘સેમહાઈન ઉજવે. નવા આવેલા શાકભાજીને વધાવે . પાનખર અને શિયાળાના કાતિલ ઠંડીના દિવસોમાં પૃથ્વી અને ભૂતલોક વચ્ચેની સીમા નબળી પડતાં ભૂત પ્રેત પૃથ્વી પર ઉતરી આવે તેવી માન્યતા . રોમન ધર્મગુરુઓ ‘ બધાં સંતોનો દિવસ ‘ All Hallows’ Day આ જ દિવસે ઉજવે. અને બીજે દિવસે આવે તેમનું નવું વર્ષ ! ઉત્સવપ્રેમી અમેરિકનોએ તેને એક સુંદર ઉત્સવનું રૂપ આપ્યું : Two in one !બાળકો પણ ઘરે ઘરે કેન્ડી – ચોકલેટ લેવા સુંદર વેશભૂષા કરીને કૉસ્ટયૂમ પહેરીને જાય , નવા શાકભાજીની ફસલ થઈ હોય તેને કલાત્મક રીતે કોતરીને શણગારવામાં આવે, પમ્પ્કિન – કોળું વગેરેને કોતરીને અંદર દીવડાં મૂકે અને ઉત્સવની ઉજવણી થાય !
પ્રાચીન સેલ્ટો માનતા હતા કે 31મી ઓક્ટોબર સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી અને બિમારી કે પાકને નુકસાન પહોંચાડીને મૃતકો જીવતાં લોકો માટે સમસ્યાઓ સર્જતા હતા. તહેવારોમાં બોનફાયર્સ થાય છે, જેમાં કતલ કરાયેલા પ્રાણીઓના હાડકાં નાંખવામાં આવે છે.આ તહેવારોમાં પ્રેત આત્માઓને રીઝવવાના પ્રયાસરૂપે પોષાકો અને મહોરાં પહેરવામાં આવે છે. હેલોવીનના ઇવ ટાણે પ્રાચીન સેલ્ટો મૃતકોની યાદમાં તેમની બારીની પાળી પર એક હાડપિંજર મુકતાં. યુરોપથી શરૂ થયેલા આ ફાનસો સૌ પહેલાં પમ્પ્કિનમાંથી કોતરવામાં આવ્યા હતા. માથુ શરીરનો સૌથી શક્તિશાળી હિસ્સો છે, જેમાં આત્મા અને જ્ઞાન આવેલા છે, એવું માનતા સેલ્ટો કોઈ પણ વહેમને ભગાડવા માટે વનસ્પતિના ‘માથા’નો ઉપયોગ કરતા હતા. હજારો વર્ષ પહેલાં માનવી કુદરતનાં રહસ્યો સમજવા પ્રયત્ન કરતા. મૃત્યુ પછી શું એની કલ્પનામાં – મૃત્યુ, મૃતાત્મા અને જીવિત વ્યક્તિ સાથેના સંબંધોની શૃંખલાઓ સમજવા પ્રયત્ન થતા હતા.
આપણે ત્યાં દેશમાં કોઈ ‘ બુરી નજરવાલે તેરા મુંહ કાલા ‘ લખીને લીંબુ – મરચાનાં તોરણ લટકાવાનો ઉત્સવ મનાવે તો આપણે એને શું કહીએ ?
નરી અંધશ્રદ્ધા જ કહેવાય ને !
તો ચાલો જોઈએ કે હેલોવીનની આસપાસ ઉભી થયેલી કલ્પનાસૃષ્ટિ મુખ્યત્વે કઈ બાબતોને આભારી છે. એક તો હેલોવીન મોસમ પોતે, જેમાં પ્રતિકવાદને પ્રેરણા છે.જેમકે પાનખરની મોસમના તત્વો, જેવા કે કોળા, મકાઈ કુશ્કી, અને ચાડિયો પણ પ્રચલિત છે. હેલોવીનના દિવસોમાં ઘરોને આ પ્રકારના પ્રતિકોથી શણગારવામાં આવે છે. હેલોવીન સાથે બે મુખ્ય રંગો સંકળાયેલા છેઃ નારંગી અને કાળો. ત્યાર પછી ગોથિક અને ભયના સાહિત્યિક સર્જનો પણ અહી વણાયેલા છે .હેલોવીન કલ્પનાસૃષ્ટિમાં મૃત્યુ, અનિષ્ટ, ગૂઢવિદ્યા, જાદુ, કે પુરાણકથાના રાક્ષસોને પ્રયોજવાનું વલણ હોય છે.આજના યુગમાં અમેરિકામાં ધામધૂમથી ઉજવાતો આ સામાજિક ઉત્સવ છે પણ એનાં બીજ યુરોપમાં ચર્ચના પાદરીઓના ધાર્મિક રૂઢિ રિવાજોમાં જન્મેલા છે. …
હવે પ્રશ્ન છે કે આ ઉત્સવમાં શું માનવીના જીવનમાંથી ખરેખરે ભય પેસી રહ્યયો છે ?
કે નાના બાળકો થી માંડી બધા ભયને દુર કરી રહ્યા છે ?
આપણે ત્યાં વેદોમાં કહ્યું છે: આહાર, નિંદ્રા, મૈથુનઅને ભય પ્રાણી માત્રમાં રહેલાં છે. જીવિત પશુ સૃષ્ટિમાં એ ચારેયનું મહત્વ છે. જીવન વિકાસ માટે ક્યારેક ભયની પણ જરૂર છે: ભય વિનાનું જીવન રાવણ જેવું અહંકારી, ઉદ્ધત બની જઇ શકે છે.
હવે જુઓ આ નીચેનો આકડો ….
નેશનલ રિટેલ ફેડરેશનના અંદાજ મુજબ હેલોવીનનું ખર્ચ ગયા વર્ષે 8.4 બિલિયન ડોલર હતું,
આ ઘટના માટે 17.1 કરોડથી વધુ અમેરિકનો ઉપસ્થિત રહ્યા હતા.
$350 million we spend on pet costumes
$2.2 billion we’re shelling out for candy,
Halloween is our No. 1 day for wasting money on garbage.
જાણવા જેવી વાત અહી છે કે પ્રચંડ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યામાં આ ઉત્સવનો સૌથી મોટો ફાળો છે.
મ્હોરા વપરાયેલ પ્લાસ્ટિકની ગુણવતા નું શું ?આરોગ્યની દ્રષ્ટિ પણ જોઈએ ને ! પર્યાવરણ સ્વાસ્થ્ય વિષે વિચારવું જોઈએને !
આવા ઉત્સવમાં સર્જનાત્મક વિચારસરણી લઇ આવીએ તો કેમ ? સાંસ્કૃતિક કળાનું પ્રદર્શન કરીએ તો કેમ ?
હોમમેઇડ કૉસ્ટ્યૂમ બનાવીએ તો કેમ ?
પ્રકૃતિના ઉત્સવ પણ હજારો ડોલરના પમ્પ્કિન, કેન્ડી અને લાખો ડોલરના વેશનું વેચાણ….કે ખોટો ખર્ચ ?
મહોરા હેઠળ અસામાજિક તત્વોને પણ વેગ મળે છે.અછાજતા હિંસાત્મક બનાવો અને ડર ભાગવાને બદલે પેસી જતો ભય માટે કોણ જવાબદાર ?
શું માનવીની માનસિકતા બદલી શકે ખરા ?.અસામાજિક ભય ઓછા થાય ખરા ? કે ભૂત કે આત્મા ભગાડી શકાય ખરા ?
હવે તમે જ કહો આવું કેમ ?
