વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-3-નિરંજન મહેતા

“અષાઢની મેઘલી રાત”.

સમીસાંજથી આકાશ ગોરંભાયું હતું તે રાત થતાં થતાંમાં તો કાળું ડિબાંગ બની ગયું. વરસાદ આવશે આવશેની રાહ જોતા લોકો વાદળીયા હવામાનને કારણે ઘામ અનુભવી રહ્યા હતાં જેમાં રાજન પણ બાકાત ન હતો. પણ તેની આ આ પરિસ્થિતિ માટે એકલું કુદરતનું વાતાવરણ કારણ ન હતું. તેની મનોદશા પણ કેટલેક અંશે જવાબદાર હતી.

બહારના વાતાવરણને લઈને આજે તેને નીનાની યાદ વધુ સતાવતી હતી જેને કારણે જ તેની મનોદશા ખળભળી ઉઠી હતી. તેને યાદ આવી બે વર્ષ પહેલાની આષાઢની આવી જ એક મેઘલી રાત. તે રાત હતી તેની અને નીનાની સુહાગરાત.

કોલેજમાં સાથે ભણતાં આ પ્રેમીપંખીડાનાં સદનસીબે બંને કુટુંબોની સંમતિ હતી એટલે લગ્નમાં કોઈ વિઘ્ન ન આવ્યું અને તેને કારણે સુહાગરાતની જે અપેક્ષા હોય તેમાં ઓર વધારો તેઓ બંને અનુભવી રહ્યાં હતાં. કોલેજના દિવસો વાગોળતાં વાગોળતાં તેમને પોતાના આર્ટ્સનાં અભ્યાસક્રમમાં વાંચેલ કવિ કાલીદાસ રચિત ‘મેઘદૂત’ યાદ આવ્યું અને તે સાથે યાદ આવી તેની પંક્તિઓ.

आषाढस्य प्रथमदिवसे मेघमाश्‍लिष्टसानुं|
वप्रक्रीड़ापरिणतगजप्रेक्षणीयं ददर्श॥

આ યાદ આવતાં રાજન બોલ્યો હતો કે આશા રાખું છું કે આપણા જીવનમાં પણ યક્ષના જેવો વિરહયોગ ન આવે. નીનાએ ત્યારે તેના મુખ પર હાથ રાખી કહ્યું હતું કે આજની આ અવર્ણનીય રાતે આવું અમંગળ કેમ વિચારે છે?

હવે રાજનની સ્મૃતિ પોતાના કોલેજકાળનાં સમયમાં પહોંચી ગઈ. આર્ટ્સનાં જીવડાં અને પાછો સાહિત્યમાં રસ એટલે તેની અને નીના વચ્ચે અવારનવાર કોલેજમાં સાહિત્યની વાતો થતી અને સારા સારા પુસ્તકોની આપલે થતી. બંનેના મનગમતાં ઘણા સાહિત્યકારો એટલે તેમને સાહિત્યની વાતો અને ચર્ચા કરવામાં સમય ક્યા પસાર થઇ જતો તેનું પણ ધ્યાન બહાર રહેતું અને કોઈક વાર તો કોલેજનો ક્લાસ પણ ચૂકી જતાં.

બંનેમાંથી જેણે કશુક સારું વાંચ્યું હોય તો તરત જ ફોન દ્વારા બીજાને તેની ખબર અપાઈ જતી. આમ કરતાં કરતાં તેઓ એકબીજાની નિકટ આવવા માંડ્યા. અન્યો તેમની આ નિકટતાની ચર્ચા કરવાં લાગ્યાં હતાં પણ તેની રાજન અને નીના પર કોઈ અસર ન હતી કારણ તેઓ તો એકબીજાને સારાં મિત્રો જ માનતાં હતાં. વળી કોલેજનું ભણતર હજી પૂરૂં થયું ન હતું એટલે તે પૂરૂં થયા વગર ભવિષ્યનો વિચાર કરવાનો આ સમાંજ્દારોને પણ ખયાલ આવ્યો ન હતો.

અંતે આવા કિસ્સાઓમાં થાય છે તેમ મોડી મોડી બંનેને સમજ પડી કે આપણે તો ‘એક દુજે કે લિયે’ છીએ. પણ શું તેમના કુટુંબો આ નવા સંબંધને માન્ય રાખશે? આમ તો અવારનવાર કોલેજકાળ દરમિયાન પુસ્તકોની આપલેને કારણે એકબીજાને ઘરે પણ જવા આવવાનું થતું એટલે બંનેના વડીલોને તેમની મૈત્રીની આછી પાતળી જાણ ખરી પણ તે મિત્રતાથી વધુ કશુક છે તેવું તેઓ પણ વિચારતાં નહીં.

પરંતુ વિધિના વિધાનને કોણ ટાળી શકે છે? ધાર્યું ધણીનું થાય છે એમ કહેવાય છે તેવું રાજન અને નીનાના કિસ્સામાં પણ બન્યું જે સર્વ વિદિત હતું. બહુ ચર્ચા બાદ બંનેએ પોતાના વડીલોને પોતાના મનની વાત કરી અને તેઓની મંજૂરી મેળવી લીધી. અમે તો જાણતાં જ હતાં કહેવાવાળા કહેતા રહ્યા અને બંને તો મધુરજની મનાવવા ઉપડી ગયા.

પછી તો જેમ સામાન્ય રીતે બને છે તેમ બંને થોડો સમય એકબીજામાં ખોવાયેલા રહ્યા અને વખત જતાં સંસારની ઘરેડમાં જોતરાઈ ગયા. હા, રાજન પાસે જે વિચારશક્તિ હતી તે વિચારોને તેણે કાગળ ઉપર ઉતારવા માંડી. આ વિચારોએ લેખો અને વાર્તા સ્વરૂપે જન્મ લેવા માંડ્યો. ધીરે ધીરે તેની રચનાઓ સામયિકોમાં પ્રકાશિત થવા લાગી. આ બધી રચનાઓને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. નીના પણ તેના આ નવા સ્વરૂપને સરાહતી રહી. દરેક રચનાની પહેલી હક્કદાર નીના. તેના અભિપ્રાય બાદ જ રાજન તેને પ્રકાશન માટે મોકલતો.

સારી એવી નામના પ્રાપ્ત થઇ હતી એટલે નીનાએ તેને વાર્તા લખવામાંથી બહાર આવી નવલકથા તરફ ધ્યાન આપવા જણાવ્યું. રાજનને પણ આ વિચાર તો આવ્યો હતો પણ હજી સુધી અમલમાં મુકવાની હિંમત કરી ન હતી. હવે નીનાએ જ્યારે આમાં હામી ભરી ત્યારે તે પણ એ નિર્ણય પર આવ્યો કે હવે પછીની મારી રચના એક નવલકથા હશે. કેટલાક સમય પહેલાં એક કથાવસ્તુનું બીજ મનમાં પાંગરી રહ્યું હતું તેને હવે તે નક્કર સ્વરૂપ આપવા તૈયાર થયો.

છ મહિના બાદ તેની પ્રથમ નવલકથા હપ્તાવાર એક પ્રસિદ્ધ અઠવાડિકમાં પ્રકાશિત થવા લાગી જેને વાચકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો. પ્રેમ અને રહસ્યના તાણાવાણાવાળી નવલકથા હપ્તે હપ્તે લોકોમાં ઉત્કંઠા જગાવતી જેમાં એક મહિલા વાચક હેમાનો પ્રતિભાવ જરા આગળ પડતો હતો.

દર સપ્તાહે નવા પ્રકરણ બાદ તેનો પ્રતિભાવ તે ફોનથી આપતી. કોઈ કોઈવાર તો સૂચન પણ કરતી. રાજન અને નીના તે સાંભળી હસી કાઢતા કારણ તે સૂચનો તેમણે વિચારેલા વાર્તાના બીજથી વેગળાં રહેતાં, પણ તેઓ હેમાને દર વખતે ધીરજથી સાંભળતાં કારણ તેના જેવા વાચકોનાં સૂચનો જ રાજનની લેખન પ્રવૃત્તિમાં મદદરૂપ થતા.

પણ વાત આગળ વધી અને હેમા તક મળતાં રાજનને ઘરે આવી ગઈ.

અચાનક તેને આવેલી જોઈ પ્રથમ તો રાજન અને નીના અવાચક થયાં પણ વિવેક્બુદ્ધિએ તેમને સભાન કર્યાં અને હેમાને આવકારી. ઘણો વખત બેસીને હેમાએ વાતો કરી અને રાજનની લેખન પ્રવૃત્તિને સરાહી,

પોતાને મળેલો આવકાર જાણે હેમાને કોઠે પડી ગયો હોય તેમ તે ત્યાર પછી પણ અવારનવાર આવી ચઢતી. શરૂઆતમાં તો નીના તેને આવકારતી પણ પછી તેને લાગ્યું કે આ વધુ પડતું થઇ રહ્યું છે. એક-બે વાર તેણે હેમાને આડકતરી રીતે પોતાની નારાજગી દેખાડી પણ હેમાએ તે અવગણી. રાજન પણ જાણે હેમાથી પ્રભાવિત થયો હોય તેમ નીનાને બદલે હેમાનો પક્ષ લેતો. આથી નીનાની નારાજગીમાં ઓર વધારો થયો. તેને લાગ્યું કે રાજન હેમા તરફ ઢળતો જાય છે. પોતાની આ માન્યતા રાજન આગળ વ્યક્ત પણ કરી પણ રાજને તે હસી કાઢી એમ કહીને કે સારા લેખકોને ઘણા પ્રસંશકો હોય છે. તેમને સાંભળીએ તો લેખકને નવી નવી વાત જાણવા મળે અને નવા કથાબીજ પણ મળી આવે.

નીનાને આ વાતથી સંતોષ ન હતો પણ મન મારીને બેસી રહી. પણ જ્યારે એક બેવાર હેમા તેની ગેરહાજરીમાં પણ આવી હતી અને ઘણો સમય રાજન સાથે વિતાવ્યો હતો ત્યારે તેના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. અવારનવાર આ બનવા લાગ્યું એટલે નીનાએ રાજન પાસે તે બાબતની ચર્ચા કરી પણ વ્યર્થ. રાજન પોતાના વિચારોને વળગી રહ્યો અને નીનાને કહ્યું કે તે મનનો ચોખ્ખો છે અને તેના અને હેમા વચ્ચેના સંબંધો માટે ખોટી શંકા કરે છે.

આ બાબતમાં જ્યારે પણ ચર્ચા થતી ત્યારે બંનેમાંથી કોઈ પોતાના મંતવ્યમાંથી ચસકતા નહીં.

હવે નીનાને લાગ્યું કે આનો એક જ રસ્તો છે અને તે છે રાજનને છોડીને અમદાવાદ મા પાસે જતી રહે.

આમ જ એક દિવસ જ્યારે ચર્ચા કાબુ બહાર ગઈ અને બંને બચ્ચે હેમાને લઈને ઉગ્ર બોલાચાલી થઇ ત્યારે નીનાએ પોતાનો ઘર છોડી અમદાવાદ જવાનો નિર્ણય જણાવ્યો. બહુ સમજાવ્યા છતાં નીના હવે મક્કમ હતી એટલે રાજન પાસે કોઈ ચારો ન હતો તેને જવા દેવા સિવાયનો. તેના ગયા પછી રાજને નીનાના સંપર્ક માટે ઘણીવાર પ્રયત્નો કર્યા પણ અસફળ.

આ બધું બન્યું ત્યાર બાદ હેમા પણ અચાનક આવતી બંધ થઇ ગઈ. રાજનને થયું શું તેને બનેલ અણબનાવની જાણ થઇ ગઈ?

આ વાતથી અજાણ હેમા લગભગ છ મહિના પછી મળવા આવી. કારણ પૂછતા કહ્યું કે તે ચાર મહિના અમેરિકા ગઈ હતી. નીનાની ગેરહાજરી જણાતા તે વિશ્હે પૂછ્યું. શરૂઆતમાં તો રાજને વાત ટાળી પણ બહુ આગ્રહ પછી નીનાની ગેરહાજરી અને શંકાઓ વિષે જણાવ્યું.

શું તે નીનાભાભીને સંપર્ક કરી શકે? તેનો ફોન નંબર મળી શકે?

બહુ વિનંતી પછી હેમા તે મેળવવા સફળ થઇ.

આ બધી યાદોને કારણે માનસિક અશાંતિ અનુભવતા રાજનના કાને એકદમ મોબાઈલની રિંગ સંભળાઈ. તે વર્તમાનમાં આવી ગયો અને ફોન હાથમાં લીધો. જોયું તો સ્ક્રીન પર સ્વીટીનું નામ વંચાયું. સ્વીટી, અરે મારી નીના. આટલા વખતની જુદાઈ પછી આજે એકદમ તેણે સામેથી ફોન કર્યો? આમ કેમ?

એક મિનિટ તો રાજન આ વિચારમાં ખોવાયો અને તે ફોન ચાલુ કરવાનું ભૂલી ગયો એટલે આપોઆપ તે બંધ થઇ ગયો. અરે, મેં આ શું કર્યું? નીનાએ સામે ચાલીને ફોન કર્યો અને મેં જવાબ ન આપ્યો? તે શું ધારશે? હું હજી પણ તેનાથી નારાજ છું? હવે તેણે પહેલ કરી છે તો મારે પણ યોગ્ય પ્રતિસાદ આપવો રહ્યો જેથી તેને કોઈ ગેરસમજ થઇ હોય તો તે દૂર થાય. આમ વિચારી તેણે સામેથી ફોન જોડ્યો.

‘સોરી, નીના હું વોશરૂમમાં હતો.’ નાછૂટકે રાજનને ખોટું કહેવું પડ્યું. ‘બહાર આવી ફોનમાં જોયું તો તારું નામ વાંચ્યું. એક મિનિટ તો ન મનાયું કે તું મને ફોન કરશે પણ પછી સમજાયું કે આટલા સમય બાદ ફોન કર્યો એટલે કદાચ છૂટાછેડાનો વિચાર આવ્યો હશે કેમ?’

‘ના એવું નથી. કેટલાક વખતથી તને ફોન કરવાનો વિચાર તો કરતી હતી પણ હિંમત નહોતી ચાલતી. પછી થતું કે તું કદાચ મને ફોન કરશે તો સારું લાગશે એટલે પણ ફોન કરતાં અચકાતી હતી.’

‘વાહ, હજી પણ આપણા વિચારોમાં મેળ ખાય છે. હું પણ આમ જ વિચારતો અને તારા ફોનની રાહ જોતો. મને લાગે છે કે મારું રાહ જોવું આજે સાર્થક થયું.’

‘રજુ, જે હોય તે પણ આજે મન મક્કમ કરી લીધું હતું કે હું જ પહેલ કરીશ અને તને ફોન કરીશ. હેમાબેને મને ફોન કર્યો હતો. તેમની વાત સાંભળી મને લાગ્યું કે આપણે એકવાર મળવું જરૂરી છે જેથી બધી ગેરસમજ દૂર કરી શકાય. વાંક કોનો છે અને શા કારણે આપણું મનદુ:ખ થયું એ હવે એક ભૂતકાળ છે. બહુ વિચારને અંતે મને લાગ્યું કે ભૂતકાળને વાગોળીને હતાશાની ગર્તામાં રહેવા કરતાં તે બધું ભૂલી જો આપણે ફરી એકવાર મનમેળ કરીને સહજીવન શરૂ કરી શકીએ તો તે માટે શું કામ હું જ પહેલ ન કરૂં? એટલે મેં તને ફોન કર્યો.’

‘કેટલાક વખતથી મને પણ લાગતું હતું કે આપણે મમતમાં રહી આપણી જુવાની વેડફી રહ્યા છીએ. દરેક દંપતિના જીવનમાં ઘર્ષણ થવાના અને આપણે તેમાં અપવાદ નથી. પણ જો સમજી વિચારીને આપણે તેને પાર કરીશું તો આપણું ભણતર અને સહવાસ લેખે લાગશે. તે ઉપરાંત આપણા બંનેના કુટુંબો જે આપણું હંમેશા ભલું ઈચ્છે છે તેઓ પણ નિરાંતનો શ્વાસ લઈ શકશે. પરંતુ હું ફોન કરતાં અચકાતો હતો કારણ અગાઉની જેમ તું વાત પણ ન કરે તો? બસ, આ જ કારણસર આજસુધી મનની ઈચ્છા મનમાં ઢબેરી રાખી હતી. હવે તારી સાથે આજે વાત થઇ એટલે મન બેકાબુ બની જાય તો નવાઈ નહીં.’

‘ઓ સાહિત્યકાર જીવડા, મનને સંભાળો અને કહો કે ક્યારે મળવું છે.’

‘તું હમણાં આવે તો હમણાં જ.’

‘અમદાવાદથી મુંબઈ શું જાતે ઊડીને આવું? કાલ સુધી રાહ તો જોવી પડશે. હું સવારની ફ્લાઈટમાં આવું છું.’

‘એટલે તને ખાત્રી હતી કે હું તને મળવા સંમત થઈશ? અને તે મુજબ તે બધી તૈયારી પણ કરી રાખી હતી?’

‘હું મારાં રજુને જેટલો ઓળખું છું તેના આધારે તો આ નિર્ણય લીધો છે. કાલે સવારે નવ વાગે એરપોર્ટ પર લેવા આવી જજે.’

બહાર રાત જામી હતી આષાદ્ધી વર્ષાની હેલી શરૂ થઇ ગઈ હતી. બારીમાંથી અંદર પાણીની વાછટ આવવા લાગી હતી. વાછટને કારણે રાજન ભીંજાવા લાગ્યો હતો પણ તેની હવે તેને દરકાર ન હતી કારણ આંતરિક ભીનાશની તરબોળતામાં તે ભીંજાતો હતો તે આ બાહ્ય ભીનાશ આગળ નગણ્ય હતી.

વિષય -‘બેઠક’ માં વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા

આ વર્ષે વાર્તા / નિબંધ સ્પર્ધાનો વિષય છે “અષાઢની મેઘલી રાત”.

વાર્તા / નિબંધ સ્પર્ધાના નિયમો નીચે પ્રમાણે રહેશે.

૧. વાર્તા કે નિબંધ મૌલિક અને અપ્રસિધ્ધ (બ્લોગસ, નેટ કે પ્રીન્ટ મિડીયા ક્યાંય પણ પ્રસિધ્ધ ન  થયા હોય) હોવા આવશ્યક છે.

૨. વાર્તા કે નિબંધ ૧૨૦૦ થી ૨૦૦૦ શબ્દોની વચ્ચે હોવા જોઈએ.

૩. નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને આખરી રહેશે. એ વિષય પર કોઈ પણ બાંધછોડ કે વિવાદ કરવામાં આવશે નહીં.

૪. વાર્તા કે નિબંધ મોકલતી વખતે શીર્ષક સાથે “નિબંધ” કે “વાર્તા”ની કેટેગરી લખવી જરુરી છે.

૫. દરેક કેટેગરીમાં પહેલું ઈનામ $૧૦૧

અને બીજું $૫૧, એમ, બે ઈનામો આપવામાં આવશે.

દરેક કેટેગરીમાં $૨૫ના એક એક આશ્વાસન ઈનામ પણ આપવામાં આવશે.

૬. વાર્તા કે નિબંધ મોકલવાની અંતિમ તારીખ માર્ચ ૩૧, ૨૦૧૮ રહેશે.

૭. નિર્ણાયકને વાર્તા કે નિબંધ, સર્જકના નામ વિના , માત્ર નંબર આપી મોકલવામાં આવશે.

આશા છે કે આ વખતે પણ આગલા વર્ષોથી પણ વધુ ઉત્સાહથી આપ સહુ ભાગ લેશો.

આપ સહુનો, આ હરિફાઈમાં ભાગ લેવા માટે આગોતરો આભાર માનું છું.

પ્રજ્ઞાબેન અને “બેઠક”નો આભાર કે આ સ્પર્ધા યોજવાની મને તક આપી.

Jayshree

01/26/2018 -‘બેઠક’નો અહેવાલ -તરુલતાબેન મહેતા

અમેં  સૌ  ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા,સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’ (પદમાબેન કનુભાઈ શાહ )


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

26મી જાન્યુઆરી 2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કાતિલ  ઠન્ડી અ ને વાદળ  ઘેરી  સાંજે ચાળીસેકની સંખ્યામાં ગુજરાતીઓ બેઠકમાં આવ્યા હતા . ઊષ્માભર્યા આવકારથી ગુજરાતી ભાષાપ્રેમીઓ  -સાહિત્યરસિકો ખુશખુશાલ બેઠકના કાર્યક્રમને માણવા ઉત્સુક હતા .પ્રજ્ઞાબેન દ્વારા  પસન્ન વદને થતા  સંચાલનની શરૂઆત કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી    પ્રાર્થનાથી  થઈ . ભારતમાં સ્વાતંત્ર દિનની ઉજવણી વતનપ્રેમીઓ બેઠકમા પરસ્પર અભિવાદન કરી કરતા હતા.

સ્ટેજ પર વચ્ચેની ખુરશીમાં બિરાજમાન વડીલ સભ્ય  કવિયત્રી પદમાબેન કનુભાઈ શાહ આજની બેઠકના ધ્યાનાર્હ વ્યક્તિ હતા.તેમના ‘મા તે મા ‘( આ..બે 2017) પુસ્તકનું લોકાર્પણ તરૂલતા મહેતાના હસ્તે થયું.આ પુસ્તકની પહેલી આવૃત્તિ 2016માં પ્રજ્ઞાબેન દાદભવાળાએ તૈયાર કરી ‘બેઠક ‘તરફથી તેમને ભેટ આપી હતી જેનું વિમોચન જાણીતા કવિ  અનિલ જોશીના હસ્તે થયું હતું। .બેઠક ગુજરાતીમાં  વાંચવા લખવાનું વાતાવરણ પૂરું કરી ગુજરાતી ભાષાની સેવા કરે છે.બેઠકના બગીચામાં ફૂલોને ખીલવવાનું માળીનું કામ પ્રજ્ઞાબેન અને સૌ સહાયકર્તાઓ ઉમંગથી કરે છે.  ખરેખર “શબ્દોના સર્જન”ને વયની મર્યાદા  નથી .પ્રજ્ઞાબેનના સતત ઉત્સાહથી જેમણે કદી કલમ ચલાવી નહોતી તેઓએ શબ્દોના સર્જન બ્લોગ પર વિવિધ વિષયો પર લખવાની શરૂઆત કરી.પદમાબેન શાહ તેમનાં કાવ્યો ,લેખો અવિરતપણે શબ્દોના  સર્જન પર લખતા રહ્યાં ‘ટીપે ટીપે સરોવર ભરાય ‘ તેમ તેમનાં કાવ્યો,નિબંધો નું દળદાર 130 જેટલાં પાનાનું સુંદર પુસ્તક તૈયાર થયું ,પોતાની જન્મદાત્રી માનું  અને માતૃભાષનું ઋણ અદા કર્યું છે.પદ્માબેન ખૂબ ખુબ અભિનન્દન ।.પુસ્તકનું આવરણ પુષ્ઠ ગુજરાતના સ્થાપત્ય વારસાને પ્રગટ કરે છે.સરસ રીતે તૈયાર થયેલું પુસ્તક માની કોખને ગૌરવ અર્પે છે.ત્રણ પેઢીઓને ભાષા અને સંસ્કુતિના વારસાથી સાંકળે છે। આ કામ પદમાબેનની જેમ દરેક કુટુંબમાં માં જ કરી શકે..એમના સ્નેહી પરિવારને અભિનન્દન અને શુભેચ્છા।

આમ તો આપણામાં કહેણી છે કે ‘માં તે માં ,બીજા બધા વગડાના વા ‘ માની તોલે કોઈ નહિ। અહીં હું જરા જુદી રીતે કહેવા માંગુ છું ,એક માં જન્મ દેનારી અને બીજી માં માતૃભાષા જેના ધાવણ જીવનને પોષે ,વિકસાવે .આપણાં સુખ -દુઃખ ,પ્રેમ આનન્દની અભિવ્યક્તિ માતૃભાષામાં અનાયાસ થાય। માના હાથનો રોટલો અમૃત જેવો લાગે તેમ ગુજરાતીમાં વાતચીત કરવાનો ,લખવાનો અનેરો આનંદ છે ,ભાઈ આપણે તો જનેતાની બોલીમાં  ગાણાં ય ગાવા ,ગરબા રમવા ,નાટકો અને ભવાઈ કરવી અરે પ્રેમ કરવો ,લડવું ઝગડવું અને સપના ય ગુજરાતીમાં જોવા.માની જગ્યા ઓરમાન માં  ન લઈ શકે તેમ બીજી ભાષાથી આપણો વ્યવહાર ચાલે પણ ગુજરાતી જેવી મીઠાશ ના  મળે.

બેઠકના સભ્ય કવિયત્રી ,લેખિકા સપનાબેન  પદમાબેનના પુસ્તક  વિષે બોલવા પધાર્યા .તેમણે કહ્યું। માં તે માં શીર્ષક જ ખૂબ સુંદર છે.એમાંની કવિતાઓ લાગણીથી છલકાતી અને સુંદર રીતે લખાયેલી છે.જીવનના તહેવારો,પ્રંસગો,જન્મદિવસ ,પ્રકૃતિ ,પરિવારના સભ્યો એમ વિવિધ વિષયોનો રસથાળ પદમાબેને શાહે ‘માં તે મા ‘પુસ્તકમાં માતૃભાષાને ચરણે અર્પ્યો છે.કલ્પનાબેન રધુ શાહે તેમણે અગાઉના પુસ્તકવિમોચનની ફિલ્મ યુ ટ્યૂબ પર મૂકી છે.તેમણે પદમાબેનના સર્જનકાર્યને વધાવ્યું છે.

‘બેઠક’ના લેખિકા વસુબેન શેઠે સ્વહસ્તે બનાવેલું કલાત્મક કાર્ડ અને મનીષાબેને પીળા ફૂલોનો સુંદર પુષ્પગુછ પદમાબેનને અર્પણ કર્યો અને મનીષાબેનને અભિનંદન આપી પદ્મામાસીના આશીર્વાદ લીધા ત્યારે સૌએ તાળીઓથી વધાવી પુસ્તક પ્રકાશનની ખુશી વ્યક્ત કરી.આમ બેઠકના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાની ખોટ તેમના પુત્રી મનીષાબેને પુરી.

માનનીય પદમાબેને ભાવવિભોર થઈ સૌનો આભાર માન્યો. સહજ અંતરની લાગણી થી તેમણે પોતાની લખવાની પવૃત્તિનો જશ પ્રજ્ઞાબેનને આપ્યો।’બેઠખ અને ‘શબ્દોનું સર્જન ‘ તેમની લેખિનીને સતત બળ આપતા રહ્યા.તેમનાં સ્વ માતુશ્રીના ઋણ અને ગુણોને  યાદ કરતા ગળગળા થઈ ગયા.તેમના બાળપણની મીઠી યાદો હાજર રહેલા કુટુંબીજનો અને પરિવાર સમી બેઠકના સૌ કોઈને સ્નેહથી ભીંજવી ગઈ.પ્રજ્ઞાબેને વડીલને પ્રણામ કરી પદમાબેન અને સ્વ.કનુભાઈ શાહના ઋણને વ્યક્ત કર્યું। ભાષાપ્રેમી દંપતીએ પ્રજ્ઞાબેનને સહકાર અને માર્ગદર્શન પર પાડ્યા .

રાજેશભાઈએ બેઠકની 2017ની અનેકવિધ પ્રવુતિઓનું  વિગતવાર સરવૈયું કર્યું। તેમના વ્યક્તવ્યમાં તેમણે કહ્યું  જીવનમાં આનન્દ કરવો અને આપવો તો જ ફેરો સાર્થક થાય.રાજેશભાઈ હું તમારા મત સાથે સહમત છું તેથી જ સર્જનની પવૃત્તિ સાથે સંકળાયેલી છું .’બેઠક ગમતાનો ગુલાલ કરવાનો મોકો આપે છે.

પ્રજ્ઞાબેનની બે વાર્તાઓના વાચિક્મ પ્રયોગથી સૌને મોકળા મને હસવાનું મળ્યું। ઉપાધ્યાય દંપતીએ મઝાના લ્હેકામાં વાર્તાને નાટયમય બનાવી ગુજરાતીની મસાલાવાળી ‘ચા તે ચા ‘.બીજી વાર્તા ‘આયેગા આનેવાલા ‘ રહસ્યમય વાર્તાનું વાચિક્મ જિગીષાબેન અને ઉષાબેને સરસ કર્યું। પ્રજ્ઞાબેનના સહકારથી બન્ને વાર્તાઓના વાચિક્મ થી સૌને ભરપેટ આનંદ મળ્યો.ભવિષ્યમાં જુદા જુદા લેખકોની કુંતિના વાચિક્મ થતા રહેશે તેથી રાજેશભાઈએ ક્યુ તેમ બેઠક મુગટમાં નવા પીંછા ઉમેરાતા રહે છે.

સ્વાદિષ્ઠ ભોજન અને મિલન મુલાકાતનો આનંદ બોનસમાં!

‘ઝાઝા હાથ રળિયામણા ‘ તો આપણી ગુજરાતી ભાષાને ઉજાગર કરવા મળીએ,લખીએ ,બોલીએ અને ફૂલની પાંખડી માતુભાષાને અર્પીએ !

સૌ મિત્રોને વાંચન -સર્જન માટે શુભેચ્છા।

તરૂલતા મહેતા જા .2018

૧૪-વાંચના-આજે ગાંધી નિર્વાણ દિવસ

30મીજાન્યુઆરીનાં ગાંધીજીનાં નિર્વાણ દિનની દેશભરમાં ઠેરઠેરમાં ઉજવણી કરવામાં આવે છે.વિશ્વના સૌથી મોટા, મહત્વના એવાં લોકશાહી રાષ્ટ્ર ભારતની આઝાદીના પ્રણેતા આઝાદી સંગ્રામના અડીખમ યોધ્ધા અને રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સત્ય, અહિંસા અને પ્રેમના એ પૂજારી ને યાદ કરી ‘બેઠક’માં   દીપલબેને વાચિકમમાં આપેલી ગાંધીબાપુને  શ્રધ્ધાંજલિ

સાંભળો

૧૬-એવું કેમ ? એક સિનેમા પાછળ આટલાં તોફાન ?

માતૃભૂમિ પર પગ તો મુક્યો-
આતુર નયને , અધીર મનડે,
હરખપદુડાં ,હેત નીતરતાં ,
ફર્લાંગ ભરતાં, મોં મલક્તાં ,
અહોભાવ ને ઉમળકાથી –
માભોમને મળવાં,
આવી તો પહોંચ્યા :
પણ ?
પણ અહીંની પરિસ્થિતિ જોઈ ડર લાગ્યો , દુઃખ થયું અને ચિંતા એ ઘર કર્યું!
અહીં તો અમદાવાદ બંધનું  એલાન હોય તેમ લાગે છે. ચારે બાજુ હિંસા , હુલ્લડ -તોફાનો,અરાજકતા – અરે આ બધું શું છે ?
અચાનક આવું કેમ ?
શું બની ગયું એટલામાં ?
આ એ જ ગુજરાત છે જ્યાં ઔદ્યોગિક તકોને લીધે વિશ્વભરની કંપનીઓએ વિશ્વાસ મૂકીને નાણાં રોક્યાં છે ? જ્યાં શાંતિ અને સલામતીને લીધે દેશ પરદેશથી લોકો હરવા ફરવા વેકેશન માણવા આવે છે, જેને લીધે ટુરિઝમ – પ્રવાસ પર્યટન વિભાગ ફૂલ્યો ફાલ્યો છે. છેલ્લા વીસેક વર્ષથી અહીંયા કોઈ તોફાન છમકલાં થયાં નથી  તો આ લૂંટફાટ, આગ અને ભાંગફોડ બધું ક્યાંથી એકાએક ? ટી વીમાં હું બળતી બસો , મોટરગાડીઓ અને ગરીબોની રોટી રોજીનો આધાર એવી પચ્ચીસેક મોટરબાઈક તૂટેલી ફૂટેલી હાલતમાં ખડકાયેલા જોઉં છું અને સાથે ચોધાર આંસુએ રડતો એક યુવાન મજુર મને બેચેન કરી દે છે.
એ સાથે એક બીજા સમાચાર પણ છે:
કોઈ નાની બાળકી ઉપર ગેંગ રેપ અને પછી મર્ડર… થયું છે. શું ? આ માસુમ બાળકી પર થયેલ અત્યાચાર સામેનો આ આક્રોશ છે?
ના રે ! સમાજનું આ નામોશીભર્યું અંગ – એ તો કોઈને દેખાતું જ નથી. એનાથી તો કોઈનાયે પેટનું પાણી હાલતું નથી.
આ ધાંધલ ધમાલ તો છે એક મુવી ‘પદમાવતી બતાવી તેની. જેમાં ડિરેક્ટરે ઇતિહાસ સાથે સમજૂતી કરી છે- રજપૂત લોકોને નીચા બતાવ્યા છે -એમ કેટલાક લોકોનું કહેવું છે. ઇતિહાસમાં સાચું શું હતું એ એક સંશોધનનો , અભ્યાસુનો વિષય છે. પણ આ મુવી જોયા પછી મને તો એમાં કાંઈજ વાંધાજનક લાગ્યું નથી. રજપૂતોની ગરિમા વધારતું એક સ્વચ્છ મુવી !એક સરસ સિનિમા જોયાની અનુભૂતિ થાય તેવું આ મુવી છે.

પણ ,તો આવું કેમ ?
કેમ આટલાં તોફાનો ?
કેમ એનો આટલો સખ્ત વિરોધ ?
એવું કેમ ?

હું જુદા જુદા દ્રષ્ટિકોણ ધરાવતાં છાપાં, મેગેઝીન અને ઇન્ટરનેટ સમાચારો સાથે અહીંના લોકલ લોકોના અભિપ્રાય -માન્યતાઓનો અભ્યાસ કરું છું.ગુજરાત, મહારાષ્ટ્ર ,રાજસ્થાન , મધ્યપ્રદેશ ,છેક હરિયાણા સુધી પ્રસરેલ આ તોફાનો પાછળ માત્ર દેશની શાંતિ હણવાનો, પ્રગતિ રૂંધવાનો અને અરાજકતા ફેલાવી સરકારને મુંઝવવાનો જ ઈરાદો દેખાઈ આવે છે. આ તે કેવી ખુલ્લેઆમ દાદાગીરી ? સુપ્રિમ કોર્ટે તો આ મુવી રિલીઝ કરવાની પરવાનગી આપી દીધી. તો પછી આ વિરોધ શાને ?

એવું કેમ?
હું ભગ્ન હ્રદયે દેશના આ અમીચંદોને જોઈ રહું છું. પૈસા આપી ભાડુતી માણસોને ભેગાં કરી સામાન્ય જનતાને પરેશાન કરતાં આ અસામાજિક તત્વો જ તો અમીચંદો બની દેશને પાયમાલ કરે છે.  જ્ઞાતિવાદ,જાતિવાદ, કોમવાદ B. C; કે O.B.C  કે S.C કે જે તે વર્ગમાં દેશને વિભાજીત કરી કે ગમે તે વાહિયાત પ્રશ્ન ઉભા કરી દેશની પ્રજાને બહેકાવવાની વાત છે આ તો.

દેશના વિકાસમાં એમને રસ નથી? જો સરકાર આવાં છમકલાઓ દાબી દેવા પોતાની શક્તિ વાપરે તો પ્રગતિના મહત્વનાં કર્યો કરી શકે નહીં  અને એ જ તો આ દેશદ્રોહીઓને જોઈએ છે.
“ અમે તો અમારો વિરોધ દર્શાવીએ છીએ ! અમારી કરણી જાતિ – ક્ષત્રિય કૉમનું એમાં અપમાન છે !” એમણે કહ્યું.
પણ ,અહીંયા રોજ ગમેતે સ્ત્રીની આબરૂ લૂંટાય છે ,સમાજનું એ મોટામાં મોટું કલંક છે.કોઈ બંધ કે બહિષ્કારના એલાન નથી આપતાં? અને એક મુવી માટે આટલો વિરોધ? અને વિરોધ દર્શાવવાની આ કેવી રીત ?

હું અનાયાસે જ પ્રેસિડન્ટ ટ્રમ્પના વિરોધમાં થતાં સભા સરઘસ યાદ કરું છું. ‘નથી ગમતું તો હું એનો વિરોધ જરૂર કરીશ પણ કોઈની જાનહાનિ કે ચીજ વસ્તુને જોખમમાં મૂકીને નહીં જ.  મેં પ્રેસિડન્ટ ટ્રમ્પ સામે વિરોધ કરતાં લોકોને જોયા છે: કોઈને બસ સ્ટેન્ડ બાળતાં, દુકાનો તોડતાં જોયા નથી.  ત્યાં કાયદો અને વ્યવસ્થાનું કડક હાથે પાલન થાય છે.
લાગે છે કે કાયદા કાનૂનમાં પણ અહીં ઉધઈ લાગી ગઈ છે. 
એવું કેમ?

કેમ મારા દેશવાસીઓ એ સમજતાં નથી કે તૂટેલા બસસ્ટેન્ડ ફરી જલ્દીથી નવા નહીં થાય. બળેલી બસો ફરીથી નવી નહીં મળે. જે સ્કૂટર ગરીબની રોટીનો આધાર હતાં એ ગરીબ હવે નવાં નહીં વસાવી શકે. સમજ્યા વિના ગાડરિયા પ્રવાહમાં જોડાઈને રાષ્ટ્રની જાહેર પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવું ,અશાંતિ ઉભી કરવી એ દેશદ્રોહ છે. શું સાચો ક્ષત્રિય આવું કરે?

એક બાજુ ,”ક્ષત્રિય કોમને નીચી બતાવી તમે અપમાન કર્યું છે” કહી તોફાનો કરવા .
અને બીજી બાજુ બિચારાં નિર્દોષ સામાન્ય માણસોનું રક્ષણ કરવાને બદલે ત્રાસ પહોંચાડવો.  એવું કેમ ?

આજે દાવાનળ જરા શાંત થયો છે કારણ અમુક રાજ્યોએ સ્વૈચ્છિક આ મુવી લોકોને નહીં બતાવવાનું નક્કી કર્યું છે.  એક સરસ મૂવીથી સિનેમા પ્રેમી જનતાને વંચિત રાખવામાં આવશે.
એવું કેમ?

જો કે મુવી પોતે જ એ જ વાત પર રચાયું છે કે જયારે પદ્માવતીનો પતિ રાજા રાણા રતનસિંહ અને પ્રિય સંગીતકાર રાઘવચેતન વચ્ચે કાંઈ અણબનાવ થાય છે એટલે એ દિલ્લીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીને જઈ ચિત્તોડની રાણી પદ્માવતીના અપ્રતિમ સૌંદર્યની પ્રસંશા કરી અલ્લાઉદ્દીનને ભંભેરણી કરે છે પછીની વાત આપણને ખબર છે.. ઘર ફૂટ્યે ઘર જાય ..  આપણે ઇતિહાસ પાસેથી પણ કાંઈ ના શીખ્યાં?

અને વિધિની વિચિત્રતા તો જુઓ ! આજે રાષ્ટ્ર ગાંધી નિર્વાણ દિન મનાવી રહ્યો છે:
વૈષ્ણવ જન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે.. ચારે બાજુ એના સૂર વહી રહ્યા છે.. કોણે કેટલાની પીડા દૂર કરી તે પ્રશ્ન છે!
“ મેરા ભારત મહાન !” એમ બોલવાનું તો સૌને ગમે ! પણ રાષ્ટ્રને મહાન બનાવવા કોણે કેટલો ફાળો આપ્યો ? એ વિચારે હું અસ્વસ્થ છું.હું પણ સવા કરોડ લોકોની જેમ ટી વી બંધ કરું છું.
નાનકડો એક દીવો ખૂણામાં પ્રકાશ પાથરતો આશ્વાસન આપતાં કહી રહ્યો છે ,” કરીશ હું મારાથી બનતું !” આંખના ખૂણા લૂછતાં હું વિચારું છું:
એવું કેમ ?

ગીતા ભટ્ટ 

૨૦ – હકારાત્મક અભિગમ-જાગૃતિની જ્યોત- રાજુલ કૌશિક

સંત એકનાથજીના પ્રસન્ન ચહેરાને જોઇને એક યુવકે જરા આશ્ચર્યથી પૂછ્યું.“ નાથજી આપનું જીવન કેવું સ્વસ્થ, મધુર અને પ્રેમ-શાંતિથી ભરપૂર લાગે છે. આપને ક્યારેય ગુસ્સો, ઇર્ષ્યા, મોહ, મહત્વકાંક્ષા પીડતા કે પજવતા નથી? તમારી જેમ મારું જીવન પણ સ્થિર અને શાંત બને, દિવસો આનંદમય અને કલ્યાણમય પસાર થાય તેવો કોઇ ઉપાય બતાવોને !”

એકનાથજીએ શાંતિથી જવાબ આપ્યો, “ ઉપાય કામ લાગે એવો હોત તો ચોક્કસ બતાવત પણ હવે જરા મોડું થઈ ગયું છે. તારા હાથની રેખાઓ કહે છે કે તું હવે માત્ર સાત દિવસનો જ મહેમાન છું. પહેલાં જેવી રીતે જીવતો હતો એવી રીતે બાકીનું આયખુ પુરુ કરી નાખ.”

આ સાંભળતા જ પેલા યુવાનના ચહેરા પર ચિંતા, ભય અને વેદનાના પૂર ફરી વળ્યા. શરીર કંપારીથી ધ્રુજવા માંડ્યુ. પરસેવાના રેલેરેલા વહી ચાલ્યા. પગમાંથી પ્રાણ, ચહેરા પરથી ચેતના જાણે ચાલી ગઈ. આંખમાંથી તેજ ઓસરી ગયું. ક્ષણ માત્રમાં યુવાન જાણે વૃધ્ધત્વના આરે જઈ ઊભો. જગત અને જીવનમાંથી રસ ચાલ્યો ગયો. ઘરે આવીને પત્નિ અને સંતાનો પાસે રડી પડ્યો. સ્નેહી, સ્વજનો અને પાડોશીઓ પાસે જાણે-અજાણે કરેલી ભૂલો માટે ક્ષમા માંગી.

અંતે સાતમા દિવસના સૂર્યાસ્ત સમયે સ્વંય એકનાથજી  એના ઘરે આવ્યા. યુવાને હાથ જોડીને પૂછ્યું, “ નાથ હવે કેટલી ઘડી બાકી છે?”

એકનાથજીએ એને કરૂણાસભર સ્વરે કહ્યું, “ઊભો થા વત્સ. અંતિમ ઘડી તો પરમેશ્વ નક્કી કરશે ત્યાં સુધી તો તારે જીવવાનું છે પણ મને એ કહે કે આ સાત દિવસ તે કેવી રીતે વિતાવ્યા? મોજ-મઝા, ભોગ –વિલાસમાં , આનંદમાં? આ સાત દિવસોમાં ગુસ્સો, મોહ-માયા, મહત્વકાંક્ષાની કેટલી ક્ષણો આવી?”

યુવક રડી પડ્યો. એણે કહ્યું,“ નાથ, આ સાત દિવસો તો માત્ર મૃત્યુના ઓછાયામાં જ ગયા. નથી તેના સિવાય નથી બીજા કોઇ વિચારો આવ્યા કે નથી બીજી કોઇ સૂઝ રહી.”

એકનાથજી એ કહ્યું, “ જેના ધ્યાનમાં તે આ સાત દિવસ કાઢ્યા તેના ધ્યાનમાં અમે સમગ્ર આયખુ વિતાવી દઈએ છીએ. મૃત્યુ એટલે કોઇ નામ, તારીખ, સાલ કે ક્ષણ નહીં પણ ક્ષણ-ક્ષણની સજ્જતા. પળ-પળની જાગૃતિ. આ સાવધાની જ્યોત છે જેના ઉજાસમાં જોવાનું, જાણવાનું, જાગવાનું અને જીવવાનું હોય છે. એ જ તો સાચી ઉપલબ્ધ્ધિ છે.” તે ક્ષણે જ જાણે યુવકને જીવનદીક્ષા મળી ગઈ. મરવું સરળ છે, ક્ષણમાં જીવન જોઇ લેવું એ કસોટી છે.

આ એક યુવક પુરતી વાત નથી. આપણે પણ જીવનભર આમ જ જીવીએ છીએ. કાલ કોણે દીઠી છે એમ માનીને મનને ગમતું, તનને ફાવતું કરીએ છીએ. પરંતુ જે ક્ષણે મોતની છાયાનો આભાસ સુધ્ધા થાય ત્યારે જ જાગીએ છીએ. મન ત્યારે જ જાગૃત થાય છે જ્યારે સમય ક્ષણમાં ફેરવાતો લાગે છે. જો કે એકનાથજી બનવું સરળ હોત તો સંત, સંન્યાસ અને સંસારમાં કોઇ ફરક જ ન રહેત. એકનાથજી તો ન બની શકીએ પણ સમય ક્ષણમાં ફેરવાય તે પહેલા જાગૃત તો રહી જ શકીએ ને?

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

ડાયરીના પાના -૩૧થી -૪૦ -ધનંજય સુરતી

દ્રશ્ય 31- સરલાના લગ્ન

બેન સરલા માટે છોકરો જોવા ભરૂચથી હીરાલાલમાસા નો પત્ર આવ્યો હતો સરલા મારી નાની બેન હતી સ્વભાવે તે ઠરેલ ને સરળ સીધી સાદી હતી પણ જવાબદાર વ્યક્તિ હતી.પિતાના મૃત્યુ બાદ ઘર ઉભું રાખવામા તેનો મને સહકાર ઘણો હતો.મુબઈમાં રહી ભરૂચ છોકરો જોવા જવાની વાત મને ગળે ઉતરતી નહિ.પણ માસા ના પત્રો થી લાગતું કે એક વાર જોઈતો આવવો જોઈએ.બા મનુભાઇ વગરે ભરૂચ જવાના હતા મેં તેઓને જલ્દીજ રવાના કરી દીધાને માસાને જાણ કરી. છોકરાનું નામ શરદચંદ્ર હતું.એક નો એક હતો.બાપ જીવંત નોતા.ઘરડા માં હતા.નામ મટુબા હતું.છોકરાનું ભણતર બી ઈ સીવીલ એન્જીનીયર હતું અને તે અંકલેશ્વર ONGC માં એનજીન્યર છે બા તથા મનુભાઈ તેમને મળ્યા.મટુબા એ જણાવ્યું કે એમની પાસે પોતાનું ઘર નથી તેઓ ભાડેથી રહે છે.બાએ ઉપર પ્રમાણે મને રિપોર્ટ આપ્યો પણ નિર્ણય મારા પર મુલતવી રાખી ને કહ્યું કે મારો મોટો છોકરો જે કરે તે ખરુ.મનુભાઈ એ તેમાં ટાપસી પુરાવી તેમના આવ્યા પછી હું ગયો ને ભરૂચ માસા ને મળ્યો. .વિગતે વાત કરી. હું તથા માસા બે વાર મળવા ગયા પણ મેળાપ થયો નહિ.મેં છેવટે સરલાને પૂછી જોયું કે છોકરો કેવોક લાગ્યો ?તને ગમ્યો ? તેણે  હકાર માં જવાબ આપ્યો.મને સરલા પર વિશ્વાસ હતો.મેં કહ્યું ઘર હમણાં નથી તો પછી થશે પણ મુળે છોકરો તને સુખી કરે તેવો હોવો જોઈએ.બાકી બધું તો ઠીક. તેને હકાર ભણ્યો. તો મેં કહ્યું તો કરો કંકુના.ને વેવીસાલ કર્યાં ને તૂરંત જુલાઈ માં લગ્ન ન ક્કી કર્યા.લગ્ન અંકલેશ્વર ખાતે નક્કી કર્યા અમારું ઘર તો રિટાયર્ડ સ્ટેશન માસ્ટર ને મોટા મામાની ભલામણ થી ભાડે આપેલું. આથી લગ્ન દસાલાડ ની વાડી માં રાખ્યા હતા મોસાળ માં અમે રહેતા. લગ્ન તથા સ્વજનો સાથે રહેવાનો ભાધોજ ખર્ચ મેં ઉપાડી લીધો હતો ને ઘરે રાંધવા મહારાજ રાખ્યો હતો. હું ને બા સરલા માટે ઘરેણા તથા કપડાની ખરીદી કરવા ભરૂચ માં ગયા હતા. જસુભાઈ ચોકસી મોટાઈ ના ખાસ દોસ્ત હતા. તેઓની વડ પાડા ખાતે મોટી દુકાન હતી. લગ્નની વાત સાંભળી ખુબજ રાજી થયા અને અમને પસંદ પડે તેવા ઘરેણા આપ્યા ચોખાની તે વખતે બંધી હતી , પણ માસાના પ્રયત્નથી કોઈ વાંધો આવ્યો નોતો.લગ્ન રંગે ચંગે પતિ ગયા અને બહેન સરલા વિદાઇ થઇ ગઈ. ઘર માં તેની ગેર હાજરી વર્તાઈ.આજે સરલા સુખી છે તેનો અંકલેશ્વર માં બંગલો છે શરદચન્દ્ર ડેપ્યુટી જનરલ મનેજર ની કામગીરી બજાવી રીટાયર થયા એમના પરિવારમાં ત્રણ પુત્રી છે.નામ નીપા, લોપા ને ધરતી છે.ત્રણે પરણીત છે અને તેમના પરિવાર સુખી છે ત્રણે ભરૂચ તથા અમદાવાદમાં સેટલ થઇ. હીરાલાલ માસા ની મદદ અને દોરવણી માટે બહુ આભારી છુ મોસાળનું પ્રેમાળ વાતાવરણ હું આજે પણ યાદ કરું છું.મારા સરોજ માસી સૌથી નાના હતા તેઓ હમણાજ એશી વરસે ગુજરી ગયા.

દ્રશ્ય -32-મારુ વેવિશાળ

બેન સરલાના લગ્ન પછી કુટુંબમાં બે વ્યક્તી ઓછી થઇ હતી.સુનું તો જરૂર લાગતું થોડા દિવસ દિલ બેચેન હતું પણ ઈલાજ નહિ.મારી ઉમર પણ વધતી જતી હતી. મારા વિલંબથી નાનાઓ ને અન્યાય થાય. એ મને રુચતું નહિ આ સમયે ધનસુખલાલ ઘર શોધતા આવી પોહ્ચ્યા. તેમને કોઈકે મારું નામ સજેસ્ટ કર્યું હતું. એમનો શોખ મેચ મેકિંગ હતો.તેઓ લગ્નના ચોકઠા બેસાડતા.તેઓ સીધા સાદા આદમી હતા.કફની બંડી ધોતિયું ને પગમાં ચંપલ તેમનો પહેરવેશ હતો.તેઓ મુંબઈમાં આરબની ચાલ માં રેહતા હતા.તે દર થોડા વખતે નવા નવા પ્રપોસલ લાવતા.તે વખતમાં મેરજ બ્યુરો જેવી સંસ્થાઓ ન હતી. મારા લગ્નનું ડીસીસન મારેજ લેવાનું હતું. મારે અન્ય કુટુંબીક જવાબદારી ઓ પણ હતી. મારે નાના ભાઈ બેનોનું ભણતર પૂરું કરાવાનું હતું. મને બીક હતી કે પરણ્યા પછી કદાચ વિક્ષેપ આવે તો તેઓ રખડી પડે. મારે સેકંડ લાઈન ઓફ ડિફેન્સ નબળી હતી. આ વિચાર મને ગમગીન કરી દેતો.તેથી હું લંબાવે રાખતો. અગાઉ હું મારા મિત્ર રમેશના લગ્નમાં તેની સાથે ગયો હતો.ત્યારે અમે વડોદરા રમેશ ના મિત્ર કુલેન્દુ ને ઘરે રહ્યા હતા.તેઓ નાગર બ્રાહ્મણ હતા. કુલેન્દુ બી.કોમ. ફર્સ્ટ કલાસ ફર્સ્ટ હતો ને ત્યાની સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો  તે વખતે તેની નાની બહેન માળા સાથે પરિચય થયો.તે મેટ્રિક માં હતી.તે રેડીઓ આર્ટિસ્ટ હતી હું ત્યારે જુનીઅર બી.કોમ. માં હતો અમે લગભગ આઠ દિવસ પરિચય માં આવેલા. પાછા વળતા તેના માં એ મને અણસાર આપ્યો હતો. પણ મારા અધૂરા ભણતરે મારી ઈચ્છા ન હતી. અને મોટાઈ ની ધાક. એટલે હું ચુપ રેહ્યો.આ વાતને પાચ વર્ષ વીતી ગયા હશે ત્યારે હું C A થઈ ગયો હતો પણ સંજોગો બદલાઈ ગયા હતા મોટાઈ હયાત ન હતા માળા કદાચ ગ્રેજ્યુએટ થઇ પરણી ગઈ હશે.વાતપર પડદો પડી ગયો.ધનસુખલાલ પ્રપોસલો લાવતા તે દરમિયાન નગીન કાકાએ મને અને બાને વાત કરી.વાત એમ હતી કે તેઓ જ્ઞાતના કારભારીના સંપર્ક માં આવ્યા હતા. કારભારી એ તેમની છેલ્લી બાકી રહેલી છોકરી વિશે વાત કરી. નામે સુકન્યા અને ભણતર બી.કોમ. બી.એ. એલ એલ બી. વ્યવસાયે નોકરી સ્કોડા જર્મન કુ માં.પગાર સારો.નગીન કાકા બા ના સગ્ગા કાકા ને વ્યવસાયે શેર બ્રોકર હતા પેહલી પરિચય મીટીંગ નાના કાકાએ ગોઠવી.હું છોકરી ને મળ્યો.મને તે ઠીક લાગી.અને વધુ વાર મળવાની ઈચ્છા બતાવી.અમારી એક મીટીંગ એપોલો બંદર પર થઇ.બીજી ગ્રાન્ટરોંડ પર સિનેમા માં થઇ.એવી કેટલીક મીટીંગો પછી વેવીસાલ નક્કી કર્યું.વેવાઈએ વેવીસાલની વિધિ સારી રીતે ઉજવી.જમણવાર થયો તેમના સગાં સબંધીને મળ્યો. પછી ઘરે ગયો. થયું કે એક મોટું કામ પતિ ગયું. તે પછી અમે અવારનવાર મળતા. હું સુકન્યાને ભરૂચ તથા અંકલેશ્વર પણ લઇ ગયો હતો જેથી બહેન ,મામા મામી તથા માસીના પરિચયમાં આવે. તે બધા સાથે હળી તો ગઈ પણ મારી સાથે કોઈ વાતચીત કરી નહિ કે પ્રતીસાદ આપ્યો નહિ.બે દિવસ પછી અમે મુંબઈ પાછા ફર્યા અને રોજ ના રૂટીનમાં જોડાઈ ગયા.મને પ્રવાસમાં ને બે દિવસના રોકાણ દરમિયાન એવો એહસાસ થયો કે તે મને સતત અવગણે છે  આગળ પણ મને એવા અનેક અનુભવો થયા. મારી અન્ય કુટુંબીક જવાબદારીઓ થી હું અતિ ચિંતિત હતો અને તેથી સતત વિચારતો રેહતો.નાનેરના ભણવાના પ્લાન તેમને અમેરિકા મોકલવાના પ્લાન અને તે માટે આવક તેથા ખર્ચા ના પ્લાન.તે સમયે એક ડોક્ટર અને બે અન્જીનીયેર નું ભણી રહ્યા હતા.અને નાની બહેન હાઈસ્કૂલ માં હતી. મને સતત થયા કરતું કે શુંકન્યા સાથે લગ્ન થયા પછી શું હું જવાબદારી ઓ પૂરી કરી શકીશ? અને જો ના કરી શકું તો તેમનું ભવિષ્ય શું ?લગ્નની તૈયારી ચાલતી હતી. બધું હું જ કરતો. હોલ જોતો ડેકોરેશન નો પ્રબંધ, કેટરિંગ ની વ્યવસ્થા. પણ મન માનતું ન હતું. ઊંડે ઊંડે થયા કરતું કે કાઈ ખોટું તો થતું નથી ને? અમારું વેવીસાળ લગભગ છ મહિના ચાલ્યું હશે. આ દરમ્યાન સુ કન્યા મારા કુટુંબ તથા મારી જવાબદારીથી સારી એવી માહિતગાર થઇ હશે. પછી તેણે રસ ના લીધો. મળવાનું બંધ થયું.થોડાજ દિવસોમાં વેવીસાલ વખતે આપેલી સાડીઓ અને ઘરેણા નાના કાકા મારફતે પરત કર્યા. જીવનનું એક ચૅપ્ટર પૂરું થયું. પાછો હું રૂટીન માં પડી ગયો પ્રોપોસલો આવતા ગયા ને હું જોતો રહ્યો ને ના પાડતો રહ્યો. મારા જન્માક્ષર ઘણા જોશીઓએ જોયા હતા પણ સર્વ પક્ષે નિદાન એજ હતું કે લગ્ન સ્થાન કલુષિત છે મારી ઉમર હવે છત્રીસ ની અને મોટી ઉમરની કન્યાઓ મળતી તો મને કામ લાગે તેવી નહતી.મનમાં એક ધુનકી લાગી હતી કે આ પ્રશ્ન નો નિવેડો લાવવો.એવામાં ભરૂચથી મુ.હીરાલાલ માસાનો પત્ર આવ્યો કે તું ત્વરિત આવ અહીં છોકરી હાજર છે. કોઈ કામ સર હું ના જઈ શક્યો. વળી મને એમ થતું કે મુંબઈ માં કા છોકરીઓ ઓછી છે કે ખાસ ભરૂચ જવું પડે ?છોકરી તથા તેના સગાં મારી ઘેર હાજરી ને લઈને પાછા ફર્યા. વાત બંધ રહી.

દ્રશ્ય-33-મારું બીજું વેવિશાળ

 

હું રોજ ના રૂટીન માં ગુથાઈ ગયો ને વાત ભૂલી ગયો તેવામાં પાછો હીરાલાલ માસાનો પત્ર આવ્યો. આ વખતે તેમણે લખ્યું હતું કે છોકરી જાણીતી છે તેઓ તારાબેનની બાજુમાં વરસો રહેલા.તારાબેન મારી બા ની બા અને મારા દાદી હતા.છોકરી બી.એ. બી એડ છે અને સુરતમાં ઇંગ્લિશ મીડી અમ પ્રાઈમરી સ્કુલમાં પ્રિન્સીપાલ છે. તેને જન્માક્ષર માં મંગળ હોવાથી તેઓ વિવાહ તુટલો છોકરો શોધે છે મેં અને બાએ વાતચીત કરી નક્કી કર્યું કે મારે જવું. છોકરી જોવી. જો ના પસંદ પડે તો મુંબઈ પહોંચી ના લખી દેવી. આ વખતે મિટીંગ અંકલેશ્વરમાં રાખી હતી.સરલા નું ઘર હવે અંકલેશ્વરમાં હતું. હું બહેન સરલાના ઘરે પહોંચી ગયો. કેટલીક માહિતી મેં સરલા અને હીરાલાલમાસા પાસેથી મેળવી. બીજે દિવસે સવારના હું ચાહ પાણી પી દાઢી કરતો હતો તે સમયે છોકરી ના બનેવી ભુપેનદ્રભાઈ સરલાના ઘરે આવી પોહ્ચ્યા.તેમણે ખબર આપી કે બપોર ના ત્રણ વાગે છોકરી ના ઘરે મીટીંગ રાખી છે ચાપાણી પતી ગયા પછી તેઓ ગયા. તેમના ગયા પછી નક્કી કર્યું કે હું તથા હીરાલાલમાસા જઈશું.ઠરાવિક સમયે અમો ત્યાંપોહચી ગયા. ત્યાં છોકરીના માં તેમજ બે બનેવી અમ્રતલાલ તથા ભુપેન્દ્રભાઇ હાજર હતા.અમ્રતલાલ ને ભુપેન્દ્રભાઈ તેમનો કારભાર કરતા.અમ્રતલાલ વિધુર હતા તેઓ રિટાયર્ડ હતા છોકરી ના બાપ હયાત ન હતા. માણસો સરળ લાગ્યા. છોકરી નું નામ મીનાક્ષી પણ તેને ઘરમાં મીના કહેતા  તેઓ ની અટક દેસાઈ હતી ઓળખ વિધી પૂરી કર્યા પછી જનરલ વાતચીત થઇ. છોકરીને બોલાવી તેની સાથે ઓળખાણ કરાવી ઉપલા માળ માં અમારા બે વચ્ચે મીટીંગ થઇ. મીટીંગ લગભગ પંદર મિનિટ ચાલી ઉપરના માળ માં પતરા હતા. ઉનાળાનો દિવસ હતો અને ગરમી સખત હતી. છોકરી સહેજ ભરાવદાર હોવાથી પરસેવે રેબઝેબ થઇ ગઈ. હવે નીચે જઈશું?નીચે પણ વાતો થાય તેણે કહ્યું. મેં કહ્યું ચાલો. અમો નીચે આવ્યા.ચાહ્પણી થયા વડીલોએ અંદરના રૂમમાં જઇ મંત્રણા કરી બહાર આવ્યાં પછી એકાંત માં છોકરી અને તેના વડીલો એ મસલત કરી. મને માસાએ પૂછ્યું કેમ લાગે છે મેં કહ્યું દૂધ નો દાજેલો છાશ ફૂકી ફુકીને પીએ. માણસો જાણીતા હતા સ્વભાવે સરલ હતા. તો માસાએ કહ્યું કરો કંકુ ના.હું પણ જોઈ જોઇને કંટાળ્યો હતો. ક્યારેક હું પસંદ કરું તો સામે ના પસંદ આવે અને v.I ce a versa. જેવું માસાએ ઓકે કર્યું કે વાતાવરણમાં તેજી આવી ગઈ. ઘર ખુશ ખુશહાલ થઇ ગયું.નારિયલ ને સવા રૂપિયાની વિધી થઇ અને ચાંદલા થયા. ખુશાલી ઉજવ્યા પછી બધા વિખરાયા, વેવિશાળ પૂરું થયું. મારે આવતી કાલે મુંબઈ પાછા જવાનું હોવાથી હું પણ સરલાને ઘરે ગયો.સરલા તેમના વિશે બહુ જાણતી નહિ સિવાઈ કે તેઓ દેસાઈ ફળિયામાં રહેતા હતા. આ હતું વર્ષ 1968 નું..

દ્રશ્ય 34-મારા લગ્ન
વળતા દિવસે હું ગાડી પકડી મુંબઈ પાછો આવતો હતો. ત્યારે મીના એજ ગાડીમાં મારા ડબ્બામાં હતી. તે તેની નોકરી પર સુરત જતી હતી. ગાડી એક્ષપ્રેસ હોવાથી બીજું સ્ટોપ સુરત હતું. એમ તો મીના બોલ્ડ હતી તેણે વિના સંકોચે મારી સાથે ઠરેલ વાતચીત કરી.એટલામાં સુરત આવી ગયું તેને રજા લીધી ને જતા જતા મને તાળી આપી ને બાય કર્યું ને ઊતરી ગઈ.તાળીનો ચમચમાટ મારા હાથમાં રહી ગયો. આ મારા જીવનનો એક સુખદ અનુભવ હતો હું મુંબઈ પહોંચી ગયો અને રોજની ધમાલ માં પડી ગયો.બાંએ પૂછ્યું કે શું થયું ?મેં કહ્યું મેં ડીસીસન લઇ લીધું. ખરું કે ખોટું એ તો માલમ નથી પણ મારી કુટુંબી ક જવાબદારી ઓ નો વિચાર કરીને ભણેલી પણ સરળ ગામની છોકરી પસંદ કરી. હું મારું વેવીસાલ વિધિસર કરી આવ્યો. માસા અને સરલાબેન હતી. મને માણસો સીધા સરળ ને પ્રેમાળ લાગ્યા. સમય વહેતો ગયો દિવસો થઇ ગયા. મારી વ્યસ્તતા અને કામના કારણે હું કોઈ કોમ્યુનિકેશન કરી શક્યો નહિ. પરિણામે સામે પક્ષે ચિતા થઇ.વેવાઈપક્ષનો પત્ર આવ્યો કે લગ્ન ક્યારે અને ક્યાં ?મેં ને બાએ તે બાબતની ચર્ચા કરી. ભરૂચ અમારું ઘર હતું પણ ભાડૂત રહેતો હતો. તેણે ખાલી કરવાની ના પાડી. વધુ દબાણ થતા કહ્યું કે ખાલી નહિ થાય પણ લગ્ન માટે ઘર વાપરી શકો છેવટે અમે નક્કી કર્યું કે લગ્ન વાડી માં કરવા ત્યાં બધી વ્યવસ્થા હતી. મેં બાને કહ્યું આપણે મોસાળ માં રહી શું ને લગ્ન વાડી માં કરીશું. મેં તે પ્રમાણે અમરતલાલ ને ભૂપેન્દ્રભાઈ ને પત્ર લખી દીધો.બા ને પંદર દિવસ પહેલાજ ભરૂચ તૈયારી માટે મોકલી દીધી.નક્કી કર્યુકે જે ખર્ચ થાય તે આપણે ઉપાડી લેવો.બાએ પહોંચી તુરંત તૈયારી સરુ કરી રોજબરોજના વપરાશ ની બધી વસ્તુઓ મંગાવી લીધી.લગનના ઘર માટે કામ કરવા બાઈ પણ રાખી લીધી. હું આવ્યો પછી ઘરેણા અમે જસુભાઈ ચોકસી ની પાસે કરવ્યા.જસુ ભાઈ મોટાઈ ના ખાસ દોસ્ત હતા. વડા પડામાં તેમની દુકાન હતી જાન અંકલેશ્વર લઇ જવાની હોવાથી મેં બસ બૂક કરી. લગ્નની વિધિ માટે મહારાજ નક્કી કર્યો. કંકોત્રી મુંબઈ માં છપાવી ને ત્યાંથી બધે મોકલાવી હતી.વાડીમાં માઈક નો બંદોબસ્ત કર્યો. .રસોઇઆ નક્કી થઇ ગયા કુટુંબ ના વરસો જુના ગોર રેવાશકર.તપાસ કરતા માલમ પડ્યું કે તેઓ ગુજરી ગયા પણ તેમનો છોકરો ક્રિયા કાંડ કરે છે તેને લગ્નની વિધિ માટે લીધો.અગલે દિવસે મોહનરાધે મને પીઠી ચોળી પીળો કર્યો ને પોતાનો લાગો વસુલ કર્યો.મોહનરાધ અમારા જુના હજામ હતા તેઓ બહુતિક વાણિયાના હજામ હતા.તેમની રીતભાત અને દેખાવ પરથી કોઈ ના માને કે તે હજામ છે મારા લગ્ન ને મારે જ બધી વ્યવસ્થા કરવાની હતી. સવારના નાહી ધોઈ બધા વાડી માં એકઠા થયા. મારી ચાર માસીઓ તથા તેમનો પરિવાર.નાના મામા તથા તેમનો પરિવાર મોટા મામા અને તેમનો પરિવાર. ચંપા માસી નો ભગવત મારો ખાસ મિત્ર પણ હતો.તે આવા કામમાં કુશળ હતો.અમે સાથે ભણતા. તે મેટ્રિક પાસ થઇ કોલેજમાં બે વરસ ભર્યો પછી સ્ટેટબેંકમાં લાગી ગયો મેં તેને વાડીનો ચાર્જ આપ્યો. સવારથી જ મહારાજ આવી ગયા હતા શાક ભાજી વગેરે કાપવા ચોરા પર સગા સ્નેહીઓ કુંડાળે બેઠા હતા વચ્ચે મોટી કથરોટ હતી તેમાં કાપેલું શાક નખાતું હતું.વાડીના રસોડામાં ચાહ બનતી હતી.લાઉડ સ્પીકર માં ફિલ્મી ગીત વાગતા હતા.નાના મામાને બહારના કામનો ચાર્જ આપેલો. મુકરર સમયે લગ્નની વિધિ કરાવનાર ગૌરીશકર ગોર આવી ગયા.મંત્રો ઉચાર થયા અને મહારાજે વિધિ સરુ કરી સગા સબંધીઓ ખુરશી પર ગોઠવાઈ ગયા.વિધી દરમિયાન લાઉડ સ્પીકર બધ રહ્યા. ચોરીમાં હવન થયો.ગ્રહ શાન્તિ થઇ ગઈ. બીજી બાજુ પાટલા મંડાઈ ગયા અને બાજો બટેરા પણ ગોઠવાઈ ગયા સવારના જમવાની તૈયારીઓ થઇ ગઈ. શુકન કંસાર હતો. જમી પરવારી કાલની તૈયારી માં પડી ગયા. કાલે જાન અંકલેશ્વર જવાની હતી. બીજે દિવસે બસ સાડા અગિયારે આવી ગઈ.ભરૂચની ગલીઓ માં બસ આવી ના શકે એટલે સુનેરી મેહલ પર ઝાડ નીચે ઉભી હતી. ડ્રાઈવરે બસ આવ્યા ની શેઠ ફળીયે ખબર આપી. બધા તૈયાર થઇ આગંણે ભેગા થયા હું સૂટને ટાઈ માં સજ્જ હતો. હાથમાં નારિયલ હતું કપાળ માં ચાંદલો હતો. અમારું પ્રોસેસન ભરૂચની ગલીઓ વટાવી સુનેરી મહેલ ના ચોગાનમાં પહોંચી ગયું. હું આગળ મર્દો પછી અને લેડીઝ પાછ્ળ લગ્નના ગીતો ગાતા હતા. રાજુ માસા મારી સાથે હતા.ભગવત તથા નાના મામા કોઈ પાછ્ળ રહી ના જાય તેની દેખરેખ માં હતા. બધાં ગોઠવાઈ ગયા શ્રીનાથજી બાવાની જે બોલાવી બસ ઉપાડી.અંકલેશ્વર ભરૂચ થી બીજું સ્ટેશન એટલે બહુ વાર લાગી નહિ.  વેવાઈ પક્ષ તેમના સગાં સ્નેહી ઓ સાથે અમને સત્કારવા દેસાઈ ફળિયાના દરવાજે ઊભા હતા. જેવી બસ આવી કે આનંદ ને ઉત્સાહ થી વાતાવરણ તેજ થઇ ગયું. અમોને એક ઘરમાં ઉતારો આપ્યો હતો. અમે સર્વ માળિયામાં ગોઠવાયા. બેસવા પાથરણા અને ગાદી તકિયા હતા અસ્તાવાસ્તા માં ચાહ તથા શરબત ને નાસ્તો આવ્યો. પાંચ વાગે વરઘોડો કાઢવા નો હતો બહેન સરલા ત્યારે દગા ફળિયામાં રેહતી.વરઘોડો દગા ફળીયા માં થી કાઢવો અને ગામમાં ફેરવવો ને પછી કન્યાને માંડવે લાવવો એમ બનેવી સરદચંદ્રે સંમતી થી નક્કી કર્યુ.તેમણે બેન્ડ વાજા વાળા નો બંદોબસ્ત પહેલેથી જ કરી દીધો હતો ઓપેન મોટર નો પણ. મને આ બધું પસંદ નહોતું પણ ચલાવી લેતો. પાચ વાગે બેન્ડ વાળા આવી ગયા. અને ફિલ્મી ગીતોની ધુન સરુ થઇ ગઈ. હું તૈયાર થઇ ગયો. લગ્નનો સુટ અને ટાઈ મેં પહેર્યા હતા નવા બૂટ તેમજ મોજા પહેરી લીધા.કોટના આગળના ખિસ્સામાં રૂમાલ ગોઠવ્યો.અત્તર છાંટ્યું શરદ ચંદ્ર એ બનારસી પાનનું બીડું આપ્યું. ને હું મોટરમાં ગોઠવાયો.વરઘોડો ધીમી ગતિએ આગળ ચાલવા માંડ્યો. આગળ વાજાવાળા પછી મરદો પછી મોટર અને સ્ત્રી વર્ગ.વાજા વાળાએ ફિલ્મી ધુન ચાલુ કરી બહારો ફૂલ વરસાવો મેરા મેહમુબ આયા હૈ મેરા મેહબૂબ આયા હે.પાછ્ળ સ્ત્રી વર્ગ લગ્નના ગીતો ગાતા હતા.વરઘોડો જોવા શેરીએ અને ચૌટે લોકો ભેગા થયા.આખરે મારી મોટર ગલીઓ તથા ચૌટા ના ખાબડ ખૂબડ રસ્તા પાર કરી કન્યાને માંડવે પોહચી ગઈ. મોટર નીચે ઉતરી દેસાઈ ફળિયા નો દરવાજો વટાવી ઘર આગણે આવ્યા. ત્યાં પોખવા ની વિધિ થઇ. આ દરમિયાન કલબલાટ વધી ગયો નારીઅલ ને સોપારી વેહેચ્યા.પછી ચોરીની ચોખટમાં વિધિ સરુ થઇ. તેમાં આઠ વાગી ગયા. હસ્ત મેળાપ ના સમયે જ્યારે ગોરે સાવધાન સાવધાન ઉચાર્યું ત્યારે મારી બાજુ માં આવી કોકે કાનમાં કહ્યું કે ગોપાળ ની નોકરી છુટી ગઈ.ગોપાળ મારો નાનો ભાઈ.તે સીવીલ એન્જિનિયર થઇ નોકરી કરતો. થોડો વખત મારો મૂડ ખરાબ થઇ ગયો થયું કે મારા નસીબ માં સેકંડ લાઈન ઓફ ડિફેન્સ જ નબળી છે.મારે એકલે હાથે જ ભાર ખેચવાનો છે મેં હસતે મોઢે ચુપચાપ ફેરા પુરા કર્યા હસ્તમેળાપ થઇ ગયો. કંચન બા મીનાના બા તથા મારા સાસુ થતા હતા.મારા ભણતર નો તેમને બહુ ગર્વ હતો.મીના તેમની સૌથી નાની દીકરી હતી અને બહુ વહાલી હતી.જમણ વારમાં પાચ પકવાન હતા.આખી દેસાઈની નાતને નોતરા દીધા હતા જમી કરી સૌ ઉતારે જતા રહ્યા.જાન બીજે દિવસે કન્યા લઇ ભરૂચ પાછી ફરી.લગ્ન પતિ ગયા.આ હતી 1967 ની સાલ ને મહિનો જુલાઈ.

દ્રશ્ય-35-હનીમુન

તે વખત માં હનીમુન શબ્દ બહુ પ્રચલિત નહોતો. નામ લેતા શરમ આવતી  બહુ થાય તો નવદંપતી ડાકોર કે શ્રીનાથજી જતા. મેં બધાના હિસાબ કિતાબ ચૂકતે કરવા માંડ્યા બાને બધું પતાવી મુંબઈ પાછા જવાની ઉતાવળ હતી અન્ય ભાઈ બેનોને પણ તેમની કોલેજો ચાલુ હતી. મારું અને મીનાનું મારા સગાં તેના ઓળખીતાને મળવાનું ચાલુ હતું. એક સવારે મને તેમના ઓળખીતા વૈદ મામા પાસે લઇ ગઈ. મારી ઓળખ કરાવી ને મારા વજન વધારવા માટે કોઈ વૈદિક સુ જાવ માંગ્યો જે તેમણે આપ્યો. .બા તેનું કામ પતાવી મુંબઈ ગઈ. ભાઈ બહેનો પાછા ગયા. અમે અમદાવાદ ગયા ,ત્યાં કલાબેન સાથે બે એક દિવસ રહ્યા. કળા બહેન મીનાનાસૌથી મોટા બહેન થાય. અમે મિલન પિક્ચર જોયું. પછી બે દિવસ બાબુ ભાઈ ની સાથે રહ્યા ત્યાંથી પછીમાઉન્ટ આબુ ગયા. તેમાં ટ્રૈન અને બસ ની મુસાફરી હતી.ટ્રૈનમાં થી ઉતરી બસમાં બેઠા. બસ પહાડ પર લઇ ગઈ. સામાન ઉપાડવી હોટલમાં ગયા. અમે જગ્યાએથી અજાણ્યા હતા. કુલી લઇ ગયો તે હોટલ માં ઉતર્યા.સાંજ થઇ ગઈ હતી. અજાણી જગ્યામાં રાતે બહાર જવાનો બહુ વિચાર ન હતો.ત્યાજ જે મળ્યું તે જમી લીધું આખી હોટલમાં અમે એકલા જ હતા બહુ ભેંકાર લાગતું હતું. વળી વરસાદની સિઝન સરુ થઇ ગઈ હતી. બહાર વરસાદ જોર થી આવતો હતો હોટલમાં કોઈ વાત કરનાર પણ ન હતું પવન ના સુસવાટા રૂમ અંદર પણ સંભળાતા હતા વાતાવરણ ઠંડુ ગાર હતું બહુ થાકી ગયા હોવાથી ઉ ઘી ગયા. ક્યારે સવાર થયું તે માલમ ના પડ્યું. જલદી નિત્ય ક્રમ પરવારી બહાર ગયા. જગા અજાણી હોવાથી ક્યાં જવું ,શું જોવું ?વરસાદની સિઝન મા કન્ડક્ટેડ ટુર ન હતી.હોટલો બધી ખાલી હતી.એકલ દોકલ માણસો રસ્તે દેખાતા.અમે થોડુક ફર્યા હશે કે વરસાદ ચાલુ થઇ ગયો.અમો પાછા ફરતા સુધીમાં તરબોળ થઇ ગયા.આમ આબુનો પ્રવાસ બહુ ફળ્યો નહિ.અમો બીજે દિવસે થોડું ફરી અંબાજી ની બસ પકડી એક દિવસ અંબાજી માં રહી દર્શન કરી ત્યાનું પવિત્ર અને સુંદર વાતાવરણ માણી ત્યાંથી ડાકોર ગયા.ત્યાં બે દિવસ રહ્યા.ને પાછા મુંબઈ ફર્યા ને રોજની ધમાલ માં પડી ગયા.ધાર્મિક સ્થળો અને ત્યાં નું સુંદર વાતાવરણ અને પવિત્રતા મન ને નિર્મળ કરે છે

દ્રશ્ય- 36-પ્રીતિ નો જન્મ

મારી પત્ની મીનાને બહુ મુંબઈ માં રહેવું ગમતું નહિ. વળી મોટા ફેમિલીમાં રહેવાની આદત ન હતી. તેથી મુંઝારો થતો. અને વારંવાર તે તેની માં પાસે નવસારી જતી રેહતી.ત્યાં પૂરી સ્વતંત્રતા હતી. ફેમિલીમાં ફક્ત ત્રણ જણા તેમાં માં અને બનેવી વૃદ્ધ. આ અવર જ્વરમાં એક વાર મુંબઈ માં હતી ત્યારે પેટમાં દુખાવો થયો. એટલે ડોક્ટર પુરંદરે ને બતાવ્યું. નિદાન એ થયું કે પ્રેગનન્સી સાથે ટયૂમર છે. પણ હાલ માં ઓપરેશન થાય નહિ.ડીલીવરી પછી જ થાય. વખત વહેતો ગયો. થોડાક મહિના થયા હશે ત્યાં અમૃતલાલ નો પત્ર આવ્યો કે અમે સુરતમાં મકાન ભાડે રાખ્યું છે ને સુરત મોટું શહેર હોવાથી અહીં બધી સુવિધા છે. તેથી મીનાને ડિલિવરી માટે સુરત લઇ જવા હું આવું છું મીના સુરત ગઈ. હું કામકાજના બોજ માં સુરત જઈ ના શક્યો. પણ અમૃતલાલ નો પત્ર આવ્યો કે ડોક્ટર શેલત સુરત જનરલહોસ્પીટલના ગાયનેકોલોજિસ્ટ છે. ને બહુ સારા ડોક્ટર છે મને કામમાં થોડી રાહત થઇ એટલે મેં સુરત જઈ ડોક્ટર સેલત ને મળવાનો વિચાર કર્યો.બાને પણ એ ઠીક લાગ્યું. હું બીજે જ દિવસે રવાના થયો સુરત પહોંચી ડોક્ટર સેલત ને મળ્યો. તેમણે મને ખાત્રી આપી કે સેફ ડિલિવરી થશે. સારો એવો વખત મારી સાથે વાતચીત કરી.અમૃતલાલ તથા કંચનબા ને કઈ કામ પડે તો વિના સંકોચે જણાવશો કહી મુંબઈ પાછો આવી ગયો ત્રીજી જુલાઈ 1968 ને દિવસે ડોક્ટરે ખબર આપ્યા કે ડિલિવરી સેફ થઇ છે અને છોકરી જન્મી છે અમૃતલાલનો હરખનો પત્ર આવ્યો કે કન્યા રત્ન છે અને બન્ને ની તબિયત સારી છે બધું નીર વિઘ્ન પતિ ગયું. હું તથા બા સુરત ગયા. ત્યાં થોડા દિવસ રહ્યા ને પ્રીતિ તથા મીનાને મળ્યા. પ્રીતિ ની તબિયત મને નાજુક લાગી.ડોકટરે ગ્લેક્સો ના પાઉડર નું દૂધ આપવાનું ચાલુ કરવા કહ્યું.પ્રીતિને તે માફક આવી ગયું અમે રહ્યા ત્યાં સુધી રોજ હોસ્પિટલ જતા હતા અને જોઈતી વસ્તુ લઇ જતા મારી રજા પૂરી થઇ એટલે મુંબઈ જતા રહ્યા. તે વરસે સુરતમાં વરસાદ ખુબજ પડ્યો. સુરત શહેર જળ બમ્બાકાર થઇ ગયું. તાપી નદી માં રેલ આવી હતી બજારો ને ઘરો માં પાણી ભરાઈ ગયા હતા. કંચન બા ને અમૃતલાલ ના મકાન માં ભોઈ તળિયું પાણી માં હતું. દાદર અડધો ડૂબેલો હતો. નીચે ઉતારાય તેવી પ્રશસ્તિથી ન હતી. તેવામાં પ્રીતિ ને પીવા દૂધ લાવવા જવું અશક્ય હતું. થોડા દિવસ તેને ચલાવું પડ્યું. ધીરે ધીરે રેલ ના પાણી ઓસરી ગયા ને બધું નોર્મલ થતા સારો એવો સમય વીતી ગયો. ત્રણ એક મહિના વીતી ગયા હશે હું પ્રીતિ ને મીનાને લેવા નવસારી ગયો હતો ડિલિવરી પછી મહિનો માસ પછી તેઓ સુરતનું ઘર બંધ કરી.નવસારી જતા રહ્યા. સુરતનું મકાન લીમીટેડ પિરિયડ માટે ભાડે લીધું હતું પ્રીતિ, બા તથા મીનાની સંભાળ માં મોટી થતી ગઈ. તેની નામ વિધિ કરણ નો પ્રોગ્રામ કર્યો પછી દિવસો વીતતા ગયા ને પ્રીતિ અઢી વરસે અલવારીસ ની સ્કૂલ માં જતી થઇ ગઈ ને આખી એબીસીડી બોલતાં શીખી ગઈ.મીનાએ શિક્ષક ની નોકરી છ એક મહિના કરી. પ્રીતિ બા સાથે મંદિર રોજ જતી અને ચાર મિલે ચોસઠ ખીલે આખું ભજન ગાતી.જેમ મોટી થતી ગઈ તેમ નવું નવું શીખતી ગઈ. ઘણા વર્ષ ભારત નાટ્ય ડાન્સ નો ક્લાસ અટેન્ડ કર્યો.સ્કુલના પ્રોગ્રામમાં વરસો વર્ષ ભાગ લીધો. પૂર્વી પણ તેમજ કરતી. બંને બહેનો એકજ સંકુલમાં હતી. પૂર્વી પ્રીતિ થી ચાર વરસે નાની હતી. તેમના પ્રોગ્રામ હું ને મીના જોવા જતા. અમે તેઓને પ્રોતશાહિત કરતા. બંને GBES સ્કુલમાંથી દશમી મી પાસ થઇ કોલેજમાં ગયા. બેઉની કોલેજ પાર્લામાં હતી. પ્રીતિ ની પાર્લે કોલેજ અને પૂર્વી ની મીઠીબાઈ કોલેજ. બને ગ્રેજ્યુએટ થઇ અમેરિકા જતા રહ્યા પહેલા પ્રીતિ 1988માં અને ચાર વરસ પછી પૂર્વી ને લઇ 1992માં હું પહોંચી ગયો.. મીના નિયમિત તેમને ભણાવતી. બંને ની પર્વ રીસ તેણે કાળજી પૂર્વક કરી.

..દ્રશ્ય-37-મનુભાઈનું પરદેશ ગમન-

મનુભાઇ મારો નાનો ભાઈ અને નંબર ટુ હતો. તે મુંબઈની સીડ નામ કોલેજ માંથી બી.કોમ. થયો હતો. તે પછી તેને સેલ્સ અને માર્કેટિંગ માં અભ્યાસ કર્યો હતો. અને છેલ્લે એશિયા પબ્લિશિંગ હાઉસ માં સેલ્સ એક્સીક્યુટીવની નોકરી કરતો હતો. મોટે ભાગે ઓફિસ ના કામ કાજ અંગે મુંબઈની અંદર બહાર જા આવ કરતો. વળી મરીન લાઇન્સ સ્ટેશન નજીક નાની સરક્યુંલેટીગ લાઈબ્રેરી નો સ્ટૉલ હતો. તેમાં તે ત્રીજો ભાગીદાર હતો.. જ્યાં નવારસ ના સમયે જતો અને રાત ના નવ વાગે દુકાન બંધ કરી ત્રણે ભાગીદાર ઘરે જતા આ દુકાનમાં માંથી આવક તો ક્યારે મેં જોઈ નથી ઉપરથી મારી પાસે બે વાર હજાર. હજાર રૂપિયા લઇ ગયો જે દુકાન માંથી કદી પાછા મળ્યા નથી. તે તેના પૈસાદાર ચિત્રની દુકાનની સરસાઈ કરતો તેના મિત્ર બાબા ની મરીન લાઈન્સ પર મોટી એસ્ટાબ્લીસ ચોપડીયો ની દુકાન હતી.બાબો મનુભાઈનો એશિયા પબ્લીસીંગ રૂએ ઘણો લાભ લેતો. પણ મનુભાઈને તેની ખબર પડતી નહિ. મનુભાઈએ ત્યાર પછી વાયટાપોલ નો ધંધો બાજુમાં રહેતા જયંતી લાલ સાથે શરુ કર્યો.જયંતીલાલ વ્રજલાલ શેઠના છોકરા હતા. મારી પાસે તે માટે ય પૈસા લઇ ગયો.જંતીલાલ નું મુખ્ય કામ મકાન ને જમીન ની દલાલી હતું મનુભાઈનો કોઈ કંટ્રોલ નહી પૈસાની વાત જયંતીલાલના હાથમાં હતી શરુ શરુ માં પોસ્ટર લગાવ્યા હૅન્ડ બીલો ઘરે ઘરે છાપાં સાથે વેહ્ચ્યા.પણ સરવાળે કાઈ વળિયું નહિ અને જયંતી લાલ બેંક નું ખાતું દબાવી ગયા. પણ હિંમત હારે તે મનુ ભાઈ નહિ તે પછી મનુ ભાઈએ ઓલ્ડ કસ્ટમ હાઉસમાં ટેબલ સ્પેસ લેવડાવી અને એકાઉન્ટ બ્યુરો શરુ કર્યો.ઓફીસમાં જતો દોસ્તારો આવતા, રોજ ચાહ પાણી થતા પણ લાંબા સમય સુધી પ્રયત્ન કરવા છતાં કોઈ કામ મળ્યું નહિ. અને ખર્ચા ચાલુજ હતા.છેવટે મેં કંટાળી ટેબલ સ્પેસ કાઢી નાખી.મનુભાઈએ શેર બજારમાં પણ હાથ અજમાવી જોયો પોતાની પાસે પૈસા નહિ એટલે શેર નો સટ્ટો ખેલ્યો.બાના કાકા નગીનલાલ પોતે શેરો ની દલાલી કરતા.તેઓની મારફત શેરો ખરીદ્યા.તે પછી ભાવ ખુબ બેસી ગયા સેટલમેન્ટ વખતે પૈસા નહિ તેથી સેર બજાર જવાનું બંધ.એક દિવસ કાકાને મળવા હું ગયો ત્યારે કાકાએ મને વાત કરી મેં કહ્યું મને તો આજે ખબર પડી મેં ઘરે જઈ તેની ઉલટ તપાસ કરી ત્યારે કબુલ કર્યું.નગીન કાકા વયોવૃદ્ધ માણસ.વળી તેમનો છોકરો બહુ હોશિયાર નહિ. એ પોતાનું ગાડું જેમ તેમ ચલાવતા.તેમના પૈસા દુબાડાઈ નહિ. મેં રૂપિયા પાચ હજાર નો ચેક તેમને લખી દીધો. અને શેરો ની ડિલિવરી લીધી. એ શેર ક્યારે પણ ઉપર ના ગયા. અને કંપની ફડચા માં ગઈ. મારા અમેરિકા આવતા પહેલા શેરો કચરા પેટીમાં નાખી દીધાં હું તેનાથી કંટાળી ગયો. મેં કહ્યું કે સીધી નોકરી કર. હું મહેશ ને પત્રમાં જણાવતો.મહેશ તે વખતે કેનેડાના માં હતો ને સેટલ હતો તેણે લખ્યું કે મનુભાઈને આવવું હોઈ તો કેનેડા મોકલી દો મેં મનુભાઈને વાત કરી તે તરત માની ગયો મહેશે તેને સ્પોન્સર કર્યો. તેનો ઈન્ટર્વ્યુ દિલ્હી માં થયો.મેડીકલમાં પાસ થયા પછી વીસા મળ્યો હવે પૈસાનો બંદોબસ્ત કરવાનો રહ્યો એક પરદેશ ગમન ,બે લગ્ન, બે ડીલીવરી અને નાનેરાને ભણાવા ના કોલેજ ના ખર્ચા પછી ખાસ બચત રેહતી નહિ.કમાનાર હું એકલોજ.જે કઈ બચાવેલા હતા તે ઘર ખર્ચ,કોલેજની ફીઓ તથા પરદેશ ગમનમાં વપરાઈ જાય તો આગળના પ્રોજેક્ટ તથા તેના ખર્ચા તેમજ કોન્ટીજ ન્સી ને પહોંચી કેમ વળાય તે મારી ચિંતા હતી એક દિવસ હું કામ અર્થે પ્રિન્સેસ સ્ટ્રીટ ગયો હતો. કામ પતાવી ઉમેદચંદ કાકા ને મળવા ગયો. તેઓ મોટાઈ ના ખાસ દોસ્ત અને અમારા ખાસ હિતેચ્છુ હતા. મેં તેમને મનુભાઈના પરદેશ ગમનની વાત કરી. તેઓ અત્યંત ખુશ થયા તેમણે મને ત્રણ હજાર રૂપિયા માગ્યા વગર આપ્યા અને કહ્યું કે મનુ ભાઈ ને કહેજો કે પરદેશમાં કમાઈ ત્યારે આપજે મારે કોઈ જ ઉતાવળ નથી. નહિ આપે તો પણ ચાલશે. હું તેમનો ઉત્સાહ અને લાગણી જોઈ તેમને નારાજ ન કરી શક્યો. તેમણે મનુ ભાઈ ને શુભેચ્છા મોકલી.  હું હાથ મિલાવી ચાહ પી હું નીકળી ગયો. બીજે દિવસે કોઈક ના કેહવાથી હું મામા તાહેરને મળ્યો તેની ઓફિસમાં. તે ટ્રાવેલ એજન્ટ હતા તેમજ સારો ડિસ્કાઉન્ટ આપતા.મનુભાઈ ને પૂછી તેમની કેનેડાની ટિકિટ બુક કરી. કપડા લત્તા ની ખરીદી કરી નવા વુલન સુટ કરાવ્યા. નવી પેટી લઇ સમાન જેમ તૈયાર થાય તેમ મૂકવા માંડ્યો. મનુ ભાઈની વિદાઇ ની તારીખ આવી ગઈ. તેમને માટે પણ સત્ય નારાયણની કથા રાખીતી.સગા સેન્હી તથા પડોશીઓ તેમજ મિત્રો ને આમંત્રિત કર્યા હતા. કથા પછી સગાને જમવા નું અને અન્યને માટે અલ્પાહાર હતો. પ્રસંગ રંગે ચંગે ઉજવાઈ ગયો.પાસપોર્ટ ટીકીટ વગેરે આવી ગયા.નાડકરર્ણી, ઉપાદ્યાય વગેરે મનુભાઈને મળવા આવી ગયા જવાને દિવસે મનુ ભાઈ ને શુકન નું નારીએલ તથા ચાંદલો કરી સુખડ નો હાર પહેરાવ્યો.અમે ત્રણ ટૅક્સી કરી સાન્તાકૃઝ એરપોર્ટે ગયા. ત્યાં ફોટોગ્રાફર સાથે ફોટા પડાવ્યા.મનુભાઈ સિક્યુરિટી ગેટ માં દાખલ થયા પછી અંદર ને અંદર જતારહ્યા.દેખાતા બંધ થયા ત્યાં સુધી આવજો આવજો કર્યા કર્યું. અમે તેમને વળાવી પાછા ફર્યા.ચિંતા તો એ હતી કે ક્યાં ખોટું તો સાહસ નથી કર્યું ને? વળતા અઠવાડીએ હું મુંબઈ ગયો ત્યારે ઉમેદચંદ કાકાને તેમના રૂ 3000 પાછા આપી આવ્યો. આજે મારો એ ભાઈ તો નથી પણ એની યાદો છે. એ ન્યુયોર્ક સીટી (મ્યુનીસીપાલીટી) માં એકાઉંટ ડીપાર્ટમેન્ટમાં  હતો.સુગર નો મરીઝ હતો.કદી પરેજી પાળતો નહિ.મરવાથી કદી બીતો નહિ.લોટરી અને ઘોડા નો શોખીન.કોમા માં ગયો ત્યાં સુધી લોટરી લતો.આખો ગુમાવી પગ ખોયા અને વીલ ચેર માં ફર્યો. એની દેખભાળ નાનો ભાઈ ગોપાલ જે સીવીલ એન્જિનિયર છે તે લેતો. ગોપાળ બા તથા મનુ ભાઈ ની સંભાળ લેવા ફ્લોરીડા થી ન્યુયોર્ક આવી ગયો. તેની 42 રૂમ ની મૉટેલ નામે THUNDER Bird વેંચી કાઢી મનુ ભાઈ 18મી માર્ચ 1999માં અને બા 18 જુન 1989માં મૃત્યુ પામ્યા.

દ્રશ્ય-38-ગોપાલ નું પરદેશ ગમન

મારો ચોથો નાનો ભાઈ ગોપાલ.નાનપણ થી તદુરસ્તી સારી.તે ગાય નુજ દૂધ પીતો તેને બીજું ચાલતું નહિ.

અમે રાઘલા ને બે દૂધ લાવવાનું કહ્યું ગાયનું અને ભેસનું તેને ડોક્ટર પણ હોમી જ ફાવતો.જયારે એ બીમાર હોઈ ત્યારે હું ને બા મોટા મામાની ઘોડા ગાડી માં લઇ જતા ડોક્ટર હોમી પારસી હતા.સરલા ની મોટલાબાઈ ગર્લ્સ સ્કુલ ની બાજુમાં તેમનો બંગલો હતો સ્વછ ને સુઘડ.બંગલા માં ભોય તળિયે તેમનું દવાખાનું હતું ને ઉપર તેઓ રેહતા હતા.અમારા ઘર માં કોઈ પણ નાના છોકરા રડે કે તેમને બહાર લઇ જવા પડતા નહિતો મોટાઈ નો ગુસ્સો વધી જતો.એવી એક સાંજે ગોપાલ બહુ રડતો હતો.બાના અથાગ પ્રયત્ન છતાં છાનો રહેતો નહિ હું તેને ઉચકી બહાર ગલી ના પગથીયા ઉતરી ગોલવાડ માં થઇ સોનેરી લાઈન્સ પાર કરી થીએટર પાસે લઇ ગયો.ત્યાં લાઈટો હતી હોટલો માં થી ફિલ્મી ગીતો ના અવાજ આવતા હતા.ગોપાલ રડતો બંધ થયો હતો પણ ઉચકી ઉચકીને હું થાકી ગયો હતો માટે બેસવાની જગ્યા શોધતો હતો.મને થયું કે અંદર જવા મળે તો ખુરસી પર ગોપાલ ને લઈને બેસું.એવામાં ડોર કીપરે પદ્ડો ઉચે કરી મને અંદર લીધો કમ નસીબે એક પણ સીટ ખાલી ન હતી.ગોપાલ તેની ચકળવકલ આખે ફિલ્મ જોઈ રહ્યો બહુ સમય થઇ ગયો ને બા ની ચિંતા ને મોટાઈ નો ગુસ્સો યાદ આવતા હું ત્યાંથી નીકળી ગયો ને ઘરે પોહચી ગયો.ત્યાં મને ડાટ અને શિખામણ મળ્યા તે જુદા.એજ મારો નાનો ભાઈ ગોપાલ, અપ્રિલ 1965 માં બી ઈ સીવીલ થયો.તેણે મુંબઈ ની VJTi માંથી B. E CiViL ની ડિગ્રી1965માં લીધી હતી સરુમાં તેણે કન્સલ્ટીંગ ફર્મ માં નોકરી લીધી હતી કેટલાક મહિના પછી જોબ બદલી જોશી એન્ડ કંપની માં ગયો.તેઓ કન્સ્ટ્રક્ટસનના ધંધા માં હતા. મોટા પુલ તથા બંધ બાંધવા ના કામમાં જાણીતા હતા.ગોપાલનું તેવા એક પ્રોજક્ટ પર પોસ્ટીંગ થયું.સાઈટ પટના માં હતી ત્યાં જવું પડેલું. ઘરના વાતાવરણ થી તદ્દન જુદું.ખાવાનો મેળ પડતો નહિ સુવાનું કેમ્પ માં હતું.વળી કુટુંબ થી દુર જેથી હોમ સીક થઇ ગયો અને છોડી પાછો આવી ગયો આમ ને આમ સમય વીતતો ગયો કસે ઠરી ઠામ થયો નહિ.તેનો મિત્ર વ્યન્ક્ટેસ પણ સિવિલ એન્જીનીયર હતો તે રોજ ગોપાલ ને મળવા ઘરે આવતો. બન્ને તેમના પ્લાન બનાવતા.અમારા ચંપા ફોઈ નો મોટો છોકરો ભગવત પણ સિવિલ એન્જીનિયર હતો.તે ઇન્દોર માં થી થયો હતો.હોસ્ટેલમાં રેહતો એટલે સ્ટ્રીટ સ્માર્ટ હતો.તે મારવાડી કોન્ટ્રકટર પાસે કામ કરતો અને સાઈટ સુપરવાઈઝ કરતો. રોજ સાંજે છુટી મારે ઘરે આવતો અને ભવિષ્યના અમેરિકા જવાના પ્લાન ના સ્વપ્ના જોતો.તેને મિત્રો તરફથી પત્રો આવતા કે જલ્દી આવી જા.એક દિવસ એવો પણ આવી ગયો કે તેને સ્પોન્સોર મળી ગયો અને તે અમેરિકા જતો રહ્યો. તેણે સરુઆતમા શરમ મૂકી અદના કામ કર્યા.પછી લાઈનની જોબમાં જતો રહ્યો.તે સ્વભાવે ખટ પટી હતો.આજે પૈસે ટકે સુખી છે. ગોપાળ ના પાચ વરસ આમ જ ચાલી ગયા અહી સારી અને સ્થાઈ જોબ મળતી નહિ..એટલે મેં તેને અમેરિકા મોકલવાનો વિચાર કર્યો.અમેરિકન એમ્બસીમાં જઈ ઈમ્મીગ્રેશન માટે નું ફોર્મ તેની પાસે ભરાવ્યું.ત્રણ એક મહીને પ્રોસેસ થઇ ઈન્ટરવ્યું આવ્યો.અને મેડીકલ ચેક અપ પહેલા થયું.મેડીકલ ચેકઅપ માં પાસ થયો તે પછી મામા તાહેરને ટીકીટ માટે ટેલિફોન કર્યો.તેને મળવાનો ટાઇમ લઇ તેની ઓફિસે ગયો.મેં તેને કહ્યું આ બીજી ટીકીટ છે અને બીજી વધુ આવશે ની પ્રોમિસ કરી સારો ડિસ્કાઉટ મેળવો.ટીકીટ લીધા પછી સત્ય નારાયણ ની કથા નો દિવસ નક્કી કર્યો.સગા સ્નેહીઓ ને નીમંત્રિત કર્યા.ભાઈ ગોપાલ કથા માં બેઠો હતો. કથા પછી સ્નેહીઓ ને અલ્પાહાર ને સગાને જમાડી ને પ્રસાદ આપી વિદાઈ કર્યા.આ અમારા ઘરમાં ત્રીજું પરદેશ ગમન હતું.સગા વર્તુલ માં આશ્ચર્ય થતું.કારણ કે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નોતો કે અમે પરદેશ જઈશું અને તે પણ એકલ દોકલ નહિ પણ બધાજ.જવાના દિવસે ગોપાલ ને મુકવા બધા એરપોર્ટ મુકવા ગયા.રાજુ માસા તેમજ શાંતા માસી પણ આવેલા.ગોપાલ ને સુકન નો સવા રૂપીઓ તથા સુખડ નો હાર પહેરાવ્યો.ફોટોગ્રાફરે ગોપાળ સાથે ગ્રુપ ફોટો પડ્યો.મારી દિકરી પ્રીતિ ત્યારે ત્રણ વર્ષ ની હતી ગોપાલ જેવો સીક્યુરીટી ગેટ માં દાખલ થયો કે બધાએ આવજો બાઈ કહી હાથ હલાવવા માંડ્યા તે દેખાતો બંધ થયો ત્યાં સુધી આ ચાલતુજ રહ્યું.પ્લેન ઉડ્યું તેની એનોઉન્સમેન્ટ થઇ ત્યારે ઘરે પાછા ફર્યા ઘર સુનું સૂનું લાગતું હતું.ઔર એક પંખી દરિયાપાર ઊડી ગયું

દ્રશ્ય-39–ભુપેન્દ્ર ડોક્ટર થયો

ભુપેન્દ્ર નું બધું કામકાજ બહુ ધીરુ હતું.તે સાત વરસ સુધી ચાલી સકતો નહિ.બાએ કેટલીએ માનતા માની. કેટલાય ડોકટરો ને બતાવ્યું.પણ કઈ વળ્યું નહિ.એક વાર અમે ભરૂચ ગયા હતા ત્યારે ચાલન ગાડી તેના માટે લાવ્યા હતા.અમારી ચિંતા તેને ચાલતો કરવાની હતી.સવારના એ રસોડા થી ઘસડાતો જઈ આરામથી ઓટલે બેસતો. અમારા સામે વાળા પડોસી જોષિજી ને તેની બહુ માયા હતી.તેને જોતાજ તે કેહતા શ્રી ગણેશ કેમ છે ? ભુપેન્દ્ર નો આ રોજનો કાર્યક્રમ હતો.એક દિવસ તેની સામે ચાલન ગાડી મૂકી તેને ઉભો રાખી ચલાવાની કોસિસ કરી.સર્વે ના આશ્ચર્ય વચ્ચે તે થોડા ડગલા ચાલી ગયો.પછી તો રોજ ચાલન ગાડી થી ચાલતો થઇ ગયો.બા તથા અમારા સર્વે ને ખુબ આનદ થયો.બાએ તે દિવસે ખાસ પુરી બનાવી તેની સાથે વેહ્ચાવી.આજ ભુપેન્દ્ર આજે ડોક્ટર થઇ અમેરિકામાં પ્રેક્ટીસ કરે છે.ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ગોપાલ ને ભુપેન્દ્ર માટે મને વિશેષ ચિંતા રહેતી.કારણ કે આ લાઈનો માં અધકચરા ની કોઈ વેલ્યુ નહિ. ગોપાલ મારો ચોથા નંબરનોભાઈ નો અને ભુપેન્દ્ર મારાથી પાચમા નંબર નો ભાઈ.ભૂપેન્દ્ર ssc પાસ કરી ખાલસા કોલેજ માં સાયન્સમાં જોડાયો ઇન્ટર પાસ થયા પછી લાઈન સેલેકટ કરવાની હોઈ.તેણે મુંબઈમાં મેડીકલ માં જવાની કોશીસ કરી પણ નાકામયાબ રહ્યો સાથે સાથે તેણે ડેન્ટલ કોલેજો માં પણ અરજી કરી હતી.એવામાં નાયર ડેન્ટલ કોલેજ માં થી તેને કોલ આવ્યો.મેં તેને નાયર માં જોડવા પ્રોસાહિત કર્યો.વિધિ પતાવી ફી ભરી દાખલ થઇ ગયો તે વરસ 1966 નું હતું સરુઆત ના વરસો માં પાસ થઇ ગયો પણ છેલા વર્ષ માં કસોટી થઇ. . કયારેક પરીક્ષા અર્થે પેસંટ મળતા નહિ વખત બેકાર જતો ‘હું નાના ભાઈ બેનોને પ્રોશાહિત કરતો રેહતો.આખરે ભુપેન્દ્ર ડોક્ટર થઇ ગયો 1971માં.મારા એક પછી એક પ્રોજેક્ટ કામયાબ થતા ગયા.હું મનોમન ઈશ્વર નો આભાર માનતો ગયો હજુ મારે બે કામ બાકી હતા.એક તો કનું અને રંજન નું ગ્રેજ્યુંએસન અને બીજું રંજનના લગ્ન.  ભુપેન્દ્ર ડેન્ટીસ્ટ તો થયો પણ પછી શું ?ડેન્ટીસ્ટ માટે નોકરી ના અવેન્યું બહુ ઓછા હતા.ગણી ગાંઠી હોસ્પિટલો માં ડેન્ટલ વિભાગ હતો.તેમાં પણ પેહલાના ડેન્ટીસ્ટ કામ કરી રહ્યા હતા.નવી ઓપેનીંગ બહુ જુજ હતી જેમના બાપા ડેન્ટીસ્ટ હતા અને પોતાની પ્રેક્ટીસ હતી તેઓ બાપા સાથે જોડાઈ ગયા.બાકીના માટે પોતાનું દવાખાનું કાઢવા નું મુસ્કેલ હતું કારણકે ઇનિસિઅલ ઇન્વેસ્ટમેન્ટ બહુ હતું જે મારા ગજાની બહાર હતું.વળી મારે બીજા બે નું પણ કોલેજ ભણતર બાકી હતું.શું કરવું તેની વિચારણા ચાલી રહી હતી.તેવામાં ભુપેન્દ્ર ખબર લાવ્યો કે ડોક્ટર કાપડીને તેની ડેન્ટીસ્ટ પત્નીનું દવાખાનું લીઝ પર આપવું છે મહીને રૂપિયા ચારસો.આ પરવડે તેમ લાગતું હતું.જોકે તે સમયે રૂપિયાની વેલ્યુ સારી હતી હું ડોક્ટર કાપડી ને મળ્યો.તેણે ભુપેન્દ્રને દવાખાનું બતાવ્યું ભુપેન્દ્રને પસંદ આવ્યું.ડોક્ટરે રૂપિયા દસ હઝાર ડેપોસીટ માગ્યા.મેં ચેક લખી દીધો.અને નક્કી કરી નાખ્યું.એગ્રીમેન્ટ પર બન્ને પક્ષો એ સહી સીક્કા કર્યા અને ઉઠ્યા.દવાખાના ના ઉદ્ઘાટન ના નીમત્રણો બધાને મોકલ્યા..તે દિવસે બધા પરેલના દવાખાને સવારના ભેગા થયા.દવાખાનું સારું હતું.બધાને ગોલ્ડ સ્પોટ ની બાટલી પીવા આપી બધાએ શુભેચ્છા આપી.બધા ગયા પછી અમે દવાખાનું બંધ કરી ઘરે ગયા ભુપેન્દ્રએ બીજે દિવસ થી દવાખાને બેસવાનું ચાલુ કર્યું. લોવર પરેલ પરામાં દવાખાનું હતું વસ્તી બધી મિલ એરયાની હતી અટલે ડેન્ટીસ્ટ નું દવાખાનું ચાલવું મુસ્કેલ હતું.આ તો આ બેલ  ગલે લગ જા જેવી વાત હતી.મને ભુપેન્દ્ર ના ભવિષ્ય ની ચિંતા હતી.આમ ને આમ મહિના પછી મહિના ખાલી જતા.હું પણ બીજા અનેક પ્રશ્નો માં ગુંચવાઈલો રેહતો.એવામાં ગોપાલનો પત્ર આવ્યો કે તેને યુએસે મોકલી દ્યો. ઇમિગ્રન્ટ વિસા માટેના પપેર્સ તૈયાર કરવામાં લાગી ગયો જેવા પપેર્સ તૈયાર થયા કે તેને લઇ એમ્બસી ની ઓફીસમાં ગયો અને પપેર્સ ફાઈલ કરી દીધા સાથે સાથે કનુના પણ પપેર્સ ફાઇલ કરી દીધા. હવે કાપડી ના એગ્રીમેન્ટ માં થી બહાર કેમ આવવું તે વિચારવું રહ્યું.મેં ભુપેન્દ્ર મારફત તેને સંદેશો મોકલી મીટીંગ નક્કી કરી અમે મળ્યા ને તેને જણાવ્યુ કે ભુપેન્દ્ર અમેરિકા જવાનો છેતેથી એગ્રીમેન્ટ ખતમ કરાવવું છે. તેણે છ મહિનાના રૂપિયા ચોવીસો કાપી બાકીના પાછા આપ્યા આજે એ રકમ ભલે નાની લાગે પણ તે વખતમાં તેની વેલ્યુ ઘણી હતી.પતિ ગયું એટલે ગંગા નાહ્યા.બધું પત્યું ત્યાં તો વિસા કોલ આવી ગયો અને

હું તેની વિદાય ની તૈયારી માં પડી ગયો આ મેં ચોથું પરદેશ ગમન પ્લાન કર્યું મનો મન ઈશ્વરનો અભાર માન્યો  ભુપેન્દ્રના અમેરિકા ગયાને મહિનઓ વીતી ગયા હશે પછી એક રવિવારે અમારી નજીક રેહતા કાપડિયા તેમના ડેન્ટીસ્ટ છોકરા ને અમેરિકા મોકલવા પૂછ પરછ કરવા આવ્યા.તેમનો પુત્ર ભુપેન્દ્ર નો મિત્ર થતો હતો તેવું તેમણે મને જણાવ્યું હતું.મેં તેમને પરિસ્થતિ નો ખ્યાલ આપ્યો હતો.પછી તો એમની અવર જવર વધી ગઈ.અને તે ગયો ત્યાં સુધી ચાલુ રહી.ભુપેન્દ્રના ઇનિસિઅલ સપોર્ટ થી તે ત્યાં સ્થાઈ થયો પણ બીજા સ્ટેટ માં.કારણ કે ન્યુયોર્ક ઘણું મોઘું હતું.

40-ભુપેન્દ્ર તથા કનું નું પરદેશ ગમન

કનું મારો છઠો નાનો ભાઈ.તે પહેલેથી હુસીયાર હતો.મને હજુ યાદ છે કે નાનો હતો ત્યારે ઝબલું પહેરતો.એક દિવસ ગોકલી બાઇ સ્કુલ નો સિપાઈ ઘરે આવ્યો અને પૂછ્યું કે કનું ભાઈ કોણ છે? ત્યારે કનું ઝબલું પહેરી ઘરમાં ફરતો હતો. ઝબલું અને મોઢું ભૂરા રંગથી રંગાઈ ગયું હતું. તેના હાથમાં ખાલી શીશી હતી તે પોટેસીયમ પરમેગનેટની શીશી હતી.સિપાઈ પર્બીડ્યું આપી ગયો તેમાં કનુને સ્કૂલમાંથી મળેલા ઇનામ ની વિગત હતી.તે ભણતા ભણતા બી ઈ ઈલેકટ્રોનીક્સ થઇ ગયો.તેનું એકેય વરસ બગડ્યું નથી તે વખતે ઇલકટ્રોનીક્સ્સ ખાસ ડેવોલપ થયેલું નહિ. તે vjt. માં થી બી..ઈ ઈલેકટ્રોનીક્સ થયો તે વર્ષ 1970 નું હતું.પાસ થઇ નોકરી ના ઘણા પ્રયત્ન કર્યા પણ કેમે કરી ઠેકાણું પડતું નહિ.કારણ આ નવી લાઈન હતી.મેં તેનો અમારી કંપની માં ઇન્ટરવ્યું ગોઠવ્યો હતો પણ જામ્યું નહિ આખરે અમારા ઇડીપી ઓફિસર સર્વોત્તમ ઠાકોર પાસે ગયો તેઓ USA રહી આવેલા પણ ફેમીલી પ્રોબ્લેમ લઇ ને પાછા આવી ગયા હતા.તેમણે સુચન કર્યું કે usa મોકલી દો જલદી ઠેકાણું પડી જશે.એવામાં અમારા સગા કમળનયને પોતાની ઓફીસ ખોલી હતી. ટરબાઇન બનવાનું કારખાનું શરુ કર્યું હતું.તેમણે પ્રસ્તાવ મુક્યો કે કનુને મારી ઓફીસ માં મોકલી આપો કનું રોજ ત્યાં જતો હતો ને તેમને મદદ કરતો.એ અરસામાં ગોપાલના પત્રો આવતા કે કનું અને ભુપેન્દ્ર બેઉને  જલ્દી મોકલી દો.મેં કનુની ઇમિગ્રન્ટ કારવાઈ શરું કરી. પપેર્સ તેમજ જરૂરી ડોક્યુંન્ટસ ભેગા કરી એમ્બસી ઓફીસ માં પોહચી ઈમીગ્રેસન ફોર્મ ફાઈલ કર્યું.આ બધું ચાલતું હતું તેવામાં કમળ નયન ઘરે આવ્યા હતા ત્યારે વાત કરી કે તેમના પાર્ટનરે દગો દીધો ને કલકત્તા ની પાર્ટી એ દેવાળું કાઢ્યું અને ટરબાઇન ના પૈસા ડૂબી ગયા.તેઓના ભાઈએ તેમને સ્પોન્સર કર્યા છે અને તેઓ અમેરિકા જવાના છે તેઓ ફેમીલીને લઈને અમેરિકા જતા રહ્યા.એવામાં એક નવો પ્રોબ્લેમ ઉપસ્તિથ થયો.બા રોજ દ્વાર્કાધીસ મંદિરે જતી હતી ત્યાં બાને ઓળખનારા ઘણા

બૈરા હતા.તેઓ ઘરે પણ આવતા એક દિવસ એક બુઢા માંબાપને છોકરા સાથે બન્યું નહિ અને ઘરમાં થી કાઢી નાખ્યા.તે લોકોએ બા ને ભલામણ કરી.બાએ મને મળવાનું કહ્યું.એક દિવસ બૈરાઓ નું ડેલીગેસન સાંજના વખતે આવ્યું.તેમને વૃદ્ધ માં બાપ નો કિસ્સો મને સભલાવ્યો.મેં જગા મારે જોઈએ ત્યારે પાછી આપવાની બાહેધારી માગી અને તેઓએ આપી.તે વૃદ્ધ બાપ નું નામ બારોટ હતું મને જણાવ્યા પ્રમાણે તેમનો ધંધો મોટર દલાલીનો હતો.મેં કોઈ લખાણ વગર તેમને નીચેના રૂમની ચાવી આપી દીધી, તેઓ લગભગ વરસ થી રેહતા હતા.ખાલી કરવાનું કહેવા છતા કોઈને કોઈ બહાના બતાવી ખાલી ન કરતા.કોમ્પેનસેસન આપવા નું નામ નહિ પણ ક્યારેય પાણી તથા લાઈટ ના બીલ ભર્યા નહિ jજે લેડીસ ડેલીગેસનઆવેલું તેને હાથ ખંખેરી કાઢ્યા.બારોટ ના છોકરાએ પણ ના કહી.તે મુંબઈ ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં કામ કરતો હતો આખરે જગા તો બારોટે ખાલી કરી મેં પણ તેમને ચડેલા કોપેંસેસન તેમજ પાણી અને લાઈટ ના બીલ માફ કર્યા થોડો સમય વીત્યો હશે ને બા વાત લાવી કે બારોટને લોહીની ઉલટી થઇ અને ગુજરી ગયા. કનું ના પપેર પ્રોસેસ થઇ ઈન્ટરવ્યું આવી ગયો.તે પહેલા મેડીકલ ટેસ્ટ થઇ અને વિસા અપાયો આમ ભુપેન્દ્ર અને કનું બન્ને ના વિસા આવી ગયા.તેમની પણ કપડા લત્તા વગેરે ની ખરીદી થઇ ગઈ.સત્ય નારાયણ ની કથા માટે શુભ દિન મહારાજે નક્કી કર્યો.સગા સ્નેહીઓ ને નિમંત્રિત કર્યા.કથા તેમને અર્થે હતી માટે કથામાં તેઓ બેઠા હતા કથા પૂરી થયે પ્રસાદ વેહ્ચાયો અને સ્નેહીઓ ને અલ્પાહાર ને સગા ને જમણ વાર થયો.બધા શુભેચ્છા આપી વિદાઈ થયા જવાને દિવસે અમો સૌ ટેક્ષીઓ કરી એર પોર્ટ પોહ્ચ્યા ફોટોગ્રાફર ને બોલાવી ગ્રુપ ફોટો લીધો.સુખડના હાર પેહરાવ્યા.શુભેચ્છા તેમજ સલાહ સુચન થયા.તેઓ સેક્યુરીટી ગેટમાં દેખાતા બંધ થયા ત્યાં સુધી આવજો આવજો થયું આ સાથે કુટુંબ ના પાચ ઈમીગ્રેસન મેં પુરા કર્યા.અમે સર્વે ટેક્ષીમાં પાછા ફર્યા.હવે કુટુંબ ની ત્રણ વ્યક્તિ અમેરિકા હતી એટલે પહેલા જેવી ચિંતા થતી નહિ.હવે ફક્ત રંજન બાકી હતી.તેનું ભણવા નું ચાલતું હતું

ધનંજય સુરતી

 

અવલોકન -૧૩-રણમાં વસંત

આમ તો ‘જીવન’ શ્રેણી લખવાનો ઉન્માદ તા. ૨૯ જુલાઈ -૨૦૦૯ થી અટકી ગયો હતો. એ શ્રેણીમાં લખાઈ ગયેલ ‘સરીતા દર્શન’ આ રહ્યાં …….

ભાગ -1    :       ભાગ -2     :    ભાગ -3 

    પણ  મુંબાઈગરા મિત્ર શ્રી. મહેન્દ્ર ઠાકરે ‘અતકામા’ રણની વસંતના ફોટાઓ મોકલ્યા અને મન મ્હોરી ઊઠ્યું.

માટે ફરીથી….

‘ एक  और बार जीवन फिरसे सही । ‘

     સંસ્કૃત અને સમૃદ્ધ જગતમાં રહેતા આપણને ‘જીવનનો ઉન્માદ’ શું છે –એ કદાચ ખબર જ નથી.

     પણ દક્ષિણ અમેરિકાના ચીલી દેશના મધ્યમાં આવેલ અતકામા રણ એ દુનિયાનો સૌથી વધારે સૂકો પ્રદેશ છે. એના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા ૩૦૦ વર્ષમાં વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી. પણ દરેક શિયાળામાં થોડી ઘણી ઝાકળ વરસે, એ ત્યાંની વનસ્પતિ સૃષ્ટિ માટે એક ઉત્સવ હોય છે. અને તેમાં પણ ‘બાર વર્ષે બાવો બોલે’ એમ ‘અલ નિનો’ની મહેર થાય તો એ બધીઓને બત્રીસે કોઠે દીવા પ્રગટી જાય!

      આ વખતે આશરે ૩૦૦ વર્ષ પછી ઓલ્યા નિનોએ બહુ મહેર કરી નાંખી અને રણરાજી(!) રાજી રાજી થઈ ગઈ. આ બધા ફોટા એની મહેરબાનીનો પ્રતાપ છે.

     અહીં તો બસ ‘અવલોકન’નો આનંદ – જીવનનો આનંદ વહેંચવાનો ઉમંગ હોય છે.

માટે….

     જમાનાના ઉષ્ણાતિઉષ્ણ વાયરા ભલે વાય. આપણે ફાળે ઝાકળની જે એક બે બુંદ આવેલી   હોય; એનાથી આ ક્ષણમાં આમ મહોરી ઊઠીએ તો કેવું ભલા?

અને રમણભાઈ નિલકંઠ યાદ આવી ગયા-

જાઓ ભલે જીવનઆશ સર્વે,

ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,

થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ.

ન એક થાજો પ્રભુ-પ્રીતિ-નાશ.

અને…

એ શ્રેણીના છેલ્લા શબ્દો દોહરાવીએ; આત્મસાત્ કરીએ તો ?

જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથિક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મૂળ શું છે?
એ પરિણામ શું છે?

————

ૐ તત સત્

 

અભિવ્યક્તિ -૧૬-ખુલ્લું તાળું.-અનુપમ બુચ

ખુલ્લું તાળું.

આજે મને ઘર-ઘરનું ખુલ્લું અને અદ્રશ્ય તાળું યાદ આવ્યું અને ગામની ભૂલાતી જતી ડેલીએ ડેલીએ ઉલાળા ખોલવા મારા પગ દોડ્યા. પ્હો ફાટે ત્યારથી મોડી રાત સુધી ડેલીનાં એ બારણાં અંદરથી બંધ છતાં બહારથી ખુલ્લાં જ રહેતાં! અમે એ લોક સિસ્ટમને ઉલાળો કહેતા. ઉલાળાના લાકડાનો હાથો બહારથી કલોક વાઈઝ ઘુમાવો અને બારણાને સ્હેજ ઠેલો મારો એટલે તમે અંદર! પાછા ફરો ત્યારે પણ બારણાં બંધ કરીને આગળિયો એન્ટી-કલોકવાઈઝ ઘુમાવો એટલે બારણાં બંધ.

હા, બપોરે અંદરથી દોઢ-બે કલાક પૂરતી ત્રણ કડીની સાંકળ બંધ થાય ખરી. જો કે અમારા ગામની બપોર પણ અડધી રાત જેવી સૂમસામ રહેતીને! દિવસ આખો ખોલ-બંધ થતા ઉલાળાને ત્યારે આરામ મળતો. હા પણ ઉલાળો ચીવટપૂર્વક બંધ કરવાના વણલખ્યા કાયદાનું ચુસ્તપણે પાલન કરતુ. પછી એ ઘરની વ્યક્તિ હોય કે કોઈ આગંતુક. ઉલાળો ખુલ્લો ન રહી જાય એની કાળજી લેતાં ફોઈ કે દાદીની નજર ઉલાળા તરફ તાળાંની જેમ જકડાયેલ રહેતી. અંદર હોય તો કાન ઉલાળાના અવાજ તરફ જ મંડાયેલ રહેતા. એ સતેજ વડીલોની ટકોર મને આજે પણ કાનમાં પડઘાય છે. ‘એ…ઉલાળો બંધ કરજે, હોં ભાઈ!’

કોઈ વાર એવું પણ બને કે ઉલાળો ખુલ્લો રહી જાય ત્યારે અધખૂલ્લા બારણાં મુસીબત પણ નોતરે. કોઈ વાર ગાય બારણાં પર ‘ધીંક’ મારીને ડેલીમાં ઘૂસી જાય ત્યારે જોયા જેવી થાય. પછી આંગણા સુધી ઘૂસી ગયેલી એ ગાયને કુંડીમાંથી પાણી ભરી હથેળીએ છાલક મારી ભગાડવી પડતી. કોઈ વાર કોઈ ‘માંગણ’ પણ અધખૂલું બારણું જોઈને ડેલીમાં ઘૂસી પણ જતો. બસ, પછી ‘કોર્ટ માર્શલ’ શરૂ! ‘કોણ ઉલાળો બંધ કરવાનું ભૂલી ગયું’તું?’ એ વાતનું ઇન્વેસ્ટીગેશન ચાલે. ખરું ચોર તો ક્રિકેટ રમવા દોડી ગયેલું બેદરકાર બાળક જ હોય પણ પછી ટપાલી ઉપર દોષનો ટોપલો ઢોળાય.

મારા એક મિત્રના ઘરનો ઉલાળો ખોલ-બંધ કરો ત્યારે એ બારણાંની અંદર બાંધેલી પિત્તળની ઘંટડી રણકતી. કેવું મ્યુઝિકલ ‘આવો-આવજો’!

હા, આ ઘરમાં ઉલાળાના અવાજ ઓળખનારા પણ મોજૂદ હતા. સવારે કે સાંજે ખૂલતા અને વહેલી બપોરે ખૂલતા ઉલાળાના અવાજમાં ફેર ખરો. આઠમા ધોરણનું ‘ફુલ્લી પાસ’નું રિઝલ્ટ લઇને દોડીને ખોલાતા ઉલાળામાં હોંશનો મોટો અવાજ હોય. કોઈ માઠા સમાચાર આપવા ખોલાતા ઉલાળાના અવાજમાં નરમાશ હોય. ઉલાળો દીકરીએ ખોલ્યો કે સાંજે પિયરથી ઘેર પાછી આવેલી વહુએ ખોલ્યો એ ખબર પડી જાય. વહુએ ખોલેલ ઉલાળાના અવાજમાં વિવેક હોય. દીકરીએ ખોલેલ ઉલળાના અવાજમાં બેફિકરાઈ હોય!

દરેક વખતે ઉલાળાનો અવાજ પારખતા કાન ડેલી તરફ મંડાતા. પૂછવું જ ના પડે કે કોણ આવ્યું અને કોણ ગયું! ઠાકોરજીની પૂજામાં બેઠેલ માજીની આંખો ભલે બંધ હોય, દાદાના પગ હિંચકાને ભલે ઠેલા મારતા હોય, આગંતુકને ઘણુંખરું ઓળખી જ જાય. કોઈ વાર ઉલાળો ખોલાયા પછી ડેલીમાંથી વિવેક પૂરતો ટહુકો આવે, “કાકી, આવું અંદર?” પણ કાકીને ખબર પડી જ જાય કે રોજ ઓફિસેથી પાછા ફરતાં ડોકું કાઢતો ભીખુ જ હશે.

આ બારણાં પાસે ક્યાં કોઈ ડોરબેલનું બટન હતું? બારણાં તો જ ખખડાવવા પડે જો તમે ક-ટાણે આવો તો જ. હવે તો બારણાંની વચ્ચે ફીટ થયેલી ‘આઈ’માં જોઈને, સેફટી લેચ ભરાવીને બારણાં ખોલતો સિક્યોરીટી સિસ્ટમનો ગુલામ માણસ ઉલાળા કે આગળિયાની કલ્પના જ ક્યાંથી કરી શકે? એવો પણ સમય હતો જ્યારે ‘તું જરાક ઠેલો મારી જો’ જેવો ખુલ્લો આવકાર આપતા ઉલાળા હતા, કોણ માનશે?

‘ડેલીએથી પાછા મા વળજો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં હો જી રે…’ પંક્તિમાં ‘ઠાલાં દીધેલાં’ બારણાના ઉલાળાનો અવાજ સાંભળવા જ રાધાએ કાન સરવા રાખ્યા હશે ને!

અનુપમ બુચ

૧૭ – શબ્દના સથવારે – ઘંટ – કલ્પના રઘુ

ઘંટ

ઘંટ શબ્દનો વિચાર આવતાં જ મનમાં અનેક પ્રકારનાં ઘંટ વાગવા માંડે છે અને દિલમાં ઘંટડીઓ. મોટો હોય તે ઘંટ અને નાની હોય તે ઘંટડી. અંગ્રેજીમાં ઘંટને ‘બેલ’ કહેવામાં આવે છે. ઘંટ એટલે ધાતુ (કાંસા)ની ઊંધા પ્યાલાના આકારની કે જાડી લોઢી જેવી વગાડવાની વસ્તુ, ઝાલર કે ઘંટા, ટોકરો કે ટંકોરો. કોઇ વ્યક્તિ ઉસ્તાદ, ધૂર્ત કે જબરી હોય તેને ઘંટ કહેવાય. ઘંટ ફરવો એટલે ખાલીખમ હોવું કે વપરાઇ જવું. ઘંટ વાગવો એટલે ગરીબાઇ હોવી. ઘંટ વગાડવો એટલે જાહેર કરવું. ઘંટાકાર એટલે ઘંટના આકરનું. ઘંટાકર્ણ એટલે મહાદેવનો એક પ્રિય અનુચર. ઘંટાઘર એટલે જાહેર ઉપયોગ માટે રખાતી મોટી ઘડીયાળનું ઘર કે ટાવર. ઘંટાપથ એટલે રાજમાર્ગ કે મુખ્ય રસ્તો. ઘંટારવ એટલે ઘંટનો અવાજ. મોટા ઘંટનો ટકોરો એટલે ઘંટો. ઘંટાળી એટલે ઘુઘરીઓની હાર. ઘંટડી એટલે છેક નાનો ઘંટ, ટોકરી, ટંકોરી કે શૂન્ય. ઘંટડી વગાડવી એટલે ખાલી કે નવરૂ નકામુ બનીને રઝળવું અથવા પૂરૂ થાય છે એમ જણાવવું.

1200px-Tallinna_raekoja_kell-page-001

ઘંટ પુરુષવાચક અને ઘંટડી સ્ત્રીલિંગ સૂચવે છે. મંદિરની બહાર ઘંટ અને અંદર ઘંટડી હોય છે. ઘંટનો અવાજ મોટો અને ઘંટડીનો નાનો હોય છે. ઘંટડીનો અવાજ, પ્રભુ આરતી સમયે તેમની નજીક રાખે છે જ્યારે ઘંટને ગર્ભદ્વારે રાખે છે. રડતું બાળક છાનું રાખવાની ક્ષમતા ઘંટડીમાં છે જ્યારે ઘંટનો અવાજ સૂતેલા બાળકોને ઝબકાવીને જગાડી દે છે. છતાં ઘંટનું એક ચોક્કસ સ્થાન છે.

શાળામાં, મંદિર કે દેવળમાં, સ્ટેશન પર કે ઘરનાં દ્વારે ઘંટ જોવા મળે છે. પહેલાં રાજાના મહેલની બહાર, ન્યાયનો ઘંટ રખાતો જેમાં પ્રજા ન્યાય માટે ઘંટ વગાડીને રાજાને સૂચિત કરતી. ચેતવણી, સાવચેતી કે ભય સંકેત માટે વગાડાતો ઘંટ ભયનો ઘંટ કહેવાય. રાણકપુર મંદિરમાં ગર્ભદ્વારની ડાબી અને જમણી બાજુએ બે ૨૫૦-૨૫૦ કિ. ગ્રા. વજન ધરાવતા ઘંટ છે. જેમાં એક નર ઘંટ અને બીજો માદા ઘંટ છે. આ ઘંટ વગાડતાં થતો ઓમકારનો રણકાર ૩ કી. મી. દૂર સુધી સાંભળી શકાય છે. ખોડલધામ મંદિર પર ધજાદંડને ૨૨ ઘંટથી શણગાર્યો છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં મહૂડી તીર્થમાં ઉંચા સ્તંભ પર મોટો ઘંટ મંત્રિત કરીને મૂક્યો છે.

ઘંટ ખાસ ધાતુઓ ભેગી કરીને બનાવવામાં આવે છે. ઓમકાર અને ઘંટનાદને સીધો સંબંધ છે. ઘંટના ધ્વનિમાંથી ઓમ પ્રગટ થાય છે. હિન્દુ મંદિરમાં આરતી વખતે ઘંટનાદ કરવામાં આવે છે. ઘંટના ધ્વનિથી તરંગો પેદા થાય છે જેનાથી બહારની દુનિયા ભૂલીને પ્રભુ દર્શનમાં યોગ પેદા થાય છે. મન બીજે વિચરતુ બંધ થઇને ઇશ્વરમાં લીન થાય છે. દૂર દૂર સુધી આ ધ્વનિનાં તરંગો પ્રસરે છે જેની અસર માનવ મન પર થાય છે. તે વાતાવરણની અશુધ્ધિઓને દૂર કરે છે. આમ ઘંટ ધર્મ અને વિજ્ઞાનનો સુમેળ કરે છે. એવી માન્યતા છે, આરતી સમયે અને દર્શન કરતી વખતે ઘંટ વગાડવાથી પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ જાગૃત થાય છે. પુરાણો પ્રમાણે માણસનાં પાપો નષ્ટ પામે છે. ઘંટને કાળનું પ્રતિક માનવામાં આવે છે. તાજા સમાચાર પ્રમાણે એન. જી. ટી. એ. અમરનાથ મંદિરમાં ઘંટ વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે જો કે તેની સામે લોકોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. દેવળમાં પ્રાર્થના સમયનો સંકેત, એટલે કરવામાં આવતો ઘંટનો અવાજ. લોકો જ્યાં હોય તે સ્થાને કામ છોડીને પ્રાર્થના કરે છે. પ્રસંગ અનુસાર ઘંટનાદની ગતિમાં ફેર કરવામાં આવે છે.

સમગ્ર વિશ્વને પોતાનાં પ્રભાવ હેઠળ રાખનાર ઘંટ આટલો વિશેષ છે ત્યારે વિચારવું રહ્યું કે ઘંટ કરતાં ઘંટને ઘડનાર કેટલો મહાન કહેવાય? આ વાતને મધ્યબિન્દુમાં રાખીને કવિ શ્રી શ્રીધરાણીએ સુંદર કવિતા લખી છે, જે દ્વારા તે કહેવા માંગે છે કે ઇશ્વર કહે છે મને પૂજારીની પૂજા અને ઘંટનાદ પસંદ નથી. ઘંટનાં નાદે મારા કાન ફૂટે છે માટે પૂજારી પાછો જા, ઘંટનો ઘડનાર કે જે રાત-દિન નીંદર લીધા વગર એરણ સાથે હથોડા અફાળીને ઘંટને ઘડે છે તેની પૂજા સાચી છે જે મને સ્વીકાર્ય છે.

ઘંટ વગાડવો એ એક કળા છે. ઘંટની પણ એક ભાષા હોય છે. જુદા જુદા ઘંટારવ દ્વારા અનેક પ્રકારના સંદેશ મોક્લાય છે. યુવાનીમાં દિલમાં ઘંટી વાગે એ અનુભવ આહ્‍લાદક હોય છે પરંતુ વૃધ્ધત્વને આરે મૃત્યુનો ઘંટ વાગે એ પીડાદાયક હોય છે જે દરેકે જીવનમાં સાંભળવોજ રહ્યો.