કલ્પના કે વાસ્તવ ભાગ -2

કલ્પના કે વાસ્તવ ભાગ -2

આમ ને આમ બે ત્રણ વર્ષ  નીકળી ગયા ,અચાનક એક વ્યક્તિનો પત્ર મમતાબેનને મળ્યો,  તેમાં તેણે તેમને મળવાની ઈચ્છા વય્ક્ત કરી હતી અને આગમન નો સમય પણ જણાવ્યો હતો.

 નિયત સમયે એ વ્યક્તિ મમતાબેનને ઘેર આવી, બેલ વાગતા જ એક દેખાવડો યુવાન દરવાજે ઉભો હતો  જેને જોઇને જ મમતાબેનનું મન આશ્ચર્ય સાથે પ્રસન્ન થયું એના ચહેરા પર એક જાતની શાંતિ નો અનુભવ હતો. વાતચીતમાં સરળતા હતી. કેટલીક વ્યક્તિઓ પ્રથમ મુલાકાતમાં જ આત્મીયતા  પ્રસરાવતા હોય છે અને તેવું અપૂર્વની બાબદમાં થયું આવતા વેત જ મમતાબેનના ચરણસ્પર્શ કર્યા અને એણે મમતાબેનને ગળગળા કરી દીધા. 
સામન્ય વાતચીત કરી પોતાનો પરિચય આપ્યો ત્યારે મમતાબેને આગમનનું કારણ પુછ્યું. સાલસ સ્વભાવના અપૂર્વે પોતાને મળેલા ચક્ષુદાન માટે ખૂબ ખૂબ આભાર માન્યો ,પ્રેમલની આંખો આ યુવાનને મળી અને તે દેખતો થયો તેને મળેલા ચક્ષુ માટે તેની પાસે શબ્દો ન હતા તેમ છતાં  કહતો હતો કે તમારી મમતા સ્નેહ અને અન્ય વ્યક્તિઓને કોઈ પણ જાતના બદલાની આશા વિના મદદ થવાની ઉચ્ચ ભાવના એજ મને તમને મળવા  પ્રેરર્યો ….. આજે આપના ચરણસ્પર્શ કરી હું ધન્ય બન્યો છું અને  આલિંગન આપી  સવિનય બોલ્યો શું હું આપને “માં “નું સંબોધન કરી શકું છું? 
આપણે સહુ જાણીએ છીએ તેમ પ્રભુ એક દ્વાર બંધ કરે તો એ બીજાં બે દ્વાર ખોલી જ આપે છે એજ વાત જાણે અહી સિદ્ધ થઇ મમતાબેન આમ પણ ખુબ એકલા થઇ ગયા હતા અને આવા શબ્દોથી મમતાબેનને  કંઈક શાતા વળી ,પરંતુ તેમના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી. તેમને એમ લાગ્યા કરતુ હતું કે આને મેં કયાંક જોયો છે આ ચહેરો પરિચિત કેમ લાગે છે ? મન એ યાદ કરવા મથી પડ્યું ,વાતો કરતા અચાનક કંઈક યાદ આવતા તેઓ પ્રેમલના રૂમમાં ગયા ,જે તસ્વીર તેમણે ઢાંકેલી રાખી હતી તેને ખોલી। …..તે જાણે અપૂર્વની જ  તસ્વીર હતી ,તેઓ એકદમ અચંબામાં પડી ગયા કે આ શું ?
તેમણે અપૂર્વને પ્રેમલની રૂમમાં બોલાવ્યો  પોતાની દીકરીના કાવ્યો ,કવિતા સંગ્રહ ,અને અંગ્રેજી સાહિત્યના પુસ્તકો જોઈ અપૂર્વ છક થઇ ગયો અ પણ સાહિત્ય રસિક જીવ હતો એણે આમાંના ઘણા પુસ્તકો બ્રેઇલીપીમાં માણ્યા હતા ,મામતાબેને પ્રેમલના એક પછી એક ચિત્રો પણ દેખાડ્યા અને અંતે તેની નજર પેલી તસ્વીર પર પડી અને એ અભો જ બની ગયો ! કંઈ જોવા કે સમજવાનો ફરક થતો નથી ને ! પ્રેમલને એણે જોઈ ન હતી કયારેય મળ્યો પણ ન હતો। ….પ્રેમલે તસ્વીર નીચે જે લખ્યું હતું તે “બે હ્રદય રાત્રીને ચીરતાં પસાર થતા હતા તેઓ પ્રેમમાં પડ્યા પણ એકમેકને જોઈ શકયાં નહિ –“-અપૂર્વ “
ઓ મારી “પ્રેમલ ” એવા ઉદગાર તેના મુખમાંથી સરી પડ્યા…. 
 
-વાસંતી રમેશ શાહ- 
 
એક સત્ય ઘટના આધારિત

મિત્રો
આજે એક  સુંદર પણ સત્ય ઘટનાને આધારિત બે અંકી વાર્તા લઈને આવી છુ. એ સાથે આપણા બ્લોગના અને બે એરિયાના નવા લેખિકા વાસંતીબેન રમેશભાઈ શાહ નું સ્વાગત કરું છું. 
તેમની રજૂઆત ખુબ જ સુંદર છે. મેં માણી  છે માટે જ આપ સર્વને માણવા રજુ કરું છું. મિત્રો આપના અભિપ્રાય એમને વધુ લખવા પ્રેરરશે. હું જાણું છું કે હું સરસ લખી શક્તિ નથી, પરંતુ પ્રભુએ મને કોઈ લખતું હોય તો તેના લખાણને પ્રેરણા આપવાનું નિમિત્ત જરૂર બનાવી છે, તો મિત્રો આપ પણ આ નિમિત્ત બનવાનું ચૂકશો નહિ ,લેખિકા નો પરિચય એમની રજૂઆત જ સમજી લો ને  …..
 
કલ્પના કે વાસ્તવ 
 
 

પ્રેમલ મધ્યમવર્ગમાં ઉછરેલી સુશીલ ને સંસ્કારી પુત્રી હતી. તેના પિતાનો સ્વર્ગવાસ તે પાંચવર્ષની હતી ત્યારે થયો હતો. માતા મમતાબેને તેના ઉછેરમાં કોઈ કમી મહેસુસ તવા દીધી ન હતી. પિતાની ખોટ પણ સાલવા દીધી ન હતી. પ્રેમલ ભણવામાં ખુબ હોશિયાર અને તેજસ્વી હતી. તે જેટલી રૂપાળી હતી તેટલી જ નમણી ને નમ્ર વિવેકી હતી. પ્રભુએ જાણે તેને સર્વગુણ સંપન્ન કંઠારી હતી. 

20ની ઉંમરે તે ગ્રેજ્યુએટ થઇ ગઈ, સાહિત્ય રસિક જીવ હતો ,સાહિત્ય સર્જનમાં અનેરી  પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી એ કંઈ જેવી તેવી પ્રસિધ્ધિ ન હતી ,કાવ્યોનું વાંચન કરવું અને કાવ્યરચનાઓ કરવામાં તેને કોઈ આંબી શકે તેમ ન હતું. 

 
પાંચ સાત વર્ષમાં તેની એનેક કાવ્ય રચનાઓ લોકપ્રિય બની ગઈ.અને એક નાનકડો કાવ્યસંગ્રહ પણ બહાર પડ્યો. સાહિત્ય ઉપરાંત તેને ચિત્રકળામાં પણ ખુબ  જ રસ હતો. નવા નવા ચિત્રો દોરવા ,તેમાં એ માનવીના આમ – જીવનમાં આવતી મુશ્કેલીઓ  અને હાવભાવ ઓતપ્રોત તય તેવા દ્રશ્યો ચિતરવામાં નિપુણ હતી અનેક પ્રદર્શનોમાં તેની મૌલિકતાના વખાણ સૌના મુખે સંભાળવા મળતા ,પ્રથમ ,દ્રિતીય કે તુતીય ઇનામમાં પ્રેમલનું નામ ન હોય તે સંભવે જ નહિ.  તેમ છતાં પ્રેમલના દિલ કે મુખ પર ગર્વ કે અભિમાનની રેખા કે નિશાન કદીયે જોવા મળ્યા નથી. દીકરીની પ્રસિધ્ધિથી મમતાબેન ખુશખુશાલ રહેતા.આ બધું જોતા મનમાં ક્ષણિક વિચાર આવી જાય કે તે આલોકની નથી લાગતી પણ પરલોકની જ વ્યક્તિ છે. “ખુદા દેતા હૈ  તો છપ્પર ફાડકે દૈતા   હૈ ” એ ઉક્તિ અક્ષરસ :સાચી છે પરંતુ અતિશય સુખ પણ ઝાઝો સમય ટકતું નથી એ પણ ઉક્તિ એટલી જ સાચી  અને સત્ય છે. 
 
ધીમે ધીમે પ્રેમલની તબિયત નાદુરસ્ત રહેવા લાગી ડૉકટરે નિદાન કર્યું કે મગજમાં ટ્યુમર છે. આ પ્રકારનું ઓપરેશન તે સમયે ખુબ જ કઠીન હતું તેમાં ફક્ત 1% થી 2% બચવાની તક માત્ર રહેતી હતી ડૉ. કહેતા હતા ઓપરેશન થી ગાંઠ નીકળી જશે ,અને માં પ્રેમલને કહેતી પ્રભુ બધું સારું જ કરશે ચિંતા ના કરીશ. પ્રેમલ સમજી ગઈ હતી કે આ માત્ર આશ્વાસન આપવા ખાતર આપે છે ,પણ તે તે હિમત હારે એમ થોડી હતી તે તો ટુકું અને સરસ જીવવામાં માનતી હતી.માતા મમતાબેનના નિ:સ્વાર્થ પ્રેમ અને પ્રભુભક્તિએ તેને ખુબ હિંમત આપી. પ્રેમલની સામે હિંમત આપતા મમતાબેન છાનામાના ખૂબ રડી લેતા પરંતુ  પ્રેમલને કદી ઉદાસ કે નિરાશ તવા દીધી ન હતી.
 
ધીમે ધીમે પ્રેમલની શક્તિઓ ક્ષીણ થવા માંડી ,મમતાબેન પ્રેમથી શક્ય તેટલી દીકરીની સેવા કરી પણ પ્રેમલને બચાવી ન શક્યા. પ્રેમલની આખરી ઈચ્છા અનુસાર તેણીના ચક્ષુદાન પણ કર્યા. અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ થયો, પ્રેમલનું નાશ્વત શરીર માટીમાં વિલિન થઇ ગયું.  ……
માતા એ તેની યાદોને સમેટવા માંડી ,એના લખેલા કાવ્યો અને ચિત્રો ને ભેગા કરી પ્રસિદ્ધ પણ કર્યા પરંતુ તેના ચિત્રોમાં એક યુવાનની તસ્વીર દોરી હતી તે પ્રશ્નાર્થ રહી. એમણે આ યુવાનને કદી જોયો ન હતો ચિત્રમાં યુવાનની ઓજસતા અને નિખાલસતા પ્રગટતી હતી. પરંતુ આ દેખાવડો પ્રસશનીય યુવાન કોણ હતો ?…..શું આ માત્ર પ્રેમલની કલ્પના નો યુવાન હતો? કે એના જીવનની કોઈ ગમતી વ્યક્તિ કે પ્રેમી ?…..આ  માત્ર કલ્પના કે વાસ્તવ ?
વાસંતીબેન રમેશભાઈ શાહ
 
મિત્રો વધુ બીજા અંકમાં ……

 

જ્ઞાનાગ્નિનું પ્રતિક-આરતી

આરતીનું રહસ્ય
 
મિત્રો નવરાત્રી શરુ થઇ ગઈ અને અંબામાની આરતીના ઘંટ સંભળાવ્યા માંડયા ને … મિત્રો નાનપણથી હું તો સાંભળતી આવી છુ. મને ખબર ત્યાં સુધી આરતી ઉતારવા માટેની કિંમત બોલાય. જે મોટી કિંમત બોલે એ આરતી ઉતારે. પૂર્ણાહુતિની  સામાન્ય રીતે છેલ્લા દિવસની આરતીનું મહત્વ મોટું ગણાતું, એટલે દરેકને એ લાભ અને અભિમાન લેવાનું મન થાય એ સ્વાભાવિક હતું મને એ લાભ કયારે મળશે એવું હું સદાય ઈચ્છતી..તો મિત્રો આ આરતીનો લાભ લેવા લોકો કેમ આટલા આતુર હોય તે જાણો છો?  અત્યાર સુધી મને પણ ખબર ન હતી આરતી સમયનો સુમધુર ઘંટારવ, ખુશ્‍બોદાર અગરબત્તીઓની ધૂમ્ર  આરતીની થાળી અને પ્રસાદ હું આટલુજ જાણતી હતી સાચું કહું પ્રસાદ મને વધારે આકર્ષતો હતો આતો થઇ બાળપણની વાતો પરંતુ  મિત્રો પુસ્તક પરબમાં આવતા આપણા કોકિલામાસી એ મોકલાવેલ આરતીનું રહસ્ય જાણીએ સાથે ગુગલ ગુરુની મદદ થી મળેલી માહિતી નું સકલન માણીએ…  
 મનુષ્‍ય માત્ર સવારથી સાંજ સુધી સતત પ્રવૃતિમય રહે છે.અત્‍યારના ઝડપી સમયમાં અને પ્રવૃત્તિમય જીવનમાં તેની પાસે ઈશ્વરને યાદ કરવાનો પણ સમય રહેતો નથી.આપણા દૈનિક જીવનમાં પ્રભુમાં જોડાવા માટે વિવિધ ભક્તિ સંબંધી ઉપચારો કરવામાં આવે છે. પરંતુ, એમાં આરતીનું સ્થાન મોખરેછે.માસી કહે છે કેઆરતીનો આપણી આસ્‍થા સાથે સંબંધ છે.સવારે અને સાંજે આરતી સમયે ઝાલર ઘંટ અને નગારા નો ધ્વનિનાદ ઉત્પન્ન કરી ને વાતાવરણમા એક પ્રકાર ની દિવ્યતા પ્રસરવવામા આવે છે અને મંદિરનાં દ્યંટ અને આરતી આપણા ધ્‍યાનને કેન્‍દ્રિત કરે છે,આરતી થી સમર્પણ ભાવપ્રગટે છે.નર્વસ સિસ્‍ટમ પ્રભાવિત થાય છે અને પોઝિટિવિટી જાગૃત થાય છે, અને એ વાતને વૈજ્ઞાનિકોએ પણ પૃષ્ટિ કરી છે. આરતી દરમ્યાન સમગ્ર દિનચર્યા દરમ્‍યાન પોતે કયાં સારા કર્મો કર્યા અને કયાં ખોટા કર્મો કર્યા તેનો સ્‍પષ્‍ટ ભેદ નજર સમક્ષ દેખાય છે. પોતે આ ખોટું કર્યું છે. તેનો વરસવસો ઉભો થાય છે અને અને સાથે પ્રાયશ્ચિતની મહાજ્યોત  તેના અંતરમાં જાગે છે આ થયો તેનો સાત્વિક અર્થ અને…… શબ્દાર્થ ….આરતી એટલે શું ? તો આર્તનાદે પ્રભુના મહિમાનું કરેલું સ્તુતિગાન. આરતી એટલે ભક્ત દ્વારા પ્રભુનું થયેલું ભાવભર્યું સ્વાગત. મૂળ સંસ્કૃત શબ્દ ‘આર્ત’ માંથી આરતી શબ્દ ઊતરી આવ્યો છે. આર્તનો અર્થ છે – દુઃખ કે પીડા. આરતી દરમ્યાન ભગવાનના મહિમાનું ગાન અને દર્શન કરતા કરતા ભક્ત પોતાના તમામ દુઃખ કે પીડા – આપત્તિમાંથી મુક્ત થયાનો અનુભવ કરે છે. ….ઈશ્વરની આરધના નું શ્રેષ્ઠ માધ્યમ એટલે પૂજા અને આરતી. આરતી દ્વારા માનવી પ્રભુના ગુણ ગાતા પોતાની અંદરની દિવ્યતાને જગાડે છે.આરતીમાં દિવાનું અજવાળું વ્યક્તિને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જાય છે અને તેથી જ કહ્યું છે ને
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા ,ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે નું લઇ જા……  
આરતી ચાર પ્રકારની હોય છે: – દીપ આરતી- જળ આરતી- ધૂપ, કપૂર, અગરબત્તી વગેરેની આરતી – પુષ્પ આરતી,જળ આરતી – જળ જીવનનું પ્રતીક છે. જળ આરતી કરવાનો આશ્રય  એટલે જીવનરુપી જળ દ્વારા ઈશ્વરની આરતી કરવી. …..ધૂપ, કપૂર, અગરબત્તીની આરતી  ધૂપ, કપૂર અને અગરબત્તી સુગંધનું પ્રતીક છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે.
માસીએ હું ન જાણતી વસ્તુ સમજાવી કે …દીપ(દીવાની) આરતી- દીવો પ્રગટાવી આરતી કરવાનો આશ્રય  એટલે આપણે સંસારમાં પ્રકાશ ફેલાય તે માટે પ્રાર્થના કરવી.ઘીની દિવેટને કોડિયામાં કે દીવીમાં અને  થાળીમાં મૂકી ભગવાનની આરતી ઉતારાય છે ગાયના ઘીનો દીવો થાય છે તેનું મુખ્ય કારણ ભારતીય સસ્કૃતિમાં  ગાયના ઘીને પૃથ્વી પરના પાંચ અમૃતોમાંનું એક ગણવામાં આવે છે. ઘીમાં સત્વિક્તાના ગુણ ધર્મ છે. તેથી ઘીના દીવા તરફ નજર ફેરવીએ તો આંખની સાથે મનને શાંતિનો અનુભવ થાય છે.
આરતીમાં એક ,ત્રણ ,પાંચ કે અગિયાર દિવેટો હોય છે। એક દિવેટ આત્મતત્વનું પ્રતિક છે ત્રણ દિવેટો ત્રણ ગુણો  સત્વ, રજસ ,તમસનું સુચન કરે છે પાંચ દિવેટો પંચ મહાભુતો પૃથ્વી ,જળ વાયુ તેજ અને આકાશ સૂચવે છે જે પંચ મહાભુતોનો આપણો દેહ રહેલો છે અગિયાર દિવેટોમાં પાંચ જ્ઞાનેન્દ્રિય ,પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન તેનું પ્રતિક છે દીવો એ તેજનું પ્રતિક છે 
આરતી ઉતર્યા પછી આપણે પાણીની પ્રદક્ષિણા કરીએ છીએ આપણાં જન્મ-જન્માંતરના કર્મો  નાશ પામે એવી ભાવના કરીએ છીએ પુષ્પ એ સુગંધમય  જીવનનું પ્રતિક છે પુષ્પ  આરતીની આજુબાજુ ફેરવીને પ્રભુને અર્પણ કરીએ છે સૌન્દર્યના નાશવંત સ્વરૂપનું પ્રતિક સમજવા માટે પરમાત્માએ પુષ્પો  સર્જ્યા છે. નિસ્વાર્થ સમર્પણ,ફોરમનું પ્રસરણ એના જીવનનું લક્ષણ છે પુષ્પો  પૃથ્વી પર ફોરમ ફેલાવતા અને હૈયાને અજવાળતા પ્રતીકો  છે. પુષ્પ હૃદયની મૌન વાણી, ઉદારતા ,કોમળતા અને પવિત્રતા ના સૂચક છે ખુબ જ ટૂંકુ આયુષ્ય છતાં ચિરંજીવ અસ્તિત્વ હોય છે પુષ્પનું. તેનો એક માત્ર નાનો સંપર્ક પણ અવિસ્મરણીય હોય છે. કારણ ખબર છે? નિષ્કામ કર્મ એના જીવનનો સિધ્ધાંત છે. 
 આરતીના અંતે કપૂર પ્રગટાવામા આવે છે કપૂરનો રંગ સ્વેત છે. સુવાસિત છે. જે શુદ્ધ સાત્વિકતાનું પ્રતિક છે. કપૂરને અગ્નિનો સ્પર્શ થતા તરત જ પ્રગટી ઊઠે છે. અને તેની રાખ થતી નથી એનો અર્થ છે કે સારા કે ખરાબ દરેક કર્મનો ક્ષય થવો જોઈએ તો ચોરાશી લાખ ફેરાને ટાળી શકાય. કપૂરને પ્રગટાવ્યા પછી તે અશેષ સળગી જાય છે. કપૂર આપણી મૂળભૂત વાસનાઓનું પ્રતિક છે. જ્યારે આરતીની જ્યોત જ્ઞાનાગ્નિનું પ્રતિક છે. જ્યારે જ્ઞાનાગ્નિથી અશેષએનું પણ આધ્યામિક મહત્વ છે. વાસના બળી જાય છે ત્યારે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે.    
આરતીની જ્યોત જ્ઞાનાગ્નિનું પ્રતિક છે આરતી થતી હોય ત્યારે નયનો અંતરમાં ડોકિયું કરતા હોય તેમ આપોઆપ બીડાઈ જાય છે.પરમાત્માના સંપૂર્ણ રૂપને પ્રકાશિત કરવા આપણે જમણા હાથમાં પ્રગટાવેલા દિવા લઈને જમણાથી ડાબી દિશામાં ગોળાકાર કરીને તેની જ્યોતને ફેરવવામાં આવે છે. તેનાથી ભગવાનનું દરેક અંગ અને તેમનું સમગ્ર સ્વરૂપ પ્રકાશિત થાય છે આરતી ઉતર્યા પછી જમણા હાથે ભગવાનને આરતી આપીએ છીએ આપણે તેજસ્વી બનીએ એવી ભાવના સાથે બંને હાથ વડે આપના આંખ મસ્તક અને સમસ્ત અંગો પર ફેરવીએ છીએ તેનાથી આપણી નજર પવિત્ર બને મગજ શાંત રહે અને શરીર સ્વસ્થ રહે અને  આમ આરતીનો તાત્વિક અર્થને વિસ્તારપૂર્વક જોઈએ તો  કે જે જ્યોતિ ભગવાનને પ્રકાશિત કરે છે તે મારી દૃષ્ટિને પણ દિવ્યતા અર્પો અને મારા વિચારોને ઉન્નત કરો….

 સંકલન –કોકિલાબેન પી.પરીખ ,pragnaji 

 

ગાંધી બાપુનું નામ ગગને ગાજે!

મિત્રો 
   
બીજી ઓક્ટોબરનો દોર આગળ ચલાવતા …..
ગાંધી હજી જીવે છે  અને નવી પેઢીમાં આપણે જીવાડવાના છે રેટીંયો,સત્યાગ્રહ ,ઉપવાસ કે  દાંડીકુચ ભલે ભુલાઈ  ગયા હોય ભલે નવા જમાના સાથે બધું બદલાઈ ગયું હોય પણ ગાંધીજી  હતા અને રહશે… એ સત્ય છે અને સત્ય કયારે બદલાતું નથી  જ્યાં સત્યનો આગ્રહ છે ત્યાં ગાંધી છે ગાંધીજી જીવંત સત્ય સ્વરૂપ હતા  ગાંધી હજી લોકોના દિલમાં છે ગાંધીજી  કયાં નથી ?નવી પેઢી ની 10 વર્ષની છોકરીના સવાલમાં ગાંધી જીવે છે સત્યને જાણવાની જીજ્ઞાસા માં ગાંધી જીવે છે। … આજે ફૂલવતી બેને એમના ગુરુની કલમેં લખેલી કવિતા મોકલી છે જે વાંચ્યા પછી ખાતરી થઇ જશે……  તો મિત્રો ચાલો ગમતાનો ગુલાલ કરીએ ખાસ જાણવાનું કે ફૂલવતી બેનને આ કવિતા રજુ કરવા માટે શાળામાં ઇનામ મળ્યું હતું  

ગાંધી બાપુનું નામ ગગને ગાજે!

ગાંધી બાપુનું નામ ગગને ગાજે!

ગગને ગાજે ને વિશ્વ હૈયે રાચે …..ગાંધી બાપુનું નામ

સત્ય અહિંસા ના શસ્ત્રે જંગ કઈક ખેલીયા,

ભારત માતાની મુક્તિ ને કાજે ……ગાંધી બાપુ નું નામ

અર્પ્યુતું જીવન આ સેવા માં દેશની

પીડીત દલીત હરીજન ને કાજે …….ગાંધી બાપુનું નામ

હિન્દુ મુસલમાન ઐકય કાજ પ્રાણ અર્પીને

ચાલી ગયા એ દિવ્ય પંથે આજે …….ગાંધી બાપુનું નામ

તકલી નાં તાન માં ને રેંટીયાના ગાન માં

આજે એ ” મોહન ની વેણુ વાજે ” ….ગાંધી બાપુ નું નામ

ભારત નો ભાગ્ય વિધાયક એ ભગવાન શો,

લાવ્યો સ્વાતંત્ર હીંદ મૈયા કાજે ……ગાંધી બાપુ નું નામ

હરદમ હસતી એ હેતમુર્તી જગ સંત ની

ભારત વાસી ને હૈયે હૈયે રાચે …….ગાંધી બાપુ નું નામ

વ્યોમ લિખિત તારાંકિત દીવ્યલેખ વાંચજો

અમ્મર છે ગાંધી બાપુ અવની પાટે …. ગાંધી બાપુ નુ નામ

વંદન હો લાખ લાખ જગના એ સંતને

” વિષ્ણુ ” હૈયામાં સદા બાપુ બીરાજે . .. .ગાંધી બાપુ નું નામ
ગાંધી બાપુનું નામ ગગને ગાજે!

ગગને ગાજે ને વિશ્વ હૈયે રાચે …..ગાંધી બાપુનું નામ

સત્ય અહિંસા ના શસ્ત્રે જંગ કઈક ખેલીયા,

ભારત માતાની મુક્તિ ને કાજે ……ગાંધી બાપુ નું નામ

અર્પ્યુતું જીવન આ સેવા માં દેશની

પીડીત દલીત હરીજન ને કાજે …….ગાંધી બાપુનું નામ

હિન્દુ મુસલમાન ઐકય કાજ પ્રાણ અર્પીને

ચાલી ગયા એ દિવ્ય પંથે આજે …….ગાંધી બાપુનું નામ

તકલી નાં તાન માં ને રેંટીયાના ગાન માં

આજે એ ” મોહન ની વેણુ વાજે ” ….ગાંધી બાપુ નું નામ

ભારત નો ભાગ્ય વિધાયક એ ભગવાન શો,

લાવ્યો સ્વાતંત્ર હીંદ મૈયા કાજે ……ગાંધી બાપુ નું નામ

હરદમ હસતી એ હેતમુર્તી જગ સંત ની

ભારત વાસી ને હૈયે હૈયે રાચે …….ગાંધી બાપુ નું નામ

વ્યોમ લિખિત તારાંકિત દીવ્યલેખ વાંચજો

અમ્મર છે ગાંધી બાપુ અવની પાટે …. ગાંધી બાપુ નુ નામ

                                         વિષ્ણુપ્રસાદ પંડ્યા 

બીજી ઓક્ટોબર

બીજી ઓક્ટોબર

બીજી ઓક્ટોબર એટલે બાપુને યાદ કરવાનો દિવસ .. કે ભજન, સભા ,કે ફૂલહાર ચડવાનો દિવસ .આજે ૨ ઓક્ટોબરે ગાંધીજી નાં જન્મદિને મનમાં રહી રહીને એક જ વિચાર અને પશ્ન ઘૂમે છે મહાત્મા ગાંધીજીને જેટલું માન વિશ્વના લોકો આપતા હશે તેનાથી ઘણું ઓછું સન્માન ભારતીય યુવાનો તેમને આપી રહ્યા છે.કેમ ? નવી પેઢી  પ્રશ્ન કરે છે કે જે નથી એને યાદ કેમ કરવાના .? તો જવાબના વિકલ્પો ઘણા છે  ….આધુનિક માનવી વિકલ્પોમાં અટવાય કારણ બુદ્ધિ ઘણા option લાવીને મૂકી દે છે એ સ્વાભાવિક છે દસ વર્ષની બાળકી સરકાર માટે પેચીદી સ્થિતિ સર્જી શકે છે . આરટીઆઈ એક્ટ હેઠળ તેણે સરકારને એવો પ્રશ્ન પુછયો છે કે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાનો દરજ્જો કેવી રીતે આપવામાં આવ્યો તેનો સરકાર જવાબ આપે. મહાત્મા ગાંધીને જે આદેશથી રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા તે ઓર્ડરની ફોટોકોપીની આ બાળકીએ માંગણી કરી છે.

નવી પેઢીને પાછા પહેલાના યુગમાં જવું નથી એમને આગળ વધવું છે એ વાત ચોક્ક્સ છે આપણે હવે રૂડો ઈતિહાસ રચવો છે એ જ આ પેઢી નું ધ્યેય છે …પરંતુ શું તમને જાણવું નથી આ માણસ હતો કોણ ?  તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે તો આપણે એનો લાભ કેમ લેવો નથી ? …એ સત્ય, અહિંસાનાં પુજારીએ જે સ્વાયત્તતાનું સ્વપ્ન જોયું હતું એમાં જ તમે જીવી રહ્યા છો તો જાણવું નથી એ કોણ છે ?મેં ગાંધીજીને જોયાં નથી, પરંતુ મેં ગાંધીજીને ખૂબ વાંચ્યા છે માટે કહી શકું છું કે  ગાંધી માત્ર સરકારી કચેરીની છબીમાં નથી.પણ એના મોંનની ભાષા બોલે છે .હજી પણ ભારતની સ્વતંત્ર હવામાં ગાંધી છે…આજની યુવા પેઢી યા તો ગાંધીજીની મહાન સખ્શિયત વિશે જાણતી નથી.એમના માટે ગાંધી એટલે  સત્ય, અહિંસા, અપરિગ્રહ, ખાદી, ગરીબી, અસ્પૃશ્યતાનિવારણ, રાજકારણ, આસ્તિકતા, ગ્રામસુધાર, વિજ્ઞાન, આરોગ્ય વગેરે માત્ર  ….  અથવા ખોટા અભિપ્રાય સાથે જીવે છે … જેના મહાન આત્માને દુનિયાએ જોઈ, અનુભવી અને આજે પણ તેમના વિચારો સાથે આપણે જીવીએ છીએ.સાબિત કર્યું કે તેઓ આપણા જેવા જ માસ હાંડ ધરાવતા નાના શરીરના માણસ હતા. પરંતુ તેમનામાં બધું જ શક્ય બનાવવાની ક્ષમતા હતી.ગાંધી ને યાદ કરી તેના જેવા ગુણો ને આપણાં માંથી બહાર કાઢવાના છે એ કેમ ભૂલી જવાય ?.આપણી અંદરની દિવ્યતા ને બહાર કાઢવા માટે મહાત્માને – બાપુને યાદ કરો .આજ ના દિવસે એમને ફરી શોધી કાઢો કદાચ એ તમારામાં જ ધરબી ને પડ્યો હશે…… 
pragnaji
મિત્રો આ પણ ગમશે .https://shabdonusarjan.wordpress.com/wp-admin/post.php?

વતન -પી.કે.દાવડા

મિત્રો 

દાવડા સાહેબ આપણને વિચાર કરવા વતનની વાત લઈને આવ્યા છે શું આપણે કર્મભૂમિ ને અપનાવી છે? કે વતનના ગાણા ગાઈ દુખી થાવ છો અને બીજાને કરો છો ?…..વતન એટલે શું?…. જન્મીને જયાં  સ્થાઈ થયા તે ?… દરેક માનવી સંજોગોનું સર્જન છે ,જે સંજોગોમાં જયાં  આપણે રહ્યા અને પેઢી દરપેઢી વસ્યા એ વતન ?… કે જ્યાં તન છે મન છે એજ મારું વતન ?…. વિસ્તારથી વિચારીએ તો પૃથ્વી પર રહું છું માટે એજ મારું વતન…….. હું કોણ છું? ,ક્યાંનો છુ ?એ નકામા પ્રશ્નો છે, અથવા વાતચીત શરુ  કરવાના એક માત્ર દોર છે….  કે આપ મૂળ કયાંના ?… મૂળ ગામ કહ્યું ?…આપનું વતન કયું ?… ત્રીજી દ્રષ્ટિ થી વિચારીએ તો પારકી પંચાત ની શુભ શરૂઆત ….એના કરતા આવી વ્યાખ્યાને છોડી દઈએ તો કેમ ?… અગત્યનું કોને કહેવાય જે અનિવાર્ય હોય તેને  ….તો   મિત્રો  દાવડા સાહેબે ચોખ્ખી સ્પષ્ટ  ભાષમાં સરસ વાત કરી છે તે માણીએ અને વિચારીએ …..………કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,

                                                                    જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.

 

વતન

વતનના  ગીત  ગાઈ  ગાઈને અમે મોટા થયા,

મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,

લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.

વર્ષો પછી, અભ્યાસ  કરવા બાળકો અમેરિકા  ગયા;

કાર,   ડોલર,  બંગલાના  મોહમાં  અટવાઈ  પડ્યા,

હાલ  જોવા બાળકોના, અમે  પણ અમેરિકા ગયા,

મોહી પડ્યા ચકાચોંધથી, અમેરિકામાં સ્થાયી થયા.

વતન કેવું?  વાત કેવી?  અતીતને  ભૂલી   ગયા,

કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,

જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.

-પી.કે.દાવડા