પાઠકજીને જવાબ–પી. કે. દાવડા

મિત્રો 
 
જીવનમાં ઘણી વસ્તુ હસી કાઢવા માટે હોય છે.આવી પડેલું ઘડપણ કોઈને ગમતું નથી હોતું। ..ઘણી વ્યક્તિ હાસ્ય દ્વારા   જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરતા હોય છે.
હાસ્ય જીવનને નવી ઓળખાણ ઉભી કરી આપે છે અને જીવન પ્રત્યેની ફરિયાદ ઓછી કરાવી આપે છે  બસ આપણા દાવડા સાહેબને જ જોવો પહેલા અમેરિકા વિષે ફરિયાદ કરતા હતા અને હવે ……દાવડા સાહેબની ખૂબી એ છે કે એ અખા ને વાંચે તો અખા પોતે બની છપ્પા લખવા માંડે અને કલાપીને વાંચે તો એની જેમ કવિતા લખી નાખે। .બસ આજ વાત આજે અહી જોશો ભગવતીકુમાર પાઠક ને વાંચ્યા એટલે બસ હાજર જવાબી દાવડા સાહેબે વળતો જવાબ લખી નાખ્યો। ..એની વે આજે રવિવાર છે તો આ કવિતા માણી આનંદ કરો ને !
                                                                                                                                   ઘડપણનું ગીત 
વાળને તો ડાય કરી કાળા કર્યાપણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?
રાજહવે જોબનનો ઉતારો ફાંકો !
ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજતમે આખાં તે વેણ કેમ બોલશો ?
થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?
દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી કાકો’ !
તડકામાં ઢોલાજી બબ્બે દેખાયઆ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !
સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળોપડદીમાં પડ્યું છે કાણું;
મિચકારો મારો તો પાણી ઝરે ને રાજપડછાયો સાવ પડે વાંકો.
તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,
સીટી મારો તો ઢોલા હાંફી જવાયહવે સીસકારે કામ લો ચલાવી;
ઘોડે ચડીને હવે બાવા ન પાડશોકમ્મરમાં બોલશે કડાકો.
ભગવતીકુમાર પાઠક
                                                   ************************** 
_DSC0005
પાઠકજીને જવાબ
વાળ અને ભ્રમરની ફાસ્ટ ડાય મળતી પાઠકજી,
જોબનનો ઉતરે નહિં ફાંકો !
શીંગ છોડીને ટોબ્લર ખાસું પાઠકજી,
અને અંગેર્જી હોઠેથી હાંકો,
વેણીનો પ્રશ્ન નહિં ઉપજે પાઠકજી,
બેબીના બોબ કટ રાખો,
દાદરની વાતો કાં કરતા પાઠકજી,
અમે તો લીફટમાં જાશું,
મુગ્ધા જો અંકલ કહીને બોલાવે,
                                                          પ્રેમથી ભેટવા જાશું,
                                                               ફાકોથી મોતિયા કઢાવી પાઠકજી
                                                                લેંસ બેસાડીને જોશું,
                                                                વાતો સાંભળવાના નાના મશીનને
                                                            કાનમાં બેસાડી દેશું,
                                                                 ફ્લેક્ષી પેન્ટ પેરીને ફરસું પાઠકજી,
                                                         હાયહલોના ગાણાં ગાશું,
                                                               ધોડે ચડીને કોણ પરણે પાઠકજી,
                                                                 અમે તો મોટરમાં જાશું.
                                                                  –પી. કે. દાવડા

 

ઓળખ,તારી,કાયા,રૂપાળી-ઇન્દુ શાહ

મિત્રો શબ્દોનું સર્જન હંમેશા વાંચતા ઇન્દુબેન શાહ ની એક સુંદર રચના આજે સમયને અને ઉત્સવને અનુસાર પ્રસ્તુત કરું છુ ખુબ સુંદર છે ,જેણે આપણી દરેક પોસ્ટને આવકારી છે અને પોતાના વિચારો દ્વારા પ્રોત્સાહન આપ્યું છે એને વધાવજો

Originally posted on શબ્દસથવારે:

ઓળખ,તારી,કાયા,રૂપાળી

   દુંદાળા દેવ જાણું ઓળખ તારી

   મોટું પેટ શીશ ને છે સૂંઢ મોટી

   મુખ નાનું દંત એક ને આંખ જીણી

                કાયા તારી દીસે રૂપાળી

   મોટા કર્ણે વાતો સૂણી લે સહુની

   શાંતિથી પચાવે ઉદરે સમાવી

    વાચા ખોલે ઘણું સમજી વિચારી

                    કાયા તારી દીસે રૂપાળી

     શોભે તુજ હસ્તે દોરડું ભારી!

     તિક્ષ્ણ કુહાડી શું કામ કરતી!

     ખેંચે તુજ તરફી,બંધનો તોડી

                     કાયા તારી દીસે રૂપાળી

     મોદક હસ્તે સાધના ફળ રૂપી

      મુસક વાહન નાનું કાયા મોટી

      વાસના તરફી દોડ દે છૉડી

                    કાયા તારી દીસે રૂપાળી

      તું છે પ્રથમ પુજ્ય આશીસ પિતાની

      પ્રદક્ષિણા માતપિતાની ભાવે ફરી

      ત્રીભુવન પરિક્ર્મા વિવેકે કરે પૂરી

                    કાયા તારી દીસે રૂપાળી

View original

‘મિચ્છામિ દુક્કડમ્’ …. સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)..

આકાશદીપ

 
 
(Thanks to webjagat for this picture)

સૌને ‘મિચ્છામિ દુક્કડમ્ ‘                 સૌને ‘મિચ્છામિ દુક્કડમ્’          સૌને  ‘મિચ્છામિ દુક્કડમ્’

 

આત્મજ્ઞાનીની વાણી–

આત્મા તો પરમાત્મા સ્વરૂપી છે. આત્મા ‘ચૈતન્યધની ‘ છે…ચૈતન્યનો અર્થ અનંત જ્ઞાન, અનંત દર્શન, જે ફક્ત આત્મામાં જ છે.ઘડાની અંદર લાઈટ હોય તો, બહાર ના આવે, તેમ આ આત્મા જેટલા આવરણે

બંધાયો, કર્મકલંક લાગે ને શક્તિ આવરાય. જે ઈન્દ્રીય ભેદાય એટલું આત્મતત્ત્વ પ્રકાશ ધરે.પાંચ ઈન્દ્રીય ડેવલપમેન્ટ એટલે જ મનુષ્ય જન્મ.જીવમાત્રને નાભિ ‘સેન્ટર’ આગળ આત્માના આઠ પ્રદેશો જ ખુલ્લા હોય, જેને લીધે આ જગના વ્યવહારની પીછાણ થાય ને દરેક જીવને ગુંચવણ નથી પડતી.આ આઠ પ્રદેશો આવરાયતો કોઈ કોઈને ના ઓળખી શકે…ઘેર પાછોય ના આવે.’જ્ઞાની પુરૂષ’નાં બધાંય આવરણો તૂટી ગયાં હોય ને સ્વરૂપ જ્ઞાને આનંદ માણે.બ્રહ્માંડે પ્રકાશવાની આત્મ શક્તિ એજ કેવળ જ્ઞાન.જાણવાની બાબતમાં આત્મા ‘વેદક’ છે, જ્યારે  ખમવાની બાબતમાં ‘નિર્વેદક’ છે. નિર્વેદ એટલે મન,વચન,કાયા એ ત્રણેય ઈફેક્ટીવ હોવા છતાં પોતે ‘અનઈફેક્ટીવ’ રહે..વેદના ખમતા જાય ને તેના આધારે નિર્વેદ કહેવાય.સિધ્ધભગવાન થાવ ત્યારે મન, વચન, કાયા નહોય એટલે…

View original post 445 more words

સંવત્સરીની ક્ષમાપના

1239637_234076693407763_2020961865_n
સવંત્સરી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન ઓળખાય છે. 
મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર….

પ્રતિક્રમ એ મારો જાગૃતિ પૂર્વક નો પુરષાર્થ છે ,મારા દોષો મારા અભિપ્રાયો ને દુર કરવાનો।….

 આપ સર્વેની માફી મને પુરષાર્થ આદરવામાં સહાય રૂપ થશે

આલોચના પ્રતિક્રમ અને પ્રત્યાખ્યાનથી હું મારા કર્મ ને હલકું કરવાનો પ્રયત્ન કરી રહી છું 
અને એનો સમભાવે  નિકાલ કરી શકું માટે મને માફ કરી આગળ વધવાની શક્તિ આપશેi
 
આજે  ક્ષમાપના દિવસે પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વે જીવો ને ખમાવતની સાથે આપ સર્વેને,
મારાથી થયેલા જાણતા  અજાણતા દોષોને ,અંતકરણ પૂર્વક ખમાવું છું. 
સંવત્સરીની ક્ષમાપના
અરર પ્રભુ આ અમારી કેવી દુર્બળતા છે 
કે અમે શ્રદ્ધા ની જગ્યાએ અમે બુદ્ધી વાપરીએ છીએ 
કસ્તુરી મૃગની જેમ અમારા આત્માને અમે શોધતા ફરીએ છીએ 
અરર  જીવનમાં ઘણી વસ્તુઓ નકામી છે 
છતાં અમે સંઘરી રાખીએ  છીએ કેમ ?
અમે એની આળપંપાળ કેમ કરીએ છીએ 
ખાલી થઇ શકતા નથી  કેમ ?
જરાક કિંક ધારેલું થતું નથી ત્યારે મન આમ કેમ વર્તે છે ?
અમારા વલણો ને બદલવા નો પુરષાર્થ કયા છે પ્રભુ ?
અરર  પ્રભુ આ દિલ કેમ વલોવાય છે 
 પ્રભુ આજે મને સમજાણું કે 
પ્રભુની પ્રાર્થનામાં જે બળ છે એ 
એ અહંકાર અને આત્મપ્રશંસામાં નથી
અરર અંતર ખાલી અને શુષ્ક  કેમ પડયું છે?
પ્રભુ આજે સમજાણું કે
આનંદથી ભરેલું કોઈ તત્વ છે 
અને તેને ક્યાય ગોતવા નથી જવાનું 
તર્કથી ક્યાય પારખવાનું નથી 
આ અન્યાય ,અહમ ,વેરભાવ 
પ્રેમના અભાવથી જ તો જન્મે છે 
અરર પ્રભુ ઉદાર નહિ થાવ તો શું થશે? 
મને એવું બળ આપો કે હું 
ક્ષમા,અને પ્રેમ  આપવામાં ઉદાર બની શકું
મારા કરતા કોઈ વધુ સારું કામ કરે ત્યારે તેની પ્રશંશા કરી શકું 
ઈર્ષા અને અહમને જીવનમાંથી દુર કરી શકું
અરર પ્રભુ હું આ મોટપ નહિ રાખું તો શું થશે ?
મને એવું બળ આપો કે
અમને સાચી સમજણ મળે
હું શુદ્ધ સ્વરૂપ છું એ જ્ઞાન હું શુદ્ધ આત્મા છું એવી પ્રતીતિ રહે
આજે મન પ્રાયશ્ચિત કરવા તૈયાર થયું છે,..
આજે મન સૌ પ્રથમ પોતાની ભૂલ સમજ્યું છે,.
 પોતાની ભૂલ સ્વીકારી છે..
…ત્યારે ક્ષમા માગું 
પ્રભુ એ સમજણ/પ્રાયશ્ચિત જ
સત્ય અને નિર્મળતા તરફ નું મારું પ્રથમ પગલું છે
  અને આ  સાચી સમજણ થી આજ બધાને  ખમાવું
જેથી ફરી ફરી જીવનમાં ઉગી ન નીકળે 
તોજ આ ક્ષણે, અશાંતિ દૂર થઈ ને નિર્મળતા વ્યાપશે
આ આપને જોડવા અને માફી માગવા જોડેલા 
મારા બે હાથ પ્રેમ અને  ક્ષમા  બને
અને હું  સરળ હૃદયે ક્ષમા માગું 
અરર પ્રભુ મેં જાણતા  અજાણતા અનંત દોષો કર્યા છે.
વાણી, વર્તન, વિચાર થકી, પરોક્ષ કે પ્રત્યક્ષ રુપે જે પણ આત્માનું દિલ દુભાવ્યું હોય, 
તે સૌ ને   અંતકરણ પૂર્વક આપની સાક્ષી એ ખમાવું  છું.  

“મિચ્છામી દુક્કડમ :”

-પ્રજ્ઞા દાદભાવાળા-
   

પુરૂષાર્થ -​પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો મારા થોડા વિચારો અહી મુક્યા છે કદાચ અધૂરા લાગે  અથવા આપને થાય તો ઉમેરી શકો છો। ..પરંતુ હું હંમેશા માનું છું કે  ધર્મ એ જીવન પધ્ધતિ છે,  તે આધ્યાત્મિક જીવન પધ્ધતિ છે. જેમાં સારો વ્યવહાર, પૂજાપાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન નો સમાવેશ થાય તો અને તેનું રૂપાંતર થાય અને પરિવર્તન દેખાય અને સહજતા એની મેળે આવે…..

આજની પેઢી ધર્મમાં માનતી નથી એવું ક્યારેક લાગે છે.કે  નવી પેઢીને ધર્મ પ્રતિ ખાસ આસ્થા દેખાતી નથી.નવી પેઢી ઉભરો ઠાલવતા કહે છે  જ્યાં જ્યાં ધર્મ જોવા મળે છે તે ક્રિયાકાંડનો વધારે હોય છે અને તાત્ત્વિક ઓછો હોય છે. કેટલીક જગાઓએ તો ધર્મ મનોરંજન જેવો લાગે છે દરેક ભજન કે સ્તવનના રાગ પિકચરોના ગીતો પર ગાય છે  અને એટલે જ . . .હાલની નવી પેઢી દિનપ્રતિદિન ભારતીય સાંસ્કૃતિ ધર્મ અને સંસ્કારથી વિમુખ થઈ રહી છે .ત્યારે રહી રહી ને વિચાર ઉપજે છે કે ધર્મનું ભાવી શું છે ?.ટેકનોલોજી ને લીધે ભૌતિક વિકાસ ઝડપ પકડી રહ્યો છે  તેના પરિણામે આજે ધર્મ નવી પેઢી પરથી પકડ ગુમાવતો જાય છે બીજા અર્થમાં ઉદાસીન કહી શકાય।. દેવ દર્શનને એ તૂત માને છે. રોજ સવારે દર્શને ઉપડનાર લોકોને જૂનવાણી ગણે છે.એવા લોકોની ટિકા કરે છે.મારી i દીકરી કહે છે .તમારા  ઘરના વડીલ ખુબ ધાર્મીક વૃત્તીના  હોવાથી તમે પણ ધાર્મીક બન્યા,સાધુ સંતોની સેવાકરી,દાન–ધરમપણ કર્યા , કારણ વડીલની ભાવનાને ઠેસ ન પહોંચાડવા કે તેને વધુ દુ:ખી  કરવા તમે ઈચ્છતા  નહતા। ..તેથી ધાર્મીક ક્રીયાઓ (વીધી–વીધાનો) અને ધાર્મીક વાચનમાંતમે  વધુ ને વધુ રસ લેધો. ધર્મનું વાચન/ મનન/ ચીન્તન અને સ્વાધ્યાય વધતાં ગયાં।….મારી દીકરી મારા કહેવાથી પરુષણ પર્વની સહભાગી થઇ। …દરેક વાતને તર્કના ત્રાજવે તોલવાની એની આદત. એટલે એ કયારેક પર્શ્ન પૂછ્યા કરે છે કે  ધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાં શા માટે તે આપણા વર્તનમાં આવતું નથી? આ ગાથા પોપટની જેમ પઢયે જાઓ છો… આટલા વરસો સુધી જે કંઇ કરતી આવ્યા છો એ બધું ખોટું છે  ?.શું તમે તેનાથી હતાશ અને ગૂંચાયેલા નથી?. તમને આ ક્રિયા માર્ગ દેખાડે છે ?બસ માત્ર કરવા  ખાતર  કરો છો ?પાછળ .. રહસ્ય શું છે?.. આ સવાલ  મારી દીકરીનો હતો .બીજી દ્રષ્ટિએ પણ વિચાર કરી શકાય તો બની શકે  કોઇને નિરર્થક લાગતી વાત પણ સાર્થક લાગે.  આજે ધર્મને નામે અનેક જગ્યાએ ધતિંગ થતા રહે છે. ધર્મ હવે પૂરેપૂરો પ્રોફેશનલ બની ગયો છે.ત્યારે અનેક લોકો ખાસ કરીને યુવા પેઢીને  મંદિરો સામે, કહેવાતા ધર્મ સામે વિરોધ જાગે એ સ્વાભાવિક છે. દેવ દર્શનને એ તૂત માને છે. મને કહે ભગવાન તો આપણી અંદર છે. ભગવાન કંઇ તમે બધા માનો છો એમ મંદિરમાં રહેતા નથી. અરે, આજના મંદિરો તો પ્રોફેશનલ બની ગયા છે. બધા  વેપાર કરવા બેઠા છે. બધું   ધતિંગ બની ગયું છે। ….આ અનેક પંથ બ્રાંડ નેમ કેમ બની ગયા છે ?।.. શું તીવ્ર ધાર્મિક વૃતિ થી માનવી  કટ્ટર  નથી બની જતો ?. અને આ  જડ આ  ક્રિયા કોઈ પણ ધર્મ ને બહુ ઝડપથી સંપ્રદાયમાં ફેરવી  નાખે છે ને ?. ધર્મમાં માં પાખંડ નથી દેખાતો ?ધર્મ તો જીવનમાં ઉજાસ ઉઘાડે ને તો આમ કેમ ?….ધર્મ તો .જીવનને સરળ બનાવવામાં મદદ કરે તો આમ કેમ ?  

નવી જનરેશન પાસે પોતાની ફિલોસોફી છે….મને ઘણીવાર નવી જનરેશન વધુ ડાહી, સમજુ, હોશિયાર, સિન્સિયર, ફોકસ્ડ અને શાર્પ લાગ છે  નવી પેઢી તેજતરાર્ર અને તરોતાજા છે. તેના વિચારો એકદમ ખુલ્લા અને ઉમદા છે. રગેરગમાં થનગનાટ અને વિષય અંગેની સ્પષ્ટતા આજના યંગસ્ટર્સમાં છે એટલી કદાચ ભૂતકાળમાં કયારેય ન હતી.આજની પેઢી સાથે વાત  અને દલીલ સાંભળ્યા પછી એમ લાગે છે કે…. આપણે જે સાંસારિક જીવન જીવી રહ્યા છીએ તેને માન્ય ન કરવું. તેને જીવવાની સાથે જાણવું પણ જોઈએ.આજ ની પ્રજા કોઈ પણ કામ માત્ર કરવા ખાતર નથી કરતી એઓ કહે છે .પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય.અજ્ઞાનતાને લીધે સાચા-ખોટાનો નિર્ણય ન થવાથી ખોટી પ્રવૃત્તિઓની શક્યતા વધી જાય છે. જગતમાં તમામ દુઃખો અને તમામ અપરાધભાવોનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. મને હવે તેની વાતમાં તથ્ય દેખાય છે। …નવી જનરેશન પાસે પોતાની ફિલોસોફી છે…..મારી દીકરી મને  કહે છે કે કર્મવાદનો અર્થ આપણા ધર્મગુરુઓએ એવો સમજાવ્યો છે કે તારી આ ભવની બધી તકલીફો એ તારાં ગયાં જન્મોનાં કર્મોનું ફળ છે.જે તારે ભોગવવાં જ રહ્યાં જે એમને માન્ય નથી આ તો guilt feeling અપાવે .તો આગળ કેમ વધાય ? ભવ સુધારી લેવાની પ્રેરણા આપે છે. આ ભવ ગમે તેમ કરીને ભોગવી લો પણ આવતો ભવ સુધારી લો. મુઆ પછી સ્વર્ગ મેળવવા આ ભવમાં બધી વેદના, બધાં કષ્ટો ભોગવી લો. અત્યારે ભલે નરક ભોગવવું પડે; પણ મુઆ પછી સ્વર્ગ મળે તેવા પ્રયત્ન કરો. સ્વર્ગ કોઈએ જોયું નથી. મુઆ પછી કોઈ કહેવા પાછું આવવાનું નથી કે સ્વર્ગ કેવું અને ક્યાં છે.?…આમ અમુક વાતો એમને ગળે ઉતરતી નથી  ….મને એક દાખલો આપતા કહે એક યુવાન ગરીબોની સેવા કરતો હતો. બહુ જ સલૂકાઇથી તે ગરીબ વ્યકિત સાથે વ્યવહાર કરતો હતો. તેને પૂછ્યું કે, આવું તું શા માટે કરે છે? કંઇ લાંબો વિચાર કર્યા વગર બિન્ધાસ્ત થઇને તેણે કહ્યું, હું કોઇ પણ કામ માત્ર બે હેતુ માટે કરું છું. એક તો મને રૂપિયા મળતા હોય અને બીજું મને મજા આવતી હોય. ગરીબોની સેવા હું એટલા માટે કરું છું કારણ કે મને આનંદ આવે છે. સંતોષ આપે છે। …ગરીબો પર ઉપકાર કરવાની દાનતથી હું તેની સેવા કરતો નથી, આઇ ફીલ ગુડ. હું તો મને સારું લાગે એટલા માટે સેવા કરું છું.માણસ તરીકેની મારી જવાબદારી નિભાવવાનો આનંદ હું માણું છું…. યુવાન પેઢી મને છે કે ધર્મ એ જીવન જીવવવાની એક એવી ૫દ્ધતિ છે કે જેમાં માનવીય મહાનતાને ઘ્યાનમાં રાખીને એવી રીતે જીવવામાં આવે છે કે જેના પ્રકાશમાં લોકોને શ્રેષ્ઠતાની દિશામાં અગ્રેસર થવાની પ્રેરણા મળે

મારી દીકરી કહે હું પર્યુષણ માં દેરાસર ગઈ કારણ મને મારા જીવનના રહસ્ય ઉકેલવા છે .. મેં કહું કે બેટા .ધર્મ શબ્દનો અર્થ ઘણો વિશાળ છે. ધર્મ વિશે સમજવા જેવું એ છે કે પ્રાર્થના, ધ્યાન, જપ, તપ અનેક વસ્તુઓનો ધર્મમાં સમાવેશ થાય છે અને છતાં એ વસ્તુઓ પોતે ધર્મ નથી. જીવનનું રહસ્ય શોધવાના માનવીના પ્રયત્નોમાંથી ધર્મનો ઉદ્ભવ થયો છે.બેટા તું કહે છે પણ રોજ ક્રિયા કરવી જોઈએ  થોડા સમય પછી એ સહજ થઇ જશે  સતત ઉપયોગ વિના જ્ઞાન ન મેળવી શકાય.જ્ઞાન વિનાની, સાચી સમજણ વિનાની ક્રિયાની આડઅસરો ય ઘણી છે….જ્ઞાન બીજ સમાન છે તો ક્રિયા ફળ સમાન છે. જ્ઞાન અને ક્રિયાનો સુમેળ સાચું અધ્યાત્મ છે. ક્રિયાની સાથે સમજ ન હોય અને સમજની સાથે ક્રિયા ન હોય તો દોષોનો નાશ અને ગુણોની વૃદ્ધિ શક્ય નથી. શાસન એકલા જ્ઞાનમાં નથી કે એકલી ક્રિયામાં નથી.

ચાલ  તારી ભાષામાં સમજવું . તું .ડોક્ટર છે ને?  ડોક્ટર પોતાને થયેલા રોગનું જ્ઞાન હોય, તે માટેનાં દવા – ઉપચારનું ય જ્ઞાાન હોય. પણ તે દવા લેવાની ક્રિયા ન કરે તો સાજા થાય ?  હવે તુજ કહે તું કામે થી આવે છે કકડીને ભૂખ લાગી હોય ત્યારે તરલા દલાલનાં વાનગીનાં પુસ્તકો વાંચવાથી કંઈ પેટ ભરાય જાય છે ? માટે .જ્ઞાન એ ક્રિયા જોડિયા અને જાડિયા ભાઈ જેવી છે. એકમેક સાથે સંકળાયેલ છે. અમુક અપેક્ષાએ જ્ઞાન મુખ્ય છે, અમુક અપેક્ષાએ ક્રિયા. એકલું જ્ઞાન પાગળું છે, એકલી ક્રિયા આંધળી છે.. તારી પણ વાત સાચી છે મારે આંધળું અનુકરણ ન કરવું જોઈએ। ..જ્ઞાન માર્ગ બતાવે છે અને ક્રિયા રસ્તો કાપે છે. દેવ દર્શન ચરણવિધિ મને રોજ રસ્તો સુજાડે છે સારી સમજ ને સારી ક્રિયાનો મેળ ન જામે ત્યાં સુધી. આગળ કેમ વધાય। …તમારું વિજ્ઞાન શું કહે છે ? પ્રયોગ શાળામાં  કશુક શિદ્ધ કરવા પ્રયોગ કરો છો ને ? કોઈપણ કળા શીખવા માટે પહેલી ક્રિયા કરવી પડે પછી જ જ્ઞાન થાય. પ્રારંભ દશામાં ક્રિયાની મુખ્યતા છે, જ્ઞાનની નહિ, પ્રારંભિક ક્રિયા શ્રદ્ધાથી એટલે પરના જ્ઞાનના અવલંબનથી થાય,ક્રિયાના ગર્ભમાં જ્ઞાન રહેલું છે…… ક્રિયા કરતાં કરતાં જ અનુભવે  જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા અને શક્તિનો વિકાસ થાય છે. .શરૂઆતમાં જ જાણી લો કે આ કામ શા માટે કરવામાં આવી રહ્યું છે. માનવી પાસે વિચાર શક્તિ છે પશુ અને મનુષ્ય વચ્ચેનો ભેદ અહીંથી જ શરૂ થાય છે. ધર્મમાં મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ કહો છે  મનુષ્યભવનું મહત્ત્વ…છે ….આવી અતિ સૂક્ષ્મ રહસ્યની વાત જૈન ધર્મ સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે..મનુષ્ય પાસે એ શકયતા રહે છે કે તે કામ કરતા પહેલાં જાણી શકે છે કે તે કરવાથી શું થશે?ધર્મ એ જીવન પધ્ધતિ છે, પણ તે આધ્યાત્મિક જીવન પધ્ધતિ છે. જેમાં સારો વ્યવહાર, પૂજાપાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન નો સમાવેશ થાય છે.ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નહીં, પણ વ્યક્તિની બંધ આંખોને ખોલી આપતું વિજ્ઞાન છે જ્યારે આપ જાણીને કોઈ કામ કરો છે તો તે સદ્કર્મ જ થાય છે. સદ્કર્મનું પરિણામ હોય છે રૂપાંતરણ. તે આપણી અંદર પરિવર્તન લાવે છે. જેવા આપણે કર્મને વ્યક્તિત્વ સાથે જોડીએ છીએ, તેનું પરિણામ વ્યક્તિત્વમાં દેખાવા લાગે છે..ધર્મને જયારે સહજતા પૂર્વક જીવન બનવ્યે ત્યારે જે પરિવર્તન આવે છે તે આત્મા ને  જે આપણને પરમાત્મા તરફ લઈ જાય.આ માત્ર જૈન ધર્મ નહિ દરેક ધર્મની તાકાત છે.

શરૂઆતની અવસ્થામાં ક્રિયા વિના જ્ઞાનનો પરિપાક થાય નહિ. અમુક હદ સુધી ક્રીયાનયની મુખ્યતા છે, અમુક હદ પછી જ્ઞાનનયની મુખ્યતા છે…ક્રિયામાં ય એવો પ્રાણ પૂરીએ કે તે ક્રિયા જોઈને બીજાને પણ તે કરવાનું મન થાય.આમ કરવા માટે ક્રિયા કરતી વખતે ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ. ક્રિયામાં રસ નથી આવતો, ઉત્સાહ નથી જાગતો એવી તારી જેમ  ઘણાની ફરિયાદ છે. આના બે કારણો છે :  એક તો ક્રિયાના બળ પર શ્રદ્ધા નો અભાવ,..અને બીજું ક્રિયાના ફળ પર નજર નથી. રસ એ દિલની સમજ પર આધારિત છે. આમ જ્ઞાન હશે તો ક્રિયા કંટાળાજનક નહિ લાગે. જ્ઞાન એટલે માત્ર ક્રિયાની સમજ એટલું જ નહિ, એ ક્રિયા વગેરેથી પોતાના આત્માને શું લાભ થશે એનું ય જ્ઞાન જરૃરી છે. ક્રિયા પ્રત્યે બહુમાન નથી તેથી અવિધિએ પગપેસારો કર્યો છે. અને જડતા પણ પ્રવેસી છે…ઘણાને પ્રશ્ન થાય છે કે જ્ઞાન ને ક્રિયા કરીએ તો શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય, આત્માને શો લાભ થાય ? આત્માને લાભ તો શુભ ભાવ, શુભ પરિણતિથી થાય છે ને શુભ ભાવ જ્ઞાનથી થાય છે।અને તે જડતાની વાત કરી તે પણ સાચી છે  ક્રિયાકાંડને જ સર્વસ્વ માનવા-મનાવવામાં આવે છે ત્યારે ધર્મ, સાધના કે આધ્યાત્મિકતાનું આચરણ અર્થ વગરનું અને નિષ્પ્રાણ બની જાય છે.માનવની અંદર રહેલા અજ્ઞાનરૂપી આવરણને અળગું કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપવો એ સાધનાનું ધ્યેય છે. એનું જ નામ સાધના(આત્માનો અનુભવ કરાવનારી ક્રિયા. છે).ક્રિયા જાતનું-સેલ્ફનું રીયલાઈઝેશન પ્રાપ્ત કરવાને માટે  મદદ કરે છે અતિવ્યસ્ત જીવનમાંથી તણાવ ઘટાડો છે ને ।..ધર્મથી ઊચ્ચ કોટીની માનસિક તંદુરસ્તી માણસો  એમાં કોઈ શક નથી। ….આત્માનો અપરોક્ષ અથવા તો પ્રત્યક્ષ અનુભવ એ જ ધર્મનું ધ્યેય છે… .જીવનમાં જ્યાં છો ત્યાં રહીને, અને જે પ્રવૃત્તિ કરો છો તે કરતાં રહીને તમે એવી રીતે આત્મવિકાસની સાધના કરી શકો છો.ધર્મને સમસ્ત જીવનનું અવિભાજ્ય અંગ બનાવી ધ્યો।યાદ રાખો કે ક્રિયા ખરાબ નથી; પરંતુ ભાવનારહિત થઈને આંધળી પ્રવૃત્તિ કરવામાં આવે તે ખરાબ છે. માટે સદ્ ભાવનાને તમારી પ્રત્યેક પ્રવૃત્તિનો પ્રાણ બનાવી દો તો પ્રવૃત્તિ જ સાધના બની જશે.  …તું .દાક્તર હો તો દરદીને ઈશ્વરના પ્રતિનિધિરૂપ માન,વધારે ધ્યાન ધન કમાવા તરફ નહિ, પરંતુ દરદને દૂર કરવા તરફ આપજો. તો દાક્તર તરીકેનું કામ કરતાં-કરતાં પણ, જીવનના વિકાસના ક્ષેત્રમાં આગળ વધી શકશો. આજ તો આત્માના સાક્ષાત્કાર માટેનો પુરૂષાર્થ છે. 

​પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

વરિષ્ઠ નાગરિકનુ સુખ- હકારાત્મક અભિગમ(૭) પ્રજ્ઞા દાદભાવાલા

happyseniorseeveeaarFlickr-300x228

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને વૃદ્ધ થવું પસંદ નથી તેમ વૃદ્ધાવસ્થા કે નિવૃત્તિકાળ પણ પસંદ નથી. આ આવી પડેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .જયારે હકારાત્મકતા એ માનવીના પોતાનો અભિગમ છે જેમ સુખ અને દુઃખ  માનવીની માનસિકતા પર આધાર રાખે છે.તેમ .હકારત્મક વિચારો અને નકારત્મક વિચારો એ આપણી મનની સ્થિતિ પર જ નિર્ભર છે..શું આપણે રોજના જીવનની સામાન્ય ..તુચ્છતાઓથી પર  રહી શકીએ છીએ? અનેક તુચ્છ મહત્વાકાંક્ષાઓનાં બંધનથી બાંધેલો મનુષ્ય સુખ અને આનંદ પામી જ કેવી રીતે શકે ?…હકારાત્મક અભિગમ કોઈ પણ વયને  લાગુ પડે છે  કારણ કોઈ પણ અવસ્થામાં કેવો અભિગમ રાખવો એ માનવીનો પોતાનો વિચાર માંગતો પ્રશ્ન છે….

ઉંમર  સાથે માનવીની શરીરની જેમ અનેક શક્તિઓ ધીમી પડે છે જેને કસરત યોગ અને ધ્યાન  દ્વારા કેળવી શકાય છે અને કેળવો છો ને ? તો હકારત્મક અભિગમ બીજી અનેક નબળી શક્તિને સતેજ કરે છે..એ ભૂલવું ન જોઈએ .મનની મોટાઈ છે માનવી માટે આનંદની સહેલી કડી…ઉમર સાથે આભિગમ માનવીને સુખના ઓડકાર ખવડાવે છે  હકારત્મકને કદાપિ સાંકડાં-રાંકડાં હૃદયોમાં વસવાનું ફાવે જ નહીં. સંસારમાં આનંદો જાતજાતના છે, અસંખ્ય છે, પરંતુ એમાં અન્યને આનંદ આપવાના આનંદ જેવો બીજો આનંદ એક પણ નથી. પરિવારના ચહેરા પર ક્ષણભર ચમકી જતો આનંદ જોઈ, જીવનની સાર્થકતાનો આનંદ અનુભવવાની ટેવ એટલે જ હકારત્મક અભિગમ।…ક્યારેક પૃથક્કરણાત્મક નિરીક્ષણ કરી જોજો।…શું નકારત્મકતા તમારા જીવનને પોષણ આપી શકે તેમ છે ? જે સુખને પામવા આખી જિંદગી દોડ્યા અને અંતમાં નકારત્મક વિચારો કે અપેક્ષા દ્વારા જીવનને વેડફી નાખવાનું?..

હકારત્મક અભિગમ ને સ્વસ્થ અભિગમ કહેવાનું પસંદ કરીશ।..મન અને તન બંને સારા રહેશે ..તુચ્છતાની વ્યાખ્યાને ત્યજી, ઉદારતાની વ્યાખ્યા।..એજ..તો..હકારત્મક..અભિગમ।..હળવાફૂલ બનીને વિહરીવું એટલે હકારત્મક અભિગમ।.લીલુંછમ જીવવાની કેવી મજા છે એતો જે જાણે એજ માણે। …નાની નાની ઇચ્છાઓ અને તેની તુચ્છ પ્રાપ્તિઓના થરના થર ને હટાવી નિરંતર વિસ્તારતા રહીએ તો ખોટું શું છે. પ્રસરવાનો  જે આનંદ છે તે સંકુચિતતા માં ક્યાંથી હોય! માનવી પોતાની સમય મર્યાદાને ભૂલી જાય છે. અને જે જીવનનો અર્થ જ નથી સમજ્યા, ત્યાં જીવનનો આનંદ તો પામી શકવાના જ શી રીતે ? .

લોભથી લોલુપતા દાખવતા, ક્રોધથી ફાટફાટ થતા, અહંભાવથી ફુલાતા-ફરતા, જિંદગીના અંતિમ તબક્કે પણ પોતાની તુચ્છ સ્થૂળ પ્રાપ્તિને જળોની જેમ વળગ્યા કરતા, અજ્ઞાનમાં ડૂબેલા, તુચ્છતાપીડિત  વડીલ જનોને જોઉં છું અને મારી જેમ તમને પણ પ્રશ્ન થતો જ હશે કે  ‘આ લોકો સાથે શું બાંધી જવાના ?’  બસ આજ નકારાત્મકતા વરિષ્ઠ નાગરિકનું સુખ,…  અરે  કોઈનું પણ સુખ છીનવી  લે છે…નકારાત્મક વિચારો ને તમારા પર પ્રભુત્વ ન જમાવવા દો… માનવજાતની આ જ તો મોટી કરુણતા છે કે, તેનું ચિત્ત નિરંતર જીવનની સાવ સામાન્યમા પણ  સામાન્ય, નગણ્ય ઘટનાઓના મિથ્યા મોહમાં અને અહમમાં રમમાણ રહે છે

વડીલો ઘરના માળી છે પણ માલિકીનો ભાવ ઘરનાને સમાજને અકળાવે છે તો  માલિકીભાવના શા માટે ?’જ્ઞાન કરતાં પણ દષ્ટિ મહત્વની હોય છે એ વાત અહી યાદ રાખવાની છે હકરાત્મકતા એ દ્રષ્ટી છે… ઘણા ને પ્રશ્ન થાય છે કે શું હું હકારત્મક નથી ? તો તમારી જાતને પ્રશ્ન પૂછજો કે હું માનવીનો માનવી તરીકે સ્વીકાર કરું છું  કે માલિકીનો અધિકાર છે ?દીકરા પર અધિકાર જમાવતું મન કયાંથી આનંદ પામે ? સામેની વ્યક્તિને સહી  લેવાની ભાવના માણસને આપો.. જે સ્વીકાર કરાવે છે.ઘણા વડીલો આ વૃધ્ધાવસ્થા નો સ્વીકાર કરતા નથી. મન પરિવર્તન ને સ્વિકારતો નથી…..નકારાત્મકતા આપણામાં  નથી પણ આપણા  અભિગમમાં છે। ..

હકારાત્મકત વ્યક્તિ પોતાની મહત્ત્વાકાંક્ષા પર કાબુ રાખે છે….. જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે જીવનના સંબંધને નવો આયામ આપવાનો હોય છે… હવે ખોવાયેલાંને ફરી ખોળવાના હોય છે – ફરીથી પામવાના હોય છે… ફરીથી એકત્વ સાધવાનું હોય છે.ત્યાં એકલા જીવતા વડીલોને ઘરથી વિખુટા પડતા જોઈએ તો નકારાત્મકતા દેખીતી નજરે પડે છે સંતાનો અને તેમનાં સંતાનો-પૌત્ર-પૌત્રીઓ સાથે હળવા-મળવાનો આ આનંદભર્યો સમય છે.ત્યારે  મંદિરના ઓટલે આંસુ સારતા  દાદીને જોઇને દુઃખ  થાય છે ને ?..પોતાનો શોખ-રુચિ કેળવવાનો હવે વખત છે અને ધીમે ધીમે કુટુંબનાં સંકુચિત વર્તુળમાંથી થોડા બહાર નીકળી સમાજ અભિમુખી થવાનું હોય છે.ત્યારે ઘરમાં ગોંધાય ને મુંજાતા વડીલો કેમ દેખાય છે ? આવા અવરોધ શેના ?અને તેના માટે જવાબદાર કોણ ?..આ માત્ર તમારો મારો કે કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી  સમગ્ર સમાજ આનો ઉકેલ માંગે છે .

સમગ્ર સમાજને નિર્દેશન છે કે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને તેના વિચારોને સમજનારાઓની, પરિવાર અને મિત્રોના પ્રેમની, વાસ્તવમાં તેમને ખાસ તો જરૂર છે માનવીય હૂંફની.તેમના શબ્દો પર ભરોસો રાખનારાઓની જરૂરત છે. જો વૃદ્ધો નિવૃત્તોને આવી મદદ મળતી રહે તો વૃદ્ધો નિવૃત્તો અનેક નવા આવકાર્ય કાર્યો કરી શકે. આપણે તો મરતા સુધી વિકસી શકીએ છીએ. તેવી જ રીતે  હકારત્મક અભિગમ કેળવવો અઘરો નથી.વૃદ્ધોએ જાતને જાણવા પ્રયત્નશીલ થવું જ રહ્યું..આશાસ્પદ વિચારો વૃદ્ધાવસ્થામાં નવું બળ પ્રેરે છે..

નકારત્મક વિચારોને ઠેલી અને હકારત્મક વિચારો લાવવા એ મનુષ્યના પોતાના હાથમાં છે ને ?…..વૃદ્ધાવસ્થા એ ચેતનાના બદલાતા સ્તરની અવસ્થા છે..ઘણા વૃદ્ધાવસ્થાની ચેતના ને ધસાઈ ગયેલી, ચીમળાઈ- કરમાઈ ગયેલી, ધરેડે ચઢી ગયેલી બનવાજ નથી દેતા . કારણ તેઓ જાણે છે કે વૃદ્ધાવસ્થાની ચેતના અનુભવસમૃદ્ધ ચેતના છે. જે બીજાને પ્રેરણા આપી આગળ વધવામાં મદદ કરી  શકે તેટલી તાકાતવાન છે। ..જે ચેતના બીજાને સમૃદ્ધ ન કરે તો તેનો શું ઉપયોગ ? આપની  કાર્ય શીલતા બીજાને ઉપયોગી થાય તો તેના જેવું શું જોઈએ ?.ઉકલેલા વિચાર, સ્પષ્ટ દૃષ્ટિકોણ તથા જવાબદારી સમજવાની અને નિભાવવાની ૫રિ૫કવતા એ જ તો વરિષ્ઠ નાગરિકનો વિકાસ છે ,જે વિકસે તે વૃદ્ધ અને એની એજ ઘરેડમાં ઘસાય તે ઘરડા। ..

અંતિમ સમયે સંતોષના ઓડકાર ખાવા છે ને ? તો જાતને જાણવા પ્રયત્નશીલ થવું રહ્યું. સ્વાર્થવૃત્તિ છોડવી  જ રહી . નિંદા ટીકાથી વ્યગ્ર ન બનવું.,નાની ઇચ્છાઓ,માલિકીનો ભાવ,.લોભથી લોલુપતા દાખવતા, ક્રોધથી ફાટફાટ થતા, અહંભાવથી ફુલાતા-ફરતા. સ્વભાવને બસ કેળવવો જ રહ્યો .જયાં જયાં શુભ હોય ત્યાં ત્યાં દિલથી પ્રશંસા કરીએ।…જ્યાં જ્યાં ગુણ હોય ત્યાં ત્યાં ગુણપ્રાપ્તિ ની ઝંખના।..તો બસ અહી વિચારોની થકી જીવન ની અંતિમ પળોમાં સંતોષ પ્રાપ્ત કરવાનો છે. એમાં કોઈ શક નથી… .આપણે મનુષ્ય તો મરતા સુધી વિકસી શકીએ છીએ. આપણી અંદર રહેલી અનેકવિધ સુષુપ્ત શક્તિઓને આપણે જગાડી શકીએ છીએ. પોતાની શક્તિઓને ઓળખી સુષુપ્ત શક્તિઓને જગાડી કામ કરતા રહો સતત તમે કોઈ ને કોઈ કાર્ય માં વ્યસ્ત રહો.બીજાને તમારા જ્ઞાનનો અનુભવનો લાભ આપો। ..ઘર બેઠા અનુભવસિદ્ધ લેખો લખતા ને બ્લોગ પર કે છાપામાં વરિષ્ઠ નાગરિક ને  જોયા છે ?

દરેકમાં કંઇક ને કંઇક અદભૂત શક્તિ રહેલી જ છે. તેને સર્જનાત્મક માર્ગે વાળવી અને રચનાત્મક કાર્યો કરવા તથા નવીન સર્જન કરવું, તેવી જ રીતે હકારત્મક વિચારો કરવા તેમજ દ્રઢતા પૂર્વક તેને અમલમાં મુકવા….સમય સાથે તાલ મિલાવી આધુનિક ટકનોલોજી નો ઉપયોગ કરી નવું જાણવાની અવિરત ધગસ એટલે  હકારત્મકતા (ઘણા વડીલોને કોમ્પુટર વાપરતા જોયા છે ને ?) મારે ઘરના ખૂણામાં પડેલી નકામી ચીજ બનવું નથી બસ એજ નિરાધાર એજ હકારાત્મકતા આવા તો અનેક દાખલાઓ આપણી  આસ પાસ તમને દેખાતા હશે..અમેરિકામાં  વરિષ્ઠ નાગરિકને કોમ્યુનીટી સર્વિસ કરતા ખુબ જોયા છે આજ તો આનંદ છે જે સમાજમાંથી મેળવ્યું તેને પાછુ દેવું જે આત્મસંતોષ પણ આપે છે., વહેચવું એ માંગલ્ય પ્રગટાવવાની પ્રક્રિયા છે.અન્ય ને મદદ કરી પોતાની જાતને ને લાભ મેળવો।…આપણે શુભ કર્તવ્યોની અનુમોદના કરતા રહેવાથી જાણ્યે અજાણ્યે એના સંસ્કાર બીજ આસપાસની વ્યક્તિના અંતરમાં રોપાતા હોઈએ  છીએ ……આમ હકારાત્મક વિચારોનાં તરંગો આપણી આસપાસનાં પરિસરમાં પ્રસરતાં બીજાને પણ હકારાત્મકતા બક્ષે છે. તેવી જ રીતે હકારાત્મક વ્યક્તિનો સંગ આપણને પણ હકારાત્મક બનાવે છે. બસ અંતમાં વૃધા અવસ્થાને શણગારો-અંતમાં મેઘલતા બેન મહેતાની થોડી પંક્તિ ટાંકીશ

ભૂતકાળનો પાલવ પકડી …

જે ટમટમ્યા કરે ..

તેનો વળી વિકાસ  કેવો ?…

જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,

જે દોડ મુકે આંખ મીચી –

તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .

 

 

સહિયારું સર્જન - ગદ્ય

happyseniorseeveeaarFlickr-300x228

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને વૃદ્ધ થવું પસંદ નથી તેમ વૃદ્ધાવસ્થા કે નિવૃત્તિકાળ પણ પસંદ નથી. આ આવી પડેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .જયારે હકારાત્મકતા એ માનવીના પોતાનો અભિગમ છે જેમ સુખ અને દુઃખ  માનવીની માનસિકતા પર આધાર રાખે છે.તેમ .હકારત્મક વિચારો અને નકારત્મક વિચારો એ આપણી મનની સ્થિતિ પર જ નિર્ભર છે..શું આપણે રોજના જીવનની સામાન્ય ..તુચ્છતાઓથી પર  રહી શકીએ છીએ? અનેક તુચ્છ મહત્વાકાંક્ષાઓનાં બંધનથી બાંધેલો મનુષ્ય સુખ અને આનંદ પામી જ કેવી રીતે શકે ?…હકારાત્મક અભિગમ કોઈ પણ વયને  લાગુ પડે છે  કારણ કોઈ પણ અવસ્થામાં કેવો અભિગમ રાખવો એ માનવીનો પોતાનો વિચાર માંગતો પ્રશ્ન છે….

ઉંમર  સાથે માનવીની શરીરની જેમ અનેક શક્તિઓ ધીમી પડે છે જેને કસરત યોગ અને ધ્યાન  દ્વારા કેળવી શકાય છે અને કેળવો છો ને ? તો હકારત્મક અભિગમ બીજી અનેક નબળી શક્તિને સતેજ કરે છે..એ ભૂલવું ન જોઈએ .મનની મોટાઈ છે માનવી માટે આનંદની સહેલી કડી…ઉમર સાથે આભિગમ માનવીને સુખના ઓડકાર ખવડાવે…

View original post 976 more words

વરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક અભિગમ-કલ્પના રઘુ

2010- KRS - Copyવરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક અભિગમ

વરિષ્ઠ નાગરિક એટલે વડલો. વડલો આપે વિસામો. એ આપ્યાજ કરે. એને કોઇની પાસે કોઇ અપેક્ષા ના હોય. તેના પર પત્થર ફેંકો તો પણ શીળી છાયા આપે. આ એક હકારાત્મક અભિગમ કહેવાય. અને માટે એ પૂજનીય બને છે. આ તો થઇ વડલાની વાત. પરંતુ આધુનિક સમયમાં માનવ માટે જરૂરી નથી કે તે હંમેશાં પૂજનીય હોય. અને છતાં હકારાત્મક અભિગમ સેવવો એ એક કપરી કસોટી બની જાય છે.

મારાં પતિ હંમેશાં કહે ‘ઉગતા સૂરજે નહીં, ઢળતા સૂરજે કોમ્પ્રોમાઇઝ કરવું પડે.’ કારણ કે ઢળતા સૂરજને કોઇ પૂજતું નથી. છતાં તે તેનું કાર્ય નિયમિત કરે છે. આમ જીવન પ્રત્યેની હકારાત્મકતા એ સુખી જીવનનું સુંદર ઘરેણું છે.

વરિષ્ઠ નાગરિકનાં સુખથી કુટુંબ સુખી બને છે. સુખી કુટુંબથી સમાજ સુખી બને છે. અને સુખી સમાજ ભેગા થઇને દેશ સુખી બને છે. આમ તંદુરસ્ત દેશનાં બંધારણ માટે વરિષ્ઠ નાગરિકનું સુખ પાયામાં રહેલું છે અને તેનાં માટેનું એક માત્ર પરિબળ હકારાત્મક અભિગમ છે.

દરેક નવી જીન્દગીએ જીવનનાં નવા પ્રશ્નો હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાંથી પસાર થતી જીન્દગી તેના ‘અંતિમ પડાવ’ એટલે કે વૃધ્ધાવસ્થામાં પહોંચે છે. જીવનના દરેક ક્ષેત્રની સમયની મર્યાદા નક્કી હોય છે. એ સમય ગમે તે રીતે પસાર થઇ જાય છે પરંતુ કહેવાય છે, ‘જીવ્યાં જેમ તેમ, મરશું કેમ કેમ?’ જીન્દગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે.પણ મૃત્યુ પછી કોઇના હ્રદયમાં જીવતા રહેવું એ જીન્દગીમાં કરેલાં કર્મની વાત છે. કહેવાય છેને? કે પ્રેમ બાળપણમાં સામેથી મળે, યુવાનીમાં ચોરવો પડે, અને ઘડપણમાં માંગવો પડે … બસ, ત્યાંજ છે અપેક્ષાઓનું મૂળ. અને દુઃખનું મૂળ છે અપેક્ષા.

વરિષ્ઠ નાગરિકે તેની વધતી જતી ઉંમર સાથે તેની માનસિક સ્થિતિને પણ બદલવી જોઇએ. જો તમે તમારી યુવાનીનાં સમયની માનસિક સ્થિતિ સાથે જ જીવવાનું પસંદ કરો તો તમને ઉંમરનો ભાર લાગશે. જીન્દગી એક વહેતી નદી સમાન છે. જીવનનાં પ્રવાહની સાથે વહેતાં શીખવું જોઇએ. નદીનું સતત વહેતું નીર એનાં બાહ્ય અને આંતરિક સ્વરૂપને સતત બદલતું રહે છે. જીવનને પણ એ દ્રષ્ટિએ જોવું જોઇએ.

વૃધ્ધાવસ્થાને ઉત્સવની જેમ માણો. ઉંમરની દરેક અવસ્થાનું પોતાનું એક આગવું, વિશિષ્ઠ રૂપ – સૌંદર્ય હોય છે. વૃધ્ધાવસ્થા વખતે જીન્દગી નામની નદી ઉછળકૂદ કરતી વહેતી નથી પણ સમથળ સપાટી ઉપર આવીને એક પ્રકારની ગરિમા સાથે વહેતી હોય છે. આ ગરિમામાં ભૂતકાળનાં અનુભવોનું ભાથું, તેનાં પડછાયાં અને પડઘાનાં સંસ્મરણો ભળેલાં હોય છે. આ ખજાનો એટલો અમૂલ્ય અને અગાધ હોય છે કે ‘જેને જરૂર હોય તેને’ વહેંચતા જવાથી તેનું વજન લાગતું નથી. વૃધ્ધાવસ્થા વહેંચવા માટે છે, વહેંચાવા માટે નથી. ઘડપણ એક એવી અવસ્થા છે જયારે દરેક વ્યક્તિ જીવનના નવરસનું પાન કરીને ઓડકાર ખાય છે. અને આ અનુભવોનાં ભંડારથી વ્યક્તિ વરિષ્ઠ નાગરિક બને છે. પરંતુ તેમની માનસ સ્થિતિમાં ભરતી અને ઓટ આવ્યાંજ કરે છે. કારણકે તેમને સાંભળનાર કોઇ નથી. નથી સમય કોઇની પાસે, અને શારીરિક અને માનસિક રીતે વૃધ્ધ અસલામતીનાં વમળોમાં ફસાય છે. એકલતા, અસહાયતા અને અસલામતીની નાગચૂડમાંથી છૂટવાની તેને જરૂર છે.

આ તબક્કે હું કહીશ કે દિશા બદલવાથી દશા જરૂર બદલાય છે. જયારે આજની પેઢી આવક અને આધુનિક ટેક્નોલોજીની ચકાચૌંધમાં ધર્મ અને વડીલોનાં આદર-સત્કાર અને લાગણીઓને ભૂલીને આંધળી દોટમાં જોડાય છે. ત્યારે જરા વિચારો, તેમની પાસે ક્યાં સમય છે, તેમનાં પોતાનાં બાળકોને સાચવવાનો? તેઓ તમને ઘરડા-ઘરમાં મૂકે છે, તો તેમનાં બાળકોને ડે-કેરમાં મૂકે છે, મૂકવા પડે છે … કે જેમને જીવનમાં હજુ કાંઇ જોયું નથી, અનુભવ્યું નથી. તો આ મા-બાપ તેમનાં વૃધ્ધ માતા-પિતા તરફ કયાંથી સમય ફાળવશે? આ વસ્તુ આજનાં વૃધ્ધો જો સમજે તો પોણાભાગની સમસ્યાઓનું સમાધાન મળી જશે.

હા, નિવૃત્ત વૃધ્ધ મા-બાપને જરૂર છે, તેમનાં બાળકો તેમની સાથે પ્રેમથી બે શબ્દો બોલે. અને જેવાં છે તેવાં પણ તેમનાં અસ્તિત્વનો સ્વીકાર કરે. અને તેમની હસ્તીનો આદર કરે. બાકીતો, આજનાં વૃધ્ધ, પોતાનાં બાળકોને કેમ મદદરૂપ થવું? તેનાં માટે પોતાની ઉંમર તરફ જોતાં નથી.

૬૦ વર્ષ સુધી બાહ્ય સુંદરતા પાછળ માણસ મંડ્યો રહે છે. ૬૦ વર્ષ પછી આંતરિક સુંદરતાને ઉજાગર કરવાની છે. એના માટે આંતરમનને જગાવો. અંતરના દીપને પ્રગટાવીને જીવન પ્રકાશમય બનાવો. સુંદરતા આપોઆપ નીખરશે. સાથેસાથે સુવાસ પણ પ્રસરશે.

કુટુંબમાં વરિષ્ઠ નાગરિક એટલે ચમડાનું તાળુ એમ કહેવાતું. અહીં હું બીજા અર્થમાં કહીશ કે આ તાળાને ઉપયોગી બનવા માટેની કેટલીક ચાવીઓ પણ સાથેજ હોવી જોઇએ … જેમકે કયારેય કોઇને નડો નહીં. તે માટે વડીશાહીનો ડગલો ખીંટીએ ટીંગાડી દેવો જોઇએ. કારણકે આજની પેઢીને તે જરાય પસંદ નથી. કોઇપણ પ્રકારનો ગમો-અણગમો રાખ્યા વગર ચાલશે, ભાવશે, ફાવશે, ગમશેનું સનાતન સત્ય અપનાવવું જોઇએ. શરીરને સ્વસ્થ રાખવા નિયમિત ચાલવું, કસરત, યોગ કરવો. શરીર સાથ આપે તેટલું શારીરિક કામ કરીને કુટુંબ કે સમાજને મદદરૂપ થવું. સેવકીય પ્રવૃત્તિમાં જોડાવું, જેથી માનસિક શાંતિ મળે. ઘરનાં બાળકો સાથે નિર્દોષ આનંદ માણવો, કુદરત સાથે મિત્રતા કરવી. અને ગમતાં શોખને પ્રવૃત્તિ બનાવીને એકલતાનો સહારો બનાવવો. ઇન્ટરનેટથી વાકેફ રહેવું જોઇએ. મનને કેળવવા માટે વાંચન, ચિંતન, મનન કરવું અને રમત-ગમતનાં કોયડા ઉકેલવા. જીવનને વાસણમાંના પ્રવાહીની જેમ જીવવું જોઇએ. જેવું વાસણ, તેવી પ્રવાહીની સ્થિતિ હોય, તો કયારેય જીવન ભારરૂપ નહીં લાગે અને એનેજ જીવન પ્રત્યેનો વાસ્તવિક અભિગમ કહેવાય. વૃધ્ધાવસ્થામાં હસતાં-હળવાફૂલ રહેવું એ મોટી ચેલેન્જ છે. પરંતુ જયારે જયારે નકારાત્મકતાથી જીન્દગીનું વહેણ ઠીંગરાઇ જાય, જીવન જીવવાનું બળ ઉત્પન્ન થતું અટકી જાય ત્યારે ત્યારે થોડું સમારકામ કરતાં શીખી લેવું જોઇએ.

વૃધ્ધાવસ્થામાં સંસાર છોડ્યા વગર જળકમળવત્‍ રહેવું જોઇએ. આ એક પ્રકારનુ તપ છે. અને આ સત્સંગથી સાધ્ય બને છે. એક સંતનાં પ્રવચનમાં મેં સાંભળેલું હતું કે જ્યારે તમારાં સ્વજનો તમને પ્રેમથી રાખે ત્યારે સમજવું, એ સ્વજનો તમારાં પૂર્વજન્મનાં મોટામાં મોટાં દુઃશ્મન છે કારણકે સંસાર સાગરમાં તમે જેટલાં ડૂબેલાં હશો એટલાંજ તમે ઇશ્વરથી દૂર જશો. જ્યારે આપણે કોઇ સ્વજનથી દુઃખી થઇએ અને આખી જીન્દગી એમાંજ રહીએ … એનાં બદલે કોઇ આપણને હેરાન કરે, દુઃખ આપે તો એનો આભાર માનો … ઇશ્વર તરફ એટલું વધારે જવાશે. નરસિંહ મહેતા, સંત તુકારામ અને સોક્રેટિસ ભૂતકાળનાં જીવંત ઉદાહરણ છે.

દરેક વરિષ્ઠ નાગરિકે પોતાનાં મગજનાં કૉમ્પ્યુટરમાં એક ડેલીટ બટન રાખવું જોઇએ. જેમ ધર્મમાં ત્રિસંધ્યા કરવાનું કહે છે, તેવી રીતે દિવસમાં ત્રણ વખત ડીલીટ બટનનો ઉપયોગ કરીને દિવસ દરમ્યાન બનતી નકારાત્મકતાને મનમાંથી કાઢીને મનને સ્વચ્છ રાખવું જોઇએ.

જીવનની સત્યતા એ છે કે વ્યક્તિ જન્મે ત્યારે એકલી હોય છે અને મૃત્યુ પામે ત્યારે પણ … તે દરમ્યાનની સફરમાં જેનો જેનો સાથ મળે છે તે માત્ર ભ્રમણા હોય છે. અને મનુષ્યને આ ભ્રમણાની જાળ વધુ ગમે છે. તેમાંથી ટપકતાં રસનું પાન કરીને તે હમેશા પુષ્ટ રહેવા કોશીષ કરે છે. અને તે પણ એક ભ્રમણાજ છે. એક ભ્રમણા તૂટે અને બીજાનો સહારો માનવ પકડે છે. અને તે ક્ષણીક સુખનો ભોગ બને છે. પરંતુ જો તે જીવનનાં બીજા છેડાને પણ સરળતાથી જોઇ શકતા હોય તો જીવન જીવવું સરળ થઇ પડે છે.

શાયર બેફામે સુંદર પંક્તિ લખી છેઃ

“બેફામ તોયે કેટલું થાકી જવું પડયું,

નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”

નાનો અમથો માર્ગ સરળ છે કે કઠીન એ માણસની મનઃસ્થિતિ પર અવલંબે છે. જીન્દગીનો જામ જુસ્સાથી, આનંદ અને તરવરાટથી છલકાવી દેવો એ કઠીન છે. પરંતુ જો ‘હકારાત્મક અભિગમ’ની જડીબુટ્ટી તમારે હાથ લાગી જાય, તો જીવનની હરક્ષણ, હરપળ તમે ચેતનાસભર રહેશો. એ તમને જીવનની ઘરેડમાંથી, જેમાં તમે ફસાયેલા છો તેમાંથી બહાર કાઢશે. આ એક મોટી સિધ્ધિ છે.

અને અંતે હું કહીશ કે વૃધ્ધાવસ્થા એ હારી-થાકીને ભાગી છૂટવા કરતાં હકારાત્મક અભિગમ કેળવીને જ્ઞાન, કર્મ અને ભક્તિની પરીસમાપ્તીની, મૃત્યુનાં મહોત્સવની તૈયારીની અને નિજધામ પહોંચવા માટે હળવા અને શુધ્ધ થઇને પ્રાર્થનામય ચિત્તે ગાડીનો ડબ્બો છોડવાની અવસ્થા છે. અને અમાંજ એક વરિષ્ઠ નાગરિકનું સુખ રહેલું છે.

કલ્પના રઘુ

દેવિકા રાહુલ ધ્રુવ–પી, કે, દાવડા

_DSC0051દેવિકાબહેનનો જ્ન્મ ગુજરાતના એક ખુબ નાના ગામ ભૂડાસણમાં ૧૯૪૮ માં એક મધ્યમવર્ગી કુટુંબમાં થયો હતો. પિતા મેટ્રીક પાસ થયેલા જ્યારે માતા પાંચ ધોરણ સુધી ભણેલા હતા.

દેવિકાબહેનનો પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ ૧૯૫૪ થી ૧૯૬૪ સુધી અમદાવાદની મ્યુનિસિપાલિટિ કન્યાશાળામાં થયો. નબળી આર્થિક પરિસ્થિતિને લઈ પરીક્ષા વખતે એમને મ્યુનિસિપાલિટિના દીવા નીચે બેસીને અભ્યાસ કરવો પડતો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. શાળામાં શિક્ષણ ફ્રી હતું, નોટબુક અને પુસ્તકો કોઈને કોઈ સહાયક પાસેથી મળી રહેતા. અભ્યાસ ઉપરાંત વકતૃત્વ સ્પર્ધા, નૃત્ય-નાટક વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા. વાંચનનો શોખ ખૂબ નાની ઉંમરથી જ હતો અને ખૂબ નાની વયે શેર શાયરીનો શોખ પણ કેળવેલો. પંદર વર્ષની વયે એમણે પહેલી કવિતા લખીને એમના શિક્ષકને આપી હતી.

૧૯૬૪ માં S.S.C. ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં એડમીશન લીધું. સંસ્કૃત અને ગુજરાતીને મુખ્ય વિષય લઈ, ૧૯૬૮ માં B.A. ની ડીગ્રી પ્રાપ્ત કરી. B.A. પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયેલા અને સોમૈયા ગોલ્ડ મેડલ ઉપરાંત અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કરેલા. નગીનદાસ પારેખ, મધુસુદન પારેખ અને યશવંત શુક્લ જેવા શિક્ષકોનો એમને લાભ મળેલો. એક કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીને હસ્તે એમને ઈનામ મળેલું. કોલેજની ઈતર પ્રવૃતિઓમાં એમના એક નાટકને પ્રથમ ઈનામ મળેલું અને એમની એક નૃત્ય નાટિકાની દિલ્હીમાં રજૂઆત થયેલી. સંસ્કૃત ભાષામાં બોલવાની હરિફાઈમાં પણ એ પ્રથમ આવેલા.clip_image003

(શ્રી ઉમાશંકર જોશીને હસ્તે ઈનામ)

S.S.C. માં ખૂબ જ સારા માર્કસ આવ્યા હોવા છતાં કુટુંબને મદદરૂપ થઈ શકાય એટલા માટે આર્ટસ શાખા પસંદ કરેલી. સવારની કોલેજ પતાવી,બપોરે ટ્યુશનો અને ટાઈપીંગ વગેરેના પાર્ટ ટાઈમ જોબ્સ કરવાનું શરૂ કર્યું.આર્થિક કારણોસર જ બી.એ. પાસ થયા પછી એમ.એ. કરવાને બદલે પૂરા સમયની નોકરી સ્વીકારી. ૧૯૬૮ માં ગુજરાત યુનિવર્સિટિના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં કામ મળ્યું.

clip_image005   ૧૯૭૧ માં નાગર પરિવારના, રણજી ટ્રોફીના પ્લેયર અને અમદાવાદના જાણીતા ક્રિકેટર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન કર્યા. લગ્ન બાદ પણ ગુજરાત યુનિવર્સિટિની નોકરી ૧૯૮૦ સુધી ચાલુ રાખી. દરમ્યાનમાં એમના બે પુત્રોનો જન્મ થયો. ૧૯૮૦ માં દેવિકાબેનના મોટાં બહેનની સ્પોન્સરશીપ મળતાં ચારે જણ ગ્રીનકાર્ડ પર કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા.એમનાં બધાં જ ભાઈ બહેનો અમેરિકામાં જુદા જુદા શહેરમાં છે અને બધાં જ કલાકાર છે. નસીબ જોગે, દેવિકાબહેનને એમના યુનિવર્સિટિના એકાઉન્ટ વિભાગના અનુભવને લીધે, ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં નોકરી મળી ગઈ. ૧૯૮૦ થી ૨૦૦૩ સુધી, ૨૩ વર્ષ સુધી બેંકની આ નોકરી જાળવી રાખી. ૨૦૦૩માં કુટુંબે ન્યુયોર્કથી હ્યુસ્ટન સ્થળાંતર કરવાનું નક્કી કર્યું એટલે દેવિકાબહેને બેંકની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. હ્યુસ્ટનમાં પણ એમને સ્થાનિક શાળામાં નોકરી મળી ગઈ. ૨૦૦૩ થી ૨૦૦૮ સુધી શાળામાં પૂરા સમયની નોકરી કરી. હાલ શાળામાં પાર્ટટાઈમ કાર્યરત છે.આમ એમણે જીવનમાં સતત કાર્યરત રહી મહિલાઓ માટે એક અનુકરણિય ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

આ બધા વર્ષ દરમ્યાન એમનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જળવાઇ રહેલો. હ્યુસ્ટનમાં આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતામાં સક્રીય થયા અને પછી એમની લેખનપ્રવૃત્તિ વેગવંત બની. એમણે ગુર્જરી, ગુજરાત દર્પણ, ફીલીંગ્સ, ઓપિનીયન, કુમાર વગેરે સામયિકો અને ટહુકો,અક્ષરનાદ, લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા જાણીતા બ્લોગ્સમાં પોતાના ગીત અને ગઝલ મૂકવાના શરૂ કર્યા. એમની રચનાઓ ડલાસના રેડિયો આઝાદ, લંડનના સંસ્કાર રેડિયો અને અન્ય લોકલ રેડિયો સ્ટેશનો ઉપર પ્રસારિત થવા લાગ્યા. યુ ટ્યુબમાં પણ એમની અનેક રચનાઓ જોવા મળે છે. એમના પોતાના બ્લોગની લીંક છેઃwww.devikadhruva.wordpress.com

એમના ગીત, ગઝલ અને કાવ્યોના બે પુસ્તકો, શબ્દોને પાલવડે અને અક્ષરને અજવાળે પ્રસિધ્ધ થઈ ચૂકયા છે.

એમની એક રચનામાં દેવિકાબહેન યમરાજને કહે છે, “તું ગમે ત્યારે આવજે,તારી સાથે ચાલી નીકળવાની કોઈ આનાકાની નહિ કરૂં, માત્ર એક જ વિનંતી છે કે યાદગાર રીતે આવજે, ભવ્યતાથી આવજે, સૌને ગમે એવી રીતે આવજે અને હા, થોડી આગાહી આપજે જેથી હું સજી ધજીને તૈયાર રહું, અને જેમ જન્મનું સન્માન થાય છે તેમ તારૂં પણ સન્માન થાય.”

બીજી એક અનોખી સિધ્ધિ તે ‘શબ્દારંભે અક્ષર એક’નો તેમનો નવીન પ્રયોગ જેમાં ‘ક’થી ‘જ્ઞ’ સુધીના તમામ અક્ષરો પર જુદી જુદી ગૂંથણી કરી છે. દા.ત.
“કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરાં કસબી કંકણ…”
“પહેરી પાયલ પનઘટ પર,પનિહારી પલકે પાંપણ પલપલ..”
“મેવાડની મીરાંને માધવની મમતા,માધવને મથુરાના માખણની મમતા.”વગેરે..
ગદ્યમાં પણ તેમને સારી ફાવટ છે.

દેવિકાબહેનની રચનાઓમાં આનંદ-ઉલાસ છે, ભક્તિ છે, જીવનની સચ્ચાઇઓ છે, કુદરત છે અને સુફી તત્વજ્ઞાન પણ છે. મિત્રો, ગુગલની મદદ લઈ એમની રચનાઓ જરૂર માણજો.

 

-પી, કે, દાવડા

 

વરિષ્ઠ નાગરિકનું સુખ એટલે દુઃખની બાદબાકી- તરુલતા મહેતા

‘ સુખ અને દુઃખનો  સંવાદ’

એક સિક્કાની બે બાજુ જેવા જીગરજાન ગોઠિયા વાદે ચઢ્યા છે,બન્યું એવું કે   ચિદાનંદ  નોકરીમાંથી રીટાયર થયા,સિનયર સીટીઝન બે વર્ષ પહેલાં થયા હતા પણ હવે એમણે ઘરમાં સૌને ઓર્ડર આપી દીધો ,’સાંભળી લો,આજથી મારે બસ નિરાંત આરામ અને સુખ છે.ના મારે સમયની તાણાતાણી છે કે પેસાની હાયવોય છે.હા મેં રીટાયર જીવનની સગવડ કરી લીધી છે.’જેવું વાવીએ તેવું લણીએ ‘ આખી જીદગી મહેનત કરી,બે સંતાનો સેટ થઈ ગયા,હવે સુખનો ફાલ માણવાનો,એમના ગોઠિયા નિત્યાનંદ કહે ‘આજે તો તમે  વરિષ્ઠ નાગરિકના બાદશાહી સુખના મૂડમાં છો.પણ ભલા અંધકારને દૂર કરીએ ત્યારે આપોઆપ પ્રકાશ પથરાય તેમ

દુઃખોની બાદબાકી કરીએ ત્યારે સુખ વધે.

ચિદાનંદ કહે ,’તમને કઈક તો અવળું કહેવુ જ પડે ,હું લેઝી ચેરમાં ઝૂ લતા ઝૂલતા સુખમાં મસ્ત રહેવાનો ‘

નિત્યાનંદ ,’આધિ ,વ્યાધિ ઉપાધિમાથી મનને દૂર ખસેડશો ત્યારે સુખ મળશે, સુખ એટલે ખસું ,સંસારથી ખસું ,મારા તારાથી ખસું ,દ્વેષ ,ઈર્ષાથી ખસું ,તમારા નામ પ્રમાણે

ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ‘

ચિદાનંદ કહે ,મારે સન્યાસી નથી થવું ,જો મારા સુખ ગણાવું ,પહેલું સુખ તે જાતે નર્યા ,બીજું સુખ તે કોઠીએ જાર ,ત્રીજું સુખ તે ધેર દીકરા ,ચોથું સુખ તે સુલક્ષણી નાર,

નિત્યાનંદ કહે ,’બઘા સુખને પોટલી બાધીને સેઈફમાં મુકાતા નથી ,એ તો ચંચલ છે,’

ચિદાનંદ કહે ,’આખી જિદગી સપના જોયા સિનયર થઈ ને સુખી થઈશ,હવે તમે કહો છો સુખ ચંચલ છે.તમે રસ્તો બતાવો શું કરવાનું ?’

નિત્યાનંદ ,’વરિષ્ઠ નાગરિકે સુખ તરફના  પ્રયાણમાર્ગે માયા મમતાના કંટકો દુર કરવાના છે,પોતાની દ્ષ્ટિ છોડી બીજાની નજરે જગતને જોવાથી દુખો ઓછા થઈ જાય છે.’

ચિદાનંદ ,’આતો તમે ગૂગલના ચશ્માંએ જોવા જેવી અજાયબ વાત કરી ,હવે  આ લેઝી ચેરમાં ના  બેસી રહેવાય ,મારે કોઈની અપેક્ષા રાખ્યા વગર ,સૌ પ્રત્યે હમદર્દી

રાખીને ,માયાના બોજને હળવો કરીને સુખના માર્ગે મહાપ્રયાણ એ જ કલ્યાણ  .’

સૌ વરિષ્ઠ નાગરિકોને જીવનના સોનેરી અવસરની શુભેછા।

તરુલતા મહેતા 22મી ઓગસ્ટ 2014

અરર..(9) ડૉ. ઇન્દુબહેન શાહ

Picture1અરર..

વાડામાં મુંઝાયેલ સાપ બીચારો નીકળ્યો બાર

સરરર ફૂંકાતા પવનની માણવા લહેર

     રમતા બાળ ગોપાળ દોડ્યા ગભરાઇ

     અરર બાપરે સાપ,ભાગો ભાગ્યા સૌ સૌના ઘેર”

અરર..ખરે બપોરે તું કંઇથી નીકળ્યો! અલ્યા

ભીખલા સાણસો લાવ પકડી  ફેંકું રોયાને દૂર વગડામાં

અરર …આ ફ્ક્ત ત્રણ અક્ષરનો શબ્દ, જ્યારે મુખમાંથી સરે ત્યારે કેટલા વિવિધ ભાવ દર્શાવે છે. ભય, દુઃખ, વિશ્મય, આશ્ચર્ય, વગેરે..આ ચાર પંક્તિ બાળકોના માનસ પર ઊભરાયેલ ભયની લાગણી વ્યક્ત કરે છે. જયારે પાછલી બે પંક્તિમાં આ જગ્યાએ કોઇ વડીલ દાદા હોત તો શું બોલત?…આમાં દાદાનું આશ્ચર્ય વ્યકત થાઇ છે.(મોટા ભાગે સાપ સંધ્યા સમયે કે રાત્રે જ બાહર નીકળે છે.).

***********************************************************

મેક્ષીકોની અંધારી કેડીએ ચાલતા

ઉદગાર મુખેથી સર્યા

અરર આ શું પગે અથડાયું?

પગમાં શું વિંટળાઇ ગયું?

અરર બચાવો સાપ વિંટળાયો પગે

જલ્દી ટોર્ચ લાઇટ લાવોને સામે

ધરો હટાવો દુષ્ટ ઝેરી નાગને,

હે નાગ દેવતા નાગ પંચમી આજે

છોડ મને, હું વ્રત રાખીશ વચન દૌ તને

પૂજન કરી ધરાવીશ કુલેર દુધ તને

સેંકડૉ વંદન નાગ પંચમીને દિને

ૐ નમઃ શિવાય ૐ નમઃશિવાય

બચાવ ભોળાનાથ મને

ભૂલ થઇ  અંધારામાં પગ અડ્યો

મારો નાગ દેવતાને,બોલાવ એને

પાછો, તું દયાળુ ભોળાનાથ મારો.

ત્યાં તો થયો ઝબકારો વિજળીનો

જોઉ દોરડું વિંટળાયેલ પગે

પહોળી આંખો, મુખ  ઉદગાર કરે

અરર આ તો  ઠાલો ભ્રમ હતો…

મેક્ષીકોમાં મેં જોયેલ અનુભવની વાત ..અમો સાત આઠ  જણના ગ્રુપમાં રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ, શૉર્ટકટ લઇ હોટેલ તરફ જઇ રહ્યા હતા, ત્યાં અમારા મિત્રના બાના પગે અંધારામાં કંઇ અથડાયું , બા  પ્રોઢ અવસ્થાએ પહોંચેલ,શ્રધાળુ, શ્રાવણ મહિનામાં બહારગામ જવું પસંદ ના કરે. પરંતુ દીકરા વહુને બાને એકલા ઘેર નહોતા રાખવા તેથી પરાણે કચવાતા મને બા આવેલ.પગમાં કશુક અથડાતા ખરેખરા ગભરાઇ ગયા, અને જે બોલ્યા તે હું પદ્યમાં રજુ ​કર્યું છે.અહીં પહેલા પ્રશ્નાર્થ, આશ્ચર્ય, ભય અને છેલ્લા અરરમાં હર્ષની  લાગણી,વ્યક્ત થતી જણાય છે.મને ઉપનિષદમાં અપાતા રસ્સી સાપના ઉદાહરણ યાદ આવી ગયા. વિજળીના પ્રકાશમાં, દોરડું દેખાયું જે સાપનું અધિષ્ઠાન હતું, તેમ જ્ઞાનરૂપી પ્રકાશ અંતકરણના અંધકારને દૂર કરી, બ્રહ્મન,સૃષ્ટિના અધિષ્ઠાનનું જ્ઞાન કરાવે છે.

*******************************************

બીજો એક પ્રસંગ. અમારા મિત્રને ત્યાં બર્થ ડૅ પાર્ટીમાં બન્યો, પાર્ટી પત્યા બાદ, દિવાન ખંડ અને હોલવેમાં  બે ચાર બાળકો દોડા દોડી કરતા હતા, તેમાં મારા મિત્રની દીકરી ડોલી કોફી ટૅબલ સાથે અઠડાઇ પડી. કપાળમાંથી લોહી ટપકવા લાગ્યું ,તેની મમ્મી સીમા  દોડતી આવી અરર મારી બેબી પડી ગઇ ૯૧૧માં ટેલિફોન કરો જલ્દી ઈ.આરમાં લઇ જાવ.બેબીના પપ્પાએ બેબીને ખોળામાં લીધી, મારા પતિએ તેમનો હાથ રૂમાલ ઘા પર બાંધ્યો  મે આઇસ પેક ફ્રીઝરમાંથી કાઢી તેના પપ્પા સુરેશભાઇને ઘા પર દબાવી રાખવા કહ્યું ,જારમાંથી લોલી પોપ કાઢી બેબીને આપી. લોલીપોપ જોતા જ ડોલીનું રડવાનું બંધ થયું.આરામથી ડૅડીના ખોળામાં બેસી લોલી પોપ ચૂસવા લાગી.પરંતુ તેની મમ્મીનું રડવાનું બંધ ના થયું, “અરર કપાળ વચ્ચો વચ્ચ કેવડો મોટો ઘા થયો,ઇન્દુબેન કહોને કેટલા ટાંકા આવશે?”મેં તેમને શાંત પાડ્યા જો સીમા ઇ.આરમાં ડૉ. તને બધુ સમજાવશે,તું અત્યારે આ બધી ચિંતા ના કર.” અને  અમે બન્ને ડોલીના મમ્મી ડૅડી સાથે મેથોડિસ્ટ હોસ્પિટલ ગયા, બેબીના બીજા સગા વહાલાને બીજી ગાડીમાં આવવા જણાવ્યું. રસ્તામાં પણ સીમાનું રડવાનું અને પ્રશ્ન ચાલુ જ, અરર કેટલું બધું લોહી નીકળ્યું મારી બેબી ટાંકાની સોય કેમ કરી સહન કરશે,રમેશભાઇ આપણને બેસાડી તો નહીં રાખેને ?”જો સીમા પિડ્યાટ્રિક દર્દીને બેસાડી ના રાખે તુરતજ લઇ લેશે તું ચિંતા નહીં કર”.

અમોને ઈ.આર.ના ડૉર પર ઉતારી સુરેશભાઇ ગાડી પાર્ક કરવા ગયા.પિડયાટ્રિક હેડ ઈન્જરી કેસ હોવાથી તુરતજ ડૉલીને એક્ષામ રૂમમાં લઇ ગયા, નર્સે હિસ્ટ્રી વાયટલ વગેરે પ્રાથમિક વિધિ પૂરી કરી. ઈ.આર ડૉ.આવ્યા ઘા ખોલી તપાસ્યો નર્સે ડૉલીને ડૉ.ના કહેવાથી બીજી લોલી પોપ આપી જે પેન કીલર હતી. તપાસ બાદ રમેશ આવ્યા. રૂમમાં બેથી વધારે ના જઇ શકે તેથી હું અને સીમા વેટીંગ રૂમમાં હતા, રમેશને જોતાજ સીમા ઊભી થઇ રમેશભાઇ શું થયું? કેટલા ટાંકા આવશે? “સીમાબેન ચિંતા કરવા જેવું નથી, ઘા ખાસ ઊંડો નથી,આઠથી નવ ટાંકા આવશે. સાંભળી સીમાને અરેરાટી થઇ ,”અરરર એટલા બધા. રૂઝ કેટલા વખતે આવશે? સ્કાર રહેશે”? “સીમાબેન સ્કાર તો રેશે પરંતુ મોટી થતા દેખાશે નહીં અને જો દેખાય તો કોસ્મેટૉલોજીસ્ટ પાસે લેઝર ટ્રિટમેન્ટ કરાવાય. હવે નવી ટેકનોલોજીથી બધુજ શક્ય છે એટલે તમે ચિંતા છોડૉ અને તમે બે અંદરજાવ ડોલીને મળી આવો.

અમે બન્ને અંદર ગયા ડોલીને દુઃખાવાની દવા આપેલ એટલે એતો ઘસઘસાટ ઊંઘતી હતી. નિર્દોષ બાળાને પોતાના ચહેરાની કોઇ ચિંતા નથી. ટાંકા લેવાય ગયા, રમેશે સુરેશભાઇને ઘેર  ફોન કરી જણાવી દીધું કોઇએ હોસ્પિટલ આવવાની જરૂર નથી. ડોલીને ટાંકા લેવાય ગયા છે. ઘા ઊંડો નહતો ,સાંજે રજા મળી જશે.સાંજે કપાળની વચ્ચો વચ્ચ ડ્રેસીંગ પહેરેલ ડોલી ઘેર આવી. ડોલીની દાદીમા ડોલીને જોતાજ બોલ્યા અરરર મારી રૂપાળી, નમણી દીકરીને કોની નજર લાગી ? કપાળ વચ્ચોવચ્ચ ચમકતી બીંદી શોભે ત્યાં મોટો ઘા પડ્યો. મેં બાને સમજાવ્યા બા રૂઝ આવી જાય પછી તમે જોજો તમારી ડોલીનો ચેહરો એવોજ રૂપાળો લાગશે. તમે દાકતર તો એમ જ આશ્વાસન આપો બાકી ભગવાને જે રૂપ આપ્યું તે તમે ન આપી શકો.

 આ પ્રસંગમાં અરરર શબ્દ ભય, ચિંતા, દુઃખ વગેરે લાગણી દર્ષાવે છે. 

ડૉ. ઇન્દુબહેન શાહ