શ્રી કૃષ્ણાવતાર

શ્રી કૃષ્ણ

દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર

અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર.

કંસરૂપી’ હણ્યો દાનવ-માનવનો ‘અહંકાર’

માનવ જગમાં થયો કૃષ્ણનો જય જયકાર

.

મિત્રો 

દાવડા સાહેબની કવિતા માણી  અને કલ્પના બેનની કવિતામાં  અનુભૂતિનો અહેસાસ માણ્યા  પછી પદ્મા માસીની આ કવિતા માણો એ પહેલા  દીપક કાશીપુરિયા  ની વાત સમજી લઈએ કે અવતાર એટલે શું? …દર વર્ષે કૃષ્ણ જન્મ ઉજવીએ તો છીએ પરંતુ ગીતાનો ચોથો અધ્યાય ને સમજી લેશું તો પ્રભુ ના દર્શન જરૂર થશે 

ગીતાના ચોથા  અધ્યાયમાં ૪૨ શ્લોક છે. તેમાં ૪૧ શ્લોકો માત્ર ‘ભગવાનુંવાચ’ ના છે.

જ્યારે માત્ર ૧  શ્લોક જ ‘અર્જુન ઉવાચ’ નો છે. અર્જુને આ એક જ પ્રશ્નમાં ‘અવતાર’ વિશે જિજ્ઞાસા  વ્યક્ત કરી છે.
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને અવતાર વિશે જણાવતાં કહે છે: ‘અલૌકિક તત્વ  જગતમાં આવીને પોતાની તેજસ્વિતાથી, પોતાની શક્તિથી, પોતાની સત્તાથી,  વાણી-વર્તન-વ્યવહારથી તથા સદાચારથી મનુષ્યોને માર્ગદર્શન આપે છે એને ‘અવતાર’  કહેવાય.’
‘અવતાર’ શબ્દ ‘અવરોહણ’ પરથી બન્યો છે. અવરોહણ એટલે ઉપરથી અને અવતરણ એટલે  નીચે. ઉપરથી નીચે એટલે અવરોહણ-અવતાર
-શ્રીકૃષ્ણ ભગવાન અવતારી પરમાત્મા છે.
તેઓ બ્રહ્નાંડમાંથી-પૃથ્વી પર ઉપરથી-નીચે  આવ્યા-અવતર્યા એટલે અવતાર ધારણ કર્યો.
ભગવાન કહે છે: ‘જોકે હું આ જન્મ છું અને મારો  દિવ્ય દેહ કદી નાશ પામતો નથી.
હું સર્વ જીવોનો સ્વામી છું છતાં દરેક યુગમાં મારા  દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું.
’અવતાર વિશે આટલું જાણીએ તો પણ પર્યાપ્ત છે.

શ્રી કૃષ્ણ

દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર

અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર

કાળ યવન અને જરાસંઘના યુધ્ધમાં થયો  મહાસંહાર

શ્રી કૃષ્ણએ કરી અદ્ધવીતિય દ્વારિકાપૂરી સમુદ્રમાં તૈયાર

દ્વારકાધીશ કહેવાયા પ્રભુજી, ભોમાસુરનો કર્યો સંહાર

કૌરવ પાંડવનુ મહા  યુદ્ધ નિવારવા બન્યા વિષ્ટિકાર

મિત્ર સખા અર્જુનને કહી સંભળાવ્યો સપૂર્ણ ગીતાસાર

નિષ્કામ કર્મ કરે જા તું  સખા, કોઈ ફળની આશ વગર

ના માન્યો ક્રોધી  દુર્યોધન યુધ્ધમાં થયો મોટો સંહાર

પાંડવ યુદ્ધ જીત્યા, પણ સંતાન ગુમાવ્યાનું દુઃખ અપાર

દ્રૌપદીના સંતાનના શિષ વાઢનારનુ શીર લાવીશ નિર્ધાર

ક્ષમા દીધી ગુરૂપુત્ર અશ્વત્થામાને, મણી લઇ લીધો સત્વર

પદ્માબેન કનુભાઈ શાહ

સરનામુ

મિત્રો
દાવડા સાહેબ કહે છે ભગવાન શું કામ જન્મ લે તો કલ્પનાબેન પણ સરખો જ સવાલ કરે છે કે પ્રભુ દરવર્ષે તો જન્મ લે છે તો તું છે ક્યા। .?
હું નાની હતી ત્યારે એક ભજન ખુબ ગાતી  હતી। ….
શોધું છું ભગવાન પ્રભુજી શોધું છું  ભગવાન
મારે નથી ધરવું ધ્યાન પ્રભુજી શોધું છું  ભગવાન 
આગળની પંક્તિ ખુબ સરસ છે 
પથ્થર ના મદિર બનાવ્યા 
પથ્થર ના ભગવાન 
બન્યા પુજારી પથ્થર  દિલના 
માટે જડ્યા કદી ન ભગવાન 
કૃષ્ણાવતારને પૂર્ણાવતાર કહે છે, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે.
કારણ કે જન્મથી માંડીને દેહનો ત્યાગ કરતાં સુધી એમના જીવનમાં જે દિવ્યતા પ્રકાશી ઊઠી છે,
જે પ્રભુત્વ પ્રગટ થયું છે તે બીજા કોઈ માનવ-અવતારમાં થયું નથી 
આજ સુધીમાં ભગવાનના જે કોઈ અવતારો થયા છે તેમાં ભગવાન કૃષ્ણનો જન્મ અપૂર્વ છે
 એમના જન્મથી લઈને એમના દેહત્યાગ સુધી, એમના નિર્વાણ સુધી, એક એક પગલે આપણને જીવન જીવવાનો ભવ્ય સંદેશો મળ્યો છે.

મિત્રો  તો એ મારો ભજન નો સવાલ હોય,
કે દાવડા સાહેબની ફરિયાદ ,
કે કલ્પના બેનની મુજવણ
એ બધાનો જવાબ કલ્પના બેનની કવિતામાં એક  પંક્તિમાં આવી જાય છે કે
પ્રભુ તું અંદર અને હું શોધુ બહાર !
તો મિત્રો માણો આ કવિતા
અને” બોલો હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી” 

સરનામુ

મને જોઇએ તારું સરનામુ,

આજુ-બાજુ, અંદર-બહાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

સાગર જળમાં ઉંડે ઉંડે,

ક્ષિતિજની પણ પેલે પાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ,

ધરા, કંદરા, ડુંગર ઉપર,

શોધુ સર્વ જગતમાં તુજને . . .

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશે,

મુજમાં, સર્વ જનોના હૈયે,

શોધુ ચારેબાજુ  તુજને . . .

આકાશવાણીથી જાણ્યું મેં,

શ્રાવણ વદ આઠમની મધરાતે,

વાસુદેવ-દેવકીથી જન્મીને,

તુ નંદ-યશોદા ઘેર પહોચે છે,

એ છે, તારું સરનામુ . . .

કાનુડા, એ છે, તારું સરનામુ.

હું પણ કેવી ગાંડી ઘેલી !

કસ્તુરી મૃગલાની જેમ,

તું અંદર અને હું શોધુ બહાર !

મને મળી ગયું તારું સરનામું.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી . . .

હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી . . .

કલ્પના રઘુ

“નથીજન્મલેવો”- -પી. કે. દાવડા

 મિત્રો 
જન્માષ્ટમી આવે એટલે કૃષ્ણ જન્મ ની વાત આવે જ આપણે દરવર્ષે કૃષ્ણ જન્મ ઉજવી પ્રભુ ની વધામણી આપીએ। . તો સવાલ અહી એ છે કે 
 સામાન્ય માણસનો જન્મ, ભગવાનનો અવતાર એ બેમાં શું ફેર છે ? મનુષ્યનો જન્મ કહેવાય, ભગવાનનો અવતાર કહેવાય. અવતાર એટલે અવતૃ – નીચે આવતું તે. ઊંચા ક્ષેત્રમાંથી નીચે અવતરવું, તેને અવતાર કહે છે.ભગવાન કૃષ્ણના જન્મમાં અને સામાન્ય મનુષ્યમાં ભેદ એ છે કે મનુષ્ય કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન સ્વેચ્છાથી, લોકોના કલ્યાણને માટે, જ્યારે આ પૃથ્વીમાં ઋતનો ભંગ થાય છે, વિશ્વનિયમનો ભંગ થાય છે, અનાચાર વધી જાય છે, અસુરો પ્રબળ બને છે ત્યારે એ પરમાત્મશક્તિ ઋતની સ્થાપના માટે, સત્યના ઉત્કર્ષ માટે અવતાર ધારણ કરે છે. ભગવાને પોતે જ ગીતામાં કહ્યું છે.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત | અભ્યુત્થાનધર્મસ્ય તદાડડત્માનં સૃજામ્યહમ ||
‘જ્યારે જ્યારે , અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું સ્વેચ્છાથી અવતાર ધારણ કરું છું.’..
અશ્રદ્ધાના યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે..પરંતુ આપણા દાવડા સાહેબ તો કૈક જુદી જ  વાત કહે છે  ….આમ જોવા જઈએ તો એમની વાત સાચી પણ છે, કૃષ્ણ  દર જન્માષ્ટમીએ જન્મે તો છે પણ કાનુડો દેખાતો નથી ..

વચન આપ્યા છતાં કૃષ્ણ શા માટે જન્મ લેતા નથી?
 

“નથીજન્મલેવો”

(ઢાળઃપુરીએકઅંધેરીનેગંડુરાજા)

 

કહે   કૃષ્ણ   મારે  નથીજન્મલેવો,

નથીઆજગીતાતણોપાઠકહેવો.

હવે   ચોરવા   માખણ ક્યાંવધ્યુંછે

ઈજારોબધોઅમૂલને દઈદીધોછે

હવે   ગોપીઓને   બંસી  જગાવે,

હવે  સેલ  ફોનો  તણાં   સાદઆવે.

હવે  ગોપીઓ   રોજ   કોલેજ   જાતી,

નવાકાશોધી   નવાગીતગાતી.

હવે     ચૂંટણીમા   લડે   કંસ   જાજા,

લડે  ચૂંટણીઓ  મૂકી   સર્વ   માજા.

હવે     પાંડવો   કૌરવો   એક   ખૂંટે,

લડે   ચૂંટણી  ને  પછી  રાજ  લૂંટે.

કહો આજ  મારૂં  અહીં  કામશુંછે?

કયાં ધર્મરાજા? અર્જુનક્યાંછે?

              –પી. કે. દાવડા

 

મિત્રો આવીજ બીજી સરસ મજાની કવિતા કાલે કૃષ્ણ જન્મની, કલ્પના બેનની કવિતા જરૂર વાંચજો 


 

 
 

.

સૌના માનવંતા પ્રવિણભાઈ-શબ્દની તાકાત

શબ્દની તાકાત 


શબ્દની તાકાત બહુ મોટી હોય છે. ક્યારેક એક નાનકડા અમથા શબ્દમાં અનેક અર્થ સમાયેલા હોય છે. 

દરેકનો પોતાની વાત મૂકવાનો અનોખો અંદાજ હોય છે.તમને કોઈ કહે કે કોઈ વ્યક્તિ માટે બોલો તો વિચાર કરવો પડે,

કદાચ બોલી પણ નાખો પણ કોઈ કહે કવિતા લાખો તો કદાચ કલમ જ ના ઉપાડો ………..

પ્રવીણકાકા  શબ્દની અને તાકાત હતા પત્રકારની કલમ સમાજનું પ્રતિબિંબ દેખાડે છે.  

કવિતામાં રહેલી શબ્દની શક્તિ અને કવિતાની તાકાતનો આ પણ છે એક મજબૂત દાખલો!

 

 

સૌના  માનવંતા પ્રવિણભાઈ


મા સરસ્વતીના પનોતા પુત્ર પ્રવિણભાઈ ચિર નિંદ્રામાપોઢ્યા

આજ રક્ષાબંધન દિને રાખડી જોતાં જ બેનનું હૈયુ ઘણુ વિલાય

નિખાલસતા,   નિઃસ્પૃહતા નમ્રતા  જેની  રગે રગમાં  વ્યાપ્યા

પ્રવિણભાઈ સાદગી અને સરળતામાં  વૈષ્ણવ જન હતા ન્યારા


બાળપણ ઘડાયુ હતુ  જેમનુ, કુટુમ્બ પ્રેમ અને કાર્ય દક્ષતામાં

નરસિંહ અને ગાંધીના ગુણ વણાયા હતા તેમના રોમે રોમમાં

ભલાઈના સ્વભાવને શત શત મિત્રો ને સ્વજનના છે  વંદન

સ્મૃતિ પટ પર રહેશે સૌ જનને  એ વ્યક્તિત્વના ચિર સ્મરણ

પદ્માબેન કનુભાઈ શાહ

 

 

પ્રેમ

મિત્રો આજે ફરી પ્રેમ વિષે આપણે  વિચારશું પ્રેમ ની વ્યાખ્યા શું છે એના કરતા શું નથી વધારે કદાચ સ્પસ્ટતા આપશે  ….  પ્રેમ નફરત નથી ,પ્રેમ બદલો નથી,  તિરસ્કાર વૃતિ નથી ,માંગણી નથી ,અપેક્ષા નથી ,વાસના નથી ,સંકુચિત નથી ,ઉપેક્ષા નથી ,જૈન ધર્મ અને બુદ્ધ ધર્મમાં કહ્યું છે પ્રેમ નફરત હિંસા કે રૂક્ષ  નથી,બંધન છે ત્યાં પ્રેમ નબળો પડી જાય છે ,સરળાથી ગુસ્સે થતો પ્રેમ નથી ,ભૂલોનો હિસાબ પ્રેમ રાખતો નથી….પ્રેમ મતભેદ ને પોસ્તો નથી…બડાસ મારતો નથી ને મેં કર્યાનું અભિમાન પણ પ્રેમ કરતો નથી જ્યાં અવિશ્વાસ છે ત્યાં પ્રેમ નથી…ને માટે જ પ્રેમ અનાદર કરતો નથી…………………………….હા જયાં સરળતા ,અને સહજતા છે  અને દીવ્યપ્રેમમાં તો આસક્તિ પણ નથી….મિત્રો આવા પ્રેમની વાત કુંતાબેન ની કલમે માણીએ
પ્રેમ
 
પ્રેમ શું છે એ સમજવા દીલ ઉદાર જોઇએ
જન્મથીએ પહેલાં, વિષ્વ્ના ખોળેથી નીસરીએ.
 
કોખની હૂંફમાંથી માતાની મમતા જાણી લઇએ,
ને જન્મે –  માતપિતા, બન્ધુ સ્વ્જનનાં સ્વિકાર માણી લઇએ.
 
માર્ગે મળેલા સુહ્રુદ સખાની મઝા વીણી લઇએ,
અને કોઇ પર વારી ગયું જો દીલ, સમર્પણ સોહં કરી દઇએ.

મન માંકડું, ભટકે કદી તો માફ કરી દઇએ,
સન્માન સહુનું એમાં જ રહે, જો મીણને ઓગાળી દઇએ.
 
પાછા જવાનું જ છે – ડાઘ સહુ ધોઇને જઇએ,
ક્ષમા પ્રેમનું મ્રુગજળ, સહુને દેખાડીને જઇએ.
kunta shah

પરિવર્તન-

પરિવર્તન

મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરથી શાળા સુધીના રસ્તામા ચાટની રેંકડી

જલેબીની દુકાન,બરફનાગોલાવાળો

બધું  ખુલ્લું હતુંહવે ત્યાં મોબાઈલની દુકાનવિડિયો પાર્લરબેંક અને .ટી.એમબુથ છે

બધું બંધ બારણે છે.કેવું સુનુ સુનુ લાગે છે?….

 

જ્યારે હું નાનો હતો ત્યારે સાંજ બહુ લાંબી હતીકલાકો સુધી રમતોથાકી ને લોથપોથ થઈ ઘરે જતો.

 હવે સાંજ હોતી  નથી.કોમ્પ્યુટર અને ટી.વીસાથે દિવસ ઢળે છે અને રાત થઈ જાય છે

કદાચ સમય સંકોચાઈ રહ્યો છે…..

 

જ્યારે હું નાનો હતો ત્યારે દોસ્તી બહુ ગહેરી હતીસાથે મળીને ગપ્પા મારતા

એક બીજાને ઘરે નાસ્તા કરતાએક બીજાનુંસુખદુખ વાંટતા

આજે સામા મળિએ તો ચાલવાનું રોક્યા વગર “હાય!” કહીએ છીએ,

sms મોકલીએ છીએ અને તહેવારોમાશુભેચ્છાના ફોન કરીએ છીએ.

 પડોસીને પણ માત્ર લીફ્ટમાં  મળીએ છીએ.

 

આજે પણ મારા ઘણા મિત્રો છે

કેટલાક ભારતમા તો કેટલાક અમેરિકામા છે તો કેટલાક યુરોપમા છે

રોજ મેલથી મળીએછીએસારી સારી વાતો કરીએ છીએ.  

એકબીજા પર સારી છાપ પાડવાનો સતત પ્રયત્ન કરીએ છીએ

ક્યારેય ઝગડતા નથી.  ખબર નથી કે ઝગડા વગરની દોસ્તીને દોસ્તી કહેવાય કે નહિં?

 

લોકો કહે છે દુનિયા નાની થઈ ગઈ છે.

 આજે યુરોપ અમેરિકાના મિત્રો સાથે સહેલાઈથી અને સસ્તામા વાત થઈ શકે છે

યુરોપ  અમેરિકા સહેલાઈથી જઈ શકાય છે.

 ખબર નથી દુનિયા નાની થઈ છે કે મન નાના થયા છે.

 

પરિવર્તનનું પરિણામ શું આવ્યુંહાઈ બ્લડ પ્રેસરડાયાબિટીસ અને ડીપ્રેશન.

પી.કે.દાવડા

જિંદગી સતત બદલાતી રહે છે
 

“પરિવર્તન સંસારનો નિયમ છે”અને એક કડવી વાસ્તવિકતા પણ … એ આપણે બધા જાણીએ છીએ તે છતાં પરિવર્તનો જ્યારે આવે છે ત્યારે તેના તરફનો હરકોઇનો પ્રતિભાવ અલગ અલગ હોય છે, અને એમ થવા કે એમ કરવા પાછળનાં દરેકનાં પોતાનાં આગવાં કારણો હોય છે,પરિવર્તન નો સ્વીકાર સરળતા જરૂર લાવે છે પરંતુ સહજતા ન હોવાથી પરિણામ દેખાય છે ત્યારે એ માત્ર પરિવર્તન સ્વીકારનો પ્રયત્ન જ છે.હું નાનો હતો। ..ત્યારે આમ અને હવે તો આમ ..શું કહે છે પરિવર્તને સ્વીકારવાનો પ્રયત્ન ,સ્વીકાર નથી માટે સહજતા નથી…..

.પરિવર્તનના સ્વીકારથી જીવન સરળ બને છે એમ માનતા અને મનાવતા આપણે સૌ સામાજિક પરિવર્તનોને જ્યારે ન સ્વીકારી શકીએ ત્યારે તેનાથી અલિપ્ત થવા પ્રયત્ન કરીએ છીએ… દરેક વ્યક્તિ અલગ હોય છે ઘણા પરિવર્તનને સૂંઘી લે છે તો ,ઘણાતત્કાળ પગલાં લે છે .તો કોઈ તો પરિવર્તન સ્વીકારવા તૈયાર જ નથી જે સદાય વિરોધ પક્ષમાં છે એને એમને પરિવર્તન થી નુકશાન જ થશે એવો ડર છે અને નુકશાન જ દેખાય છે

.જિંદગી સતત બદલાતી રહે છે …
કેટલીક વાર એ આપણા પોતાના ઈચ્છિત પરિવર્તન હોય છે ક્યારેક અનિચ્છીત હોય છે

…ક્યારેક એ અચાનક થાય છે અને ક્યારેક ખુબ જ મોડા।…પરિબળો ઘણા છે અને એ પરિવર્તનને સ્વીકારતી વખતે આપણે કેવા મૂડમાં હોઈએ છીએ એનો સ્વીકાર એના પર અવલંબિત હોય છે… 

તેમ છતાં ઘણીવાર જેઓ પરિવર્તન સાથે બદલાઇ જવાનું અને તે મુજબ જાતને ઢાળી શકતા હોય તેમના કરતા એવું નહિ કરી શકનારાઓ કરતાંવધુ સારી સ્થિતિમાં જોવા મળતા હોય। પસંદગી તો આપની જ છે,ઘણા ને પરિવર્તનો પ્રવાહ ડરાવતો નથી ત્યારે પ્રવાહ એને અનુકુળ વહે છે। ..જે મોટા મોટા પરીવર્ત ખુદ લાવે છે  …ચાલો ત્યારે આખી  વાતને  યશવંત ઠક્કરની   બે પંક્તિમાં માણીએ….

અહીં…

વાંકીચૂકી પગદંડી ને ત્યાં

 નેશનલ હાઇવે નંબર આઠ 

બનેના પોતપોતાના  નોખા નોખા  ઠાઠ 

સંકલન -Pragnaji  

 

મારા વીરાને

 આજના શુભ દિવસે એક કવિની બે પંક્તિઓ યાદ આવે છે

પવિત્ર સંબંધના પ્રતિક સમો રક્ષાબંધન તહેવાર

“ચોતરફ રંગો ઉમંગો થી ભર્યું વાતાવરણ

લાગણી બસ લાગણી છે કયાં  છે કોઈ આવરણ ..?”

 કોઈ પણ જાતના આવરણ વગરનો ભાઈ બેનનો નિર્મળ પ્રેમ

 મને યાદ છે, ભાઈ  તારી સાથે રમવું ઝગડવું અને રિસાઈ જવું પછી તું મનાવે તો માની જવું ,અને તેમ છતાં બધામાં નર્યો પ્રેમ જ નીતરતો હોય..

ભાઈ બેન એટલે સંવેદના સંવેદના અને  લાગણી.પછી એક નાનો  બાળ હોય કે કૃષ્ણ ભગવાન .આ એક જ બંધન એવું છે જે દરેક ઈચ્છે .આપણા સૌની સંવેદનાઓ કલ્પનાબેને નીચેના કાવ્યમાં   વ્યક્ત કરી  છે તો મિત્રો એને માણો

  આવા શુભ અવસરે ,આજે બધી બહેનોના  ભાઇઓ અને ભાઇઓની  બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! .

મારા ભાઈઓ ને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

મારા વીરાને

હું તો બાંધુ હેતથી રાખી, મારા વીરાને . . .

રંગીન સપનાનો શહજાદો મારો ભઇલો,

તેના સપના કરે સાકાર, મારો શામળીયો. મારા વીરાને . . .

પ્રીતના રંગે રંગાયેલી રાખી,

પ્રેમ નીતરતી બાંધી રાખી,

જેનો ભાઇએ કર્યો સ્વીકાર. મારા વીરાને . . .

સેલુ ફાડીને કાનાને બાંધ્યો ને,

દ્રૌપદીનાં પૂર્યા ચીર કાનાએ,

એ રાખીના ધાગામાં, બંધાય મારો વીરો. મારા વીરાને . . .

આ ભાઇ-બેનની પ્રીતડી સદાય ઘૂંટાતી રહે,

એક-બીજા માટે બંદગી કરતી રહે,

સુખ-શાંતિ, અને રહે સમ્રુધ્ધિ,

દિર્ઘાયુ બનીને રાજ કરે. મારા વીરાને . . .

રક્ષા-કવચ બની રહે, આ અનમોલ રાખી,

એ અરજી, આજના દિને. મારા વીરાને . . .

કલ્પના રઘુ


નિવૃત્તિ દિન પ્રસંગે શુભેચ્છાઓ અને અભિનંદન

મિત્રો
મનુષ્યને કાર્યમાંથી ક્યારેક ને ક્યારેક નિવૃત્તિ લેવી જ પડે છે, છતાં એ નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે…… નિવૃત્તિ વિશે વાત નીકળી તો સામાન્ય માન્યતા એવી છે કે કામધંધામાંથી અથવા નોકરીમાંથી મુક્ત થવું એટલે નિવૃત્ત થવું. નિવૃત્તિ એટલે ફુરસદ… દિનેશભાઈ હવે તમે સમયના બંધન વિનાની  પ્રવૃત્તિ કરશો ….નિવૃત્તિ એટલે મન ગમતી પ્રવૃત્તિ કરવાનો સમય …કારકીદી ના સોનેરી દિવસોને વાગોળવા નો સમય …આપ.તો કવિ છો ..આપણા શબ્દોના સર્જન ની tag lline કહે છે સર્જનને ઉંમર સાથે સબંધ નથી …જેની પાસે જ્ઞાન છે તે ઉપયોગ કરવાની વૃત્તિને તે ટાળી શકતો નથી...હવે આપ વધુ સારું સર્જન કરશો જેનો લાભ અમને વાંચકવર્ગને મળશે ..જ્ઞાનીજનો આવી નિવૃત્તિ ને પામવાનો સમય કહે છે . 
 
 પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો  શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ ..
બસ ..આ જ આનંદ જે  –અપ્રગટ છે એને પામશો …..આજ નિવૃત્તિ  ….અભિનંદન …..
 ચિ. દિનેશભાઈને નિવૃત્તિ દિન પ્રસંગે શુભેચ્છાઓ અને અભિનંદન -20

ચિ. દિનેશભાઈ માનવતાના દિવ્ય દિપક

ગેઇન્સવિલ ગામના  સૌ  એમના  ચાહક

ડો. શાહ છે વિદ્યાર્થી આલમનું જબ નૂર

નાનામોટા ચાહે આદર અનેપ્રેમથી રપૂર

 ફ્લોરીડા સ્ટેટમાં જાણીતુ ડો.દિનેશ શાહ નામ

સ્નેહિ  સ્વજનો સૌ લોક નમ્રતાથી નમે તમામ

આજ ઉજવાય છે એમનો નિવૃતિનો દિન

જીવનભરની પ્રવૃત્તિનું પૂર્ણ આરામ ચિન્હ

 ઘરની ભવ્ય આગતા સ્વાગતા અને પ્રેમ

સૌના હૈયામા એ યાદ જીવંત અખંડ ્ષેમ

અસંખ્ય સંસ્મરણો અનેક જન અનુભવતા

ચીર સ્મરણિય સૌના હૈયે ચિરંતન મતા

 યુનિવર્સીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા જ્યાં જ્યાં

શુભેચ્છા, અભિનંદન અને સંદેશ પાઠવતા રહ્યા

પરિવાર સૌ આનંદ ઉત્સવ ગૌરવ સહ  ઉજવ

“મા”શારદા,”અર્ધાંગિની” સુવર્ણા શાંતિ અનુભવે

પદ્માબેન કનુભાઈ શાહ

સ્વાતંત્ર્ય દિન

મિત્રો
 ઝવેરચન મેઘાણી ની કવિતાની એક પંક્તિ યાદ આવે છે આજે ….
 તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !……..
આવી સ્વત્રંતા મેળવવા આપણે  બહુ મોટી રકમ ચૂકવી છે કેટલાય લોકોના બલિદાન પછી આ સ્વાધીનતા ત્રિરંગો બની ને લહેરાય છે પણ આ બધું કયારે અને કોના બલિદાન થકી …
પદ્મા  માસીએ એક વાત સરસ કરી છે કે આજે પાસઠ વર્ષ પછી પણ શહીદોની શહીદી ને ગુલામીની વેદનાના ઘા રૂઝાયા નથી ,અને રૂઝાવા પણ જ જોઈએ .
તો  જ આપણે  સ્વ્ત્રન્તાનું  મુલ્ય કદી  નહિ ભૂલીએ ..આવા શુભ દિવસે દરેક શહીદો ને આપણા  સલામ

સ્વાતંત્ર્ય દિન

 

ભારતમાં સ્વાતંત્ર્ય દિન અતિ આનંદે ઉજવાય

શહીદોની શહીદી ને ગુલામીની વેદનાના ઘા ના રૂઝાય

અંગ્રેજી દમનના કોરડાના ચિન્હો હજૂય ના ભૂલાય

શીશ વઢાણા વીરબલિદાનીના આજ પણ ૈયુ ઘવાય

 

સ્વાતંત્ર્ય દિનની પરેડ અને કવાયતના

ત્રિપાંખી સૈનિકોના શુરાતનના ખે જોવાય

ટી વી પર દેખાતી સૈનિકોની વીરતાના

અવનવા દૃશ્યો, સમાચાર ગૌરવ ભર્યા દેખાય

 

દેશની રક્ષા કરનાર સરહદ પરના જુવાન જુગ જુગ જીવો

દેશનો  લહેરાતો  ગૌરવવંતો  ત્રિરંગો વિશ્વમાં અમર રહો

પદ્માબેન  કનુભાઈ  શાહ

સ્વતંત્રતા એટલે શું..?

મિત્રો આજે 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા  દિવસ ,
પણ આ સ્વતંત્રતા એટલે શું ? ,આઝાદી એટલે શું ?
 
આઝાદી એટલે કોઇની પણ રોકટોક વગર હું મારા વિચારો કે દ્રષ્ટિકોણ રજૂ કરી શકું તે .કે..એક પોઝીટીવ વાઇબ્રેશન્સ…. મારી જિંદગીના નિર્ણય હું ખુદ લઇ શકું તે..એક અભિગમ….. કે પછી મને ભૂલો કરવાની છુટ મળે તે ...
સમયની સાથે આઝાદીની વ્યાખ્યા બદલાતી જાય છે
.આજ ની વ્યાખ્યા પ્રમાણે  આઝાદી એટલે સિદ્ધિ, સફળતા અને નસીબ સુધી પહોંચવાનો રન વે  આઝાદી એટલે ઉડવાની પાંખ ,.
આઝાદી વ્યકિતથી લઇને સમષ્ટિ સુધીનો આ એક અભિગમ છે,સ્વતંત્રતા એ સુખ સુધી પહોંચવાનો એક પર્યાય છેસ્વાધીન હોવું એ માત્ર પરાધીન હોવાનો વિરોધી શબ્દ નથી, પણ સ્વાધીનતા લઇ જાય છે એક મુકત મુકામ તરફ. સ્વતંત્રતા અપેક્ષિત છે.ગમતું કામ કરવાની આઝાદી માણસની અંદર રહેલા શ્રેષ્ઠને બહાર લાવવાની તક પૂરી પાડે છે… પરંતુ સ્વેચ્છાએ માનવી ત્યાં નીતિ નિયમો પાડે તો જ .
આપણે આઝાદીની વાત કરીએ એટલે નીતિ નિયમો એની મેળે સંકળાય જાય ,”જ્યાં નીતિ નિયમો નથી ત્યા જ આઝાદી છે” ,પરંતુ બીજી  વાત અહી જરૂર ઉમેરીશ કે નીતિ નિયમ વગર સ્વતંત્રતા સ્વછંદતા છે. વાત ધર્મની હોય, જીવનની હોય, પસંદગીની હોય, કારકિર્દીની હોય કે અભિવ્યકિતની હોય…  આઝાદી અને મોકળાશનો યોગ્ય ઉપયોગ થાય તો જ એનાં શુભ પરિણામ આવી શકે, નહીં તો… નહીં
સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા