શરદબાબુની નવલકથાઓનાં પાના ઉથલાવતા એક એવું સ્ત્રી પાત્ર નજર સમક્ષ ઉભું થયું ને તે પાત્ર એટલે લલિતા. લલિતાને યાદ કરતાં આપણી નજર સમક્ષ ઊભી થઈ જાય છે, મિનાકુમારી, સુલક્ષણા પંડિત અને અંતે વિદ્યાબાલન. બંગાળીમાં મૌસમી ચેટર્જી.જાજરમાન અભિનેત્રીઓ કે જેમણે શરદબાબુની લલિતા બની તખ્તો સંભાળ્યો સાથી શેખરની ભૂમિકા ભજવી અશોકકુમારે ફિલ્મ ૧૯૫૩માં આવી.પરિણીતા નામ ન રાખતા ફિલ્મ સંકોચ જેમાં સુલક્ષણા પંડિત અને જિતેન્દ્ર બન્યાં શેખર ને એ ફિલ્મ આવી ૧૯૭૬માં. અંતિમ ફિલ્મ બની શૈફઅલીખાન અને વિદ્યાબાલનની જે બની ૨૦૦૫માં. ૧૯૬૯માં બંગાળીમાં ફિલ્મ બની સૌમિત્ર ચેટર્જી અને મોસમી ચેટર્જની અભિનય કળાનાં ખૂબ વખાણ થયાં.
ત્ચારેય ફિલ્મોએ તહેલખો મચાવ્યો ને યુવાન છોકરા છોકરીઓએ પરિણીતા ખરીદીને વાંચી.આવી પરિણીતાનો ગુજરાતીમાં અનેક લેખકોએ અનુવાદ કર્યો છે. વિવેચના કરી છે.
આ વાર્તા એટલી સામાજીક હતી કે તે સમયનું બંગાળ સચિત્ર ઊભું થાય. અહીં પણ બ્રાહ્મો સમાજ અને બંગાળી સમાજની સુદૃઢતાનું ચિત્ર વિશેષપૂર્વક ઊભું થયું છે. દરેક પાત્રોને ખૂબ જ ખૂબીથી લેખકે આલેખ્યા છે.સાહિત્યની દ્રષ્ટિ પણ આ રચના શ્રેષ્ઠ છે.
રા.વિ.પાઠક લખે છે,” આ વાર્તા અનેક દ્રષ્ટિએ સુંદર છે. તેના પ્રસંગોની ગૂંથણી સુંદર છે. તેના અંગપ્રત્યંગનાં પરસ્પર પ્રમાણો સુંદર છે.વાર્તાની નાયિકા લલિતાનાં માનસનો વિકાસ. તેની લાગણીનાં પરિવર્તનો અને તેને લીધે વાર્તાનાં બદલાતા જતાં ભાવો અને સમગ્ર રસ -બીજી તરફ વાર્તાનાં પાત્રોનાં સ્વભાવોનું વૈવિધ્ય અને તેની ફૂલ ગૂંથણી અને બંનેમાં કવિએ કવિએ વિશિષ્ટ શક્તિ બતાવી છે.”
લેખકને મતે સ્ત્રીઓ ઘરમાં દમન પામે કે બહાર બળાત્કારનો ભોગ બને બન્ને સ્ત્રીઓ સમાન જ છે. આખરે તે પીડિતા જ છે.ઘરથી તરછોડાયેલી કે નારાજગી પામેલી કે પતિતા સ્ત્રીઓ પ્રત્યે તેઓનો જુદો આર્વિભાવ હતો તેથી તેઓ અંતઃકરણથી તેને પોતાના સાહિત્યમાં ન્યાય આપવામાં પ્રયત્ન કરતાં.
પરિણીતાની લલિતા તેમાંનું જ એક પાત્ર હતું.પરિણીતા આમ જોવા જાવ તો પ્રણય મિકોણની વાર્તા છે પણ ખરેખર ત્રણે પાત્રો અલગ જ પ્રેમની ભાષા જાણે છે. શેખર જીદ્દી ને અડિયલ છે તો લલિતા પ્રેમનાં શ્રૃંગારથી એકનિષ્ઠ પ્રેમિકા ને ગિરીનબાબુ બ્રાહ્મોસમાજી
પણ શિક્ષિત સહૃદયી મિત્ર સાબિત થાય છે.
આમ ૧૯૧૪માં લખાયેલી વાર્તાએ અનુવાદ રૂપે ગુજરાતી ભાષામાં પ્રવેશ કર્યો ત્યારે તે વખતે સ્ત્રીને તુચ્છ સમજનાર સમાજ સમક્ષ આવી ઉત્કૃષ્ટ વાર્તા આવી અને સમાજમાં એવી તો લોકોને સ્વીકાર્ય લાગી કે સાહિત્ય જગતમાં ડંકો વગાડી ગઈ. આવી સુંદર વાર્તાને વાંચી યુવા પેઢી સ્ત્રી પ્રત્યે એક ઊંચો ભાવ સ્પંદન કરી ગઈ.
પ્રસાદ બ્રહ્મભટ્ટજી ૨૦૦૮ ને ૨૦૧૧ તેની ગુજરાતી આવૃત્તિ વાંચકો સમક્ષ વિશ્લેષણ અને આસ્વાદ સહિત મૂકી પૂર્ણ ન્યાય આપ્યો.ડો.ભરતકુમાર ઠાકરે તેને ભારતીય નારીનાં પ્રેમાળ આંતરવિશ્વને ઉજાગર કરતી નવલકથા કહી છે.
મિત્રો વિસ્તૃતિની આગલી શ્રેણીમાં શરદબાબુની શ્રેષ્ઠવાર્તામાંની એક પરિણીતાનો આસ્વાદ જે હું સમજી છું તે રજુ કરીશ
જયશ્રી પટેલ
૨૬/૨/૨૨