ચંદ્રકાંતભાઈ નું આ વાક્ય મને યાદ છે .. હમેશા યાદ રહેશે …
બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ…
એ કહે છે આવા હતા બાપુ
બીજો કહે છે આવા હતા બાપુ
મને પૂછો તો બતાવું
તમને સૌને કેવા હતા આપણાં ગાંધી બાપુ
સંત ફકીરો જેવા બાપુ
હિંસા ના સાગરમાં જેમ
કોઈ હોય કરુણા નો ટાપુ
એવા હતા આપણા ગાંધી બાપુ
સત્ય ના પુજારી
અહિંસા ના ઉપાસક
સહુના વ્હાલા,પ્રેમ ની નિર્મલ ધારા
એવા અમારા ગાંધી બાપુ
અહિંસા નો માર્ગ અપનાવી
શાંતિ જયારે સ્થાપી ત્યારે
રાખ્યું મહાત્મા ગાંધી બાપુ .
આજે આ સડક
આ ઈમારત
આ સ્મારક નું નામ
રાખીયુ મહાત્મા ગાંધી બાપુ
પણ વિચારવા ની વાત છે બાપુ
કેટલા ચાલ્યા તમારા ચિન્હો પર
નહીતો આવી હિંસા ન હોત બાપુ
સફેદ ખાદી ટોપી પહેરી
કહેવા બોલવાની વાત બાપુ
અંદર લડી લડી કાપવાની વાત બાપુ
ક્યાં છે મારા બાપુ
શોધું છું હું મારા બાપુ
કોઈ બોલાવો મહાત્મા,ગાંધી બાપુ..
વિનંતી છે સૌને મારી
ખુબ લડી ને આપી તમને .
સાચવજો આપણી આઝાદી બાપુ .
એ કહે છે આવા હતા બાપુ
બીજો કહે છે આવા હતા બાપુ
મને પૂછો તો બતાવું
તમને સૌને કેવા હતા આપણાં ગાંધી બાપુ
ખરી શ્રદ્ધાંજલિ દેજો સૌ
ચાલશો જો બાપુ ના ચિન્હો પર
શાંતિ જળવાશે વિશ્વભર
પછી ગર્વથી કહેજો સૌ
મારા બાપુ, આપણાં, સૌના ગાંધી બાપુ
પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ