‘મારું જીવન એ જ મારો સંદેશ ‘-ગાંધીજી-તરુલતા મહેતા

30th ian
ગાંધીજીના નિર્વાણ દિને એમની આત્મકથાનુ સ્મરણ મને ઉચિત લાગ્યું છે.માનવતાનું ઉત્તુંગ શિખર એવા  ગાંધીજીની મહત્તાને મૂલવવા કોઈ ગજ નથી,’પીડ પરાઈને’ જાણી સ્વજીવનને અને પરતંત્ર દેશને સત્ય અને અહિસાના માર્ગે વાળી દુનિયાના ઇતિહાસમાં જે ચમત્કાર સર્જ્યો તે ઈશ્વરની કોટિનો છે.એમના સિધ્ધાતોનો આજના સંદર્ભમાં અમલ થાય કે ન થાય તેની વાત મારા આજના લેખનો વિષય નથી.

30મી જાન્યુઆરીના ગાંધીજીના નિર્વાણદિને એમને મારી અંજલિ એમના
 ‘સત્યના પ્રયોગે’ને સ્મરીને આપું છું. ગુજરાતી ભાષા જીવંત રહેશે કારણ કે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીએ એમની આત્મકથા પોતાની વહાલી માતૃભાષા ગુજરાતીમાં લખી છે.દુનિયાની મોટાભાગની ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે.જીવનને જેમણે સત્યની પ્રયોગશાળા બનાવી હતી,મન,કર્મ અને વચનથી સત્યને આચરવાના અગ્નિમાં જેમણે જીવનને હોમી દીધું હતું તે પરમવિભૂતિ ગાંધીનો શબ્દદેહ  અમરતાને વરેલો છે.

સાહિત્યના સર્જનની વાત કરીએ ત્યારે મારી દ્રષ્ટિએ સર્જકના શબ્દોમાં જીવનનું બળ મહત્વનો ભાગ ભજવે છે.ગાંધીજીનું જીવન દેશની મુક્તિની ચળવળમાં સંપૂર્ણપણે અર્પિત હતું,પણ પોતાના વિચારોને જનતા સુધી પહોચાડવા તેમણે કલમ ઉપાડી હતી.એમણે કોશિયો (ખેતરમાં પાણી કાઢવા માટે કોશ ચલાવે તે ) સમજી શકે તેવી સરળ ભાષામાં લખવાનું અપનાવ્યું.એટલું જ નહિ સીધી જીવનની વાણી.જીવનમાં
 સત્ય,અહિસા ઉપરાંત આરોગ્યના જેવા કે પાણીના અને માટીના પ્રયોગો,
બ્રમચર્યના , ભોજનના અપવાસના,મોનના ,આશ્રમમાં હરિજન નિવાસના એમ અનેક બાબતોને એમણે ‘સત્યના પ્રયોગો ‘માં લખી છે.સ્કૂલમાં ગાંધીજીએ માસ્તરનો  ઈશારો હતો છતાં પરીક્ષામાં ચોરી નહોતી કરી,એમના ખરાબ અક્ષરની કબૂલાત આવી વાતો જયારે હું સ્કૂલમાં હતી,ત્યારે વાંચવામાં આવેલી,એમ થતું ગાંધીજીના આપણી જેમ ખરાબ અક્ષર હતા,સાદી ભાષામાં લખાયેલું વાંચવાની મઝા આવતી.

મારું કહેવાનું તાત્પર્ય એ છે કે મેં ‘સત્યના પ્રયોગો ‘ પુખ્તવયે વાંચી છે ત્યારે મને ખૂબ આનંદ મળ્યો છે,આ આત્મકથા જીવનના સનાતન તત્વોની વાત  વ્યક્તિગત અનુભવ દ્રારા કરે છે.એમાં ગાંધીજીની રમૂજીવૃત્તિ છે,વેદના ,મંથન ક્યાંક પોતાના શરીર ,મન તથા સ્વજનો ,અનુયાયીઓ પ્રત્યેની  કઠોરતા પણ છે,જુદા જુદા રસમાં એમના જીવનના પ્રસંગો વાચકને તરબોળ કરે છે.દરેક પ્
રસંગે તેમની કલમે  ગુજરાતી ભાષા ઘડાતી જાય છે,તેમના શબ્દો આપણા હદય સોંસરવા ઉતરી જાય છે.નાનપણમાં વાચેલું વાક્ય ‘ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે.’કદી ભૂલાયું નથી.જો કે હવે ટેકનોલોજીએ આપણી સમસ્યા ટાળી છે.ગાંધીજીનો એકે એક શબ્દ સૌને સમજાય તેવો,અમલમાં સમય બદલાતા ન મૂકાય એ જુદી બાબત છે,પણ એ સત્યની વાણી અમર છે.

ગાંધીજીના પ્રભાવથી જે ગુજરાતી સાહિત્ય સરજાયુ તે ‘ગાંધી યુગનું ‘ ગણાયું ,ગાંધીયુગમાંથી  માતબર કવિઓ અને ગદ્યસ્વામીઓ સાહિત્યને મળ્યા.ઉમાશંકર જોશી ,સુંદરમ ,કાકા કાલેલકર ,અનેક પ્રતિભાઓ સૌ જાણે છે,’સત્યના પ્રયોગો ‘ના વાચનથી હું એટલું સમજી કે મારે શબ્દોની સાધના કરવી હોય તો જીવનના અનુભવથી રસાયેલી સૌ સમજી શકે તેવી વાત -વિચારો -સંવેદનાઓ રજૂ કરવી.પૂર્ણ સત્યને  મારી મર્યાદાના આવરણમાં -વાદળોમાંથી આછી ઝાંખીરૂપે જોઉં તો પણ મારા પ્રયત્નો અવિરત રહે તેવી પ્રભુ પ્રાર્થના. રાત્રે કાળા આકાશમાં વાદળો વચ્ચે  સંતાકુકડી કરતો ચન્દ્ર મન બહેલાવે તેમ માતૃભાષામાં   શબ્દોના સર્જનના  આનંદની

અગરબત્તી મહેકાવી ‘સત્યના પ્રયોગો ‘ જેવી મહાન રચનાને ગાંધીજીના નિર્વાણદિને  સ્મરી કૃતાર્થ થાઉં તો ધણું !

‘મારું જીવન એ જ મારો સંદેશ ‘ –ગાંધીજી

તરુલતા મહેતા 30મી જા.2016

“બેઠક” પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.

vinod patel“બેઠક” નો મારો અનુભવ …… 
 
ગુજરાતી ભાષામાં બેઠક એક અનેકાર્થી શબ્દ છે. મોહનભાઈની કાન્તીભાઈ સાથેની  રોજની બેઠક ઉઠક છે એમ આપણે કહીએ છીએ . અમુક પક્ષ ચુંટણીમાં અમુક બેઠક પર ચૂંટાઈ આવ્યો એવો રાજકારણમાં શબ્દ પ્રયોગ થતો હોય છે.ભગવદગોમંડળ શબ્દકોશ ફંફોસતાં એમાં બેઠકના બીજા અનેક શબ્દાર્થો જોવા મળશે .
 
પરંતુ બે એરિયા ,મીલ્પીતાસ  ખાતે સાહિત્ય રસિકોની લગભગ દર મહીને જે બેઠક એટલે કે સભા મળે છે એની તો વાત જ ન્યારી છે.આ બેઠક એટલે યુવાન અને વૃદ્ધ સમેત સહુનો સહિયારો ઉત્સાહથી છલકાતો સાહિત્ય મેળો. 
 
આવી નિરાળી અર્થભરી બેઠકનો સૌ પ્રથમ પરિચય મને સુ.શ્રી પ્રજ્ઞાબેનના “શબ્દોનું સર્જન” બ્લોગ મારફતે થયો .એમાં પ્રગટ થતા બેઠકની પ્રવૃતિઓના સમાચારોમાં મને રસ પડતાં મેં મારાં કાવ્યો અને લેખો વી. મારો પોતાનો બ્લોગ હોવા છતાં પ્રજ્ઞાબેનને મોકલવાં શરુ કર્યાં જે એમના “શબ્દોનું સર્જન “માં પ્રગટ થતાં રહ્યાં. પ્રજ્ઞાબેનએ ફોન દ્વારા બેઠકના વિષયો ઉપર લખવા મને આગ્રહ કર્યે રાખ્યો કે તમે સારું લખો છો માટે લખવાનું બંધ ના કરતા.બેઠક યોજિત એક વાર્તા હરીફાઈમાં મારી વાર્તા “પોકેટમની”ને જ્યારે ત્રીજું ઇનામ મળ્યું ત્યારે મને એ ઇનામ જાતે લેવા બેઠકની સભામાં હાજર રહેવા માટે એમણે ખુબ આગ્રહ કર્યો હતો પરંતુ ૮૦ વરસે મારી હાલની શારીરિક મર્યાદાઓને લીધે અફસોસ કે બેઠકમાં હું રૂબરૂ આવી શક્યો ન હતો.મારા ઈનામનો ચેક બેઠકના ખર્ચ માટે વાપરવા મેં એમને જણાવ્યા છતાં એમણે એ ચેક મને પોસ્ટથી મોકલી આપ્યો હતો.પ્રજ્ઞાબેન સાથે ફોનમાં જ્યારે વાત થાય ત્યારે બેઠકની પ્રવૃતિઓની જ નહી પણ એ સાથે એક બીજાના અંગત જીવનના પ્રશ્નો અંગે પણ વાતચીત થતી હોય છે.આમ એમના પ્રેમાળ અને નિખાલસ સ્વભાવનો મને થયેલ અનુભવ આકર્ષક અને યાદગાર છે.
 
બેઠકની પ્રવૃતિઓમાં થોડા સમયમાં જ ખુબ જ પ્રગતિ થયેલી જણાઈ આવે છે એ ખુબ જ આનંદની વાત છે. એનું નામ તો છે બેઠક પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.આજે બેઠકનું નામ સાહિત્ય જગતમાં ગાજતું થયું છે.આ માટે વડલાની જેમ ફાલતી એની પ્રવૃતિઓમાં એના યુવાન અને વૃદ્ધ એમ સૌ સભ્યો ઉત્સાહથી ભાગ લઈને એમનો જે અમુલ્ય ફાળો આપી રહ્યા છે એ સૌને હું બિરદાવું  છું . આવી એક ધમધમતી સંસ્થા બની ગયેલ બેઠકના સૌ સભ્યોને અભિનંદન સાથે એના ઉજળા ભવિષ્ય માટે મારી અનેક શુભકામનાઓ વ્યક્ત કરું છું.શુભમ ભવતુ સર્વદા .અસ્તુ.
 
વિનોદ પટેલ,સાન ડીએગો  
My E-Books  …

સફળ સફર- વાર્તા સંગ્રહ 

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ- ચિંતન લેખો 

બેઠકનો અહેવાલ-૨૯ જાન્યુઆરી, ૨૦૧૬-પી.કે.દાવડા

૨૯ જાન્યુઆરી, ૨૦૧૬ ના કેલીફોર્નીયા- મિલપીટાસના ICC માં બેઠકનો દ્વીતીય વાર્ષિક ઉત્સવ ઉજવવા, સાંજે ૬-૦૦ વાગે બેઠકના સભ્યા એકઠા થયા.જાગૃતિ દ્વારા આયોજિત અને જયભારત રેસ્ટોરન્ટના સૌજન્યથી સૌના માટે સ્વાદીષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે ૭-૦ વાગે જમવાનું પતાવી, બેઠકમાં હાજર રહેલા સભ્યો અને મહેમાનોના ડો. રધુભાઈ શાહે ગ્રુપફોટૉગ્રાફ્સ લીધા. ત્યારબાદ હંમેશ મુજબ કલ્પનાબહેનની પ્રાર્થનાથી બેઠકની શરૂઆત થઈ.

શરૂઆતમાં બે એરિયા ના માતાસમા પ્રેમલતાબહેન મઝમુદારના અવસાન બદલ શોક વ્યક્ત કરી, એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ બેઠકના નિયમિત આવતા પ્રેક્ષક કિરીટભાઈ મોદીના પૌત્ર માટે રોનિલની સ્વાસ્થ્ય માટે સૌએ પ્રાર્થના કરી પરિવારની જેમ દુઃખ વહેંચ્યું.

સૌ પ્રથમ શરૂઆત દાવડાસાહેબે પોતાની આગવી શૈલીમાં બેઠકનો બે વર્ષનો ઇતિહાસ બે વર્ષની ઊજવણીમાં રજૂ કર્યો. તેમણે કહ્યું કે બેઠકમાં ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે વર્ણવેલા જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, ત્રણેનો સમન્વય થયેલો છે. એમણે બેઠકની પ્રગતીમાં જેમણે યોગદાન આપ્યું છે, તેમને બિરદાવ્યા. ત્યારબાદ કલ્પના બહેને ગીનીઝબુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવવા તૈયાર થયેલા મહાગ્રંથની માહિતી આપતા કહ્યું આ મહા ગ્રંથ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી ભાષાના સંવર્ધન નો સહિયારો પરદેશમાં પુરુષાર્થ છે..અને બેઠક વતી કલ્પનાબેને અને રાજેશભાઈએ પ્રજ્ઞાબેનને શાલ ઓઢાડી શુભેચ્છા પાઠવતા એમના કાર્યની સિદ્ધિ માટે નવાજ્યા.

બેઠકમાં હાજર રહેલા જાણીતા ગઝલ લેખક શ્રી મહેશ રાવલે પોતાની ગઝલ રજૂ કરી પ્રેક્ષકોને ખુશ કરી દીધા. શ્રી મહેન્દ્ર મહેતાએ જીવનમાં વાંચનનું મહત્વ અને વાંચનના અલગ અલગ પ્રકારની સમજ આપી. એમણે ઉપલબ્ધ સમયનો વાંચન માટે કઈ રીતે ઉપયોગ કરી શકાય તે સમજાવ્યું. જાણીતા પત્રકાર અને બેઠકના સહસંચાલક શ્રી રાજેશ શાહે આ મહિનાના બેઠકના વિષય “તમે મને એવા લાગો” ની છણાવટ કરી, આ વિષય ઉપર પોતાનો લખેલો લેખ રજૂ કર્યો. ત્યારબાદતરુલાતાબેને સર્જન અને સર્જકતા પર પોતાના વિચારો દર્શાવતા કહ્યું કે સર્જન કાર્યમાં મૌલિકતા અને સાતત્ય નું ઘણું મહત્વ છે સાથે દરેક સર્જકોને અને પ્રજ્ઞાબેનને તેમના ભાષા માટેના યજ્ઞને અભિનંદન આપતા કહ્યું ગુજરાતી સાહિત્ય,કલા સંસ્કૃતિ જાળવી રાખવાનું અને સવર્ધન કરવા માટેનું સૌનું મનગમતું મિલનસ્થાન ‘બેઠક’ છે,ત્યાર બાદ એક પછી એક સર્જકોએ મહિનાના વિષય પર પોતાની રજૂઆત કરી  શ્રી હેમન્ત ઉપાધ્યાય, જયાબહેન ઉપાધ્યાય, જયવંતીબહેન પટેલ, પ્રજ્ઞાબહેન દાદભાવાળા, જાગૃતિ શાહ અને પદમાબહેન શાહે આ વિષયમાં પોત પોતાની રજૂઆત કરી. બેઠકની લાડકી દીકરી જાગૃતિએ પોતાના લગ્નજીવના ૨૮ વર્ષ ઉપર નિખાલશતાથી નજર નાખી, એક નવી દૃષ્ટી રજૂ કરી, જે પ્રેક્ષકોના દિલો-દીમાગમાં છાઈ ગઈ.

આજે ઝડપથી અદ્ર્ષ્ય થતા સંયુકત કુટુંબનું જો ચિત્ર જોવું હોય તો બેઠકમાં જોવા મળશે.

રાતના ૧૦-૦૦ વાગે બેઠકની સમાપ્તિ કરી, ફરી મળવા બધા છૂટા પડ્યા.

પી.કે.દાવડા

 

સંસ્થાઓના સહકારથી ભાષાને ઉજાગર કરવાનો આ “બેઠક”નો પ્રયત્ન છે.

બેઠક-sanstha

 

“ઇન્ડિયા કોમ્મુનીટી સેન્ટર”,”વૈષ્ણવ પરિવાર મંદિર”,”બે એરિયા ગુજરાતી સમાજ ઓફ નોર્ધન કેલીફોર્નીયા”,”ગુજરાતી કલ્ચરલ એસોસિયન-જીસીએ”, “નાટકોત્સવ”Naatakothsava 2015
અને લોસ એન્જેલસ અને હ્યુસ્ટન ની ગુજરાતી સમાજ  જેવી સંસ્થાઓના સહકારથી માતૃભાષા  માટે સર્જન,સંવર્ધન અને પ્રચાર….અને. પ્રસાર, ઉજાગર કરવાનો આ “બેઠક”નો પ્રયત્ન છે.અને આ માટે “બેઠક”  આપ સૌને આભારી છીએ,

બેઠક એક ગુજરાતી સાહિત્યિક પરિવાર-પન્ના શાહ

Picture2

બેઠક એક ગુજરાતી સાહિત્યિક પરિવાર . અેક વર્ષ પૂરું કર્યું . મારો બેઠક મા આવકાર 3જી ડીસેમબરે થયો પણ મને એવી અનુભૂતિ થઈ જાણે હૂં તમારા સૌ સાથે વર્ષો ના સંબધ થી વણાયેલી છું . તમે સૌ તો શુક્રવાર ની રાહ જોતા હશો પણ હું તો તમને સહુ ને મળવા આતુર છું . મળ્યા વિનાનો ભાવ દિલેર છે તો મળ્યા પછીની કલ્પના અવ્યક્ત છે . બેઠક એટલે મનની ઊદભવેલી કલ્પનાઓની મંજરી ને બેઠા પછી ઠસ્સા થી વાસંતિક વાયરા ના કક્ષમાં લાગણીઓના બારણે વહેતી મૂકવાની એક મનગમતી જગા. બેઠક સહુ ના અંતર મા છવાયેલી રહે તેવી હું હાર્દિક મનોકામના ઇચ્છુ છું . પરિવાર ના સદસ્યો ના લેખ જે વાંચ્યા છે તે ખૂબ સુંદર શબ્દરચના સભર છે સૌને મારા અભિનંદન .

પન્ના શાહ

મારી કલમ સબળ -થઇ કુંતાબેન શાહ

Picture1

મારી માની લેખન કળા મારામાં ઉતરી છે તેની અનુભુતિ અમારી સ્કૂલની રજત જયંતીનાં કાર્યક્રમ વખતે થયો.  બાર વર્ષની હતી.  રાસદુલારીનો નાટક ભજવાતો હતો.  ફક્ત વાંસળી વાગી રહી હતી.  હું ક્રુષ્ણમય બની ગઈ હતી.

“નથી હું રાધા કે નથી કોઇ ગોપી, તારી વાંસળીનાં સૂરે મને કેમ ગોતી?

તુજમાં સમાઈ મારા જીવનની લગની, મુજમાં સમાઈ તારા રુપની જ્યોતિ”

લખાઈ ગયું.વાર્તાઓ લખી ગુજરાતિના શિક્ષક દવેસરને ઘરે જઈ બતાવતી અને તેમની સલાહ લેતી. કોલેજ મેં પૂણેમાં કરી.  ત્યારે વિવિધ માતૃભાષા બોલનારા મિત્રો થયા એટલે હિંદી અને અંગ્રેજીમાં લખવાનું શરુ કર્યું.   ૧૯૬૯થી ૨૦૧૧ સુધી છુટી છવાઈ રચના કરી.  અને પ્રગ્નાબહેન દાદ્ભાવાલાએ પરબ શરુ કરી જેણે પછી બેઠ્કનું સ્વરુપ ધારણ કર્યું. બેઠક્માં પ્રગ્નાબહેન અને વિજયભાઈનાં માર્ગદર્શન હેઠળ તથા બીજા સભ્યોના ઉત્તેજનને લીધે મારી કલમ સબળ થતી જાય છે. આ બક્ષીશ માટે હું તે સહુની ઋણાનુબંધ છું.

કુંતાબેન શાહ

માતૃભાષાનો છોડ લીલોછમ રાખવા પ્રયાસો-જયશ્રી મર્ચન્ટ

IMG_1899બેઠક કેલીફોર્નીયાના આંગણે ઊગેલો ભાષાનો તુલસીક્યારો છે.સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા માટે પ્રજ્ઞાબેનને અભિનંદન મારો સાથ સદાય આપની સાથે છે , બેઠક પાઠશાળા સમાન છે અને  ગુજરાતી ભાષાની પાઠશાળા જેમાં રોજ અવનવા હસ્તે અક્ષર-જળનું સિંચન થયા કરે છે.એ રીતે માતૃભાષાનો છોડ લીલોછમ રાખવા પ્રયાસો થાય છે.આપ બધાની મૌલિકતા અને સાતત્ય એક દિવસ સાહિત્યનુ રૂપ લઇ આવશે આ નમ્ર અભિવ્યક્તિ સાથે, સૌ વાચકોને શુભેચ્છા.

જયશ્રી મર્ચન્ટ 

  

“બેઠક” ના આ યજ્ઞમાં માં અનેક લોકોએ સહકાર આપ્યો.

  • પ્રોત્સાહન આપવા માટે આભારી છીએ,

  • “બેઠક” ના  આ યજ્ઞમાં માં અનેક લોકોએ સહકાર આપ્યો.અનેક બ્લોગ અને સમાચાર પત્રોએ બેઠકના સમાચાર અને લેખો છાપી પ્રોત્સાહન આપ્યું આજના વાર્ષિક દિવસે બેઠક સહૃદય આપનો આભાર માને છે
  • રાજેશભાઈ શાહએ  સમાચાર એકત્ર કરી , સમાચાર પ્રકાશિત કરી , સમાચાર પત્રો લોકો સુધી પોહચાડી, પેપરમાં સર્જકોને પ્રસિધ્ધિ અપાવી,
  • વિજયભાઈના સહયોગથી અને મેગેઝીન અને છાપામાંઅને બ્લોગમાં સર્જકોની કૃતિ મોકલી નૂતન મંચ આપ્યો.એમેઝોન પર સર્જકોના પુસ્તક પ્રસિદ્ધ પણ કર્યા અને લોકોને લખવા માટે પ્રોત્સાહન આપ્યું
  • “બેઠક”ના નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવી જેના  થકી મૌલિક વિચારો ખીલતા  લોકોનું ધ્યાન આપ મેળે ખેચાયું અને સર્જકોની કોલમ પણ છાપામાં શરુ થઇ,જેના માટે લલીતભાઈ સોની પ્રોત્સાહન અને બળ બન્યા
  • સાથે ગુજરાતના NRG ગ્રુપના ના અનિતા તન્ના  રમેશભાઈ  તન્નાનું પણ પ્રોત્સાહન આપવા માટે યોગદાન બેઠકમાં મહત્વનું રહ્યું 
  • તેમજ ગુજરાત સમાચાર ,અકિલા,ગુજરાત દર્પણ , ગુજરાત ન્યુઝ લાઈન ફીલિંગ ,જેવા છાપાના અમને  પ્રોત્સાહન આપવા માટે આભારી છીએ,
  • આ સાથે અનેક બ્લોગે સર્જકોના શબ્દોને વહેતા કર્યા છે ,સુરેશ જાની ,ગુજરાતી પ્રતિભા પરિચય,વિનોદ વિહાર, પીયુનો પમરાટ ,પ્રતીલીપી ,આકાશ દીપ ,ફોર એસ.વી.-સમેલન
  • સૌથી મોટું યોગદાન કિરણભાઈ ઠાકરે બેઠકના સર્જકોને વિશ્વ સ્તરે મુક્યા ,
  • ”બેઠકે ” આજે પણ “સહિયારા સર્જન” સાથે સંવર્ધન ની કોશિષ ચાલુ  રાખી છે.આ ગ્રંથ આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીનો  એક નાનકડા પ્રયાસ સાથે અમેરિકામાં રહેતા ગુજરાતીઓનું ભાષાના સંવર્ધનમાં યોગદાન છે.
  • ,

“બેઠકે” સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવંત કર્યું,

 

આજના વાર્ષિક દિવસે બેઠક સહૃદય આપનો આભાર માને છે.

  •  “ઝવેરચંદ મેઘાણી” ના ગીતોનો સંગીત સભર પ્રોગ્રામ કરી લોકોને ગુજરાતના લોકગીતોનું  મહત્વ દર્શાવ્યું તો લેખકો દ્વારા  ઝવેરચંદ મેઘાણીની રચનાનો આસ્વાદ સાથે સ્થાનિક કલાકારોના સહકારથી સંગીતમય રજૂઆત કરી પાંચશો થી વધુ લોકોને ગુજરાતી ભાષા તરફ જાગૃત કર્યા.
  • આવતી  પેઢી ને માતૃભાષા તરફ આકર્ષવા બાળકો દ્વારા આદિકવિ “નરસિહ મહેતા”ને સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવંત કર્યું,
  • સંગીત સભર પ્રોગ્રામ કરી લોકોને ગુજરાતના લોકગીતોનું  મહત્વ દર્શાવ્યું જેમાં સ્થાનિક ગાયકો ,જેમાં માધવી મહેતા ,અસીમ મહેતા, દર્શના ભુતા,આશિષ વ્યાસ ,આણલં અંજારિયા,હેતલ બ્રમ્ભટ્ટ ,પલક વ્યાસ,ડીમ્પલ પટેલ ,પિયુષ નાગર  એ સહકાર આપી પ્રોગ્રામ દીપાવ્યો
  • રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી ભાષામાં સર્જાયેલા કાવ્‍યોને જતનપૂર્વક આપણી ભાષામાં ઉતારવાનું અનુવાદ કરવાનું ખરા અર્થમાં ભગીરથ કાર્ય “બેઠક”ના લેખિકા “મેઘલતા બેન મહેતા” એ કર્યું અને “માધવીબેન અસીમભાઇ” એ સંગીતમય પ્રસ્તુતિ કરી ભાષા એજ આપણી સંસ્કૃતિ છે અને આપણા લોકો અને બીજા બંગાળી લોકો પાસે પ્રસ્તુત કરી  ગુજરાતી ભાષા નું મહત્વ પણ વધાર્યું,
  • “કલાપી”તો ક્યારેક “નરસિંહ મહેતા” કે “ચિનુ મોદી” જેવા કવિ ની કવિતા નો આસ્વાદ કરાવી સાહિત્યના પાના ખેડ્યા,

“બેઠક”ની પાઠશાળા

Image

બેઠકની પાઠશાળા ના શિક્ષકોને વંદનકેલીફોર્નીયામાં “પુસ્તક પરબ”ની શરૂઆત પ્રતાપભાઈ પંડ્યાના સૌજન્યથી શરુ કરી,જેમાં ગુજરાતી પુસ્તકો મફત આપી લોકોની ગુજરાતી વાંચનની ભૂખને સંતોષી,વિજયભાઈ શાહના સહિયારા સર્જન સાથે સહિયારું કામ કરી  કલમ કેળવી અને સર્જન શક્તિ ખીલવી.મહેશભાઈ રાવળ ની મદદથી એ ગઝલનો વર્કશૉપ રાખ્યો.તો ક્યારેક જયશ્રીબેન મર્ચન્ટ ,તરુલતાબેન મહેતા  પ્રોત્સાહન અને મદદથી  વાર્તા સ્પર્ધા પણ યોજી અને માર્ગદર્શન આપ્યું , તો પાઠશાળામાં પી .કે.દાવડા સાહેબે સર્જકોને યોગ્ય દિશામાં પ્રોત્સાહન આપ્યું.