પ્રજ્ઞાજુ તરફથી એક સુંદર ઈમૈલ મળી જે અત્યારના પ્રસંગ ને અનુરૂપ છે .
માનવી ઉત્સવ ઉજવે છે કારણ રોજીંદા જીવથી કૈક નોખું કરવા માટે
નાતાલ એટલે ઉત્સવના દિવસો તો ચાલો ઉત્સવનો નવો દ્રષ્ટિકોણ જોઈએ .
(ઓશો)રજનીશજી ઉત્સવ કોને કહે છે.
હું જે સમજી છું તેનો ભાવાનુવાદ કરી લખું છું .
મારી કોઈ ભૂલ હોય તો માફ કરશો .
ઉત્સવ
આપ માત્ર દ્રષ્ટા છો
મન પણ છે શરીર પણ છે,
પરન્તું તું શરીર નથી તેમજ મન , (ચિત્ત,)પણ નહિ .
તું જયારે દ્રષ્ટા થાય છે ત્યારે વધુ સંકેંદ્રણ બને છે .
અને દ્રષ્ટા થવાથી તું વધુ ને વધુ નજીક આવે છે
સાર્વત્રિક કેન્દ્ર તરફ
માત્ર દ્રષ્ટા થવાથી
તું પામે છે શાશ્વતી
અને તેનો અસાધારણ અમરત્વ આનંદ
ત્યારે પોતાની અંદરના બુદ્ધને (શુદ્ધ આત્મા ) અનુભવે છે .
અને આખું જીવન જાણે એક ઉત્સવ બની જાય છે
એક ઝળહળતા દિવ્ય પ્રકાશનો ઉત્સવ
અને પ્રત્યક ક્ષણ જાણે (સંસ્કાર) જાગૃતિ
પ્રત્યક ક્ષણ નૃત્યોત્સવ
અને પ્રત્યક ક્ષણ હજારો ફૂલો
ખીલવાં માંડે છે ચૈતન્યમાં
દ્રષ્ટા જેમ જેમ ઊંડો ઉતરે છે .
તેમ તેમ અદૃશ્ય અમૂલ્ય તત્વને પામે છે .
(ઓશો)રજનીશજી
દ્રષ્ટિ સ્વભાવસન્મુખ થાય એટલે પોતાને પોતાના દર અસલ શુધ્ધ સ્વરૂપની પ્રતીતિ થાય
સનાતન જાગૃતિ -નિજ સ્વરૂપનું ભાન અને એજ પર્વ- એજ ઉત્સવ-