મેઘલતાબેન મહેતા-આજ આનંદે ઉજવાતા જાઓ ..

મિત્રો ,

આવતીકાલે રવિવાર છે તો થોડું નવું જાણીએ અને માણી લઈએ … કહે છે ને લોકોને દુખની વાતો સાંભળવા માં રસ નથી ..ગઈકાલે માધવી બેન સાથે વાત થઇ ,એમના મમ્મી રીહેબમાં છે .પરંતુ માંદગી ની ફરિયાદ કરવાના ને બદલે પોતાની સર્જન શક્તિ કેળવી રહ્યા છે ..પોતાનામાં રહેલો સર્જક મુરજાય નજાય તે માટે વાર્તા લખી રહ્યા છે. ચમત્કાર થતાં નથી પણ ચમત્કાર કરવા પડે છે. દરેક વ્યક્તિમાં ચમત્કાર કરવાની શક્તિ છે.
પણ બહુ ઓછા લોકો એ વાત સમજે છે કે તેનામાં પણ ચમત્કાર કરવાની શક્તિ છે.
મોટાભાગે માણસો પોતાની શક્તિઓ વિશે જ સભાન હોતા નથી..
જયારે મેઘલતાબેન માંદગીમાં શરીર સાથે લડતા સમય નો સામનો કરતા પોતાના આત્માની વાતને અનુસરે છે ..
અને સર્જકના જીવને જીવાડે છે ..
“એમાં ભરવાનો ઉમંગ આપણે-
ને જીવનમાં રંગ પણ પૂરવાના આપણે જ ને !”
 કેટલો હકારત્મ અભિગમ ! બીજી ચાર લીટીમાં તો જાણે જિંદગીની ફિલોસોફી દ્રષ્ટી ગોચર થાય છે
જિંદગીને નોટબુક નહી ..સ્લેટ જેમ વાપરતાં જાઓ .
ભૂત ભેગો કરો નહીં.પણ ભૂતકાળ ભૂંસતાં જાઓ .
લખેલું બધું લૂછતાં જાઓ , ને નવું નવું લખતા જાઓ ,
ગૂંચવવાડે ગુંચવાઓ નહીં ,ને આજ આનંદે ઉજવાતા જાઓ ..

સમય વીતી ગયો …

હા ,લખવાનો સમય તો જાણે વીતી ગયો ..
કદાચ જીવન જાણે ખીચોખીચ -ને તોય ખાલી ખમ !
ખીચોખીચમાં તો શું લખવું ? ગૂંચવાડો  ગૂંચવાડો
 ને ખાલીખમમાં શું લખવું ?-શૂન્ય જ બધું .
છતાંય વર્ષે વર્ષે નવું વર્ષ આવે
  ને નવી વાતો નહિ તોય
 નવી  આશાઓ લાવે .
એમાં ભરવાનો ઉમંગ આપણે-
ને જીવનમાં રંગ પણ પૂરવાના આપણે જ ને !
વર્ષનું કામ તો દર વર્ષે .
પાછા આવવાનું -વર્ષે વર્ષે ,
નવા નક્કોર અને કોરા કટ્ટ
થઈને –

મેઘલતાબેન મહેતા

મનાવો પછી રોજ હોળી મજેથી-પ્રવીણભાઈ કે. દાવડા

મિત્રો
પ્રવીણભાઈ આપણાં બ્લોગ પર પહેલ વહેલા આવ્યા છે ..તો એમનો પરિચય એમની વ્યંગ કવિતા દ્વારાજ કરાવું છું..અને હા એમની એક ખાસ વાત  બધા વડીલોને  જણાવીશ,  લ્યો એમના શબ્દોમાં જ કહું કે … (આપણામા કહેવત છે કે નવરા બેઠા નખ્ખોદ વાળે. આજે મને નવરાશ છે, અને કંઈંક લખવાનુ મન થાય છે. પણ શું લખું?) અને બસ કલમ ઉપાડી અને ચાલવા માંડી.. મિત્રો એમની સલાહ લેવા જેવી ખરી .. તો મિત્રો માણો એમની કવિતા .

બૂરા ન માનો.. હોલી હૈ’ કહેતા આવ્યા છીએ વર્ષોથી આપણે, હોળી-ધૂળેટીમાં કોઈ પોતાના પર રંગ લગાવવાની ના પાડે એટલે તરત બૂરા ન માનો.. કહી તેને રંગી નાખે છે  પરંતુ એક દિવસ મોઢું ભલે લોકો લાલ રાખે પણ …આજે લગભગ રોજની થઈગયેલી હૈયા-હોળી તો જન સામાન્યના માનસમાં સતત પ્રગટેલી જ રહે છે. એ આપણે ભૂલવું ના જોઈએ .. અને આપણે ભૂલી જઈએ તો પણ દાવડા સાહેબ જેવા કવિ વાર તહેવારે કવિતા દ્વારા કટાક્ષ કરી જિંદગીની વાસ્તવિકતા યાદ કરાવી જાય છે ..

હજી  ટેક્ષ ચોરો મજાથી  ફરે છે,

અને  ભ્રષ્ટ નેતા હજીયે હસે  છે;

ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે

એમની આ ચાર પંક્તિ જિંદગીના સચ્ચા રંગો દેખાડી આપણાં આત્માને જગાડે છે ..અંગ્રજો આપણને લુંટતા એ તો સમજ્યા કે પારકા હતા .પણ આપણાં પોતાના છેતરે છે એનું શું ?????હોળી પ્રાગટય : અસૂરી શક્તિના વિનાશનું પ્રતિક છે તો”‘બુરા ન માનો હોલી હૈ’…. ક્યા સુધી કહેતા રહેશો ?…….

(ભૂજંગી)

કરીને   ભલે કાષ્ટ ભેળા બધેથી,

જલાવો તમે આજ  હોળી મજેથી,

ઉડાડો  ગુલાલો અને  રંગ બીજા,

અને  માનજો બાળી નાખી બુરાઈ.

 ભલે   છેતરાઓ તમારી જ જાતે,

નથી  નાશ પામી  બુરાઈ જરાએ,

હજીતો  વધારે  વધે  છે  બુરાઈ,

હજી  આજ લોકો રહ્યા છે લુટાઈ.

 હજી  ટેક્ષ ચોરો મજાથી  ફરે છે,

અને  ભ્રષ્ટ નેતા હજીયે હસે  છે;

ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

 કરો નાશ આ દાનવોનો પહેલા,

પછી  છો ઉડાડો થઈ રંગ ઘેલા;

રંગો મુખ કાળા ધુતારા જનોના,

મનાવો પછી રોજ હોળી મજેથી.

 પ્રવીણભાઈ કે. દાવડા

ડગલો-આમંત્રણ

Inline image 2

મિત્રો 

ડગલો પરિવાર આપ સર્વને ભાવ ભર્યું  આમંત્રણ આપે છે. 

ડગલો

સહર્ષ રજુ કરે છે.

-કવિવંદના –

ગુજરાતી કાવ્ય અને સંગીત સંધ્યા

૧લિ એપ્રિલ ૨૦૧૨ રવિવાર  ની સાંજે ૬.૩૦ વાગે
સ્થળ- India Community Center-525,.Los Coches Street Milpitas, CA 95035

ગુજરાતી સાહિત્યક્ષેત્રના અગ્રણી કવિ અને સાહિત્યકાર
ઉમાશંકર જોશી જન્મ શતાબ્દિ પર્વ ઉજવણી નિમિતે આપ કવિને સ્મૃતિવંદના એમની કવિતાનું પઠન કરી કરશો એવી વાંછના.

તમે જે કવિતાનું પઠન કરવા ચાહો છો, તેની વિગત DAGLO પરિવાર ને તારીખ  ૩/20/ ૨૦૧૨ સુધીમાં ઈમૈલ દ્વારા મોકલી આપવા નમ્ર વિનંતી.

(Rajubhai)-408)-761-6079raja.solanki@gmail.com

(Pragnaben)-(408)-410-2372Pragnad@gmail.com

Daglo-http://www.gujaratidaglo.wordpress.
જો જરૂરી હોય તમારા માટે કવિતા શોધવા માટે અમે મદદ કરી શકીએ છીએ.

: Resources :
 www.tahuko.com

આ પ્રોગ્રામ ફ્રી રાખવામાં આવેલ છે.છતા આપ આવવાના છોએ RSVP દ્વારા અચૂક જણાવશો,જેથી આયોજકો વ્યવસ્થા કરી શકે.

આ સાંજ ની રૂપરેખા આ પ્રમાણે રહેશે.

ડગલાના સભ્યો પહેલા તે વહેલાના ના નિયમ મુજબ ૧૫ યોગ્ય કવિતા પસંદ કરશે અને કાવ્ય પઠન કરનારને જણાવશે.દરેક વ્યક્તિને ૩ મિનીટ ફાળવવામાં આવશે.

આપ સર્વે હાજર રહી અને કાવ્યોત્સવ માં ભાગ લઇ ,ગુજરાતી ભાષા ને ધબકતી રાખવાના આપણા પ્રયત્નમાં સક્રિય ભાગીદારી  દાખવશો .આપ સર્વે ના ટેકાથી આપણે સહું સાથે ગુજરાતી સાહિત્ય અને ભાષા વિદેશમાંમાં પણ જીવંત રાખશું.
આપ સર્વે અપના મિત્રો પરિવાર સાથે આવો આપની હાજરી અમને આવા નવા પ્રોગ્રામ લઈ આવવા માટે પ્રેરણા દેશે.

— ડગલો પરિવાર—

http://gujaratidaglo.wordpress.com/

DAGLO (Desi Americans Of Guj. Language Origin)

મેઘલાતાબેહન મહેતા-..હે ગોરી ગોરી રાધિકા ને…..

મિત્રો
મેઘલાતાબેહન મહેતાને  તો આપ સહું જાણો છો .અને આપ સહું વારંવાર એમની કવિતાઓ પણ માણો છો ..તો એમની કવિતા રજુ કરતા પહેલા એક વાત ખાસ કહી દઉં કે આપણા બ્લોગ પર એમની કવિતા સૌથી વધારે કયારે લોકોએ વાચી અને માણી તો આ word press નાં અહેવાલ જોઈએ .

(A New York City subway train holds 1,200 people. This blog was viewed about 6,100 times in 2011. If it were a NYC subway train, it would take about 5 trips to carry that many people.) The busiest day of the year on your blog was January 5th with 178 views. The most popular post that day was મેઘલતાબહેન મહેતા..

તો આજે ચાલો હોળીના ઉત્સવે એમની એક સુંદર રચના માણીએ ..આમ તો માસી અત્યારે તબિયત સારી ન હોવાથી રીહેબમાં છે .પરંતુ કહે છે ને જ્યાં ન પોહ્ચે રવિ  ત્યાં પોહ્ચે કવિ.મને મેઘલતામાસીની એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ… આજે ૮૪ વર્ષે   હાથ પગ  ના ચાલતા હોય ..શરીર સાથના દેતું  હોય ત્યારે  એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે.એમની પંક્તિમાં કહુંતો….જુવાનીના  જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે  જિંદગીભ રની,કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .

માસી શબ્દોના સર્જનના દેરેક વાચક  આપની સુખાકારી પૂછી Get Well Soon નો સંદેશો પાઠવે છે ..

આપની સૌમ્ય સુંદર અને વિવધતા ભરી  કવિતા સૌને માણવી ગમે છે .હોળીના પ્રસંગે આપની રાસની રચના રજુ કરું છું .પરંતુ  હું તમને  અને તમારી ખાસિયત ને જાણું છું ત્યાં સુધી તમે રાગ સાથે એનું સર્જન કર્યું હશે જો સાંભળવા મળે તો વુંન્દાવન ઉભું થઇ જાય ..

મિત્રો

આ રાસ દ્વારા પ્રેમ ,અને હૃદયની સાહજીકતાથી રાધાનો ભૂલનો નો સ્વીકાર ,લઘુતમ ભાવનું પંચામુત હોળીના પર્વે પીરસી જાય છે .

અને કવિતા નાં અંતમાં  અહંકાર ઓગળીને મહામુલું અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરાવે છે..

હે ગોરી ગોરી રાધિકા ને…..

હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન,

રંગે રમતા ,રમતા રૂઠતાં મસ્તીમાં મસ્તાન,
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રાસે રમતી રાધિકા ને ફાગ ખેલતો કાન,
પ્રીતે રંગે ,ભીંગે ચીરે ,બની ગયા એકતાન ;
રંગ રૂપનું રાધાને ત્યાં ચઢયું ગર્વ ગુમાન ,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રીસ કરીને રાધા ઉઠી ,મુખ પર ધરી મુસ્કાન ;
“ગોરી ગોરી હું રાધિકા ને તું તો શામળો કાન ,
તારો મારો મેળ નહી ,તું થી હું છું મહાન ,”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રાધિકાની રીસ જોઈને ,હસીને બોલ્યો કાન ;
“શામળો છે ત્યારે ગોરા રંગનું આવડું અદુકું માન,
બધા રંગ હું પી ગયો,ને તું મા સર્વે સમાય,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રીસ છાંડીને રાધા બોલી ,”માફ કરી ધો કાન ,
લઇ લો ગોરો વાન દઈ ધો શ્યામલ રંગનાં દાન .
અહંકારના સંગમાં થઇ ગઈ અભિમાને બેભાન .”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે ‘તમથી અદકી ગણી મેં મુજને ,ગાયું નિજ ગર્વીલું ગાન
શ્યામલ રંગે ઝગમગો,તમ યોગ ને તપની એવી શાન ,
કાપો આ અજ્ઞાન નઠારું ,ભરી ધો.મુજમાં જ્ઞાન .”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે ” ‘તું ‘ ‘માં’ ‘હું ‘ ને ‘હું ‘માં .’તું ‘,એમ આપણ એક જ જાન
કહાન કૃપાથી રાધા પામી ,મહામુલું અદ્વૈત જ્ઞાન
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન.
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o

મેઘલાતાબેહન મહેતાUpload/Insert