આ રૂપિયો

આ રૂપિયો
 કાગળ નો હોય કે લોઢાનો, વજન વાળો છે આ રૂપિયો,

સુખ શાંતિ ને પાછળ રાખી, મગજ બગડતો આ રૂપિયો

 ભાઈ થી વેર કરાવે, સગો નથી કોઈનો આ રૂપિયો
 દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

 લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે આ રૂપિયો
 એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો આ રૂપિયો

 કાળા ને પણ સુંદરી અપાવે એવો છે આ રૂપિયો
 કુડા ને રૂડા મનાવે, એવો રૂપાળો આ રૂપિયો

 એના વગર સઘળું અંધારું, ચળકાટ છે આ રૂપિયો
 વગર અક્કલે માન અપાવે, અભિમાની આ રૂપિયો

 મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે આ રૂપિયો
 ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે આ રૂપિયો

 સબંધ, લાગણી,પ્રેમ ને બાયપાસ  કરે છે આ રૂપિયો
 ક્લયુગમાં સૌ પ્રેમથી બોલે, સૌથી મોટો છે આ રૂપિયો

 સૌ કહે છે મારો મારો, પણ કોઈનો નથી આ રૂપિયો
 આજ ભલે મારો કાલે બીજાનો, પડ્યો રહેશે આ રૂપિયો
**********ભરત સૂચક*************** 

 

 
 
 સબંધ, લાગણી,પ્રેમ ને બાયપાસ  કરે છે આ રૂપિયો
 ક્લયુગમાં સૌ પ્રેમથી બોલે, સૌથી મોટો છે આ રૂપિયો

 સૌ કહે છે મારો મારો, પણ કોઈનો નથી આ રૂપિયો
 આજ ભલે મારો કાલે બીજાનો, પડ્યો રહેશે આ રૂપિયો

ક્ષમાપના દિન

જન્મદિન હોય લગ્નદિન હોય પણ આ ક્ષમાપના દિન  એટલે શું ?

સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધે લો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ  ભાવના હોય .અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની  સહભાવના  અને  અને જ્યાં આત્મા અને જ્ઞાન નું   તાદાત્મ્ય હોય .નકારત્મક ભાવ માંથી પોતાને  આઝાદી આપી જીવન માં આગળ  વધવાનો અવસર… માટે ક્ષમા એ વીરનું ભૂષણ કહ્યું છે .દરેક માનવીએ અવકાશ મળે તો  ક્ષમાપના માગી લેવી જેથી જીવન માં આગળ વધી શકાય ..

જૈન ધર્મમાં એ માટે ખાસ અવસર દીધો છે . સવંત્સરી અથવા દશલક્ષણી  પર્વ એનો  અતિંમ દિવસ ક્ષમાપના દિન તેરેકે ઓળખાય છે .મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર….શ્વેતાબર સંઘ ઉપરાંત દિગંબર-પરંપરા પણ પોતાની રીતે પર્યુષણ પર્વની ઉજવણી કરે છે. દિગમ્બર પરંપરામાં દશ પ્રકારના ધર્મ (ક્ષમા, માર્દવ, આજર્વ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય)ની આરાધનાના દ્રષ્ટિકોણથી આ પર્વને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. દશ ભાદરવા શુકલા પંચમીથી શરૂ થાય છે.

પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારા અંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે. પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાંપર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….
આજ વાતને માસીએ કવિતામાં આલેખી છે . મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે .આમ જોવા જેઇએ તો માસી પોતે જૈન નથી પરંતુ જૈન ધર્મનો આખો નીચોડ આ કવિતામાં આપી દીધો છે. જે માસીના સહજ સ્વભાવની પ્રતીતિ કરાવે છે .

તો ચાલો મારાવતી આપ સહુને  

……….મિચ્છામીદુક્કડમ …..

..ક્ષમાપના દિન.

પર્યુષણ મહાપર્વનો  છેલ્લો દિવસ  એ ક્ષમાપના દિન
મન વાણીને કર્મના બંધન છોડી શુદ્ધ ભાવનાનો દિન

અંતરમનના કષાયો, મનમેલ ધોઈ સંવત્સરી ઉજવીએ
ભૂત ભાવી અને  વર્તમાનની કટુતા ધોઈ શુદ્ધ થઈએ

પરિવાર સગા સ્નેહીને ક્ષમા કરવાનો આ શુભ  દિન
ખમાવવાનું ઉત્તમ પર્વ, સંવત્સરી મિચ્છામી દુક્કડમ

પરિવારમાં પ્રસરેલા કટુતાના નિવારણનો આ દિન
નવા વિચાર, વાણી ને વર્તનને સુધારવાનો  દિન

પાંચ મહાવ્રત લઇ ઉત્કર્ષને જીવનમાં અનેરું સ્થાન આપીએ
વહેલા સૂઈ અને વહેલા ઉઠો, જમવામાં અન્ન નવ છાન્ડીએ
પાણીનો દૂર્વ્યય ના કરીએ, સંગ્રહ વૃત્તિને છોડીએ
જરૂરિયાતમંદને મદદ કરવા પાંચ મહાવ્રત્ત લઈએ

શ્રી મહાવીર ને બુદ્ધની ભાવનાઓને જીવનમાં ઉતારીએ
આપણુ જીવનધ્યેય બનાવી ૮૪ લાખ યોનિમાંથી ઉગરીએ

સત્ય, પ્રેમ, કરુણા ને  અહિંસાના મોક્ષ  માર્ગને અનુસરીએ
પર્યુષણ પર્વે, સંવત્સરી, મિચ્છામી દુક્કડમ સૌને પાઠવીએ 

……..પદ્માબેન કનુભાઈ શાહ………

.
 

                        

શુભકર્તા, વિઘ્નહર્તા જય ગણેશ દેવા…

ગણેશ ચતુર્થી

                                                     ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

                                           દુંદાળો  દુખ ભંજનો  અને સદાને બાળે કલેશ,

  પરથમ પહેલા  સમરીએ રે,  ગૌરી પુત્ર  ગણેશ..
આપણે જ્યારે પણ કોઈ સારા કાર્યની શરૂઆત કરીએ છીએ તો કહેવાય છે કે કાર્યના શ્રી ગણેશ કર્યા.આપણાં કોઈ પણ પ્રસંગ હોય કે  હિંદુઓ નું કોઈ પણ મંદિર હોય તો સૌ પ્રથમ ગણપતિ બાપને સ્થાન આપે આ વાતથી જ આપણને સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દરેક કાર્યોમાં ગણેશજીનું કેટલુ મહત્વ છે.એના વિશેની દરેક વાર્તાથી  આપણે સૌ  પરિચિત છીએ .જેને માસીએ શબ્દો થી કવિતામાં આલેખી છે .કવિતાની રચના માસી માટે સરળ અને  સહજ છે ..પરન્તું હું એમ કહીશ કે એમની દરેક રચના એ એમની એ કલ્પના, કળા, કે કુસુમમાળા છે…કવિતા કૃતાર્થ થાય છે, જયારે આપણે સહુ વાંચી અને યાદ કાયમ બની જાય.. અહી માસીનો પ્રયત્ન ગણેશચતુર્થી ..નું મહત્વ સમજવાનો છે .અહી કવિની કલ્પના નથી શ્રધા છે ..જેને માસીએ શબ્દોથી  પરોવીને કવિતાની માળા બનાવી શ્રી ગણેશને અર્પણ કરી છે. .

ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થી છે યુગ જુનો તહેવાર જે ભાદરવા સુદ ચોથે ઉજવાય
પિતા મહાદેવ અને માતા પાર્વતી તેમના પુત્રનો આ છે તહેવાર
સર્વ દેવોમાં છે શ્રેષ્ઠ દેવ “ગણ નાયક” રિદ્ધિ સિદ્ધિના એ  સ્વામી
જેમની આરાધના સૌ કોઈ કરતા સુખી થતા જગમાં  સર્વ નરનારી

હિમ આચ્છાદિત કૈલાસ શિખર પર શિવ પાર્વતીનો આવાસ
માતા પાર્વતી બેઠા સ્નાન કરવા ગયા, ઉંબરે બાળકને બેસાડી
શિવજી માંને મળવા આવ્યા, બાળકે રોક્યા,અંદર જવા ના પાડી
ક્રોધે ભરાયા શિવજી, માર્યું ત્રિશુલ, ધડથી માથું પડ્યું  વેગળું દૂર 

 “ઓ સ્વામી ” કરો મારા બાળકને સજીવન, માએ રૂદન આદર્યું
શિવજીના ગણ દોડ્યા ચારે દિશાએ, લાવ્યા બાળ હાથીનું માથું
સંજીવનીના મંત્ર બળે પ્રભુ શિવજીએ બાળકને જીવન દાન દીધું
આશિષ દીધા માત પિતાએ, “દિકરા તારો સદા જય જય થાય”

 સર્વ શ્રેષ્ઠ દેવ ગણાશો જગમાં પ્રથમ પૂજન થશે તમારૂં
રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા, મુષક વાહન સોહે અનેરૂં
દુર્વા સોપારી સિંદુર ફળ ફૂલ અગરબત્તી, પંચામૃતથી
પૂજન જગમાં થાય તારું, વિઘ્ન વિનાશક ગણરાજા તું

આંધળાને દૃષ્ટિ દેનાર  તું, પાંગળાને પાય દેનાર છે તું
નિર્ધનને ધનવાન બનાવે, કોઢીઆને રૂપ દેનાર પણ તું
સર્વ શ્રેષ્ઠ દેવ તમે,તને નમન હો, જય હો કોટી કોટી પ્રભુ
જળમાં વિસર્જન થાય જગમાં ભક્તિભાવ આનંદ સહ પ્રભુ.

પદ્માબેન કનુભાઈ શાહ