તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(13) પ્રેમની પરિભાષા -રોહિત કાપડિયા

પ્રેમની પરિભાષા
________________

“અવિનાશ ,મને માફ કરજે. આ મારું રાજીનામું અને આ મારાં પપ્પાએ લખેલ પત્ર છે. તું   વાંચી લેજે એટલે મારો જવાબ તને મળી જશે.” વિશ્વાનાં હાથમાંથી પત્ર લેતાં અને તેનાં હાથમાં એક પત્ર મૂકતાં અવિનાશે કહ્યું ” વિશ્વા, બેસ અને આ પત્રમાં મારો જવાબ છે તે તું પણ વાંચી લે.”
વિશ્વાનો પત્ર ખોલીને અવિનાશે વાંચવા માંડ્યો .
બેટા,
તું હમેંશા કહે છે કે હું માત્ર તારો પિતા નથી પણ તારો મિત્ર, રાહબર અને ફીલોસોફર પણ છું. ગઈ કાલે પૂછેલાં તારી જિંદગીનાં એક મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ મારે તને સામો સામ આપવો જોઈતો હતો પણ એમ ન કરી શક્યો. તેથી જ આ પત્ર લખ્યો છે. તું બે વર્ષની હતી ત્યારે તારી મમ્મી સ્વર્ગલોક સિધાવી ગઈ હતી. તે દિવસથી લઈને આજ સુધી મેં તને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપ્યો છે. તારી હર ખુશીનું ધ્યાન રાખ્યું છે. તારી હર ઈચ્છા ,તારી હર માંગણી પૂરી કરી છે. ખેર ! ગઈ કાલે તે કરેલી માંગણીને હું પૂરી કરી શકું એમ નથી.
જિંદગીમાં પ્રથમવાર તારી મરજી વિરુદ્ધનો નિર્ણય લઉં છું.
તને તારી ઓફિસના માલિક અવિનાશ સાથે પ્રેમ થઇ ગયો છે. અવિનાશ , કોઈ પણ  જાતિનો, કોઈ પણ ધર્મનો હોત તો મેં એનો સ્વીકાર કર્યો હોત ,કારણકે નાત-જાતનાં બંધન પ્રેમની આડે આવે તે મને માન્ય નથી. અવિનાશ પરણેલો છે. તારાં કહેવા મુજબ તેનું લગ્ન
વડીલોનું મન સાચવવા માટેની એક દાંભિક ક્રિયા હતી. ભણેલાં ,ગણેલાં અને નાની ઉંમરે વ્યવસાયમાં ખૂબ જ આગળ વધેલાં અવિનાશ સામે ગામડાંની સાવ મામૂલી ભણેલી એની પત્ની આશા એ બંનેનો મિલાપ કજોડું જ ગણાય એમ તારું માનવું છે.  તું માને છે કે આખી જિંદગી દુઃખી રહીને સાથ નિભાવવાના બદલે હજુ જયારે તેમના લગ્નને એક જ વર્ષ થયું છે ત્યારે બંને છુટા થઈ જાય તે જ યોગ્ય છે. અલબત્ત, અવિનાશે તને કહ્યું છે કે એની પત્ની આશા રાજી ખુશીથી છૂટાછેડા માટે તૈયાર થશે તો જ તારી સાથેનો સંબંધ  એ આગળ વધારશે અને તેં કહ્યું છે કે પપ્પાની એટલે કે મારી સંમતિ હશે તો જ તું સંબંધ આગળ વધારીશ. બેટા , આશાનાં જવાબની મને ખબર નથી પણ આ સંબંધને આગળ વધારવાની સંમતિ હું નથી આપતો. બહુ જ ભારે હૈયે તારાં પ્રેમની આડે આવવાનો નિર્ણય લીધો છે. કોઈનાં હાથમાંથી જામ ઝૂંટવીને પીવાનો આપણને કોઈ અધિકાર નથી. પ્રેમમાં જે મજા છોડવામાં છે, ત્યાગવામાં છે તે મજા મેળવવામાં નથી. પ્રેમ હમેંશા સમર્પણ માંગે છે. એક પ્રેમિકા તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે જો તું વિચાર કરશે તો તને પણ લાગશે કે તું આશાને અન્યાય કરી રહી છે. ખેર ! છતાંયે જો અવિનાશ સાથેનાં સંબંધમાં તને કશું અજૂગતું ન લાગતું હોય તો તું તને યોગ્ય લાગે તે પગલું લેવાં સ્વતંત્ર છે. બાવીસ વર્ષમાં પ્રથમવાર તારી ઈચ્છા ન પૂરી કરી શકનાર
                                            તારા પપ્પા
અવિનાશની આંખ સામે પત્ર પૂરો થતાં જ ,વિશ્વાનાં પપ્પાનું એક ગૌરવશાળી ચિત્ર ઉભું  થયું. આ બાજુ વિશ્વાએ પત્ર ખોલીને વાંચતા,
વિશ્વા ,
માફ કરજે. ગઈ કાલે રોજનાં ક્રમ મુજબ આશા મારી બાજુમાં આવી. મારાં ચરણસ્પર્શ કરી ,મારાં મસ્તક પર હાથ ફેરવીને સૂઈ જવાની તૈયારી કરી રહી હતી. અત્યાર સુધી આશા તરફથી માત્ર પ્રેમ અને આદર જ મળ્યો હોઈ ,આપણાં સંબંધની વાત કઈ રીતે કહેવી તેની મૂંઝવણ અનુભવી રહ્યો હતો. એનાં દિલ પર વજ્રાઘાત થઇ એવી વાત કહેવાની હતી. મન મક્કમ કરીને મેં એનો હાથ પકડીને બાજુમાં બેસાડતાં કહ્યું “આશા, તેં મને હંમેશા પ્રેમ આપ્યો છે પણ મારો પ્રેમ માત્ર ઉપરછલ્લો દેખાવ જ હતો. તું ગામડાંની છે અને તારી તુલનાએ મારું ભણતર ખૂબ જ ઊંચું છે. વડીલોનાં વચનને નિભાવવા મેં તારી સાથે લગ્ન તો કર્યા પણ મારુ મન માનતું નથી. તું હજુ પણ ગામડાંની ઢબે જીવે છે જે મારાં જેવાં આધુનિક, સમાજ તેમ જ મિત્રવર્તુળમાં માનપાત્ર સ્થાન ભોગવતાં શિક્ષિત યુવાન જોડે કજોડાં જેવું લાગે છે. મને મારી ઓફિસમાં કામ કરતી છોકરી વિશ્વા સાથે પ્રેમ થઇ ગયો છે. અલબત્ત, તું સંમતિ આપશે તો જ હું આ પ્રેમને આગળ વધારીશ. જો તારી મરજી નહીં હોય તો હું અહીં જ અટકી જઈશ અને ભવિષ્યમાં પણ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં નહીં પડું. મનને મનાવીને હું આપણાં સંબંધને નિભાવી લઇશ .હાં ! જો તારી મરજી હશે તો તને છોડીને હું તને જરા પણ દુઃખી નહીં થવાં દઉં .તારાં મા-બાપ માટે પણ તને બોઝ નહીં થવાં દઉં .તારાં જીવનભરનાં ભરણપોષણનો હું ખ્યાલ રાખીશ . તું ઇચ્છતી હશે તો યોગ્ય પાત્ર સાથે ફરી પરણાવવાના પ્રયત્નો પણ કરીશ .”
મને હતું કે  આમ તો એ મારી ઉપેક્ષાથી ટેવાયેલી છે પણ આ વાત સાંભળતાં
જ એ રડી પડશે .ભાંગી પડશે .મારાં પગ પકડીને મને ન છોડી દેવાની વિંનતી કરશે .એનાં બદલે આંખમાં આવેલાં આંસુને લૂંછતા એ બોલી ” નાથ ,માફ કરજો .એક પત્ની તરીકે હુંl તમને ખુશ નથી રાખી શકી તેનો મને અફસોસ છે .તમે વચન નિભાવવા લગ્ન કર્યાં છે ને તેથી તમને મૂંઝારો થાય છે પણ મેં તો પતિને પરમેશ્વર ગણીને પૂજવા લગ્ન કર્યાં છે .હું તો મારાં પ્રભુની પૂજા કરીને બહુ જ ખુશ છું .પણ જો મારાં પ્રભુને મારી પૂજા કબુલ ન હોય તો જરૂરથી તમે વિશ્વા સાથે લગ્ન કરો અને ખુશ રહો . મારી ખુશી તો તમારી ખુશીમાં જ છે . મારાં ભરણપોષણની ચિંતા ન કરતાં .હું તો કોઈ નારીસમાજની પ્રવૃત્તિમાં જોડાઈ સેવાનો માર્ગ અપનાવી લઈશ .બીજાં લગ્નનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી .જૂદાં થઈને પણ હું મનથી તમને
જ વરેલી રહીશ. હાં ! પણ જીવનમાં તમને જયારે મારી જરૂરત લાગે, જયારે પણ પાછાં ફરવાનું મન થાય ત્યારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મારી પાસે આવી જજો. “બસ , આટલું કહીને સહજ રીતે સૂઈ ગઈ .વિશ્વા, એનાં સૂતાં પછી હું વિચારે ચઢ્યો.એ ગામડાંની હતી એ વાતની મને લગ્નપૂર્વે ખબર જ હતી તો એને અપનાવવી કે નહીં તેનો વિચાર મારે લગ્નપૂર્વે જ કરવો જોઈતો હતો. વડીલોનાં વચનોને નિભાવવાને બદલે મારે વિરોધ કરવો જોઈતો હતો. વાંક મારો છે તો એની સજા એને શા માટે આપું ? મારી ઉપેક્ષાને અવગણીને એણે હમેંશા મને પ્રેમ કર્યો છે. મારી નાની નાની જરૂરિયાતોનો ખ્યાલ રાખ્યો છે. વાસ્તવમાં મને પરમેશ્વર માની મારી પૂજા કરી છે. તો શું હું થોડી ઘણી બાંધછોડ કરી , થોડું એનામાં પરિવર્તન લાવી જિંદગીને પ્રેમમય ન બનાવી શકું ? એ ભણેલી નથી પણ સમજુ છે, હું ભણેલો  છું પણ નાસમજ છું. પ્રેમની પરિભાષાને એ સમજી છે જયારે હું કદાચ પ્રેમને સમજ્યો જ નથી. આવા તો કેટલાં વિચારો પછી મેં આશાને જગાડીને કહ્યું ” આશા, હું દૂર ગયા વગર જ પાછો આવી ગયો છું. મને તારી જરૂરત છે. દિલથી મને માફ કરીને તારામય બનાવી દે. “પછી તો અમે બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યાં .વિશ્વા ,ફરી તારી માફી માંગુ છું. મને સમજવાની કોશિષ કરજે.
          તારો ભાઈ અવિનાશ.
પત્ર પૂરો થતાં જ વિશ્વાની આંખની સામે આશાની પ્રેમમૂર્તિ ઉભી થઇ. એણે મનોમન આશા અને પપ્પાનો આભાર માન્યો. પોતે આપેલાં રાજીનામાંના કાગળના ટુકડા કરતાં અવિનાશના હાથ પર રૂમાલ બાંધતા વિશ્વાએ કહ્યું ” ભાઈલા ,તારી બેનની આ વીરપસલી સદાયે તારી રક્ષા કરશે અને તને ખુશ રાખશે.”
વાતાવરણ પવિત્ર પ્રેમની સુગંધથી મહેંકી ઉઠ્યું.
                        રોહિત કાપડિયા

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ-૫)

મેઈલ સાથે લેખમાળા પુરી થાય છે. કુલ ૨૫ મેઈલમાં મેં પાંચ સર્જકોની ૨૫ રચનાઓમોકલી. ખાસ વાત છે કે પાંચ સર્જકો મારા અંગત મિત્રો છે. શ્રેણીમાં સમાવી શકાય એવા બીજામિત્રો પણ છે, પણ કામ હાથ, આંખો અને કમર પાસેથી જે મહેનત માગી રહ્યું છે, એટલી મહેનતમારાથી હવે સહેલાઈથી થતી નથી. છતાં ફરી મોકો મળતાં થોડા વધારે મિત્રોની રચનાઓ મોકલવા પ્રયત્નકરીશ.

આજે જયશ્રીબહેનની એક ટુંકીવાર્તા મોકલું છું. આશા છે કે એમની અગાઉની રચનાઓની જેમ પણતમને ગમશે.

Inline image 1

Inline image 2

Inline image 3

Click here to Reply, Reply to all, or Forward
13.95 GB (82%) of 17 GB used
Last account activity: 8 hours ago

Details

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ)-4

 

પહેલી ત્રણ પ્રસ્તુતિમાં તમે જયશ્રી બહેનના પદ્યનો આસ્વાદ કર્યો. આને એમના ગદ્યની પ્રસ્તુતિ કરૂં છું. એમણે નિબંધ અને ટુંકી વાર્તાઓનું પણ સર્જન કર્યું છે. આજે એમનું આત્મકથન પ્રકારનું એક સર્જન મોકલું છું. સમયના અભાવે હું એને વર્ડ ફોર્મેટમાં ટાઈપ નથી કરી શક્યો, એટલે સ્કેન કરીને મોકલું છું, આશા છે કે આપ તે વિના મુશ્કેલીએ વાંચી શકશો. જરૂર પડે તો ઈ-મેઈલને કોપી કરી વર્ડમાં પેસ્ટ કરી, છાપેલું છે એને મોટું કરી વાંચી શકશો.

Inline image 1

 Inline image 2

Inline image 3

રજૂઆતઃ પી. કે. દાવડા

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ-૩)

આજે જયશ્રીબહેનની બે ગઝલ રજૂ કરૂં છું. એમની પહેલી બે પ્રસ્તુતિ તમને ગમી છે તો આ પણ ગમશે.

મળશે તો?

શોધવા નીકળીશ રાહબર અને ખુદ ખુદા મળશે તો?

વિધીના લેખ રૂપે, સાંગોપાંગ, વીધાતા જ મળશે તો?

સેજ, મેડી, બારી, બારસાખ બધાં અવાચક થઈ જશે,

બનીને ચાંદ, દુલ્હન રૂપે મારી પડખે તું જો મળશે તો.

એક અડપલું અમથું નજરનું કર્યું, ત્યાં હતી શી ખબર?

મારા હાથમાં મહેંદીના વનનાં વન પછી મળશે તો.

કસુંબલ આંખોનો કેફ કરતાં પછી મને બીવડાવો નહીં,

વીદાય, વ્યથા અને વેદનાનાં વમળ મને જો મળશે તો?

જેને અક્ષરરૂપે પામવા, જીવનભર બસ ઝુર્યા કર્યું,

‘ભગ્ન’ કબર પર પછી એના જ હસ્તાક્ષર મળશે તો?

*********************************************

જિંદગી ગઈ સરી…!

નામ લઈ એમનું લ્યો, જુઓ, શું ય હું ગઈ કરી!

ઝાંઝવાના હતા સાગરો એ બધાય હું ગઈ તરી!

હું જ છું પ્રતિબિંબો મહીં કે કોઈક બીજું જ છે?

શોધતાં આ જવાબો સૌ અહીં જિંદગી ગઈ સરી!

બાવરી રાધા લ્યો એકલી જ થઈ બદનામ પણ!

શ્યામની બાંસુરી મન જ રાધાનું હતી ગઈ હરી!

છે અહીં ક્યાં એવુંયે કશું જેનાથી હુંય જાઉં ડરી?

પણ જોયો આયનો ઓચિંતો, હું ય લ્યો ગઈ ડરી!

બાગમાં તો કશું કોઈનું ય બગડ્યું જ છે ક્યાં?

ભર વસંતે કળી એક ખીલ્યા વિણ જ ગી ખરી!

જયશ્રી વિનુ મરચંટ

રજૂઆતઃ પી. કે. દાવડા

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(12) વસુબેન શેઠ ,

દુવિધા 

કરસનકાકા નાનપણ થીજ અમારું દયાન રાખતા,કદાચ એમની હાજરીમાંજ અમારો જન્મ થયો હશે ,
ખુબજ સંભાળ રાખીને અમને ઉછેરીને મોટા કર્યા,અમારા જન્મ પહેલાતો ઘણાને ઉછેરીને મોટા કર્યા 
હશે,કરસનકાકા ખુબજ દયાળુ ,પ્રેમાળ અને સરળ સ્વભાવના હતા,આખો દિવસ ધીમે ધીમે કામ કર્યા 
કરે.સમયસર બધાને ખોરાક આપવો ,પાણી આપવું ,ક્યારે પણ ચુકતા નહીં। અમારો પરિવાર પણ ઘણો મોટો હતો.ઘણા વડીલો,જુવાનો અને ભુલકાઓ હતા.શિયાળામાં અમે ઠરી ના જઈએ ,ઉનાળામાં અમે 
સુકાઈ ન જઈએ અને ચોમાસામાં અમને રોગ ના લાગે તેની કરસનકાકા ખુબજ ધ્યાન રાખતા,પોતાના પરિવારની જેમ ઉછેરતા। 
હવે તમને હું સાચો પરિચય આપું,કરસનકાકા માળી છે અને હું એમનો બગીચો ,હું,બગીચો તમને માળીકાકા ની વાત કરું છું ,માળીકાકા હંમેશા અમારી સાથે વાતો કરે ,ભજન પણ સંભળાવે ,કયારેક 
ઉદાસ હોય ત્યારે એમના સુખ દુઃખ ની પણ વાતો કરે,અમારાથી બને તેટલી એમને હૂંફ આપવાનો પ્રયત્ન કરીયે,માળી કાકા આવે એટલે એમના શ્વાસોશ્વાસમાં અમે ભળી જતા,સવાર પડે એટલે એમને જોવા માટે અમે તલસી રહ્યા હોઈયે ,અમારે કુદરતની સાથે ઘણું જોડાણ,જેટલો મોટો અમારો પરિવાર તેટલું સુખ અમે લોકોને આપી શકીયે,વરસાદ પણ અમારાથી ખેંચાઈ ને આવે,ઉનાળામાં અમારા થકીજ શીતળ વાયુ વહે,શિયાળામાં અમેજ ઠડી વહેતી મુકીયે ,પણ કોઈ કોઈ વાર લોકોની ઈચ્છા પુરી કરવા અમે મુશ્કેલીમાં મુકાઈ જઇયે છે ,
કરસનકાકા ને બે દીકરીઓ ,ખુબજ સંસ્કારી,હોંશિયાર અને સુંદર,બન્ને દીકરીઓને સારા સંસ્કારી કુટુંબ માં પરણાવી,એકને ખેડૂતને ત્યાં પરણાવી અને બીજી ને કુંભારને ત્યાં પરણાવી ,કરસનકાકાના માથેથી બોજો ઉતરી ગયો ,ઘણા સમય થી બન્ને દીકરી ના કોઈ વાવડ ન હોવાથી કરસનકાકાને થયું લાવ ને ખબર કાઢી  આવું ,મોટી દીકરી ને ત્યાં ગયા અને પૂછ્યું કેમ બેટા સુખી છેને ,દીકરી કહે હા,બાપુ ખેતી સારી ચાલે છે બીજ હમણાંજ રોપ્યા છે, બસ પંદર દિવસમાં જો વરસાદ પડે તો લીલા લહેર ,બાપુ આશીર્વાદ આપો કે વરસાદ પડે,બાપુ ખુશ થઈ ને બોલ્યા તારી આશા પૂર્ણ થાવ,હવે નાની દીકરીને ઘેર જવાનો વખત આવ્યો,દીકરીના હાલ ચાલ પૂછ્યા ,દીકરી કહે ,બાપુ હમણાંજ બધા ઘડા ઘડી ને તાપ માં તપવા માટે મુક્યા છે,બસ બાપુ પંદર દિવસ જો વરસાદ ના પડે તો લીલા લહેર છે ,બાપુ ખુબ ખુશ થયા,અને આશીર્વાદ આપ્યા કે તારી માનો કામના પૂર્ણ થાવ,માળી કાકા નો હવે ઘેર જવાનો સમય આવી ગયો ,
રસ્તામાં વિચાર કરે છે ,બન્ને દીકરીઓને આશીર્વાદ તો આપ્યા પણ જો વરસાદ પડશે તો નાની દીકરી દુઃખી થશે,જો વરસાદ નહીં પડે તો મોટી દીકરી દુઃખી થશે,હવે શું કરવું મેં તો બન્નેને આશિષ આપ્યા,જોઈએ કુદરત નો શું ન્યાય છે ,
પણ એક વાત કહું ,જો,તમે મનુષ્યો અમારો પરિવાર જેટલો વધારશો તેટલા તમે ફાયદા માં છો,તો અમે પણ કુદરત ને ફેરવી શકીશું અને તમારી મુશ્કેલીઓ દૂર કરીશું,,,,વિચારી જો જો 
 
                                                                                     વસુબેન શેઠ ,

ખિલ્લી ઉપર મારો ગાઉન ટીંગાડીને નીકળી જાઉં-અનિલ જોશી

Posted by Anil Joshi on July 26, 2016 at 1:48amView Blog
 
 
આજે મારે આપ સહુ મિત્રો સાથે ઈજીપ્તની પ્રતિભાશાળી કવિયત્રી ઈમાન મર્સેલની કવિતાઓ વિષે થોડોક સત્સંગ કરવો છે ઈમાન માર્સેલે ફેરો યુનિવર્સીટીમાંથી એમ એ અને પી એચડી કર્યું છે. ઈમાન ” ડોટર ઓફ અર્થ ” નામના સામયિકની સ્થાપક અને કૉએડિટર રહી ચૂકી છે અત્યારે ઈમાન બોસ્ટનમાં એના પતિ સાથે રહે છે. બે સંતાનો મુરાદ અને ફિલિપ્સ કેનેડામાં છે. ઈમાન 1999 સુધી એરેબિક ભાષાના એસોસિએટેડ પ્રોફેસર તરીકે અલ્બ્રતા યુનીવર્સીટીમાં સેવાઓ આપી ચૂકી છે.ઈમાન મર્સેલની રચનાઓનું ભાવવિશ્વ બિલકુલ અલગ છે. આપણે જે ઘરમાં વર્ષો સુધી રહ્યા હોઈએ અને પછી એ ઘર છોડીને નવા ઘરમાં શિફ્ટ થઈએ ત્યારે જૂના ઘરની સ્મૃતિઓનો ચાવીઝૂડો સાથે લેતા જઈએ છીએ.આપણી ભાષામાં બલવન્તરાય ઠાકોરનું ” જૂનું પિયરઘર ” તમને જરૂર યાદ આવશે રાજેન્દ્ર શાહનું ” આયુષ્યના અવશેષે ” કાવ્યની સ્મૃતિ આળસ મરડીને ઉભી થશે. બાલમુકુન્દ દવેનું જૂનું ઘર ખાલી કરતા સોનેટ તરત યાદ આવી જશે. ઈમાન મર્સેલનો જૂના ઘર વિષેનો અનુભવ અલગ છે.ઈમાનની આ કવિતા વાંચો :
 
એક દિવસ હું એ મકાનની પાસેથી પસાર થતી હતી
જે મકાન વર્ષો સુધી મારું ઘર રહ્યું હતું
મને એ વિચાર નથી આવતો કે
આ ઘરથી મારા દોસ્તોના ઘર કેટલા છેટા હતા
પેલી જાડીપાડી વિધવા હવે મારી પડોશણ નથી
જેના પ્રેમ માટેના રૂદનો મને ઊંઘમાંથી જગાડી દેતા હતા
ભ્રમથી બચવા માટે કેટલીક ચીજોને મારે ભૂલવી પડશે
એ માટે હું મારા ડગલા ગણીશ
નીચલા હોઠને દાંતથી દબાવીને થોડોક કાપીને
એના દર્દની મજા લઈશ
અથવા મારી આંગળીઓને બીઝી રાખવા માટે
ટીશ્યુ પેપરનું આખું પેકેટ ફાડવા માટે આપી દઈશ
ત્યાં પહોચવા માટે હું શોર્ટકટ નહિ લઉં
હું મારા દાંતોને શિખવાડી દઈશ કે નફરતને કેમ ચાવવી
જે મારી ભીતર જ જન્મી હતી
આ મકાન વર્ષો સુધી મારું ઘર રહ્યું
આ કોઈ હોસ્ટેલ નહોતી કે જ્યાં બારણાની પાછળ
ખિલ્લી ઉપર મારો ગાઉન ટીંગાડીને નીકળી જાઉં
 
ઈમાન મર્સેલની આ કવિતાનું સંવેદન ખાસ સમજવા જેવું છે. અહીં કોઈ લાગણીવેડા નથી. કવિ ચિત્ત બિલકુલ નિર્ભ્રાંત છે. પોતાની અંદર રહેલી નફરતને કેમ ચાવી જવી એ દાંતોને શિખવાડવાની વાત ઈમાન કરે છે.આ કવિયત્રી હવે અછાંદસ કવિતાઓ વધુ લખે છે લયબદ્ધ ગીતો લખવા છોડી દીધા છે. કેરોના સાહિત્યિક મેગેઝિનોમાં એની કવિતાઓ અવારનવાર પ્રસિધ્ધ થતી રહે છે ઈમાનની કવિતાનું ભાવવિશ્વ રોજબરોજની જિંદગીના પ્રસંગો, એનો આનંદ, એના દુખ-દર્દથી ભરેલું છે. અત્યારે ઈમાન બોસ્ટન છોડીને કેનેડામાં સ્થાયી થઇ છે ઈમાન પોતે એક સામયિકની એડિટર તરીકે રહી ચૂકી છે એટલે એણે ” એડિટરની કેબિન ” ઉપર એક સરસ કવિતા લખી છે. તંત્રીનો અર્થ ” માત્ર ” તંત્રવાહક ” થાય છે. તંત્રને વહન કરે તે તંત્રી એ વાત ઈમાન બરાબર સમજે છે.તંત્રીના ગમા-અણગમાથી તે પરિચિત છે.ઈમાન એ પણ જાણે છે કે તંત્રી અનેક ગિલ્ટ સાથે જીવતો હોય છે.
ઈમાન લખે છે : ” હું જે ટપાલો ખોલતી હતી એમાં કેટલા બધા અભાગી લેખકોનું થૂંક સૂકાઈ ગયું હતું ” ઈમાનની ચેતનાને આવું બધું ફાવ્યું નહિ એટલે તો એણે તંત્રીપદ છોડી દીધું અને સર્જકતાના માર્ગે વળી ગઈ. એક એડિટરની કેબિન કેવી હોય છે એનું વર્ણન માર્સેલે પોતાના સ્વાનુભવને આધારે આ કવિતામાં કર્યું છે. કવિતાનું શીર્ષક છે : ” એડિટરની કેબિન “
 
એકવાર હું બની ગઈ એક સાહિત્યિક સામયિકની તંત્રી
અને આખી દુનિયા મારા માટે ધૂળ ખાતી હસ્તપ્રતો બની ગઈ
રોજ ટપાલોનો ઢગલો થતો હતો
પરબીડિયા પર ચોડેલી ટિકીટો ઉખાડવાનું રોમાંચક કામ મારે રોજ કરવું પડતું
જે ટિકીટો પર અભાગી લેખકોનું થૂંક સુકાતું હતું
રોજે રોજ એડિટરની કેબિનમાં આવવું અને મારી જાતને એક ખૂણામાં ધરી દેવી
જાણે મ્રારા કોન્ટેક્ટ લેન્સને બહાર કાઢીને મૂકતી હોઉં
બીજા લોકોની હતાશાને માપવા માટે
મારી પાસે હતાશા જ હતી
બહુ સાફ શબ્દોમાં કહું તો આ બિલકુલ ઉચિત નહોતું એક સામયિક માટે
જેનું લક્ષ્ય એક સમતાવાદી સમાજ છે
એડિટરની કેબિનમાં કોઈ બાલ્કની નહોતી
સર્વત્ર કાતરો જ હતી

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(11) પન્નાબેન શાહ

વિધિપુત્ર  -જમાઈ

આજે “મંથન નિવાસ ” માં સનનાટો છવાઈ ગયો હતો . જયાંસદા નિરવ શાંતિ આનંદ નું વાતાવરણ રહેતું ત્યાં આજે રુદન આક્રોશ વિરહ વેદના એ સ્થાન લઈ લીધું હતું . મનોહરદાદા અને સ્મિત પરિસ્થિતિ ને સંભાળવા નો પ્રયત્ન કરી રહ્યા હતા . શૈલી ની ચીસ અને રુદન તેના રહદય નો બંધ કોશ આશુ ંરૂપે ટપકી રહ્યો હતો . શૈલી નો આક્રોશ ,, ,,,, સ્મિત તે આ શું કર્યું !!! તે મને મારી મરણશૈયા એ પડેલી મા ના અંતિમ દર્શન કરવા મજબૂર પણ ના કરી !???! અરેરે રે , હું કેટલી વામણી, પથ્થર રહદય ની ને અશક્ત પુરવાર થઈ !!!! પણ સ્મિત નિરુત્તર નિસહાય ને નિ: શબ્દ રહ્યો . મનોહરદાદા દીકરી સમાન પુત્રવધૂ ને સજલ નેત્રે આશ્વાસન આપી પરિસ્થિતિ ને સંવારવા નો પ્રયાસ કરી રહ્યા હતા . ધરના સર્વે સ્વજનો શૈલી નું આ સ્વરૂપ પહેલી વાર નીરખી રહયાહતા . બાળકો ડરી ને અવાચક બની ગયા .
ભૂતકાળ માં જો ડોકિયું કરીએ તો વસ્તુ સ્થિતિ ને સમજી શકાય .
હરિવદનદાદા અને કમળા બા ખુબ નિખાલસ , નમ્ર , સેવાભાવી ધરમપરાયણ આદર્શ દંપતી . ત્રણ પુત્રો અમર આકાશ , અાશય, ને એક પુત્રી શૈલી ના માતા પિતા . બાળકો ને સુંદર સૃદઢ સંસ્કાર આપી ઉત્તમ કેળવણી અપાવી હતી , હરિવદનદાદા કેમિકલ ની ફેકટરી ના માલિક , ગર્ભશ્રીમંત પણ ખુબ સાદગી થી રહેનારા. આ બધી સંસ્કારિતા ની મહેક શૈલી ના સ્વભાવ માં અક્ષરશહ કંડારાઈ ગઈ હતી . મોટા બે પુત્રો વ્યવસાય માં જોતરાયેલા જ્યારે નાનો પુત્ર આશય તેના સસરા ની કંપની માં ભાગીદાર થયેલો. શૈલી ને જ્ઞાતિના પ્રતિષ્ઠિત આગેવાન ને ન્યાયાધીશ તરીકે નામના મેળવવાના મનોહરદાદા ના એક માત્ર પુત્ર સ્મિત સાથે પરણાવી હતી . શૈલી સ્વભાવે નમ્ર , સાલસ, આંતરમુખી , પ્રસન્ન વદન દયાભાવ રાખનારી સ્ત્રી . સ્મિત એક પ્રમાણિક નેક સમજુ સ્વભાવ ધરાવનાર હાઈકોટઁ નો કામયાબ વકીલ .
એક સવારે 4 વાગ્યે ઊઠી જનારા હરિદાદા ઊઠ્યા નહી , પુત્રો ને એમ કે આજે પાપા સુવે છે તો તેમને ખલેલ પડે તેમ ના કરતા સુવા દીઘાં , પણ સવાર ના 9 વાગી ગયા ઘર ના સૌ ગભરાઈ ગયા ને ડોકટરને બોલાવ્યા . ડોકટરે નિદાન કર્યું “। હરિદાદા ચીર નીંદરમાં પોઢી ગયા છે . સેૌ ને માથે જાણે આભ ફાટ્યું હોય તેવી નાજુક પરિસ્થિતિ ઊભી થી ગઈ. અંતિમ ક્રિયા વિગેરે ભારે હૈયે પતાવી . આ નાજુક ઘડી માંથી બહાર આવતા સમય લાગ્યો। , પણ ત્યારબાદ કમળાકાકી અવાચક, સુનમુન ને નિ:શબ્દ બની ગયા .
કહેવાય છે “જ્યારે ઘર ના મોભી ના રહે ત્યારે સગાવહાલાં, દુન્યવી સંબંધીઓ કપરા સમય માં મુખ પણ ફેરવી લે છે . તેવી પસ્તાળ કમુબા ના જીવન માં ઊદભવી. તેમના પેટે જ કમુબા ને દગો દીધો. ઓછું ભણેલા પણ અનુભવ થી ઘડાયેલા હતા. પુત્રો એ તેમની વિરુદ્ધ જઈ માલ મિલકત ના ભાગ પડાવી કાગળો માં સહીસિકકા કરાવી લીઘાં . કમુબા એ મિલકત ના પાંચ ભાગ કરવા પુત્રો ને ખુબ વિનવણી કરી ને શૈલી નો પણ સરખો હિસ્સો રહે , પોતા નો પણ સરખો . ઘર ની પુત્રવઘુઓ એ શૈલી ના માટે હવે આ ઘર ના દ્વાર સદા માટે બંધ થઈ ગયા નો જાણે ચુકાદો આપી દીધો . બસ , શૈલી એ તે સમય થી પિયર ને સદા માટે તિલાંજલિ આપી દીધી . પિતા ના મૃત્યુ સાથે પોતાની જાતને પણ આ ઘર માટે મૃત્યુ માં હોમી દીધી . સ્મિત ને પણ સ્પષ્ટ શબ્દો માં તેની લાગણી નો સજળ નેત્રે ઊભરો ઠાલવી દઈ સહજ જીવન જીવવા લાગી. છેવટે પુત્રો કમુબા ને અાનંદ આશ્રમ માં મુકી ગયા . કમુબા એ આનંદ આશ્રમ માં જતા પહેલા શૈલી ને મળવા બોલાવી ને હકીકત થી વાકેફ કરી પણ પથ્થર દિલ નિષ્ઠુર બનેલી શૈલી મનોહરકાકા કે સ્મિત ની સમજાવટ થી પણ કમુબા ને તેનું મો બતાવવા નહી ગઈ .
શૈલી ના જીવન નો નવો વળાંક , નવં અધ્યાય . એક જ લક્ષ્ય “”મંથન નિવાસ “” તેનું અંતિમ ધામ . પિતાતુલ્ય સસરા મનોહરદાદા એ તેને પુત્રી નો ભરપૂર પ્રેમ આપ્યો . સ્મિત ની મા સ્મિત ના શૈશવકાળ માં જ દેવલોક પામેલા . નવી મા મારા સ્મિત ને સારીરીતે નહી રાખે તો મારા સ્મિત નું શું!? આ ડર અને ભય ને કારણે મનોહરકાકા એ ફરી લગ્ન કર્યા ન હતા . હવે તે ફક્ત સ્મિત જ નહી શૈલી ના પણ મા ને બાપ ની જવાબદારી ઊઠાવી લીધી .
એક સવારે આનંદ આશ્રમ માંથી સંચાલક અરવિંદભાઇ નો ફોન આવ્યો . શૈલી એ રીશીવર ઊપાડ્યું , સામે છેડેથી અરવિંદભાઇ એ કમુબ ા ની ગંભીર બીમારી ની વાત કરી ને કહ્યું કે બા તમને સૌ બાળકો ને છેલ્લી ધડી એ જોવા ઇચ્છે છે , શૈલી બોલી ઊઠી ,” ભાઇ હવેથી અહીં ફોન કરશો નહી કેમકે તે ઘર માટે હું પાંચ વરસ થી મરી ચૂકી છું . મારી મા મારા ત્રણ ભાઈઓની જવાબદારી છે મારી નહી માટે મહેરબાની કરી ને ફોન હવે કરશો નહી. તમારા ભાઈઓએ પણ સમય નથી પણ બાની સારવાર ના પૈસા અમે મોકલી આપીશું પણ અમને બહાને ફરી હેરાન કરશો નહી . એકસાથે જ શૈલી એ ફોનનું રિસીવર પછાડી ને મુકી દીધું . પણ બીજા રૂમ મા ફોન ની લાઇન હોવા ને કારણે સ્મિતે પણ ફોન ઉપાડી ફોન ની વાત સાંભળી . ને તે સમયે જ મારે વકીલાત ની મુદત નું કામ નું બહાનું કાઢી સ્મિતે કાર ને” આનંદ આશ્રમ ” તરફ વ ાળી લીધી . કમુબા ના ખોળા માં માથું મુકી ચોધાર આશુ સાથે રડી લઇ અરવિંદ ભાઇ ને બા ની ઉત્તમ સારવાર માટે ડોકટરને સિંચન કર્યું . પૈસા ની કોઇ કચાસ કરશો નહી . અને હું રોજ સવારે બા ને મળવ ા આવીશ પણ મારી હાજરી ની વાત મારા ઘરે કે શૈલી ને કરશાે નહીં . સ્મિત કમુબા ની નાદુરસ્ત તબિયત માં બનતાે પરમ પરયાસ કરીને પણ સમય કાઢી ચાર પાંચ કલાક બા પાસે ગાળતો . શરૂઆત માં સૌ કોઇ સ્મિત ને બા નો દીકરો જણતા હતા . અરવિંદ ભાઇ ના કહેવ ાથી જણ્યું કે આ તો બા ના જમાઈ છે ત્યારે સૌ કોઇ ને જમાઈ માટે માન ઊપજી આવ્યું . !!!!!!!!!!!!! સ્મિતે આશ્રમ માં રહેતા બા દાદા ને કહ્યું ,મેં તો જન્મથી જ સમજણો થયો ત્યારથી મારી જનેતા નું મુખ જોયું નહતુ. મારા શૈલી સાથે લગ્ન થયા ં ત્યારે”મા કેવી હોય તેનો અહેસાસ થયો. આ મા ની મમતા ની છાયા મને મલી છે . એ તર્પણ કે રુણ હું ચૂકવી શકીશ કે કેમ તેની મને ખબર નથી પણ યથા શક્તિ પ્રયત્ન કરું છું .
અને અેક દિવસ કમુબા ની અંતિમ વિદાયની ઘડી પણ આવી ગઈ . બા કાયમ માટે ચિરનિંદરા માં પોઢી ગયા. અરવિંદ ભાઇ એ તેમની ફરજ મુજબ કમુબા ના બાળકો ને તેમના નિધન ના સમાચાર આપ્યા . છોકરાઓએ સામેથી જ કહીદીધું” બાની અંતિમ ક્રિયા તમે જ પતાવી દેશો , પૈસા મોકલી આપીશું બીલ મોકલી આપશો . અમે અમારા કામ છોડી ને આવી શકીએ તેમ નથી . અરવિંદ ભાઈ ની આંખો ઊભરાઈ ગઈ ,ને સ્વગત બોલી ઊઠ્યા “”””””રે કિસ્મત , જે મા એ જન્મ આપ્યો તેને તેમનો પરિવાર સાચવી પણ ના શક્યા !!!!!!!??????કહેવાય છે એક બાપ દશ બાળકો ને ઉછેરી મોટા કરે પણ પાંચ બાળકો એક મા બાપ ને સાચવી શકતા નથી ??????!
સ્મિત ઘરેથી કહી ને નીકળ્યો , ” મારે સુરત માં મારા અસીલ ની મુદત હોય પંદર દિવસ માટે હું કામ ના કારણે જાવું છું . સ્મિત આ સમયે આશ્રમ ના સૌ અંતેવાસીઓ સાથે રહી બા ન ા અગ્નિસંસ્કાર કર્યા . બા ની ઉતર ક્રિયા ની સંપૂર્ણ વિધિ કરી. બાને સદ્દગતિ મળે તે આશય થી એક વિઘિપુત્ર તરીકે જે કાંઈ બની શકે તે કર્યું. દશમા ના દિવસે સુતક મુકી વાળ ઉતરાવ્યા . ધન્ય છે આવા વિરલ વિધિ પુત્ર ને જમાઈ ને !!!!! “”!!કોણ કહેશે કે જમાઈ ને જમ સરખા “””!!! સ્મિતે ઘરે જઈ વાળ ઊતર્યા નું કારણ માથા માં ગરમી થવા ને કારણે ડોકટર ના કહેવા થી દવા માટે નું બહાનું બતાવ્યું . શૈલી એ તે વખતે માની લીધું .
થોડા દિવસ પછી અચાનક અરવિંદભાઈ શૈલી ના ઘરે આવી ગયા.આનંદ આશ્રમ ના ગૃહપતિ હોવા ની ઓળખાણ આપી . ત્યાં જ અરવિંદભાઇ ની આંખ માંથી વિષાદ સાથે હરખના આંશું ટપકી પંડયા ને શૈલી ને પગે પડી ગયા . બેન, ધન્ય છે તું ને તારા પતિ સ્મિત ભાઈ. જે કાર્ય દીકરાઓ એ કરવા ના હોય તે સમગ્ર જવાબદારી સ્મિતભાઈએ ઉપાડી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે . ને અરવિંદભાઈએ સમગ્ર વિધિ ની હકીકત શૈલી ને કરી . સ્મિતે તો અમને વચન આપ્યું હતું આ વિરહ ની પળો ને તમારી સમક્ષ રજુ કરવા માં ન આવે . પણ આ મુઠ્ઠી ઊંચેરા માનવી ની માનવતા ની મહેક ને હું મારા રહદય માં છુપાવી શક્યો નહી . અરવિંદભાઈ તો ગયા , શૈલી ના અવાચક નિરુત્તર ને નિ:શબ્દ . રહદય માં અત્યાર સુધી ધરબી રાખેલો રંજ, આક્રોશ પથ્થર દિલ બની ગયેલી લાગણી નો ધોધ તૂટી પડ્યો . શૈલી ના રહદય ની ભાવના ને હલકી ને સહજ કરવા મનોહરદાદા ને સ્મિતે તેને રડવા દીધી . મન રહદય થી શૈલી હલકીફુલ થઈ ગઈ હતી. મનોહરદાદા અને સ્મિતના મુખ પર આત્મસંતોષ દેખાઈ રહ્યો હતો.

Panna Raju Shah ( Aastha)
Cell no – +91 7567837428
Rec no 079 2663775

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ-૨)

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ

  આછાંદસમાં જયશ્રીબહેને ખૂબ ગંભીર વાત કલામય રીતે રજૂ કરી છે. આખી કવિતામાં એક્પણ શબ્દવગર પ્રયોજન નો નથી. ‘ને પછી’ ‘ને પછીફરી ફરી વાપરીને રચનાકારે બે વસ્તુ દર્શાવી છે, એક તોContinuity, અને બીજું, એક પત્યા પછી બીજું અને બે વચ્ચેનો સમયગાળો દર્શાવ્યો છે. અટકળ કેવી રીતેઅફવા બની જાય છે, અને અફવાને કેટલીકવાર સત્ય તરીકે કેવી રીતે રજૂ કરવામાં આવે છે, એમણેખૂબ કલાત્મક રીતે દર્શાવ્યું છે. ક્યારેક સત્ય કેવી રીતે અટકળોનો અને અફવાઓનો ગુલામ બની જાયછે, એમની કવિતાનો Master Stroke છે.

ને પછી…..

 કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી,

 અટકળને અંધ પાંખો ફૂટે, ને પછી

 નેઅટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી, ને પછી,

 ને પછી, અટકળ બની ગઈ અફવા, ને પછી,

 અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને પછી,

 ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને પછી,

 ઊડી ઊડીને અફવા થાકે, ને પછી,

 ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે, ને પછી,

 કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને, ને પછી,

 કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કેહું અટકળ નથી, અફવ નથી,” ને પછી,

 છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું સત્ય છું!”, ને પછી,

 કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર, ને પછી,

 ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….!

 –જયશ્રી વિનુ મરચંટ

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ-૧)

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ)

 જયશ્રી વિનુ મરચંટ મુંબઈ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રીના સ્નાતક અને અમેરિકાની ટેંપલયુનિવર્સિટી, ફીલાડેલ્ફીયાના ક્લીનિકલ પેથોલોજીના અનુસ્નાતક છે. છેલ્લા ૩૮ વરસોથી અમેરિકામાં રહે છે.હાલમાં તેઓ Children’s Hospital and Research Center, Oakland માંથી Director of the Department of Pathology and Laboratory Medicine ની પદવી ઉપરથી નિવૃત્ત થયા છે.

 એમને ગઝલ લખવા માટેની દોરવણી શ્રી ચિનુ મોદી પાસેથી અને અછાંદસ લખવા માટેની દોરવણી સુ.શ્રીપન્ના નાયક પાસેથી મળી હતી. પન્ના નાયકે તો પોતાનું ટુંકી વાર્તાઓનું પુસ્તક Flamingo જયશ્રીબહેનનેઅર્પણ કર્યું છે. જયશ્રી બહેને એક નવલકથા, થોડી ટુંકી વાર્તાઓ, ગઝલો અને અછાંદસ લખ્યા છે. જાણીતાવિવેચક શ્રી મધુસુદન કાપડિયાએ પોતાના વિવેચનના પુસ્તકમાં એક આખું પ્રકરણ જયશ્રીબહેનનીરચનાઓને આપ્યું છે. એમણે ગઝલ માટે પોતાનું તખ્ખલુસભગ્નરાખ્યું છે.

 એમની ગઝલમાં એમણે સુફી સાહિત્યની જેમ કહ્યું છે, મુશીબતો તો આવશે , પણ જોવાનું છે કેઉપરવાળો મદદ કરવા ક્યારે આવે છે? મત્લાથી માંડીને મક્તા સુધી વાત સમજાવવાની કોશીશ કરીછે, અને પણ બધા જ ચોટદાર શેર દ્વારા.

 આવે છે!

 લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!

 જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!

દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!

 જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!

 ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં,

 હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!

 ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!

 રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?

 વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!

 જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!

  “ભગ્નમાફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!

 કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?

 જયશ્રી વિનુ મરચંટ

 રજૂઆતપી. કે. દાવડા

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(10) ખજાનો-ગીતા પંડ્યા

ગીતાબેન પંડ્યા નું બેઠકમાં સ્વાગત છે.મિત્રો એમની વાર્તા વાંચી આપણા અભિપ્રાય જરૂર આપશો.

Displaying gIta Pandya.jpgba199f9f-6267-42c5-bc20-20b043312c1f

 

 

 

 

૮ વર્ષ ની માલતી  ના શોખ માં નૃત્ય ,ચિત્રકલા,ગાયન ,રમતગમત અને વાર્તા વાંચવી ખુબજ ગમતી ,ભણવા માટે બિલકુલ સમય નહતો , એટલે તોમાલતી   ભણવામાં ઢબુ  નો  હતી, માલતી  ને પોતાને હુંમેશા પ્રશ્ન રહેતો કે બધા પરીક્ષા માં કેમ પહેલો નંબર  લાવતા હશે? મારી પાસેતો ભણવાનો સમય નથી! ભણવા માટે ધ્યાન થી ભણવું પડે અને ધ્યાન ક્યાંથી લાવું? સમય નથી. માલતીને ચિત્રવાર્તા ,મોટા અક્ષરો વાળી  વાર્તા, પરીઓ,રાજા રાણી ની વાર્તા , ધાર્મિક વાર્તા  , વગેરે ચિત્રવાર્તા વાંચવી બહુજ ગમતી

માલતી  ની એક બહેનપણી મીતા, માલતી  ની સોસાયટી  માં રહેતી હતી, તેને અને માલતીને ખુબજ બનતું હતું। મીતા ત્રણ બહેનો માં સૌ થી નાની હતી 

મીતા પછી એક નાનો ભાઈ હતો ટીકુ, માલતી  પણ ઘરમાં સૌ  થી નાનું સંતાન હતું। 

મીતા અને માલતી  અને બીજી બહેન પાણી વાર્તાની ચોપડીઓ ની લેન દેન કરી ને વાંચતા, સમયસર  એક બીજાને આપી પણ દેતા। આમ કરતા કરતા માલતી  નો શીખ બેવડાયો,ત્રણગણો  થયો, અને અસીમ થઇ  ગયો.”લત લાગી ગઈમાલતી  ને દરરોજ ની ચોપડી વાંચ્યા વગર મજા આવતી ના હતી.

માલતી  નવી વાર્તાની ચોપડી ને જોતી  એટલે જાણેભૂખી ગાય જેમ લીલા ઘાસ પર ખાવા તૂટી પડે એમ માલતી  ચોપડીના અક્ષરો શાબ્દો ઉપર વાંચવા તૂટી પડતી ,  શાળા ની પાક્કી પરીક્ષા હોઈ તો પણ શું? માલતી ભણવાની ચોપડી વચ્ચે વાર્તાની ચોપડી મૂકીને વંચાતી અને પછીભણવાની ચોપડી વંચાતી। 

માલતી  પરીક્ષામાં હંમેશા ચડાવ પાસ થતી। માલતી  માટે તે પૂરતું હતું

મીતા ના મમ્મી ગુણીબેન બધી છોકરીઓ ને મદદ કરતા। તેને અમને કયું કેતમે લોકો બધાઈ પોતપોતાના ઘરે થી જૂની વાંચેલી ચોપડી ભેગી કરો અને હું તમને મારી જૂની પતરા ની  ચાર પેટી છે તે ભેટ આપું છું જે તમે મારી અગાશી માં મુકજો, મને વાંધો નથી અગાશી ની સીડી તો બહાર છે, ફક્ત મારી શરત છે તમારા લોકો જોડે કે ધીમા પગલે ચડજો ઉતારજો। અને અવાજ ના કરતા, અને દર મહિને બે રૂપિયા બધા લેતા આવજો જેની આપણે નવી વાર્તાની ચોપડી ખરીદશું, રીતે આપણી ચોપડી નું ભંડોળ ઉભું થશે.અને બીજી સોસાયટી વાળા બાળકો ને 50 પૈસા માં મહિનાની ચોપડી વાંચવા દેશું

માલતી ,મીતા અને તેની બધી બહેન્પણીઓ નાચવા અને કુદકા મારવા લાગી ગઈ, ત્યારેતો માલતીએ બધા વચ્ચે ખુશી બતાવી ,   તેનું નાનું મગજ ચિતા  માં પડી ગયું , તે પોતાની જાત ને પ્રશ્ન પૂછવા  લાગી કે હવે શું કરું?  દરમાહિને બે રૂપિયા?   ઘર માની જૂની વાંચેલી વાર્તા ની ચોપડીઓ,?  બંને વસ્તુ અશક્ય હતી? કારણ માલતી  ના ઘર ની અતિ સામાન્ય પરિસ્થિતિ હતી, તેથી ઘર માં વાર્તાની ચોપડીઓજ ન હતી, તે તો તેની બહેન પાણી ની વાર્તાની ચોપડીઓ માંગીને વંચાતી અને સમયસર પરત કરી દેતી, અને સાથે સાથે પૂઠું ચડાવી ને આપતી, બધા માલતી  ને હોંશે હોંશે ચોપડી વાંચવા આપતા। અને પિતાશ્રી પાસે બે રૂપિયા માંગવા ની માલતી  માં હિમ્મત ના હતી , અરે શાળા ની રૂપિયા ફી પણ પિતાશ્રી ત્રણ વાર માંગતી ત્યારે માસ્ટર ની શિક્ષા સહી લીધા પછી મી મી તારીખે આપતા। તો જો બે રૂપિયા ની માંગણી કરેને તો એવા શબ્દોની તૈયારી રાખવી પડે કેના આપણે એવો ધંધો કરવો નથી , ભણવા બેસો,ભણવાના ચોપડા વાંચો, બબે વિષય માં તો નાપાસ થાવ છોવગેરે વગેરે। 

માલતી  માટે કઠણ દિવસો ચાલી રહ્યા હતા , આવતા મહિના થી પેલા રૂપિયા  ચાલુ થઈ જવાના હતા , જો માલતી  નહીં ભારે તોબંધી બહેનપણી માં બધાને ખબર પડી જશે। કે માલતીની બે રૂપિયા આપવાની પણ પરિસ્થિતિ નથી ,

માલતી  પોતાની જાત ને કહેતી હતી કે સરસ તક આવેલી ગુમાવવી પડશે। શું કરું?  હે ભગવાન શું કરું ? કૈક રસ્તો બતાવ। 

ત્યાંજ તેમે સામે આવેલું રામસાહેબ નું ઘર દેખાયું , માલતી  વિલંબ કર્યા  વગર રામસાહેબ ને ઘરે દોડી ,અને જરૂરત કરતા વધારે મીઠા અવાજ થી અને સિસ્ટાચાર  થી રામસાહેબ અને ભગવતી બેન ને કહેવા લાગીકેમ છો માસી।.માશસી તમને સાડી બહુજ સરસ લાગેછે, સર  મારો ભાઈ કેતો હતો કે રામસાહેબ બહુજ સરસ ભણાવે છે।  રામસાહેબ કોમર્સ કોલેજ ના પ્રોફેસર હતા,જયારે તેમના પત્ની ભગવતી બેન ઘરે ઘરકામ કરતા

તેઓ ને એક દીકરો પ્રતીક હતો જે માલતી  થી ઘણોજ નાનો પાંચ વર્ષ નો હતો.

 પણ તે દરમ્યાન પ્રતીક રડતો હતો,અને રામસાહેબ અને ભગવતી બહેન ખુબજ ઉતાવળ માં હતા. જાણે હું ગઈ અને તેઓને રાહત થઈ, મેં તે બંને ને પૂછય  કે તમને કઈ મદદ કરવું  કારણ માલતીને ખબર હતી કે રામસાહેબ પ્રતીક માટે બહુજ સરસ સરસ વાર્તાની ચોપડી લાવતા હતા.

તુરતજ રામસાહેબ બોલ્યા કેમાલતી!  મારો ચોપડી નો કબાટ અને ટેબલ સાફ કરી દેશે।ત્યાંજ ભગવતી બેન બોલ્યા કે નામાલતી , પહેલા પ્રતીક જોડે રમ  કે તેને છાનો રાખ.”

માલતી   પ્રતીક ને મીઠા  મીઠા કાલા  કાલા  અવાજે પટાવવાનુ  શરૂ કરી દીધું અને ધીમે રહીને ઝાપટિયું લઈને ચોપડી, કબાટ,ટેબલ, સાફ કરવાનું શરૂ કરી દીધું

પ્રતીક ને મજા આવવા લાગી તે પણ માલતી પાસેથી  ઝાપટિયું ખૂંચવી લઈ ને જ્યાં ને ત્યાં ઝાપટવા લાગી ગયો , અને પ્રતીક નું રડવા નું ક્યાં જતું રહ્યું ખબર ના પડી,

માલતી   ચોપડીના કદ , વજન,આકાર, પ્રમાણે ચોપડી ને એવીતો સુંદર રીતે ગોઠવી દીધી અને બધું કરતા માલતી  ને બે કલાક થયાં। 

માલતી  ઓરડા માંથી પ્રતીક ને લઈ ને બહાર આવી અને રામસાહેબ અને ભગવતી બહેન જે કહેવા લાગી કેસાહેબ તમારો ઓરડો ચોખ્ખો ચટ , ટનાટન , કરી દીધો છે. હજુ કઈ બાકી હોઈ તો બોલો?

માલતી  નું બોલવું એટલે ભલભલા લપેટ માં આવીજાયઆટલી બધી માલતીની મીઠી જીભ હતી.

રામસાહેબ માલતી  અને પ્રતિક જોડે ઓરડામાં ગયા, અને અવાક થઈ ગયા, તેને ભગવતી બહેન ને અવાજ દીધો। અને કીધું કેભગવતી અંદર આવ ,જો છોકરી શું કર્યું છે.?

હવે માલતી  ગભરાઈ અને કૈક ખોટું થયાનો ધ્રાસ્કો પડ્યો , તેનું શરીર કંપવા લાગ્યું,

ત્યાંજ રામસાહેબ ભગવતી બહેન ને કહેતા સંભળાયા

જો તો ખરી નાની અમથી છોકરી ની સુજ્બુજ ,મારી અને પ્રતીક ની ચોપડીઓ કેવી કલાત્મક રીતે ગોઠવી છે? અને ઓરડો તો જો! એક રજકણ નથી, ચોખ્ખો ચણાંક છે, અરે છોકરી ના હાથ માં તો જાદુ છે?’

ભગવતી બહેન બોલ્યા કેવાહ છોકરી વાહ,આજે તો તે સાહેબ ને ખુશ કરી દીધા હો

મોરના ઈંડાને ચીતરવા ના પડે

અને બીજીજ ક્ષણે રામ સાહેબ બોલ્યા કેમાલતી  , નીચેના ખાનાની બધી ચોપડીઓ તારી, તને મારા તરફ થી ભેટ, અને હા હવે દર મહિને તારે મને સાફસૂફી માં મદદ કરવાની છે,  લે ત્રણ રૂપિયા , જે હું તને દર મહિને વિશેષ ભેટ આપીશ, જા  ખુશ થા , લહેર કર , આનંદ કર,

માલતી દિગમૂઢ થઈ ગઈ। માલતી  ને મન   ભગવાનને કરેલો ચમત્કાર હતો પણ બીજીજ ક્ષણે ખુશીની મારી ત્રણ રૂપિયા સાથે કુદકા મારવા લાગી ગઈ.

માલતી  ને તો આજ ખજાનો મળી ગયો.

 

અસ્તુ 

લેખિકા 

ગીતા પંડ્યા