નાગર નંદજીનો લાલ રાસ રમંતાં મારી નથની ખોવાણી
નાગર નંદજીના લાલ, રાસ રમંતાંમારી નથની ખોવાણી
કાના જડી હોય તો આલ, રાસ રમંતાં મારી નથની ખોવાણી
નાની નાની નથનીને માહી ઘણેરા મોતી,
નથની કારણ હું નિત્ય ફરું છું જોતી, જોતી, જોતી, —નાગર
નરસિંહમહેતા એટલે કે ગુજરાતના કવિઓમાં તેમનું નામ શિખરે કહીશકાય. હુલામણુંનામ ‘’નરસૈયો’’ પ્રેમી ભક્ત કવિ આપણને મળ્યા તેનો ગર્વ સાથે આનંદઆપણાહૃદય પટ પર છવાઈ જાય છે. તેનો આસ્વાદ આજે આપણે માંણી રહ્યા છીએ..કૃષ્ણની રાસ લીલાએ નરસિંહને આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને રાસ રમંતાંરાધાકૃષ્ણના રાસમાં નરસૈયાને જે આનંદની અનુભૂતિ થઇ તે આનંદનું લેખન તેમણે આ ગરબામાંકર્યું છે જે આજે પણ ગુજરાતણો રાસ રમતા માણે છે,
આ રાસ એટલે કે કોઈ સામાન્ય રાસ નો’તો, મહારાસ હતો, ને તેમાં છુપું રાઝ પણહતું.નેકહેવાય છે કે તે રાસ જોવા શિવજી પણ વેશપલટો કરી ગોપી બનીને આવ્યા હતા.એકએક ગોપી સાથે એકએક કાહન એમ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને દરેક ગોપી સાથેએવા મસ્તાન બની ઘૂમ્યા પ્રેમરસમાં તરબોળ કરીને અલોઉંકિક આનંદની અનુભૂતિકરાવી.રાધાજીને અને સર્વે ગોપીઓને એમજ લાગતું કે કાનો તો માત્ર મારી સાથેજ રમી રહ્યો છે.ને રાસ રમતા રમતા તેના નાકની નથની જેમાં ઘણા મોતી અને કીમતી હીરા જડેલા હતા, તે ક્યારે અને ક્યાં ખોવાઈગયા તેની સુધ ના રહી. આ એક સામન્ય અર્થ તારવી શકાય ..
નાની નાની નથનીને માહી જડેલા હીરા
નથની આપોને મારા સુભદ્રાના વીરા, વીરા, વીરા,——નાગર
નાનેરું પહેરું મારા નાકે તો નાક સોહાય
મોટેરુ પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય, ખાય, ખાય,—–નાગર
પરંતુ નરસિંહ અહી આટલેથી અટકતા નથી.એનો ગુઢ અર્થ તરવો તો। ..નથની એટલે નાકે પહેરવાનું ઘરેણું, નાકનીશોભા અને નાક એટલે દેહની પ્રતિષ્ઠાનું ચિહ્ન,અહમ ભાવ એમ પણ કહી શકાય. રાસ રમંતાંરમતા એમનો અહમ ભાવ ક્યારે ઓગળી ગયો તે ખબર ના પડી. આપણા અંતરમાં રહેલાં જીવનનાં પરમ તત્વો સાથે આપણો સંવાદ સધાયો હોયછે. તે અહમભાવ ઓગળીજવાથીતે તત્વ સાથે આપણે એકરૂપતા અનુભવતા હોય છીએ. ને આવોઅનુભવ આ ગરબામાંજોવામળે છે. અહીંયાભક્તિની પરાકાષ્ઠા બતાવી છે. એ રાસ એટલે આત્માનું પરમાત્મામાં લીનથવું, ભક્ત અને ભગવાનનું મિલન હતું. આનંદ પરમાનંદ હતો.તો વળી ભગવતગીતામાંએમ કહે છે કે રાસ રમ્યા પછી પ્રભુ એટલે કૃષ્ણ રાધાજીને પૂછે છે રાસ રમવામાં ખૂબ આનંદ આવ્યોને? હવે કોઈ ઈચ્છા બાકી છે/ત્યારે રાધાજી કહેછેકે મને તમારા ખભા પેર બેસાડો.રાધાજીને કૃષ્ણ તેમના ખભા ઉપરબેસાડીનેઘૂમે છે. રાધાજીના મનમાં અભિમાન થયું. કૃષ્ણએટલે ફક્ત મારા જ. મને જ માત્ર પ્રેમ કરે છે. મારા સિવાય કોઈને પ્રેમ ન કરી શકે, મારાવિના ન રહી શકે. રાધાજીનો આ ભાવ [અભિમાન] કૃષ્ણ જાણી ગયા. રસ્તે જતા વચ્ચે એકવૃક્ષ આવતા રાધાજીને એ વૃક્ષની ડાળીએ લટકાવીને પોતે નીચેથી સરકી ગયા. એટલે જયારેજયારે ભક્તોને અભિમાન આવેછે ત્યારે એમનું અભિમાન ભગવાન ઓગાળી નાખે છે. ને મૂળસ્થિતિમાંભોતિક સ્થિતિમાં આવી જતા તેને પસ્તાવો થાય છે. નથનીમાં રહેલાં કીમતીમોતીને હીરા જેવી કીમતીક્ષણો હવે જીવનમાં પાછી ક્યારે મળશે? એ ભક્તિનો આનંદ પરમાનંદહતો, આત્મા ,પરમાત્માનું મિલન હતું. હવે એકક્ષણનો પણ વિયોગ વિના એ ભક્તિ કાયમમાટે મળી જાય તેના માટે વારંવાર વિનંતી કરે છે, હે કાના તું મને શોધીનેઆપ. એ ભક્તીરસનું પાન કરાવ. બહુ આજીજી કર્યા પછી રાધાજી એમ પણ કહેછે, નાની કે મોટી નહિ, ઓછીકે વધારે નહિ જેટલીભક્તિ આપી છે તે યોગ્ય છે
.આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીનો નથનીનો શામળિયો છે ચોર, ચોર, ચોર,——-નાગર
નથનીને કારણયે મેં ધુન્ડ્યું વૃંદાવન
નથની આપોને તમે મારા પ્રાણ જીવન, વન, વન, વન,——નાગર
નથની આપોને પ્રભુ નંદના કુમાર
નર્સયાના સ્વામી ઉપર જાવ બલહાર ,હાર, હાર, હાર,——નાગર
ફળોમાં આંબો શ્રેષ્ઠ ને સ્વાદ પણ અનોખો, સ્વરમાંકોયલનો ટહુકો એ મને જીવનમાં ક્યારે મળશે?એ ભક્તિરસ પાન માટે જીવનરૂપી વનમાં ભટકી રહી છું. તમે અમારા પ્રાણના આધાર છો. આપનીઆંગળ અમે હાર માનીએ છીએ. ભક્તોની લાગવગથી કદાચ પ્રભુ કૃપા થાય સમજીને પ્રભુનેનરસૈયાના સ્વામી કહીને પુકારે છે. કોઈપણ રીતે આજીજી,વિનવણીથી પ્રભુની કૃપા નથી થતીત્યારે એક મિત્રની મિત્રને ,એકપ્રિયતમાને તેના પ્રીતમની ટેવની, ખાસિયતની જાણ હોય છે.ત્યારે તે ખાતરીપૂર્વક કહે છે બીજું કોઈ નહિ માત્ર શામળિયો જ નથનીનો ચોર છે. તેમાં પણએક આનંદ છુપાયો છે.સાધના કરવા શરૂઆતમાં બની શકે કે સાધકનું મન તે સ્વરૂપમાં ધ્યાન ન લાગે તો ક્યારેક ક્યારેકઆવીલીલાઓનો સહારો લેવો પડે છે.કૃષ્ણાવતારમાં જ અનેક પ્રકારની લીલા કરીને ભગવાનેભક્તો માટે પ્રભુને પામવા માટેનો માર્ગ સરળ બનાવ્યો છે. સરળ રસ્તો એટલેભક્તિ ભર્યું હૈયુંને શુદ્ધ કરી ભાવના જીવન સફળ કરી લઈએરે. કૃષ્ણની બાળલીલા જેમકે માખણ ચોરવું ગોપીઓના વસ્ત્ર હરન કરવું મટકી ફોડવી માર્ગ રોકીનેગોપીઓનેસતાવવું આમ પ્રેમ,મસ્તી અને આનંદભર્યુ જીવન હતું.
પદ્મા-કાન