“બેઠક”નો આ મહિનાનો વિષય છે -હાસ્ય સપ્તરંગી -નિબંધ ,વાર્તા ,કવિતા ,નાટક ,સ્ક્રીપટ લખો.

મિત્રો 

કહે છે જીવનમાં હસવું જરૂરી છે.અમુક વાતો હસી કાઢવામાં મજા હોય છે ઘણા એવા નાના પ્રસંગો હોય છે જે રોજ બરોજની જીંદગીમાં જોવા મળતા હોય છે.બેઠકનો આ મહિનાનો વિષય છે હાસ્યરસ  જી..હા  આપ નિબંધ ,કવિતા , વાર્તા  કે નાટકની નાની સ્ક્રીપ્ટ પણ ચાલે  ગમે તે સ્વરૂપે હાસ્યરસ દર્શાવી શકો છો.બસ ઉપાડો કલમ અને મલકાતા મલકાતા માંડો લખવા.  અને મિત્રો આપણા ગુજરાતી સાહિત્યના હાસ્ય લેખકોના લેખ વાંચવાનું નહિ ભૂલતા,વાંચન થકી જ વિકાસ થાય છે.  

ચાલો એકાદ દાખલા જ આપી દઉં જે તમને લખવા માટે પ્રેરણા આપશે.

આપણા બેઠકનો  સર્જક સાક્ષરે એના સામેવાળા માસી ઉપર સુંદર કવિતા લખી છે.

મારા સામેવાળા માસી

જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે,
એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,
સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ,
પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ,
એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

“મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”;
હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

Thanks to-સાક્ષર હરીશભાઇ ઠક્કર-..http://saksharthakkar.wordpress.com/

 

‘મારા પથદર્શક ભગવતીકુમાર શર્મા ‘ તરુલતા મહેતા

જેમણે મારા જીવનને સર્જનાત્મક માર્ગે પ્રેરણા દર્શન કરાવ્યું તેવા આદરણીય
સાહિત્યકાર મુ.ભગવતીકુમાર શર્માને આજે પ્રેમથી યાદ કરી રહી છું.સુરતથી હું દસ હજાર
માઈલ દૂર બેઠી છું,પણ તેમના લાગણીભર્યા સહકારથી મારી  લેખિનીમાં હમેશા બળ
પૂરાયું છે.પરોક્ષપણે તેમની નવલકથા ,વાર્તાઓ અને ગઝલોથી હું એમને જાણતી
હતી.પણ 1975ની સાલમાં સુરતમાં મને પ્રથમ ભગવતીકુમાર શર્માનો પ્રત્યક્ષ પરિચય
થયો.સાવલીના કવિમિત્રો પુરુરાજ જોષી અને જયદેવ શુક્લ દ્રારા તેમને
મળવાનું થયું.સુરત મારા માટે અજાણ્યું શહેર હતું,કોલેજની નોકરી નવી
હતી,પરંતુ તેમના મિલન પછી સુરત આજે પણ મારું પ્રિય શહેર છે.
સુરતમાં એનીબેસન્ટરોડ પર જયદેવ શુક્લ અને ભગવતીકુમાર શર્મા પાડોશી,ગુજરાત
મિત્રના પત્રકાર,લેખક તરીકે તેમને સૌ ઓળખે.એમના ત્રણ માળના મકાનના ત્રીજા
માળે સાહિત્યગોષ્ઠી થાય.મારા જેવા નવોદિતોને પ્રોત્સાહન અને માર્ગદર્શન
અનાયાસ ત્યાં મળે,વાર્તા,કવિતા,લેખો સૌનું વાંચન થાય,સૌની રચનાઓને તેઓ
હદયપૂર્વક માણે,સાંભળે.તેમનો પ્રતિભાવ તેમના સન્વેદનશીલ ચહેરાના હાવભાવથી
કે એકાદ હુકારાથી ખબર પડે.તેમની અનેક ગઝલો અને કાવ્યોનો રસાસ્વાદ થાય.
તેઓ પ્રતિષ્ઠિત અને નામી સર્જક પણ અમારી રચનાઓને પોંખે ,અમે
પોરસાઈએ,અમારી સર્જનશક્તિને સઁકોરે. આકાશમાં ઉદિતમાન સૂર્ય તેની અજવાળાની
અંગુલિથી પથદર્શન કરાવે તેવી ભગવતીકુમારની અમાર્રી વચ્ચે હાજરી સર્જનની
સીડી ચીંધે.તેમાં સ્વ.તેમના અર્ધાંગી જ્યોતિભાભી હૂંફાળા સ્વાગતથી અમને
પ્રસન્ન કરી દે.નયન દેસાઈ ,બકુલેશ ,રવિન્દ્ર પારેખ અને બીજા અનેક ત્યાં
ભેગા મળે.સ્વ.મનહર ચોકસી જેવા અનુભવીનો લાભ મળે.મુકુલ ચોકસીની નવજાત મસ્ત
રચનાઓ માણીએ.
ભગવતીકુમારની સાહિત્યનિષ્ઠા મને માર્ગ ચીંધે.વર્તમાનપત્ર સાથે પત્રકાર
તરીકેનો નાતો રાખી , ઉંચા સાહિત્યિક મૂલ્ય ધરાવતી કૃતિઓની રચના કરવાનું
કઠિન કામ તેમણે સમતુલા જાળવી કર્યું તે મારા માટે માર્ગદર્શન આપે
છે.કેટલીક વાર રજાના દિવસે તેમના ત્રીજા માળના બેઠકરૂમમાં હું જતી ત્યારે
બારી પાસેના ટેબલખુરશીમાં એક કુશકાય,જાડા ચશ્મા પહેરેલા લેખક માથું ઢાળી
‘અસૂર્યલોક ‘જેવી સદીની નોંધપાત્ર નવલકથાનું લેખન કરતા હોય,એ દ્રશ્ય
નર્મદ કે ગોવર્ધનરામના વારસાને જીવન્ત કરે.ગમે તેવી વિપરીત
સામાજિક,રાજકીય કે શારીરિક પરિસ્થિતિમાં તેમનું લેખનકાર્ય અવિરત ચાલ્યા
કરે.
આજે પણ લેખનમાં નિમગ્ન ભગવતીકુમારની એ મૂર્તિને હું લખવા બેસું ત્યારે
સ્મરું છું.એક સર્જક તરીકેનું તેમનું નમ્ર,પ્રેમાળ ,સાલસ વ્યક્તિત્વ મારા
જેવા અનેકને સાહિત્ય સર્જનનો પથ દર્શાવે છે.ફળથી પલ્લવિત વૃક્ષો નીચે નમે
છે.ભગવતીકુમાર શર્મા ભારતીય સાહિત્ય એકાદમી અને બીજા અનેક પુરસ્કારોથી
સન્માનિત હોવા છતાં એમને મળવું એટલે સહદય સાથેની હળવાશ,પ્રેમની અમીવર્ષા
અને ‘શું નવું લખ્યુંની?’મીઠી પુછપરછ. એમણે પ્રમાણિક  ,નિષ્ઠાપૂર્વકની
કલમથી ગુજરાતી સાહિત્યની સેવા કરી છે,અને કરી રહ્યા છે,તે જ તેમનો
સાહિત્યસન્દેશ મારા માટે આજે પ્રેરણા  છે,મારું સદભાગ્ય કે મારા સુરતના
દશ વર્ષના નિવાસ દરમ્યાન મુ.ભગવતીકુમારની સતત પ્રેરણા અને પથદર્શન મને
ઉપલબ્ધ થયું.કેટલાંક ઋણ હદયમાં તાંબાના લેખની જેમ  કોતરાઈ જાય છે,એને કોઈ
રીતે ચૂકવી શકાતા નથી,શબ્દો દ્રારા એમને મારી ઝાઝેરી સલામ.ગુજરાતી
સાહિત્ય ભગવતીકુમાર જેવા સાહિત્યરત્નોથી સદા ગોરવવન્તિ છે.જે આવનાર
પેઢીને પથદર્શન કરાવતી રહે છે.એમની ગઝલની બે પંક્તિથી મારા જીવનના
પ્રવાસમાં મને મળેલા પથદર્શકને વન્દન કરીશ.
આ ક્ષણો પછીથી નહિ રહે,ન સુવાસ ફોરશે શ્વાસમાં ,
ચલો સન્ગ થોડુંક ચાલીએ ,સમયના આ દીર્ઘ પ્રવાસમાં (ભગવતીકુમાર શર્મા)
તરુલતા મહેતા

અહેવાલ

14095870_1291269457551972_941807059807594385_n

_DSC0225 14046089_1291269500885301_5368496080863805466_n

“બેઠક”

બે એરિયામાં ચાલતી “બેઠક” વિદેશની ધરતી પર વાંચન સાથે સર્જન દ્વારા માતૃભાષા નાં સંવર્ધનના અભિયાનમાં અનેક પ્રવૃત્તિ દ્વારા પોતાનું યોગદાન આપી રહી છે. 

ઓગસ્ટ મહિનાની બેઠક શુક્રવાર તા. ૨૬મી ઓગસ્ટે, મિલપિટાસના ICCમાં સાંજે ૬ વાગે શરૂ થઈ હતી.શરૂઆતમાં બેઠકના આયોજક પ્રજ્ઞાબહેને ઉપસ્થિત રહેલા સભ્યોને આવકાર આપ્યો હતો. ત્યારબાદ સંચાલક કલ્પનાબહેને પ્રાર્થના કરી હતી.પ્રાર્થના પછી વસુબેન શેઠે ચુનીલાલ મડીયાનો એક સાહિત્યકાર તરીકે પરિચય આપી સાહિત્યના પાના ઉખેડયા.

ત્યાર બાદ તરુલતાબેને વાર્તા હરીફાઈનું પરિણામ જાહેર કરી પોતાના મંતવ્ય  જણાવ્યા હતા અને કહ્યું હતુ,“મારો એવો અભિપ્રાય છે કે વાર્તાઓમાં લેખકે પ્રસંગો,પાત્રો,પરિસ્થિતિ,મનોમન્થન તથા સંવાદ દવારા સૂચવવાનું હોય છે,વાચકો સમજદાર હોય છે,કુતૂહલ અને વાર્તારસ જળવાવો જોઈએ , અંતમાં ચમકૃતિ આવે  તે સારી વાત છે.પણ કેટલીક વાર પાત્રને અનુરૂપ સહજ અંત આવે તેવું પણ બને.તમે પોતે તમારાવિવેચક,વાચક અને સર્જક બનો.તમને ગમેલા લેખકની સાહિત્કારની વાર્તાઓ વાંચો ,તેમાં કયું તત્વ ચોટદાર છે તે તપાસો.રોજના જીવનમાંથી અને તમારી આજુબાજુમાં બનતા પ્રસંગોમાંથી વાર્તા સર્જાતી હોય છે, હા સારા સાહિત્યકારનું વાંચન જરૂરી છે પણ સાથે તમારી મૌલિકતા જળવાય તો જ વાર્તા સુંદર સર્જાય. વાર્તા લખતા તમને કોઈ શીખવાડી ન શકે. હું તમારા બધાના લખાણો વિકસતા જોઈ રહી છું. કલમને કેળવવી પડે અને સાથે લખવાનીઆદત પણ કેળવવી જોઈએ તો જ વાર્તા ઉત્તમ સ્વરૂપે લખાય અને વાંચકને શરૂઆતથી અંત સુધી જકડી રાખે. આ સાથે “બેઠક”ના સર્જક જયવંતીબેનને ઇનામ આપી તરુલતાબેને વખાણ્યા હતા અને જયવંતીબેને પોતાના વિચાર દર્શાવતા કહ્યું કેઆફ્રીકામાં અમે રહેતા અને અમેરિકા આવ્યા પછી ગુજરાતી ભાષા છુટી ગઈ હતી પણ બેઠકમાં ફરી માતૃભાષાનોસંપર્ક થયો અને સાહિત્યને વાંચન સાથે લખી માણીએ છીએ.

એજ પ્રમાણે પ્રતાપભાઈ પંડ્યાએ પણ ખાસ વાંચન સાથે  સહિયારું  કામ કરવા માટે  આગ્રહ કર્યો હતો. અને પ્રજ્ઞાબેન સાથે બીજાએ તૈયાર થવાની જરૂર છે તેવો આગ્રહ કર્યો હતો.ત્યાર બાદ સભ્યોએ લખેલી પોતાની રચનાઓ રજૂ કરી હતી. યુવાન તરવરાટ દીપલ પટેલની રજુઆતમાં દેખાયો હતો અને લોકોએ એને આવકાર્યો. દર્શનાબેન ભૂતાએ મેઘલાતાબેનને યાદ કરી એમની કવિતા રજૂ કરી અને પછી એકસુંદર ગીતની રજૂઆત કરી વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું તો દર્શના વારીયાએ પોતાની વાર્તા લાંબીહોવાથી સારાંશ કહ્યો તો ગીતાબેન, જે શિકાગોથી આવ્યા હતા તેમની રજૂઆત પણ ખુબ સરસ રહી.અમદાવાદથી આવેલ રશ્મિબેન જાગીરદારે રમેશ પારેખને યાદ કર્યા અને સાથે પોતાની સુંદર કવિતા રજૂ કરી. તેઓ અમદાવાદથી ‘બેઠક’માં કાયમ લખતા હોવાથી એમને ઘર જેવું વાતાવરણ લાગ્યું. કલ્પનાબેને તહેવારનેઅનુરૂપ કૃષ્ણ અને રાધાના પ્રેમની આદ્યાત્મિક રજૂઆત કરી તો  હેતલ બ્રહ્મભટે રાધાના જ સંધર્ભમાં સુંદર ગીતગાયું.  પ્રજ્ઞાબહેને પોતાની એક  રચના રજૂ કરી તો હર્ષદભાઈ નેમચંદ શાહ  ગાંધીજીના સંસ્મરણો યાદ કર્યા અનેઅંતમાં ઉત્તમભાઈએ પોતાની સેવાકીય પ્રવૃત્તિ વિષે લોકોને જાણ કરી. આ સાથે બેઠકની કાર્યવાહી સમાપ્ત થઇ.સૌએ સાથે મળી ફોટા પડાવ્યા અને ‘બેઠક’ની કાર્યવાહીની વિડિયોગ્રાફી રઘુભાઈએ સંભાળી તો ભીખુભાઈ પટેલઅને ઉષાબેન શાહે ‘બેઠક’ની બધી વ્યવસ્થા સંભાળી. ૩૨ જણાની હાજરીથી બેઠક શોભી ઉઠી. રાજેશ શાહે ફોટા સાથે ન્યુઝ આવરી લીધા.

હંમેશ મુજબ સ્વાદિષ્ટ સહિયારૂં ભોજન લીધુ. વસુબેન, રશ્મિબેન, દર્શનાબેન, ગીતાબેન બધાનો જન્મદિવસ લાડુ અને ગુલાબજાંબુ ખાઈ ઉજવ્યો. એકમેકને હળી મળીને હાથમાં પુસ્તકો લઇ છૂટા પડ્યા.

પ્રજ્ઞા દાદભાવાળા – કેલીફોર્નીયા

તરુલતાબેન વાર્તા સ્પર્ધાનું પરિણામ

પ્રજ્ઞાબેન ,

નીચે મુજબ ઇનામો જાહેર કરું છું,’બેઠક’માં હું હાજર રહીશ .બહારના લેખકોને ઈનામની રકમની વ્યવસ્થા કરી આભારી કરશો.વિજયભાઈ શાહની વાર્તાને ‘બેઠક’ તરફથી સન્માનપત્ર ઈ મેલથી
મોકલી શકાય, એમની વાર્તા પ્રથમ કક્ષાની છે પણ હરીફાઈમાં સામેલ કરી
નથી.તમારી વાર્તા ‘હલો કોણ?’સરસ મઝાની નાટિકા જેવી છે,તમે સચોટ સઁવાદોથી
સસ્પેન્સ આપો છો .

પરિણામ
પ્રથમ પુરસ્કાર (બે વચ્ચે વહેંચાય છે.)
ભૂમિ માછી વાર્તા ‘કુસુમના કંટક ‘
આરતી રાજપોપટ વાર્તા ‘સુવાસ ‘
દ્વિતીય પુરસ્કાર
રેખા પટેલ વિનોદિની વાર્તા ‘એક બોજ ‘
તૃતીય પુરસ્કાર
ઇન્દુબેન શાહ   વાર્તા ‘ભગવાન ભરોસે ‘
પ્રોત્સાહક ઇનામો
જયવન્તી પટેલ વાર્તા ‘ઝન્ખના’
પન્ના શાહ વાર્તા ‘વિધુ પુત્ર જમાઈ ‘

બેઠકમાં મળીશું ત્યારે ઈનામની રકમ તમને આપીશ.
બેઠકમાં સમય હશે તે પ્રમાણે વાર્તાઓની ચર્ચા કરીશ.
દર વર્ષે આ પ્રમાણે વાર્તા સ્પર્ધા રાખીએ તેવી શુભેચ્છા

વાર્તા સ્પર્ધામાં ભાગ લેનારા સૌ સર્જકોને અભિનન્દન.આ પ્રકારે ભવિષ્યમાં
સહકાર આપતા રહેશો તેવી આશા છે.તમારી સર્જનશક્તિથી વાચકોને ઉત્તમ આનન્દ
આપી આપણી માતૃભાષાને ગૌરવવન્તી કરશો તેવી શુભેચ્છા.

સૌ પ્રથમ વિજયભાઈ શાહની વાર્તાને માનદ સ્થાન આપ્યું. ‘સપ્તપદીની પ્રતિજ્ઞાઓ’બે
સઁસ્કૃતિનો મેળ કરી પ્રસન્ગને સરસ વાર્તારુપે રસ જમાવે છે.અંત ગમી જાય
તેવો છે.લોકપ્રિય છે છતાં સાહિત્યતત્વ જળવાયું છે,અભિનન્દન વિજયભાઈ.

૧-પ્રથમ ઇનામને પાત્ર ભૂમિ  માછીની ‘કુસુમના કઁટક ‘ એક જોરદાર વાર્તા
છે,ગરીબાઈમાં ચારિત્ર અને ગર્વ જાળવી રાખતી છોકરી માટે માન થાય છે,અંત પણ
સચોટ છે,જે કહેવાનું છે,તે પ્રસન્ગ અને સંવાદથી કહેવાય છે,બીજી ઘણી
વાર્તાઓ બોઘકથા જેવી છે.
2-આરતી રાજપોપટની ‘સુવાસ ‘ વાર્તાનું વસ્તુ નવીન છે,અંતમાં થોડું લંબાણ
છે,જે ટાળી શકાય.
૩-રેખા પટેલની ‘એક બોજ ‘સન્વેદનશીલ નારી પોતાના અહમને દીકરીના પ્રેમ ખાતર
ત્યાગી પોતાનામાંની માને જીતવા દે છે.મનના બોજને હળવો કરે તે ઉચિત છે.
૪-ઇન્દુબેન શાહની ‘ભગવાન ભરોસે ‘ કુતૂહલને જાળવી રાખે છે,સ્વાભાવિક લાગે
તેમ પ્રસન્ગો બને છે.વાર્તાની રજૂઆત સરળ ભાષામાં છે સૌને સ્પર્શે તેવો
અંત છે.
બધા જ લેખકોએ ઘણી માવજતથી વાર્તાઓ લખી છે.

૫-પ્રજ્ઞાબેનની ‘હલો કોણ’ બધાથીઅલગ રમૂજી વાર્તા છે,એક સરસ હાસ્યમય નાટિકા જેવી છે.મૂરતિયા શોધતા બાપનું સામાજિક દર્શન સચોટ છે.
૬-સાક્ષર ઠાકરની ‘બ્લેક ફ્રાઈડે ડીલ’ લોકપ્રિય સારી વાર્તા છે.

૭-મનીષાદેસાઈની ‘પ્રેમના અસ્થિ ‘ સરસ રીતે લખાયેલી ચીલાચાલુ પ્રેમથી સહેજ જુદી
છે,પણ હિન્દી મુવીમાં આવા પ્રેમના ત્યાગની વાત જાણીતી છે.
૮-છેલ્લે ગીતા પંડ્યાને ‘ખજાનો ‘વાર્તા માટે અભિનન્દન,કિશોરકથા માટે સારું ઉદાહરણ છે.
મારા તરફથી એક વધુ પ્રોત્સાહક ઇનામ હું જાહેર કરું છું.આવી નિર્દોષ સન્દેશ આપતી વાર્તાઓ લખતા રહેશો.
મારો એવો અભિપ્રાય છે કે વાર્તાઓમાં લેખકે પ્રસન્ગો ,પાત્રો
,પરિસ્થિતિ,મનોમન્થન તથા સંવાદ દવારા સૂચવવાનું હોય છે,વાચકો સમજદાર હોય
છે,કુતૂહલ અને વાર્તારસ જળવાવો જોઈએ , અંતમાં ચમતકૃતિ આવે તે સારી વાત છે
પણ કેટલીક વાર પાત્રને અનુરૂપ સહજ અંત આવે તેવું પણ બને.તમે પોતે તમારા
વિવેચક,વાચક અને સર્જક બનો.તમને ગમેલા લેખકની વાર્તાઓ વાંચો ,તેમાં કયું
તત્વ ચોટદાર છે તે તપાસો.
સર્જનનો આત્માને રીઝવે તેવો ભરપૂર આંનદ માણો અને વાચકોમાં વહેંચો -સહભાગી
બનાવો. સર્જનની વેદના છે,પ્રસૂતિની પીડા પણ શિશુ જન્મનો અદ્દભૂત આંનદની
તોલે કાંઈ નહિ.વાર્તાની તમારા બાળકની જેમ માવજત કરો,એને મઠારો ,સુધારો પૂર્ણ
વિકસિત કરો.હું મારી પ્રત્યેક વાર્તા માટે મથું છું ,ધડુ છું ,ભાગું છું
છેવટે શક્ય એટલી સન્તોષજનક કરવા સતત પ્રયત્ન કરું છું,પ્રભુને પ્રાર્થું
છું મને પ્રયત્ન કરવાની શક્તિ અને ધીરજ આપે.
આપણે સૌ આપણા પ્રયાસોથી ગુજરાતી ભાષાને જીવન્ત  રાખીએ  તેવી શુભેચ્છા.

તરુલતા મહેતા

મોડા ભેગું મોડું -દર્શના ભટ્ટ

૧ .ચાલો ને હવે,બહુ મોડું થયું…   હશે, બીજું તો કંઈ નથી થયું ને ! મોડા ભેગું મોડું.૨. ચાલો ને, આપણે દસ વાગે ત્યાં પહોહ્વાનું હતું,દસ તો અહી જ થયા.   એવું થયા કરે,મોડા ભેગું મોડું.૩.થોડી ઉતાવળ કરો,પ્રસંગ પતી જશે ત્યારે પહોચશું ?   એમ પ્રસંગ ના પતે,ત્યાં પણ મોડું જ થવાનું. મોડા ભેગું મોડું.૪. ઘડિયાળ સામે તો જુઓ ,કામ ક્યારે પતશે !   ઘડિયાળ સમય બતાવ્યા કરે એટલે આપણે તેના કાંટા  હારે દોડવાનું ! આમએય મોડું થયું જ છે ને,તો મોડા ભેગું   મોડું.બોલો, આ શબ્દ પ્રયોગનું શું કરવું ! અરે !  સમય સર ની વાત તો એક બાજુ રહી,ઉતાવળ કરવાની વાત નહિ ,મોડામાં મોડું વધારો કરવાની વાત ! કેવી માનસિકતા !આવા લોકોનો તોટો નથી. Indian standard time જેવો  શબ્દ પ્રયોગ ભારતીય લોકોની સમયપાલન પ્રત્યેની ઉદાસીનતા અને અવગણનમાંથી જન્મ્યો છે.નિશ્ચિત સ્થાને નિશ્ચિત સમયે ના પહોચીને ,Indian standard timeપ્રમાણે હાજર છીએ તેમ કહી ગર્વ વ્યક્ત કરે છે કે પોતાની જાતને છેતરે છે તેજ સમજાતું નથી.

પણ બસ ,ટ્રેન કે પ્લેનમાં મુસાફરી માટે ફરજીયાતપણે સમય સાચવવો પડે.હા ,નોકરી ધંધામાં પણ
સમયસર કામ થવું જોઈએ.ત્યાં મોડા ભેગું મોડું ના ચાલે.છતા સરકારી તંત્રમાં આ વૃત્તિ ઉઘડે છોગ
દેખાય આવે.
આવો બીજો એક શબ્દ પ્રયોગ ” પહેલા આવું નહોતું ” …
આના બે અર્થઘટન થઇ શકે: એક, આજના  કરતા વધારે સારું હતું .બે,પહેલા આજના જેવું સારું ના હતું.
મોટે ભાગે લોકોને પહેલો અર્થ જ અભિપ્રેત હાય છે તેમ અનુભવે સમજાયું છે. જયારે l.P.Gas રસોઈમાટે વપરાશમાં આવ્યો ત્યારે હું બહુ જ નાની હતી. મને યાદ છે કે લોકો કહેતા ” સગડી પર થતી રસોઈ જેવી મીઠાશ ગેસ પર
થતી રસોઈમાં નથી ” લાકડા સળગાવીને થતી રસોઈનો જમાનો તો મેં જોયો નથી ,પણ તે સમયે ગામડેથી
આવતા મહેમાનો કહેતા કે કોલસાની સગડી પર થતી રસોઈમાં પહેલા જેવી સુગંધ નથી.
રોજીંદા વપરાશ માટે stainless steel ના જમવાના વાસણોની પણ આજ કથા છે.પણ શરૂઆતમાં
” લોઢાંનાં વાસણ “અને કાચા વાસણને  ” ઠીકરાના વાસણ ” જેવા નામ આપવામાં આવ્યા હતા.તેમાં ખાવા
પીવા થી રોગ થાય તેવી વાતો થતી,લેખો છાપામાં આવતાં. ત્રાંબા,પિત્તળ અને કાંસાના વાસણોની સર્વોપરિતા
ના ગુણગાન ગવાતા ,આજે પણ આ સૂર થોડો થોડો સંભળાય છે.
મારી શાળામાં ૧૯૮૪ માં પહેલીવાર કોમ્પુટર આવ્યા ત્યારે શિક્ષક્ગણમાં તેના વપરાશ માટે થોડો વિરોધ થયો.
માત્ર એટલા માટે કે ” પહેલા હાથેથી જે લખતા તેવું સ્વચ્છ અને મરોડદાર અક્ષરોવાળું લખાણ કોઈ પણ કાગળ પર
ઉતરતું નથી. માટે અમે જાતે જ બધું લખીશું.” આજે પરિસ્થિતિ એ છે કે કોમ્પુટર શીખ્યા ન હોવાથી કોઈની મદદ
લેવી પડે છે.
 પણ સાથે સાથે ” હાથના લખાણની ,પહેલાની વાત જ અલગ ” એમ કહ્યા વગર રહી શકતા

” હવે ભણતર પહેલા જેવું નથી રહ્યું…”
” શાળા કોલેજમાં શિક્ષકો પહેલાજેવા ક્યાં છે ?”
”  સંતાનો પહેલા મા- બાપ સામે બોલી ના શકતા..અને આજે…”
” પહેલા જેવું ક્યાં રહ્યું છે..કોઈને ચાલવું નથી,સ્કૂટર વગર પગ નથી માંડવો “
 આ યાદી અનંત છે. હદ તો ત્યરે થાય છે જયારે ત્રિસ પાત્રીસનો
યુવા વર્ગ પણ “અમે ભણતા ત્યારે આવું નહોતું ” એમ ફરિયાદના સૂરમાં કહે ત્યારે થાય છે.
જગત પરિવર્તનશીલ છે. જ્ઞાન – વિજ્ઞાનના વિકાસ સાથે તે વિકસતું રહ્યું છે.અવનવી શોધો સાથે,તેના ઉપયોગથી
માનવજીવનની સુખ સગવડમાં વૃદ્ધિ થઇ છે.વીજળી,તેનાથી ચાલતા વિવિધ ઉપકરણોથી સમય અને શક્તિનો
બચાવ અને સદુપયોગ શક્ય બન્યો છે,ખાસ કરીને સ્ત્રીવર્ગ માટે.કુટુંબ નિયોજનના સાધનોથી  ,મારી દૃષ્ટિએ
તો મહિલાઓ માટે તો સુવર્ણયુગ આવ્યો છે.પહેલાના સમયમાં સ્ત્રીની આંગળીએ એક બાળક,કેડે બીજું અને
પેટમાં ત્રીજું.સાથે હાથેથી શ્રમપૂર્વક કરવાના ઘરકામ.આજે આવું નથી..
સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે એ વાત સાચી,પણ તેના જેટલા ગુણગાન ગવાય છે તે ” પહેલા જેવું નથી ” ના
ભાગરૂપે વધારે છે. સંયુક્ત કુટુંબમાં  પ્રેમ,સ્નેહ, હૂફ ,સહકાર,ની સાથે ઝઘડા,કંકાસ,પક્ષપાત પણ એટલાજ થતા.
વધુ કમાનાર પુરુષોનું અને સ્ત્રીઓનું શોષણ થતું .
આપણે સતયુગ અને બીજા યુઓગો વિષે વાચ્યું છે,સાંભળ્યું છે અને કળીયુગમાં જીવી રહ્યા છીએ.એ કહેવાતા
રામરાજ્યમાં પ્રથમ રામને અને પછી સીતાને અન્યાય નહોતો થયો ?
દેવો તપસ્વીઓના તપોભંગ માટે અપ્સરાનો ઉપયોગ ના કરતા ?
મહાભારત તો ઈચ્છા, આકાંક્ષા, લોભ,મદ ,મોહ અને સમાજમાં પ્રવર્તતા દુષણોની કથા છે.ધર્મ માટે કૃષ્ણે
શું કપટ નથી કરવું પડતું ?
 પહેલા હતું તે આજે પણ છે પણ આજે છે તે પહેલા નહોતું.
આપણે સારા સમયમાં જીવી રહ્યા છીએ એ સમજણ કેળવતા ” મોડા ભેગું મોડું ”  થઇ જાય એ પહેલા જરા
આત્મ નીર્રીક્ષણ ,સામાજિક નિરીક્ષણ કરી લઈએ તો સારું તેમ નથી લાગતું ?

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી-પ્રવિણાબેન કડકિયા

 

kano

 

‘કૃષ્ણ કૃપાદૃષ્ટિનું પાન કરી, આજ થઈ હું ઘાયલ

હૈયું કોને હું બતાવું વેદના કેમ કરી સમજાવું.”

કૃષ્ણ જન્મની સહુને વધાઈ હો. જ્ન્માષ્ટમીનું નામ સાંભળતાં કનૈયો આંખ સામે તરી આવે. જન્માષ્ટમી દર વર્ષે આવે. સાથે ઉમંગ અને આનંદ ભેગા લાવે. કૃષ્ણનું નામ સાંભળતાં તેની નટખટ અદા, તેનાં મુખ પરનું મધુરું હસ્ય, તેની વાંસળીના સૂર અને નંદ, જશોદા સહુ નજર સમક્ષ તરવરી ઉઠે. પેલો માખણ ચોર, મટકી ફોડ, ગેડીદડે રમતો દેખાય .  ગોપીઓને રંજાડતો ગૈયા ચરાવતો, કાળિય નાગ નાથતો કૃષ્ણ નજર સામેથી ખસવાનું નામ ન લે!

કૃષ્ણના નામમાં જે ટેઢાપણું છે તે આંખને ઉડીને વળગે છે. તેથી તેનું બીજું નામ ‘બાંકે બિહારી’ છે. જેનું બધું જ વાંકુ. છતાંય એ જ કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં ‘ગીતા’નો અમર સંદેશો આપે છે ત્યારે તેના નામની અને જીવનની સાર્થકતાનો સાક્ષાત્કાર થાય છે. પાંચ હજાર વર્ષ પહેલાં અપાયેલો ‘ગીતા’નો સંદેશ આજે  ૨૧મી  સદીમાં પણ અક્ષરસઃ  સત્ય છે.

જીવનના કાળ દરમ્યાન ઉદભવતા દરેક પ્રશ્નનો હલ ‘ગીતામાં’ સાંપડે છે  .એ કૃષ્ણની વિલક્ષણતાને શું નામ આપીશું . આજના સમયમાં ‘સાચા ગુરૂ’ મળવા એ લગભગ અશક્ય છે. એવા સમયે ‘ગીતા’ને ગુરૂ માની તેના શરણે જવું હિતાવહ છે. તેના શરણમાં જવાથી સહુ ચિંતાનો હલ મળશે. એવી કોઈ સમસ્યા એવી નથી જેનો હલ શ્રીકૃષ્ણએ “ગીતા” માં ઉલ્લેખી ન હોય. તે નટખટ દરેકને વાંકી રીતે સુલઝાવે છે.

ઊંટના તો માત્ર અઢાર વાંકા છે. આ બાંકેબિહારી તો શિરથી પાંવ સુધી બાંકો છે.  તેની મોહક અદા, તેનું મધુરું મુસ્કાન, તેનું ચાતુર્ય અને તેનું અલ્લડપણું બધું જ ગમે. તેની વિદ્વતા અજોડ.

બોલો બોલો

શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય.

શ્રાવણ વદ આઠમ અને કૃષ્ણ જન્મની રાત.
સાહેલી દોડી  આવ કહું  એક  ખાનગી વાત        .

વાસુદેવ અને દેવકીની કુખે જનમશે મધરાત
તનના  તાપ દૂર  થશે ને  મનને  થાશે  હાશ

સાત સાત બાળકોનાં કંસે કર્યા ઘોર અપરાધ
કાળો કેર વરતાવ્યો, ઉદ્ધારવા આવ્યા શ્રીનાથ.

નંદ જશોદાની ઓસરીએ ગુંજી ઉઠી ગાયકી
‘નંદ ઘેર આનંદ  ભયો  જય  કનૈયાલાલકી’

જળ જમનાની ધરામાં કાળિ્યા નાગનો વાસ
ગોકુળ નગરી ઉગારી સહુએ લીધો ઉંડો શ્વાસ

ભૂરી કાળી ગોરી ગાવડી લઈ નિકળે પ્રભાત
માખણ મિસરી રીઝ્યા બંસી છડીની સંગાથ

ગોપ ગોવાલણ સાટુ ટચલીએ ગોવર્ધન ધારી
૨૧મી સદીમાં પધારશે આજે શ્રીકૃષણ મુરારી

કૃષ્ણ જન્મની સહુને વધાઈ. તેણે બતાવેલ માર્ગ પર ચાલવાનો નિર્ધાર કરીએ. જીવન ભલે પ્રવૃત્તિઓથી ધમધમતું હોય કે, મુસિબતોથી ઉભરાતું હોય, કૃષ્ણની નિખાલસતા, ચાતુર્ય, અલ્લડતા અને ઉપદેશ વિષે વિચારીશું તો માર્ગ સાંપડશે એમાં શંકા નથી. માત્ર જુગાર રમીને જન્માષ્ટમી ન ઉજવશો. ઉપવાસ થાય તો કરવો વરના જે થાય તે કરી લેજો !

કાવ્ય ગઝલ: દુનિયા અમારી….રેખા પટેલ (વિનોદિની)

અમારા મહી જડતી છબી બસ તમારી.
તમારા થકી  હસતી આ દુનિયા અમારી 
પિવાયે વધુ જ્યારે નશો થૈ ચડે છે
વધારે ચડે પ્રેમ એ કસુંબલ સરીખોઅરીસાએ દીધો કાયમી છેદ અમને
ચડે જેમ વરસો એમ ઘડપણ બતાવે
તમારી નજરમાં છે ભરેલી જવાની
મહી જઈને સજતી આ દુનિયા અમારી ….. 

 
બની પ્રેમ ઘેલો એ વધારે છે ચાહત  
વહેતો રહી મુજ ઉર ઝરણાં સરીખો           
તમારો વરસતો નેહ દરિયો થઇને, 
સદાયે ઉછળતો રહી એ કેવું ભિજાવે.
અમારા મહી ભરતી રહેતી તમારી
અહી જઈને મળતી આ દુનિયા અમારી….

તમારા થકી હસતી આ દુનિયા અમારી ….

રેખા પટેલ (વિનોદિની)

અનિલભાઈ જોશી -અહેવાલ -સપના વિજાપુરા

તમે આવો તો બે’ક વાતો કરીએ

ઓગષ્ટ ૫,૨૦૧૬ ની સાંજનાં ૬ વાગે આઈ સી સી સેન્ટરમાં ” બેઠક” દ્વારા ભારતનાં ખ્યાતનામ કવિ શ્રી અનિલ જોશી સાહેબનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ ડો કવિ શ્રી દિનેશભાઈ શાહ્,કવયિત્રી જયશ્રી મરચંટ, પ્રજ્ઞાબેન દાદભાવાળા,  સપના વિજાપુરાના તથા મહેન્દ્રભાઈ મહેતા,સાથ અને સહકારથી યોજવામાં આવ્યો હતો.છ વાગે ડિનર આપવામાં આવેલું. જેમાં ઈડલી, મેંદુવડા ઉપમા,સાંભાર,ખીર અને કોફીની સગવડતા કરવામાં આવી હતી.બરાબર સાત વાગે કાર્યક્રમની શરૂઆત થઈ. પ્રજ્ઞાબેનની ઓળખવિધી પછી જયશ્રીબેન મરચંટે કવિ શ્રી અનિલભાઈ જોશીની ઓળખાણ આપી.જેમાં જયશ્રીબેને એમના ગીતો અને કવિતાઓ તથા એમના મળેલા એવોર્ડ અને એમના જીવનની ઝરમરથી લોકોને ભીંજવી દીધા. કવિ શ્રી અનિલ જોશીનો જન્મ ગોંડલમા થયો અને મુંબઈમાં વસવાટ કર્યો. કવિ શ્રી રમેશ પારેખ અને અનિલભાઈ ખાસ મિત્રો હતાં.કવિ શ્રી અનિલભાઈ ફકત કવિ જ નહીં પણ નિબંધકાર તરીકે પણ સુપ્રસીધ છે. એમના એક નિબંધસંગ્રહ “સ્ટેચ્યુ”ને ૧૯૯૦માં સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળેલો.એમના ઘણાં કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયાં છે. જેમાં ‘બરફનાં પંખી’,’ઓરા આવો તો વાતો કરીએ’ઘણાં સુપ્રસીધ્ધ થયાં છે.ત્યારબાદ કવિ શ્રી અનિલ જોશીને માઈક આપવામાં આવ્યું. કવિ શ્રી અનિલ જોશીએ પોતાના ગીતોથી જમાવટ કરી. પોતાનાં ગીત , ગઝલ અને કાવ્યોની સાથે બીજા ગઝલકાર અને કવિઓ અને કવયિત્રીની રચનાઓ પણ પઠન કરતા ગયા ં અને માહોલ બંધાતો ગયો દોઢ કલાકથી પણ વધારે શ્રોતાઓને જકડી રાખ્યા.તેઓ કહેતા રહ્યા કે મારો સમય પૂરો થઈ ગયો પણ શ્રોતાઓએ એમને બેસવા ના દીધા. ખાલી ગીત અને ગઝલ નહીં પણ જીવનના પ્રસંગો પણ જણાવતા ગયાં અને જીવનનો બોધ પણ આપતાં ગયાં.ત્યારબાદ કવયિત્રી સપના વિજાપુરાએ ડો દિનેશ શાહ ની ઓળખ વિધી કરી. ડો શાહ ૧૯૬૧માં યુ એસ એ આવ્યા અને કોલંબસ યુનિવર્સિટીથી ડોકરેટની ડિગ્રી મેળવી.ડો દિનેશ શાહે પચીસ વર્ષમાં ફાર્મા, ટેક્ષટાઈલ અને બાયો મેડિકલમાં ઘણાં પારિતોષિક મેળ્વયા. ૧૯૯૨ માં એમને વિશ્વ ગુર્જરી એવોર્ડ એનાયત થયો.અને ૧૯૯૫ માં સ્વામિનારાયણ સંસ્થાએ પ્રાઈડ ઓફ ઈન્ડીયાનો એવોર્ડ અર્પિત કર્યો.૨૦૦૩માં રાટ્રપતિ ભવનમાં ડો અબ્દુલ કલામ આઝાદ સાથે મુલાકાત થઈ. એમણે ફ્લોરીડામાં ઈન્ડીયા કલચર અને એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી.જ્યારે એમના નામનો રસ્તો કપડવંજમાં બન્યો ત્યારે ભારત સરકાર પર પણ માન ઉપસ્થીત થયું. પોતાના જીવનની એક પણ ક્ષણ વેસ્ટ નથી કરી એ એમની સાથેના પરિચય પછી હું જાણી શકી છું.સાયન્ટીસ્ટ તરીકે ઘણાં એવોર્ડ મેળવ્યા છે હાલમાં જુન ૬, ૨૦૧૬ માં એમને એસ આઈ એસ કશ મિત્તલ એવોર્ડ પણ ચાઈનામાં અર્પણ કરવામાં આવ્યો.જે એવોર્ડ વૈકલ્પિક વર્ષે આપવામાં આવે છે જે ૨૦૦૨ ચાલુ કરવામાં આવ્યો છે જે એવોર્ડ સ્વિડન, યુ એસ એ ,ફ્રાંસ યુ કે,ઈઝરાઈલ અને ઓસ્ટ્રેલીઆના સાયન્ટીસને અર્પણ કરવામાં આવ્યા છે અને હવે આપણા ડો દિનેશભાઈ શાહને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.ડો. દિનેશ શાહ ખરેખર ગુજરાતનું ગૌરવ છે.કવયિત્રી સપના વિજાપુરાએ ડો દિનેશ શાહના સ્વર્ગસ્થ પત્નિ સુવર્ણાબેન શાહ ઉપર એક ગીત લખ્યું હતું. જેનું પઠન કરી વાતાવરણને લાગણીવશ બનાવી દીધું હતું.શ્રી પ્રતાપભાઈ પંડ્યાએ ડો દિનેશ શાહને ખેશ પહેરાવ્યો હતો અને દિનેશભાઈએ ટૂંકાણમાં આભાર માન્યો હતો.ત્યારબાદ રેખા ત્રીવેદી અને ડીમ્પલભાઈએ પોતાના સુમધૂર સૂરમાં કવિ શ્રી અનિલ જોશી અને રમેશ પારેખના ગીતોનો આસ્વાદ કરાવ્યો.સાડા નવ વાગે કાર્યક્રમની સમાપ્તી થઈ.

ઓગષ્ટ ૭ ૨૦૧૬ ના દિવસે ભુપેન્દ્ર શાહને ત્યાં પદ્માબેન શાહ જે ડો દિનેશ શાહના બહેન છે એમના સંગ્રહનું વિમોચન રાખવામાં આવેલું.જેમાં ફરી ડો શાહ અને કવિ શ્રી અનિલભાઈને સાંભળવા મળ્યાં. પ્રજ્ઞબેન દાડભાવાલા સીનીયર સીટીજનને આ રીતે પ્રોત્સાહન આપે છે અને બધાં સીનીયરના દિલ જીતી લે છે..પદ્માબેનનું પુસ્તક બબનાવવાનો વિચાર પ્રજ્ઞાબેનને આવેલો.પદ્માબેનની આંખમાં હર્ષના આંસું આવી ગયાં..આ રીતે પરદેશમાં વસી ગુજરાતીઓ ગુજરાતીને જીવંત રાખવાની કોશીશ કરી રહ્યા છે.”બેઠક”નો ગુજરાતી જીવંત રાખવામાં મોટો ફાળો છે.

સપના વિજાપુરા

અનીલ-૩

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા-(21)આરતી રાજપોપટ

મિત્રો હું બહારગામ ગઈ હતી તો ઘણી વ્યક્તિની વાર્તા હું બ્લોગ પર મૂકી નથી શકી જે સમય સર મને મળી છે અને વાર્તા સ્પર્ધા માટે છે .જે હવે મુકું છું.

“સુવાસ”

 વિવેક ના પાર્થિવ શરીર પાસે ઘુટણીઆ ભેર બેસી રીટા એ પુષ્પગુચ્છ સાથે શ્રધાસુમન અર્પણ કર્યા.રોકવાની બહુ કોશિશ કરવા છતાં એક દબાયેલા ડુસકા સાથે આંખમાંથી આંસુ બહાર ઘસી આવ્યા .ઝડપભેર ત્યાંથી ખસી થોડે દુર જઈ ઉભી રહી,વિવેકના અંતિમ દર્શનાર્થે આવેલા લોકોથી વિવેક ના ઘર નો વિશાળ હોલ ખીચોખીચ ભરેલો હતો.આજે વિવેકના જીવન ની અંતિમ યાત્રા ના પ્રયાણ સાથે પોતાના જીવન નો પણ એક પડાવ પૂર્ણ થયો કે શું…? શું સંબંધ હતો તેનો વિવેક સાથે,ને છતાં કેવો ઋણાનુબંધ ! વિચારતા વિચારતા કેટલાક વર્ષો પાછળ તેની હોસ્પિટલ ના રીહેબ-સેન્ટર વિભાગ માં પહોંચી ગઈ રીટા ત્યાં કશાક કામ માટે ગઈ હતી (શહેર ની નામાંકિત હોસ્પિટલ માં નર્સ હતી રીટા,)

અચાનક કોઈક ના ધમપછાડા  ને ચિચિયાયારી ઓ નો અવાજ સાંભળતા ત્યાની નર્સ ને પુછ્યું આ શાનો અવાજ છે?કોણ છે જે આવી ઘમાલ કરે છે? ત્યારે તેણીએ કહ્યું કોઈ ૨૪-૨૫ વર્ષ નો યુવક વ્યસન મુક્તિની સારવાર લેવા આવ્યો છે.ખરાબ લત ની એટલી હદે આદત લાગેલી હતી કે તે ન મળતા દિવસ માં બે-ત્રણ વાર આંમ કાબુ બહાર થઇ જતા ઘેન નું ઇન્જેક્શન આપી સુવડાવી દેવો પડે છે.અચાનક શોર શાંત થઇ જતા કુતુહલ વશ રૂમ માં જઈ જોવે છે ,કેવો ફૂટડો યુવાન છે બીમારી ની હાલત માં પણ તેના મો પર એક તેજ ને ચમક છે. વ્યસન માણસ ને કેવા ગુલામ બનાવી દે છે વિચારતી ત્યાંથી પોતાના વિભાગ માં આવે છે.

      અઠવાડિયા-દસ દિવસ પછી એક દિ’ ડોક્ટરે  રીટા ત્યાની હેડ નર્સ હોવાથી રૂમ નંબર ૧૫ ના પેશન્ટ ની હાલત નાજુક હોવાથી ખાસ ખ્યાલ રાખવાની સુચના આપી. ઓક ડોક્ટર કહી બાકીના રૂમ અને ડોરમેટ્રી પેશન્ટ ની બીજી સિસ્ટર ને ભલામણ કરી તે ૧૫ ન. માં પહોચી જોતાજ ચોંકી ગઈ,અરે આ તો પેલો રી-હેબ વાળો  યુવાન!  કેસ ફાઈલ જોતા ખબર પડી કે લીવર સાવ નબળું પડી ગયું છે,૧૫-૨૦ દિવસ ની ત્યાની ટ્રીટમેન્ટ થી વ્યસન ની આદત માં સુધારો થયો તો પણ અચાનક ઉલટીઓ થતા અહી શિફ્ટ કરવામાં આવ્યો હતો. હાલત થોડી નાજુક હતી અને ખુબ વીકનેસ ને લીધે બે ત્રણ દિવસ તો  બેભાન જેવી અવસ્થા  માંજ રહ્યો. થોડું ભાન આવતા  આંખ ખોલી “હું ક્યાં છુ” એવા અસ્પષ્ટ બબડાટ કર્યો. “તમે સીટી હોસ્પિટલ માં એડમિટ છો તમારી તબિયત સારી નથી વધારે વાત ના કરો” કહી ઉંધાડી દીધો.

       હોસ્પિટલ ની સારવાર ને રીટા ની સતત કાળજી થી હવે તેની તબિયત માં થોડો સુધારો થયો. પછીતો રોજ ગુડમોર્નિંગ ,હલ્લો ને સ્મિત ની આપલે થી વાતો થવા લાગી.રીટા ને લાગતું આવો હસમુખો,મળતાવડો છોકરો ને આવી હાલત?ને તેનું દિલ કરુણા થી ભરાય જતું.

        એક દિવસ વાતવાતમાં પૂછ્યું સિસ્ટર હવે તો કહો હું અહીં કેવી રીતે  આવ્યો? ત્યારે સિસ્ટર એ રી-હેબ સેન્ટર થી માંડી અહી કેવી રીતે આવ્યા તેની વાત કરી.”

પણ ત્યાં મને કોને એડમીટ કર્યો”

કેસફાઈલ મુજબ અપને કોઈ મી. જોશી લાવેલા અહીં”

“ઓહ એતો અમારા મેનેજર છે’

“સર એક વાત પુછુ તમે અને આવી હાલત માં? અહી તમને આજ સુધી જેટલું જાણી એ પરથી આ વાત મેળ નથી ખાતી.

         અને ત્યારે વિવેકે એક નિસાસો નાખી પોતાની વાત કહેવાની ચાલુ કરી ,” હું વિવેક શ્રોફ શહેર ના ગર્ભ શ્રીમંત પરિવાર નો એક માત્ર પુત્ર ચાંદી ની ચમચી મોમાં લઇ જન્મ્યો હોવા છતાં ઘર માં પહેલે થીજ અનુશાસન સંસ્કારિતા અને ધાર્મિક વાતાવરણમાં ઊછર્યો. હું પંદર વર્ષનો હોઈશ ત્યારે મમ્મી અમને છોડી ગયા. પણ ઘર નું વાતાવરણ,ઓજસ્વી પિતાની ઓથ અને મારી બુદ્ધિપ્રતિભા ના તેજ થી મારું વ્યક્તિત્વ એકદમ ખીલી ઉઠ્યું. ખુબ ઝડપ થી પ્રગતી કરતો આગળ વધતો હતો પણ કોલેજ ના છેલ્લા વર્ષ માં આવતા થોડા નઠારા દોસ્તો સાથે પનારો પડતા શરાબ ની લત લાગી, અને સ્વાર્થી દોસ્તો એ પૈસા વાળા બકરો  હાથ માંથી જતો ન રહે અને તેમના શોખ મારાથી પોષતા રહે એવી લાલચે મને છાની રીતે ડ્રગ્સની  પણ આદત પાડી દીધી.મને બધું સમજાયું ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. જેમ લત ને છોડવાની કોશીસ કરતો  તે વધારે ભીસથી જકડી લેતી. પપ્પા ને વાત ની ખબર પડી મને ખુબ સમજાવ્યો, ને હું તેમને પ્રોમિસ આપી ઘર માંથી નીકળ્યો ને સીધી હોસ્પિટલ માં મારી આંખ ખુલી.

           જુઓ ને સિસ્ટર પપ્પા મારાથી કેટલા નારાજ ને ગુસ્સે હશે કે આટલા દિવસ થી અહી હોવા છતાં એકવાર પણ મારી ખબર પૂછવા નથી આવ્યા ,અને હોયજ ને મારાથી ભૂલ જ એવી થઈ છે”

            રીટા એ ધીમેથી કીધું,”સર તમે મારી વાત ઘ્યાન થી સાંભળો  આપના પિતા તમે રી-હેબ માં હતા ત્યારે ત્યાં  આવ્યા તા પણ તમારી હાલત જોઈ એમને એટલો આઘાત લાગ્યો કે એમને મેસીવ હાર્ટ-એટેક આવ્યો અને અહીજ એમની સારવાર ચાલુ કરી પણ અમે બચાવી ન શક્યા.આટલા દિવસ તમારી નાજુક હાલત જોતા તમને આ વાત કરવી યોગ્ય ન લાગી.”

           સાંભળી થોડીવાર તે અવાચક થઇ ગયો ને પછી પારાવાર પસ્તાવા ને ગ્લાની સાથે નાના બાળક ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેને થોડીવાર રડી હળવો થવા દઈ પછી સાંત્વના આપી શાંત કર્યો.

           થોડા દિવસો જતા તેની તબિયત માં હજુ થોડો સુધારો થયો,પણ રીટા જાણતી હતી કે આનું જીવન હવે કાચ ના જેવું નાજુક છે જેટલી સંભાળ એટલું સલામત.એક દિવસ ડ્યુટી ટાઈમે રીટા તેને દવા આપી રહી હતી ત્યારે બહાર થી બીજી નર્સ તેને અરજન્ટ બોલાવી ગઈ. એ પાછી આવી થોડી ઉદાસ હતી ,તો પુછ્યું,”શું  થયું એનીથીંગ સીરીયસ?”

       “હા બાજુના જનરલ વોર્ડ માં એક ૬-૭ વર્ષ નો છોકરો છે તેની તબિયત અચાનક લથડી છે ડોક્ટર કે છે ઓપરેશન કરવું પડશે પણ તેના માબાપ આવો ખર્ચો કરી શકે એમ નથી “ કહેતા તેના ગળે ડૂમો બાજી ગયો. “ શું થયું સિસ્ટર તમે આમ ઢીલા કેમ પડી ગયા”. “કઈ નઈ”

મને તમે કહી શકો છો તમને ઠીક લાગે તો”. અને રીટા ની આંખ માંથી આંસુ ટપકી પડ્યા .” મારો પણ આવડો જ નાનો ભાઈ હતો જેને સરખી  સારવાર ના અભાવે ખોઈ દીધો. એકદમ આ નીલ જેવો ને તેની ઉમર નોજ .” “ઓહ સોરી”. ‘

“તમારા ઘર માં બીજું કોણ કોણ છે?” માં અને નાની બહેન છે જે ટેન્થ માં ભણે છે તેને ડોક્ટર બનવું છે જેથી લોકોની સેવા કરી શકે ને કોઈ ગરીબ નું બાળક પૈસા ના અભાવે મોત ને નો ભેટે.” હું અહીં નર્સ ની નોકરી કરું ને એ પણ એના ફ્રી સમય માં ટ્યુશન લઇ પૈસા ભેગા કરે છે”.

           અને આટલા દિવસ થી ઉદાસ,ખોવાયેલા વિવેક ના મોઢા પર એક ચમક આવી ગઈ.અને બાળક ના માબાપ ને મળી તેને મદદ કરવાની ઇચ્છા જતાવી. “સિસ્ટર કરોડો રૂ. ની દોલત છે શું કામ ની મારા માટે હવે ,તે કોઈ ના સારા કામ આવશે તો મને ઘણો આનંદ થશે”.અને પછી નીલ નું સફળ ઓપરશન થઇ તે સાજો થયો.

           દિવસો વિતતા જાય  છે ને વિવેક ની તબિયત માં થોડો થોડો સુધારો થતો જાય છે. દરમ્યાન ખુબ લાંબા સમય હોસ્પિટલ માં રહેવાથી ત્યાના સ્ટાફ ને સર્વે સાથે એક આત્મીયતા થઇ ગઈ  છે ,અને પ્રથમ થીજ વિવેક ની સારવાર માં રહેવાથી તેની ને વિવેકની સારી એવી મિત્રતા થઇ ગઈ  છે . લાંબી સારવાર પછી ખાવા-પીવાના ઘણા બધા રીસ્ટ્રીકશન ,નિયમિત દવાઓ અને ચેકઅપ કરાવતા રહેવાની કડક સુચના સાથે હોસ્પિટલ માંથી રજા મલી  વિવેક ને..સાંજે ડયુટી પતાવી રીટા ઘેર પહોંચી ને થોડી વાર માં ડોરબેલ વાગી ,દરવાજો ખોલતા પ્રફુલિત સ્મિત સાથે વિવેક દરવાજે ઉભો છે.”તમે અહીં” આવો આવો કહી તેને અંદર લઇ ગઈ.માં અને બહેન ને મલાવ્યા . અને વાતવાત માં  પ્રિયા , રીટા ની નાની બહેન ની ભણવાની જવાબદારી પોતે લેવા માંગે છે જણાવ્યું.બધા ની આનાકાની થતા “ શું મારી પણ નાની બેન જેવી નથી કહી બધાને ચુપ કરી દીધા.

           પછી તો અવાર-નવાર મારું હવે તમારા સિવાય કોણ છે કહી ઘેર મળવા આવી જતો,ત્યારે રીટા ની બસ્તી ના લોકો ને મળતો તેમની ઘર ઘર ની પરેશાનીઓ ની વાતો સાંભળી તેનું હૃદય દ્રવી ઉઠતું ,તેને થતું મારી પાસે જે છે ને હતું તેની મેં કદિ કદર ન કરી અને લોકો તેના અભાવે કેવી હાડમારી માં જીવી રહ્યા છે. અને જેમ જેમ તેને કોઈની તકલીફ ખબર પડે તેમને ખુલ્લા દિલ થી મદદ્દ કરવા લાગ્યો. અને આમ જાણે એને આખી બસ્તી ને દતક જ લઇ લીધી! ભણતર,કન્યા ના લગ્ન ,મેડિકલ જરૂરિયાત જેવી જરૂર એવી સહાય.અને તેણે જાણે સેવા કાર્ય કરવાનો ભેખ લીધો.અને તેમાં એની સહભાગી બની સિસ્ટર રીટા. તમામ જરૂરિયાત વાળા લોકોની સૂચી, સહાય ત્યાં સુધી પહોચાડવી ,તેનો યોગ્ય ઉપયોગ થયો છે તેની ખાત્રી કરવી જેવી દરેક બાબત નું ધ્યાન તે રાખતી. વિવેકે માનવતા ના યજ્ઞ માટે તેની તિજોરી ખોલી નાખી,પણ કહેવાય છે ને કે બેઠા બેઠા તો રાજા નો ખજાનો પણ ખૂટી પડે તેથી તેણે ઓફીસ જઈ તેનો બીઝનેસ પણ સંભાળવા માંડ્યો જેથી તેના આ સેવા યજ્ઞ માં કોઈ અડચણ ના આવે એની ખુદ ની તો બીજી કોઈ જરૂર ન હતી. ભણી ને તૈયાર થતા એલીજીબલ યુવા ને  જરૂર મુજબ તેના બીઝ્નેસ માં કામ પણ આપતો. વખત વીતતો ગયો ને તેની તબિયત ના હાલ જાણતો હોવાથી તેની તમામ ચલ-અચલ સંપતિ અને તેના સેવાકાર્ય નું એક trust પણ બનાવી નાખ્યું

જેમાં   તેના મેનેજર,રીટા,તેની ડોક્ટર બની ગયેલી બહેન પ્રિય વિગેરે વિશ્વાસુ લોકો શામેલ હતા.

        આમ વિવેક નો  સકારાત્મક અભિગમ, લોકોપયાગી થવાની ભાવના  ને સાફસુથરી જીવન પધ્ધતિ થી તેને ૧૫ વર્ષ નું નવજીવન મળ્યું. પણ છેલ્લા થોડા દિવસ થી તબિયતે ફરી ઉથલો માર્યો ને આજે તેનો પવિત્ર આત્મા નશ્વર દેહ ને છોડી અંતિમ યાત્રા એ વિહાર કરવા નીકળ્યો .તેના ચહેરો  પર સંતોષ ને પરમ તેજ ની આભા હતી.

         ખીલેલા પુષ્પ સૃષ્ટિ માં સુંદરતા ને સુગંધ વિખેરે છે ,ને કરમાઇને પણ નકામાં નથી થતા ,તેનો

અર્ક પણ ઉપયોગી બને છે તેમ વિવેકે પણ તેના મુરજાઇ ગયેલા જીવન ને   લોક ઉપયોગી કાર્ય માં ખર્ચી નાખ્યું .  તેના જીવનઅર્ક ની  સુવાસ આજે સર્વત્ર મહેકી રહી છે. એક કરમાયેલા પુષ્પ ની સુવાસ થી અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા છે તેનું જીવન હજારો લોકો ને પ્રેરણા આપી રહ્યું છે, વિચારતા રીટા નું મન આદર અને અહોભાવ થી ભરાય ગયું ,તેના હાથ જોડાય મસ્તક આપોઆપ નમી ગયું.

      

       

મેઘલાતાબેન મહેતાની પ્રથમ પુણ્ય તીંથીએ

meghlataben

મિત્રો ,આજે આપણા  બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન  મહેતાની પ્રથમ પુણ્ય તીંથીએ યાદ કરીએ મિત્રો “બેઠક”માં કે શબ્દોનાસર્જન પર  અહિં આપણે બધાં એક પરીવારનાં સભ્યો છીએ …..  બધા જ લેખકો લેખિકા અને વાંચન વર્ગ સૌ સાથે મળી માસીને  આજે યાદ કરી એમની રચનાનો આસ્વાદ માણીએ,એ પહેલા એમના દીકરી માધવીબેન ના હાથે લખેલ સ્વ રચનાને માણીએ.

જીવન એક ઝંઝા 

તે છતાં લૂટો મજા

જાણ્યું માવડી તુજ થકી 

જીવન નો વૈભવ 

છે પળ પળ નો ઉત્સવ 

જાણ્યું માવડી તુજ થકી 

માવડીને મારા વંદન -માધવી મેહતા

મિત્રો જીવનમાં અમુક વ્યક્તિ હંમેશ  માટે યાદ છોડી ને જાય છે..અને કાયમ આપણા હૃદય માં સ્થાન લીઈ લે છે..મેઘલતા માસીને એમના મોઢે  સંભાળવા એક લાહવો છે ..આજે એ નથી પણ એમની લેખેલી કવિતા વાંચશો તો પણ  એ જીવંત આપની પાસે છે એવું અનુભવશો..  

મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ ,

ઓ બાંધવા ,મુઠ્ઠીમાં મોત લઇ લઇ ફરીએ ,……

ધાર્યું કાંઈ થાય નહીં ,ધારેધરણી,

ફોગટ જંજાળ શીદ વ્હોરીએ ?…..

                                                            મેઘલતાબેન મહેતા

મારા માટે માસી એક પ્રોત્સાહન છે ,પ્રેરણા છે ગુરુ છે  તો કયારેક એક નીડર લેખિકા છે ,હુદયમાં જે અનુભવ્યું  તે એમની કવિતા દ્વારા આપણા  હૃદયમાં સોંસરવું ઉતરી ને આપણને સ્પર્શે છે. સૌમ્ય  સુંદર અને વિવિધતા ભરેલા લખાણ એવા સરળ સાદી ભાષામાં રજુ કરે કે સાત્વિક સુગંધભરી ઊર્મિના ઝરણામાં પડ્યા હોય તેવું લાગે માત્ર મને જ નહિ દરેક વાંચકને  આવું  જ લાગે  પછી એ ઘૂળેટીના ઉત્સવની ઉજવણી હોય કે પ્રેમ બંધનથી ભીંજવી  દેવાનો દિવસ, માસી શબ્દોમાં એવો ગુંથી નાખે કે કવિતા નું સ્વરૂપ લઈલે …

આમ જોવા જઈએ તો માસીએ 1946થી  એમના  હદયમાં ઉઠેલી  ઊર્મિ કે સંવેદનાને શબ્દદેહ આપવાનું શરુ કર્યું. પછીતો લોકો એમના ગીત ગરબા હોય કે બાળ  ગીતો કે કવિતા  વાંચવા કે સંભાળવા માંગણી કરવા માંડ્યા અને આડી અવળી કાપલી ને ભેગી કરી  80 વર્ષની ઉંમરે” તીર્થનું પંચામૃત પુસ્તક” બહાર પાડ્યું .આજે જેમની કવિતાજ એમની ઓળખ છે એમના શબ્દોમાં કહું તો

સ્વાનુભવ  તો સૌ કહે ..

પણ પરનો કહે તે કવિ …

સીધે સીધું સૌ કહે ..ચોટ લગાડે તે કવિ .

એમણે કવિતામાં  હ્દયની સાચકલી  લાગણી ઓં ,ભાવનાઓ  સંવેદનો  અને કેટલેક અંશે અનુભવો  ઉતર્યા છે.કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે  જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જ વાત છે …આ વાત મેં માસીની કવિતામાં અનુભવી છે.

          જિંદગીને  નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ ,

ભૂત ભેગો કરો નહીં,પણ ભૂતકાળ ભૂંસતા જાઓ .

લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ

ગૂંચવાડે ગૂંચવાઓ  નહીં ને ,આજ આનંદે ઉજવતા જાઓ ..

જેમ જેમ વાંચશો તેમ તેમ એવું લાગશે  કે હા , આવુ જ થાય છે.માસી શબ્દો ના એવા આટાપlટા રમે કે આપણે વિચાર કરતા થઈ જઈએ..પોતાની કવિતા દ્વારા બીજાને વિચાર કરતા કરે તે કવિત્રી …અને એજ મેઘલતામાસી

એમની કવિતાઓનું એક અલગ સ્વરૂપ અને રજુ કરવાની એક આગવી છટા..સૌ પ્રથમ” પ્યાલા બરણી ” કવિતા એમના મોઢે પ્રથમ સાંભળી પ્રોગ્રામનું સંચાલન હું કરતી હતી પણ મારી બોલતી બંધ થઇ ગઈ,આવા મેઘલાતાબેહન  મહેતા ની કવિતા માણો પછી તમે પણ મારી જેમ જ કહેશો.એમાં કોઈ શક નથી આ બ્લોગની શરૂઆત પણ એમની કવિતા થી કરી એમની પાસેથી લેખનની પ્રસાદી ને પ્રેરણા મળ્યા અને બીજા એ પણ એમને વાંચી  પ્રેરણા લીધી અને લઇ રહ્યા છે.સાદા  સરળ વિષય લઈને વાચકને અધાત્મિકતા ના શિખર પર એવી રીતે લઇ જાય કે ખબર પણ ના પડે.

“.ભમરડો” વિષય એક રમત પણ આધ્યાત્મિકતા અને જીવનની ફિલસુફી સમજાવી દે  ….

પૃથ્વી પણ છે એક ભમરડો ,અગણિતોનો સાથી?

કોના હાથે છુટયો ,છોડવે કો આ ચક્કરમાંથી?

કોણે પૂર્યા પ્રાણ ,કદી શું ગતિ મંદ થવાની ?

કે પુનઃજન્મ પામીને પાછી  ગરબામાં ઘૂમવાની?

ઘડપણમાં  હાથ પગ  ના ચાલતા હોય ..શરીર સાથના દેતું  હોય ત્યારે  એ મક્કમ પણે આગળ વધવું એ જેવી તેવી વાત નથી  .એમની પંક્તિમાં કહું તો….

જુવાનીના  જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે  જિંદગીભરની,

કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .

ભૂતકાળનો પાલવ પકડી …જે ટમટમ્યા કરે ..

તેનો વળી વિકાસ  કેવો ?…જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,

જે દોડ મુકે આંખ મીચી –તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .

એમની કવિતા નો સંદેશ છે …જિંદગી ના સત્યને અપનાવો ..

મેઘલતામાસીએ  પોતાના માટે સારું શું કે ખરાબ શું તે નક્કી કરવાનું કામ ઈશ્વર   ઉપર છોડી દીધું હતું. ઈશ્વર જે કરે પછી તે ખરાબ હોય કે સારું, તેને વિના હીચકીચાહટ સ્વીકારી લેવું એ કેટલી મોટી વાત છે. એટલુંજ નહિ ..આશાવાદી હતા  ..છેલ્લે સુથી  જિંદગીના રંગો પુર્યા.તૈયાર થઇ સદાય અંબોડામાં ફૂલ મુક્યું .તેમના  આ અભિગમ ને લીધે દરેક  સવાર એક કોરી પાટી બની રહી.દરરોજ એક નવો દિવસ, સૌથી વધારે તો ઉંમરને  સહજતાથી સ્વીકારનાર માસી અંત સમય સુધી પણ નિડરતાથી  કહી શક્યા અને આજે જાણે આપણને  કહેતા હોય  એમ લાગે છે  કે…

મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ ,

ઓ બાંધવા ,મુઠ્ઠીમાં મોત લઇ લઇ ફરીએ ,……

ધાર્યું કાંઈ થાય નહીં ,ધારેધરણી,

ફોગટ જંજાળ શીદ વ્હોરીએ ?…..

આખા કાવ્યમાં   લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન કરાવ્યા .જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે  અને અપનાવ્યા વગર છુટકો જ નથી,

જેમણે જિંદગીને આટલી સહજ સ્વભાવિક રીતે સ્વીકારી હોય એમના માટે એમની જેવી કવિતા લખવાની મારી ક્ષમતા નથી. શબ્દોના ગુલદસ્તા પણ નથી.હા.. પણ એટલું જરૂર કહીશ કે  આપના આશીર્વાદ સુરજ ની જેમ આવે ,નવી આશાઓ લાવે, ઉમંગ થી હ્રદય છલકાય, આપણા જીવનમાં રંગ પુરાય અને  આપની શુભેચ્છા આપણી સાહી બને અને  આપની કલમ અમને લખવાની પ્રેરણા આપે તેવા આપના આશીર્વાદ સદાય  બેઠકને અને સર્વ લખકોને વર્તાય 

(“તીર્થનું પંચામૃત” તો આપ્યું, તમે હવે પ્રેરણા આશીર્વાદ ના પ્રસાદ રૂપે આપતા રહો )