નિબંધ-“બેઠક” ગુરુ દાવડા સાહેબ

davda saheb

નિબંધ એ ગદ્યસાહિત્યમાં સૌથી વધારે ખેડાયલો પ્રકાર છે. સમાચાર, પ્રવાસવર્ણન, વાર્તા, નવલકથા, આત્મકથા વગેરે સાહિત્યના પ્રકારોના સીમાડા સંકુચિત છે, જ્યારે નિબંધના સીમાડા અતિ વિશાળ છે. આનો અર્થ એવો નથી કે આપણે ફાવે તે લખીયે તેને નિબંધ કહેવાય. નિબંધ એટલે સુંદર વિચારો, સુંદર અનુભવો, સુંદર વર્ણન અને સુંદર ઉપસંહાર. નિબંધ એટલે તમારા મંતવ્યો, તમારી લાગણીઓ અને એમાંથી તારવેલા કલ્યાણકારી ઉપસંહાર.

સુંદર નિબંધ લખવાની ક્ષમતા એટલે વિચારોની કુશળતા સાથે લેખનકળાનો સુભગ સમન્વય. નિબંધમાં પૂર્વગ્રહ માટે કોઈ અવકાશ નથી. નિબંધ બંધીયાર તળાવ જેવું ન હોતાં, ખળખળ વહેતી નદી જેવું પ્રવાહી સાહિત્ય છે. સ્પષ્ટ અભિવ્યક્તિ એ નિબંધનું આવશ્યક અંગ છે. તર્કસંગત દલીલોને અવકાશ છે, પણ અસંગત શબ્દોને મારી-મચડીને ન બેસાડી શકાય.

લેખન ક્ષેત્રમાં શરૂઆત કરનારાઓ માટે નિબંધમાં એક જ વિષય હોય એ ઈચ્છવા યોગ્ય છે, કારણ કે એમાં સંગઠીત વિચારોથી એક નિશ્ચિત હેતુ તરફ આગળ વધી, અંતે માર્ગમાં અટવાયા વગર ધારેલા અંત સુધી પહોંચી શકાય છે. જો તમારી વાત સારી રીતે કહી શક્યા હો તો અંતમાં થોડો ઉપસંહાર પણ યોગ્ય ગણાય.

બહુ અઘરા શબ્દો, લાંબાલચક વાક્યો અને મોગમ અને ગર્ભિત ઇશારા, નિબંધને લોગભોગ્ય બનાવવામાં બાધારૂપ થાય છે. તમે તમારી વાતને ટુંકમાં પુરી સમજાવી શકતો હો, તો જાણીજોઈને લેખનો લાંબો કરવાની જરૂર નથી. ઘણીવાર ટુંકમાં કહેવાયલી વાતો પણ અસરકારક નીવડે છે. નિબંધના મૂળ વિષયથી ખૂબ દૂર નીકળી જવાથી નિબંધ નબળો પડવાનો સંભવ છે. જો બીજી વાત, મૂળવાતને બળ આપતી હોય તો નિબંધમાં એને સામીલ કરી શકાય.

નિબંધનું શીર્ષક, નિબંધના વિષયને અનુરૂપ હોવું જરૂરી છે. સારૂં શીર્ષક ઘણીવાર અર્ધીવાત સમજાવી દે છે. નિબંધની શરૂઆત રસપ્રદ હોવી જરૂરી છે, એના માટે મુળ મુદ્દા ઉપર આવતાં પહેલાં થોડી પ્રાસ્તવિક વાત કરવી પડે, તો એ કરવામાં વાંધો નથી.

નિબંધમાં એકની એક વાત ફરી ફરી કહેવાથી નિબંધને બળ મળતું નથી. જો વાત ખૂબ જ અગત્યની હોય તો એનો ઉપસંહારમાં ફરી ઉલ્લેખ કરો, પણ ટુંકમાં.

નિબંધમાં અન્ય લેખકોના અવતરણો, કાવ્યપંક્તિ વગેરે ટાંકો તો એ કોનું સર્જન છે એ જણાવો. અવતરણો અને કાવ્યપંક્તિઓનો અતિરેક ન કરવો. તમારા વિષયને અનુરૂપ ન હોય, એવા અવતરણો તો ટાંકવા જ ન જોઈએ.

સારી લેખનકળા માટે સારૂં વ્યાકરણ, શુધ્ધ જોડણી, યથાર્થ વિશેષણો જરૂરી છે. વિરામ ચિન્હોનો કાળજીપૂર્વકનો ઉપયોગ પણ લેખનકળાના અંગો છે.

સારા નિબંધલેખક થવા માટે ખૂબ વાંચનની જરૂર છે. અવલોકનની શક્તિ એ નિબંધલેખકનું શક્તિશાળી શસ્ત્ર છે. એક જ લેખકના બે-ત્રણ નિબંધ વાંચો તો તમને એ લેખકની જીવનશૈલી, ચારિત્ર્ય વગેરેનો અણસાર મળી રહેશે.

અંતમા નિબંધ માટે વિષયની કોઇ પાબંધી નથી. માત્ર પૃથ્વી જ નહીં, બ્રહ્માંડમાંના કોઈપણ વિષય ઉપર તમે નિબંધ લખી શકો છો.

-પી. કે. દાવડા

માર્ચ મહિનાની “બેઠક”નો વિષય

મિત્રો 

હવે પછીની  બેઠકનો વિષય છે:મનની મોસમ 

હા આપણે આપણા ગમતા ચિત્રને  લઈને  નિબંધ લખવાનો

તમે  તમારા વિચારો આધારિત નિબંધ લખી નાખો.  

ઓછામાં ઓછા ૮૫૦ શબ્દો હોવા જરૂરી છે.

જોડણી ઉપર ધ્યાન ખાસ દેવું -સુધારીને જ મોકલશો .

“બેઠક” મહિનાના અંતમાં હશે એ પહેલા પોંહચવો જોઈએ.૩/૨૭/૨૦૧૭

અહી કહેવાનું આ વખતે ઇનામ સરપ્રાઈસ છે.

      કદાચ એવું પણ બને લખે એ બધાને કૈક મળે ….

નિર્ણાયકો ના નામ જાહેર કરવામાં નહિ આવે 

                                     નિર્ણાયકોનો નિર્ણય  અંતિમ અને આખરી રહેશે.

જેનું એક ઉદાહરણ અહી આપું છું. મને આ ચિત્ર ગમે છે. પણ આ શું કહે છે ? મને આ ચિત્ર માં શું દેખાય છે.માણસ સમયને ફેરવે છે કે સમય માણસ ને ફેરીવી નાખે છે ,કે આ કાળનું અત્યારે દેખાતું સ્વરૂપ છે?….તમે શું તારવ્યુ કહો …,હા આ માત્ર ઉદાહરણ છે.તમારે તમારું ગમતું  ચિત્ર મૂકી મનથી ખીલવાનું છે.માટે વિષય :”મનની મોસમ” છે. નિબંધ કેમ લખવા એના માટે “બેઠક” ગુરુ દાવડા સાહેબ માર્ગદર્શન મુદ્દા આપશે ,વાંચીને લખશો તો મૌલિકતા જળવાશે.વિવિધ વિચારો વાંચી ને જાણીને પછી તેના આધારે નવા વિચાર આવે  એ વાત યાદ રાખજો . કશું લખવું હોય તો તે બાબત ઉપર ચિંતન કરવું જોઈએ અને પછી આપણી સ્મૃતિ અને અનુભવોના આધારે તે વિષયને વળગી રહીને વિચાર-વિસ્તાર કરીએ એટલે નિબંધ લખાઈ જાય.

229083-clock-hands-being-pushed-back-by-a-business-man-stock-photo-time-management-clock

લ્યો આ સુંદર ઉદાહરણ -સુરેશભાઈ દલાલ નો આ નિબંધ તમને પ્રેરણા આપશે.

કાળ અખંડ છે. અનાદિ છે. પુરાતન અને સનાતન છે. આપણે ત્યાં ત્રણ ત્રણના ઘટક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સત્વ, રજસ અને તમસ. કાળના પણ ત્રણ ઘટક છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. વિગત, સાંપ્રત અને અનાગત. ગઈ કાલ, આજ અને આવતી કાલ. સમય એ કાળનું અત્યારે દેખાતું સ્વરૂપ છે. આ સમયના પણ આપણે કટકેકટકા કર્યા છે. આજનો સમય ઘડિયાળના બાર આંકડામાં ફેરફુદરડી ફરે છે. આજનો સમય કેલેંડરની તારીખના પાનામાં ફડફડે છે. એકેએક પળ ખબર ન પડે એમ ભૂતકાળ થતી જાય છે. વર્તમાન એ તો ક્ષણનું સ્વરૂપ છે. પળનો ચહેરો છે. સમયને આપણે ચીંથરેહાલ કરીએ છીએ. ક્ષણે ક્ષણે એના લીરા ઊડે છે. જાગવાનો સમય, નાહવાનો સમય, ઑફિસે જવાનો સમય, લંચ અવર્સનો સમય, ઑફિસેથી પાછા આવવાનો સમય, કોઈને મળવાનો સમય, કોઈથી છૂટા પડવાનો સમય, ઊંઘવાનો સમય. કાળ જાણે કે સમયના મયને પીધા જ કરે છે. બપોરનો સમય આક્રમક તડકો થઈને આપણને નખોરિયાં ભરતો હોય છે. રાતનો સમય ક્યારેક મધુર, કોમળ મલયનો લય લઈને વહે છે. કોઈકની ઊંઘ ઊડી ગઈ હોય ત્યારે નીંદવિહોણા નેણમાં લપાઈને રાતનો સમય જાગતો હોય છે, તો આ સમય ક્યારેક બંધ હોઠોની મૂગી ગોઠડીને મન ભરીને માણતો હોય છે. રાત કઈ રીતે વીતે છે એના પર બધો આધાર છે.
પ્રિય વ્યક્તિના સાન્નિધ્યમાં એમ જ લાગે કે રાતનો સમય રાતરાણીની સોડમાં સૂતો છે. એ તો એમ જ ઝંખે કે પરોઢિયું કદી થાય નહીં. હરીન્દ્ર દવેની લતા મંગેશકરના કંઠે પ્રસિદ્ધ થયેલી પંક્તિઓ યાદ આવે છે:

રૂપલે મઢી છે સારી રાત રે સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.

ક્યારેક રાતનો સમય અંધારાની રેશમી રજાઈ ઓઢીને ઊંઘતો હોય છે. આકાશમાં તારલા ગમે એટલા દૂર હોય, પણ રાતના સમય પાસે એના તેજને સૂંઘવાની પણ તાકાત છે. મને રાતના સમયનું એક રૂપ બહુ ગમે છે. આ ગમતા રૂપને હું ગદ્યમાં નહીં ઉતારું.

ટ્રેનની તીણી વ્હિસલ થઈ વીંધતો રહે રાતનો સમય,
નાનકા સૂના સ્ટેશન પર ટહેલતો રહે રાતનો સમય.

રાતનું રળિયામણું રૂપ હોય છે તેમ એનું બિહામણું સ્વરૂપ પણ હોય છે. હૉસ્પિટલમાં સમય એક પગે ખોડંગાતો ખોડંગાતો ચાલે છે. હૉસ્પિટલની ધોળી દીવાલોમાં સમય કાળું કાળું કણસે છે. રાતને વખતે આ જ સમય છરી, ચાકુ અને ખંજર સાથે વણસે છે. શહેરમાં તો દીવાઓ એટલા બધા છે કે આટલી બધી ઝગમગાતી રોશનીની વચ્ચે અંધકારને ઊતરવું હોય તો પણ તસુભાર ભોંય નથી મળતી. ટ્યૂબના આંધળા અજવાળામાં એ ધૂંધળો હોય છે. શહેરમાં તો આખી રાત જાહેરાતના પાટિયે પાટિયે ઝૂલતી હોય છે. ઘડિયાળમાં જ સમયની બારાખડી ઘૂંટાતી હોય છે. આપણે સમય સાથે જીવવું પડે છે. જ્યોતીન્દ્ર દવે કહેતા કે આપણે ઘડિયાળને ચાવી આપીએ છીએ એ ભ્રમણા છે. હકીકતમાં ઘડિયાળ આપણને ચાવી આપે છે. બધું જ ઘડિયાળને પૂછી પૂછીને કરવું પડે છે. ઑફિસમાં જઈએ છીએ. ચાનો કપ હોઠે માંડીએ છીએ પછી સમય થોડીક ક્ષણ ખાલી કપની જેમ પડ્યો હોય છે. ઑફિસમાં સમય ખડે પગે ઊભો રહે છે. કાંડાને કાંઠે સમય તરફડે છે.

શૈશવ, યૌવન અને વૃદ્ધાવસ્થા આ પણ સમયનાં જ સ્વરૂપો છે. નાના હોઈએ છીએ ત્યારે સમય રાજાના કુંવર જેવો લાગે છે. આપણી આસપાસ હોય છે સમયનો સોનાનો પહાડ, રૂપાની નદી. એ વખતે સમય હોય છે પરીનું ઝાંઝર. આસપાસ વન હોય છે, વનમાં ઝાડ હોય છે, પંખીઓના લય હોય છે. એક સરોવર હોય છે. સરોવરમાં માછલીઓના રંગ હોય છે. પરી પોતાનું ઝાંઝર કિનારે મૂકીને સરોવરમાં નાહવા ઊતરે છે. કિનારા પર રાક્ષસ આવે છે. રાક્ષસ ઝાંઝરને હાથમાં લે છે. એ ખડખડાટ હસે છે. એના હાસ્યથી ઝાંઝર તૂટી જાય છે. રાક્ષસ ઉદ્યમી છે. પરીના ઝાંઝરમાંથી એ ફેક્ટરી બનાવે છે, પૈડાં બનાવે છે, ઘડિયાળ બનાવે છે, ઘડિયાળના કાંટા બનાવે છે, ટ્રેનના પાટા બનાવે છે. સમય હવે સમયસર થઈ જાય છે. સમય હવે 8:35, સમય હવે 9:55, સમય હવે આવનજાવન, જાવનઆવન. રાજાનો કુંવર કાળના કપૂરમાં સળગી જાય છે અને પરી હવે રાજાબાઈ ટાવર પર ઝૂલ્યા કરે છે.

સમયને વિધવિધ રૂપે જોયો છે. રવિવારની સાંજે શહેરના બગીચામાં કુટુંબના કૂંડાળાની બહાર એ ભીખ માગતો ઊભો હોય છે. માફ કરો એવું સાંભળી સાંભળીને સમયના કાન બહેરા થઈ ગયા છે. સમય બહુરૂપી છે. એના અજબગજબના વેશ છે. એ ટ્રેનને સળિયે લટકે છે. સ્મશાનમાં ભટકે છે. ભવાઈનો ખેલ કરે છે. કોઈક બગીચાને બાંકડે બેસી રહે છે. સમય ટાઈપરાઈટર પર છપાતો હોય છે તો ક્યારેક પિયાનોમાં વાગતો હોય છે. સમય ક્યારેક બસમાં બીજે માળે બેઠો હોય છે. એક દિવસ એવો ઊગે છે કે સમય મરી જાય છે. સમયની શોકસભા ભરાય છે. આ શોકસભામાં સમયનાં સગાંવહાલાં હાજર રહે છે. આ સગાંવહાલાં કોણ ? રેલવેનું ટાઈમટેબલ, અઠવાડિયાના સાત વાર, મહિનાના ત્રીસ દિવસ, મજૂરની ત્રણ પાળી, રેડિયો-ટીવીનો કાર્યક્રમ, સવાર, બપોર, સાંજ, રાત, પંચાંગના પીળા કાગળ, કૉલેજના પીરિયડ્ઝ, સવારે નિયમિત વાગતી સાયરન, છાપાંની પસ્તી, તારીખના દટ્ટા, ડિલે થતી ફ્લાઈટ્સ, બર્થ અને ડેથ કૉલમ-બધા જ ઊભા થઈ જાય છે અને બે મિનિટનું મૌન. માણસ સમયનો પર્યાય છે કે સમય માણસનો પર્યાય છે ? એ પ્રશ્ન હજી અણઊકલ્યો જ છે.

બેઠક આયોજક :પ્રજ્ઞા દાદભાવાળા

bethak-5

“બેઠક”નો અહેવાલ -એક અનોખી એક સર્જનતાભરી સાંજ

 

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૪મી ફેબ્રુઆરી  2017ના એક અનોખી એક સર્જનતાભરી સાંજ ગુજરાતી ભાષાની “બેઠક”મા પ્રેક્ષકે  માણી.

16864513_10155045955804347_1036023546157611056_nબેઠકની શરૂઆત કલ્પનાબેનની સુંદર પ્રાર્થના વડે થઇ.ત્યાર બાદ જયશ્રીબેનને આવકારતા પ્રજ્ઞાબેને “ચિત્રલેખા”એ લીધેલી નોંધ ની વાત કરતા કહ્યું આપણા મહાગ્રંથ ની અને સર્જકોના પુરષાર્થની નોંધના સમાચાર જરૂર વાંચજો.

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધાના  સુંદર નિર્ણયએ સર્જકોની આતુરતાનો અંત આપ્યો. જયશ્રીબેન મર્ચન્ટે પોતાનો નિર્ણય જણાવતા કહ્યું લેખકો વિકસી રહ્યા છે.જયશ્રીબહેને ઈનામી વાર્તાઓની પસંદગી પાછળના આયામો બહુ સરસ રીતે સમજાવ્યા. ત્રણે ઈનામી વાર્તાઓ ઉત્તમ કક્ષાની હતી સાથે બીજા લેખકો પણ પ્રયત્ન થકી આગળ આવશે જ, વાંચન અને સર્જન જ તેમને વિકસાવશે.

_dsc0021_dsc0027_dsc0034
આ વખતની બેઠકની પ્રત્યેક ક્ષણ માણવા જેવી હતી.  ત્રણે બહેનોએ, દીપલ પટેલ ,પૃથા દેસાઈ  અને ધારા દેસાઈએ વિજયી વાર્ર્તાઓનું વાંચન કર્યું, એમની શૈલીએ  પ્રેક્ષકોને રસ તરબોળ કર્યા જેનાથકી વાર્તાઓના કથાનકને પણ બળ મળ્યું. દિવસે દિવસે બેઠકમાં થતા ફેરફાર અને વિકાસની સર્વે હાજર વ્યક્તિએ નોધ લીધી ,બેઠકની કક્ષા ઉપર આવી છે તે વિષે દાવડા સાહેબ અને મહેન્દ્રભાઈ પણ સમંત થઇ પ્રેરણા આપી. સૌથી મહત્વની જાહેરાત રેડિયો જિંદગીના ગુજરાતી પ્રોગ્રામના સંચાલક જાગૃતિ શાહએ “બેઠક”ને પ્રોત્સાહન આપતા કરી  કે માર્ચ મહિનાથી ગુજરાતી  રેડીઓ પર બેઠક” પ્રસ્તુત કરશે -“વાચીકમ”.જે સંભાળતા “બેઠક”માં ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું.
_dsc0039
અંતમાં આશ્વાસન વિજેતા જયવંતીબેને પણ પોતાની વાર્તા વાંચી લેકોને જયશ્રીબેનના સાચા નિર્ણયનો અહેસાસ કરવ્યો.પ્રેક્ષકમાંથી શરદ દાદભાવાળાએ જયશ્રીબેનના નિર્ણયને સાથ પુરાવતા કહ્યું કે વાર્તા ખરેખર પ્રશંસાને પાત્ર છે,અને આપનો નિર્ણય યોગ્ય છે.
પ્રજ્ઞાબેને નવા લેખિકા જીગીષા પટેલની ઓળખાણ કરાવતા કયું અહી બેઠલ દરેક વ્યક્તિમાં એક લેખક બેઠો છે, માટે  વાંચન સાથે કલમ ઉપાડવાની જરૂરત છે,માત્ર ડરના ઉમંબરા ઓળંગવાના છે.અંતમાં સંચાલક રાજેશ શાહે જયશ્રીબેનનો આભાર માન્યો. અને બેઠકના આગલા અહેવાલની નોંધ ગુજરાત સમાચારે લીધી છે તે જણાવ્યું ,પ્રજ્ઞા બેને કહ્યું કે રાજેશભાઈ નિસ્વાર્થભાવે આ સેવા માત્ર બેઠક માટે નહિ  બે એરિયાના સમગ્ર ગુજરાતી પ્રોગ્રામ માટે આપે છે અને અંતમાં એટલું કહીશ કે જયશ્રીબેને તેમના પતિની યાદમાં આ સ્પર્ધા યોજી પોતાના પ્રેમને જીવંત રાખ્યો છે.બધા સર્જકોને અભિવાદન આપતા પ્રજ્ઞાબેને  પ્રતાપભાઈ પંડ્યાના આશીર્વાદ આપ્યા, સર્જકોએ લાવેલ  મહા શિવરાત્રીનું  ફરાળી ભોજન માણ્યું “પુસ્તક પરબ”માંથી  પુસ્તકો વાંચવાના નિર્ણય સાથે લીધા, કલ્પનારઘુને જન્મદિવસને  હોંશે વધાવતા લોકો”બેઠક”ના સહજ વાતાવરણમાં કૈક  મેળવ્યું છે તે અહેસાસ સાથે છુટા પડ્યા._dsc0045

જયશ્રીબેન મર્ચન્ટ અને જાગૃતિશાહ નો “બેઠક”ના ભાષાના યજ્ઞમાં પ્રોત્સાહન બળ બનવા માટે આભાર…. 

 

બેઠકના આયોજક :પ્રજ્ઞા દાદભાવાળા

 

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 નું પરિણામ

download

મિત્રો

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા નું પરિણામ જયશ્રીબેને “બેઠક”માં જાહેર કરેલ છે.જે અહી મુકું છું.જયશ્રીબેન મર્ચન્ટ દર વર્ષે વાર્તા સ્પર્ધા ખાસ બેઠકના સર્જકોને  લખવાની પ્રેરણા આપવા રાખે છે. તો આપ સર્વે એ  કલમ ઉપાડી લખ્યું છે તેમને ખાસ અભિનંદન આ સ્પર્ધાનો હેતુ  વાંચન  સાથે સર્જન થાય તેવો છે .અને હા સર્જન થકી ભાષા વહેતી રહે  છે. (હા સાથે જોડણી નું ખાસ ધ્યાન રાખજો.)

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા માટે બેઠક અને સર્જકો જયશ્રીબેનની પ્રેરણા માટે આભાર માને છે. 

વાર્તાનો વિષય આ હતો :

  • જાહેર જીવન સાથે સંકળાયેલી સ્ત્રીની સંવેદના  

  • હળવી ક્ષણોને આવરી લેતો કોઈ પણ વિષય.

  • આ વખતે વાર્તાને અનુરુપ આગવું શીર્ષક લેખકે આપવાનું રહેશે.

  • આ વખતે વાર્તાના શીર્ષક માટે પણ ખાસ પુરસ્કાર આપવામાં આવશે.

  •  વાર્તાની લંબાઈ: લઘુત્તમ શબ્દ મર્યાદા 800 અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દો         

  •  

  • મોકલવાની અંતિમ તારીખ- Last date February 20, 2017,જાહેરતા ફેબ્રુઆરીના અંતમાં છેલ્લા શુક્રવારે 2/૨૪/૨૦૧૭ થશે. 

  • પુરસ્કાર:

  • ૧ લું ઈનામ: $૧૨૫-ભૂમિ માછી-વાર્તાનું શીર્ષક: સંવેદનાની ભીડમાં હું એકલી http://wp.me/p1fkD3-1zw

  • ૨ જું ઈનામ: $૭૫-વિજય શાહ-વાર્તાનું શીર્ષક :સમય સારણી-http://wp.me/p1fkD3-1zH

  •  ૩જું ઈનામ: $૫૧-રાજુલ કૌશિક -કેયા અને કબીર http://wp.me/p1fkD3-1AC-

            બે આશ્વાસન ઈનામો: $૨૫

  • ૧-સપના વિજાપુરા -પ્રેમ કે બળાત્કાર- http://wp.me/p1fkD3-1B3-
  • 2-જયવંતી પટેલ – સાંકડી સોચ- http://wp.me/p1fkD3-1yX-
  • સર્વશ્રેષ્ઠ શીર્ષક: $૨૧-ભૂમિ માછીદરેક સર્જકોને ખુબ અભિનંદન 

 pragnad@gmail.પર વાર્તા મોકલશો 

ચિત્રલેખાએ મહાગ્રંથ ની લીધી નોંધ…

‘ચિત્રલેખા’ના,ભરતભાઇ ઘેલાણીએ અમેરીકાના સર્જકોની, સહિયારી સર્જકતાની અને પુરષાર્થની નોંધ લીધી છે.

સર્વે મિત્રોને ખાસ જણાવાનું કે આ માત્ર એક વ્યક્તિનું કામ નથી મારા માટે કહું તો “બેઠક”ના ભાગનું આ બધું કાર્ય અનેક વ્યક્તિઓની પ્રેરણા થકી શક્ય બન્યું છે. જેમકે પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા, તો “બેઠક”ના ગુરુ, સર્જકોના પીઠબળ બન્યા છે,તેમજ બીજી અનેક વ્યક્તિ એ આ કાર્યમાં સાથે રહી સક્રિય કાર્ય કરી પ્રેરણા અને બળ બન્યા છે, જેમકે રમેશભાઈ તન્ના ,ભાગ્યેશભાઈ જહાં ,ડૉ બળવંતભાઈ જાની તેમજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, અને કિરણભાઈ ઠાકર સૌથી મહત્વનો  ફાળો આપ્યો છે.

“સર્જકો”, તેમના માતૃભાષા પ્રેમ થકી ગ્રંથ બન્યો છે.અહી નામના કરતા ામાતૃભાષા  માટે ના બધાના પુરષાર્થને મહત્વ છે. અને માટે જ ચિત્રલેખાની નોંધનો આભાર વ્યક્ત કરીએ છીએ.આ લેખે પુરષાર્થની નોંધ લીધી છે.. .આ એક માતૃભાષાની જાગૃતિ માટે નો આપણા સહુ નો સહિયારો યજ્ઞ છે.માટે આપ સર્વને અભિનંદન…….માત્ર જરૂર છે હવે ઉદાર દાતા અને જાગૃત ગુજરાતી ની ……

-પ્રજ્ઞા

1016738_589389087799573_1022049036_n

photo-1

 

 

 

 

 

 

 

 

 

 

 

 

16865157_10155040772934347_1306188949396140478_nimg-20170223-wa0011-1

 

 

 

 

 

 

 

ગુજરાતી મહાગ્રંથના સર્જકોને માટે આજે આનંદનાં સમાચાર છે. ‘ચિત્રલેખા’ના,ભરતભાઇ ઘેલાણીએ અમેરીકાના સર્જકોની,સંપાદકોની અને સૌની સહિયારી સર્જકતાની નોંધ લીધી છે.તેના માટે મહાગ્રંથના સર્વે સર્જકો સવિનય આભાર માને છે. મહેશભાઇનો ખાસ આભાર જેમણે મૂળ સુધી જઇ, વ્યક્તિગત મહાગ્રંથને જોયા પછી વિગત નોંધી છે.

૨૦૧૬ના જુન મહિનામાં કૅલીફોર્નીયામાં ‘સંવર્ધન માતૃભાષાનું’ મહાગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું..વતનથી દૂર વિદેશમાં વસતા લેખકો દ્વારા પોતાની સંવેદનાની માતૃભાષામાં થતી અભિવ્યક્તિ કે સાહિત્ય સર્જન એટલે કે ડાયસ્પોરા લિટરેચરને (પ્રવાસી ગુજરાતી સાહિત્યને) પ્રકાશમાં લાવવાનું કામ મહાગ્રંથ દ્વારા પાંચ સૂત્રધારોએ કર્યુ છે. જેમાના ૪ લેખકો, વિજય શાહ, પ્રજ્ઞા દાદભાવાળા, પ્રવિણા કડકિયા તથા હેમા પટેલ અને અમદાવાદના કિરણ ઠાકર કે જેમણે આ મહાગ્રંથને સિંગલ બાઇન્ડેડ બનાવી કોઇપણ સ્વાર્થ વગર માતૃભાષા અર્થે કામ કરી ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં રજૂ કર્યો. આજે આ મહાગ્રંથ ગીનીસ વર્લ્ડ રેકોર્ડનાં આંગણે બારણુ ખખડાવીને ઉભો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરીના પ્રોત્સાહનભર્યા શબ્દો પરદેશમાં રહેતાં ગુજરાતીને વધુ ગુજરાતી વાંચન કરવા અને લખવા પ્રેરણા આપશે.

મિત્રો, આજે માત્ર પૈસાના અભાવે આપણો મહાગ્રંથ ગીનીસ વર્લ્ડ રેકોર્ડના દરવાજે અટકીને ઉભો છે. જો કોઇ દાતા આગળ પડી આ મનોરથને પૂર્ણ કરશે તો ગુજરાતી ભાષાનુ ઋણ ચુકવ્યુ ગણાશે.

‘બેઠક’ના સંચાલક

કલ્પના રઘુ


જન્મદિવસની ખુબ વધાઈ

2010-krs-copyકલ્પનાબેન જન્મદિવસની ખુબ ખુબ વધાઈ “બેઠક”અને તેના દરેક સર્જકો આપને શુભેચ્છા આપે છે .

આપ સદાય લખતા રહો અને આપની કલમ દરેક નારીનું બળ બની રહે.

“બેઠકે” પ્રગટાવેલા  કોડિયામાં  તેલ પૂરી ઝગમગતો કરવાની પ્રેરણા આપ છો.

આ સાથે “બેઠક”નું સંચાલન સફળતાપૂર્વક કરો છો તેમ કરતા રહો. 

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા (૨૩)એક રજકણ કુમકુમ બની ગઈ !

12004855_10153698565377268_7826051686984666870_n

ગીતા ભટ્ટ ,શિકાગો .

શિકાગોમાં  સ્વાઈનફ્લુનો  ભય ચારેકોર હતો . ને તેમાંયે બાળકોના ફિલ્ડમાં કામ કરતાં તમામ  શિક્ષકોને હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજેલ આ સેમિનારમાં હાજરી આપવી ફરજીયાત હતી.

અચાનક મારી નજર મન્ચ પર  બેઠેલ એક વ્યક્તિ પર ગઈ: સરસ્વતી !અરે ! આ તો મારી ફ્રેન્ડ  છે ! she  is my  friend! મેં  બાજુમાં  બેઠેલ

શિક્ષક બેન ને કહ્યું .

સૌ પ્રથમ વાર હું એને  સુપર માર્કેટમાં મળેલી .ઊંચી અને અમેરિકન જેવી દેખાતી  એને મેં પૂછ્યું હતું : “તમે ગુજરાતી  છો ?”

બે ચાર ક્ષણ એ મારી સામે જોઈ રહી . પછી કોઈ પણ ભાવ દર્શાવ્યા વિના બોલી:” ના – ના જરાય નહીં !” એના આવા જવાબથી હું ખડખડાટ હસી પડી . પણ સરસ્વતીને વાતચીત કરવાનો કોઈ ઉમળકો  નહોતો . અમેરિકામાં હું સાવ નવી નવી – તેથી ગુજરાતી મિત્રો ઝન્ખતી . સરસ્વતી જરા અલુફ રહેવા પ્રયત્ન કરે – પણ મારા સતત પ્રયત્નથી છેવટે અમે મિત્રો બન્યાં.  એ પણ અમેરિકામાં નવી જ આવેલી . અને અમારા હસબન્ડ સિવાય અમારે કોઈ કુટુંબી પણ અહીંયા નહીં તેથી મૈત્રીનો દોર વધુ ગાઢ બને એમ હતું 

પછી તો દર શનિવારે  બપોરે શાક ભાજી લેવા સ્ટોરમાં અમે મળતાં ને ત્યાંના  કાફેટેરિયામાં  બેસતાં અનેલીધેલી ગ્રોસરીમાંથી એકાદ કેળું વગેરે ખાતાં!  હું બાલમંદિરની ટીચર  અને હોસ્પિટલની નર્સ!  હોસ્પિટલમાં તાજાં જન્મેલાં બાળકોની સંભાળ રાખે અને હું  બાલમંદિરમાં  સાજા બાળકોની !  

 “અમારું કામ વધારે મહત્વનું કહેવાય “  સરસ્વતી એ  મજાકમાં કહ્યું .દરેક દલીલ પોતાને    જીતવાની હોય તેમ તેનું વલણ હોય. 

“ટીચરની જોબ વધારે મહત્વ ની  કહેવાય’ મેં પણ હસ્તા હસ્તાં કહ્યું! 

અમારું વાગ્યુદ્ધ આમ રમૂજમાં  ચાલતું .પણ એક દિવસ કાંઈક અજુગતું જ બોલાઈ ગયું મારાથી! 

“માસ્ટરજી ” સરસ્વતીએ કહ્યું,” આવાં થાંભલા જેવા ભ્મભુટિયા

રીંગણાં ના લેવાય . જો આ પાતળાં ને ડાર્ક ભૂરાં રીંગણાં! 

“તારું શાક ભાજીનું  જ્ઞાન  એવું છે ને કે તને  સરસ્વતી નહીં  સરસ શાકવાળી જ કહેવું  જોઈએ .” મેં સમજણ વિના જ ઝિંકયુ ,” અરે  ઓ શાકવતી બેન ,” મેં બે ટામેટા હાથમાં લઇ પૂછ્યું ,” આ ટામેટા  કેવા લાગે છે ? લેવા જેવા ખરા કે?”

    ખલ્લાસ ! એણે એક નજર મારા  પર કરી .હું  હજુ  બીજા શાક લેવામાં મશગુલ  હતી .કામ પત્યે મેં ચારે બાજુ નજર કરી પણ એતો  ગાયબ  થઇ ગઈ ! કાફેટેરિયા  અને બીજા વિભાગોમાં પણ જોઈ આવી ! પણ સરસ્વતી મને જોવા નાજ મળી ! મારે  પણ માંડું થતું હતું  .શું થયું  હશે ? કદાચ  કોઈ  કામ યાદ  આવ્યું હશે! તો મેં ઘર તરફ પ્રયાણ કર્યું.

  સમય સેલ ફોન  પહેલાનો – આઇ ફોનના જન્મ પહેલાનો -લેન્ડ લાઈન થી વ્યવહાર ચાલતો તે દિવસોનો છે 

જીવનની શરૂઆતના એ દિવસો ! મૈત્રી બઁધાતાં પહેલાંજ તૂટી ગઈ! મેં બધી રીતે પ્રય્તન કર્યા પણ સરસ્વતી પછી ના જ મળી ! 

” તેં એને શાકવાળી કહ્યું તે એને ગમ્યું નહીં હોય “  સિતાંશુએ કહ્યું 

” અરે  પણ હું તો મજાક કરતી હતી ” મેં અફસોસ કરતા કહ્યું. હશે ! આપણે શું કરી શકીએ ?  મેં  મન વાળ્યું. 

અને પછી તો વરસો  વીતી ગયાં. કાળ ચક્ર ફર્યું .

ટીચરમાંથી હું ડિરેક્ટર બની ગઈ.

શિકાગોમાં હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજેલા એક સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે કોઈ પરિચિત ચહેરો લાગ્યો ! સરસ્વતી ! અરે આ તો સરસ્વતી છે ! એને મળવા હું અધીરી બની ગઈ .

લેક્ચર પૂરું થયે  હું એને મળવા ગઈ 

મને જોઈને એ પણ ખુશ થઈ. થોડી ઔપચારિક વાતો કરી એણે એનું કાર્ડ આપતાં કહ્યું  ;” ઘરે આવ , ઘણી વાતો કરવી છે”

” હા,મારે પણ .” મેં કહ્યું .ખોવાયેલ મિત્ર પાછા મળ્યાનો આનન્દ હતો ,   વળી તે દિવસે શું બન્યું હતું તે જાણવાની ઇંતેજારી પણ હતી.

નક્કી કરેલા દિવસે અમે એના ઘરે પહોંચ્યા .સુંદર નેબરહૂડના એક ભવ્ય ઘરમાં એ લોકો રહેતા હતાં . ઉમળકાથી સરસ્વતી અને સાગરે અમને આવકાર્યા.

 

કલાત્મક રીતે સજાવેલા લિવિંગ રૂમના એક ખૂણે એક એલિગન્ટ ફ્રેમમાં કોઈ સ્ત્રીનો ફોટો હતો . પણ હું કશું બોલી નહીં : રખેને કાંઈ આડું વેતરાઈ જાય !

થોડી વાર પછી સરસ્વતી એ જ વાતનો દોર હાથમાં લીધો 

” તે દિવસના પ્રસંગ  માટે હું શરમીંદી છું . આપણી સુંદર પાંગરી રહેલ મૈત્રીને મેં  માત્ર એક જ શબ્દ માટે , એક ક્ષણમાં , એક ઝાટકે તોડી નાંખી!    અને એનું દુઃખ મને પણ  છે. અને કદાચ  તેથી જહું કાઉન્સેલિંગ માટે  જવા તૈયાર  થઇ .ત્યાર પછી મેં સાયકોલોજિસ્ટની હેલ્પ લીધી . એટલે જ આજે પેટ છૂટી વાત   થઇ શકશે ‘

મને કાંઈ સમજાયું નહીં. મેં કહ્યું, ” સોરી , સરસ્વતી, તે દિવસે મેં તને શાકવાળી કહેલઃ’તારી લાગણી  દુભવેલ ‘

“હું શાકવાળી જ હતી – એજ  તો કામ કરી ને માં મને ભણાવતી . હું યે માને ટોપલો ચઢાવવા ક્યારેક એની સાથે જતી  .પેલા  ફોટામાં દેખાય છે તે મારી માં  છે.   મારા થેરાપિસ્ટ મને સલાહ આપી કે મારે વાસ્તવિકતાને સ્વીકારવી  જ રહી  જો મારે આ મૂડ સવિન્ગમાંથી  બહાર આવવું  હોય તો!”

સરસ્વતી  બોલતી હતી જાણેકે એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ છે “મારો બાપ તો દારૂની લતે ક્યારનોયે ઘર છોડીને જતો રહેલો ! માં બિચારી એકલે હાથ કેટલું કરે ? ઉચ્ચ વર્ણ ના કહેવાતા સારા ઘરના માણસો ક્યારેક મારી માંને તો ક્યારેક મને રંજાડતા .. પણ કોને કહેવાય? સાંજે નિશાળેથી આવી ને માં સાથે ગઈ હોઉં ને કોઈ શેઠિયો કહે ,” લે રૂપિયો વધારે આલું , શેઠાણી ઘરમાં નથી અને હું ભૂખ્યો  છું ,રોટલો ઘડી દે ” કોઈ કહેશે ” આ બે ટામેટા બહુ સરસ છે ‘ તો કોઈને મુળા ગાજરમાં રસ હોય –

એ સુધરેલા સવર્ણ લોકોના દ્વિ અર્થી શબ્દો , લાલચુ નજર અને અમારી નિ: સહાય પરિસ્થિતિથી હું અને માં સતત રૂંધાયેલાં રહેતાં.”

હવે મને મારી ભૂલ સમજાઈ :  તે દિવસે અજાણતાં મેં સુતેલા સાપ ને છઁછેડયો હતો . 

મને મારી જાત પર ગુસ્સો પણ આવ્યો : બાળકો સાથે કામ કરતાં કરતાં હું એક bright  horizons નામની બાલ સન્સ્થા સાથે પણ જોડાયેલી છું . જ્યાં ગરીબ  વર્ગનાં બાળકો ને અમે મદદ કરીએ છીએ !પણ  સાચેજ , વેદ ભણવા સહેલાછે , કોઈની વેદના વાંચવી અઘરી છે .

હું શું પ્રેરણા આપી શકવાની  હતી એ બાળકોને ? સાચી પ્રેરણા મૂર્તિ તો આ સરસ્વતી છે!

” તું આટલી બધી આગળ કેવીરીતે આવી ?” મેં પૂછ્યું ,”અમેરિકા કેવી રીતે આવી?”

“એક વાર અમારી શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે જે લોકો નર્સીંગનું શીખવા તૈયાર હોય તેને મફતમાં ખાવા -પીવા ને રહેવાની સગવડ મળશે ને ઉપરથી મહિને ૫૦ રૂપિયાય મળશે.

ને આવું લોકોના મળ – મૂત્ર સાફ કરવાનું કામ તો કોઈ સવર્ણ કરેજ નહીં ને? એટલે અમારા જેવા કોળી – કાછીયા ( શાક વેચનાર ) ને ચાન્સ મળ્યો . ને તેમાંયે અમારું ખોરડું ક્રિશ્ચિયન મિશનરી પાછળ હતું . ત્યાંના દયાળુ પાદરીએ ભલામણ ચિઠ્ઠી લખી આપી . અને બીજી ચિઠ્ઠી

પ્રિન્સીપાલે લખી એટલે મને નર્સ બનવાનું સદભગય પ્રાપ્ત થયું !સાગરને પણ હું ત્યાંજ મળી 

ને ભણી લીધા પછી બધાં અમેરિકા જતાં એટલે હું પણ અમેરિકાઆવી !’

એને જરા  ગુસ્સાથી કહ્યું,” અમે  તમારા દેશમાં નીચ વરણ કહેવાઈએ . પણ આ દેશમાં  ?Here I am  the head of the health department ! 

એની આંખોમાં ક્રોધ હતો – ને અમારી આંખોમાં આંસુ .

સાગરે એને પ્રેમથી શાંત કરતા કહ્યું ,” તમારી મૈત્રી તુટયાનું દર્દ એને અસહ્ય હતું . ક્યારેક કાઉંસલિંગ માટે હજુ પણ જવું પડે છે .. એ ભૂતકાળ ને ભૂલી શક્તિ નથી ..આ સાહેબી અને સફળતા વચ્ચે ય  એ ગમગીન  થઇજાય છે ક્યારેક “

“જે દેશ અને સમાજે મને દુભવી છે, મારું બાળપણ છીનવી લીધું છે, મારું યૌવન ધૂળધાણી કર્યું છે, એ દેશ અને એ સઁસ્કૃતિ માટે મને નફરત છે. એને માતૃભૂમિ  કહેતાં મને શરમ આવે છે” સરસ્વતી જરા  ગુસ્સામાં બોલી ,” મારો દેશ તો છે આ અમેરિકા : જેણે મનેજીવન આપ્યું , જેણે મને જીવવા માટે નવી ડિરેક્શન બતાવી .’

થોડો સમય કોઈજ કાંઈ બોલ્યું નહીં . મૌનનો ઘોંઘાટ ભારે હતો.અસહ્ય હતો.

” સરસ્વતી, તારું દુઃખ સમજવાની  મારી ક્ષમતા નથી.તારી માફી માંગવાને પણ હું લાયક નથી .પણ એક સહૃદય મિત્રને નાતે મારે તનેકાંઈકહેવું છે’ મેં  હળવેકથી  વાતની દોર હાથમાં લેતાં કહ્યું,” તારી સાથે ઘણા અન્યાયો થયા અને છેવટે કોઈ સારી વ્યક્તિએ તારો હાથ  ઝાલી તને કોઈ તક ઝડપવા  દીધી  અને આજે તું  આટલી ઊંચી જગ્યાએ  છે ! અમારી સંસ્થાને  તારા જેવી સરસ્વતીઓ ની જરૂર છે જે સાગર સુધી પહોંચી શકી છે!  રસ્તામાં અટવાઈ  ગયેલ ઘણાં બાળકોને તું  રાહ બતાવ .

આપણાં દેશમાં  એવાં અનેક બાળકો હજુ આજેપણ એજ પરીસ્થીમાં જીવે છે . તેમની દીવાદાંડી બનવા ,જીવન જીવવાની નવીદિશાઓ બતાવવા  સમાજને તારી જરૂર છે. પડવા – નીચે આવવા -કોઈની જરૂર નથી હોતી – એ તો પૃથ્વીનો પણ ગુરુત્વાકર્ષણનો  નિયમ  છે. પણ ઊંચે ચઢવું અઘરું છે, અને છતાંયે   એવાં મુઠી ઉંચેરા માનવીઓ પણ હોય છે જેની પગ રજ  આપણે માથે ચઢાવીએ  છીએ . અને એ રજકણ  ધૂળ નહીં પણ ભાલે કુમકુમ  બની શોભે  છે! જયારે તું     સામાન્ય ધૂળ -રજકણોને કન્કુ બનાવવાના કાર્યમાં જોડાઇશ ત્યાર પછી કાઉન્સેલિંગ ની  તને જરૂરનહીં રહે .  મેં મારો હાથ લંબાવ્યો . ” ચાલ  છે તૈયાર  મિસ  સુવર્ણ રજ સરસ્વતી ?”

મૌન ! પણ આ  મૌન કોઈ સમાધિ અવસ્થાની શાંતિ હતી .

 થોડી વાર  પછી સ્મિત  સાથે , અશ્રું સાથે , આત્મવિશ્વાશથી એણે જાહેર કર્યું; “ચોક્કસ ! જરૂર હું એ સહુને નવી ક્ષિતિજોનાં દર્શન કરાવીશ ! ધૂળમાંથી કંકુ બનતા શીખવાડીશ ! 

શુભસ્ય શિઘ્રમ ! ક્યારે જવું છે ?”

( from a true story)

 ( સત્ય ઘટના આધારિત )

ગીતા ભટ્ટ ,શિકાગો .

વિનુ મર્ચન્ટવાર્તા સ્પર્ધા -(૨૨) રણને મોઝાર 

307966_10150312279626681_1228122565_n

રશ્મિ હરીશ જાગીરદાર

“હાલ્ય ને થોડો પોરો ખાઈએ રેવી” રણ ને મોઝાર રસ્તો કાપતાં કાપતાં કંટાળેલો માવજી રેવી ને કહે છે .

રેવી : – ” સામે સુરજ તો જો , ડુંગરા ઓથે ડુબવા બેઠો છે ,ને હવે પોરો ખાશું તો જાશું કેમના ?”
માવજી : – ” હવે મોટા ભા – નું ઘર એટલું આઘું ય નથી , માં ને મળી ને અમે વાતો કરશું, ભાભી ને ય પિયર જવું પડ્યું છે , એટલે  ગાંડી , તારે તો રોટલા ટીપવા બેસવું પડશે ,
     એટલે થયું કે તું થોડો થાક ઉતારી લે .”
રેવી : – ” એ ખરું પણ લ્યો, તમે  મારી આટલી લાગણી રાખો છો તો, થાક તો મારો અમથોય ઉતારી ગ્યો ! અને થોડો બાકી હશે તો માં ને મળી ને પગે લાગીશ એવો  જ
ઉતરી જાશે.”
માવજી : – ” તું કેમ આવડી મીઠડી છો ?”
રેવી : – ” એ મીઠાશ તો બધી તારા સાથ ની છે “
માવજી : – ” અરે વાહ હવે તને આવી મીઠી વાતો સુઝી ? આખે રસ્તે તો મારા થી ચાર ફૂટ પાછળ ચાલતી રહી “
રેવી : – ” અરે આ કઈ શહેરની  કોલેજ નથી, આમન્યા તો રાખવી પડે .”
માવજી : – ” કોની ? આ ઊંટ ની કે આ રણ ની રેતી ની આમન્યા ?”
રેવી : – “હાસ્તો , ઊંટ ને તો માં પોતાનો દીકરો હોય તેમ લાડ લડાવે છે તું જ કહેતો ‘તો ને?  તો મારા જેઠ થયા આ ઊંટ જી તો” — હસે  છે .
માવજી : – ” અને આ રેતી તારી નણદલ?”    હવે બંને ખડખડાટ હસી પડ્યાં , ને મસ્તીએ  ચડી ને બેસી જ ગયા ઊંટ ની બાજુ માં .
રેવી : – ” માવજી હવે મને તમારા જેવું બોલતાં થોડું ફાવી ગયું છે નહિ ? મને હવે બીક લાગે છે ‘સોના માં ‘ નો તું લાખ લાડકો હોય, પણ એક વાણીયા  ની દીકરી
   અને તેય  કોલેજ માં સાથે ભણેલી– માં મને સ્વિકારશે ?”
માવજી : – ” તારા જેવી ને ના પાડે એવી અભણ પણ નથી મારી- -સોના માં”
રેવી : – ” કેમ એવું શું છે મારા માં ?”
માવજી ; – ” એક તો તે મારા કહ્યા ય વિના પન્ઝાબી  ડ્રેસને બદલે સાડી  પહેરી,માથે ઓઢવાની પ્રેક્ટીસ કરી છે ને રિયા ને બદલે નામ પણ માં ને ગમે તેવું રાખ્યું -‘રેવી ‘- “
રેવી : – ” ચાલ સાંજ પડી જશે આપણે  ભગવાન ને પ્રાર્થના કરીએ કે માં મને સ્વીકારી લે એટલું જ નહિ પણ એ વાત થી તેઓ  રાજી પણ થાય .”
માવજી : – ” માં ધારો કે હા ના કરે , પણ હું તો તને જ પરણીશ તું ચિંતા ના કર ” તને મારી વાત માં વિશ્વાસ પડે એ માટે તો આખે રસ્તે એકલા હતા તો ય મેં અડપલું
સુધ્ધા ના કર્યું,   તું પણ પાછળ જ  ચાલતી રહી. ચાલ  ચાલ  હવે જલ્દી  પહોંચી જઈએ .”
     બંને એ ઊંટ ની સાથે તાલ મેળવતા થોડું ચાલ્યા પછી , બંને ઊંટ પર બેસી ગયા ને હંકારી મુક્યું માવજી ના ભાઈ  નું ઘર આવ્યું ત્યારે રેવી નરવસ હતી ને
માવજી ઉત્સાહ માં ! ઊંટ પરથી હાથ પકડી ને માવજી એ નીચે ઉતારી ત્યારે તો રેવી ગભરાઈ જ ગઈ , માં શું વિચારશે ? બંને ઘરના ઓટલે પહોચ્યા ત્યારે
તે આશ્ચર્ય થી જાણે સહેમી ગઈ! સોના માં હાથમાં આરતી ની થાળી લઇ ઉભા હતા અને તેમની બાજુ માં બંનેનો  કોલેજ નો  દોસ્ત નગીન ખડખડાટ હસતો
ઉભો હતો , રેવી થી રહેવાયું નહિ ,તે બોલી ઉઠી ” તું-તું અહીં ક્યાંથી ?”
સોનામાં : – ” બેટા મારા ઘર ની લક્ષ્મી ને આવકારવા માટે મને મદદ કરવા માવજી એ જ તેને મોકલ્યો ‘તો ” રેવી સનન્દાશ્ચ્રર્ય  જોઈ રહી પછી સોના માં ને
વ્હાલ થી ભેટી રહી . સોના માં એ આરતી ઉતારી આશીર્વાદ આપ્યા ,રેવી આભારવશ થઇ ઉભી હતી ત્યારેજ  સોના માં કહે, ચાલ રિયા રસોડામાં આપણે
 બધા જમવા બેસીએ , આમ શું જુવે છે તારું આ નામ મને ગમે છે તારે ખોટું ખોટું રેવી બનવાની જરૂર નથી .
ત્યારે રેવી એ માવજી સામે જોયું તો તે મસ્તી થી હસતો હતો ને બોલ્યો , ” નગીન ને મેં જ આપણી વાત કરવા વહેલો અહીં મોકલેલો માં એ સંમતિ આપી ને
તે ખુશ છે એ બધું  વોટ્સ એપ પર મને જણાવી દીધેલું એટલે તો હું નિશ્ચિંત હતો .”
રેવી : – ” તો મને કેમ કહ્યું નહિ , હું કેટલી ચિનતા માં હતી ! માં જુઓ તમારો દીકરો અત્યાર થી કેટલું પજવે છે !”
નગીન : – ” ના રિયા, માવજી એ  વોટ્સ એપ પર  લખેલું કે તું ગભરાયેલી ને ચિંતા માં એટલી સરસ લાગે છે એટલે એને  સરપ્રાઈઝ આપીએ “
રિયા શરમ થી લાલ થઇ ને આંખ માં ગુસ્સા નો ભાવ લાવી માવજી તરફ જોયું ને પછી ફરી થી સોના માં ને વ્હાલ થી ભેટી રહી .
અસ્તુ
રશ્મિ હરીશ

આપની પ્રતિભાને બિરદાવવા બેઠકના સર્જકોને આમત્રણ

સુજ્ઞ શ્રી,

કલારસિક અને સાહિત્ય પ્રિય આપ શ્રીને અમે અમારી વેબ-પોર્ટલ વિશે માહિતગાર કરવા અને આપનું સાહિત્ય અહીં સામેલ કરવા હેતુ સંપર્ક કરીએ છીએ.

સ્ટોરીમિરર આપની પ્રતિભાને બિરદાવવા સ્વરચિત કૃતિઓને મોકળાશથી રજૂ કરવાની તક આપે છે. લાગણી, અનુભવો અને વિચારોને અભિવ્યક્ત કરવાનું આ એક અનોખું મંચ છે. જેમાં વાચકો અને લેખકોનો અદભૂત સમન્વય સાંપડે છે. આવી મજબૂત વિચારાધાને આગળ વધારવવા આપને નિમંત્રણ પાઠવીએ છીએ.

સ્ટોરીમિરર પર આપ આપની વાર્તાઓ અને કાવ્યોને પ્રકાશિત કરવાની પદ્ધતિ સરળ છે જેમાં વેબ પોર્ટલ પર આપે લોગ ઈન કરવાનું રહેશે. અમે ઈબુક સુવિધા લાવ્યા છીએ જેમાં લેખકને એમનાં હકાધિકાર સહ યોગ્ય આર્થિક લાભ પણ મળે એવા હેતુથી વિવિધ રસપ્રદ ખેડાયેલા અને વણખેડાયેલા વિષયોને લઈને સંગ્રહસ્થ કરવા આવકારીએ છીએ.

આશા છે, આપ સ્ટોરીમિરર સાથે અચૂક જોડાશો. આપના હકારની પ્રતિક્ષા સહ.

આભાર,
એડિટોરીયલ ટીમ

રૂપાલી શાહ, કુંજલ છાયા

સ્ટોરીમિરર

સંપર્કઃ 91-22-49243888

www.storymirror.com

લખો, લખો, લખો-નિરંજન મહેતા

photoલખો, લખો, લખો

સારી સાહિત્ય કૃતિ વાંચતા વાંચતા સામાન્ય રીતે આપણને થાય કે કેવી સરસ રચના છે. આપણે પણ આવું કાઈક લખી શકીએ તો કેવું !

મારું તો માનવું છે કે આપણા દરેકમાં લખવાની ઈચ્છા અને શક્તિ સંતાએલા છે. તેને બહાર લાવવા માટે આપણે જ પ્રયત્ન કરવો જરૂરી છે. તમે કહેશો કે એમ દરેક જણ થોડા લેખક થઇ શકે? પણ ભલે તમે લખેલું લખાણ પ્રકાશિત ન થાય કે કોઈ અન્ય ન વાંચે પણ મનના વિચારો એક વાર બહાર લાવશો તો તેનાથી થતો આત્મસંતોષ અનેરો હશે.

તમે વયસ્ક થઇ ગયા એટલે લખવાને લાયક નથી એ વાત બેબુનિયાદ છે. આ માટે ઉંમરનો બાધ નડતો નથી. વયસ્કો પણ પોતાના અનુભવો અને વિચારોને બહાર મૂકી શકે છે. કદાચ એ એવા વિશાળ પણ હોઈ શકે કે લખતા લખતા થાકી જાઓ તો નવાઈ નહી.

જીવનમાં એવા કેટલાય બનાવો આપણા જીવનમાં બને છે જે અન્યોના જીવનમાં ન બન્યા હોય. પણ તે અનુભવોને બહાર લાવશો તો ન કેવળ આપ અન્યોને સહાય કરો છો પણ ખુદમાં પણ પરિવર્તન અનુભવશો અને જીવન પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ શકે છે.

આમ તો બનાવો સામાન્ય લાગે એટલે તે વિષે શું લખવું માની આપણે કલમ હાથમાં નથી લેતા. પણ આ જ અનુભવોમાંથી વાર્તા, નિબંધ કે આગળ જતા નવલકથા બની જાય છે ત્યારે ખુદને નવાઈ લાગશે કે આ શું? આવું તો ધાર્યું ન હતું. અને તેમ થતા જે આનંદ થશે તે અનન્ય હશે.

આપણામાંના મોટાભાગના લોકોના જીવન એક જ ઘરેડમાં વણાયેલા હોય છે અને તે સામાન્ય અને કંટાળાજનક બની રહે છે. પણ દરેક પોતાના જીવનનું અને હસ્તિનું જે અર્થઘટન કરે છે તે બીજાઓથી અલગ હોય તે સ્વાભાવિક છે. આ જ વિભિન્ન અર્થઘટન તેને કાગળ પર જીવનમૂલ્યને કંડારવાની તક આપે છે. આનાથી લખનારને માનસિક તૃપ્તિ તો થાય જ પણ વાંચનારને પણ તે સહાયરૂપ થઇ શકે છે.

આવા આત્મવૃતાંત વડે તમે તમારી જિંદગીના અનુભવો અને વિચારો જાહેરમાં લાવો છો જાણે તમારી જિંદગી અન્યને સુપરત થઇ ગઈ ન હોય? આવા લખાણ દ્વારા તમે અન્યોને જણાવો છો કે જુઓ હું જે પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યો છું અને તેમાંથી બહાર પણ આવી શક્યો છું તેમ તમે પણ જ્યારે આવું અનુભવો ત્યારે તેમાંથી સહેલાઈથી બહાર આવી શકશો તે આ લખાણનો ઉદ્દેશ છે. આમ તમે તમારી આપવીતી, અનુભવો અન્યોને વહેંચી તેમને સહાયરૂપ થાઓ છો જેને કારણે તેઓ ઓછી મુશ્કેલીએ તેનો સામનો કરી શકશે.

મોટી ઉંમરે પણ લખશો તો એક નવા રાહે આવી ઊભા રહેશો, કારણ જ્યાં સુધી તમારા વિચારો અને અનુભવ તમારા મનમાં ધબેરાયેલા હશે પણ કાગળ પર નહી ઉતારો ત્યાં સુધી તમે તે સમસ્યાઓને પૂરેપૂરી સમજી નહી શકો. જ્યારે આ બધું એક સૂત્રે બાંધશો ત્યારે તે તમારા વાચકો, મિત્રો અને કુટુંબીજન માટે એક અમુલ્ય ખજાનો પણ બની શકે છે.

વ્યક્તિ વ્યક્તિના જીવનની કહાણી અલગ અલગ હોય છે. અરે, એકના જીવનની કહાણીમાં પણ અલગ અલગ અનુભવોનો ખજાનો હોય છે. તમે તમારા બાળપણ વિષે લખો, તમારા પ્રવાસવર્ણન વિષે લખો, જેમાં તમને આનંદ મળે તે વિષયને પકડો પણ લખો. તમે કોઈ વ્યક્તિથી પ્રભાવિત થયા હો તો તેના વિષે લખો પણ લખો જરૂર. જીવનમાં તમને અન્યાય થયો હોય પણ તે વિષે અંદરને અંદર ધૂંધવાતા હો તો તેને લખીને બહાર લાવો. કદાચ લોકો આગળ તે મૂકતા અચકાઓ તો પણ લખીને રાખો અને તેમ કરીને મનની શાંતિ મેળવો.

તમને લાગશે કે આવું લખીશ તો બીજાને સામાન્ય લાગશે. પણ કદાચ તે અન્ય વાંચશે ત્યારે તેને તે સામાન્ય ન પણ લાગે તો તેને તેના આનંદથી વંચિત શું કામ રાખો છો?

આટલું વાંચીને તમને થશે કે હું શરૂઆત કેમ કરૂં? તમારી પાસે એવો શબ્દભંડોળ નથી કે તમે એક ઉત્તમ કૃતિ આપી શકશો. અચકાઓ નહી. મનમાં જેવા આવે તેવા વિચારો અને શબ્દોને એકવાર કાગળ પર રમવા દો. કારણ શરૂઆતમાં તમે અન્ય માટે નહી પણ સ્વ માટે લખો છો. અન્યો વાંચશે કે નહી અને વાંચશે તો ગમશે કે નહી તેનો વિચાર કરી અટકો નહી. આમ કરવાથી જ આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે સાથે સાથે આત્મસંતોષ પણ મેળવશો. તમારી યાદોને સાચા અર્થમાં પ્રગટ કરવા જરૂરી છે આત્મખોજ. સ્વથી ઉપર જઈ બનાવોની છણાવટ કરી લખાયેલ યાદોનો રંગ જ અનેરો હોય છે.

તમારૂ લેખનકાર્ય એક ચિત્રકાર જેવું છે. એક કોરા કેનવાસ પર જે રીતે તે પીંછી વડે રંગછાટણી કરે છે અને પછી તેનાથી દૂર જઈ તેને નિહાળી ફેરફાર કરે છે તે જ રીતે તમારે પણ એકવાર લખી ફરી ફરી વાંચી, જરૂરી ફેરફારો કરવા પડે તો પણ તેનો વાંધો નહી. એમ કરતા જ કૃતિ સુંદર બની રહે છે. આમ કરશો તે સત્યની શોધ બરાબર છે. જેટલા ઊંડા તમારા અતીતમાં ડોકિયું કરશો અને અનુભવોને તરાસશો તેટલું તમારૂ લખાણ વ્યવસ્થિત અને સુંદર બની રહેશે. કદાચ એવું પણ બને કે જે યાદો તમારી અંદર રહી તમને મૂંઝવતી હતી કે તમે માનસિક સંતાપ અનુભવતા હતા તે એકવાર લખાણના રૂપમાં બહાર આવશે તો કદાચ તેનું તમારા ઉપરનું પ્રભુત્વ પણ ઓછું થઇ શકે.

આ મારો સ્વ અનુભવ છે, કારણ કોઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘોંચપરોણા(!)ને કારણે લખતો થયો જેમાનું ઘણું બધું પ્રકાશિત પણ થયું છે. મિત્રો અને પરિવારજનોએ તેની સરાહના કરી છે અને તેથી આ પ્રવૃત્તિ કરતા આજે સ્વને આનંદ તો થાય છે પણ અન્યોને પણ ખુશી વહેંચી રહ્યો છું તેનો પણ આનંદ છે.
નિરંજન મહેતા