“એક પ્રભુની બાદ તમારો હાથ છે અમારે માથે”-પદ્માબેન કનુભાઈ શાહ

મિત્રો જાણો  છો આજે ફાથર્સ  ડે ..માં ઘરનું માંગલ્ય તો પિતા એ ઘરનું  અસ્તિત્વ હોય છે જે ઘરમાં પિતા હોય તે ઘર તરફ કોઈ પણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.દેવકી અને યશોદા ના કાર્યની પ્રશંશા જરૂર કરજો પરંતુ મધરાતે નદીના પૂરમાં માથા પર બાળકને સુરક્ષિત લઇ જનાર વાસુદેવ ને પણ જરૂર પ્રણામ કરજો .રામ કૌશલ્યા  પુત્ર હતા, પરંતુ ભૂલતા નહિ પુત્રના વિયોગથી તરફડીને મૃત્યુ પામનાર એક રાજા નહિ પરંતુ પિતા દશરથ હતા.ઠેશ વાગે ત્યારે શબ્દ નીકળે છે “ઓ માં “પરંતુ જીવનની મુશ્કેલીઓમાં “બાપ રે “ના ઉદગાર અનાયસે નીકળી જાય છે. .આજે પણ જયારે જયારે છે મારી આંખો માં આંસુ આવે છે ત્યારે પપ્પા યાદ આવી જાય છે …જેણે મને નાનપણમાં રાજકુમારી અને પરીઓની વાર્તાઓ સભળાવતા.એજ પપ્પા જેણે હિચકે બેઠા વિચારોની એવી ઉંચાઈએ લઇ જાય જે હું સ્વપને પણ ન પામી શકું ..એજ પપ્પા જેણે મારો પરિચય લાઓત્સું ,કબીર કૃષ્ણ ઈશુ અને ગાંધી જોડે કરાવ્યો ,જીદગીની ભુલભુલામણી માં માર્ગ શોધતા શીખવ્યું .એજ પપ્પા જે નાની નાની વાતે ખીજવાય જાય અને વખત બેવખત  જોયા વગર ચા અને પાણી માંગે ,અને કયાં છે મારી પેન ?કોને લીધી કહીને ગુસ્સે થનારા અમારા પપ્પાજી અમારી વગર એકલા રહી પણ ન શકે,અને જમી કે તૈયાર થઇ પણ ના શકે .આ એસો આરામ આજે એમના જ લીધે … ખોટા વ્યહવારોમાં ઢંકાયેલી દુનિયાની ઝાંખી એમને વાતવાતમાં કરાવી…આંગળી પકડીને ચાલતા એમણે શીખવ્યું અને ઘરની ચાર દિવાલની બહાર પણ મારા પહેલા કદમ એમણે જ માંડી  આપ્યા ,   પપ્પા એ મને પાંખો આપી….. ..મિત્રો લખવા બેસું તો શબ્દો, પાના અને શાહી ઓછી પડે. …પરંતુ આજે આપણા જાણીતા લેખિકા પદ્મામાસીએ એક સુંદર કવિતા લખી મોકલી છે જેમાં મારે જે કહેવું છે તે બધું જ આવી જાય છે.મને ઘણી વાર એમ થાય ફાધર ઉપર નિબંધ લખવો સરળ છે પણ તેના પર કાવ્યમાં રજુઆત એટલી સહેલી નથી .   પિતાશ્રી કુટુંબનો ‘મોભ’ અને તે મોભને આંબી જવું એટલું સહેલુ નથી હોતું!!! . 

 

પિતાશ્રી! આપને “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ

પિતાશ્રી! સ્વીકારજો વંદન આપના પુત્ર પુત્રીના
ઉછેર્યા સદાયે  અમોને અતુલ્ય પ્રેમ વાત્સલ્યમાં
અપમાન ગળતા શિખવ્યું, સંયમ, ત્યાગ ને સહનશીલતા
એક લોહીની સગાઇ કદી ન તૂટતી ભાઈબેનની એકતામાં

ભાઈ બેનના હૈયાના વાત્સલ્ય ઝરણા નિરંતર વહેતા રહ્યા
શિખવ્યા અનેરા પાઠ બાળપણથી, શિસ્ત, આજ્ઞાપાલનના
ક્રોધી ક્રોધાગ્નિમાં જાતે બળે ને અપશબ્દ બોલી બીજાને બાળતા
‘ક્ષમા વિરસ્ય ભૂષણમ’ એ અમુલ્ય જ્ઞાન દીધુ તમે અમ જીવનમાં

દયા, નમ્રતા, ઉદારતા, ધીરજ ને હિંમતના બોધ અનેક દીધા તમે
હે પરમ પિતા પરમેશ્વર!!  મુજ પિતાનું  તેં  શ્રેષ્ઠ સર્જન દીધું  મને

****પદ્માબેન  કનુભાઈ  શાહ****

આજે મારા પપ્પા હાજર નથી પરંતુ જયારે જયારે હું લખવા  બેસું ત્યારે  મારા પપ્પાની જેમ મને કનુકાકા મદદ કરવા આવી જાય છે એમના માર્ગદર્શન વગર હું જાણે લખવા  માટે અધુરી છું , એવું મને હંમેશા  લાગે છે ..એવા મારા પિતા સમાન કનુકાકાને મારા “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ