પ્રતિકૂળતા (૧૨) ચારુશીલા વ્યાસ

not known

અનુકૂળતા અને પ્રતિકૂળતા દરેક ના જીવન માં મુખ્ય ભાગ ભજવે છે એ નદીના પ્રવાહ ની જેમ ખળખળ વહ્યા જ કરેછે તેમ જ માનવી પણ અનુકૂળતા સાથે વહ્યા કરે છે તે સરળતાથી પોતાના ધ્યેય સુધી પહોચી જાય છે અને સફળ બની જાય છે આ ને કદાચ જ્યોતિષીઓ  સ્ટાર સારા છે એમ કહે છે પણ જયારે કેટલાક ને નદી રૂપી જીવનમાં સમા પ્રવાહે તરવાનું લખ્યું હોય છે તે ખૂબ જ અઘરું છે માણસ હારી જાય છે ,થાકી જાય છે દરેક વખતે તેની ગણતરી ખોટી પડે છે મુશ્કેલીઓ થી ઘેરાઈ જાય છે અંધકારમય જિંદગી માં ક્યાંય પ્રકાશની એકેય રેખા દેખાતી નથી અંધારામાં ઠોકરો ખાઈ ખાઈને ક્યાય ખોવાઈ જાય છે નિરાશામાં ધકેલાય જાય છે પણ એવા વીરલા  પણ છે જે સતત પ્રતિકૂળ સંજોગો માં ,ઉંધા પ્રવાહમાં તરીને જિંદગી માં આગળ વધે છે મુશ્કેલીઓ નો સામનો કરતા કરતા સોનું બની ઝલકે છે ટીપાઇને ટીપાઈ ને સુંદર આભુષણ  બની ને સુંદરતાને નિખારે છે એવા બનવા માટે માણસમાં ધીરજ અને શાંતિ બહુ જરૂરી છે

અહી અવાજ એક કિશોર ની વાત છે કેશવ તેનું નામ.

આણંદ પાસેના નાના ગામ માં રહેતો હતો માં બાપ અને બીજા બે ભાઈ બહેન સાથે રહેતો હતો ગરીબ કુટુંબ ,પિતા મહેનત ,મજૂરી કરી ને ઘરનાનું ભરણપોષણ કરતો હતો અચાનક એક દિવસ તેના પિતાનો અકસ્માત થયો એક ટ્રકે તેનો જીવ લીધો। કેશવ ત્યારે ફક્ત દસ વર્ષનો હતો અને તે સૌથી મોટો હતો ઘરનો ભાર તેના પર આવી પડ્યો મફત શાળા હતી છતાં કમાવા જવા માટે ભણતર છોડ્યું તે ખુબ ડાહ્યો અને સમજુ હતો એટલા નાના છોકરાને કોણ નોકરી આપે ?છતાં ય તેની અનેક વિનવણી પછી એક હોટલ માં ટેબલ અને ડીશ સાફ કરવાની નોકરી મળી

શરૂઆતમાં ટેવ ન હોવાથી વસ્તુઓ પડી જતી ,તૂટી જતી ,પૈસા કપાઈ જતા તો પણ ધીરજથી તે અપમાનો સહન કરતો પણ તે જાણતો હતો કે તેના માથે બહુ જવાબદારીઓ હતી તેથી તે નોકરીને વળગી રહ્યો હોટલ નો તવ માં જોતો કે લોકો કેટલા ભણેલાં છે અને કેટલુય કરી શકે છે તેને પણ કઈ કરવાનું મન થયું તે પાચ ધોરણ સુધી ભણ્યો હતો તેને નામું લખતા આવડતું હતું

નવરાશ ના સમય માં હોટલ માં આવેલા લોકોને હિસાબ લખી આપતો કોઈને કાગળ લખી આપતો સ્વભાવે તે ખુબ શાંત ,લાગણી વાળો હતો બધાને ખબર પડતા પન્ના ગલ્લાવાળા ,નાની દુકાનવાળા આવવા લાગ્યા આમ તેની આવક વધવા લાગી પાંચ વર્ષ વીતી ગયા સવારથી તે નીકળી જતો રાતના પાછો આવતો એમાં તેની સાયકલ તૂટી ગઈ ,સાથે સાથે માં ખુબ માંદી પડી તે દવા લે કે સાઈકલ રીપેર કરાવે ?તે ચાલતો જ જતો માં તેને કહેતી કે ‘તું થાકી જઈશ ,સાઇકલ રીપેર કરાવી લે ‘પણ તે કહેતો ‘ચાલવાથી શરીર મજબૂત થશે તું ચિંતા ન કર ‘

 ભાઈઓ ને શાળા માં મોકલવા લાગ્યો. ફી નહોતી ભરવાની પણ તોય મુશ્કેલી પડતી તેની ઇમાનદારી જોઇને હોટલના માલિકે પગાર વધાર્યો તેને રાત્રી શાળા માં ભણવાનું નક્કી કર્યું

માની રજા લઈને તેણે ભણવાનું શરૂ કર્યું તે જાણતો હતો કે સારી નોકરી માટે ભણવું જરૂરી હતું તે વહેલો ઉઠી બધા માટે ચા બનાવતો માં ને ચા પીવડાવી નીકળી પડતો હોટલનું કામ સાથે લોકો ને  કરતો જેની પાસે પૈસા ન હોય તેનું પણ કામ હસીને કરી આપતો તેને ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા હતી સંઘર્ષ ના સમય માં પણ નમ્ર બની  ને વર્તતો તે એસ એસ સી પાસ થયો સવાર થી સાંજ સુધી તે કામ કરતો ,રાતે આવી બધાના ખબર પૂછતો માં પાસે બેસતો માની તબિયત  બગડતી જતી હતી બહેને ઘરકામ ઉપાડી લીધું હતું તો પણ કેશવ તેને ભણવા મોકલતો

એક ઓફીસ માં તેને ક્લાર્ક નો નોકરી મળી ગઈ ત્યાર પછી તે સાંજે ટ્યુશન કરવા માંડ્યો કોઈ વાર હોટલના માલિકને હિસાબમાં મદદ કરવા જતો.

માં મરણ પામી ,ભાઈઓ ભણી રહ્યા તેમના લગ્ન કરાવ્યા બહેન માટે છોકરો શોધતો હતો માં ન્હોતી તોય રોજ સાંજે તેના ફોટા સામે બેસીને વાતો કરતો હમેશા ખુશ રહેતો બેન પણ પરણી ગયી પોતે ન પરણ્યો હજી પણ લોકોને મદદ કરે છે.

ખરેખર કેશવ ,તું પ્રતિકુળ સંજોગો નો સામનો કરી ને જિદગી જીતી ગયો

પ્રતિકુળતા-(11) દર્શના વારિયા નાડકરણી

પ્રતિકુળતા, વિનમ્રતા અને કૃતજ્ઞતા

પ્રતિકુળતા દરેકના જીવન માં આવેજ છે અને દરેકના તે વિષય ઉપરના દ્રષ્ટિકોણ અલગ હોય છે.  આ મહિનાની બેઠકનો વિષય છે પ્રતિકુળતા.  આ વિષય ઉપર હું મારા અનુભવ અને કેમ પ્રતિકુળતા માં મારો વિકાસ થયો તે ઉપર લખું છું.

જીંદગીમાં કૃતજ્ઞતા કેળવવી ખુબજ જરૂરી છે.  પણ તે શીખવાનો સાચો મોકો આપણને પ્રતિકુળતા માં મળે છે.  સાલ 2005 ની વાત છે.  મારા નવા છૂટાછેડા થયેલ.  મારી મમ્મી અહીં આવ્યા અને હું કામ માટે મુસાફરી કરું ત્યારે મારા બાળકોને સંભાળતા।  એક વખત રાત્રે બાર વાગ્યે અમે ઘરે પાછા ફરતા હતા અને  અચાનક કોઈ ગાડી ચલાવનારે લાલ બતીમાં તેની ગાડી રોકી નહિ અને ફૂલ સ્પીડ માં મારી ગાડી ને ટક્કર મારી.  પછી થયેલા પોલીસ રીપોર્ટ પ્રમાણે મારી ગાડી ત્રણ ગોથા ખાઈ ગયી.  એ થોડી ક્ષણ ની અંદર મારી જીંદગી પણ ઉથલ પાથલ થઇ ગયી.  મારી પાછળ બીજી ગાડી હતી, તેમણે તુરંત પોતાની ગાડી ઉભી રાખી.  મારી દીકરીને ઈજા થયેલ પણ તેઓ તુરંત તેને સંભાળીને ગાડી બહાર લઇ ગયા અને ઘાસ ઉપર સુવડાવી. આ બાજુ મારી મમ્મી એમનેમ બોલ્યા ચાલ્યા વગર ઉંધા વળીને પડ્યા હતા.  હું ગાડી ની ગોળ ગોળ ચક્કર ફરવા લાગી અને મારું હૈયાફાટ રુદન ચાલુ થઇ ગયું. મને લાગ્યું કે મમ્મી ભગવાન પાસે પંહોચી ગયી છે.  દુર ઘાસ પર સુતેલી મારી નાની દીકરી મને જોયી રહી.

તુરંત પોલીસ, એમ્બ્યુલન્સ વગેરે આવી ગયા.  મને અને મારી દીકરીને એક હોસ્પિટલ તરફ લઇ જવાની તૈયારી કરી અને મારી મમ્મી ને બીજી તરફ.  મેં કહ્યું મને મારી મમ્મી સાથે જવા દ્યો પરંતુ તેઓએ કહ્યું તે શક્ય નથી અને જ્યાં તુરંત સારવાર આપી શકે તે પ્રમાણે તેઓ વ્યવસ્થા કરે.  મારો સેલ ફોન ગાડી માં ઉડી ગયેલ.  નહિ ફોન, નહિ કોઈના નંબર, નહિ કોઈ વ્યક્તિ કે જેને હું જણાવી શકું કે તમે આવો અને ખુબ અજંપા માં રાત પસાર થયી.  પરંતુ બીજે દિવસે મેં અમારા ગ્રુપ ના મેસેજ બોર્ડ ઉપર મેસેજ મુક્યો કે આ પ્રમાણે બન્યું છે.  મારા મમ્મી બચી ગયા પણ તેમને આખા શરીર ઉપર એકદમ મુંઢ માર વાગેલ.  તે ઉપરાંત તેમને પેલ્વીસ અને કોલર બોન ફ્રેકચર થયેલ.  અને તે ઉપરાંત તેમને મગજ ઉપર ઈજા થયેલ અને મગજ માં બ્લીડીંગ થયેલ.  તે ક્રીટીકલ હાલત માં હતા.

મેં મેસેજ મુક્યા બાદ તુરંત કોઈએ વ્યવસ્થા કરીને સમય પત્રક બનાવ્યું.  અમુક દિવસે અને અમુક ફ્રેન્ડસ મને રાઈડ આપવા માટે તૈયાર હતા, અમુક દિવસે અમુક લોકો ખાવાનું લઇ આવ્યા અને એક બહેનપણી એક દિવસ મારા કપડા લેવા આવી અને બીજે દિવસે ધોઈ ને પાછા લાવી.   અઠવાડિયા પછી એક દોસ્તે સફાઈ સર્વિસ ની વ્યવસ્થા કરી.  અને તે પછી એક દિવસ મારા બીઝનેસ કલીગ આવ્યા અને મને કહે તું આવી શકે તો મારી સાથે ચાલ.  મને ગાડી માં લઇ ગયા.  અને લઇ જઈને મને એક ચાવી આપી અને કહ્યું ત્યાં ગાડી પાર્ક કરેલ છે તે મેં તારા માટે ખરીદેલ છે, તેની પૂરી ચકાસ કરાવેલ છે અને આરામ થી ચલાવી શકીશ, તે લઈને ઘરે જા.  ભલે used car હતી , પણ મોટી કંપની ના મુખ્ય અધ્યક્ષ હોવા છતાં તેમણે તેમનો સમય વાપરીને જૂની ગાડીઓ તપાસી અને આ ગાડી પસંદ કરી, તેને મેકેનિક પાસે ચેક કરાવીને, મારા માટે ખરીદીને મને ભેટ આપી દીધી!!

તે પછી મારા મમ્મી એક મહિના ઉપર હોસ્પિટલ અને પછી નર્સિંગ હોમ માં રહ્યા અને તે પછી ઘરે તેમની ફીસીક્લ થેરાપી ચાલી.  હું સવાર થી રાત હોસ્પીટલમાં બેસતી અને મારા છોકરાઓ ઘણો ખરો સમય મારા પાડોશી ને ત્યાં રહ્યા।  એક દિવસ અમારા ગ્રુપની એક પાર્ટી હતી.  મારો એક મિત્ર હોસ્પીટલમાં આવ્યો અને મને ક્યે કે આજે હું અહીં બેસવાનો છું અને તું પાર્ટીમાં જા.  મારું માંન્યોજ નહિ અને તે મમ્મી પાસે ચાર કલાક બેઠો અને હું પાર્ટીમાં ગયી.  તે દિવસથી તેને મેં મારો ભાઈ બનાવ્યો અને તેણે સગા ભાઈ કરતા વિશેષ અમારો સબંધ નિભાવ્યો છે.

ઈકોનોમી ખરાબ હતી અને મારો ધંધો લગભગ ચોપટ થઇ ગયો ત્યારે મારો આ ભાઈ અને મારી બીજી બહેનપણીએ સાથે મળીને મહિનાઓ સુધી મારા ઘર ના હપ્તા ભરી ભરીને મારું ઘર બચાવ્યું.  મારી એક બહેનપણી તો અમેરિકન છે પરંતુ સગી બહેન જેમ દરેક પ્રતિકુળતા માં મારી સાથેજ ઉભી રહી છે.  મારા છૂટાછેડા વખતે અમે ઘર વેચતા હતા અને હું સફાઈ માં વ્યસ્ત હતી તે વખતે તે સવારના પહોરમાં મારી ઘરે આવી અને મને ક્યે તારા બાથરૂમ અને રસોડું મને સોપી દે, હું તેની સફાઈ, કોકિંગ વગેરે કરીને ને નવા જેવા કરી દઈશ.  મારી મમ્મીને હોસ્પિટલ માં થી ઘરે આવ્યા પછી તે અવાર નવાર આવીને મમ્મીને બહાર ભેલ ખાવા લઇ જાય, કે લટાર મારવા લઇ જાય.  અમે મારી મમ્મીને વેકેશન માટે તેના વેકેશન હોમ માં પણ લઇ ગયેલ.  મમ્મીને હું ભારત મુકવા ગઈ ત્યારે તે મારી સાથે છેક ભારત મમ્મીને મુકવા આવી.   મારી દીકરીને કોલેજ ની ટુર કરવા મારી સાથે આવી, પછી તેને પસંદગીની કોલેજમાં મુકવા મારી સાથે આવી, પછી મળવા સાથે સાન ડીએગો આવી અને તેના ગ્રેજુએશન માં મારી પહેલા ટીકીટ લઇ લીધી.  મારી દીકરીનો જન્મદિવસ આવે એટલે કુકીસ બનાવીને ડબ્બો પેક કરીને પોસ્ટ ઓફીસ માં જઈને, તેને કોલેજ માં મોક્લીજ દેતી।

ના, હું કહેતી નથી અને ક્યારેય નહિ કહું કે પ્રતિકુળતા માં અનુકુળતા સમાયેલ છે.  અમારા અક્સીડન્ટ પછી મારી મમ્મીએ જે વેદના સહન કરી અને હજુય  ભોગવી રહી છે કે છૂટાછેડા દરમ્યાન મારા દીકરાએ જે દુખ અનુભવ્યું અને એના ઉપર જે અસર પડી તેમાં કઈ જ સારાપણું નતું।  પણ ઘણી વખત પ્રતિકુળતા ને રોકવાનું આપણા હાથ માં નથી.  અનુકુળતા અને પ્રતિકુળતા તો જિંદગીનો ક્રમ છે.

મને પ્રતિકુળતા ના ઘણા અનુભવો થયા છે.  એક વખત એવો આવ્યો કે શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક એમ બધીજ સમસ્યાઓ એક સાથે ભેગી થઇ ગઈ.   ધીમે ધીમે મને તેમાંથી શીખવા મળ્યું કે માનવીએ માનવી નો સાથ આપવો જ જોઈએ।  જયારે કોઈ અવદશા માં થી ગુજરતું હોય ત્યારે તેની મદદ માટે હાજર રહેવું જોઈએ।  અને જયારે આપણને તેવો અનુભવ થાય ત્યારે, કોઈ સાથ આપવા હાથ લંબાવે તો તેનો અનાદર કરવાની બદલે આભારપુર્વક જે મદદની જરૂર હોય તેનો સ્વીકાર કરીને સહકાર બદલ કૃતજ્ઞ રહેવું જોઈએ।  હું પહેલા ખુબજ સ્વતંત્ર હતી.  મારી જાતેજ પ્રતિકુળતા સામે જજુમ્વામાં માનતી હતી.  પણ એવો સમય આવ્યો અને એક સાથે ખુબ પ્રતિકુળતા માં થી ગુજારવાનું થયું।  થોડી વધારે સમજણ અને પરિપક્વતા પણ કેળવાયેલી।  મેં આ દરમ્યાન ક્યારેય મદદ ની માગણી નતી કરી પણ સહકારનો અનાદર પણ ન કર્યો।  અને તેમાંથી પસાર થતા એવા સાથીઓ અને મુસાફરો મળ્યા કે જીંદગી ની સફર સુંદર બની રહી અને સુંદર મિત્રોનો જિંદગીભર નો સાથ બની  રહ્યો।

મારા અનુભવો માં થી મને ઘણું શીખવા મળ્યું।  એમાંથી ગુજારતા વિનમ્રતા પણ કેળવાઈ, કે ક્યારે પણ ગર્વ કરવો નહિ.  ક્યારે જીંદગી પાસું બદલે અને દશા ફરે તેની આગાહી કોઈ કરી શકતું નથી.  જેને જોઈએ તેને સમય અને અનુકુળતા પૂર્વક મદદ માટે તૈયાર રહેવું.  કોઈ મદદ કરે તેના તરફ કૃતજ્ઞ રહેવું અને સમયે મદદે આવેલાનું ઋણ ક્યારેય ભૂલવું નહિ અને તેને આગળ ચુકવતા રહેવું।  Pay it forward.

 

Darshana

Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000

Updates on Twitter @DarshanaN

Blog – http://darshanavnadkarni.wordpress.com/
“Success is the ability to go from one failure to another, with no loss of enthusiasm” – Sir Winston Churchill

પ્રતિકુળતા-(10)જયવંતી પટેલ

પ્રતિકુળતાનો સામનો કરવા , મન  અને માનવ બન્ને સજ્જ ન હોય તો, જેમ વાવાઝોડું, વંટોળ, ધરતીકંપ સુષ્ટિની રચનાને નષ્ટ કરી ધ્યે છે એમ માનવ જીવનને પણ ખુહાર કરી નાંખે છે.  તમે ધાર્યું ન હોય એવા કપરાં સંજોગો ઊભા થઇ જાય અને તે વખતે સમજ ન પડે કે કયો રસ્તો અપનાવું ? શું કરું?  કોને કહું ?  આવું ઘણાના જીવનમાં બને છે  – બન્યું છે.

કપરાં સંજોગોનો કેવી રીતે સામનો કરવો?  જીવન ખળખળ વહેતા ઝરણાં જેવું છે.  ઝરણાને કોઇ રૂકાવટ ન હોય તો સરળતાથી વહયા કરે પણ જો કોઈ રૂકાવટ આવે  દા. ત.  ભેખડ ખરી પડે, પૂલ તૂટી પડે કે કોઈ મોટી શિલા આવીને વચમાં પડે તો તેનું વહેણ, પહેલા તો અટકી જાય, પછી વહેણ બાજુએથી, ઉપરથી, નીચેથી, ગમે તેમ કરી પોતાનો માર્ગ શોધી લ્યે  એટલે એનો માર્ગ બદલાઇ જાય પણ પાણી વહેતું તો રહે જ.

કોઈક જ વખત એવું બને કે દિશા એટલી બદલાઈ જાય કે ક્યાં તો બીજી નદીઓમાં સમાવેશ કરી લ્યે અથવા સાવ સૂકાય  જાય  – દા. ત. સરસ્વતી નદી જેનું ઉત્પતિ સ્થાન હિમાલય હતું અને વહેતી વહેતી કચ્છ સુધી પહોંચી પણ ધરતીમાના પેટાળની હલચલથી અદૃશ્ય બની ગઈ.  ભૂગર્ભમાં સમાઈ ગઈ.  આજે શાળાઓની પાઠ્ય પુસ્તકોમાં એનું નામ નથી.  બાળકો અજાણ છે કે એક વખત ખૂબ રસાળ, જાજ્ર્વન માં સરસ્વતી નદી પણ હતી અને તેની અગત્યતા માં ગંગા અને યમુના જેટલી જ હતી.

નદીઓ અને ઝરણાઓ, પર્વતો પરથી નીકળી તળેટી તરફ વહે છે અને એ વહેણ સાથે પર્વતોમાં છુપાયેલ ખનિજ દ્રવ્ય, ખાતર રૂપે ખેચી લાવે છે.  જ્યાં સપાટી આવે કે ઊચાણ ઓછું થાય ત્યાં એ બધો ખનિજ પદાર્થ પથરાઈ જાય છે અને એ જમીન ખૂબ જ ફળદ્રુપ બની જાય છે. કોઈપણ પાક તેમાં ત્રણ ઘણો વધારે ઉત્પન્ન થાય છે – આ હકીકત છે.  જીવન જો ઝરણાં કે નદીઓ જેવું વહેતું હોય તો તે જે અમુલ્ય રસ (ક્ષારો) ખેચી લાવે છે તે ખૂબ  – રસમય અને જીવંત હોય છે.  પ્રતિકૂળ સંજોગોમાં આવા ભરપૂર રસોવાળું જીવન શુષ્ક કેવી રીતે બને !  એ તો કુદરતી ક્રમને નકારવા જેવું કહેવાય  બલકે આવા સંજોગોમાં તેની ઊંડી સમજ તેને સાચે રસ્તે દોરી જશે જે અનિવાર્ય છે.  પ્રતિકૂળતા ને અનુકુળતામાં બદલવુ એ આપણું કામ છે.

નદીઓનો દાખલો એટલા માટે આપું છું કે આપણું જીવન એક નદી કે ઝરણાં જેવું છે. સરસ રીતે વહેતું હોય – સ્વપ્ને પણ ખ્યાલ ન હોય કે કોઈક દિવસ આમાં ફેરફાર થશે પણ જો થાય તો બધું ઉપર નીચે થઈ જાય અને હતું તે ન હતું થઈ જાય.  બધું હચમચી જાય સમજ ન પડે કે આનો સામનો કેવી રીતે કરું ? જીવન છે એટલે જીવવું તો પડે જ – પછી હસતાં હસતાં જીવો કે રડીને નિરાશામાં જીવો – બધો આધાર તમારું મનોબળ, ઘડતર , અને સંસ્કાર ઉપર છે. ઘણી વખત કપરાં એટલે કે પ્રતિકૂળ સંજોગો માણસને એટલો રીઢો બનાવી દે છે કે બહારની પરિસ્થિતિ એના ઉપર કોઈ જ અસર નથી કરતી  દુઃખ, એનું મનોબળ મજબૂત બનાવી દે છે.  જયારે સુખની આશા જતી રહે ત્યારે દુઃખ મિત્ર બની જાય છે.  તેની સાથે જીવતાં શીખી જઈએ છીએ.  નાનપણમાં જેણે ગરીબી વેઠી હોય, માબાપની છત્ર છાયા ગુમાવી હોય, તડકો છાયો જોયો હોય, તેને પ્રતિકૂળતા ડરાવતી નથી.  નિડર પણે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઇ જાય છે, મનમાં એવી લાગણી અનુભવાય છે કે મેં શું નથી જોયું કે વેઠયું – અથવા મારી પાસે હવે શું રહયું છે કે મને ગુમાવવાનો ડર હોય!!

પ્રતિકૂળતા ને પીડાનું નામ પણ અપાય  પીડા ઘર પૂછીને ક્યાં આવે છે?  તેને આવવું હોય તો તકાદો કરી ઘરમાં પેસી જાય છે.  અને લાંબા સમયે પણ નીકળવાની વાત નથી કરતું એ તો મન અને માનવ બન્ને મક્કમ હોય તો જ આખરે થાકીને જવાની વાત કરે છે.  માનવ એક વસ્તુ જરૂર કરી શકે  પ્રતિકૂળ સંજોગોમાં મનથી અને તનથી ઉદ્યમી રહેવું નવરું જરાયે ન બેસવું આ એનો સાચો ઉપાય છે.  ભક્તિમાં રસ હોય તો શ્રધાપૂર્વક ભક્તિ કરવી  વાંચનનો શોખ હોય તો વધારે કેળવવો જુદાં જુદાં વિષયો ઉપર, જુદાં જુદાં લેખકોનાં લખાણો વાંચવા, તેમનાં મત જોવા અને વિચાર શક્તિ વધારવી , કોઈની સેવા થઇ શકતી હોય, અને તમે પહોંચી વળતાં હોય તો જરૂર કોઈને મદદ કરવી  એનાથી જે સંતોષ અને સુખ મળે છે તેનું વર્ણન કેવી રીતે કરું?  સંગીત ગમતું હોય – ગાવાનો શોખ હોય તો તેને ઉદ્યમ બનાવી મનને પૂરેપૂરું એમાં પરોવવું,  લખવાનો શોખ હોય તો જરૂર લેખન વિકસાવવું  આ બધું કરવાથી જે દુઃખોનો પહાડ તૂટી પડયો હોય તેમાં રાહત મળશે ગમે તેટલું મોટું દુઃખ નાનું લાગવા માંડશે દુઃખને પોષવાને બદલે આડકતરો જાકારો આપવો જેથી સોચી સમજીને એ એનો રસ્તો શોધી, જવાની વાત કરશે  પ્રતિકૂળતાને પોષશો તો તે ઘર ઘાલી પડી જ રહેશે – વણ નોતર્યા મહેમાનની જેમ.

શાંત થયેલું મન વધારે જાગૃત હોય છે. રોષ, દોષ, અને અજંપો ન હોય ત્યાં વિવેક અને નમ્રતા પ્રવેશે છે.  વિવેક અને નમ્રતા ઘરમાં કે મન મંદિરમાં પ્રવેશે એટલે જાગૃતિ આવવાની જ.  જાગૃતિ આવતાં જ સમજણને સાથે લાવશે કપરાં સંજોગોમાં આ સમજણની ખૂબ આવશ્કતા હોય છે આ સમજ તમને નાસીપાસ થતાં અટકાવશે એટલે એને જરૂરથી આવકારશો

અહિ નરસિહ મહેતાની એક કવિતા યાદ આવે છે :  ” સુઃખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથનાં જડિયા “

નરસિહ મહેતાને કઈ ઓછું દુઃખ પડયું હતું !  નાની ત્રણ વર્ષની ઉમરે પિતાની ઓથ ગુમાવી  અગિયારમે વરસે માતા ગુમાવ્યા આઠ વર્ષ સુધી વાચા ન્હોતી આવી માબાપના મૃત્યુ પછી ભાઈની સાથે રહયા અને ભાભીનું મહેણું સહન ન થતાં ઘરનો ત્યાગ કર્યો નાગરી નાતમાં બધાએ ખૂબ વગોવ્યા ન કહેવાનાં વેણ કીધાં – જયારે આત્મજ્ઞાન લાધ્યું ત્યારે સંસારમાંથી જીવ ઉઠી ગયો  માણસ માત્ર હરિના છે હરિજન છે હરિજનથી અંતર ગણીએ તો હરિથી પણ અંતર જ રહે.

સુઃખ અને દુઃખ એ તો સંસારનો ક્રમ છે.  બહુ દુઃખ વેઠવું પડયું હોય ત્યારે નાની સરખી સુખની ઝલક, ખૂબ મોટી લાગે છે અને મન ખૂશ ખૂશ થઇ જાય છે અને વધારે સુખના દિવસો દીઠાં હોય ત્યારે નાનું સરખું દુઃખ, હેરાન કરી મૂકે છે. પણ પેલી એક કહેવત પ્રમાણે સુખમાં છલકાવું નહિ ને દુઃખમાં હિંમત ન હારવી  એટલું જો યાદ રહે તો પ્રતિકૂળતા ને પચાવી શકવાની શક્તિ કેળવી શકાય છે.

અહી એક કિસ્સો યાદ આવે છે તે ટાંકું છું એક વિધવા બહેનને ચાર દીકરીઓ અને એક દીકરો હતા. પતિનાં મૃત્યુ પછી અમેરિકામાં ખૂબ મહેનત કરી તેમનું ભરણ પોષણ કર્યું તેમને એકલે હાથે મોટા કર્યા ભણાવ્યા ઘણાં વર્ષો બાદ પરણાવવા તૈયાર થયા ત્રણ દીકરીઓને સારા સાસરીયા અને જમાઈઓ મળ્યાં કુદરતનું કરવું બધી દીકરીઓ એક જ શહેરમાં હતી. જેથી અવાર નવાર માંને મળવાનું થતું। પછી દીકરો એક મેક્ષિકન છોકરી સાથે લગ્ન કરવાં તૈયાર થયો  તેને પણ આખરે રજા આપી અને પરણાવ્યો હવે એકજ દીકરી બાકી રહી જે તે બહેનની સાથે રહેતી હતી  બધી દીકરીઓને વ્યવહારમાં સારું એવું સોનું અને હીરાના દાગીનાં ચઢાવ્યાં હતા. દીકરાની વહુને પણ ન્યાયથી આપ્યું હતું નાની દીકરી માટે અને પોતાનાં કપરાં દિવસોને ખ્યાલમાં રાખી , બાકી રહયું તે પોતાની પાસે રાખ્યું પછી વિચાર એવો આવ્યો કે ચાર જણા જૂદા જૂદા બેન્કનાં સેઈફ ડીપોઝીટ લોકર ભાડે રાખે છે અને ભાડું ભરે છે તો લાવ હું એક સારી તિજોરી વેચાતી લઈ લઉં ને ઘરમાં ફીટ કરાવી દઉં.  તપાસ કરીને છોકરાઓ સાથે તિજોરી લઈ આવ્યા  તેને ફીટ કરવા દીકરાના સાળાની મદદ લીધી  તિજોરી જડાઈ ગઈ એમણે છોકરીઓને પણ કહયું કે હવે તમે પણ સૈફ ડીપોઝીટ બોક્ષ કાઢી તિજોરીનો ઊપયોગ કરી શકો છો બધાંને વાત બરાબર લાગી બધી દીકરીઓ પોતાનાં દાગીનાં, બોન્ડ્ઝ વીગેરે મૂકી ગયા માંને પણ આનંદ હતો કે તેમની નજર સમક્ષ બધું સચવાય રહયું છે.પણ બન્યું એવું કે દીકરાના સાળા, જે મેક્ષિકન હતો તેણે એક દિવસ બાકીનાં બધાં બહાર ગયાં હતાં ત્યારે તક જોઈ તિજોરી ખોદી કાઢી અને લઈને રફુચક્કર થઇ ગયો.  કુટુંબના બધાની મોટા ભાગની મૂડી આ તિજોરીમાં હતી.  માં બિચારી રડી ઊઠી.  એને દુઃખ એ થયું કે મારું ગયું તો કાઈ નહિ પણ મારી બધી દીકરીઓનું જતું રહયું એ સારૂં ન થયું પણ શું કરે ?  કોને કહે ?કોઈકને હસવાનું થયું અને સલાહ ની તો પરંપરા અપાઈ –  જોયુંને એ બહેનનાં પ્રતિકૂળ સંજોગો વર્ષો પછી પણ તેનો પીછો ન્હોતા છોડતાં

એટલે ઊંડી સમજ અને સહનશીલતા આવે ત્યારે અંતરનું જ્ઞાન પ્રકાશિત થાય છે અને આપણું માર્ગદર્શન કરે છે.  પ્રતિકુળતાનો સામનો કરવા જાણે સજ્જ કરે છે.

જયવંતી પટેલ

પ્રતિકુળતા

પ્રતિકૂળતા ‘ (9)વાર્તા તરુલતા મહેતા
કોમલને બધાં અભિનન્દન આપી રહ્યાં છે.એના ‘પ્રતિકૂળ’વાર્તાસંગ્રહને પારિતોષક મળ્યું હતું.એની વાર્તાઓના પાત્રો વિપરીત સંજોગોમાં પોતાની અંદર પડેલી શક્તિને અદભુતપણે વિકસાવે છે,સમાજને નવો પ્રકાશ અર્પે છે.એટલું જ નહિ પ્રતિકૂળતામાંથી આનંદ અને ઉત્સાહ મેળવે છે.એમાંના કેટલાંક પાત્રો સ્વેચ્છાએ અનુકૂળ સંજોગો છોડી દઈ કોઈક સત્યને શોધવા નીકળી પડે છે.કોમલનું જીવન વિષેનું મંતવ્ય છે કે સુખની કેદમાંથી બહાર નીકળો તો વિરાટ જીવનનું દર્શન થાય છે.કોઈકે પશ્ન પૂછ્યો ,’કઈ વાર્તામાં તમારા જીવનની છબી છે?’ એણે જવાબ આપ્યો
‘બાબુ’ વાર્તા
‘ બાબુ આવ્યો ,બાબુ આવ્યો ‘ બાના હાથમાં ફૂલવાળી ગોદડીમાં ગોટમોટ ગુલાબી બાબુને જોવા એનાં મોટા ભાઈ -બહેન અધીરાં થયાં હતાં,બા હોસ્પીટલમાંથી આવી થાકી ગયાં હતાં ,તેઓ જરા અવાજ મોટો કાઢી સૌને આઘાં કરતાં બોલ્યા,’જાવ બધા તેયાર થઈ સ્કૂલે જાવ ,બાબુ ઊંઘી ગયો છે.’
કોમલ સ્કૂલે જવા તેયાર થઈ હતી ,તેની બહેનપણી તેની રાહ જોતી હતી ,બા પ્રેમથી
બોલ્યાં, કોમલ બેટા ,આજે તું ઘેર રહેજે ,મને પાણી અને ખાવાનું તારા સિવાય કોણ
આપશે? ‘ કોમલ પાંચમાં ધોરણમાં ભણતી હતી.તે કોચવાઈને બોલી ,’બા,આજથી પરીક્ષા શરુ થાય છે.હું નહિ જાઉં તો નાપાસ થઈશ.’ કોમલની આંખમાં આંસુ આવી ગયાં,તેણે પાણીનો તાંબાનો લોટો અને પ્યાલો બાને આપ્યો।બાજુમાં રહેતાં રમામાસીને બાનું ધ્યાન રાખવા કહ્યું। તેણે બાને કહ્યું ,’મારું પેપર પતાવી તરત આવી જઈશ.’બા થાકીને સૂઈ ગયાં,કોમલ હળવેથી સરકી ગઈ.આજ સુધી તેના ત્રણ મોટા ભાઈઓની નાનકી બેની હતી.ભાઈઓની જેમ હસતી ,રમતી સ્કુલે જતી.બા ઘરનું કામ કરી લેતાં, આજથી તેને માથે કોઈ જવાબદારી આવી ગઈ હોય તેમ એના ટીચરને કહ્યું ,’સર ,મને વહેલા જવાની રજા આપશો,મારાં બાને ઘરમાં મદદની જરૂર
છે.’ ટીચરે એને સમજાવી ,’વિપરીત સંજોગોમાં ભણતર ના બગાડતી ‘.વાત એના મનમાં ભમરીની જેમ ગુણ ગુણ કરતી હતી.
કોમલ ઘેર પહોંચી ત્યારે એને ‘હાશ’ થઈ.ગામડેથી દાદી આવી ગયાં હતાં,દાદીની ઉમર થયેલી તેથી રસોઈ કરતાં પણ કોમલને સ્કુલેથી આવીને ઘરમાં મદદ કરવી પડતી ,સાંજે બીજી બહેનપણીઓ રમતી હોય ત્યારે એને હોમવર્ક કરવું પડતું કે બાબુને હીંચકો નાખવો પડતો.ઘોડિયામાં ઝૂલતા બાબુને ટીચરે આપેલી કવિતાઓ
અને ગીતો સભળાવતી .અકબર બિરબલની વાર્તાઓ ,ઇતિહાસ,ભૂગોળના પાઠ વાંચતી.એની બહેનપણી એની મશ્કરી કરતી.’કોમલ ટીચર થવાની છે.’
એક મહિનામાં બા પહેલાંની જેમ ઘરમાં બધું કામ કરતાં થઈ ગયાં પણ નાનો બાબુ ખૂબ રડે ,પજવે છે.એની આંખ લાલ રહે છે.આંખમાંથી પાણી પડ્યા કરે,પીયા દેખાયા કરે.બા-બાપુ ચિતા કરે છે.ડોકટરનું કહેવું છે કે જરા મોટો થાય પછી તપાસ થાય. પછીના વર્ષે ડોક્ટરની તપાસમાં બાબુને ‘બાળમોતિયાનું ‘નિદાન થયું ,જેની સર્જરી એ પાંચ વર્ષનો થાય ત્યારે થશે.
બે વર્ષમાં કોમલના બન્ને મોટાભાઈઓ વડોદરાની કોલેજમાં ભણવા જતા રહયા.કોમલને અભ્યાસનું ભારણ વધ્યું હતું,પણ ઘરના કામમાં રોકાયેલી રહેતી બા બાબુને કોમલને સોંપી દેતી.બાબુ દોડીને કોમલની પાછળ ફર્યા કરતો ,
ઘડી ઘડી પડતો આખડતો ,બા બબડતાં ,’મોટી ઉમરે આવ્યો ને પાછો આંધળા જેવો,બિચારી નાનકીને લેસન કરવા દેતો નથી.કોમલને રડવું આવી જતું.તેનાથી બાબુને રડતો રાખી લેસન થતું નહી.ટીચરના શબ્દો ‘ભણતર ના બગાડતી ‘ગુણગુણ થયા કરતા.એ મનમાં ખૂબ મૂઝાતી હતી.એને થયું કોને પૂછું?બા ખાસ ભણી નહોતી પણ ‘છોકરાઓ ભણ્યા વગર ચાલશે નહિ ‘એમ હમેશાં કહેતા।બાબુના આવ્યા પછી બહુ ઉદાસ રહે છે.કોમલે બાની પાસે જઈ પૂછ્યું ‘બા બાબુ રડ્યા કરે છે,હું લેસન ક્યારે કરું?’,બાએ સાડલાના છેડાથી આંખો લુછતાં કહ્યું ,’નાનકી,બીજા બે વર્ષ આપણે બાબુને સાચવી લેવો પડશે,પછી એની આંખનું ઓપરેશન થશે.એનાથી બરોબર દેખાતું થશે,એટલે આપણને નહિ પજવે ‘કોમલને થયું બા એના દિલની વાત કરે છે.’મારા પર એમને ભરોસો છે,હું વિપરીત સ્થિતિમાં ભણીશ.’ એને એટલું સમજાયું કે બાબુ એનો ભાઈ હમેશાં એની સાથે ઘરમાં રહેવાનો છે.એણે બાબુને પટાવી લેસન કરવાનું છે ,રમવા જવું હોય તોય એને જોડે રમાડવાનો.
કોમલે બાબુનું બધું જ કામ ઉપાડી લીઘુ.રાત્રે પોતાની સાથે સૂવડાવતી ,સ્કુલે જતાં પહેલાં એને નવડાવી તેયાર કરતી.બાબુનું ખાવાનું ,દૂધ આપવાનું કરતી.જાણે બાબુની નાનકી મા !બાને હળવાશ લાગી પણ કોમલ માટે જીવ બાળતા પંખીની જેમ ઉડયા કરતી છોકરી પાંખ સમેટીને બેસી રહી છે.બાબુને દેખાતું થાય ને એ છૂટે।
કોમલ હવે હાઇસ્કુલમાં જતી હતી.હાઇસ્કૂલ દૂર હતી એટલે સાઇકલ પર જતી.એની બુક્સ અને બીજી જરૂરી ચીજો લેવા તે ગઈ હતી,તેણે પાંચ વર્ષના બાબુને આડા તેડા લીટા કરવાની મઝા આવે તેવી ચોપડી લીધી,એક નાનકડું બેગપેક લીધું। બાબુ નાનકીની રાહ જોતો ઘરની બહાર ઓટલે જ બેઠો હતો.સાઇકલની ઘંટડી નો અવાજ સાંભળી નાની ,નાની કરતો કૂદવા લાગ્યો,બા કહે ‘આણે તારા વગર ખાધુંપીધું ય નથી.’
બાબુ એનું બેકપેક લઈ દોડાદોડી કરે છે.બા રાજી થતાં હતાં ,કોમલ ખડખડાટ હસી એની પાછળ દોડતી હતી.
‘તું ય બાબુની જેમ રમવા લાગી કોમલ ‘ બહારથી આવેલા બાપૂજીએ કહ્યું ,ઘરમાં હસી ખુશી જોઈ તેઓ મલકાતા હતા.તેમણે જલેબીનું પેકેટ કાઢી બાને કહ્યું ,’ભગવાનને પ્રસાદ ધરાવ ,બાબુના ઓપરેશનનું નક્કી થયું।’ બાબુ જલેબી ખાવા ઉતાવળો થયો.એને બીજું ન સમજાયું પણ કોમલ બાને ભેટી પડી.ઘરમાં બાબુની કૂમળી આંખોમાં રતાશને બદલે બે દીવડા પ્રગટવાના હતા.ઘરને ખૂણેખૂણે દીવડા જળહળશે.દિવાળી ઉજવાશે।કોમલને થયું અભાવ પછીની પ્રાપ્તિનો
આનંદ અનેરો હોય છે.એણે બે ક્ષણ પોતાની આંખો બંધ કરી દીઘી।બાબુની દુનિયા એટલે રૂપરંગ વિનાની !અવાજ ની આંગળી ઝાલી દોડે અને સ્પર્શને ઓળખે।એનું હદય મીણની જેમ પીગળી રહ્યું ,એણે બાબુને માથે ચૂમી કરી.મનોમન બોલી ,’તારી બંધ આંખોની દુનિયામાંથી મારામાંના અણવિકસિત કોશેટાને પતંગિયું થવાનું ભાગ્ય મળ્યું ,હવે બાગના પ્રત્યેક ફૂલો રૂપ ,રંગ રસથી મને ભીજવશે.’
તરુલતા મહેતા 13મી જુલાઈ 2015
પ્રભુ ,મને મુશ્કેલી ન આપીશ એવું નહિ માગું ,
મને લડવાની તાકાત આપજે. રવીન્દ્રનાથ ટાગોર
પ્રતિકુળતા -(૮) રશ્મિ જાગીરદાર

not known

આજે એનું છેલ્લું પેપર હતું , આગળનાં બધાં  પેપરો તો સરસ જ ગયા હતાં , પણ આજ નું પેપર !!! તેનું મન બેચેન બની ને ગભરાઈ રહ્યું ! 6 વાગે પેપર પતશે ને 8 ની  ટ્રેન માં તો ગામ જવાનું હતું !લગ્ન માં સ્તો  અને લગ્ન પણ કોના ખબર છે?—–તેનાં ખુદ ના !!!

                      એક બાજુ B. Sc.ની યુનિવર્સિટી ની પરિક્ષા ની તારીખ જાહેર થઇ ને બીજી બાજુ સાથે જ લગ્ન ની તારીખ પણ નક્કી થઇ નિષ્ઠાવાન —હોંશિયાર વિદ્યાર્થી માટે તો પરિક્ષા એ ગમતું ટાણું કહેવાય –પોનાની આવડત , યાદશક્તિ ,અને રજુઆત કરવાની કુશળતા  સર્વાંગીપણે  વ્યક્ત કરવાની આજ તો મહામુલી તક હોય છે।

                      તો સામે લગ્ન પણ જીવતર નો મહામુલો ને મન ના માણીગરને પામવાનો પ્રસંગ ! હવે જુઓ આ બંને જયશ્રી ને ગમતા પ્રસંગો એ સાથે આવી ને જાણે  તેના  જીવન માં પ્રતિકુળતા ની વણઝાર વહાવી દીધી .એક બાજુ લગ્ન ની ખરીદીની  પસંદગી માટે દોડવાનું ને યુનીવર્સીટી ની પરિક્ષા નું વાંચવાનું —- કશું જ અનુકુળ નહોતું  બંને પ્રસંગો પોતપોતાને સ્થાને એવા તો અગત્ય ના હતા કે ક્યાંય કોઈ પ્રકાર ની બાંધછોડ ને અવકાશ જ નહોતો . જયશ્રી આમ તો કાબેલ હતી બંને ક્ષેત્રે તૈયારીઓ થતી રહી પણ એક પ્રસંગ નું કામ ચાલુ હોય ત્યારે બીજા પ્રસંગ ની વાતો મન માં આવી ને ટેન્શન કરાવતી —–એમ કરતાં કરતાં છેલ્લું પેપર આપવા નીકળતી વખતે મમ્મી એ યાદ કરાવ્યું —” બેટા, પેપર 6 વાગે પતશે ને 8 વાગે ગાડી છે યાદ છે ને ? તો જલ્દી આવી જજે , પાછી આવી ને  સાડી પણ પહેરાવી પડશે। “

                           સમય તો આખરે સમય જ છેને? છેલ્લું પેપર પતાવી ને ઘર ના બધા સાથે જયશ્રી ટ્રૈન માં  બેઠી , તેને થયું હાશ ! આટલા બધા પ્રતિકુળ સંજોગો માં પણ બધા પેપરો સરસ ગયાં અને સાચું પૂછો તો લગ્ન ની બધી ખરીદી અને બીજી તૈયારી પણ પરફેક્ટ જ થઇ .  પણ પ્રતિકુળતા આમ ક્યાં તેનો પીછો છોડે તેમ હતી !!!

                               અત્યાર સુધી માબાપ ને ત્યાં ફ્રોક, સ્કર્ટ કે પેંટ– શર્ટ જેવા ડ્રેસ પહેરતી જે તેને અનુકુળ લગતા પણ આજે સાડી  પહેરવી પડી ,તેને તો સાડી  પહેરતાં    પણ નહોતું આવડતું  મોટીબેને પહેરાવી હતી તેને સાડી સાથે જરાય ફાવતું નહોતું ગામ પહોચ્યા પછી તો માથે પલ્લુ   પણ ઢાંકવો પડ્યો !   તેને થયું બાપરે!!! કેટલી બધી પ્રતિકુળતા!! કેટલી અગવડ!! રહી રહી ને તેને સ્કર્ટ પહેરી મહિયર ના હિંચકે હિંચતી જયશ્રી દેખાતી હતી !

                              પહોચ્યા ને ત્રીજે દિવસે જ લગ્ન હતાં , લગ્ન તો ધૂમધામ થી ને ખુબ હરખભેર પતી ગયાં બધા ખુશ હતાં રાત્રે લગભગ એકાદ વાગે કન્યા વિદાય થઇ . જયશ્રી ને જોરદાર થાક લાગ્યો હતો પણ સાસરે પહોચ્યા ત્યાં કેટલીક વિધિ ઓ કરવાની હતી ,પૈસા રમવાના, કંકુથાપા દેવાના ને જાણે કેટલુય !!!   સગાવ્હાલા ના ઘરે કંકુથાપા દઈ પાછા  ફરતાં  જયશ્રી ઉદાસ થઇ ગઈ તેને મમ્મી -પપ્પા યાદ આવ્યા ભાઈ બહેન અને એનો પ્યારો  હીંચકો પણ ક્યાં ભુલાતો  હતો? તેને પાછું પિયર પહોંચી જવાનું મન થયું અને તેનું મન કવિ શ્રી ની પ્રસિધ્ધ  પંક્તિ ઓ ગાઈ  રહ્યું। —–” કોઈ કંકુથાપા  ભૂંસી દઈ મને ભીંતે થી ઉતરાવો

                                          ——” કોઈ મીંઢળ  ની મરજાદા લઇ મને પાંચીકડાપકડાવો –જી

                        કામ  ગમે તેટલું ગમતું હોય પણ જયારે સમય ને સંજોગો અનુકુળ નહોય ત્યારે પ્રતિકુળતા થી ઘેરાયેલી વ્યક્તિ થોડી વાર  માટે  ચોક્કસ મુંજાઈ જાય પણ બધી જ પ્રતિકુળતા ઓ માંથી અનુકુળતા શોધી કાઢવી એ પણ કોઈ નાની સુની શોધ નથી —– પછી ભલે  ને  એને માટે કોઈ એવોર્ડ કે નોબેલ પ્રાઈઝ ના હોય !!!!     બધી પ્રતિકુળતા ઓ ને પહોંચી વાળીએ ને અનુકુળતા સાધી લઈએ એજ આપણો અવોર્ડ !!! ખરું કે નહી ?

પ્રતિકૂળતા (૭) હેમાબહેન પટેલ

not known

પ્રતિકૂળતા એ મનની એવી અવસ્થા છે જે કોઈ પણ માણસને પસંદ ન હોય છતાં પણ આ સંસારમાં કોઈ પણ એવી વ્યક્તિ શોધી ન મળે જેણે આ અવસ્થાનો સામનો ન કર્યો હોય. પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે મન દુખી થઈ જાય એ અવસ્થામાં કોઈ રાજી ન હોય.આમ જોવા જઈએ તો પ્રતિકૂળતા અને અનુકૂળતા એ સુખ- દુખ સમાન છે જે માનવ જીવનમાં ઉભા થયેલ સંજોગો વ્યક્તિ કેટલી સહજતાથી તેનો સામનો કરે છે તેના ઉપર આધારીત છે.સુખ-દુખ, ચડતી-પડતી,પ્રતિકૂળ-અનુકૂળ એ તાણાવાણા સમાન જીવન સાથે ગુંથાયેલા હોવાથી તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.સંસારમાં જો જન્મ-મૃત્યુ એક સત્ય હકીકત છે તો આ બધી વસ્તુ પણ જીવન ચક્ર સાથે ચાલતી રહેવાની છે.કોઈ કોઈ લોકોનુ જીવન પ્રતિકૂળતાથી ભરેલુ હોય છે એક પ્રોબલેમ સૉલ કરે ત્યાં બીજો આવીને ઉભો રહે, જાણે  પ્રતિકૂળ સંજોગોની વણ થંભી વણજાર ચાલી રહી છે.આવા લોકો  દુખોથી એવા ઘડાઈ ગયેલા હોય જેઓ ગમે તેવી પરિસ્થિતીમાં સંજોગોનો આસીનીથી સામનો કરી શકે છે, પહાડ સમુ દુખ આવે તો પણ સહન કરી શકે. આવા સંજોગો માણસને તેની સામે જજુમવાની તેની સામે લડવાની શક્તિ આપે છે. આખરે એક વીર યોધ્ધા સમાન બની જાય છે.પ્રતિકૂળતા જ માણસની કમજોરી અને ડર દુર કરીને જીવનને સાહસિક બનાવે  છે. એક સરખુ  સરળ જીવન ચાલે તો શું કામનુ ? તેમાં સુખ-દુખ, પ્રતિકૂળતા-અનુકૂળતા આવે તોજ જીવન જીવવા જેવું લાગે અને માણસને સંપુર્ણ બનાવી શકે.પ્રતિકૂળતા અને દુખોથી માણસની સહન શક્તિ વધે એતો સત્ય જ છે.Continue reading

પ્રતિકૂળતા (૬) પ્રવિણા કડકિઆ

  • not known
  • અનુકૂળતા અને પ્રતિકૂળતા એ સિક્કાની બે બાજુ છે. સિક્કો ઉંધો પડે એટલે માની લીધું અને જાણે પ્રતિકૂળતાની ઝલક દેખાઈ. જે ઘરમાં પવન પણ પૂછીને આવતો હોય, એ ઘરમાં જ્યારે વાવાઝોડું ઘુસી આવે! ત્યારે તમે સમજી શકો પ્રતિકૂળતા કેવી હોય. ઘરના સર્વે સાનભાન ગુમાવી બેસે. સાચુ ખોટું તો ઠીક પણ જાણે જીવનમાં સર્વસ્વ લુંટાઈ ગયું હોય તેવી ભાવના જન્મ લે. એવા કપરા પ્રતિકૂળ સંજોગમાંથી બહાર આવવું એ દાદ માગી લે તેવી વાત છે. ઉમર પણ કેવી, નહી નાની નહી ખૂબ મોટી !  બાળકોનું ભણતર હજુ તો આખરી મુકામ પર પહોંચવા માટે વલખાં મારતું  હતું! એવા સમયે ઘરનો મોભ ક ડ ડ ડ ભૂસ કરતો ટૂટી પડ્યો.
  • સંજોગ ભલે પ્રતિકૂળ હતા. હિમત ન હારતા દુખી અવસ્થામાં પણ સાન ભાન ગુમાવ્યા વગર નિરાશ હ્રદયે, શ્રદ્ધા પૂર્વક તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન જારી રાખ્યો.” હતું ન હતું થવાનું ન હતું”. સંજોગો જરૂર બદલાયા હતા. પ્રતિકૂળતાનું સામ્રાજ્ય ચારેકોર છવાયું હતું. હૈયાની આશાની જ્યોત બુઝાવા ન દેતાં તેને જલતી રાખવાના સતત પ્રયત્ન જારી રાખ્યા. આ એ સમય હતો જ્યારે જીવનની આકરી કસોટીમાંથી પાર ઉતરવાનું હતું. ઈશ્વર સર્જીત આ પ્રતિકૂળતાનો કુનેહ ભેર સામનો કરી હેમખેમ પાર ઉતરવાનું હતું. પુરૂષાર્થ જારી રાખવાનો હતો.

એ તો નસિબ સારા, ૨૬ વર્ષનો જુવાન જોધ પુત્ર હજુ તો હાથનું મિંઢળ છુટ્યું પણ ન હતું . તેણે નાવને વાળી  તેનું સુકાન સંભાળી ફરીથી સંસારમાં તરતી મૂકી. આભાર માનવાનો સર્જનહારનો અને તેના માતા, પિતાના સંસ્કારનો. આમ પણ બચપનથી તેના સુંદર  લક્ષણ હતા . અભયતા તેને વરી હતી. ઘરના સહુને સાચવ્યા. ભર જુવાનીમાં પ્રતિકૂળતા સામે અણનમ ઉભો રહ્યો. માતા પ્રતિકૂળ સંજોગોમાં સાવ ભાંગી પડી હતી. નાના પુત્રએ તો કમાલ કરી. બે વર્ષ માટે બલિદાન આપ્યું. આગળ ભણવા જવાનું મુલતવી રાખ્યું. માતાનો સહારો બનીને રહ્યો. કોણ કહે છે, પુત્રને માતાની લાગણી નથી હોતી? સાવ ખોટી વાત ! તેઓ માતા તેમજ પિતાને ખૂબ ચાહે છે. માત્ર દીકરીઓની જેમ બોલીને કે સોડમાં સમાઈ લાગણી નથી દર્શાવતા. જે આવશ્યક પણ નથી. તેમના મુખેથી દરેક શબ્દ નર્યા પ્યાર ભીના હોય તે શું કાફી નથી ? માત્ર પુત્રની માતા જ તે લાગણીને અનુભવી શકે. દીકરા યા દીકરી એ સર્જનહારની કૃપા છે. જે હોય તેમાં સંતોષ અને પ્યાર સમાયેલા છે ! કોઈ પણ માતા પુત્ર હોય યા પુત્રી સરખું દર્દ અનુભવે છે.

પ્રતિકૂળ સંજોગને કેવી રીતે અનુકૂળ બનાવવા એ માટે બિરબલ અને અકબરની એક વાત ખૂબ મશહૂર છે, દીકરી પરણવવાના પૈસા ન હોવાથી એક આમ આદમી જીવના જોખમે જમુનાના ઠંડા નીરમાં આખી રાત ઉભો રહેવા તૈયાર થયો. દૂર દીવાદાંડીનો આછો પ્રકાશ, તેની જીજીવિષા જીવાડી ગયો. બરફ જેવી ઠંડીમાં તેણે પ્રતિકૂળ સંજોગનું શરણું સ્વીકારી  હાર  માનવાની ચોખ્ખી ના પાડી. સવારે જીવતો જાગતો બહાર આવ્યો. અકબર બાદશાહે અનાડીવેડા કર્યા. બિરબલ, બાદશાહને પાઠ ભણાવવા  માગતો હતો. ‘ખીચડી પકાતા’ હું નો નાટક કરી દરબારમાં ધરાહાર ગેરહાજર રહ્યો. બાદશાહની આંખ ખૂલી. બમણું ઈનામ આપી નવાજ્યો. હવે પ્રતિકૂળ સંજોગ, પ્રતિકૂળ બાદશાહનું વર્તન છતાંય હિમત ન હારનાર એ સામાન્ય માનવીને આપણે બિરદાવવો રહ્યો.

પ્રતિકૂળ સંજોગ કરતાં , સંજોગ પ્રત્યેનું આપણું દૃષ્ટી બિંદુ કેવું છે એ અતિ મહત્વનું છે. સંજોગને વિષે છણાવટ કરીશું તો ખ્યાલ આવશે આપણે હમેશા સ્વાર્થ વૃત્તિ કેળવી તેનું અવલોકન કરીએ છીએ. સારી કૉલેજમાં એડમિશન મેળવવું હતું. ડૉનેશન આપવું. ઈન્ટરવ્યુમાં સરખી રીતે દેખાવ કરવો. સારા ગુણાંક મેળવવા. હવે જો આ ત્રણેયમાં સારી રીતે પેશ આવીએ તો એડમીશન કેમ ન મળે? ડોનેશન તો માગ્યા કરતાં વધારે આપ્યું. ગૂણાંક્માં બહુ વાંધો ન આવ્યો. પણ ઈન્ટરવ્યુમાં ઉકાળ્યું. હવે  આમાં વાંક કોનો? બહાર આવીને ખોટી રીતે યુનિવરસિટીને બદનામ કરવી. ‘મારા જેવાને ના પાડી.’  આ બેકાર યુનિવરસિટી છે’. સંજોગો બધી રીતે અનુકૂળ હતા. તમારા પ્રતિકૂળ આચરણને કારણે નાસીપાસ થવું પડ્યું

હવે એ જ કિસ્સાને બીજી રીતે જોઈએ. એડમિશન ન મળ્યું તો સારું થયું. પિતાજીને હાર્ટ એટેક આવ્યો. તેમનાથી ધ્યાન ન રખાયું એટલે કંપની ડામાડોળ થઈ. તમારે પિતાજીના ચાલુ ધંધા પર બેસી સુકાન સંભાળવાનો વારો આવ્યો. જે પ્રતિકૂળ લાગ્યું હતું તે સંજોગવશાત એકદમ અનુકૂલ થઈ ગયું કારણ તમે જે શહેરમાં રહેતા હતાં ત્યાંની સ્થાનિક કૉલેજમાં જ ભણતા હતા. વિદ્યા મેળવવામાં પણ વાંધો ન આવ્યો. પિતાજી સારી દેખરેખને કારણે સાજા થયા. ધંધાને આંચ ન આવી. હવે સંજોગને બદનામ કરવા તેના કરતા ઉપચાર કરવો વધારે હિતાવહ છે.

જેમ લીલા ચશ્મા પહેર્યા હોય તો લીલુ દેખાય. એમ સંજોગને તમે કઈ નજરે નિહાળો છો એ ખૂબ અગત્યનું છે. જો સંજોગની સામે ટક્કર લેવાની હોય તો તેમાં પાછી પાની ન કરવી. પ્રતિકૂલ સંજોગને અનુકૂળ કઈ રીતે બનાવાય તે માટે કમર કસવી. યાદ છે ને ,’હિમતે મર્દા તો મદદે ખુદા’. બાકી સંજોગ પ્રતિકૂળ છે માની શરણાગતિ  સ્વીકારવામાં કોઈ કાંદા ન નિકળે. બાકી આ જીવનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાતો આવતી જ રહેવાની. બસ હસતે મુખે તેનો સામનો કરી માર્ગ મોકળો કરવાનો.

પ્રતિકૂળ સંજોગમાં માથે હાથ મૂકીને બેસવાથી સમસ્યા હલ થતી નથી. ઘરમાં અચાનક માંદગી આવી ! નોકરીમાંથી ફારગતી મળી. ધંધામાં રોકેલા પૈસા મંદીને કારણે ડૂબી ગયા. સ્ટૉક માર્કેટમાં તડાકો પડ્યો. સાધારણ સ્થિતિમાંથી કરોડો પતિ થઈ ગયા. જીવન છે. પાસા સીધા પણ પડે કે અવળા પણ પડે. સીધા પડે ત્યારે અભિમાનમાં ચકચૂર થવું. અવળા પડે ત્યારે પોક મૂકીને રડવા બેસવું. આ બન્ને સ્થિતિ પ્રશંશનિય નથી.

પ્રતિકૂળતા સમયે સંયમ રાખીને કામ કરીશું તો સફળતા કદમ ચુમતી આવશે. માનસિક સમતુલન અને સ્વમાં વિશ્વાસ કેળવાય છે. હિમત હાર્યા કરતાં શાંતિથી બેસીને તેમાંથી બહાર નિકળવાનો માર્ગ શોધવો આવશ્યક છે. એક પ્રસંગ જીંદગીમાં હૈયે કોતરાઈ ગયો છે. ૧૪ વર્ષની ઉમર હતી. એ વર્ષે વરસાદ ખૂબ પડ્યો. અમે પાંચ ભાઈ બહેન મમ્મી અને મોટાઈ સાથે ઘરમાં રહેતા હતા. જ્યાં અમે બે વર્ષ પહેલા રહેવા ગયા હતા. હવે પહેલા બે માળનું મકાન હતું. તેના પર બીજા બે માળ ચણ્યા હતા. અમને ખબર નહી. એ ચોમાસામાં અચાનક ઘરની દિવાલ દૂર ખસેલી જણાઈ. બંબાવાળા આવ્યા. પહેરેલા કપડે ઘરની બહાર કાઢ્યા. મારી  નાની બહેનનો હાથ પકડી ધડ ધડ ચાર દાદરા  ઉતરી ગઈ. મમ્મી કબાટમાંથી ચાંદીના વાસણ, દાગીના અને રોકડ રકમ લઈ રહી હતી. બંબાવાળા ઉતરવાનો તકાજો કરતા હતા. કપડાં કે કશું લેવાનો સમય ન આપ્યો. અમે નાના ત્રણ ભાઈ બહેન મામાને ત્યાં  ગયા. મમ્મી તેના મોટાભાઈ મતલબ મોટામામાને ત્યાં ગઈ. પિતાજી આખી રાત મકાનની સામે બીજા માળાના પાડોશી સાથે ઉભા રહ્યા.

સવારના ચાર વાગે આખું મકાન પત્તાના મહેલની માફક બેસી ગયું. મોટી બહેન તેના સાસરે ગઈ . મારો મોટોભાઈ મિત્રને ત્યાં. હવે આનાથી કયો વધારે પ્રતિકૂળ સમય ૧૪ વર્ષની ઉમરમાં કહેવાય? અમે કોઈ રડ્યા નથી. પિતાજી ખૂબ હિમતવાળા હતા. જેવી શ્રીનાથજીની ઈચ્છા કહી આભાર માન્યો કે ઘરના બધા સહિસલામત હતા. એક પણ જાનહાનિ થઈ ન હતી. વેપારી હતા. પૈસાની સગવડ કરી ૨૦ દિવસમાં નવો ત્રણ બેડરૂમનો ફ્લેટ મલબાર હિલ પર ખરીદ્યો. હવે આ સંજોગમાં તેઓ રડવા બેઠા હોત તો પાંચ બાળકોનો પરિવાર કેવી હાલતમાં આવી જાય. મમ્મી પણ ખૂબ કુશળ સ્ત્રી હતી. નિરાશાને નજીક સરવા ન દીધી. બાલકોને પાંખમાં ઘાલ્યા. આ પ્રસંગ ખરેખર સંજોગો સામે ઝુકવાને બદલે તેનો હલ કાઢવાનું શિખવે છે

જીવનમાં જો બધું જ અનુકૂળ હોત તો માનવી થોડો નમાલો યા પામર બને તેની શક્યતા વધારે છે.પ્રતિકૂળ સંજોગમાં માનવીમાં સાહસ અને કંઈક કરી શકવાની તમન્ના ઉત્પન્ન થાય છે. યાદ કરો આપણું  ભારત, જ્યારે અંગ્રેજોના નેજા હેઠળ હતું ત્યારે દેશભક્તો ગણ્યા ગણાય નહી તેટલા થયા. જેમના નામ ઈતિહાસને પાને કદી ન લખાયા. જેમનું જીવન મા ભોમની સ્વંતત્રતાનૉ લડતમાં હોમાઈ ગયું. કેટલી માના વહાલા લાડકવાયા  ચિતા પર પોઢી ગયા. કારણ એક જ મારી માતૃભૂમિ પરથી અંગ્રેજો હટવા જોઈએ. ‘મારી મા’ આઝાદ થવી જોઈએ. પ્રતિકૂળ સંજોગ તેનું મુખ્ય કારણ બન્યા.

આજે જ્યારે ભારત આઝાદ છે ત્યારે બતાવો કોઈ  માઈનો લાલ જેના દિલમાં દેશભક્તિ છે? સંજોગો અનુકૂળ છે. ભારત આઝાદ અરે, પ્રજાસત્તાક પણ છે. દરેકને પોતાની પડી છે. ‘ભારતમાકી ‘ઐસી કી તૈસી’. હા આજે હવે દેશદાઝ ગાયબ. આપણી સરકાર છે. જોયો પ્રતિકૂળ સંજોગોનો પ્રભાવ ! જીવનના હર ક્ષેત્રમાં આવું બનતું આવ્યું છે. સામાન્ય નાગરિક ઉપર આવવા અથાગ મહેનત કરે છે. પ્રતિકૂળ સંજોગોને ગાંઠતો નથી. તેને પોતાના પુરૂષાર્થ પર વિશ્વાસ છે. ‘યેન કેન પ્રકારે ન’ પોતાની મંઝિલ પર પહોંચે છે. સિદ્ધી સર કર્યાનો મુક્ત આનંદ મેળવે છે.

જેની પાસે લાખો અને કરોડો રૂપિયા હોય એવા શેઠિયાઓના નબીરા જુઓ. અનુકૂળ સંજોગો. લક્ષ્મી પ્રત્યે બેદરકારી. બાપની ગાદી પર બેસી રોફ જમાવવાનો. ભૂલી જાય છે બાપે કેટલી તનતોડ મહેનત કરી હતી. પરિણામ પૈસાને પગ આવે છે. પૈસા સાથે નામ, સાહેબી,  ગાડી, વાડી વઝીફા બધું ધીરે ધીરે અદૃશ્ય થવા લાગે છે. અનુકૂળ સંજોગોમાં જો જાગ્રતતા ન હોય તો તે સંજોગોને બદલાતાં ઝાઝો સમય લાગતો નથી. પછી માથે હાથ મૂકી રડવાથી ગયેલો સમય પાછો આવતો નથી. બેદરકારી, વિલાસીપણું, ઉધ્ધતાઈ એ બધા ચારે કોરથી પ્રવેશી જીવનમાં હુલ્લડ મચાવી ને ઝંપે છે.

અનુકૂલ સંજોગો હોય તો સંયમ ન ખોતાં આ્ભારવશ શાંતિથી જીવો ! જો ન ક્રરે નારાયણ્ને કુદરતનું ચક્ર ફરે તો હામ ન હારવી. સામે આવેલા સંજોગોને આહવાન આપો. શક્તિ મળશે અને ફરી પાછું ચક્ર ફરશે !

અસ્તુ

“પ્રતિકૂળતા” રેખા પટેલ (૫)

Continue reading

પ્રતિકૂળતા (૪) વિજય શાહ

.not known

શાબાશ મારી ભાભલડી

I am grateful for all my problems.After each one was overcome, I became stronger and more able to meet those that were still to come. I grew in all my difficulties.              —– James Cash Penny (Founder of J.C.Penny)

ફોન ઉપર મોટી બહેન કેતકી નાનાભાઇ ચેતનને અમેરિકા આવવા સમજાવતી હતી. “ ભાઇ, તું એકલો જ રહી ગયો! પપ્પા મમ્મી અને નાનો ભાઇલો તો આવી ગયા છે.”

‘પણ મોટી બેન હવે હું તો કાયદેસર રીતે આવી શકું તેમ નથી. ચેતના અને નાના દિગંતને અહીં મુકીને  કેવી રીતે  આવું ?

“ જો સાંભળ, ચેતના નોકરી કરે છે.  દિગંત સ્કુલે જતો થઇ ગયો છે. મને એમ છે કે, તું અહીં ફરવા માટે આવ અને કંઇક તીકડમ કરીને તું ગોઠવાઇ જાય તેવું કરીશું.” Continue reading

પ્રતિકૂળતા (૩) રોહિત કાપડિયા

                                     કઈ રીતે
__________
આ જખ્મો મને પ્રભુમય બનાવે છે .
દેનારને હું દોષિત ગણું તો કઈ રીતે ?

આ સંઘર્ષો મને નવશક્તિ આપે છે.
ઠોકરોને હું અવગણું તો કઈ રીતે ?

આ લાગણી મને ભીંજાયેલો રાખે છે.
જિંદગીને શુષ્ક ગણાવું તો કઈ રીતે ?

આ વિરહ તો પ્રેમને ગાઢો બનાવે છે.
અફસોસ જુદાઈનો કરું તો કઈ રીતે ?

કંટકો જ ફૂલથી મિલન કરાવે છે.
તીક્ષ્ણતા હૃદયને ચીરે તો કઈ રીતે ?

આ ખાલીપો મને ખુદથી મિલાવે છે.
એકલતા મને ડંખે તો કઈ રીતે ?

આ  પ્રતિકૂળતાએ  મને ઘડ્યો છે.
ફરિયાદ હું  કરું  તો  કઈ  રીતે ?

રોહિત  કાપડિયા

પ્રતિકૂળતા (૨) ડૉ.લલિત પરીખ

 not known

 જીવનમાં અણગમતી પ્રતિકૂળતા આવે ત્યારે તેનું પણ સ્વાગત આપણે મનગમતી અનુકૂળતાની જે મ જ

 કરવું જોઈએ. પ્રતિકૂળતા તો ક્યારેક શું,મોટા ભાગે આપણા માટે ગુરુ-બંધુ  સ્વરૂપે આવે છે.ગુરુ સમાન આપણી સાચી સમજણ ઉત્તમ માર્ગદર્શન આપીને

પ્રતિકૂળતાઓને સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરવાની પ્રેરણા આપે છે,જરૂરી શારીરિક- માનસિક- આત્મિક શક્તિ આપે છે.

જરાક વિચારો, જો પ્રતિકૂળતાઓ મનુષ્યના જીવનમાં

આવી જ ન હોત તો માનવ સમાજનો વિકાસ જ ક્યાંથી થાત? ત્યારનો આદિ -પ્રસ્તર યુગનો જંગલી જેવો અવિકસિત મનુષ્ય પ્રતિકૂળતાઓ સામે સંઘર્ષ કરી કરીને તેમને અનુકૂળતાઓમાં પરિવર્તિત કરતો રહીને આજના વિકસનશીલ યુગનો,વૈજ્ઞાનિક યુગનો મહા માનવ બની શક્યો છે, એ સત્ય બરાબર સમજવું જરૂરી છે.અંધકારની પ્રતિકૂળતાએ તેને ત્યારે  ચકમકથી અગ્નિ ઉત્પન્ન કરી પ્રકાશના ઉજાસની શોધ કરવામાં સફળ બનાવ્યો અને એ શોધ વારંવાર અથડાતી-ભટકાતી  પ્રતિકૂળતાઓ પર વિજય મેળવતી રહી, આજના ઇલેક્ટ્રિક,ઇલેક્ટ્રોનિક,ઈન્ટરનેટ યુગ સુધી સતત વિકાસ કરતી રહી એ કેટલું મોટું સત્ય છે?                         ભોજન માટે જંગલી પશુઓના શિકારમાં વેડફાતા સમયની અને   જોખમની પ્રતિકૂળતાને  તેણે અનાજ-ફળ ઈત્યાદિની ખેતીવાડી દ્વારા ,કપાસની ખેતી દ્વારા અને ઘેટાઓના ઉછેર દ્વારા વસ્ત્ર -સભ્યતાની, ગોપાલન દ્વારા દૂધ-દહીં-માખણ-ઘી વી.ની વ્યવસ્થા ઊભી કરી, માનવ ઈતિહાસને નવી દૃષ્ટિ અને દિશા આપી, એ તો સાચી ઐતિહાસિક વાસ્તવિકતા છે,જે પ્રતિકૂળતાઓનો સામનો કરતા કરતા,તેમને સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરતા રહીને સાધેલી વિકાસની,ઉન્નતિની યશ -ગાથા છે.

તે જ પ્રમાણે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ભયંકર અગવડભરી પ્રતિકૂળતાએ મનુષ્યને એ પ્રતિકૂળતાને સાનુકૂળતામાં પરિવર્તિત કરવાના પ્રયાસમાં વિમાન યુગ સુધીની પ્રગતિ સાધી, ઝડપી યુગમાં પહોંચી જવાની સફળ સફર યાત્રા કરાવી છે.                            બિમારીનો સામનો કરતા કરતા આવતી રહેલી પ્રતિકૂળતાઓનો સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરતા કરતા મનુષ્યે આખું મેડિકલ-સર્જિકલ જગત ઊભું કરી દીધું, એ મનુષ્ય માટે કેટલું મોટું ઉપાદેય પ્રદાન છે? જ્ઞાન-વિજ્ઞાનમય આ વિરાટ સ્વરૂપે વિકસી રહેલા વિશ્વના ઉત્કર્ષ-ઉત્થાનમાં સતત આવતી રહેતી  પ્રતિકૂળતાઓને સાનુકૂળતોમા પરિવર્તિત કરનારી સમજણની માસ્ટર- કી,ગુરુ- ચાવીનો જ ચમત્કાર છે.

  1. પ્રતિકૂળતાઓથી ગભરાવાથી,નાસીપાસ થવાથી કે નાસતા રહેવાથી નહિ,બલકે તેમનો સામનો કરતા રહી તેમને સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરવાથી જ -વ્યક્તિ શું કે સમષ્ટિ શું-નો વિકાસ થયો છે,થતો રહ્યો છે,થઇ રહ્યો છે અને સદાસર્વદા થતો જ રહેવાનો છે,  એ મહા સત્ય સ્વીકારીને, પ્રતિકૂળતાઓને ગુરુ બંધુ માની લેવામાં અને સમજણને ગુરુ સ્વીકારી લેવામાં જ મનુષ્યનું પરમ કલ્યાણ થયું છે,થઇ રહ્યું છે અને થતું રહેવાનું છે, એ જીવનમંત્ર આત્મસાત કરવો જરૂરી છે.કુંતી માતાએ દુખ માંગેલું, જેથી ઈશ્વર સ્મરણ સહજ બને, એવી જ રીતે પ્રતિકૂળતાઓ આગળ વધવા માટેની વિકાસ કેડી છે એ બરાબર સમજી લઈને તેમને  સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરતા રહી સુખ -શાંતિનો,હાશ-નિરાંતનો,સંતોષ-આનંદનો જીવન -માર્ગ પ્રશસ્ત કરી તન-મન -જીવનને મનુષ્યે કાયમ અજવાળતા જ અજવાળતા જ  અજવાળતા રહેવું  જોઈએ. રહેવું જોઈએ.                             (સમાપ્ત)
પ્રતિકુળતા – પ્રજ્ઞા દાદભાવાળા
not known


હું હોસ્પીટલની શાંત રાતોમાં મારી જાતને ગોઠવવાની કોશિશ કરતી હતી. અચાનક જીવનમાં કોઈ ઘટના સર્જાય અને સત્ય સીધેસીધું આવે તો ત્યારે એક થડકો અનુભવાય છે જે હું અનુભવતી હતી…વાસ્તવિકતાને કેમ અને કેવી રીતે સ્વીકારવી? આવી સ્થિતિમાં મારા બાળકો જાણે મારાથી વધારે પરિપક્વ લગતા હતા અત્યારની જનરેશન કદાચ આપણા કરતા આવી પડેલ સંજોગોને વધારે સહજ રીતે અને ઝડપથી સ્વીકારી શકે છે એમ મને લાગ્યું,જે થવાનું હતું તે થઇ ગયું હવે what is next અને પછી પોતાની બધી તાકાત નાસીપાસ થયા વગર પરિસ્થિતિ ને ફેરવવામાં લગાડી ..
જયારે મારા પતિ શરદની એક્સીડેન્ટ ની ઘટના એ મને વિષાદમાં ઘેરી લીધી હતી હવે શું થશે ? પ્રશ્નો ની વણઝાર ક્યાંય અટકવાનું નામ લેતી ન હતી….જે અજાણ્યું છે માટે ભય વધારે છે તમને વસ્તુ કરતા વસ્તુનો પડછાયો મોટો દેખાય છે એમ મારા બાળકો મને કહેતા હતા .. જે પરિસ્થિતિને સ્વીકારે નહિ ત્યારે મોટે ભાગે એ પોતાને ગમતા એવાં સમાધાન તરફ લલચાતી હોય છે..મેં પણ એમજ કર્યું એક્સીડેન્ટ થયો તો મન ને મનાવતા કહ્યું ઘાત ગઈ.આટલેથી જ પત્યું ,આપણા મનની માનવ સહજ નબળાઈઓ- ‘ડુબતો તરણું શોધે’ ને અને મેં ભગવાનને હાથ જોડ્યા..અને ત્યારે હોસ્પીટલની દીવાલ પર લગાવેલું આ વાક્યએ મને જાગૃત કરી… “ “પ્રતિકૂળતા પોતાની જાતને એક માણસ પરિચય આપે છે.” ~ આલ્બર્ટ આઈન્સ્ટાઈન
Unfavorableness…..પ્રતિકુળતા એટલે શું..નિયતિ ક્યારેક પ્રહાર રૂપે આવે છે એમ લાગે છે.બસ આ પ્રહારને આપણે પ્રતિકુળતા કહીએ છીએ। .. પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે ન થાય ..કે ઈચ્છી ન હોય તેવી પરિસ્થિતિ.સર્જાય ..જીન્દગી હંમેશા સુવિધાથી ભરેલી નથી હોતી.તમે હું આપણે સહુ જાણીએ છીએ। .જિંદગી હંમેશા ગાંઠો વાળી હોય છે.અનેક ગુંચવણો, સમસ્યાઓ અને પ્રશ્નો આવતા જ રહે છે . દુઃખ આવે,પ્રતિકુળતા,વિરોધ કે સંકટનો સામનો કરવો જ પડે છે અને મેં મારી જાતને સમજાવી..મારે હિંમત નથી હારવાની, નિરાશ નથી થવાનું, ને નાસીપાસથયા વગર ગૂંચો ને ઉકેલવાની છે. ..સાદી ચાલી જતી જીંદગીમાં અચાનક સ્પીડ બ્રેકરની જેમ ઘટના સર્જાય અને રુકાવટ લાવે અને આપણે ધ્રુજી જઈએએ સ્વાભાવિક છે,ક્યારેક નિરાશ તો ક્યારેક હતાશ થઇ જઈએ છે કોઈ ખુબ રડે છે તો કોઈ ખુબ શાંત બની અંદર સોસવાય છે. સામાન્ય રીતે મુશ્કેલીઓની વચ્ચે આપણે ખુશ નથી રહી શકતા. સાવ અજાણ ભાવી, જીવનની અચોક્કસતા વી. અજ્ઞાત પરીબળો માણસની ભયની લાગણીને ઉત્તેજીત કરે છે. -અચાનક આવી પડેલ સંજોગોમાં વિષાદ આપણ ને ઘેરી વડે છે છે.અને આપણે લાચાર થઇ જઈએ છે આ લાચારી કેમ આવે છે?.હવે શું ? થી પ્રશ્નો ઘેરી વળે છે. આપણી એક સામાન્ય સમજણ એવી હોય છે કે મારી મુશ્કેલી જ મારું દુખ છે જો મારી મુશ્કેલી દુર થઇ જાય, તો મારું દુઃખ પણ અદ્રશ્ય થઇ જાય, અને હું ખુશી પણ અનુભવું….જો કે તેવું ભાગ્યે જ હોય છે… અને ભાગ્યેજ થાય છે ..

-ત્યારે પ્રશ્ન થાય કે પ્રતિકુળતા શું છે એ ભ્રમીત માનસીકતા ?.

સંજોગને ‘સમજવું’ અથવા‘ઓળખવું’ કઈ રીતે?

પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવાના કઈ રીતે ?

શું પ્રતિકુળતા જ માનવી નું દુઃખ છે .

શું માનવી સંજોગો ને આધીન છે?

માણસની સૌથી મોટી જાગૃતિ કઈ ?

આપણે કોઈ વ્યક્તિને ખરેખર જાગૃત છે એમ ક્યારે કહી શકીએ ? –

ટુકમાં વિપરીત પરિસ્થિતિમાં માનવી પોતાને સભાળી શકતો નથી .. એક વાત નક્કી છે  સંજોગો અને સંયોગો ને આપણે ફરેવી શકતા નથી…. ત્યારે સંયોગો કે સંજોગો નહીં પણ સમજણને વશમાં રાખીએ તો….. મેં મારી જાતને સમજાવી …પ્રતિકુળતા નો સારો અર્થ લઈએ તો શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું.જાગૃતિ વગર વિકસી શકાય નહિ

…સાચો રસ્તો આ નબળાઈઓ દુર કરી જીવનમાં વિશ્વાસ પેદા કરવાનો છે. ખોટી માન્યતાઓ, વિચારો, ડરપોકપણું, અને મનની અસ્થિરતામાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓના વિચારો ને સમજવાની પ્રજ્ઞા આપણા માં વિકસિત થવી જોઈએ.પ્રતિકુળતા પ્રકૃતિ તરફથી થતી વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે જીવતા શીખવાડે છે, આપણને ઈશ્વરીય તત્વની અનુભૂતિ કરાવવા માટે અને નમ્રતાપૂર્વક માનવીય મૂલ્યોને સાથે લઈને જીવાડવા માટે છે. .. એની સાથે સમજણ મળે છે. એની જાગૃતિ પણ આવે છે. એની વિવેકશક્તિ પણ એની જાતે ખીલે છે.

પ્રતિકૂળતા માણસના ઉત્થાનનું કારણ છે અને તેને યોગ્ય રીતે ઊપયોગમાં લેવું.ઘણી વાર પ્રતિકુળતા હોકાયંત્ર જેવું કામ કરે છે માનવી પ્રતિકુળતા માં નવા માર્ગ કે રસ્તા શોધે છે જિંદગીની સફરમાં પ્રતિકુળતા ‘કવોલિટી કંટ્રોલ’ ડિપાર્ટમેન્ટની જેમ આપણી ગુણવત્તાને માપતી હોય છે.જે જીવન આપણ ને ડરાવે તે જીવન શું કામનું? ડરી ડરી ને જીવતી વ્યક્તિ રોજ મરતી હોય છે. અભાવ જેવું જીવનમાં છે જ નહિ
…….પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે જ થાય છે. એમાં બે અંશ ઓછા નથી થતા કે બે અંશ વધારે નથી થતા…મેં મારી જાતને ટોકી ….મુશ્કેલીઓનો સામનો કરતાં શીખ. તારામાં સાહસ હોવું જ જોઈએ…સારા ખરાબ એ બધા વિચારો કરવાના છોડીને પ્રત્યેક સંજોગને જોતા શીખવું જોઈએ..મનમાં ખરાબ વિચારો આવતા હોય, પરિસ્થિતિ વિપરિત હોય ત્યારે પણ જીવતા શીખ. બધી જ વખતે બધી અનુકૂળ પરિસ્થિતિ હોય એવું કંઈ જરૂરી નથી.પણ જો એનો સ્વીકાર કરી લે તો..

મેં જાતે મહેસુસ કર્યું છે જીવન ત્યારબાદ અસુવિધાજનક કે પ્રતિકુળ નથી રહેતું, આપણી પ્રતિકુળતા આપણને આકાર આપે છે, આપણને એક વ્યાખ્યા આપે છે. .મેં મારા ભયને, મારી ધારણાઓને, અને મારી માન્યતાઓને એક ક્ષણ માટે ત્યાગી દીધી….હવે શું પ્રશ્નને ફેકી દીધો અથવા ખંખેરી નાખ્યો મારા અંતરાત્માને સાંભળયો. તમારી અંદર કોઈપણ કે કશુંપણ ભય ભરી શકે તેમ નથી કે તમને દુઃખી કરી શકે તેમ નથી.

આ જીવન, આ ક્ષણ બસ આજ જે છે તે. આ જ એકમાત્ર સત્ય છે. અને મેં સત્યને સ્વીકાર્યું ..વ્યક્તિની ભીતરે વસતા અને સમય-સંજોગ અને સંસ્કારને વશવર્તીને આવી પડેલ સજોગોમાં આપણી સમજણ નો ઉપયોગ કરવો એમાં જ ડહાપણ છે.. એ વાત મને સમજાઈ ગઈ …પરિસ્થિતિ ને ‘સમજવી ’ અથવા ‘ઓળખવી ’ અને તેને યોગ્ય રીતે ઉપાય શોધવો …

નાના બાળક સામે જ્યારે કોઈ નવું રમકડું મૂકવામાં આવે છે પહેલા ઘણીવાર ડરે છે ત્યારે પછી તે ધ્યાનથી તેને જુએ છે. તેને ઓળખે છે. તેનો સ્પર્શ કરે છે. અને પછી રમવા માંડે છે એ ડરાવતું નથી એમ પ્રતિકુળતા ને સમજી જીવન સરિતાના વહેણ સાથે વહેવા લાગીએ તો .. જે પણ થયું હોય, તેને બાજુ પર મૂકી દો…તો , વર્તમાનને ખુબ જ સુંદર બનાવવામાં મંડી પડીએ તો…કિંમતી બનાવી સાચવીએ તો?

સહેલું નથી પણ સમાધાન નથી કરવાનું…અહી હું એક વાત શીખી કે સ્વીકારમાં કઈક દૈવી વાત છે. પરિસ્થિતિ ને જેવી છે તેવી સ્વીકારી લેવાથી તમારા અસ્તિત્વનાં દરેક અણુમાં શાંતિ સ્ફુરે છે. અને હું બમણા જોરથી મારા પતિને સાજા કરવામાં મંડી પડું છું…. વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા સિવાય કોઈને છૂટકો પણ નથી કારણ કે અસ્વીકાર એ પ્રતિકારનું સમાનાર્થી છે, તેના માટે એક ચુનોતીની જરૂર પડે છે, તેને પ્રવાહની સામે તરવા જેવું કહી શકાય, તે હંમેશા અઘરું હોવાનું. હું મારા સંજોગોથી નાખુશ હોઉં તો મારે તેમને બદલવા માટે લાગી જવું પડશે. સ્વીકારનો અર્થ એવો નથી કે જે પરિસ્થિતિ આવી છે તેનું મહત્વ ન સાચવવું તેનો અર્થ એ છે કે મારા વર્તમાન સંજોગો કે પરિણામની અસર મારી શાંતિ પર ન થવા દેવી. તમે કેવું અનુભવો છો કે તમે દરેક વસ્તુને કેવી રીતે જુઓ છો તેનો સંપૂર્ણ આધાર આપણા ઉપર છે.તમારી પાસે બે વિકલ્પો છે, કાં તો હકારાત્મક વલણ રાખવું કે પછી નકારાત્મક. તમે જ પસંદ કરો.. 

મેં નક્કી કર્યું કે અમે શરદને ફરી ઉભા કરશું …અને આ અમારા બધાનો ખુબ જાગૃતિ સાથે નો સંકલ્પ હતો. કારણ વિકલ્પ પસંદ કરવા માટે જાગૃતતા હોવી જરૂરી છે..જીવનને પ્રતિકુળતા સાથે ચાહવાની શક્તિ બસ દેખાડવાની છે નિયતિ ક્યારેય પ્રહાર કરતી જ નથી। ..અમે નક્કી કર્યું કે જીવનને એટલું અર્થસભર બનાવી એ કે પ્રતિકુળતા પણ તમારા પગે પડીને કહે કે માફ કરો,બસ વહેરાઈ જવાનો કોઈ અર્થ નથી અનુકુળતા અને પ્રતિકુળતા થી જ જીવન પૂર્ણ છે. જીવનને પ્રતિકુળતા સાથે સ્વીકારો કારણકે તમારી આસપાસ પ્રતિકુળતા પણ જીવનને માણતું હોય છે….

 Pragna Dadbhawala

Continue reading

પ્રતિકુળતા – પ્રજ્ઞા દાદભાવાળા

not known

હું હોસ્પીટલની શાંત રાતોમાં મારી જાતને ગોઠવવાની કોશિશ કરતી હતી. અચાનક જીવનમાં કોઈ ઘટના સર્જાય અને સત્ય સીધેસીધું આવે તો ત્યારે એક થડકો અનુભવાય છે જે હું અનુભવતી હતી…વાસ્તવિકતાને કેમ અને કેવી રીતે સ્વીકારવી? આવી સ્થિતિમાં મારા બાળકો જાણે મારાથી વધારે પરિપક્વ લગતા હતા અત્યારની જનરેશન કદાચ આપણા કરતા આવી પડેલ સંજોગોને વધારે સહજ રીતે અને ઝડપથી સ્વીકારી શકે છે એમ મને લાગ્યું,જે થવાનું હતું તે થઇ ગયું હવે what is next અને પછી પોતાની બધી તાકાત નાસીપાસ થયા વગર પરિસ્થિતિ ને ફેરવવામાં લગાડી ..
જયારે મારા પતિ શરદની એક્સીડેન્ટ ની ઘટના એ મને વિષાદમાં ઘેરી લીધી હતી હવે શું થશે ? પ્રશ્નો ની વણઝાર ક્યાંય અટકવાનું નામ લેતી ન હતી….જે અજાણ્યું છે માટે ભય વધારે છે તમને વસ્તુ કરતા વસ્તુનો પડછાયો મોટો દેખાય છે એમ મારા બાળકો મને કહેતા હતા .. જે પરિસ્થિતિને સ્વીકારે નહિ ત્યારે મોટે ભાગે એ પોતાને ગમતા એવાં સમાધાન તરફ લલચાતી હોય છે..મેં પણ એમજ કર્યું એક્સીડેન્ટ થયો તો મન ને મનાવતા કહ્યું ઘાત ગઈ.આટલેથી જ પત્યું ,આપણા મનની માનવ સહજ નબળાઈઓ- ‘ડુબતો તરણું શોધે’ ને અને મેં ભગવાનને હાથ જોડ્યા..અને ત્યારે હોસ્પીટલની દીવાલ પર લગાવેલું આ વાક્યએ મને જાગૃત કરી… “ “પ્રતિકૂળતા પોતાની જાતને એક માણસ પરિચય આપે છે.” ~ આલ્બર્ટ આઈન્સ્ટાઈન
Unfavorableness…..પ્રતિકુળતા એટલે શું..નિયતિ ક્યારેક પ્રહાર રૂપે આવે છે એમ લાગે છે.બસ આ પ્રહારને આપણે પ્રતિકુળતા કહીએ છીએ। .. પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે ન થાય ..કે ઈચ્છી ન હોય તેવી પરિસ્થિતિ.સર્જાય ..જીન્દગી હંમેશા સુવિધાથી ભરેલી નથી હોતી.તમે હું આપણે સહુ જાણીએ છીએ। .જિંદગી હંમેશા ગાંઠો વાળી હોય છે.અનેક ગુંચવણો, સમસ્યાઓ અને પ્રશ્નો આવતા જ રહે છે . દુઃખ આવે,પ્રતિકુળતા,વિરોધ કે સંકટનો સામનો કરવો જ પડે છે અને મેં મારી જાતને સમજાવી..મારે હિંમત નથી હારવાની, નિરાશ નથી થવાનું, ને નાસીપાસથયા વગર ગૂંચો ને ઉકેલવાની છે. ..સાદી ચાલી જતી જીંદગીમાં અચાનક સ્પીડ બ્રેકરની જેમ ઘટના સર્જાય અને રુકાવટ લાવે અને આપણે ધ્રુજી જઈએએ સ્વાભાવિક છે,ક્યારેક નિરાશ તો ક્યારેક હતાશ થઇ જઈએ છે કોઈ ખુબ રડે છે તો કોઈ ખુબ શાંત બની અંદર સોસવાય છે. સામાન્ય રીતે મુશ્કેલીઓની વચ્ચે આપણે ખુશ નથી રહી શકતા. સાવ અજાણ ભાવી, જીવનની અચોક્કસતા વી. અજ્ઞાત પરીબળો માણસની ભયની લાગણીને ઉત્તેજીત કરે છે. -અચાનક આવી પડેલ સંજોગોમાં વિષાદ આપણ ને ઘેરી વડે છે છે.અને આપણે લાચાર થઇ જઈએ છે આ લાચારી કેમ આવે છે?.હવે શું ? થી પ્રશ્નો ઘેરી વળે છે. આપણી એક સામાન્ય સમજણ એવી હોય છે કે મારી મુશ્કેલી જ મારું દુખ છે જો મારી મુશ્કેલી દુર થઇ જાય, તો મારું દુઃખ પણ અદ્રશ્ય થઇ જાય, અને હું ખુશી પણ અનુભવું….જો કે તેવું ભાગ્યે જ હોય છે… અને ભાગ્યેજ થાય છે ..
-ત્યારે પ્રશ્ન થાય કે પ્રતિકુળતા શું છે એ ભ્રમીત માનસીકતા ?.
સંજોગને ‘સમજવું’ અથવા‘ઓળખવું’ કઈ રીતે?
પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવાના કઈ રીતે ?
શું પ્રતિકુળતા જ માનવી નું દુઃખ છે .
શું માનવી સંજોગો ને આધીન છે?
માણસની સૌથી મોટી જાગૃતિ કઈ ?
આપણે કોઈ વ્યક્તિને ખરેખર જાગૃત છે એમ ક્યારે કહી શકીએ ? –
ટુકમાં વિપરીત પરિસ્થિતિમાં માનવી પોતાને સભાળી શકતો નથી .. એક વાત નક્કી છે  સંજોગો અને સંયોગો ને આપણે ફરેવી શકતા નથી…. ત્યારે સંયોગો કે સંજોગો નહીં પણ સમજણને વશમાં રાખીએ તો….. મેં મારી જાતને સમજાવી …પ્રતિકુળતા નો સારો અર્થ લઈએ તો શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું.જાગૃતિ વગર વિકસી શકાય નહિ
…સાચો રસ્તો આ નબળાઈઓ દુર કરી જીવનમાં વિશ્વાસ પેદા કરવાનો છે. ખોટી માન્યતાઓ, વિચારો, ડરપોકપણું, અને મનની અસ્થિરતામાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓના વિચારો ને સમજવાની પ્રજ્ઞા આપણા માં વિકસિત થવી જોઈએ.પ્રતિકુળતા પ્રકૃતિ તરફથી થતી વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે જીવતા શીખવાડે છે, આપણને ઈશ્વરીય તત્વની અનુભૂતિ કરાવવા માટે અને નમ્રતાપૂર્વક માનવીય મૂલ્યોને સાથે લઈને જીવાડવા માટે છે. .. એની સાથે સમજણ મળે છે. એની જાગૃતિ પણ આવે છે. એની વિવેકશક્તિ પણ એની જાતે ખીલે છે.
પ્રતિકૂળતા માણસના ઉત્થાનનું કારણ છે અને તેને યોગ્ય રીતે ઊપયોગમાં લેવું.ઘણી વાર પ્રતિકુળતા હોકાયંત્ર જેવું કામ કરે છે માનવી પ્રતિકુળતા માં નવા માર્ગ કે રસ્તા શોધે છે જિંદગીની સફરમાં પ્રતિકુળતા ‘કવોલિટી કંટ્રોલ’ ડિપાર્ટમેન્ટની જેમ આપણી ગુણવત્તાને માપતી હોય છે.જે જીવન આપણ ને ડરાવે તે જીવન શું કામનું? ડરી ડરી ને જીવતી વ્યક્તિ રોજ મરતી હોય છે. અભાવ જેવું જીવનમાં છે જ નહિ
…….પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે જ થાય છે. એમાં બે અંશ ઓછા નથી થતા કે બે અંશ વધારે નથી થતા…મેં મારી જાતને ટોકી ….મુશ્કેલીઓનો સામનો કરતાં શીખ. તારામાં સાહસ હોવું જ જોઈએ…સારા ખરાબ એ બધા વિચારો કરવાના છોડીને પ્રત્યેક સંજોગને જોતા શીખવું જોઈએ..મનમાં ખરાબ વિચારો આવતા હોય, પરિસ્થિતિ વિપરિત હોય ત્યારે પણ જીવતા શીખ. બધી જ વખતે બધી અનુકૂળ પરિસ્થિતિ હોય એવું કંઈ જરૂરી નથી.પણ જો એનો સ્વીકાર કરી લે તો..
મેં જાતે મહેસુસ કર્યું છે જીવન ત્યારબાદ અસુવિધાજનક કે પ્રતિકુળ નથી રહેતું, આપણી પ્રતિકુળતા આપણને આકાર આપે છે, આપણને એક વ્યાખ્યા આપે છે. .મેં મારા ભયને, મારી ધારણાઓને, અને મારી માન્યતાઓને એક ક્ષણ માટે ત્યાગી દીધી….હવે શું પ્રશ્નને ફેકી દીધો અથવા ખંખેરી નાખ્યો મારા અંતરાત્માને સાંભળયો. તમારી અંદર કોઈપણ કે કશુંપણ ભય ભરી શકે તેમ નથી કે તમને દુઃખી કરી શકે તેમ નથી.
આ જીવન, આ ક્ષણ બસ આજ જે છે તે. આ જ એકમાત્ર સત્ય છે. અને મેં સત્યને સ્વીકાર્યું ..વ્યક્તિની ભીતરે વસતા અને સમય-સંજોગ અને સંસ્કારને વશવર્તીને આવી પડેલ સજોગોમાં આપણી સમજણ નો ઉપયોગ કરવો એમાં જ ડહાપણ છે.. એ વાત મને સમજાઈ ગઈ …પરિસ્થિતિ ને ‘સમજવી ’ અથવા ‘ઓળખવી ’ અને તેને યોગ્ય રીતે ઉપાય શોધવો …
નાના બાળક સામે જ્યારે કોઈ નવું રમકડું મૂકવામાં આવે છે પહેલા ઘણીવાર ડરે છે ત્યારે પછી તે ધ્યાનથી તેને જુએ છે. તેને ઓળખે છે. તેનો સ્પર્શ કરે છે. અને પછી રમવા માંડે છે એ ડરાવતું નથી એમ પ્રતિકુળતા ને સમજી જીવન સરિતાના વહેણ સાથે વહેવા લાગીએ તો .. જે પણ થયું હોય, તેને બાજુ પર મૂકી દો…તો , વર્તમાનને ખુબ જ સુંદર બનાવવામાં મંડી પડીએ તો…કિંમતી બનાવી સાચવીએ તો?
સહેલું નથી પણ સમાધાન નથી કરવાનું…અહી હું એક વાત શીખી કે સ્વીકારમાં કઈક દૈવી વાત છે. પરિસ્થિતિ ને જેવી છે તેવી સ્વીકારી લેવાથી તમારા અસ્તિત્વનાં દરેક અણુમાં શાંતિ સ્ફુરે છે. અને હું બમણા જોરથી મારા પતિને સાજા કરવામાં મંડી પડું છું…. વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા સિવાય કોઈને છૂટકો પણ નથી કારણ કે અસ્વીકાર એ પ્રતિકારનું સમાનાર્થી છે, તેના માટે એક ચુનોતીની જરૂર પડે છે, તેને પ્રવાહની સામે તરવા જેવું કહી શકાય, તે હંમેશા અઘરું હોવાનું. હું મારા સંજોગોથી નાખુશ હોઉં તો મારે તેમને બદલવા માટે લાગી જવું પડશે. સ્વીકારનો અર્થ એવો નથી કે જે પરિસ્થિતિ આવી છે તેનું મહત્વ ન સાચવવું તેનો અર્થ એ છે કે મારા વર્તમાન સંજોગો કે પરિણામની અસર મારી શાંતિ પર ન થવા દેવી. તમે કેવું અનુભવો છો કે તમે દરેક વસ્તુને કેવી રીતે જુઓ છો તેનો સંપૂર્ણ આધાર આપણા ઉપર છે.તમારી પાસે બે વિકલ્પો છે, કાં તો હકારાત્મક વલણ રાખવું કે પછી નકારાત્મક. તમે જ પસંદ કરો.. 
મેં નક્કી કર્યું કે અમે શરદને ફરી ઉભા કરશું …અને આ અમારા બધાનો ખુબ જાગૃતિ સાથે નો સંકલ્પ હતો. કારણ વિકલ્પ પસંદ કરવા માટે જાગૃતતા હોવી જરૂરી છે..જીવનને પ્રતિકુળતા સાથે ચાહવાની શક્તિ બસ દેખાડવાની છે નિયતિ ક્યારેય પ્રહાર કરતી જ નથી। ..અમે નક્કી કર્યું કે જીવનને એટલું અર્થસભર બનાવી એ કે પ્રતિકુળતા પણ તમારા પગે પડીને કહે કે માફ કરો,બસ વહેરાઈ જવાનો કોઈ અર્થ નથી અનુકુળતા અને પ્રતિકુળતા થી જ જીવન પૂર્ણ છે. જીવનને પ્રતિકુળતા સાથે સ્વીકારો કારણકે તમારી આસપાસ પ્રતિકુળતા પણ જીવનને માણતું હોય છે….
 Pragna Dadbhawala

જુલાઇ મહીનાનો વિષય છે “પ્રતિકૂળતા”

સૌ લેખક મિત્રોને…
જુલાઇ મહીનાનો વિષય છે “પ્રતિકૂળતા”
સૌ લેખક મિત્રોને જુલાઇ મહીનાનાં વિષય “પ્રતિકૂળતા” આપી રહ્યો છું
સામન્ય નિયમો
શ્રૂતિ ફોંટમાં વર્ડ ફોર્મેટમાં મહતમ ૧૫૦૦ શબ્દોનું લખાણ આવકારાય છે.
નિબંધ, લઘુ કથા કે કાવ્ય રસાસ્વાદ સ્વિકાર્ય છે .
છેલ્લી તારીખ ૨૩જૂલાઇ ૨૦૧૫
લેખ મોકલવાનું ઇ મેલ સરનામુ
vijaykumar.shah@gamail.com
pravina_avinash@yahoo.com
hemap920@gmail.com
pragnad@gmail.com

બ્લોગ જગતના રત્નોમાં એક નામ .. નીલમ દોશી. …શ્રી પી.કે.દાવડાજી…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

આકાશદીપ

ઘણા વર્ષો પહેલાંની વાત છે(૨૦૦૫ પછી)… કેલિફોર્નીઆમાં મારા ઘરની ફોન ઘંટી ગુંજી….ફોન ઉપાડ્યો ને સામે એક શિષ્ટાચાર ભર્યો સ્વર રણક્યો…હું નિલમ દોશી…શિકાગોથી બોલું છું. હું તેમના સાહિત્ય વૈભવથી પ્રભાવિત હતો..ને તેમની તે સમયે દીકરી વિષેની વાર્તા’ રીડ ગુજરાતી’ બ્લોગ પર વાંચી મેં પ્રતિભાવ આપેલ… સાથે નવાસવા હરખપદૂડા કવિ થઈ..મારી એક કવિતાનો સંદર્ભ ટાંકેલ. તેના પ્રતિભાવમાં તેમણે લખેલ કે જો મને આ કવિતા વહેલી મળી હોત તો ..મેં મારી વાર્તામાં જરૂરથી ગુંથી લીધી હોત…એટલી કવિતા ભાવમાં રમાડતી છે. એક નીવડેલા સાહિત્યકારના આવા મીઠડા પ્રતિભાવે મને ,આજીવન પોરસ દીધું છે…એ આજે નમ્ર ભાવે વ્યક્ત કર્યા સિવાય કેમ રહેવાય? આદરણીયશ્રી પી.કે.દાવડાજીએ..મળવા જેવા માણસની ઉત્તમ પ્રસાદી, વાચક વર્ગમાટે જે ખંતથી તૈયાર કરી છે..એ તેમની યાદગાર પળોના સાક્ષી બનતાં , આ લેખ આભાર સહિત રજૂ કરું છું.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………………..

 Nilam Doshi

મળવા જેવા માણસ-૪૮  (નીલમ દોશી)

 

નીલમબહેનનો જન્મ ૧૯૫૫ માં પોરબંદરમાં થયો હતો. એમના પિતાનો અભ્યાસ અને બચપણ આફ્રીકામાં ગુજરેલું જ્યારે માતા જામખંભાળીયાના નગરશેઠની પુત્રી હતા. પિતા એલ.આઇ.સી.માં બ્રાન્ચ મેનેજર હતા. દાદાનો…

View original post 703 more words