એક માત્ર સંદેશ !
બાળકો વિષે ઘણું લખાયું છે , અને હજુ ઘણું લખાશે ; પણ આ કોલમને વિરામ આપતાં પહેલાં, આ વિષયને અહીં પૂર્ણ કરતાં પહેલાં , હું મારાં આ વિષય ઉપરનું ફરી ફરીને પુનરાવર્તન કરતી હોઉં તો એક જ વાતનું : બાળકોને આપણે શું શીખવવાનું છે?બાળઉછેર વિષયમાં મારો એક માત્ર સંદેશ શું હોઈ શકે?
તો એ માટે હું અમારાં ડે કેર સેન્ટર – નર્સરિની પેરેન્ટ્સ હેન્ડ બુક પર નજર કરું છું:
Children are the message we send to the future ; the future we will not see ..
કોઈ સમજુ વ્યક્તિએ કહ્યું છે કે બાળકો આપણું એવું ભવિષ્ય છેકે જે જોવા આપણે જીવતાં નહીં હોઈએ !
અને એટલે તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે!
ત્યારે આપણને ગૌરવ થાય કે હા; કોઈ બાળકનું સુંદર ભવિષ્ય ઘડવામાંમેં પણ અગત્યનો ફાળો આપ્યો છે….!
One hundred years from now , it will not matter what kind of car I drove , what kind of house I lived in ; nor it would matter how much i had in my bank account . But the world may be a little bit better , because I was important it the life of a child !
કેવો સુંદર સંતોષનો ઓડકાર !
અમારાં બાલમંદિરમાં આવતાં અસંખ્ય બાળકોમાંમેં જો માત્રએક જ ગુણ વિકસાવવા પ્રયત્ન કર્યો હોય તો તે કયો હોઈ શકે ?
“ Our center’s goal is ‘to instill a positive outlook toward life by nurturing self confidence in children!”
બાળકોમાં કદાચ શારીરિક તાકાત ઓછી હોય તો ચાલશે , કદાચ માનસિક રીતે પણ ભણવામાં થોડાં પાછળ હશે તો પણ વાંધો નહીં, કોઈ વિશિષ્ટ કલા કારીગરીમાં નિષ્ણાત નહીં હોય તોયે ભલે , પણ એમનામાં આત્મ વિશ્વાસ જળવાઈ રહે તે સૌથી વધારે મહત્વનું છે!
હા, નાનકડું બાળક શરમાળ હોય કે તોફાની , શાંત હોય કે વાચાળ , પણ એનામાં લઘુતા ગ્રન્થિ ના આવી જાય, એ પોતે જે પણ છે તે માટે એને આત્મવિશ્વાસ હોય તે જરૂરી છે.
કદાચ વાચક મિત્રોને સહેજ પ્રશ્ન થશે : શરમાળ કે શાંત કે કજીયાળું બાળક હોય તેનોવળી આત્મવિશ્વાશ કેવીરીતે દ્રઢ કરવો ?
મેંઆટલાં વર્ષો બાળકો સાથે નજીકથી કામ કરતાં , સ્વાનુભવથી જોયું છે કે આનંદી બાળક આનંદી હોય છે કારણકે એને પોતાની નાનકડી દુનિયામાંથી આનંદ – સંતોષ મળે છે! Happiness is within us ! We have to learn to find that happiness ..
ઓ કે! જો આનંદ આપણી અંદર જ છુપાઈ ને પડ્યો હોય તો એને શોધવો , બહાર લાવવો કઈ રીતે?
બસ, બાળકોને સંભાળતાં, ઉછેરતાં , એમનાં સર્વાંગી વિકાસમાં આ આનંદમાં રહેવાનું શીખવવાનો પણ અમારો પ્રયાસ રહે તે સ્વાભાવિક હતું ! એકાદ બે પ્રસંગથી , ટૂંકમાં જોઈએ!
આ તહેવારોના સમયે બાળકોને ગમતાં મોંઘા દાટ રમકડાં આપણે લાવી આપીશું ! શું તેનાથી એ ખુશ થશે? ઉત્સાહનો ઉભરો સમ્યા પછી, જે રમકડાં નથી મલ્યા તેનો કકળાટ શરૂ થશે!
જે માંગે તે લાવીને હાજર કરવાથી બાળકમાં સંતોષ ઉભો થશે નહીં; ઉલ્ટાનું , પોતાને ગમતું મોંઘુ રમકડું નહીં મળે તો એને કાં તો ગુસ્સો થશે, કાં તો દુઃખ થશે, કદાચ નારાજ થઈને રિસાઈ જશે !
તો, બાળકે જે માગ્યું તે હાજર કરીને આપણે બાળકને રડતાં અને રિસાતાં શિખવાડ્યું!
હવે બીજું દ્રશ્ય જુઓ :
બાળકને માટે આપણે કોઈ રમત – બોર્ડ ગેઇમ લીધી ; અને ઘરનાં બધાં સભ્ય એ સાપ સીડી કે મોનોપોલીની ગેઇમ સાથે રમવા બેઠાં! બાળકને આનંદ થશે જ એમાં કોઈ જ શંકા નથી !એટલે તો અંગ્રેજીમાં એક કહેવત છે:
Family who prays together , stays together!
જે કુટુંબ સાથે ભજે તે સાથેરહે!
આપણે કહીશું જે કુટુંબ ભેગાં બેસીનેરમે તે ભેગાં બેસેનેજમે ! અને ભેગાં રહે!
આજે કુટુંબની વ્યાખ્યા બદલાઈ રહી છે, જુદી જુદી રીતે અને પોતાની ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે પેરેન્ટ્સ જિંદગી જીવતાં હોય છે ત્યારે આ સાથે બેસીને સમય ગાળવાની ભેટ એ સૌથી વધુ કિંમતી – અમૂલ્ય છે!
જ્યાં કુટુંબની હૂંફ છે ત્યાં ગમે તેવું નબળું બાળક પણ આત્મવિશ્વાસથી રહી શકે છે.
હા, પ્રેમ અને હૂંફ સાથે એક મહત્વનો ગુણ પાંગરે તે પણ જરૂરી છે!
અન્ય પરત્વે હમદર્દી ! જરૂરિયાતવાળા ,નબળાં કુટુંબનાં બાળકોની સાથે વહેંચીનેખાવાનું , રમવાનું વગેરે પાંચ સાત વર્ષની ઉંમરે બાળકોને શિખવાડી શકાય .
ચેરિટી વર્ક – હમદર્દીનું કામ– કોઈને માટે કરી છૂટવું , ગરીબોને જરૂરિયાત મુજબ આપવું, બાળકોને રમકડાં , કપડાં લત્તા , ચંપલ , ખાવા માટેની ચીજ વસ્તુઓ , વગેરેની સહાય અહીંની અનેક સંસ્થાઓ ,ચર્ચ , નાની મોટી કંપનીઓ , અને સરકાર તરફથી પણ સહાય થાય છે. આપણાં બાળકોને આપણે એવી એમ્પથી શીખવાડવી જોઈએ ! Sympathy & empathy! આપણે ત્યાં આ બે શબ્દો માટે એક જ શબ્દ છે: સહાનુભૂતિ !
બસ! આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા માત્ર મોક્ષ મેળવવા કે સ્વર્ગ મળે તે પૂરતો જ છે; પણ કોઈ પ્રકારની આશા વિના , બાળકોને નાનપણથી કોઈને માટે કાંઈક કરતાં શિખવાડવાથી એમનામાં એક પ્રકારનું ગૌરવ– સંતોષ –અહોભાવની ભાવના ઘડાય છે; અને મેં ઘણી વાર એ સંતોષ અને ગૌરવ નાનાં બાળકોમાં પ્રત્યક્ષ અનુભવ્યાં છે!
ક્યારેક કોઈ ઇલેક્ટ્રોનિક મોંઘા રમકડાંની જીદ કરતાં બાળકનાં પેરેન્ટ્સને મેં સર્જનાત્મક ઉકેલ પણ સુઝાડ્યા છે.
“ તું મને ક્રિશ્ચમસ ટ્રી મુકવામાં મદદ કર , આપણે સાથે ઘર આંગણે રોશની કરીએ પછી હું તને ફલાણું રમકડું લઇ આપીશ !”એમ કહ્યા બાદ કામ પૂરું કરીનેબાળકને સ્ટોરમાં લઇ જઈને એની પસંદગીનું રમકડું અપાવવાથી બાળકનેપોતાનું મહત્વ સમજાય છે, એનો આત્મવિશ્વાસ દ્રઢ થાય છે, આનંદ થાય છે અને સાચી દિશામાં બાળકની પ્રગતિ થાય છે..
હા, જો આ મારો આ લેખમાળાનો છેલ્લો લેખ હોય તોહુંઆત્મવિશ્વાસનો ગુણ ખિલવવાને જ પ્રાધાન્ય આપું ! પણ, એમાંયે કાંઈક ખૂટે છે! એની વાત આવતા અંકે !
Like this:
Like Loading...