લોકો વતનથી જયારે કમાવા મુંબઈ આવે ત્યારે પેટનો ખાડો પુરવા વડાપાઉં ખાઈ ગુજરાન કરે છે ત્યારે પાઉંવડા એને દોસ્ત ની જેમ સાથ આપી સમાવી લે છે……
મુંબઈ શહેરની વધુ એક જાણવા જેવી વાત છે…‘વડાપાઉં …ફ્રેશ વડાપાઉં… ચટણી સાથે વડાપાઉં… મુંબઈ પ્રસિધ્ધ છે રેકડી ના ફાસ્ટ ફૂડ માટે હા રેકડી નું ખાવાનું એટલે કે વડાપાઉં,દરેક લતામાં એક વડાપાઉં ની લારી હોય છે.મુબઈમાં વેચાતા વડાપાઉં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે… તાજેતરમાં રણબિર કપૂરે તેના રિયાલીટી ટીવી શો ‘મિશન સપને’ના પ્રમોશન માટે સડક પર વડાપાઉં વેચતા જોવા મળ્યો હતો,અને આ દરમિયાન તેના ચાહકોએ મનપસંદ સ્ટારના હાથના વડાપાઉંની મજા માણી હતી. મુંબઈની જિંદગી સાથે જે તાણાવાણાની જેમ વણાઈ ગયું છે તે ફૂડ છે વડાપાઉં … હા મુંબઈની એક ઓળખ વડાપાઉં છે બટાટા વડા સાથે ડબલ રોટી અને મરચાં અથવા લસણની ચટણી…ચાલો ખાવાની વાતમાં રેસીપી પણ આપી દૂઉ (બાફેલા બટેટાને મસળી, તેમાં લીલું મરચું, કોથમીર, આદુ, હળદર વગેરે મિશ્ર કરી. તેમાં મીઠા લીમડા, રાઈ, હિંગ, અડદની દાળ વગેરેનો વઘાર કરવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલા માવાના ગોળા કરી, તેને બેસન (ચણાનો લોટ)ના ખીરાંમાં બોળી, ઉકળતા તેલમાં તળી લેવામાં આવે છે.પાંવને વચ્ચેથી કાપીને તેમાં લસણની સૂકી ચટણી કે અન્ય કોઈ ચટણી લગાડી, તેમાં વડું મૂકી ખવાય છે. પાંવ ઘરમાં નથી બનાવાતા, તેને બેકરીમાંથી ખરીદીને લવાય છે.આ પાંવનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે. આ ડબલ રોટીનો ઈજારો ઈરાનીઓ નો ભલે હોય પણ પાઉંવડા સાથે એનું ધમધોકાર વેચાણ થાય છે .ઓછું મૂડી રોકાણ નો ખુબ ચાલતો અને માનવીને ચલવતો વેપલો એટલે વડાપાઉં .લોકલ ટ્રેનની વાતો કરીએ તો વડાપાઉં યાદ આવે જ કારણ ટ્રેન પકડતા પકડતા લોકો હાથમાં ફટાફટ કૈક આરોગવું હોય તો એ છે વાડાપાઉં .. ..મુંબઈમાં કોઈપણ ભુખ્યા માણસને ચોવીસે કલાક, ખાવાનું મળી રહે છે. ગરીબ કે તવંગર સૌના પોકેટને પોસાય એવું ભોજન કહો કે નાસ્તો જે કહો તે વડાપાઉં. એવા વડાપાઉંનું નામ આ બુફેમાં એક વાનગી ના લીસ્ટમાં હોય છે। ..હા અમારા મિત્ર પ્રદીપભાઈ આમ તો અમેરિકામાં ન્યુજર્સી ના ખુબ જાણીતા વિસ્તારમાં ઘણા વરસોથી રહે છે પણ આજે 60 વર્ષે પણ જન્મદિવસે ઉજવણીમાં વડાપાઉ યાદ કરે છે ..ઘરમાં રસોઈ ભાવતી ન બને તો નબીરા રેક્ડીના પાઉંવડા જરૂર ખાય છે ..મુંબઈમાં વડાપાઉંનું એક ખાસ મહત્વ છે. 25 લાખ પાઉંનો વપરાશ રોજ મુંબઈના વડાપાઉં વાળા કરે છે.. મંબઈ નગરી બધાને સમાવી લે છે દરિયાની સાથે રહેતા દરિયાઈ દિલ રાખે છે અને એટલે જ વતનથી આવેલા માણસો લોકો જયારે કમાવા મુંબઈ આવે ત્યારે પેટનો ખાડો પુરવા વડાપાઉં ખાઈ ગુજરાન કરે છે ત્યારે પાઉંવડા એને દોસ્ત ની જેમ સાથ આપી સમાવી લે છે.. હા સુખ દુઃખ ને લગતી બધીજ ઘટનાઓની ઉજવણી પાઉંવડા ની સાક્ષીએ મુંબઈગારાઓ કરતા હોય છે.જે લોકો ને નોકરી-ધંધાર્થે ઘર થી દુર રહેવાનું બન્યું હશે તે આ બાબતને સારી રીતે સમજી શકશે. આ રેકડીઓજ એકલતા ભુલાવવાની જગ્યા બની જાય છે. વડાપાઉં ની રેકડીઓનું મુંબઈમાં વસેલા લોકોની સ્મૃતિમાં વિશિષ્ટ સ્થાન છે.મુંબઈના વડા પાઉંની મજા જ કઈક ઔર હોય છે. લસણની સૂકી ચટણી, સાથે લીલા મરચાં અને સાથે મિત્રો ની મજાક મસ્તી કરતા દિવસો આજે પણ અનેક લોકોના મનમાં આનંદ ઉપજાવે છે ..વડાપાઉં ખાતા ખાતા ઘણા પીઝા અને બર્ગર સુધી પોહ્ચે છે ખરા પણ વડા નો સ્વાદ ભૂલી શકતા નથી અને સાથે વડાપાઉં ના દિવસો યાદ કરી બે આશું પણ સારી લે છે.
ફિલ્મ ના કલાકારો કે સામન્ય માણસ પોતાની જીવન કથની કે સ્ટ્રગલ ની વાતોમાં વડાપાઉં ના દિવસો જરૂર યાદ કરી ઉલ્લેખ કરે છે. વડાપાઉં ખાનારો રોજ નવી આશા બાંધે એ ક્યારેય નિરાશ થતો નથી કારણ એને ખબર છે કે કૈ નહી તો હું વડાપાઉં લારી નાખીશ પણ ભૂખ્યો તો નહિ જ રહું….હા એક પણ વડાપાઉં વાળો બેકાર નથી એ વાત ચોક્કસ છે..એક જમાનો હતો કે શિવસેના વાળા લોકોને કામે ચડાવવા વડાપાઉંની લારી લોન પેટે આપતા એટલે જ બટાટાવડા અને મુંબઈ બંનેના રોમરોમમાં ધગસ છે. મુંબઈ અને વડાપાઉં બન્નેમાં કંઈક એવું છે કે જેને ખાતા અને શ્વાસમાં ભરતા લોકો એના ચાહક થઇ જાય છે…આજ કાલ વડા પાવના પાવને ગ્રીલ કરી, તેમાં ચીઝ ઉમેરી, માખણ (બટર) માં શેકી, સૂકી લસણની ચટણીને બદલે તીખી કે મીઠી ચટણી ઉમેરી વેચાય છે. સામાન્ય પાવને બદલે બર્ગરના ગોળાકાર પાવ અને થોડોક મોટો વડો બનાવી જમ્બો વડા પાવ નામે વેચાય છેપણ આજે પણ .મુંબઈની સવા દોઢ કરોડની વસ્તી સિવાય અનેક લોકો લારીના વડાપાઉં ના ચાહક છે……
મુંબઈ ના દરેક લોકોનું જીવન એક અથવા બીજી રીતે જટિલ હોય છે આમ જોવા જઈએ તો બટાટા વડાની લારી પાસે રોજ આવતા ઘરાગનું જીવન જોઈએ તો એક ન લખાયેલો ગ્રંથ છે. વડાપાઉં અને પૈસાની લેવડ-દેવડ વચ્ચે લારીવાળો ની ગ્રાહક સાથે આત્મીયતા સહજ રીતે કેળવાય જાય છે. વડા પાઉં એ લોકોને સ્વાદ સાથે ભૂખ ના સંતોષ સાથે હુંફ અને આશા પણ આપે છે આજે ઘણા માટે વડાપાઉં એક જતનપૂર્વક સાચવી રાખેલી હૃદય ની યાદ છે.તો ઘણાનું તો વિશ્વજ વડાપાઉં ની લારી છે.કહે છે પ્રેમને પામવા પેટને પોહચો તો બસ આજ વાત વડાપાઉં ની છે દરેકની ભૂખ સંતોષી સ્વાદ સાથે પ્રેમથી આગળ વધવાનું બળ આપે છે મુંબઈ શહેરમાં માણસોની મૂળભૂત ઈચ્છા ત્યાં ટકી જવાની હોય છે જે માત્ર વડાપાઉં પુરી કરે છે માણસ શ્રદ્ધા ગુમાવતો નથી અને બીજે દિવસે ફરી તૈયાર થઇ મુંબઈ ની સડક પર પોતાના તકદીરને શોધવા નીકળી પડે છે કારણ દોસ્ત આ મુબઈ છે …
પ્રજ્ઞા દાદભાવાળા