મુંબઈનો ટ્રાફિક
Monthly Archives: September 2013
આ મુંબઈ છે…..9
મિત્રો
આમ તો હવે હું મુંબઈ થી પાછી આવી ગઈ પરંતુ કહે છે,દેશમાં જાવ અને ને ભાતું લીધા વગર થોડું જવાય ….અમેરિકા થી આવતા લોકો પાછા જાય ત્યારે દેશના નાસ્તા જરૂર લઈને જાય એમ મેં પણ થોડા નાસ્તાની ખરીદી કરવાનું વિચાર્યું તો મિત્રો મુંબઈમાં આજ કાલ લોકો સ્થૂળતા ઘટાડવાની લયમાં કસરત સાથે તેલવગરનો ખોરાક ખાવા માંડ્યા છે જોકે આ વધારે પૈસાવાળા નો શોખ કે દેખાડો કહું તો ખોટું નથી કારણ મોઘાં સ્ટોરો માં વેટ રીડ્ક્સન નો વેપલો એવો ફાટી નીકયો છે કે સામાન્ય માણસનું એ નાસ્તો ના ભાવમાં તો આખા ઘરનું અનાજ આવે ……વજન ઘટાડવાના નીતનવા પ્રકારમાં મુંબઈગરાઓને વિવિધ જાતના ફેટફ્રી નાસ્તો ખાવાનો ક્રેઝ એવો છે કે વાત જ ના પૂછો। …સવાલ અહી ખાવાનો છે, ઓછુ કરવાનો કે ત્યજવાનો નથી …અને વધારે કિંમત આપી અમે કેટલા કોન્સીયસ છે એ દેખાડવાનો છે.વજન ઘટાડવાની સીધી સાદી રીત એક છે, શું આપણે જેટલું ખાઈએ છીએ તેટલી કેલરી બાળીએ છીએ? ,…એના ઉપરજ વજનનો હિસાબ કિતાબ છે ,પરંતુ ભઈ આપણે તો ખાસ.. મુંબઈમા મોટા ભાગના લોકોની જીવનશૈલી એટલી ઝડપથી દોડી રહી છે કે તેમને બે ટંક શાંતિથી બેસીને ભોજન લેવાનો સમય સુધ્ધાં નથી રહેતો.મિત્રો ફેટ ફ્રી ના લેબલ વાંચી ખાવાનું શરુ કરી ન કરી દેતા ફેટ ફ્રી, કેલરી ફ્રી ખરું? … એવું પણ બને કે ફેટ વગરના ખોરાકમાં કેલરી પણ એટલી જ રહેતી હોય. … તમને ખબર છે ફેટ ફૂડને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એક્સ્ટ્રા ખાંડ, મીઠું, ખટાશ વગેરે ઉમેરેલાં હોય છે, જે શરીરને નુકસાન કરી વજન ઉતારવાને બદલે વધારે જ છે?….. નહીતો આ નાસ્તા આટલા સ્વાદિષ્ટ કેમ થાય ?…. સ્વાદિષ્ટ વસ્તુઓ વધુ ખાવાની ઇચ્છા થાય છે અને તેને રોકી શકાતી નથી. આ ઉપરાંત આવા સૂકા નાસ્તામાં પાણીનો ભાગ હોતો નથી એટલે ખાધા પછી થોડા જ સમયમાં ભૂખ્યા થઈ જવાય છે એટલે ખાખરાને બદલે ઓછા …….તેલવાળાં થેપલાં અથવા રોટલી ખાવી વધુ હિતાવહ છે. મુંબઈના લોકો આ સમજવાને બદલે શોર્ટકટ શોધી રહ્યા છે અને એથી પણ વધારે શું ખરેખર એ ઓછી કેલરી વાળું ખાવાનું છે? એ કોઈને ખબરજ નથી એ નાસ્તા કયાં બને છે? કેવી જગ્યાએ બનાવાય છે ?કેટલા હાઇજેનિક છે? ખબર નથી મુંબઈના મોટાભાગના નાસ્તા ધારાવીની ઝુંપડપટ્ટી માં થાય છે એમ મને કોઈએ કહ્યું … છતાં મોટા સ્ટોર બરબરા ભાવ લગાડી વેચે છે અને આપણે ખરીદીએ પણ છીએ અને મુંબઈના લોકો માટે એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે ઘણીવાર વિચાર આવે છે કે લોકો વગર પૈસે કેલરી કેમ ઘટાડવી એ નુશખા કેમ શોધતા નથી અરે શોધવાની પણ જરૂર નથી…. ઓછુ ,ચાવી ચાવેલું ,સાત્વિક ખોરાક ખાવ, ભૂખ ન લાગે ત્યાંસુધી ન ખાવ ,નાના કોળીયે જમો ,સમયસર ખાવ ,જંક ફૂડ થી મો ફેરવી લો। ……જવા દયોને અહી વિચારવાનો સમય જ કયાં છે ભાઈ આ મુંબઈ છે…. .
Pragnaji
હરિહરની શરણાગતિ
મિત્રો કલ્પના બેનની એક સુંદર કવિતા માણો
પ્રભુ તુ કર લે મારો સ્વીકાર, હું તો આવી તારે દ્વાર.
જીવન મરણના ફેરામાંથી, મુક્ત થવાને તરસુ છું.
શ્વાસે શ્વાસે હરદમ હું, તારુ નામ રટુ છું.
હરિ તુ હર લે મારા પ્રાણ, હું તો આવી તારે દ્વાર . . . પ્રભુ તુ કર લે.
પાંચ તત્વોને પાર કરીને, જીવને શીવમાં ભેળવી દે.
શિવાનંદમાં હું ભળી જાઉં, એવી કૃપા તુ કરી દે.
હર લે હર હર તુ મહાદેવ, હું તો આવી તારે દ્વાર . . . પ્રભુ તુ કર લે .
કલ્પના રઘુ
આ મુંબઈ છે …..8
આ મુંબઈ છે …..8
મુંબઈ પાન અને ગલ્લા
મુંબઈમાં પાનનું એક ખાસ અનોખું કલ્ચર છે…. સાથે પાનના ગલ્લા ને મસાલાની પિચકારી..મુંબઈના લોકો નો સૌથી મોટો અને જાણીતો શોખ પાન અને પાનના ગલ્લા છે ..બોલીવુડમાં પાન ઉપર કેટલાય ગીત લખાણા છે …બે હાથની હથેળીમાં તમાકુને મસળતા અને બાકળો ભરતા અથવા મોઢાના ખૂણે દબાવતા લોકો મુંબઈમાં હાલતા ચાલતા જોવા મળે છે…અને પાન ની પિચકારીથી દીવાલોને ચિતરવી એક આર્ટ છે। … વિશ્વમાં ઘણા લોકો પાનના કલ્ચર વિષે જણતા નથી કારણ પાનના ગલ્લા વાળાને ક્યારેય એડવર્ટાઈઝમેન્ટની જરૂર પડી નથી, તેમ પાન થુકનાર ને કોઈ કાયદો રોકી શકે તેમ નથી… ઓછી મૂડીમાં શરુ કરવા માટે નો સૌથી સસ્તો વેપાર છે એક દિવસમાં માલિક થઇ જવાય શરૂઆતમાં ઓછો ફાયદો જરૂર છે પણ નુકશાન કયારે નથી। … કોઈ અમેરિકન પહેલવેહેલો જો પાન ખાય તો ડચૂરો ચડી જાય, અહી સવાલ માત્ર ખાવાનો નહિ માણવાનો છે ધીરે ધીરે રસ ઉતારવાનો અને વિષયવિહીન ચર્ચાઓ કરતા કરતા જમવાનું પચાવવાનો છે ….. અહી પાન સાથે ગલ્લાનું ખાસ મહત્વ છે…. પાનના ગલ્લા મુંબઈગરા માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ જગ્યા માનવામાં આવે છે… … અને અમુક વ્યક્તિ માટે બાર જણા ના સયુંકત કુટુંબમાં મોકળાશ મેળવવાનું એક બહાનું છે। .. તો કોઈ માટે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે જ કસરત છે … મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં મુંબઈની પબ્લિક ની માસ્ટરી છે. અરે ક્યારેક તો છોકરા છોકરી પરણાવી દેવાય છે ……..કતરી ટુકડા,બનારસી કાચી દેશી ખાલી ચૂનો ,કાચી પાત્રીસ,મઘય જોડી મેડમ માટે,મારું તને ખબર છે… ….જી હા પાનના ગલ્લમાં આ જાણીતા સંવાદ છે। ..અહી બધાને કસ્ટમ વસ્તુ મળે …પાન વાળો એક જ આપને સમજી શકે છે …. .. એકવાર પાન ખાવ અને તમારી પસંદગીની પાનવાળાને ખબર પડે પછી બસ કહેવું જ ન પડે। ..અને એટલે જ તો we miss પાનવાળા।…પાનના ગલ્લે સાહેબનું માન મળે ,ફેસબુક જેવી માહિતી મળે ,બ્લોગ જેવી ચર્ચા પણ અને સાથે નવરાઓની ટોળી પણ મળે ,તમાકુની તલબ વાળા અને વાતોના વ્યસની મળે…..જે આવે તે ત્યાં બોલે પણ પાનવાળો માત્ર સંભાળે… સૌના બંધાણની તલબ પુરૂ કરવાનું એકમાત્ર સ્થળ એટલે આ પાનના ગલ્લા. પાન ના ગલ્લે મુખ્યત્વે ‘બંધાણી’ લોકો જ આવતા હોય છે. મિત્રના બંધાણી હોય છે તો કોઇ પારકી પંચાતના,કોઈ ખુલ્લી હવાના ,તો કોઈ રમતના બંધાણી હોય કે પછી ગમ્મતના બંધાણી; તરૂણ, યુવાન,આધેડ ને વૃદ્ધ સૌ જોવા મળે,આ એક જ જગ્યા એવી છે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સાધારણ ગરીબ માણસથી માંડી મર્સીડીસ કાર સુધી કાયમ આવે, જેનું બંધાણ તે ચીજને ચગળે, થોડુ મમળાવે અને થૂંકીને સૌ પાછા પોતપોતાને ઠેકાણે………
મિત્રો વધુ કંઈ કહું એ કરતા આ – સાક્ષર ઠક્કરની કવિતા માણો દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.ગલ્લે તારા ને મારા પપ્પા હો,ને ચર્ચાનો વિષય ક્રિકેટ ના ગપ્પા હો.આપડા માટે પાનવાળાને એટલુ માન હો,કે પહોંચીએને હાજર શિંગોડા પાન હો.
બસ પાનના ગલ્લા જેવુ ભેદભાવ રહિત હિન્દુસ્તાન હો,
એક જ જગ્યાએ બનારસી ને કલકત્તી ઇન્સાન હો.
બસ એટલી કૃપા જગત પર અલ્લા હો,
દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.
નોંધ – સિગારેટ અને તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
pragnaji
***************************************
આ મુંબઈ છે…….7
મુંબઈની ખાઉ ગલ્લી.
મુંબઈ શહેર ક્યારે પણ ઊંઘતું નથી. ચોવીસે કલાક જાગતા આ શહેરમાં દરેક વ્યક્તિ કાયમ ઉતાવળમાં હોય છે. અહીં તમને કોઈપણ માણસ ધીમે ચાલતો દેખાય તો કાં તો એ માંદો છે કે અશક્ત છે અથવા મુંબઈમાં નવો આવ્યો છે. અહીં જમીને, તરત દોડીજઈને ટ્રેન પકડી, ટ્રેનમાં ઓડકાર ખાતો માણસ જોવા મળે તો એ આશ્ચર્યની વાત ન ગણાય.
મુંબઈ શહેરની બીજી એક જાણવા જેવી વાત છે મુંબઈની ખાઉ ગલ્લીઓ. મુંબઈમાં કોઈપણ ભુખ્યા માણસને ચોવીસે કલાક, ગરમા ગરમ ખાવાનું મળી રહે છે. Shops and Establishments Act હેઠળ હોટેલો અને દુકાનો રાત્રે નવ-દસ વાગે બંધ થઈ જાય છે; બરોબર આ જ સમયે મુંબઈની ખાઉ ગલ્લીઓ પૂરબહારમાં અસ્તિત્વમાં આવે છે. દરેક લતામાં એક ખાઉ ગલ્લી જરૂર હોવાની. અહીં પેટ્રોમેક્ષ કે બેટરીથી ચાલતી ઝગમગાટ કરતી બત્તીઓ સાથે હારબંધ રેંકડીઓમાં પીત્ઝા, સેંડવીચ,પાણીપુરી, ચાટ, પાઉં-ભાજી, કુલ્ફી, આઇસક્રીમ અને ઠંડાપીણા, બધું જ મળે છે. ઠેક ઠેકાણે પાર્ક કરેલી મોટર બાઈક અને યુવક યુવતીઓની ભીડ જોઈ કોઈ પણ નવો આંગતુક તો આશ્ચર્યમાં પડી જાય. રાત્રે એક દોઢ વાગ્યા સુધી ધમધોકાર ધંધો કરતી આ રેંકડીઓવાળાની આવક આપણે માની ન શકીએ એટલી મોટી હોય છે.
રસ્તા પરના સ્ટોલની આસપાસની ગંદકીને કારણે ઘણા તેનો સ્વાદ માણવાથી દૂર રહે છે, પણ હવે એ ભૂતકાળ બની જશે, કારણ કે મુંબઈની ખાઉ ગલ્લીઓનું હવે ‘હાઈજીનિક મેકઓવર’ થવાનું છે. આ મેકઓવરનું કામ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યું છે જે સ્વચ્છતા અને આરોગ્ય વિષે પ્રશિક્ષણ ખાઉ ગલ્લીના વેંચાણકારોને આપશે..આ રીતે મુંબઈ ખાઉ ગલ્લીનું ‘કૅપિટલ’ બની જશે…..આ મુંબઈ છે.
.-પી.કે.દાવડા
આ મુંબઈ છે…..6
મુંબઈમાં કમાણી
મુંબઈ એક એવું શહેર છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ માત્ર હાથ પગ અને હામ લઈને આવે તો તે જોતજોતાંમાં ધનવાન થઈ જાય છે. શોધવા જશો તો સેંકડો નહિં બલકે હજારો દાખલા જોવા મળસે. આવા મારી જાણમાં આવેલા બે દાખલા આપું છું.
પ્રભાશંકર નામનો એક મારવાડી યુવક માત્ર ૨૦૦ રૂપિયાની મૂડી લઈ મુંબઈ આવ્યો. મુંબઈમાં એને એના એક દૂરના સગા પાસેથી માત્ર એની રૂમની બહારની લોબીમાં સૂવાની સગવડ મળેલી. આવીને એણે યોજના મુજબ એક સસ્તાવાળું કેરોસીન સ્ટવ, એક બે એલ્યુમિણિઅમના તપેલાં, એક ગરણું, છ કાચના નાના ગ્લાસ વગેરે ખરીદી, એક ફૂટ્પાથ ઉપર ચા બનાવવાનું શરૂ કર્યું. માત્ર ચાર આનામાં સારી ક્વોલીટીની ચા વેંચતો હોવાથી ત્રણ ચાર દિવસમાં જ એની ઘરાકી જામી ગઈ. રોજના દશેક રૂપિયા નફો થતો, એમાંથી ત્રણ ચાર રૂપિયા ખાવા પીવામાં ખર્ચાઈ જતા. આમ મહિને બસો રૂપિયાની બચત થઈ. ૮૦ રૂપિયામાં એક બાંકડો ખરીદી એણે ચા નો સ્ટોલ બનાવ્યો અને “પ્રભાશંકર ટી સ્ટોલ” નું નાનકડું પાટિયું લગાડ્યું. સવારના પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ટી સ્ટોલ ખુલ્લું રહેતું. ઘરાકી વધતાં, મહિને ૯૦ રૂપિયા પગારમાં એક પંદર વર્ષના છોકરાને નોકરીમાં રાખી લીધો.
વાજબી કીમત અને ચાની ક્વોલિટીને લીધે પુષ્કળ ઘરાકી જામી ગઈ. એણે એ જ લતામાં એક દુકાન ભાડેથી લીધી, ચા સાથે બિસ્કીટ, ખારી બિસ્કીટ વગેરે પણ રાખવાનું શરૂ કર્યું. ચાર પાંચ વર્ષમાં એટલી બચત થઈ કે એણે એ ભાડાની દુકાન એના માલિક પાસેથી ખરીદી લીધી. મહેનત અને ખંત રંગ લાવ્યા. આજે એની ૧૪ હોટેલો છે અને પોતાની માલિકીના ફ્લેટમાં રહે છે.
હવે બીજી આવી જ એક વાત. રણછોડ ઝવેરભાઈ નામનો એક દરજી ગામમાંથી પોતાનું સિલાઈ મશીન અને પોતાની બચતના ૫૦૦ રૂપિયા લઈ મુંબઈ આવ્યો. એક ઝુપડું ભાડે રાખી, થોડું સફેદ કપડું ખરીદી એણે રાત્રે લેંગા-ઝબ્બા સિવવાનું શરૂ કર્યું. દિવસે ઘાટકોપરની એક ગલીને નાકે ઝાડ નીચે બેસી એણે લેંઘા-ઝબ્બા વેંચવાનું શરૂ કર્યું. ઓવર હેડ ન હોવાથી અને ઓછો નફ્ફો રાખવાથી, સારી ક્વોલિટીના લેંઘા-ઝબ્બા સસ્તી કીમતે વેંચતો હોવાથી એની ઘરાકી જામી ગઈ. થોડા સમય બાદ એણે ગુજરાતી છાપાંમાં જાહેર ખબર આપવાનું શરૂ કર્યું.
“સસ્તા ભાવે, સારી ક્વોલિટીના લેંગા-ઝબ્બા,
રણછોડભાઈ ઝવેરભાઇ,
ઝાડની નીચે, કામા ગલીના નાકે,
ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬”
જોત જોતાંમાં સારી ઘરાકી જામી ગઈ. ભાડાની જગ્યા રાખી, કારીગરો રોકી, એણે તો લેંગા-ઝ્બ્બાની ફેકટરી જ ખોલી નાખી. જ્યાં ઝાડની નીચે બેસી ને લેંગા-ઝબ્બા વેંચતો, ત્યાં જ એક મોટી દુકાન ખરીદી લીધી. થોડા સમય બાદ અંધેરીમાં બીજી દુકાન શરૂ કરી. બસ પછી તો વાત એક્ષપોર્ટ સુધી પહોંચી ગઈ.
આમ મુંબઈમાં માણસો ભૂખ્યા આવે છે પણ ભૂખ્યા રહેતા નથી. જરૂર છે માત્ર હૈયે હામ રાખી હાથ પગ હલાવવાની.
-પી. કે. દાવડા
આજ મુંબઈ છે ….5
મુંબઈની મોઘવારી
આ મુંબઈ છે …માનસિકતા…4
મુંબઈ ની વાતો તો ઘણી કરી ચાલો થોડી લોકોની વાતો કરીએ અને તેમની માનસિકતા વિષે મેં જે કંઈ અનુભવ્યું તે કહું. .આમ જોવા જઈએ તો બધું સામાન્ય જ છે એવું જ લાગે ,પણ મુંબઈ જેવા શહેરોના લોકો અલગ માનસિકતા ધરાવે છે … વિચાર શૈલી બદલાણી છે આજે મુબઈમાં લોકો એમ્બીશનવાળા થયા છે ,પહેલા પ્લાસ્ટિક ની ચમચી રિયુઝ કરતા હવે ફેકી દેવાની ગટ્સ લોકોમાં આવી છે કરકસર બીજો ભાઈ એવું માનનારી સંસ્કૃતિમા કમાવાની અને વાપરવાની તાકાત વધી ગઈ છે.વરુઓ પહેલા હતા તેવાજ આજે પણ છે પરંતુ લોકો સામનો મક્કમતાથી કરે છે , જામફળ વેચતો ફેરિયો AC ટેક્ષી ફેરવે છે મુંબઈમાં અપવર્ડલી મોબાઈલ વર્ગ વધી રહ્યો છે …છોકરીઓ ઉંબરા ઓળંગી આગળ વધી રહી છે… લોકો સફળતા મેળવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે તો કોઈ નવા નવા વિકલ્પો શોધી રહ્યા છે.સારું જ વિચારવું એ ભારતીયના સંસ્કાર છે પણ હવે નવી પેઢીને હારવું નથી એ વાત ચોક્કસ છે અને એટલે જ અભિતાબ બચ્ચન જેવા જાણીતા કલાકારો જ્ઞાન ની વાતો પોતાના પ્રોગ્રામમાં કરી લોકોને સંદેશ પોહચાડે છે લોકો હવે પોતાના માટે જીવતા શીખ્યા છે વય્વાહર અને સમાજ માટે ખોટા આડંબર થી લોકો હવે ડરતા નથી ટુકમાં કોમ્પુટરના જમાનામાં કંટ્રોલ, ડીલીટ,અને ઓલટર કરતા શીખી ગયા છે…. મનમોજી સ્વભાવ ,ટેન્શન મુક્ત રહી જીવનશૈલી બદલાવી છે તો બીજી તરફ અમુક લોકો એવા ને એવાજ છે હવાલદારોને પોતાની હવાલદારી છોડવી નથી લોકો પાસેથી કે પરદેશી પાસેથી રૂપિયા પડાવી લાલચુ અને રુસવતખોરીની માંનોવૃતીનું વરવું પ્રદર્શન છાશવારે અહી હજી પણ કરતા જોવા મળે છે…….હવાલદાર જ નહિ સમગ્ર પોલીશખાતામા એવી માનસિકતા છે કે લોકો આવે ત્યારે અની વાત ન સંભાળતા અને ઝાટકી નાખે છે ટુકમાં રૂઆબ મારવો એજ એમનો હક્ક છે તેવીજ બીજી જમાત અહી રાજકારણી ની છે તેઓ સામન્ય પ્રજાને ભાજીમૂળા,અને વોટ બેન્ક સમજે છે….. જે માત્ર ગાજવામાં જ સમજે છે..પદના મોહ અહી હજી છે, અગ્રણીઓની ચાપલુસી, દુર દ્રષ્ટીની અવગણના,લાલચ, પોતનાથી આગળ ન નીકળી જાય તેવી મનોવ્રુતીથી પિડાતા માણસો ,વહિવટી હિસાબમા ગોટાળાઓ હજી પણ છે આમ કાયદો અને વ્યવસ્થા સંભાળનાર ની મનોવૃત્તિ સ્વાર્થી લુચ્ચી અને ખુંધી છે
આ મુંબઈ છે……3
—
આ મુંબઈ છે ……..2