સહુને દિલથી મિચ્છામી દુક્કડમ

 

જૈન ધર્મનો મિચ્છામી દુક્કડમનો વિચાર બધા જ ધર્મના લોકોએ અપનાવવા જેવો સુંદર વિચાર છે. આમાં મન ,વચન અને કાયાથી કર્મ કરતાં, કરાવતાં જાણે અજાણે થયેલા દોષોમાટે એક બીજાની માફી એટલે કે ક્ષમા માગવાનો અને આપવાનો ઉમદા ભાવ સમાયેલો છે.

ખરા દોષી,ખરા વેરી અને ખરા અપરાધીને પણ ક્ષમા આપવી એટલે મિચ્છામી દુક્કડમ.ક્ષમા એ સંયમનો સર્વોપરી પ્રકાર છે.ક્ષ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવું.આમ માનવ સંબંધોમાં પડેલી ગાંઠને દુર કરવાનું ક્ષમાપના કામ કરે છે.

આજે એકવીસમી સદીમાં વ્યક્તિ સ્વાર્થી બનતો જાય છે.વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ખોટા અહમને લીધે ગાંઠો પડતી જાય છે.એનાથી જીવન શુષ્ક બની રહ્યું છે. ક્ષમા ભાંગેલાં હૈયાને સાંધવાનું કામ કરે છે. શાસ્ત્ર ગ્રંથોમાં ક્ષમાના

પાંચ પ્રકાર દર્શાવ્યા છે.

૧. ઉપકાર ક્ષમા ૨.અપરાધ ક્ષમા ૩.વિપાક ક્ષમા ૪.વચન

ક્ષમા અને ૫.ધર્મ ક્ષમા .

વળી, એમ પણ કહેવાયું છે કે “ ક્ષમા વીરસ્ય ભૂષણમ “ એટલે

કે ક્ષમા આપનાર વ્યક્તિ એક વીર જેવો છે અને ક્ષમા એ એનું

ઘરેણું –ઝવેરાત છે.આપણને કોઈના પ્રત્યે ફરિયાદ,દોષ કે

વાંક દેખાતો હોય ત્યારે એના પ્રત્યે નકારાત્મક વિચારો

લાવવાને બદલે જો ક્ષમાની ભાવના મનમાં કેળવીએ તો એના

પ્રત્યેની નકારત્મક ભાવના દુર થતાં સકારત્મક વિચારોથી

આપણી દ્રષ્ટિ સ્ફટિક શી ઉજ્જવળ થતાં આપણું હૃદય હલકું

ફૂલ થઇ જાય છે.

જ્યારે પણ કોઈ એના વ્યક્તિગત સંબંધોમાં ભૂલ કરે ત્યારે

ઉપરથી ભલે ન બતાવે પણ કરેલ ભૂલ માટે એનો અંતરાત્મા

અંદરથી દુભાતો હોય છે .મનમાં એ કૈક હીણપતની લાગણી

અનુભવતો જ હોય છે.

આવા સમયે આપણા અહમને ભૂલીને આવી વ્યક્તિને ક્ષમા

આપવાથી ક્ષમા આપનાર અને મેળવનાર એમ બન્નેના

દિલમાં શાંતિની લાગણી જન્મે છે.એનો એ દિવસ નિરાશાને

બદલે ઉત્સાહમય અને આનંદમય બની જાય છે.હૃદયમાં નવો

પ્રકાશ રેલાય છે.

જ્યારે આપણે ક્ષમા આપીએ છીએ ત્યારે આપણો એ વ્યક્તિ

તરફનો ગુસ્સો ગાયબ થઇ જાય છે .એના માટેની હીન લાગણી

ઓછી થાય છે,એટલે ખરી રીતે ક્ષમા આપનારને પણ એટલો

જ ફાયદો થાય છે જેટલો ક્ષમા લેનારને થાય છે.

કોઈના પણ પ્રત્યે ગુસ્સો કરવો એ બહું ખરાબ વસ્તુ છે.

ગુસ્સાથી હૃદયના ધબકારા વધુ જાય છે ,મનની શાંતિ હણાઈ

જતા તમારો સમય વિસંવાદિત રીતે પસાર થાય છે.ક્ષમા

આપવાથી ગુસ્સાને લીધે હૃદય ઉપર જે ખોટું દબાણ હોય એ

દુર થતાં રાહતનો અનુભવ થાય છે.

ગુસ્સો  કરવો એ ખરાબ ગુણ છે.કામ, ક્રોધ .લોભ ,મોહ,માયા

અને મત્સર એ માણસો માટે છ દુશ્મનો  છે.ક્રોધથી દુર રહેવામાં

મજા છે.ભૂલથી જો કોઈવાર ક્રોધ થઇ  જાય તો અહમને ભૂલી

તરત  એને માટે ક્ષમા આપવાની તૈયારી બતાવવી જોઈએ.

બધાં પ્રત્યે પ્રેમ રાખવાથી પ્રભુ રાજી રહે છે.પ્રેમ આપો, પ્રેમ

લ્યો અને ક્ષમા કરો તો જીવનમાં નિરાશાને બદલે નવો ઉત્સાહ

જણાશે અને એથી શારીરિક અને માનસિક રીતે ફાયદો થશે.

પરમ કૃપાલુ પરમાત્મા તમારી ઘણી ભૂલો માટે તમને માફ

કરતો હોય છે તો એના બદલામાં આપણે પામર માનવો એક

બીજાની ભૂલો માટે એક બીજાને માફ કેમ ન કરી શકીએ ?

મનુષ્યનું  આ જીવન ક્ષણ ભંગુર છે .આપણે આ જગતમાંથી

ક્યારે વિદાય લઈશું એ કોઈ જાણતું નથી.તો નાહકનાં

વેર ઝેર ઉભાં કરી જીવનને કલુષિત બનાવીને જવાથી શો 

ફાયદો છે ?    

કોઈની લાગણી દુભાયી હોયતો એને માટે હું માફી માગું છું. 

મિત્ર વિપુલ દેસાઈના શબ્દોમાં –

પ્રેનથી નહીં, પ્રેમથી 

હોઠથી નહીં,હૈયાથી ,

અક્ષરથી નહીં,અંતરથી 

શબ્દોથી નહીં,સ્નેહથી 

ફક્ત વચન અને કાયાથી નહીં,

પણ મનથી …..

સહુને દિલથી મિચ્છામી દુક્કડમ  

વિનોદ આર પટેલ ,સાન ડિયેગો

પર્યુષણ આત્મશુદ્ધિનું પર્વ

જૈનોમા મહાનપર્વ પયુર્ષણ પર્વ છે.
આત્મ જાગૃતિનું મહાપર્વ…
માનવી વિજ્ઞાનને સિદ્ધ કરી શકયો છે,
પણ પોતાની
આંતરિક અશાંતિ અને વિષાદનો ઉપાય એ નથી કરી શકયો.
સ્થૂળ સંપત્તિ અને સાધનોને એ પામ્યો છે,
પણ અંતર ખાલી અને શુષ્ક પડયું છે….
પર્યુષણના આ પાવન અવસરે આપણૅ
તપશ્ચર્યા દ્વારા અને સેવા પુજા તથા પ્રભુના રંગમા રંગાઇને
આપણા તીર્થંકર પરમાત્મા નુ જિવન ચરિત્ર નુ વાંચન સાંભળી ને આપણુ જીવન તો જિવદયાપુર્ણ બનાવવાની કોશીશ કરી રહ્યા છીય..ત્યારે ચાલો થોડા વિચારો  દ્વારા આત્માને જગાડીએ.
તપ   
પર્યુષણ એટલે તપ-ત્યાગ  કરવાનો અવસર .
તપ એટલે ત્યાગ અથવા
સંયમ …તપ પોસાય તેટલું જ કરો આત્મા નિરાહારી છે ..દેહ આહારી છે .એ જ્ઞાની પાસે થી સમજી લેવું જોઈએ ..કારણ તપના તારણમાં આત્મા ન જડ્યો તો તપ નકામા કહેવાય .તપ ઊપયોગ પૂર્વક કરવો જરૂરી છે .નિરંતર ઉણોદરી એ તપ છે . વસ્તુનો ત્યાગ નથી કરવાનો પરંતુ વસ્તુની મૂર્ચ્છાનો ત્યાગ કરવાનો છે .ખોરાક કે વસ્તુની મૂર્ચ્છા જવાથી વસ્તુ નો ત્યાગ સહેજે ત્યાગ થઇ જશે ..સહેજે વર્તે તે વ્રત .યાદ ન  આવે તે વ્રત ..નિરંતર સ્વભાવમાં જ હોય તે જ તપ . ખરો ત્યાગ કે જે મનમાં વિચારો ઉત્પન્ન થાય ગમતા કે અણગમતા વાણીના જે જે પરમાણું ઉડે તેમાં પોતે તન્મયાકાર ના થાય તેને શુદ્ધ ત્યાગ કહ્યો છે ..સ્વાભાવિક જ્ઞાન ,દર્શન ચરિત્ર અને તપને એ મોક્ષના ચાર પાયા છે
હું શુદ્ધ સ્વરૂપ છું એ જ્ઞાન હું શુદ્ધ આત્મા છું એવી પ્રતીતિ રહે એ દર્શન અને જ્ઞાન દ્રષ્ટા રહે એ ચરિત્ર અને બહાર કશું થાય અને તપે ત્યારે એને જોવું અને જાણવું એ તપ અને અદીઠ તપ ,આંતર નું તપ .બાહ્ય તપથી સારી ગતિ મળે જયારે મોક્ષ માટે આંતર તપ જોઈએ .આંતર તપ એજ યથાર્થ  પુરુષાર્થ ….પ્રતિક્રમણ એ આંતરિક તપ.

અથર્વવેદ”માં પણ કહું છે કે “આત્મકલ્યાણની ઇચ્છા રાખનારને પહેલા તપનીની દિક્ષા આપવામાં આવે છે. એનાથી શરીરબળ, મનોબળ પદ-પ્રતિષ્ઠા અને સુખ પ્રાપ્ત થાય છે.”ગીતામાં બતાવ્યા મુજબ તપ ત્રણ પ્રકારના છે- શારીરિક તપ, વાણી નું તપ, અને માનસિક તપ..જે રીતે સોનાને તપાવવાથી તેનો મેલ ઉતરી જાય છે તે જ રીતે તપના માધ્યમથી શરીરની અંદરનો અને આત્માનો મળ વિકાર દૂર થાય છે.માટે તપને ત્યાગને સયંમ ને જાણો અને સમજો..તપને ને  ક્રિયા ન બનવો હું તપનો કરતા છું એવું ભાન થાય છે ત્યાં સુથી એ ક્રિયાકાંડ છે ..મોક્ષ માર્ગ કષ્ટ નથી સંસાર અઘરો છે અને જ્યાં  કષ્ટ છે ત્યાં મોક્ષ નથી .ભગવાને કહું છે તપ કરજો પરન્તું ઉપયોગપૂર્વક.
(વિવિધ પુસ્તકો માંથી સંકલન કર્યું છે )
 
હું, વ્રત, એકટાણાં ઉપવાસ કરું.
અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય,
તો મારું એ તપ મિથ્યા છે.
હું મંદિરે જાઉં, ફુલ ચડાવું, માળા ગણું
અને મારા કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય,
તો મારી એ પૂજા મિથ્યા છે.
હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું
અને મારા ચિતમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ
નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે.
હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું,
અને મારી ઈચ્છાઓ-વૃત્તિઓનું શમન ન થાય,
મારો દેહભાવ ઢીલો ન પડે,
તો મારી એ સાધના મિથ્યા છે.
હે પરમાત્મા, હું પ્રાથના કરું ને તમારું નામ લઉં
અને મારા જીવનમાં પ્રેમ કરુણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,
તો મારો તમારો સાથેનો સબંધ મિથ્યા છે.

—–પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ—-

આ પ્રાર્થના અંકિત ત્રિવેદીના આવાજમાં જરૂરથી સાંભળો ..

 આભાર હિના પરીખ

http://heenaparekh.com/2011/08/01/mithya-chhe/#comment-2205

નવકાર મંત્ર

નવકાર મંત્ર

બોલીએ   નમો  મહાવીર , બોલીએ નમો ત્રિશલા નંદા
વંદન   કરીએ  મહાપ્રભુને   ,  નિરખી   નિમઁલ આંખોમાં

વંદન    કરીએ     અરિહંતને  ,   ૐ   નમો    અરિહંતાણં
ધ્યાન   ધરી   સિધ્ધ   ભગવંતોનુ  ,  ૐ  નમો સિધ્ધાણં

મન  સ્મરીલે  આચાયૅ દેવોને ,  ૐ  નમો  આયરિયાણં
વંદન    ઉપાધ્યાય   દેવોને  ,  ૐ   નમો   ઉવજ્ઝાયણં

તમે   અમારા   તારણહારા    ગાઇએ    તવ   ગુણગાન
વંદન  સઘળા  સાધુજનોને  ,  નમો  લોએ  સવ્વસાહૂણં
રોમ  રોમમાં  પુલકિત  થઇને   પંચ દેવને  નમન કરો
પળે   પળે   સૌ  જપતા  રહીએ ,  અસો પંચ  નમુક્કારો

દૂર   થશે  સઘળા  પાપો , નિત્ય    હૈયે   નવકાર  ગણો
અર્થ એનો સૌ સહુ  સમજી લઇએ , સવ્વપાવપ્પણાસણૉ

મંત્ર એક નવકાર જગતમાં સર્વ મંગળોમાં અતિ મંગળ
મંગલાણં    ચ    સવ્વેસિં  ,   પઢમં      હવઇ    મંગલમ્

                                                             –  અમિત ત્રિવેદી

મંત્રએ વિજ્ઞાન  છે, અંધશ્રદ્ધાનો વિષય નથી..
નવકાર મંત્ર અને ગાયત્રી એ યુનિવર્સલ મંત્ર છે.મંત્ર માટે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સર્વશ્રેષ્ઠ છે.કેમકે મંત્રમાં શક્તિ છે. જાપનાં ત્રણ પ્રકાર હોય છે. વિજ્ઞાાનની દ્રષ્ટિએ જોઇએ પ્રથમ પ્રકારનાં ભાષ્ય જાપમાં મંત્રની કંપસંખ્યા(ફ્રિક્વન્સી) ૩૩૦ મીટર પ્રતિ સેકન્ડની હોય છે.
ઉપાંશુ જાપમાં ૨૦ હજાર મીટર પ્રતિ સેકન્ડ હોય છે અને માનસ જાપમાં કંપસંખ્યા કલ્પનાતીત હોય છે.મંત્ર જાપની સાથે જાપ કરનારની પવિત્રતા, કેવા સ્થાને બેસીને મંત્ર જાપ થાય છે. કેવા સમયે થાય છે. જો આ બધા પરિબળો પોઝીટીવ હોય તો અવશ્ય મંત્રનું ફળ મળે છે. મંત્રમાં પણ જાપ, જાપ બાદ ધ્યાન અને ત્યારબાદ લય શ્રેષ્ઠ છે.

જગતના સર્વ મંત્રોમાં શીરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યુ છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રૂપિયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ દ્વાદશાંગી  સમાયેલી છે.

નવકારના પદો, સંપદાઓ, અક્ષરો

              – નવકાર ૧૪ પૂર્વનો સાર છે.

              – નવકારના નવપદો છે.

              – નવકારની આઠ સંપદાઓ છે.-

              – નવકારના ૬૮ અક્ષરો છે.-

              – પહેલા પાંચ પદના ૩૫ અક્ષરો છે. (પંચ પરમેષ્ઠી)–

                -છેલ્લી ચાર (ચુલિકા) ના ૩૩ અક્ષરો છે. (ચુલિકા)-

નવકાર વાળીના ૧૦૮મણકાઓ.

પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે. એટલે તે ગુણની આરાધના માટે ૧૦૮ મણકા છે.

  •          અરિહંતના ૧૨ ગુણ
  •               સિધ્ધ ના  ૦૮ ગુણ
  •               આચાર્યના ૩૬ ગુણ
  •               ઉપાધ્યાયના ૨૫ ગુણ
  •               સ્રર્વ સાધુના ૨૭ ગુણ
  •            કુલ્લે      108 ગુણ

નવકાર માં ત્રણ તત્વો……

              નવકારમાં દેવ-ગુરુ-ધર્મ તત્વ સમાયેલા છે. તેના વડે પાપ-તાપ-સંતાપ દુર થાય છે. અને શાંતિ-સમતા-સમાધિ પ્રાપ્ત થાય છે.

  • દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે સવારે ઉઠીને ત્રણ નવકાર ગણવા
  • મરણની જાણ ન હોવાથી સંસારની સર્વ વસ્તુની મમતા ન રહે તે માટે રાત્રે 7 નવકાર ગણવા
  • બની શકે તો દિવસમાં એક બાંધી નવકારવાળી ગણવી
  • મંત્ર જાપની સાથે જાપ કરનારની પવિત્રતા, કેવા સ્થાને બેસીને મંત્ર જાપ થાય છે. કેવા સમયે થાય છે. જો આ બધા પરિબળો પોઝીટીવ હોય તો અવશ્ય મંત્રનું ફળ મળે છે. મંત્રમાં પણ જાપ, જાપ બાદ ધ્યાન અને ત્યારબાદ લય શ્રેષ્ઠ છે.

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ- મધર ટેરેસાને -શ્રધાંજલિ

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ-એક આલ્બેનિયનમન કેથલિક નન
જેમના  ચરણોના પવિત્ર સ્પર્શથી ભારતની ભૂમિ ધન્ય થઈ ગઈ. અને જેના માટે ભારત જ એમની કર્મભૂમિ બની ગઈ
અને જે ભારત  આવીને જ બન્યાં..
મધર ટેરેસા”
(જન્મ: ઑગસ્ટ ૨૬, ૧૯૧૦ મૃત્યુ:સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ભારતીય નાગરિકત્વધરાવતાં એક આલ્બેનિયનમન કેથલિક નન હતાં.1950માં તેમણે ભારત ના કોલકતામાં ઠેકઠેકાણે ચેરીટી મિશનરીઝની સ્થાપ્ના કરી. સતત  45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરીઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
મધર ટેરેસાનું એક વાક્ય ઘણું બધું કહી જાય છે :
“ઈશ્વર આપણને બધાને ખૂબ મોટાં કામો કરવાનું કહેતો જ નથી. તે તો આપણને પ્રેમથી નાનાં નાનાં કામો પણ કરવાનું કહે છે.” મધર ટેરેસા કેથલિક ખ્રિસ્તી હતાં, પરંતુ તેમની ‘નિર્મળ હૃદય’ સંસ્થામાં આવનારાં દુઃખિયારાં લોકો કયા ધર્મમાંથી આવે તે કદી પૂછવામાં આવતું નહીં અને તેથી જ તેઓ   આખા વિશ્વનાં ‘મધર’ બની ગયાં.
પાંચ સપ્ટેમ્બર, ૧૯૯૭ના રોજ તેમનું નિધન થયું હતું.ત્યારે સમગ્ર વિશ્વે માં ગુમાવી હતી…
આ સૃષ્ટિ રડતી વિયોગથી, તું ક્યાં ચાલી ગઈ ઓ મા
તારી એંધાણી મા, હું  ક્યાં ક્યાં શોધું દશે દિશાઓમાં?
પદ્મામાસીએ એમની કવિતામાં માતા ના વિયોગને ખુબજ સુંદર રીતે આલેખ્યો છે.
ચાલો આજ તેમના  નિમિતે તેમના સદગુણો ને અપનાવી ખરા અર્થ માં તેને યાદ કરીએ.
મધર  ટેરેસા

ઓ  મા,  હે  જગની  મધર  ટેરેસા  મા
ભારતની ધરતીને નીજ ભોમ ગણીતી મા
રોમન  કેથોલિક  પંથની  ભેખ ધરીતી મા
નરસિંહનાવૈષ્ણવ  ધર્મની હરીજન હતી તું મા

તારામાં ત્રણ રૂપ સમાયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તુજમાં
સેવાના કાર્યો કરીને, વાત્સલ્યના ઝરણા રેલાવ્યા મા
કચરા પેટી મહીંથી શોધ્યા, ત્યજાયેલા શિશુઓ જન્મેલા
નમાયાની જનેતા થઈને, નવજીવન દીધા આ જગમાં

ભૂખ્યાઓને ભોજન દઈને,  કલ્પવૃક્ષનો કર્યો મહિમા
અક્ષયપાત્ર સદા છલકાયે, સેવાના ક્ષેત્રે તારા પગલે મા
ભાંગી તૂટેલા ઘણા  હૈયાને, તેં નવજીવન દીધા છે મા
તારો જયજયકાર કરું?  કે તારૂ હું  મંદિર બાંધુ  મા ?

આ સૃષ્ટિ રડતી વિયોગથી, તું ક્યાં ચાલી ગઈ ઓ મા
તારી એંધાણી મા, હું  ક્યાં ક્યાં શોધું દશે દિશાઓમાં?
આકાશે  નક્ષત્ર   ચંદ્ર  થઇ, શીતળતા વરસાવજે મા
સોનેરી નવ  ઉગતી ઉષામાં, આશાઓ  સિંચજે   મા

દરિદ્રનારાયણની સેવાનો, જગમાં સદા માર્ગ ચિંધજે મા
ઓ મધર ટેરેસા મા ……..  ઓ જગની મધર ટેરેસા મા

પદ્માબેન કનુભાઈ શાહ-  

”દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ” – મધર ટેરેસા