
મિત્રો ,આજે આપણા બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન મહેતાનો જન્મ દીવસ છે. મિત્રો અહિં આપણે બધાં એક પરીવારનાં સભ્યો છીએ ….. તો શબ્દોના સર્જન તરફથી તેમને બધાજ લેખકો લેખિકા અને વાંચન વર્ગ તરફથી માસીને ખાસ ખાસ અભિનંદન
મિત્રો એમની લેખેલી કવિતા વાંચવી તો ગમે છે પણ એને સંભાળવા એક લાહવો છે ..મારા માટે માસી એક પ્રોત્સાહન છે ,પ્રેરણા છે ગુરુ છે તો કયારેક એક નીડર લેખિકા છે ,હુદયમાં સ્પર્સયુ તે એમની કવિતા દ્વારા આપણા હૃદય ને સ્પર્શે છે …..સૌમ્ય સુંદર અને વિવિધતા ભરેલા લખાણ એવા સરળ સાદી ભાષામાં રજુ કરે કે સાત્વિક સુગંધભરી ઊર્મિના ઝરણામાં પડ્યા હોય તેવું લાગે માત્ર મને જ નહિ દરેક વાંચકને આવું જ લાગે ….ઘૂળેટીના ઉત્સવની ઉજવણી હોય કે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ, માસી શબ્દોમાં એવો ગુંથી નાખે કે કવિતા નું સ્વરૂપ લઈલે …
આમ જોવા જઈએ તો1946થી એમના હદયમાં ઉઠેલી ઊર્મિ કે સંવેદનાને શબ્દદેહ આપવાનું શરુ કર્યું. પછીતો લોકો એમના ગીત ગરબા હોય કે બાળ ગીતો કે કવિતા વાંચવા કે સંભાળવા માંગણી કરવા માંડ્યા અને આડી અવળી કાપલી ને ભેગી કરી 80 વર્ષની ઉંમરે” તીર્થનું પંચામૃત પુસ્તક” બહાર પાડ્યું .. આજે જેમની કવિતાજ એમની ઓળખ છે એમની ભાષામાં…..કહું તો
સ્વાનુભવ તો સૌ કહે ..
પણ પરનો કહે તે કવિ …
સીધે સીધું સૌ કહે ..ચોટ લગાડે તે કવિ .
એમણે કવિતામાં હ્દયની સાચકલી લાગણી ઓં ,ભાવનાઓ સંવેદનો અને કેટલેક અંશે અનુભવો ઉતર્યા છે.કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જવાત છે ...આ વાત મેં માસીની કવિતામાં અનુભવી છે.
જિંદગીને નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ ,
ભૂત ભેગો કરો નહીં,પણ ભૂતકાળ ભૂંસતા જાઓ .
લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ
ગૂંચવાડે ગૂંચવાઓ નહીં ને ,આજ આનંદે ઉજવતા જાઓ ..
જેમ જેમ વાંચશો તેમ તેમ એવું લાગશે કે હા , આવુ જ થાય છે …શબ્દો ના એવા આટાપlટા રમે કે આપણે વિચાર કરતા થઈ જઈએ..પોતાની કવિતા દ્વારા બીજાને વિચાર કરતા કરે તે કવિત્રી …અને એજ મેઘલતામાસી
એમની કવિતાઓનું એક અલગ સ્વરૂપ .અને રજુ કરવાની .એક આગવી છટા..સૌ પ્રથમ” પ્યાલા બરણી ” કવિતા એમના મોઢે સાંભળી પ્રોગ્રામનું સંચાલન હું કરતી હતી પણ મારી બોલતી બંધ થઇ ગઈ ,આવા મેઘલાતાબેહન મહેતા ની કવિતા માણો પછી તમે પણ મારી જેમ જ કહેશો.એમાં કોઈ શક નથી આ બ્લોગની શરૂઆત પણ એમની કવિતા થી કરીએમની પાસેથી લેખનની પ્રસાદી ને પ્રેરણા મળ્યા અને બીજા એ પણ એમને વાંચી પ્રેરણા લીધી અને લઇ રહ્યા છે .સાદા સરળ વિષય લઈને વાચકને અધાત્મિકતા ના શિખર પર એવીરીતે લઇ જાય કે ખબર પણ ના પડે। .”.ભમરડો” વિષય એક રમત પણ આધ્યાત્મિકતા અને જીવનની ફિલસુફી સમજાવી દે ….
પૃથ્વી પણ છે એક ભમરડો ,અગણિતોનો સાથી?
કોના હાથે છુટયો ,છોડવે કો આ ચક્કરમાંથી?
કોણે પૂર્યા પ્રાણ ,કદી શું ગતિ મંદ થવાની ?
કે પુનઃજન્મ પામીને પાછી ગરબામાં ઘૂમવાની?
આજે 87વર્ષે હાથ પગ ના ચાલતા હોય ..શરીર સાથના દેતું હોય ત્યારે એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે .એમની પંક્તિમાં કહુંતો….
જુવાનીના જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે જિંદગીભ રની,
કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .
ભૂતકાળનો પાલવ પકડી …જે ટમટમ્યા કરે ..
તેનો વળી વિકાસ કેવો ?…જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,
જે દોડ મુકે આંખ મીચી –તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .
એમની કવિતા નો સંદેશ છે …જિંદગી ના સત્યને અપનાવો ..
મેઘલતામાસીની પોતાના માટે સારું શું કે ખરાબ શું તે નક્કી કરવાનું કામ ઈશ્વર ઉપર છોડી દે છે. ઈશ્વર જે કરે પછી તે ખરાબ હોય કે સારું, તેને વિના હીચકીચાહટ સ્વીકારી લે છે ને તેને ‘તેમની’ મરજી લેખે છે. એટલુંજ નહિ ..આશાવાદી પણ છે ..હજી પણ જિંદગીના રંગો પૂરવા છે ..તેમના આ અભિગમ ને લીધે દરેક સવાર એક કોરી પાટી છે ..સૌથી વધારે તો ઉંમરને સહજતાથી સ્વીકારનાર માસીઆજે 87 વર્ષે પણ નિડરતાથી કહી શકે છે.અને આજે પણ કહેતા હોય છે કે……
…મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ ,
ઓ બાંધવા ,મુઠ્ઠીમાં મોત લઇ લઇ ફરીએ ,……
ધાર્યું કાંઈ થાય નહીં ,ધારેધરણી,
ફોગટ જંજાળ શીદ વ્હોરીએ ?…..
આખા કાવ્યમાં લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન થયા.જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લે કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી,
જેમણે જિંદગીને આટલી સહજ સ્વભાવિક રીતે સ્વીકારી હોય .એમને જન્મદિવસની શુભેચ્છા કઈ રીતે આપવી ?કવિતા લખવાની મારી ક્ષમતા નથી. શબ્દોના ગુલદસ્તા પણ નથી .હા પણ એટલું જરૂર કહીશ કે આપનો જન્મદિવસ નવા વર્ષની જેમ આવે ,નવી આશાઓ લાવે, ઉમંગ થી હ્રદય છલકાય, જીવનમાં રંગ પુરાય અને અમારી શુભેચ્છા સાહી બને અને આપની કલમ લખવા માંડે એવી શુભેચ્છા,
(તીર્થનું પંચામૃત તો આપ્યું તમે હવે પ્રસાદ પણ આપો )
મિત્રો આ તો માત્ર પંચામૃત પ્રસાદ તો બાકી છે …….
મિત્રો મેઘલતાબેન ને આ વેબસાઈડ પર માણો http://tahuko.com/?p=11123
Like this:
Like Loading...