શ્રી વિષ્ણુ પ્રભાકર અને ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવે દ્વારા આપણે શરદબાબુની કેટલા નજીક પહોંચી ગયા છીએ! તેઓના જીવનનાં એક એક પાસા આપણે જાણી રહ્યા છીએ . આ જીવન સંઘર્ષમય તો હતું જ પણ તેઓ એક વૈરાગી પુરુષ પણ હતા.
એક બાજુ શરદબાબુ બર્મા એટલે કે રંગૂન જઈને બેઠા હતા અને ત્યાં અવારનવાર કંઈક ને કંઈક નવું અનુભવી રહ્યા હતા. જે તેમના જીવનનું એક ઊંડું પાસું હતું. શરદબાબુ દિશાહીન થયા તો ત્યાં તેઓ કોઈ આસ્તિક નહોતા તેઓ પોતાની જાતને નાસ્તિક કહેતા અને ઈશ્વર પ્રત્યેની કોઈપણ રુચિ તેમને નહોતી અને ઈશ્વર છે જ નહીં તેવું પણ કહ્યા કરતા. તેમને ખૂબ વ્યસન હતા તેમનું મન વૈરાગી થઈ ગયું હતું છતાં બધાં દુર્ગુણોની સામે એક સદગુણ હતો વાંચનનો ઘણું ઊંડાણપૂર્વક સમાજ વિજ્ઞાન યૌન વિજ્ઞાન ,ભૌતિક વિજ્ઞાન તેમજ તત્વજ્ઞાન એવું ઘણું બધું વાંચન ધરાવતા. વાંચતા જ નહીં પરંતુ મિત્રો સાથે તત્વજ્ઞાન પ્રત્યે ખૂબ ચર્ચા કરતા. તેઓ રંગુનનાં રામકૃષ્ણ મિશનના સ્વામી શ્રી રામકૃષ્ણાનંદના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે તત્વજ્ઞાનની ચર્ચાઓ કરતા તેઓ નાસ્તિક હતા પણ ઈશ્વરની શોધ પણ તેમને કરવી હતી . તેઓના રંગુનના રહેઠાણ દરમિયાન તેમણે પ્લેગ જેવા મહારોગનો પણ ખૂબ સામનો કરવો પડેલો. આમાં તેમણે પોતાના મિત્ર અને પોતે પણ પ્લેગનો સામનો કરી પોતાનું જીવન સવાર્યું હતું . શરદએ ત્યાં પ્લેગમાં ઘણાં સાથીદાર મિત્રો ગુમાવ્યા હતા અને આથી તે ખૂબ જ નિરાશ થઈ ગયાં હતા.
રંગુનમાં તેમણે ત્યાંની પ્રસિદ્ધ લાઇબ્રેરી બર્નાર્ડના એક એક પુસ્તકોને વાંચી કાઢ્યા હતા. Tolstoy તેમના પ્રિય લેખક હતા ખાસ તો તેમને અન્ના કેરેનિના અને રિસરેક્શનના પ્રિય લેખક તરીકે પ્રેમ કરતા. તેમના પુસ્તકો તેમને પચાસથી વધારે વાર વાંચ્યા હતા.
જ્યારે હંમેશ માટે તેમને રંગૂન છોડ્યું ને ત્યારે તે કહેતા હતા રંગુનનું મને એક જ આકર્ષણ છે અને તે છે બર્નાર્ડ લાઇબ્રેરી ,કલકત્તાની ઇમ્પીરિયલ લાઇબ્રેરીમાં મને આટલી છૂટ નથી મળતી જે મને અહીં મળી.આ સમયે તેઓ ચારિત્રહીન તો લખતા જ હતા જેની ભારતમાં જ શરૂઆત થઈ હતી આપણે જોયું હતું કે ચરિત્રહીનનો નાયક સતીશ હોસ્ટેલમાં રહેતો હતો તેવી જ રીતે શરદબાબુ પણ બર્મામાં હોસ્ટેલમાં જ રહેતા હતા અને ત્યાં મિત્રોના હાસીને પાત્ર પણ થયા હતા, કારણ દિવસ આખો નોકરી કરી રાત્રે તેઓ લેખન કાર્યકર્તા મેસમાં રહેતા રહેતા બગચંદ્ર ડે ડે તેમના ખાસ મિત્ર બની ગયા હતા , પણ તેઓ પણ તેમને પ્લેગમાં છોડીને ચાલ્યા ગયાં હતા . તેમના ગયા પછી શરદ સાવ એકલા પડી ગયા અને વૈરાગી મન વધુ વૈરાગ્ય તરફ ઢળવા લાગ્યું .
એક દિવસ પોતે જ્યારે નોકરી પરથી પોતાના ઘરમાં પાછા આવ્યા હતા ત્યારે તેમનું ઘર અંદરથી બંધ મળ્યું .ત્યાં તેમના ઘરમાં તેમના જ ઇમારતમાં રહેતી ચક્રવતી મિસ્ત્રીની દીકરી શાંતિ પિતાના ડરથી તેમના શરણે આવી હતી .તેના પિતા તેને એક વૃદ્ધ વ્યસની પુરુષ સાથે પરણાવી રહ્યાં હતા . શરદચંદ્ર પોતે તે સ્ત્રીને પોતાના ઘરે રાખી રાત બહાર રહ્યાં .બીજે દિવસે તેના પિતા યજ્ઞેશવર મિસ્ત્રી પાસે ગયા સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમાં તે માણસ સમજ્યો જ નહીં અને ઉપરથી શરદચંદ્ર ને તેમની દીકરી સાથે પરણી જવાનું આહવાન આપ્યું .શરદચંદ્ર ત્યાંથી ચાલ્યા ગયા ,બીજે દિવસે આવી તેમણે શાંતિ સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને આ તેમના પહેલા લગ્ન હતા. શાંતિ સાથે તેઓ બે વર્ષ ખૂબ જ શાંતિથી રહ્યાં અને એક બાળકનાં પિતા પણ બન્યા .ભગવાનને મંજૂર ન હતું તેમના જીવનમાં સંઘર્ષ અને સંઘર્ષ જ લખાયેલો હતો. આથી એક દિવસ શાંતિ પ્લેગનો ભોગ બની ગઈ ખૂબ પ્રયત્ન છતાં ના બચી પહેલાં પ્રેમમાં તેઓ ઘણું પામ્યા હતા અને શાંતિના ગયા પછી તેઓ ખૂબ જ દુઃખી થયા જીવન તેમનું છિન્નભિન્ન થઈ ગયું . પીંછી સુકાઈ ગઈ ,સાહિત્ય સર્જન અલોપ થઈ ગયું અને પાગલની જેમ આમથી તેમ ભટકવાનું ચાલુ થઈ ગયું તે દરમિયાન જ પ્લેગના સકંજામાં સપડાઈને પુત્ર પણ મૃત્યુ પામ્યો .શરદ બાબુ હારી ગયા મિત્રોએ સલાહ આપી કે ક્યાંક બહાર ફરી આવ જેથી મનને કંઈક સારું લાગે.
આમ બર્મામાં તેમને સ્ત્રી તો મળી પણ બે વર્ષ જ તેની સાથે જીવન માણી શક્યા સંઘર્ષનો કોઈ અંત નહોતો ! હવે શું કરવું અને શું ન કરવું ના વમળમાં શરદ બાબુ બધું છોડી કંઈક ને કંઈક કાગળમાં ચીતર્યા કરતા જે શું હતું તે તેમને જ ખબર ન હતી હવે ઈશ્વર કંઈક મદદ કરે તો સારું એવી મનોભાવના સાથે તેઓ બર્મામાં ઘણું ફર્યા મિત્રો આમ વિષ્ણુ પ્રભાકરજી અને શ્રી હસમુખ દવે ના ગુજરાતી અનુવાદ દ્વારા જેટલું શરદબાબુની નજીક પહોંચાય તેટલું આપણે પહોંચવાનો પ્રયત્ન કરીશું.આ જે ભટકન હતું તેમાંથી જ શ્રીકાંત જેવી નવલકથા આપણને મળી.
મિત્રો, ફરી આપણે શરદબાબુની આગળની જીવન કથની વાંચીશું તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું .
અસ્તુ ,
જયશ્રી પટેલ.
૩૦/૧૦/૨૨