*વિસ્તૃતિ….૩૬*. જયશ્રી પટેલ



શ્રી વિષ્ણુ પ્રભાકર અને ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવે દ્વારા આપણે શરદબાબુની કેટલા નજીક પહોંચી ગયા છીએ! તેઓના જીવનનાં એક એક પાસા આપણે જાણી રહ્યા છીએ . આ જીવન સંઘર્ષમય તો હતું જ પણ તેઓ એક વૈરાગી પુરુષ પણ હતા.
એક બાજુ શરદબાબુ બર્મા એટલે કે રંગૂન જઈને બેઠા હતા અને ત્યાં અવારનવાર કંઈક ને કંઈક નવું અનુભવી રહ્યા હતા. જે તેમના જીવનનું એક ઊંડું પાસું હતું. શરદબાબુ દિશાહીન થયા તો ત્યાં તેઓ કોઈ આસ્તિક નહોતા તેઓ પોતાની જાતને નાસ્તિક કહેતા અને ઈશ્વર પ્રત્યેની કોઈપણ રુચિ તેમને નહોતી અને ઈશ્વર છે જ નહીં તેવું પણ કહ્યા કરતા. તેમને ખૂબ વ્યસન હતા તેમનું મન વૈરાગી થઈ ગયું હતું છતાં બધાં દુર્ગુણોની સામે એક સદગુણ હતો વાંચનનો ઘણું ઊંડાણપૂર્વક સમાજ વિજ્ઞાન યૌન વિજ્ઞાન ,ભૌતિક વિજ્ઞાન તેમજ તત્વજ્ઞાન એવું ઘણું બધું વાંચન ધરાવતા. વાંચતા જ નહીં પરંતુ મિત્રો સાથે તત્વજ્ઞાન પ્રત્યે ખૂબ ચર્ચા કરતા. તેઓ રંગુનનાં રામકૃષ્ણ મિશનના સ્વામી શ્રી રામકૃષ્ણાનંદના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે તત્વજ્ઞાનની ચર્ચાઓ કરતા તેઓ નાસ્તિક હતા પણ ઈશ્વરની શોધ પણ તેમને કરવી હતી . તેઓના રંગુનના રહેઠાણ દરમિયાન તેમણે પ્લેગ જેવા મહારોગનો પણ ખૂબ સામનો કરવો પડેલો. આમાં તેમણે પોતાના મિત્ર અને પોતે પણ પ્લેગનો સામનો કરી પોતાનું જીવન સવાર્યું હતું . શરદએ ત્યાં પ્લેગમાં ઘણાં સાથીદાર મિત્રો ગુમાવ્યા હતા અને આથી તે ખૂબ જ નિરાશ થઈ ગયાં હતા.
રંગુનમાં તેમણે ત્યાંની પ્રસિદ્ધ લાઇબ્રેરી બર્નાર્ડના એક એક પુસ્તકોને વાંચી કાઢ્યા હતા. Tolstoy તેમના પ્રિય લેખક હતા ખાસ તો તેમને અન્ના કેરેનિના અને રિસરેક્શનના પ્રિય લેખક તરીકે પ્રેમ કરતા. તેમના પુસ્તકો તેમને પચાસથી વધારે વાર વાંચ્યા હતા.

જ્યારે હંમેશ માટે તેમને રંગૂન છોડ્યું ને ત્યારે તે કહેતા હતા રંગુનનું મને એક જ આકર્ષણ છે અને તે છે બર્નાર્ડ લાઇબ્રેરી ,કલકત્તાની ઇમ્પીરિયલ લાઇબ્રેરીમાં મને આટલી છૂટ નથી મળતી જે મને અહીં મળી.આ સમયે તેઓ ચારિત્રહીન તો લખતા જ હતા જેની ભારતમાં જ શરૂઆત થઈ હતી આપણે જોયું હતું કે ચરિત્રહીનનો નાયક સતીશ હોસ્ટેલમાં રહેતો હતો તેવી જ રીતે શરદબાબુ પણ બર્મામાં હોસ્ટેલમાં જ રહેતા હતા અને ત્યાં મિત્રોના હાસીને પાત્ર પણ થયા હતા, કારણ દિવસ આખો નોકરી કરી રાત્રે તેઓ લેખન કાર્યકર્તા મેસમાં રહેતા રહેતા બગચંદ્ર ડે ડે તેમના ખાસ મિત્ર બની ગયા હતા , પણ તેઓ પણ તેમને પ્લેગમાં છોડીને ચાલ્યા ગયાં હતા . તેમના ગયા પછી શરદ સાવ એકલા પડી ગયા અને વૈરાગી મન વધુ વૈરાગ્ય તરફ ઢળવા લાગ્યું .

એક દિવસ પોતે જ્યારે નોકરી પરથી પોતાના ઘરમાં પાછા આવ્યા હતા ત્યારે તેમનું ઘર અંદરથી બંધ મળ્યું .ત્યાં તેમના ઘરમાં તેમના જ ઇમારતમાં રહેતી ચક્રવતી મિસ્ત્રીની દીકરી શાંતિ પિતાના ડરથી તેમના શરણે આવી હતી .તેના પિતા તેને એક વૃદ્ધ વ્યસની પુરુષ સાથે પરણાવી રહ્યાં હતા . શરદચંદ્ર પોતે તે સ્ત્રીને પોતાના ઘરે રાખી રાત બહાર રહ્યાં .બીજે દિવસે તેના પિતા યજ્ઞેશવર મિસ્ત્રી પાસે ગયા સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમાં તે માણસ સમજ્યો જ નહીં અને ઉપરથી શરદચંદ્ર ને તેમની દીકરી સાથે પરણી જવાનું આહવાન આપ્યું .શરદચંદ્ર ત્યાંથી ચાલ્યા ગયા ,બીજે દિવસે આવી તેમણે શાંતિ સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને આ તેમના પહેલા લગ્ન હતા. શાંતિ સાથે તેઓ બે વર્ષ ખૂબ જ શાંતિથી રહ્યાં અને એક બાળકનાં પિતા પણ બન્યા .ભગવાનને મંજૂર ન હતું તેમના જીવનમાં સંઘર્ષ અને સંઘર્ષ જ લખાયેલો હતો. આથી એક દિવસ શાંતિ પ્લેગનો ભોગ બની ગઈ ખૂબ પ્રયત્ન છતાં ના બચી પહેલાં પ્રેમમાં તેઓ ઘણું પામ્યા હતા અને શાંતિના ગયા પછી તેઓ ખૂબ જ દુઃખી થયા જીવન તેમનું છિન્નભિન્ન થઈ ગયું . પીંછી સુકાઈ ગઈ ,સાહિત્ય સર્જન અલોપ થઈ ગયું અને પાગલની જેમ આમથી તેમ ભટકવાનું ચાલુ થઈ ગયું તે દરમિયાન જ પ્લેગના સકંજામાં સપડાઈને પુત્ર પણ મૃત્યુ પામ્યો .શરદ બાબુ હારી ગયા મિત્રોએ સલાહ આપી કે ક્યાંક બહાર ફરી આવ જેથી મનને કંઈક સારું લાગે.
આમ બર્મામાં તેમને સ્ત્રી તો મળી પણ બે વર્ષ જ તેની સાથે જીવન માણી શક્યા સંઘર્ષનો કોઈ અંત નહોતો ! હવે શું કરવું અને શું ન કરવું ના વમળમાં શરદ બાબુ બધું છોડી કંઈક ને કંઈક કાગળમાં ચીતર્યા કરતા જે શું હતું તે તેમને જ ખબર ન હતી હવે ઈશ્વર કંઈક મદદ કરે તો સારું એવી મનોભાવના સાથે તેઓ બર્મામાં ઘણું ફર્યા મિત્રો આમ વિષ્ણુ પ્રભાકરજી અને શ્રી હસમુખ દવે ના ગુજરાતી અનુવાદ દ્વારા જેટલું શરદબાબુની નજીક પહોંચાય તેટલું આપણે પહોંચવાનો પ્રયત્ન કરીશું.આ જે ભટકન હતું તેમાંથી જ શ્રીકાંત જેવી નવલકથા આપણને મળી.
મિત્રો, ફરી આપણે શરદબાબુની આગળની જીવન કથની વાંચીશું તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું .

અસ્તુ ,
જયશ્રી પટેલ.
૩૦/૧૦/૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান –૨૫: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.

દિવાળીના પર્વની રોશની હજુ આસપાસ ક્યાંક ઝગમગે છે અને નૂતન વર્ષને હરખે વધાવી  આપણે તાલ મિલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌને નૂતન વર્ષની મબલખ શુભેચ્છાઓ અને સાલમુબારક..નવું વર્ષ એટલે નવી આશાઓ, નવી આકાંક્ષાઓ, નવા અરમાનો અને નવા પડકારો…નવા વર્ષની શરૂઆત આપણે ગુરુદેવની એક પ્રાર્થનાને જાણી અને માણીને કરીશું. આ સરળ રચનાના શબ્દોમાં  માત્ર ગુરૂદેવનાજ નહિ,  મારા-તમારા સૌના ભાવ પડઘાય છે. પૂજા પારજોયમાં વર્ગીકૃત થયેલી અને 1907માંરચાયેલી આ રચનાનું શીર્ષક છે অন্তর মম বিকশিত করো (“Antaro mam viksit karo”) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “ઉદિત કરો…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ભૈરવીમાં કર્યું છે અને તેને એકતાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

એક સરળ પ્રાર્થના જેમાં કવિવરના નિર્મળ મનોભાવનું પ્રતિબીંબ જોવા મળે છે.  ઘણીવાર મને એવો વિચાર આવે કે પ્રાર્થના એટલે શું? દરેક માટે પ્રાર્થનાનો કરવાની રીત  જુદો જુદો હોઈ શકે છે. કેટલાક માટે વેદો અને શાસ્ત્રોમાં જે સ્તોત્ર અને પાઠ વર્ણવ્યા છે તેનું પઠન કરવું એટલેજ પ્રાર્થના, કેટલાક માટે સુમધૂર પ્રાચીન-અર્વાચીન  ભજનોનું ગાયન  અને શ્રવણ એટલે પ્રાર્થના, તો મારા જેવા કેટલાક માટે – ઈશ્વરની સન્મુખ ઉભા રહીને રચાતો મૌન સંવાદ એટલે પ્રાર્થના. પ્રાર્થના કરવાની રીત અલગ અલગ હોઈ શકે પણ પ્રાર્થનાનો અર્થથી એક જ – અંતરેથી ઉદ્ભવતી અને પ્રભુ સાથે જોડતી કડી…જે આપણા સમગ્ર અસ્તિત્વને એ પરમ ચૈતન્ય સાથે જોડે છે. આ પ્રાર્થનામાં પણ કવિવરે કંઈક એવાજ ભાવો વ્યક્ત કર્યા છે.     

તો ચાલો, મનોમન આજ પ્રાર્થના કરતા કરતા આજે  હું મારી કલમને વિરામ આપું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

    -અલ્પા શાહ     

ઓશો દર્શન -37. રીટા જાની

wp-1644023900666

જીવન એક અવસર છે. એમાં ઘણી બધી સંભાવનાઓ છે. જીવનમાં અર્થ લાવવો કે એને વ્યર્થ જીવવું એ સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. જીવનના કેનવાસ પર જે ચિત્ર બને તે તમારી કુશળતા પર નિર્ભર કરે છે. પિકાસો એક ચિત્ર બનાવે તો તે અમૂલ્ય હોઈ શકે અને આપણું ચિત્ર કદાચ એટલું મૂલ્યવાન ન હોય. માટે નૂતન વર્ષે એક સંકલ્પ લઈએ કે આપણી જીવન નાવના ખેવૈયા આપણે જ બનીએ. ઓશો કહે છે કે આ જીવનમાં કોઈ બુદ્ધ થઈ જાય છે તો કોઈ કબીર થઈ જાય છે અને કોઈ એમ જ ધક્કા ખાતું ખાતું મરી જાય છે. ગત અંકમાં આપણે કબીર ઉપરના ઓશોના વિચારની વાત કરેલ. આજે એ જ વિષય પર આગળ વાત કરીશું.

કબીર કહે છે કે ‘પરમાત્મા દૂરથી દૂર અને નજીકથી પણ નજીક છે’. આ વિરોધાભાસનો શો અર્થ કરવો? ઓશો આ વાત સમજાવતા કહે છે કે જો તમારો અહંકાર મજબૂત છે તો પરમાત્મા દૂરથી પણ દૂર છે. તમે સમગ્ર સંસારમાં શોધી વળો તો પણ એને નહીં પામો. પરંતુ જો અહંકાર ન હોય તો તમારી આંખોની સામે જ પરમાત્મા છે. જ્યારે કોઈ વિશેષ વિષયવસ્તુ આંખમાં રહેતી નથી અને દ્રષ્ટા પોતાને જુએ છે, ત્યારે મન પોતાની પર પાછું આવે છે. આ જે પાછું આવવું છે તેને પતંજલિ પ્રત્યાહાર કહે છે, મહાવીર પ્રતિક્રમણ કહે છે. સ્વયં પર પાછા આવવાનો અનુભવ એ જ દર્શન છે. બહારનો બધો જ કોલાહલ શાંત અને શૂન્ય થઈ જશે ત્યારે તમારી અંદર એક સ્વર લહેર જાગશે, એક નાદ ઉઠશે, એનાથી તમારા અંતરતમમાં ફૂલ ખીલશે. પરમાત્મા પરમ નાદ છે, એ અંતિમ સંગીત છે, એ લયની ચરમ અવસ્થા છે. પરમાત્મા એક ગીત છે, જે સાતત્યથી સનાતન કાળથી તમારા પ્રાણ ગાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આંખો, કાન અને ઇન્દ્રિયોના બધા દ્વાર બંધ કરી દે ત્યારે ગહન અંધકારની વચ્ચે પણ ભીતર એક શીતળ દિવો પ્રગટ થાય છે. એ રોશની તમારું અસ્તિત્વ છે, એ પ્રકાશ તમારો શ્વાસ છે, તમારો પ્રાણ છે. જ્યારે કોઈ બિલકુલ ચૂપ થઈ જાય ત્યારે ભીતર એક કાવ્યનો જન્મ થાય છે. તમારા જાપ કર્યા વગર ભીતર કશું ઊઠે છે, નામ આપોઆપ લેવાય છે. નાનક અને કબીર એને અજપાજપ કહે છે. ત્યારે મૂળ સ્ત્રોતની સાથે તમારો સંબંધ જોડાઇ જાય છે.

પ્રાર્થના નિમંત્રણ છે, પ્રાર્થના પોકાર છે, પ્રાર્થના પ્રેમ છે. પ્રાર્થના ત્યારે જ શુદ્ધ બને છે જ્યારે એ અંતરમાંથી થાય છે, હેતુ વિના થાય છે, માગણી વગર થાય છે ત્યારે ભીતરનો નાદ સંભળાવા લાગે છે. માટે જ વેદ, ઉપનિષદ અને કુરાનના વચનોમાં સૌંદર્ય છે કારણ કે એ ઈશ્વરી પ્રેરણાના અપૂર્વ વચનો છે. અહંકારી જ્ઞાતમાં રોકાઈ જાય છે, નિર્ અહંકારી અજ્ઞાતની યાત્રા પર નીકળે છે. તમારી સમજની ક્ષમતા ચમચી જેટલી છે અને કબીર તમારી સામે જે લઈને આવ્યા છે તે સાગર જેટલું છે. અણસમજૂનો અર્થ એ કે તમારી જાણવાની ક્ષમતા ઓછી છે અને કબીર જે દર્શાવી રહ્યા છે એ બહુ મોટો છે. માટે જ કબીર પોકારીને ડૂબી જવાનું નિમંત્રણ આપે છે, અજ્ઞાતમાં, અજ્ઞેયમાં, અનંતમાં જવાનું કહે છે- જેનો આરંભ તો છે પણ અંત ક્યાંય નથી.

આ સમગ્ર જગત એકનો જ આવિર્ભાવ છે. જ્યારે તમે જાગીને જિંદગી જીવવાની શરૂ કરો, હોશમાં રહો, ધ્યાનમાં રહો ત્યારે પાપ છૂટી જશે અને પુણ્ય આપોઆપ પ્રગટ થશે. તમારી પાસે અમૃત છે, તમામ બિમારીઓની દવા છે, તો શા માટે કોઈની સામે ભિક્ષાપાત્ર ફેલાવો છો? કબીર કહે છે ‘કહે કબીર મૈં પૂરા પાયા’ એટલે કે મને તમામ જગ્યાએ પરમાત્મા દેખાય છે – હું’ માં પણ, ‘તું’ માં પણ, આકાશમાં અને પૃથ્વીમાં પણ. આ દ્વૈત હટી જશે તો આત્મજ્ઞાન થઈ જશે.

કબીર કહે છે:’ મન લાગો મેરા યાર ફકીરી મેં’. કબીરની આ ફકીરી અલગ પ્રકારની છે, જે પરમાત્માના પ્રેમથી પેદા થાય છે. એક રસ્તા થાય છે એ પ્રેમની ફકીરી છે. એના ફૂલ ખીલે છે, પક્ષીઓ ગીત ગાય છે, ઝરણાઓ ફૂટીને વહે છે. કબીર કહે છે કે મારું મન પરમાત્માની ફકીરીમાં લાગી ગયું છે, તો હવે સંસારને પ્રેમ કેવી રીતે કરું? હવે ધનમાં, પદમાં કે સંસારમાં રસ નથી રહ્યો. કબીરની ફકીરી વિધાયક જ છે. ન સ્વર્ગની આકાંક્ષા છે, ન નર્કનો ભય છે. સંસાર બચ્યો જ નથી તો છોડવાની વાત જ નથી. પરમાત્મા સાથે એવો પ્રેમ થઇ ગયો છે કે દિલ બીજી કોઈ જગ્યાએ લાગતું જ નથી. હાથમાં પથ્થર લઈને નીકળ્યા હોઈએ અને રસ્તામાં હીરો મળે તો કંકર આપોઆપ છૂટી જશે. પથ્થર ક્યાં ને ક્યારે પડી ગયા તેની ખબર પણ નહીં પડે. સંસાર છોડવાથી પરમાત્મા મળે છે એ વાત ખોટી છે. પણ પરમાત્મા મળવાથી સંસાર છૂટી જાય છે એ સાચી વાત છે.

ધ્યાન એટલે અંતરયાત્રા, ધ્યાન એટલે શૂન્યતા જે પૂર્ણને પોકારે છે, ધ્યાન એટલે ચેતના, ધ્યાન એટલે એ જાણી લેવું કે હું કોણ છું. ધ્યાન એટલે એ જાણવું કે એ કોણ છે જે મારી ભીતર બોલે છે, શ્વાસ લે છે, ડોલે છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. ઘણાનો એવો અનુભવ છે કે જ્યારે પણ ધ્યાન કરવા બેસીએ તો ઊંઘ આવવા લાગે છે ઓશો કહે છે કે તમારી સમગ્ર ઊર્જા ધનપ્રાપ્તિની દોડમાં ખર્ચાઈ ગઈ છે. તમે એક કાણાવાળી બાલદી જેવા છો, જેને કુવામાં નાખીએ તો ખડખડાટ બહુ થાય છે. બાલદી પાણીમાં હોય ત્યારે ભરેલી દેખાય છે, પણ જરાક જ ઉપર ખેંચી કે પાણી ટપકવાનું શરૂ થઈ જાય છે અને જ્યારે આપણા હાથમાં આવે ત્યારે કશું જ બચતું નથી.

‘પ્રેમનગર મેં રહનિ હમારી, ભલિ બની આઈ સબૂરી મેં’
કબીર કહે છે કે જેવો પ્રેમ નગરમાં પ્રવેશ કર્યો બધી ઝંઝટોથી છૂટી ગયા. પ્રેમના નગરમાં મહત્વકાંક્ષા નથી, કોઈની સાથે હરીફાઈ નથી. જ્યાં તુલના નથી, ત્યાં પ્રેમ છે. પ્રેમ સ્વીકાર કરે છે. કોઈ કવિ છે, કોઈ સંગીતકાર છે, કોઈ વેપારી છે, કોઈ ડોક્ટર છે, કોઈ કંઈ છે, કોઈ કંઈ છે. પ્રેમ બધાનો સ્વીકાર કરે છે. સબૂરી એટલે કે ધીરજ રાખો, શ્રદ્ધા કેળવો, સંયમ રાખો, શાંતિ, મૌન અને પ્રેમથી પ્રતીક્ષા કરો.

એવું જોવા મળે છે કે મનુષ્ય ખરાબ આદતોમાં બંધાઈ જાય છે તેમ સારી આદતમાં પણ બંધાય છે. જેને મુક્ત થવું છે, તેને કોઈ આદત ન હોવી જોઈએ. સંસારથી મુક્ત થવાનો અર્થ છે- મનથી મુક્ત થવું અને મન એટલે મોહ, લોભ, કામ, ક્રોધ -આ બધાનો સરવાળો. અત્યારે મન પર જે અંધકારના સ્તર છે તે જ્યારે તમે પેદા થયા ત્યારે ન હતા. એકલા ભીતરથી મુક્ત થવું અસંભવિત છે, બહારથી પણ મુક્ત થવું પડશે.

ધ્યાનના અનેક પ્રકારો છે એ જ રીતે ભક્તિના પણ અનેક પ્રકારો છે. કોઈને મોગરાની સુગંધ ગમે છે, તો કોઈને રજનીગંધાની; કોઈને ફૂલોમાં એટલો રસ નથી જેટલો પાંદડા અને હરિયાળી હોય છે તો કેટલાકને નાની-નાની ઝાડીઓમાં રસ છે તો કોઈને ચાંદ – તારા સાથે વાતો કરતાં ઊંચા વૃક્ષોમાં રસ છે. જેવી જેની મોજ: જેને જે શોધવો હોય તે શોધે. અહીં બધા માટે દ્વાર છે. તમે પણ તમારું દ્વાર શોધી લો અને કબીરજીની જેમ બોલો: ‘કહે કબીર મૈં પૂરા પાયા’

રીટા જાની
28/10/2022

સંસ્પર્શ-૩૭

jigisha -સંસ્પર્શ -youtubeટાઢ કે તડકો અને વરસાદનું પડવું કવિતા

આવવું જાવું બીછડવું ને ફરી મળવું કવિતા

એ મહામંત્રી શૂન્યમાંથી આવનાર આપણું

પૂર્ણતા કાજે જીવનભર આથડ્યા કરવું કવિતા

માત્ર શબ્દો ચીતરી કોઈ રચી શકતું નથી 

કોઈવારે શબ્દનું નિ:શબ્દ થઈ રહેવું કવિતા

આ જગ્યા તો એકલા ચાલ્યા જવાનો માર્ગ છે

આવીને આખર વિસામે કોઈનું મળવું કવિતા

પાંખમાં પ્રોવાઈ જઈ આકાશની સીમા વળોટી

પિચ્છનું હળવાશથી નીછે તરફ ખરવું કવિતા

હાથ લાગ્યા જીર્ણ કાગળિયે ઝીણું ટાંકણ કરી

હો રહો યા વત સવિતા એટલું કહેવું કવિતા

નવા વર્ષની નવલ પ્રભાતે જીવનસંગીતની જીવન કવિતા સમજાવતાં કવિ ધ્રુવ ભટ્ટ્ની ખૂબ સરસ કવિતા લઈને આવી છું.આવો ,નવા વર્ષે આપણે જીવન કવિતાની રચના કેવીરીતે કરવી તે સમજી જીવન તરફનો આપણો અભિગમ તે તરફ કેળવીએ.

ઉપરોક્ત કવિતામાં કવિ ધ્રુવ ભટ્ટે કવિતા કોને કહેવાય તે વાત સમજાવતાં જીવનની કવિતા સમજાવે છે.ટાઢ, તડકો અને વરસાદનું પડવું કવિતા છે એમ કહી શિયાળો,ઉનાળો અને ચોમાસું વર્ષની ત્રણ ઋતુ હોય છે,એને જીવનની ઋતુ સાથે જોડતાં કવિ કહે છે, જેમ ત્રણ ઋતુથી વર્ષ પૂરું થાય છે ,તેમ જગતમાં આવવું ,જવું અને છૂટાં પડવું અને ફરી મળવું એ ત્રણ ક્રિયાથી જ જીવન કવિતા રચાય છે.બીજી વાત જીવનચક્રની પણ કહેવાય. ગીતાનાં સિધ્ધાંત પ્રમાણે સમજીએ તો આત્મા અમર છે અને ચોર્યાશી લાખ યોનીઓમાં જીવ જન્મે છે ,જીવે છે બધાંને મળે છે અને છૂટો પડે છે. આ જીવનચક્ર ચાલ્યા જ કરે છે.આ જ જીવનકવિતા છે.

બીજી પંક્તિમાં કવિ કહે છે શૂન્યમાંથી આવનારા આપણે ,જીવનભર પૂર્ણતા મેળવવા કાજે આથડ્યા કરીએ છીએ.એ કવિતાને ઈશોપનિષદે શાંતિ પાઠમાં આમ ગાઈ,

ૐ પૂર્ણમદ: પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે ।

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિય્યતે ॥

ઈશ્વર પૂર્ણ છે,સૃષ્ટિ પૂર્ણ છે,એ પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે. 

પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવા છતાં પૂર્ણ જ બચી રહે છે.

આમ પૂર્ણ ઈશ્વરની શોધમાં ,પૂર્ણમાંથી છૂટા પડેલ આપણે જીવનભર ભટક્યાં કરીએ છીએ. કવિ આગળ કહે છે, કે જીવનકવિતા રચવા માત્ર શબ્દો રચવાની જરુર નથી કે શબ્દોથી બોલી પ્રાર્થના કરવાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ક્યારેક નિશબ્દ થઈ ,મૌન ધરી ,અંતરનાં ઊંડાણમાં ડોકિયું કરીને 

પણ પૂર્ણ ને પામી શકાય છે. જ્યાં કોઈનાં સંગાથની જરૂર નથી,તેવા એકાંતને વિસામે બેસી અનહદનો નાદ સાંભળી , તેનો અનુભવ કરવો એજ ખરી જીવનકવિતા છે. 

મનની અંદરનાં આયનામાં , અનેક વિચારોમાં ભટકીને,અનેક પ્રતિબિંબ દેખાય ત્યારે માત્ર પોતાનું જ પ્રતિબિંબ શોધવા પ્રયત્નશીલ બનવું તે જ છે જીવન કવિતા.

કવિ ધ્રુવ ભટ્ટે આગળની પંક્તિમાં એક પક્ષીની વાત કરી જીવનકવિતાને સુંદર રીતે સમજાવી છે.સાંજ પડે આકાશમાં ઊડતું ,પોતાનાં માળા તરફ પાછું ફરી રહેલ , પક્ષીની પાંખમાંથી એકાદ પીંછું ખરી પડી ,હળવેથી આકાશની સીમા ઓળંગી ,ટહેલતું ટહેલતું ધરા તરફ આવે છે. બસ! એવી જ રીતે દુન્યવી માયાનાં આકાશમાંથી ખરીને આપણે સહજતાથી,નિ:શબ્દ બનીને પરમ તરફ ગતિ કરવાની છે. આપણાં આ જીર્ણ શરીરની માયામાંથી બહાર આવીને ઝીણું ઝીણું કાંતીને , સૂરજની જેમ અચળ રહીને, પરમતેજને અનુભવવાનો પ્રયત્ન કરવાનો છે. પૂર્ણમાંથી છૂટા પડેલ આપણે પૂર્ણતામાં સમાઈ જવાનું છે. 

આ જ છે આપણું જીવનસંગીત.અને આ જ છે આપણી જીવન કવિતા.નવા વર્ષની સવારે નવી પ્રતિબદ્ધતા સાથે નવજીવન જીવવા પ્રયત્નશીલ બનીએ.

જિગીષા દિલીપ

૨૬મી ઓક્ટોબર

વિસ્તૃતિ….37 જયશ્રી પટેલ


વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહા જ્યારે મેં વાંચી ને તે પછી મને શ્રી હસમુખ દવેનો ગુજરાતી અનુવાદ પ્રાપ્ત થયો તો હું ખૂબજ ખુશ થઈ. એ પુસ્તકની વધુ નજીક જાણે પહોંચી ગઈ. અહીં સંક્ષેપમાં રજુ કરું છું.
બર્મા જવા નીકળેલ શરદબાબુના જીવનમાં પડેલા ઘણા સંઘર્ષો જાણવા મળ્યા ખરેખર તેઓ જ્યારે કલકત્તા છોડી રંગૂન જઈ રહ્યાં હતા ત્યારે નાની પતરાની ટ્રંક લઈને વહાણમાં બેસવા ગયાં હતાં,ત્યાં તેમને લાંબી લચક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું અને ત્યાં મેડિકલ ચેકઅપ કરાવવું પડ્યું હતું કારણ ભારતમાંથી પ્લેગ બર્મા ગયો હતો. તેઓને માંડ માંડ બેસવાની જગ્યા મળી હતી. પરંતુ આખા વહાણમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અનેક સ્ત્રી-પુરુષો બર્મા જઈ રહ્યાં હતાં , જાણે એવું લાગી રહ્યું હતું કે તેઓ ભારત દર્શન કરી રહ્યાં છે .તેમને બર્મા પહોંચતા ચાર દિવસ લાગ્યાં હતાં .
શરદ બાબુ માટે આ નવો જ અનુભવ હતો તેમાં એક દિવસ સમુદ્રમાં તોફાન પણ આવ્યું,મોટા મોટા મોજાં વહાણ સાથે અથડાતાં હતા .લોકો જોર જોરથી ચિત્કાર કરતા હતાં.લોકોને વહાણમાં સીકનેસ શરૂ થઈ ગઈ હતી. ખૂબ ઉલટીઓ થતી ,ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ડોક્ટરે આવી દવા અને સફાઈ કરાવી હતી. નવા અનુભવ સાથે શરદબાબુ રંગૂન પહોંચ્યા હતા .જેમ જેમ રંગૂનનુ બંદર નજીક આવતું હતું તેમ તેમ સંભળાવવા લાગ્યું કવોરોંટીન થવું પડશે. બધાં મુસાફરોને કવોરોંટીન કરી અને પછી શહેરમાં દાખલ કર્યા .
ત્યારબાદ તે એક હોટલમાં રહ્યાં અને પછી માસા અઘોરનાથને ત્યાં પહોંચ્યા .તેમની હાલત તો જાણે ભિખારી જેવી જ થઈ ગઈ હતી .મેલા દાટ ફાટેલાં કપડાં , પગમાં તૂટેલી ચંપલ અને ખભા પર ફાટેલી ચાદર ,અસ્તવ્યસ્ત વાળ ,શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું. માસા અઘોરનાથને જોઈને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. માસા અઘોરનાથ તેની હાલત જોઈને ગભરાઈ ગયાં,તેને કહ્યું કે તે મારું નામ કેમ ન દીધું તું મહા મૂર્ખ છે ભલભલા લોકો મારી ઓળખ આપીને છટકી જાય છે .અઘોરનાથ ત્યાં એક જાણીતા એડવોકેટ હતા તેઓ ખૂબ જ મુક્તમનના હતા. તેમને ત્યાં શનિવારે ઘર પાર્ટી યોજાતી તેમાં ખાવા પીવાનુ તથા સંગીતની મહેફીલ જામતી .સર્વ ધર્મ જાતિનાં લોકો ત્યાં આવતા.માસા માસી એ તેમનું પ્રેમપૂર્વક અને ઉમળકાથી સ્વાગત કર્યું. ભાગલપુર અને ભવાનીપુરમાં જે અપમાન અને અવહેલના સહી હતી તેને બદલે અહીં પ્રેમ મળ્યો.
તેને બર્મી ભાષા શીખવી પડશે જો કાયદાનો અભ્યાસ કરવો હોય તો, એવી સલાહ માસાએ આપી.ત્રણ મહિના પછી શરદને બર્મા રેલવેની ઓડિટ ઓફિસમાં નોકરી મળી ગઈ .તે માસીની દીકરીને સંગીત પણ શીખવાડતા. હવે તેમને લાગ્યું હતું કે દુઃખનાં દિવસો વીતી ગયાં. બર્મી ભાષાની પરીક્ષા તે પાસ ન કરી શક્યા અને તેની નોકરી છૂટી ગઈ અને તેથી તે વકીલ ના બની શક્યા. તેમના પ્રેમાળ સ્વભાવને કારણે ત્યાં બંગાળી સમાજમાં તેમણે ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો .તેમનું સંગીત સાંભળવા અઘોરનાથને ત્યાં અનેક ભદ્ર બંગાળી લોકો આવતા .તેમાં ગિરીન્દ્રનાથ સરકાર સાથે તેને સારા સંબંધો બંધાયાં. તેઓ વિશેવપ્રવાસી હતાં. ખૂબ જાણકાર હતાં.તેમની સાથે ખૂબ સાહિત્યક ચર્ચા પણ થતી.
એક દિવસ માસી દીકરીનું લગ્ન નક્કી કરવા કલકત્તા ગયાં હતાં અને ત્યાં અઘોરનાથ ન્યૂમોનિયામાં પટકાયા. રાત્ર દિવસ જોયા વગર શરદે માસાની તનતોડ સેવાચાકરી કરી ,પણ એ ના બચી શક્યા .ફરી એકવાર તે નિરાધાર થઈ ગયા. અઘોરનાથના મૃત્યુ પછી તે ઘણાં વ્યક્તિઓને મળ્યા,ઘણાં અનુભવો પણ મેળવ્યા પણ દિશા ભૂલેલા વ્યક્તિ જેવા તેઓ બની ગયા.આજે તે રંગૂન હોય કે કાલે પૈંગુ માં ,વળી કોઈ વાર ઉત્તર બર્મામાં તે બૌદ્ધ સાધુ બનીને ઘણું ફર્યા ,પણ આવું ક્યાં સુધી ચાલે પોતાના ભાઈ બેન નિરાશ્રિત મૂકીને આવ્યા હતા.
તેથી તેણે એક્ઝામિનર પબ્લિક વર્કસ એકાઉન્ટની ઓફિસમાં 30 રૂપિયાની નોકરી પણ સ્વીકારી લીધી.

ત્યાં તેમની મણીન્દ્રકુમાર મિત્ર સાથે મુલાકાત થઈ .તેઓને તેના ગીતો ખૂબ ગમતા શરદ પર તેમને ખૂબ સ્નેહ હતો.તેઓને લાગતું કે શરદના કંઠમાં અલોકિક માધુર્ય છે .બરમામાં એક પછી એક અનેક નોકરીઓ બદલી વચ્ચે વચ્ચે બેકારી પણ આવી જતી. આ બેકારીનાં સમયમાં તે વાંસળી વગાડતા, શતરંજ રમતાં,શિકાર કરતાં,ક્યારેક ક્યારેક ભગવા વસ્ત્રોને શરણે પણ જતા પૌંગી બૌદ્ધ સાધના વેશમાં એની ચીર પરિચિત અને દિશાહીન યાત્રામાં નીકળી પડતા.જ્યારે થાકી જતા ત્યારે રંગૂન પાછા આવી જતાં.છેવટે તેમને મિત્ર મહોદયની કૃપાથી સ્થાયી નોકરી મળી ગઈ .પગાર પંચાસ રૂપિયા જો કે ત્રણ મહિના પછી સંતોષજનક કામને લઈને 65 રૂપિયા થયો હવે તેમનું સ્થાયી જીવન શરૂ થયું અને પગાર ₹90 રૂપિયા સુધી પહોંચી ગયો.
મણીન્દ્રનાથ મિત્ર સાથે જ રહેતા.બંને જણા સંગીત અને તત્વજ્ઞાનની ચર્ચા કરતા તે મિત્ર મહોદાયના બાળકોને પણ સંગીત શીખવાડતા બર્મામાં તેં સરકારી નોકરી કરતા માટે તેને ત્યાં બેંગોલ સોશિયલ ક્લબમાં પણ મેમ્બરશીપ મળી ગઈ .ક્લબના સભ્યો માટે મુખ્ય ગીત ગાયક થઈ ગયા.એમના મધુર કંઠે રવીન્દ્રનાથના ગીતો સાંભળી શ્રોતા ખુશ ખુશ થઈ જતાં.રંગુનમાં ત્યારે એક વાર શ્રી નવીનચંદ્ર પધાર્યા હતાં .બેંગાલ ક્લબમાં તેમના સન્માન નિમિત્તે શરદને ગાવાનું કહેવામાં આવ્યું અને શરદે પડદા પાછળ રહી ગાયું. ત્યારે તે નવીનચંદ્રને મળ્યા નહીં બહુ જ આગ્રહ છતાં પણ તે નવીનચંદ્રની સામે હાજર થતા નહીં કારણ સમજાતું નહીં .એકવાર કંઈ કામને અર્થે તેઓ નવીનચંદ્રના ઘરે પહોંચ્યા ત્યારે ન્યાયાધીશ શ્રી યતીન્દ્રનાથ સરકાર ત્યાં હાજર હતા શરદ આ જોઈને ઊભી પૂછડિયે ભાગી ગયા હતા .શ્રી નવીનચંદ્ર સેનના ત્યાં ત્તેમને જવું પડ્યું ત્યારે તેમણે કહ્યું કે હું તમારી ચાતકની જેમ રાહ જોતો હતો ,પણ શરદચંદ્રે તેમના પુત્ર નિર્મળ ચંદ્રના વખાણ કર્યા અને કહ્યું તે જો પહેલા ગાશે તો જ હું ગાઈશ .એ સમયે રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ સ્વામી રામકૃષ્ણનંદ પણ ત્યાં હાજર હતાં. તેમણે કહ્યું કે નિર્માણચંદ્ર, શરદચંદ્ર અને નવીનચંદ્ર બધા જ હાજર છે ,પણ મારે તો શરદ સુધા પાન કરવું છે .ત્યારે પણ ત્યારે પણ તેમણે ગાયું નહીં અને નિર્મળ ચંદ્ર પાસે ગવડાવ્યું ,ત્યારબાદ જ તેમણે ગાયું .નવીનચંદ્ર ભાવવિભોર થઈ ગયા અને તેમને *રંગૂન રત્નનો* ખિતાબ આપ્યો .શરદચંદ્ર આ ખિતાબ પચાવી શક્યા નહીં કે સાચવી શક્યા નહીં .ઉપેક્ષા અને અભિમાન્ય કારણે એક દિવસ એમણે કંઠનું માધુર્ય ગુમાવી દીધું અને ધીરે ધીરે સંગીત પ્રત્યે તેમને અરુચિ થઈ આવી .ક્યાંય પણ પહેલું ગીત ગાતા અને તેઓ અધૂરું મૂકીને ભાગી જતા .બીજું ગાવાનો તો પ્રશ્ન ઊઠતો જ નહીં ,પરંતુ એનો બીજો એક છુપાયેલો શોખ હતો વાંચન કોને ખબર હતી કે આ શોખ તેમને માટે ઊંચો શોખ બની જશે તેમના આ વારંવાર નાસી જવા કે ગાયબ થઈ જવા પાછળ એક અદભૂત લેખકની મૌન સાધના હતી .જે આપણને અમૂલ્ય શરદ સાહિત્ય આપી ગઈ .
મિત્રો આવતા અંકમાં ફરી આપણે શરદબાબુ વિશે નવું કંઈક જાણવાનો પ્રયત્ન કરશું.

અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૩/૧૦/૨૨

હેલીના માણસ – 40 | આજે નહીં તો કાલે | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-40 ‘આજે નહીં તો કાલે’ એની 39મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ :

બદલાશે જિંદગીની દશા આજકાલમાં, 

જોશે મનેય મારો ખુદા આજકાલમાં! 

પાલવ ખભેથી સ્હેજ સરકવાની વાર છે, 

મળશે મનેય મુઠ્ઠી હવા આજકાલમાં! 

હમણાં તો મારી જોડે ફક્ત ચાલતો રહે, 

પડશે તનેય ખૂબ મઝા આજકાલમાં! 

એકાદ બે વળાંક હવે આવશે ફક્ત, 

જોજે નવી ઊઘડશે દિશા આજકાલમાં! 

દીવામાં જેના તેલ હશે એ જ સળગશે, 

બાકીના હોલવાશે બધા આજકાલમાં! 

વર્ષોથી દિલને રાખ્યું તસલ્લીનાં ઘેનમાં, 

બસ થઈ જશે સમાપ્ત વ્યથા આજકાલમાં! 

માંગી છે મેં ખલીલ જગતભરનાં લાભમાં, 

નક્કી કબુલ થાશે દુવા આજકાલમાં! 

ખલીલ ધનતેજવી 

રસાસ્વાદ –

ઝંઝાવાતો સતતપણે આવીને જિંદગીને મુશ્કેલ બનાવતી હોય, એકથી પીછો છોડાવીએ ત્યાં જ બીજી મુસીબત સામે આવીને ઊભી રહે. આવામાં જીવવું દોહ્યલું બની જાય અને હતાશા ઘેરી વળે. પણ અહીં આપણે પોતાને સંભાળી લેવાની જરૂર છે. એને માટે ઈશ્વરમાં શ્રધ્ધા રાખી તેના ભરોસે મનને સમજાવવું જોઈએ કે, આ સમય પણ જતો રહેશે. 

બદલાશે જિંદગીની દશા આજકાલમાં, 

જોશે મનેય મારો ખુદા આજકાલમાં! 

સંસારની જવાબદારી અને પરિવારની સંભાળ રાખવામાં, દરેક દિવસ અને રાત એ રીતે વિતે છે કે, આપણે પોતે પણ એક માણસ છીએ, તે વાત વિસરી જવાય છે. મન મુંઝાતું રહે છે, શ્વાસ ઘુંટાતો રહે છે અને ત્યારે, મોકળાશ માટે જીવ તરફડી ઉઠે છે. ‘મારી અકળામણ પણ દુર થશે’ એ આશા જ આવા સમયે માણસને જીવાડી જાય છે. 

પાલવ ખભેથી સ્હેજ સરકવાની વાર છે, 

મળશે મનેય મુઠ્ઠી હવા આજકાલમાં! 

આપણે પોતે અનેક તકલીફો સાથે સંગ્રામ લડતા હોઈએ ત્યારે સાથીદાર પણ બાકાત ક્યાંથી રહે? ‘લાંબા સાથે ટુંકો જાય તો મરે નહીં તો માંદો થાય’ એ ન્યાયે હારીને ઉભા રહી જનાર આપણાં સાથીને, થોડી હકારાત્મક વાતોથી બહેલાવી, તેને આગળ વધવાનું પ્રોત્સાહન પુરું પાડવું જોઈએ અને ગતિમાન રહેવું જોઈએ. એ વલણ જ આગળ જતાં સફળતા અને ખુશી આપી શકે. 

હમણાં તો મારી જોડે ફક્ત ચાલતો રહે, 

પડશે તનેય ખૂબ મઝા આજકાલમાં! 

કોઈ બાળકને લઈને આપણે ચાલતા, કોઈ સ્થળે જવા નીકળ્યા હોઈએ તો, બને કે, બાળક વારંવાર પ્રશ્ન કરશે, ‘હવે કેટલી વાર લાગશે?’ તો ‘બસ આ આવી ગયું.’ એ પ્રકારના જવાબો આપીને તેને ચાલતા રહેવાનો જોશ પુરો પાડીશું. આપણે પણ જીવનમાં ક્યારેય અટકીએ, તો આવી જ વાતો વિચારીને આગળ વધતા રહેવું પડે. અને હૈયાધારણ રાખવી પડે કે, બસ હવે એકાદ બે વળાંક પછી મંઝિલ તરફની દિશા ઊઘડશે

એકાદ બે વળાંક હવે આવશે ફક્ત, 

જોજે નવી ઊઘડશે દિશા આજકાલમાં! 

દરેક વ્યક્તિમાં રહેલી આવડત જુદી જુદી હોય છે. દરેકના રસનો વિષય પણ અલગ હોય. એટલે જ્યારે કોઈ સ્પર્ધામાં અનેક જણ ભાગ લેતા હોય, ત્યારે ખરેખર એ સ્પર્ધા માટે જે સૌથી વધુ યોગ્ય હોય, જેને એ વિષય વિશે સૌથી વધુ જાણકારી હોય, જ્ઞાન હોય, તે જ છેક સુધી ટકી રહેશે. બાકીના ક્રમશઃ અટકી જશે. 

દીવામાં જેના તેલ હશે એ જ સળગશે, 

બાકીના હોલવાશે બધા આજકાલમાં! 

વ્યથા જ્યારે ચારે તરફથી ઘેરી વળે ત્યારે જીવન આકરૂં થઈ પડે. આ સ્થિતિમાં જો નિરાશ થઈને બેસી રહો, તો હતાશા કોઈ ખોટું પગલું ભરવા પણ મજબુર કરી દે. તેને બદલે અરે, આજ નહીં તો કાલે, સફળતા જરૂર મળશે એવી આશા સાથે વધતા રહીએ તો ખરેખર તેવું જ થાય. 

વર્ષોથી દિલને રાખ્યું તસલ્લીના ઘેનમાં, 

બસ થઈ જશે સમાપ્ત વ્યથા આજકાલમાં! 

માણસ જિંદગીભર કંઈ ને કંઈ દુવા માંગતો જ રહે છે. જીવનમાં આવતી તકલીફોનો સામનો કરવા તેને માટે એ અનિવાર્ય છે. તકલીફ સાથે દુવા ભળે એટલે જીવનનૈયા સમતોલ રહે. પણ જો દુવા કોઈ બીજાને માટે માંગવામાં આવે તો તે અચૂક ફળે છે

માગી છે મેં ખલીલ જગતભરનાં લાભમાં, 

નક્કી કબુલ થાશે દુવા આજકાલમાં! 

આપણું કામ કોઈને સોંપવું પડે અને તે કહે કે, ‘થઈ જશે આજકાલમાં’ તો આપણને રાહત થાય કે, ચાલો કામ થશે તો ખરૂં આજે નહીં તો કાલે. મિત્રો, હતાશાથી છુટકારો મેળવવા માટે આવું વિચારવું ખરેખર જરૂરી છે. ખરું ને? બીજી એક ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, નમસ્કાર 

રશ્મિ જાગીરદાર 



વિસ્તૃતિ….૩૫-જયશ્રી પટેલ

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહા જ્યારે મેં વાંચી ને તે પછી મને શ્રી હસમુખ દવેનો ગુજરાતી અનુવાદ પ્રાપ્ત થયો તો હું ખૂબજ ખુશ થઈ. એ પુસ્તકની વધુ નજીક જાણે પહોંચી ગઈ. અહીં સંક્ષેપમાં રજુ કરું છું.
બર્મા જવા નીકળેલ શરદબાબુના જીવનમાં પડેલા ઘણા સંઘર્ષો જાણવા મળ્યા ખરેખર તેઓ જ્યારે કલકત્તા છોડી રંગૂન જઈ રહ્યાં હતા ત્યારે નાની પતરાની ટ્રંક લઈને વહાણમાં બેસવા ગયાં હતાં,ત્યાં તેમને લાંબી લચક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું અને ત્યાં મેડિકલ ચેકઅપ કરાવવું પડ્યું હતું કારણ ભારતમાંથી પ્લેગ બર્મા ગયો હતો. તેઓને માંડ માંડ બેસવાની જગ્યા મળી હતી. પરંતુ આખા વહાણમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અનેક સ્ત્રી-પુરુષો બર્મા જઈ રહ્યાં હતાં , જાણે એવું લાગી રહ્યું હતું કે તેઓ ભારત દર્શન કરી રહ્યાં છે .તેમને બર્મા પહોંચતા ચાર દિવસ લાગ્યાં હતાં .
શરદ બાબુ માટે આ નવો જ અનુભવ હતો તેમાં એક દિવસ સમુદ્રમાં તોફાન પણ આવ્યું,મોટા મોટા મોજાં વહાણ સાથે અથડાતાં હતા .લોકો જોર જોરથી ચિત્કાર કરતા હતાં.લોકોને વહાણમાં સીકનેસ શરૂ થઈ ગઈ હતી. ખૂબ ઉલટીઓ થતી ,ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ડોક્ટરે આવી દવા અને સફાઈ કરાવી હતી. નવા અનુભવ સાથે શરદબાબુ રંગૂન પહોંચ્યા હતા .જેમ જેમ રંગૂનનુ બંદર નજીક આવતું હતું તેમ તેમ સંભળાવવા લાગ્યું કવોરોંટીન થવું પડશે. બધાં મુસાફરોને કવોરોંટીન કરી અને પછી શહેરમાં દાખલ કર્યા .
ત્યારબાદ તે એક હોટલમાં રહ્યાં અને પછી માસા અઘોરનાથને ત્યાં પહોંચ્યા .તેમની હાલત તો જાણે ભિખારી જેવી જ થઈ ગઈ હતી .મેલા દાટ ફાટેલાં કપડાં , પગમાં તૂટેલી ચંપલ અને ખભા પર ફાટેલી ચાદર ,અસ્તવ્યસ્ત વાળ ,શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું. માસા અઘોરનાથને જોઈને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. માસા અઘોરનાથ તેની હાલત જોઈને ગભરાઈ ગયાં,તેને કહ્યું કે તે મારું નામ કેમ ન દીધું તું મહા મૂર્ખ છે ભલભલા લોકો મારી ઓળખ આપીને છટકી જાય છે .અઘોરનાથ ત્યાં એક જાણીતા એડવોકેટ હતા તેઓ ખૂબ જ મુક્તમનના હતા. તેમને ત્યાં શનિવારે ઘર પાર્ટી યોજાતી તેમાં ખાવા પીવાનુ તથા સંગીતની મહેફીલ જામતી .સર્વ ધર્મ જાતિનાં લોકો ત્યાં આવતા.માસા માસી એ તેમનું પ્રેમપૂર્વક અને ઉમળકાથી સ્વાગત કર્યું. ભાગલપુર અને ભવાનીપુરમાં જે અપમાન અને અવહેલના સહી હતી તેને બદલે અહીં પ્રેમ મળ્યો.
તેને બર્મી ભાષા શીખવી પડશે જો કાયદાનો અભ્યાસ કરવો હોય તો, એવી સલાહ માસાએ આપી.ત્રણ મહિના પછી શરદને બર્મા રેલવેની ઓડિટ ઓફિસમાં નોકરી મળી ગઈ .તે માસીની દીકરીને સંગીત પણ શીખવાડતા. હવે તેમને લાગ્યું હતું કે દુઃખનાં દિવસો વીતી ગયાં. બર્મી ભાષાની પરીક્ષા તે પાસ ન કરી શક્યા અને તેની નોકરી છૂટી ગઈ અને તેથી તે વકીલ ના બની શક્યા. તેમના પ્રેમાળ સ્વભાવને કારણે ત્યાં બંગાળી સમાજમાં તેમણે ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો .તેમનું સંગીત સાંભળવા અઘોરનાથને ત્યાં અનેક ભદ્ર બંગાળી લોકો આવતા .તેમાં ગિરીન્દ્રનાથ સરકાર સાથે તેને સારા સંબંધો બંધાયાં. તેઓ વિશેવપ્રવાસી હતાં. ખૂબ જાણકાર હતાં.તેમની સાથે ખૂબ સાહિત્યક ચર્ચા પણ થતી.
એક દિવસ માસી દીકરીનું લગ્ન નક્કી કરવા કલકત્તા ગયાં હતાં અને ત્યાં અઘોરનાથ ન્યૂમોનિયામાં પટકાયા. રાત્ર દિવસ જોયા વગર શરદે માસાની તનતોડ સેવાચાકરી કરી ,પણ એ ના બચી શક્યા .ફરી એકવાર તે નિરાધાર થઈ ગયા. અઘોરનાથના મૃત્યુ પછી તે ઘણાં વ્યક્તિઓને મળ્યા,ઘણાં અનુભવો પણ મેળવ્યા પણ દિશા ભૂલેલા વ્યક્તિ જેવા તેઓ બની ગયા.આજે તે રંગૂન હોય કે કાલે પૈંગુ માં ,વળી કોઈ વાર ઉત્તર બર્મામાં તે બૌદ્ધ સાધુ બનીને ઘણું ફર્યા ,પણ આવું ક્યાં સુધી ચાલે પોતાના ભાઈ બેન નિરાશ્રિત મૂકીને આવ્યા હતા.
તેથી તેણે એક્ઝામિનર પબ્લિક વર્કસ એકાઉન્ટની ઓફિસમાં 30 રૂપિયાની નોકરી પણ સ્વીકારી લીધી.

ત્યાં તેમની મણીન્દ્રકુમાર મિત્ર સાથે મુલાકાત થઈ .તેઓને તેના ગીતો ખૂબ ગમતા શરદ પર તેમને ખૂબ સ્નેહ હતો.તેઓને લાગતું કે શરદના કંઠમાં અલોકિક માધુર્ય છે .બરમામાં એક પછી એક અનેક નોકરીઓ બદલી વચ્ચે વચ્ચે બેકારી પણ આવી જતી. આ બેકારીનાં સમયમાં તે વાંસળી વગાડતા, શતરંજ રમતાં,શિકાર કરતાં,ક્યારેક ક્યારેક ભગવા વસ્ત્રોને શરણે પણ જતા પૌંગી બૌદ્ધ સાધના વેશમાં એની ચીર પરિચિત અને દિશાહીન યાત્રામાં નીકળી પડતા.જ્યારે થાકી જતા ત્યારે રંગૂન પાછા આવી જતાં.છેવટે તેમને મિત્ર મહોદયની કૃપાથી સ્થાયી નોકરી મળી ગઈ .પગાર પંચાસ રૂપિયા જો કે ત્રણ મહિના પછી સંતોષજનક કામને લઈને 65 રૂપિયા થયો હવે તેમનું સ્થાયી જીવન શરૂ થયું અને પગાર ₹90 રૂપિયા સુધી પહોંચી ગયો.
મણીન્દ્રનાથ મિત્ર સાથે જ રહેતા.બંને જણા સંગીત અને તત્વજ્ઞાનની ચર્ચા કરતા તે મિત્ર મહોદાયના બાળકોને પણ સંગીત શીખવાડતા બર્મામાં તેં સરકારી નોકરી કરતા માટે તેને ત્યાં બેંગોલ સોશિયલ ક્લબમાં પણ મેમ્બરશીપ મળી ગઈ .ક્લબના સભ્યો માટે મુખ્ય ગીત ગાયક થઈ ગયા.એમના મધુર કંઠે રવીન્દ્રનાથના ગીતો સાંભળી શ્રોતા ખુશ ખુશ થઈ જતાં.રંગુનમાં ત્યારે એક વાર શ્રી નવીનચંદ્ર પધાર્યા હતાં .બેંગાલ ક્લબમાં તેમના સન્માન નિમિત્તે શરદને ગાવાનું કહેવામાં આવ્યું અને શરદે પડદા પાછળ રહી ગાયું. ત્યારે તે નવીનચંદ્રને મળ્યા નહીં બહુ જ આગ્રહ છતાં પણ તે નવીનચંદ્રની સામે હાજર થતા નહીં કારણ સમજાતું નહીં .એકવાર કંઈ કામને અર્થે તેઓ નવીનચંદ્રના ઘરે પહોંચ્યા ત્યારે ન્યાયાધીશ શ્રી યતીન્દ્રનાથ સરકાર ત્યાં હાજર હતા શરદ આ જોઈને ઊભી પૂછડિયે ભાગી ગયા હતા .શ્રી નવીનચંદ્ર સેનના ત્યાં ત્તેમને જવું પડ્યું ત્યારે તેમણે કહ્યું કે હું તમારી ચાતકની જેમ રાહ જોતો હતો ,પણ શરદચંદ્રે તેમના પુત્ર નિર્મળ ચંદ્રના વખાણ કર્યા અને કહ્યું તે જો પહેલા ગાશે તો જ હું ગાઈશ .એ સમયે રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ સ્વામી રામકૃષ્ણનંદ પણ ત્યાં હાજર હતાં. તેમણે કહ્યું કે નિર્માણચંદ્ર, શરદચંદ્ર અને નવીનચંદ્ર બધા જ હાજર છે ,પણ મારે તો શરદ સુધા પાન કરવું છે .ત્યારે પણ ત્યારે પણ તેમણે ગાયું નહીં અને નિર્મળ ચંદ્ર પાસે ગવડાવ્યું ,ત્યારબાદ જ તેમણે ગાયું .નવીનચંદ્ર ભાવવિભોર થઈ ગયા અને તેમને *રંગૂન રત્નનો* ખિતાબ આપ્યો .શરદચંદ્ર આ ખિતાબ પચાવી શક્યા નહીં કે સાચવી શક્યા નહીં .ઉપેક્ષા અને અભિમાન્ય કારણે એક દિવસ એમણે કંઠનું માધુર્ય ગુમાવી દીધું અને ધીરે ધીરે સંગીત પ્રત્યે તેમને અરુચિ થઈ આવી .ક્યાંય પણ પહેલું ગીત ગાતા અને તેઓ અધૂરું મૂકીને ભાગી જતા .બીજું ગાવાનો તો પ્રશ્ન ઊઠતો જ નહીં ,પરંતુ એનો બીજો એક છુપાયેલો શોખ હતો વાંચન કોને ખબર હતી કે આ શોખ તેમને માટે ઊંચો શોખ બની જશે તેમના આ વારંવાર નાસી જવા કે ગાયબ થઈ જવા પાછળ એક અદભૂત લેખકની મૌન સાધના હતી .જે આપણને અમૂલ્ય શરદ સાહિત્ય આપી ગઈ .
મિત્રો આવતા અંકમાં ફરી આપણે શરદબાબુ વિશે નવું કંઈક જાણવાનો પ્રયત્ન કરશું.

અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૩/૧૦/૨૨

સંસ્પર્શ-૩૬

jigisha -સંસ્પર્શ -youtube

આલ્લે આ તો ખરેખરી થઈ અમે મજામાં તમે મજામાં

કૌતુક જેવી વાત બની ગઈ અમે મજામાં તમે મજામાં

નામ ઠામ ને નાણું -ભાણું ગોઠવતાંમાં રાત પડી ગઈ

જાતને આગળ ધરતાં ધરતાં આખે આખી જાત મરી ગઈ

અંદરખાને કબર બની ગઈ. અમે મઝામાં તમે મજામાં

આલ્લે આ તો ખરેખરી થઈ અમે મઝામાં તમે મજામાં

જાગ્યા ત્યારથી સૂતા સુધીમાં હસ્યા મહીંનું સાચું કેટલું

મન તો ઠાલું ઝળાંહળાં છે સાવ તૂટેલા કાચ જેટલું

હાથ મિલાવો ટેવ પડી ગઈ અમે મજામાં તમે। મજામાં

આલ્લે આ તો ખરેખરી થઈ અમે મજામાં તમે મજામાં

મિત્રો, 

કવિ ધ્રુવ ભટ્ટ તેમના દરેક ધ્રુવગીતમાં હંમેશા એક નવીન વિચાર અને જીવનની સચ્ચાઈ આપણી સમક્ષ રજૂ કરે છે. 

આ ગીતમાં કવિ આપણી દરેક જણ સાથે થતી સહજ વાતચીતની વાત મૂકીને બહુ જ ગહન વિચાર રજૂ કરી દીધો છે.

આમાં કૌતુક શું છે? કૌતુક એ છે કે આપણી અમૂલ્ય જિંદગી આપણે કંઈપણ ઠોસ હેતુ સાથે જીવ્યા વગર માત્ર લોકો સમક્ષ સારા દેખાવાનો દેખાડો કરી, ખબર પૂછી અને વ્યર્થ વાતોમાં ગુમાવીએ છીએ. આપણે અંદરથી કંઈ જુદું અનુભવતા હોઈએ છીએ અને બહાર મોં પર હસીને બતાવીએ છીએ કંઈ બીજું.આ દેખાડાથી મોટું બીજું શું કૌતુક હોઈ શકે!

આગલની પંક્તિમાં કહે છે ,આખી જિંદગી નામ કમાવવામાં,ઘર બનાવવામાં,પૈસા કમાવવામાં અને બેંક બેલેન્સ ભેગું કરવામાં જ પૂરી થઈ ગઈ. આપણે જે કરવા આવ્યા હતાં તે કર્યા વગર જ જાણે કોઈ હેતુ વગરનું જીવન જીવી ,પંચાત કરીને જીવન વિતાવ્યું અને જીવન પુરુ થઈ ગયું. ખબર જ ન પડી અને મોત બારણે ટકોરા મારવા આવી ગયું. જાતને લોકો સમક્ષ જુદી જ ચિતરવામાં અને જે છે તે નહીં બતાવવાનાં દંભ કરવામાં આપણી અંદર રહેલી સારપ ,આત્માની સુંદરતા જ મરી ગઈ. આપની ભીતર આપણે સ્મશાન ઊભુ્ં કરી દીધું અને જાતને તેમાં કબર બનાવી પૂરી દીધી.માત્ર ઉપરછલ્લું અમે મજામાં તમે મજામાં કરી જીવન પૂરું કર્યું ,તે તેમના અદ્ભૂત શબ્દોમાં રજૂ કરતા કહે છે કે ‘લે આ તો ખરેખરી થઈ ગઈ.’

જ્યારે કવિ નામ -ઠામ અને નાણું -ભાણું ગોઠવતાં રાત પડી ગઈ તેમ કહે છે ત્યારે મને ‘તિસરી મંઝીલ’ ફિલ્મનું શૈલેન્દ્રજીનું ગીત યાદ આવે છે,

લડકપન ખેલમેં ખોયા

જવાની નિંદ ભર સોયા

બુઢાપા દેખ કર રોયા

વહી કિસ્સા પુરાના હૈ

આમ જીવનની સફર ક્યારે શરુ થઈ અને જોતજોતાંમાં પૂરી થઈ જાય છે.આ કિસ્સો લગભગ સામાન્ય જીવન જીવતાં દરેક માણસનો છે.

ગીતની આગળની પંક્તિમાં કવિ આપણાં દંભી જીવનની વાત કરે છે. આપણે દિવસ ઊગે અને આથમે ત્યાં સુધીમાં અનેક લોકોને મળીએ છીએ. બધાં સાથે હસી મજાક કરીએ છીએ.આપણને ગમતાં અને ન ગમતાં સૌ સાથે બહારથી તો આપણે ખૂબ પ્રેમ હોય તેવો વ્યવહાર કરીએ છીએ. પરતું કેટલાયની સાથે હાથ મેળવતાં અંદરથી તો આપણે તેને નફરત કરતાં હોઈએ કે તેના પર ઈર્ષા થતી હોય પણ બહારથી આપણે તેને હસીને નવાજીએ છીએ. એટલે કવિ માણસની દંભી અવસ્થાની વાત કરતાં પૂછે છે? તમે જેટલાં લોકોને મળીને ભેટ્યા કે હસ્યાં તેમાં ખરેખર તમે અંતરથી સાચું કેટલાં જણને મળીને હસ્યાં?

તેનું સુંદર દ્રષ્ટાંત આપતા કવિ કહે છે કાચનો તૂટેલો ટુકડો,કટકો થઈ ગયો હોય છતાં આખો કાચ હોય તેના કરતાં પણ કાચનો ટૂકડો વધારે ચમકે છે. કવિ તૂટેલા મનને તૂટેલા કાચનાં ટુકડા સાથે સરખાવે છે.આપણને સૌને દરેક સાથે હાથ મિલાવી ઉપરછલ્લું હસવાની અને કેમછો,મજામાં છો કહી વ્યર્થ જીવન જીવવાની ટેવ પડી ગઈ છે. કાચ તૂટેલો વધારે ચમકે છે તેમ તૂટેલું મન બહાર હસવાનો દેખાવ કરી લોકો સામે પોતાની સારપની ચમક બતાવવાનો લૂલો પ્યાસ કરે છે. આમ કહી કવિ કહેવા માંગે છે કે તમારી અંદર રહેલ દ્વેષ,ઈર્ષા,ભેદભાવ મિટાવી દરેકને સાચો પ્રેમ અંદરથી કરવો જોઈએ. 

કવિ ધ્રુવ ભટ્ટે એક મિત્ર સાથે હસતા હસતા કહેતા હોય તેમ સહજતાપૂર્વક આ કવિતામાં આલ્લે કહી, માણસોનાં જીવનનાં ખરેખરાં નગ્ન સત્યને રજૂ કર્યું છે.

જિગીષા દિલીપ

૧૯મી ઓક્ટોબર ૨૦૨૨

હેલીના માણસ – 39 | સંસ્કાર | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-39 ‘સંસ્કાર’ એની 38મી ગઝલ અને રસાસ્વાદ. આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ :

ચહેરા વાંકે આયનો તોડો નહીં, 

આયનો જોવાનું પણ છોડો નહીં! 

 

જિંદગીભરની સફર લાંબી સફર, 

ધીમેથી ચાલો બહું દોડો નહીં! 

 

હાથ ઝાલો તો કિનારે લઈ જજો, 

સાવ અધવચ્ચે કદી છોડો નહીં! 

 

પ્રેમ દર્શન છે પ્રદર્શન ના કરો, 

એની મહેફિલ હોય વરઘોડો નહીં!

 

જો ન ફાવે તો ગળે ના લાગશો, 

હાથ કોઈનો ય તરછોડો નહીં! 

 

આ સમયના માથે ક્યાં છે પાઘડી, 

પગમાં ચપ્પલ પણ નહીં જોડો નહીં! 

 

જો ખલીલ આંખો છે મારી આયનો, 

દ્રશ્યના પથ્થર વડે ફોડો નહીં! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ – 

‘દુઃખે પેટ ને કુટે માથુ’ આવી એક કહેવત છે. નાના બાળકને અને મોટાઓને પણ જ્યારે પોતાની સાચી સમશ્યા ન જણાવવી હોય ત્યારે પોતાની નારાજગી કે, ગુસ્સો બતાવવા માટે બીજું જ બહાનું કાઢે છે. જે પ્રમાણમાં દેખીતું હોય. આને બિલકુલ મળતી કહેવત હિંદીમાં પણ છે. ‘નાચ ન જાને આંગન ટેઢા’  અહીં પોતાની અણઆવડત છુપાવવા બીજાનો વાંક કાઢવાની વાત છે. ખલીલ સાહેબ કહે છે કે, આયનામાં દેખાતું તમારું મોં ન ગમે, તેથી આયનો ન તોડાય અને આયનામાં જોવાનું પણ ન છોડાય. એ તો જે હશે તે દેખાડશે, સાચા મિત્રોની જેમ. 

ચહેરા વાંકે આયનો તોડો નહીં, 

આયનો જોવાનું પણ છોડો નહીં! 

કોઈ સ્થળે પહોંચવા માટે તે દિશામાં પ્રયાણ તો કરવું પડે. ત્યાં પહોંચવામાં જરૂરી સમય તો લાગે જ. એના માટે ખોટી ઉતાવળ કરવી યોગ્ય નથી. એમાં ય જિંદગીની સફર તો જ્યારે પતવાની હોય ત્યારે જ પતે. આપણા ચાલવાથી કે દોડવાથી એમાં કોઈ ફેર ન પડે. ઘણાંનો સ્વભાવ એટલો ઉતાવળીયો હોય કે, એ વાતવાતમાં ‘જલદી કરો, જલદી કરો’ બોલશે. પણ બધું જલદી પતાવીને જવું છે ક્યાં? 

જિંદગીભરની સફર લાંબી સફર, 

ધીમેથી ચાલો બહું દોડો નહીં! 

સામાન્યરીતે આપણે ભગવાનને કહેતા હોઈએ છીએ કે, મારી જીવનનાવ તમારે સહારે છે પ્રભુ, એને પાર ઉતારજો અધવચ્ચે ક્યાંય છોડશો નહીં. આપણે પણ કોઈને, કોઈ બાબતે મદદ કરીએ તો એની જરૂરીયાત પ્રમાણે છેક સુધી સાથે રહેવું જોઈએ. એક વાર કોઈનો હાથ પકડો તો પછી છોડવો ન જોઈએ. ફાવે તેમ છે કે, નહીં તે પહેલાં વિચારવું જોઈએ. 

હાથ ઝાલો તો કિનારે લઈ જજો, 

સાવ અધવચ્ચે કદી છોડો નહીં! 

કોઈને કોઈ માટે ખરેખર પ્રેમ હોય તો એનો દેખાડો કરવાની જરૂર ન પડે. એનાં દર્શન અનાયાસ થતાં હોય છે. એને ન તો જતાવવાની જરૂર છે, ન જણાવવાની. સામેવાળાને એનો અહેસાસ થઈ જતો હોય છે. માતાને પોતાના બાળક માટે કેટલો પ્રેમ છે, તેની વાત માતા ક્યારેય નહીં કરે, છતાં દુનિયાભરનાં બાળકો જાણે છે કે, માતાનો પ્રેમ અણમોલ છે અતૂલ્ય છે. 

પ્રેમ દર્શન છે પ્રદર્શન ના કરો, 

એની મહેફિલ હોય વરઘોડો નહીં!

સંસારના બધા સંબંધો, દરેકને ગમે જ તેવું નથી હોતું. પરંતુ તેમ છતાં બધા જ સંબંધોને નિભાવવા પડે છે. ખરેખર તો આપણે સંબંધો નિભાવવા જોઈએ. અમુક વ્યક્તિઓ આપણને મળે કે, આપણે ઘેર આવે તો આપણને ખૂબ ગમે છે. અંદરથી એક ઉમળકો આવે છે. અને આપણે અનાયાસ જ એને ભેટી પડીએ છીએ. તો જેના માટે ખાસ લાગણી ના હોય અથવા થોડું મનદુઃખ થયું હોય, તેવી વ્યક્તિને મળીએ ત્યારે ભેટી ન પડીએ, તે સ્વાભાવિક છે, પણ તેની સાથે હાથ મેળવીને આવકાર તો આપવો જ જોઈએ. તે આપણાં સંસ્કાર છે. 

જો ન ફાવે તો ગળે ના લાગશો, 

હાથ કોઈનો ય તરછોડો નહીં! 

દરેકને સારા નરસા દિવસોનો અનુભવ થતો હોય છે. એક સરખા દિવસો કોઈના રહેતા નથી. મોંઘી ગાડીઓમાં ફરનારને પગપાળા ચાલવાના દિવસો આવી જાય ત્યારે એવું પણ બને કે, પગમાં પહેરવા ચપ્પલ કે બુટ પણ તેની પાસે ન હોય. સમય પણ ક્યાં ઓળખ આપીને આવે છે? એવી કોઈ ઓળખ હોય સમયની, તો ખબર પડે ને! 

આ સમયના માથે ક્યાં છે પાઘડી, 

પગમાં ચપ્પલ પણ નહીં જોડો નહીં! 

ખલીલ સાહેબ કહે છે કે, મારી આંખો આયના જેવી છે. એમાં મનગમતા અને અણગમતાં એમ બધાં ય દ્રશ્યો ઝીલાતાં રહે છે. મહેરબાની કરીને એવું કોઈ દ્રશ્ય ન મોકલશો જે પથ્થરનુ કામ કરે અને આંખના આયનાને તોડી જ નાખે. 

જો ખલીલ આંખો છે મારી આયનો, 

દ્રશ્યના પથ્થર વડે ફોડો નહીં!

આપણે કયા સંજોગોમાં શું કરવું જોઈએ અને શું ન જ કરાય તે સમજી લેવું જરૂરી છે. અમુક હદથી બદતર વર્તન ન કરવું, તે આપણાં સંસ્કાર છે. અને કોઈ સંજોગોમાં એ ન ગુમાવાય! સંસ્કાર જ મનુષ્યની ઓળખ છે. અને એ જ બીજાં પ્રાણીઓથી આપણને અલગ પાડે છે. મિત્રો, ખલીલ સાહેબની આ ગઝલ ગમી આપને? બીજી આવી જ ગઝલ લઈને મળીશું આવતા એપીસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

વિસ્તૃતિ… ૩૪-જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


મેં વાંચેલી વિષ્ણુ પ્રભાકરની આવારા મસીહામાંથી શરદ બાબુ વિશે થોડી વાતો અહીં સંક્ષિપ્તમાં ગુજરાતીમાં રજુ કરું છું આવારા મસીહાનો ગુજરાતી અનુવાદ શ્રી હસમુખ દવેએ પણ કર્યો છે જે મને સુંદર માર્ગદર્શન રૂપ બન્યો છે. બન્ને મહાનુભાવોને હું દિલથી વંદન કરું છું
આગળના એક અંશમાં મેં જણાવ્યું હતું કે શરદને નિશાનાથ સાથે ઓળખાણ થઈ હતી ને તેમાં મધુર કંઠને સાંભળી તેઓ તેમને ત્યાં શરદને લઈ ગયાં હતા.નિશાનાથે ત્યાં શરદ બાબુ ને તેમના મોટાભાઈ શિખરનાથ સાથે પરિચય કરાવ્યો. શિખરનાથના પત્ની તેમને એક લેખક તરીકે ઓળખતા હતાં. શરદને મુઝફ્ફરપુરમાં રહેવા માટે ઘર મળી ગયું .બે મહિના પસાર થઈ ગયાં અનાથની જેમ આવેલા શરદને ત્યાં ઘણાં મિત્રો મળ્યાં મહાદેવ સાહુ એક ધનિક જમીનદાર હતા. તેઓ સાથે ઘનિષ્ઠતા થઈ સંગીતની મહેફિલ તેમના ઘરે જામતી ઘરે પહોંચતા મોડું થતું ઘરની ગૃહમાતા તેને પુત્રની જેમ પ્રેમ કરતી તેની જમવાની રાહ જોતી શિખર નાથે શરદને મોડા આવવા માટે ટકોર કરી અને વહેલાં આવવા સમજાવ્યું. શરદને ભૂલ સમજાય . તેણે મેસમાં રહેવા જવાનું વિચાર્યું. ત્યારબાદ મહાદેવ સાહુને ત્યાં રહેવાનું વિચાર્યું .ઉઠતા ,બેસતા ,જાગતા તે મિત્ર સાહુ સાથે જ ફરવા લાગ્યા. કાર્ય પણ કરવા લાગ્યા. નીરદા નામની પ્રેમિકા તેમને ધોકો દઈને ભાગલપુરથી જતી રહી હતી ને પોલીસ સાથે પરણી હતી. મુઝફ્ફરપુરમાં રહેતી હતી તેને શોધી કાઢી પણ પેલી પ્રેમિકાએ તેમને ઓળખવાની ના કહી અને તેણે તેના પતિને ફરિયાદ કરી. પોલીસ હોવાને કારણે તેણે શરદને ખૂબ માર માર્યો , એટલો બધો માર ખાવાથી તે બેભાન થઈ ગયા છતાંય તેમના પ્રેમનો ભ્રમ ન ભાગ્યો .
એ જ સમયે શરદને રાજબાલા નામની સુંદર યુવતી સાથે ઓળખાણ થઈ .એ પણ તેમના જીવનની એક રોમાંચક કથા હતી .મુઝફ્ફરપુરનું જીવન ખરેખર બોહેમિયન હતું .ચારિત્રહીનતા વચ્ચે શરદ નિષ્કલંક રહી શક્યા હતા. તેમના અંતરમાં એકલતા નો બહુ મોટો વાસ હતો . તેનો એ વૈરાગ્ય તેને દૂર દૂર નદીનાં તટ પર ફેરવતો અને કલાકો સુધી લખાવ્યાં કરતો. કેટલીયે કૃતિઓ અહીં રચાય તો નવલકથા બ્રહ્મદૈત્યનો પણ આમાં સમાવેશ કરાય .
મુઝફ્ફરપુરમાં પ્રમનાથ નામે એક મિત્રના પરિચયમાં આવ્યા. શરદબાબુની આ મિત્રતા એકદમ આદર્શ સિદ્ધ થઈ ચારિત્રહીન નવલકથામાં આ મિત્રનો બહુ મોટો ફાળો હતો . તે વર્ધમાન જિલ્લાનો રહેવાસી હતો .મુઝફ્ફરપુરનું આ રહેઠાણ અને જીવન ક્યારે સંપન્ન થાત એ એને ખબર નહોતી ,પણ એ દરમિયાન પિતાશ્રીના મૃત્યુનાં સમાચાર આવ્યાં. પિતાને તેણે અહીં આવી ક્યારેય યાદ નહોતા કર્યા ,અત્યારે ભાઈ ભાંડુને લીધે અને પિતાનો સ્નેહે તેના પર ઘણો હતો .એ પ્રેમ શરદ બાબુ ક્યારેય વિસર્યા નહોતા તેથી તેમને તેનું આકર્ષણ થયું અને તરત જ ભાગલપુર જવા રવાના થયાં. પિતાના અગ્નિસંસ્કાર તેની ગેરહાજરીમાં મણીન્દ્રનાથમામાએ કર્યા હતા. બંને શાળામાં પણ સાથે જ ભણતા હતા. શ્રાદ્ધમાં પણ મદદ કરી હતી. મોતીલાલ ગાંગુલી પરિવારના જ જમાઈ હતા તેથી એ અનુરૂપ શ્રાદ્ધ ક્રિયા કરાય. મા- બાપના ગયા પછી ભાઈ-ભાંડુંની ચિંતા હતી. મોટી બહેન ઓરમાન હતી અને બાકીના ત્રણ બાળકો અબોધ હતાં. સુશીલા સૌથી નાની હતી. તેને ઘરની માલિક બાઈ ખૂબ પ્રેમ કરતી ,એણે સામેથી સુશીલાને પોતાની પાસે રાખી લીધી નાનાભાઈ પ્રભાસને રેલવેમાં કામ કરતાં મિત્રને ત્યાં કામ શીખવા મૂક્યો . જોવા જાવ તો તે ઉંમરમાં ઘણો નાનો હતો. પ્રકાશને માનાં કાકા અઘોરનાથને ત્યાં મૂક્યો. કાકા તેનાથી થોડા નારાજ હતા પણ શરદે પગ પકડી કાલાવાલા કરી કાકા ને માનાવ્યા ને તેમના પત્ની ને જે શરદના દાદી થાય તેમની ઈચ્છા હોવાને લીધે તે માની ગયાં. દાદીએ શરદને કામ કરવાની સલાહ આપી.
આમ ભાઈ બહેનની ચિંતા માંથી મુક્તિ મેળવી બિહારથી કલકત્તા રોજીરોટી મેળવવા પહોંચી ગયાં.તેના મામા ને ત્યાં પહોંચ્યાં ત્યાં પહેલી નોકરી સ્વીકારી પણ ખૂબ અપમાનિત થવું પડતું . હિન્દી અપીલોનું અંગ્રેજીમાં ભાષાંતર કરતા થોડું ધન મળતું પણ ન્યાયાલયની ભાષાનું જ્ઞાન અલ્પ હતું, એટલે ફાવ્યું નહીં .વારંવાર ઘોર અપમાન અને નોકરની જેમ રહેવું તે ન ફાવતા,મોટીબેન કલકત્તા પાસે ગોવિંદપુરમાં રહેતી હતી ત્યાં પહોંચી ગયાં.,પણ બનેવીના ઘરનાં ઝઘડાને કારણે તેણે તે પણ છોડ્યું બનેવીએ થોડી આર્થિક મદદ કરી. શરદ હવે કલકત્તાથી કંટાળ્યો હતો.
ત્યાં તેને માસા અઘોરનાથ ચટ્ટોપાધ્યાયની યાદ આવી. તેમણે એકવાર પિતાને કહ્યું હતું કે કોલેજમાં મૂકવા કરતા તેમની સાથે રંગૂન મોકલી દો. ભણી ગણી વકીલ થશે અને ભવિષ્યમાં સારા પૈસા પણ કમાશે પરંતુ ત્યારે અન્ય કારણે અને ગરીબીને લીધે તે બન્યું ન હતું . ઘણાં લોકોના મોંઢે સાંભળ્યું હતું કે બર્માના ચોરે ચૌટે રૂપિયા પડ્યાં જ હોય છે ,જે બસ વીણતા આવડવું જોઈએ. હવે તેને થતું હતું કે એન કેન પ્રકારે બર્મા એટલે કે રંગૂન પહોંચવું જોઈએ . શરૂઆતમાં મેં જણાવ્યું હતું કે બર્મામાં તેમને પગાર સરસ મળતો હતો ,પણ સાહિત્ય રચવા તેમણે ભારત પાછા આવવું પડે અને પુસ્તકો વેચાય તો તે ભારત પાછાં આવી જાય .
નસીબે અઘોરનાથ કલકત્તામાં જ હતાં .તેઓને તે મળ્યા અને બર્માની ચકાચૌધ કરતી વાતો સાંભળી .તેથી નક્કી કરી લીધું કે બર્મા જવું જ .આ પરિસ્થિતિમાં સાહિત્ય તો છાનું છપનું ચાલુ જ હતું. ચરિત્રહીન નવલકથા રચાય રહી હતી કોઈને ગંધ પણ નહોતી .સૌરીન્દ્ર મોહન ભાગલપુરનો મિત્ર હતો તે કલકત્તા રહેતો અને શરદથી ખૂબ પ્રભાવિત હતો. બંને દરરોજ ગંગાઘાટે સાંજે ફરવા જતાં. સાહિત્યિક ચર્ચા કરે મુઝફ્ફરપુરનો મિત્ર પ્રમનાથ પણ સૌરિન્દ્રનાથના સચિવ તરીકે કામ કરતો હતો.તેઓ શરદની રચનાઓની ચર્ચા કરતા અને ઉપરાંત સુરેન્દ્ર તથા ગિરીન્દ્ર પણ કલકત્તામાં રહી ભણી રહ્યાં હતાં. આમ મિત્રોનો સાથ સાહિત્યનો સહારો હતો.
એક દિવસ ગિરીન્દ્ર એક હરિફાઈની વાત લઈ આવ્યો .તે હતી કુન્તીલ પ્રતિયોગિતા. .જેમાં જે જીતશે તેને પચ્ચીસ રૂપિયાનું ઇનામ હતું .કુન્તીલ એ સ્વદેશી સુગંધિત તેલ હતું. બસુ નામના ઉદ્યોગપતિએ આ પ્રતિયોગિતા રાખી હતી .શરદ તે લખવા તૈયાર નહોતો. છેલ્લા દિવસ સુધી તેણે વાર્તા લખી ન હતી. ગિરીન્દ્રે કહ્યું કે ઇનામ ન મળે તો કંઈ નહિ પણ વાર્તા લખવી જ જોઈએ .એ પ્રતિયોગિતામાં માં મોટા મોટા બંગાળી લેખકે ભાગ લીધો હતો. શરદનું માનવું હતું તેનો વારો આમાં આવે જ નહિ છતાં છેવટને દિવસે વાર્તા લખી જ નાખી, પણ લેખક તરીકે સુરેન્દ્ર નું નામ લખ્યું અને કહ્યું કે જો ઇનામ મળે તો રવીન્દ્રનાથની કાવ્ય ગ્રંથાવલી ખરીદી તેમને મોકલી આપે .
મિત્રો ,કેટલી નિર્ધનતા હતી કે એક પુસ્તક પણ તે ખરીદી નહોતા શકતા . ખરેખર પ્રતિયોગિતામાં તેમની જ વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું . બધાંએ સુરેન્દ્રનાથને બધાઈ આપી પણ તે જાણતો હતો કે આનો અધિકારી શરદ જ હતો . એ વાર્તા નું નામ હતું મન્દિર .આ એક ગર્વની વાત હતી પણ ઓલિયા શરદબાબુ માટે તો સાહિત્ય મોટું હતું ઈનામ નહિ .તે તો ત્યારે રંગૂન જવા નીકળી ગયા હતાં. આ વાત ખાનગી રખાઈ હતી તેમને ડર હતો મિત્રો જવા નહિ જ દે ,મામા દેવેન્દ્રનાથ ગંગોપાધ્યાય સિવાય બીજું કોઈ જાણતું ન હતું. પૈસા નહોતા તેથી ઉધારી કરી ભીખ માંગીને ભેગા કર્યા હતા .
એક દિવસ સવારે ચારવાગે ભવાનીપુરથી ડેક પર પહોંચી સ્ટીમર પકડી . મામા દેવેન્દ્ર જ છોડવા ગયાં હતાં. ટિકિટ ને વધેલા પરચુરણનાં પૈસા સાથે વહાણ પર ચઢી ગયાં.
મિત્રો ,ખબર નહોતી એમને હવે દેશાગમન ક્યારે થશે? કઈ પરિસ્થિતિમાં સાથે લડવું પડશે ?પાછાં ફરી શકશે કે નહિ? આ પ્રશ્નોનાં ઉત્તર નહોતા ફક્ત અંતરમાં પ્રશ્નો સાથે જ નવી દિશાની શોધ માટે નીકળી ગયા હતા.

  મિત્રો, તેમના જીવનનો આ એક હિસ્સો અહીં પૂર્ણ થયો. આગળ આપણે આવતા અંકમાં જોઈશું કે શું થશે બર્મામાં  અને તેમના સાહિત્યમાં 

અસ્તુ ,
જયશ્રી પટેલ
૧૬/૧૦/૨૨