અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય પ્રવીણભાઈ દેસાઈ હવે આપણી વચ્ચે નથી.
ગઈકાલ ની રાતે હદ્યરોગના હુમલાના કારણે પ્રભુ શરણ પામ્યા છે .
ગુજરાતી સમાચાર જગતના જાણીતા પત્રકાર પ્રવીણભાઈ ની ખોટ સમગ્ર સમાજને વર્તાશે .
અમેરિકાની ધરતી પર પ્રકાશિત થતા અખબાર, સાપ્તાહિક અને તેમાંય વિશેષ કરીને “ગુજરાત ટાઈમ્સ”માં સીલીકોન વેલી અને સનીવેલ સીટીને સૌ પ્રથમ ચમકાવનાર ઝળહળતો તારો આજ અચાનક અસ્ત પામ્યો. શ્રી પ્રવીણભાઈ દેસાઈ શ્રીજી ચરણ થયાના સમાચાર જાણી દુ:ખ થયુ. અહિ રહીને પણ માદરે વતન ગુજરાતમાં “અકિલા” મારફત સીલીકોન વેલીની સાચી ઓળખ આપવામા તેમનો મોટો ફાળો હતો.તેઓ નિડર, નિખાલસ, નિરાભિમાની, નિઃસ્વાર્થી અને નિઃસ્પૃહી પત્રકાર હતા . કોઈની પણ શેહ શરમમાં આવ્યા વગર સાચી અને સચોટ હકીકત રજુ કરતા તેઓ અચકાતા નહિ. આ ઉપરાંત તેઓ મિતભાષી, સદાય હસમુખા, આનંદી અને માયાળુ , તેમની યાદ શક્તિ ગજબની હતી. પ્રોગ્રામમાં કોઈપણ જાતની નોન્ધ – notes – લખ્યા વગર તે પ્રોગ્રામનો આબેહુબ હેવાલ રજુ કરવામાં તેઓ પારંગત, પાવરધા ને કુશળ પત્રકાર હતા. એમની એ કુદરતી બક્ષીસ હતી.
પરમાત્મા તેમના પૂણ્ય આત્માને પરમ શાંતિ અર્પે. બેન પ્રમિલાબેન ને પરિવારના સૌને આઘાત સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના સહ ………..
કનુભાઈ શાહ
![Vijay Shah - YaYa VaR](https://i0.wp.com/www.zazi.com/yayavar/yayavar/vijay%20shah%20jul05.gif)