તે નહીં તો અપેક્ષાનું બારીક કણું આવી જાય
પછી ઉઝરડો ,તિરાડ
ઉદારતાથી ક્ષમા કરીએ એ વાત જુદી
થીગડું ..અને ભીંગડું રહી જાય
પતિ પત્નીની મૈત્રી આદર્શ પણ વિરલ
હું-પદની ત્વચા એમ શાની ઝટ ઊખડે ?
નખ જરા આદિ જાય ,લોહીની ધાર થાય
હિંડોળાની ઠેસમાં ,પાનનાં બીડામાં ,
ખભે મુકાતા હાથમાં ,બાળકો પ્રત્યેની મીટમાં
નેજવાની છાજલીમાં દાંમ્પત્ય ઓગળે અને મૈત્રી મહોરે તો ભયો ભયો
પણ પરસેવાની ગંધ જુદી તે જુદી જ
માને તો આકાશ જેટલું ચાહી શકાય
દેવમૂર્તિની જેમ પૂજી શકાય
અને પાછું એવું કશું વિચારે -ઈચ્છે કે માગે નહિ
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની ગંધ
એ સાથે લઈને જ જાય ઈશ્વર પાસે!
અને ઈશ્વર સુગંધ સુગંધ !
ભગવાનની યે મા તો હશે જ ને?
(ભગવતીકુમાર શર્મા )
‘જનની જોડ નહીં જડે ‘ એવાં માતુપ્રેમનાં અઢળક કાવ્યોમાંથી ‘મા મારી પહેલી મિત્ર ,શ્રેષ્ઠ અને છેલ્લી પણ ‘ મારા મનમાં વસી ગયું .વિસ્મૃતિના ટાપુ પર બેઠેલી મારી માએ એના અંતિમ દિવસોમાં મારી ઓળખને ભૂંસી નાંખી હતી ત્યારે મને સમજાયેલું કે મારી જન્મદાત્રી મા જે મારી પહેલી ,શ્રેષ્ઠ અને છેલ્લી મિત્ર મેં ખોઈ હતી.હવે કોની આગળ હદયનો વલોપાત ,ઊકળાટ ,ઊભરો ઠાલવવાનો! બાને શબ્દોમાં કહેવાની પણ ક્યાં વાત હતી? એ તો કરમાયેલું મોં ,ભીની આખો કે ઢગલો થઈ સુનમુન બેઠેલી દીકરીની વાત જાણી જાય.સાચા મિત્રો પણ શબ્દોની લેવડદેવડ કર્યા વિના સમજી જાય છે.
દુનિયામાં મિત્રો તો ઘણા હોય ,તેમાંના કેટલાક બાળગોઠિયા ,ખૂબ નિકટના પણ હોય ક્યારેક અપેક્ષાને કારણે તિરાડ પડતી હોય છે,કૃષ્ણ સુદામાની ‘તને સાંભરે રે ‘
એવી સાંદિપની ઋષિના આશ્રમની મૈત્રી.ગરીબ મિત્રની પત્ની કૃષ્ણ પાસે મોકલે છે,ભગવાન તત્કાલ સુદામાને હાથમાં કાઈ આપતા નથી તેથી સુદામાને માનહાનિ અને દુઃખ થાય છે,પછી ઘેર જાય છે ત્યારે ભગવાનની કૃપા જુએ છે.પતિ-પત્નીમાં પણ અહમ ટકરાયા કરે.ગાંધીજીએ પત્નીને કસ્તુરબા કહ્યા પછી તેમને મિત્ર માન્યા.અહમ ઓગળે માના પલ્લુમાં ગમે તેટલી ઊંચાઈ પર જગતમાં પહોંચો મેલો મેલો તો ય માનો ખોળો
છેલ્લી પંક્તિઓમાં માના અપાર ,નિસ્વાર્થ પ્રેમને પ્રભુરૂપ ગણે છે,પ્રભુએ પોતાના રૂપને માના સ્વરૂપે ઘડી તેથી મા બાપનો આદર એજ મનુષ્યનું ઉત્તમ કર્તવ્ય છે.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ અંત સુધી માના અંશરૂપે આપણામાં રહે છે.અંતની પન્ક્તિઓ માટે કવિને સલામ માના ખોળાની બાળકના પેશાબની ગંધ ઈશ્વરને
સુગંધમય કરી દે કારણ મા ઈશ્વરરૂપ છે.એક બાળક જેવો નિર્દોષ પ્રશ્ન ‘ભગવાનને ય મા તો હશે જ ને ?’ કેટલો ગહન પણ સરળ પ્રશ્ન।પ્રેમનું પિષ્ટપેષણ ન હોય1 ,પોથી પઢી પ્રેમ ન પામી શકાય એતો અનુભવ છે.’મુંગા કેરી સર્કરા ‘
હેપી મધર્સ ડે
તરૂલતા મહેતા 12મીમે 2017
mitro,kavyma vchche ek pnktima’nkh jra vagi jay’ vachvu.aabhar.
LikeLike