મનની મોસમમાં મહાલતા રાહુલભાઇ શુક્લ

 

 

 

 

 

 

જરા વિચાર કરીએ તો સમજાશે મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે. મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે.એજ મન હરીભરી મોલાતોમાં કોઈની ખામીથી નિરસતા, વેદના પણ ભરી શકે છે. આપણે મનની મોસમાં ખીલતા વસંત ની વાત કરી પણ ક્યારેક મનની મોસમમાં માણસ મનને ખાલી પણ કરે છે. મન,અને મનના ગજવાના કે ઘણી વાતોના જવાબ નથી હોતા, પણ હું જેને અમદાવાદમાં મળી હતી તે વ્યક્તિને મળ્યા પછી અનેક સવાલ જરૂર ઉભા થાતા, ન્યુ જર્સીના સફળ ઉદ્યોગપતિ અને નીવડેલા વાર્તાકાર રાહુલભાઈ શુક્લ એક ઉત્તમ વક્તાને સાંભળતી વખતે વિચાર આવ્યો કે નવી અમેરિકન વાતાવરણમાં  જીવતા, કોમ્પ્યુટરમાં વિચરતા, ફોટોગ્રાફીથી સૌંદર્ય નિહાળતા અને બોલીવુડને અને ગીતોને  ચાહતા અને વ્યસ્ત પ્રોફેસનલ જીવન જીવતા આ વ્યક્તિના ધબકારા આટલા સંવેદનશીલ અને ધબકતા કેવી રીતે છે? એક ઉધોયપતિ અને ટેકનોલોજી ની વ્યક્તિ જિંદગીના અસ્તિત્વની વાત કરી શકે.દુનિયાના ૯૮ ટકા એરોપ્લેનમાં એમની કંપનીના જ પાર્ટ્સ વપરાય છે. એવી વ્યક્તિ એ એક હસ્યવાર્તાની રજૂઆત કરી ને એવી ઉડાન પર લઇ જાય અને હસતા હસાવતા મૃત્યુનો અહેસાસ કરાવી ત્યારે થાય હજી સંવેદના જીવે છે.. .જીવન વિષે વાંચવું ,લખવું અને જીવન પ્રત્યક્ષ જીવવું એમાં ખુબ ફેર છે.પોતાના પિતાની હયાતીમાં મૃત્યુવીશે ચર્ચા કરતા પિતાએ કહેલું કે મૃત્યુ કરુણ છે અને વિદાઈ અસહ્ય છે …પોતે વિરોધ કરતા કહેલું એક સગર્ભા સ્ત્રીનો ખોળો ભરવો એ કુદરતી ઉત્સવ છે તો વ્યક્તિની વિદાય એ પણ કુદરતી છે આવવું અને જવાનું કુદરતનો ક્રમ છે એનો હર્ષ અને શોક ના હોય…પિતાએ ચર્ચામાં જીતાડતા કહ્યું તું જીત્યો પણ એમણે લેખેલ પુસ્તક “વિયોગ” ચાડી ખાઈને કહે છે ભાઈ સાચા હતા રાહુલભાઈના જીવનમાં સૌથી મહત્વનો બનાવ જો હોય તો તે પિતાના વિયોગનો હતો.”ભાઈ died” એક શબ્દ અને કેટલો મોટો આચકો,વારંવાર ફોટા સામે ઉભા રહીને કહેવું કે “આમ કેમ જતા રહ્યા” ?…શબ્દો ક્યારેક અંતરની વેદના અને યાદોને બોલાવડાવે છે ત્યારે વાંચનારને લાગે છે આ તો મારી વેદના અને મારી જ સંવેદના છે.ત્યારે પિતાએ કહેલી વાત “મૃત્યુ કરુણ” છે એ વાત આપ મેળે સિદ્ધ થાય છે. રાહુલભાઈના પુસ્તકમાં એક પ્રંસગે કહે છે “હું રડું છું પણ ગીતના રાગમાં”,તેમના જીવનમાં ગીત એ વ્યક્તિ સાથેનું જોડાણ હતું,નાની નાની વાતો આવા એક અમેરિકાના માહોલમાં રહેતા સફળ બીઝનેસમેનના જીવનમાં આટલું મહત્વ આપે છે એ વાંચ્યા,અને જાણ્યા પછી એ જીવન મહાલે છે તેવું લાગ્યું, આમ પણ મનની મોસમની વસંત યાદોની કુપણોથી તો ખીલે છે.

આની પહેલા રાહુલભાઇ કેલીફોર્નીયામાં આવ્યા હતા, પન્નાબેનના પ્રોગ્રામ વખતે મળી હતી પણ ઉપરછલ્લી મુલાકાત. આ વખતે ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડિઝ ‘ગ્રીડ્સ’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે મળવાનું થયું.એમને સાંભળ્યા આનંદમાં જીવતાં નીજાનંદમાં મ્હાલતા હોય તેવું લાગ્યું , પોતાની મસ્તીમાં લખવું એ પણ એક આવડત છે.દિલ ખુશ કરે તેવું વ્યક્તિત્વ,તેમનું પુસ્તક વિયોગ મને પોતાના હાથે સહી કરીને આપ્યું અને લખ્યું મૂળ સુરેન્દ્ર નગરનાં એટલે માટે મારા કાયમી પાડોશી પ્રજ્ઞા દાદભાવાળા ને સપ્રેમ  ..ચાર શબ્દોએ નિકટતા ઉભી કરી દીધી…મનની મોસમમાં આનાથી વધુ બીજી વસંત કઈ ખીલી શકે..

– પ્રજ્ઞા