અમારા મિત્ર દાવડા સાહેબની એક કોમેન્ટે મને વિચાર કરવા પ્રેરી,કે “ગુજરાતી ભાષાની બેઠકમાં અજાણતા જ આપણા સૌનો પરિવાર જેવો સંબંધ બંધાઈ ગયો છે”.
આ લોહીના સબંધની માત્રની વાત નથી.સંબંધ જેના થાકી આપણું સમગ્ર જીવન વણાયેલું છે તો એ વશે વિચાર કરવા જેવો ખરો.સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી, પરંતુ જે કંઇ બને છે તે સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો સંબધનો અનુભવ છે. હું હકારત્મતામાં માનનારી છુ કોઈકવાર હું કોઈ વ્યક્તિ સાથે હું વિચારોમાં સંમત ન થવું એનો અર્થ એવો નથી કે મારા સંબંધ કાપી નાખું ભગવાનની કૃપાથી એના સારા ગુણ જોઈ શકું છું.અને સંબંધોમાં તિરાડ આવતી નથી. ગુચવાડો સારો કે ખરાબ અભિપ્રાય થકી જ થાય છે.એને સંબધ સાથે જોડી ન દેવાય. સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. એક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ, પછી તે માનવ હોય, પશુ હોય કે પક્ષી સાથેનો. કોઈ સંબધ જીવનમાં અનેક રંગો પૂરે છે તો કોઈ સંબધ જીવવાનું બળ આપે છે.કોઈ સંબધમાં આંખો તરસતી હોય છે તો કોઈ આંખો વરસતી હોય છે.કોઈ સંબધ ઠાઠડીમાં ગયા પછી પણ જીવે છે અને યાદોમાં આપણામાં જીવંત હોય છે.આપમેળે બંધાય તે સંબધ. એક ખુબ જીવનનું મહત્વનું પાસું છે.એ કરતા પણ વાસ્તવિકતા છે. અમે કહું તો વધુ યોગ્ય લાગશે સંબધ એટલે આપ્તભાવ. એક મારાપણાનો અનુભવ છે.અહેસાસ છે. પોતીકી લાગણી એજ તો સંબધ છે, એક સંયોગ જે આપણને વિચાર કરતા મુકે છે,આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય અને સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે,માનવી નો સ્વભાવ ટોળું છે એકલતા તેના સ્વભાવમાં છે જ નહિ કોઈ પણ વ્યક્તિ,વસ્તુ કે જીવન સાથે કોઈપણ કારણ થી જોડાવું એટલે જ સંબધ.એક પક્ષી જેમ ઝાડ સાથે જોડાઇ જાય છે ને ?
મને યાદ આવે છે એક સુંદર ગીત “કેવા રે મળેલા મનના મેળ”
આ મનના મેળ એટલે શું ?પ્રેમ,ત્યાગ,સમપર્ણ,સ્પર્શ,વેદના,સંવેદના,આનંદ,વિરહ આ સંબધની પરિભાષા છે. સંબધમાં તરવરતા છે. સંબંધ માપવા કરતા માણવાની વાત છે. દરેક સંબધનું એક મહત્વ અને એક માહાત્મ્ય હોય છે.કળીની મૃદુતામાં તો પાનખરમાં પણ સંબધો નો અહેસાસ છે અને સત્યે છે કે માનવી સંબધો થકી લીલોછમ્મ છે…કોઈ સાથ અને એકાદ હાથ આપણને હૂંફ આપતો હોય છે. વળી કોઈ સંબંધ બંધાતા શીતળતા મહેસૂસ થાય છે.માનવી જન્મતાની સાથે સંબંધોમાં અજાણતા જ બંધાઈ જતો હોય છે અને ત્યાર પછી સંજોગો, સમય, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર થાય.ક્યારેક અજાણતા તોડી નાખતો માનવી આખી જંદગી વણઉકેલી ગુંચમાં અટવાય છે,તો કયારેક દુઃખી કે સુખી પણ થાય છે પરંતુ સત્ય એ છે કે એ સંબંધ જ માનવીને જીવનતા બક્ષે છે.સંબધો વિણ તો માનવી જાણે અધુરો ..સંબધ માણસ નું વ્યક્તિત્વ સર્જે છે.
માણસ સંબંધો વગર જીવી ન શકે.દરેકની જિંદગીમાં એવા સંબંધો હોય છે જેના માટે માનવીને જીવવાનું મન થાય છે.પછી એ પ્રભુ સાથે નો નાતો કેમ ન હોય.મારી કોઈ રાહ જોવે છે એ સંબંધોનો કેટલો મોટો અહેસાસ છે,મિત્રોને કે સ્વજનને તમારા વગર પ્રસંગ અધૂરો લાગતો હોય માનજો કે તમે સંબધોને જાળવ્યા છે.ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે સંબધોથી જોડાયેલા છો.કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમને સંબધોનું મુલ્ય છે,તમે સંબધોને સાચવ્યાં છે.રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમને સંબધોમાં મારાપણાનો અહેસાસ છે.કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે સંબધોના દરેક અર્થ જાણો છો.એકલા કોળીયો ગળે ના ઉતરતો હોય તો સમજજો કે સંબધથી તમે બંધાયેલા છો.કોઈનું હૃદય તમારા માટે ધડકે છે તો તમારો એક અનોખો સંબંધ છે.ક્યારેક કોઇ સંબંધો વિશે કોઇ શબ્દો જ નથી હોતા કે તેને વિશે વિચારવુ શક્ય નથી હોતું, શાંત ચિત્ત અશાંત બની જાય છે. તેને વિશે વિચારવાને બદલે તેની લાગણીઓને મહેસૂસ કરવી જોઇએ.કોઈની હાજરી માત્ર થી ઘણા સંબધો મઘમઘે છે,સંબંધની બાબતમાં તમે કોઇને ભ્રમમાં લાંબો સમય રાખી ના શકો. તમને કોણ ચાહે છે કે કોણ નથી ચાહતું એની ખબર આપોઆપ પડી જાય છે.હા,પણ ત્યાં નિશ્ચિતપણે બન્ને પક્ષે સમજદારી જ સંબંધને વિકસાવે છે.
સાચવવા પડે તે સંબંધ નહિ,સચવાય તે સંબંધ નહિ.આવું ઘણા કહેતા આવ્યા છે.જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો સંબધો થી જોડાયેલો છું અને જો સંબધો નો ભાર લાગે તો અટક્જો અને વિચાર જો જરૂર.સમયના વહેણ માં કયારેક સંબધો બદલાય. ક્યારેક સુગંધ જેવો અનુભવાય પણ પકડી ન શકાય.. પરિભાષા પણ બદલાય છે અને સંબંધ નવા નામ નવા સ્વરૂપ જરૂર આવે પરંતુ તે સો ટચના સોનાં જેવા જ હોય છે.એકદમ કુદરતી. સંબંધમાં મોસમનાં પહેલાં વરસાદ પછીની માટીની સુગંધની જેમ બધું કુદરતી હોય છે. જે સંબંધોને કોઇ નામ કે ઓળખ નથી હોતી તેવાં સંબંધો દરેક સીમાઓ પાર કરીને પણ વિસ્તરે છે. સહજ,નામ અને ઓળખ વગરના સંબધોને આપણે ઋણાનુબંધ નામ આપીએ છીએ તો કયારેક સંજોગો વિચારો, સમય અને પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર જરૂર થાય છે અને મેળવવાની ખેચ તાણમાં કયારેક તૂટે છે કારણ પામવાનું ભૂલી મેળવવામાં પડીએ છીએ., સંબધને માપીએ છીએ હું આ સંબંધ ને વહેવાર નું નામ આપીશ.માનવી વહેવાર ને સાચવવામા કયારેક પોતાનું સાચું સ્વરૂપ ભુલી જતો હોય છે,સંબધોની કયારેક થોડી ગુંચ ઉકેલાય તો એમ સમજે છે કે હું ડાહ્યો પરંતુ નિરાંતે વિચારે તો ખબર પડે છે કે આપણે સહુ માત્ર નિમ્મિત ,કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને સંબંધો રચાય છે અને જશ પોતાને આપે છે અને વ્યવસ્થિતને આધારે સમય થતા અચાનક જિંદગીમાંથી દુર પણ ચાલ્યા જાય છે,ત્યારે કયારેક આપણને અને વધારે બીજાને દોષિત ઠર્વીએ છીએ.કોઈને દોષિત ઠરાવવાથી શું ફાયદો દોષ માત્ર અપેક્ષાનો છે.પ્રેમ,લાગણી,સ્નેહ,આત્મીયતા,સાથે માન,કદર, અહમ અને યશ આ બધું સંબધ સાથે જોડાઈ જાય છે.સંબંધ અને અપેક્ષા એવા વણાંયેલા છે કે એની પારદર્શક રેખા સામન્ય માનવીને કયારેય દેખાતી નથી.
સંબંધો તો બગીચાનાં છોડ જેવા,વધુ કે ઓછુ પાણી ખપે નહી.ખોટ પડી ત્યાં મુરજાય જાય અને ફરીથી સિંચન કરો સ્નેહનું કદાચ ઝરણુ ફૂટી નીકળે. સંબંધોમાં ક્યારેક એવું લાગે કે સાવ અલગ થઇ જવાયું છે કે બધું છીનવાઇ ગયું છે ત્યારે જ તે સંબંધ એકબીજાનો સાચો અંશ બને છે. દૂર રહેવાથી સંબંધનું સ્વરૂપ જરૂર બદલાય પણ બંનેને ગાઢ સંબંધની અનુભૂતિ થાય છે.આપણી લાગણીનો વિસ્તાર આપણને ઘણીવાર નડે છે.ઓછા પણ કિંમતી અને અમૂલ્ય સંબધ રાખો.કોઇ કહે કે આ સંબધ માં કોઈ અપેક્ષા નથી,એવુ હોતુ જ નથી.હા,વળતરમાં સ્નેહની અપેક્ષા હોય……..જે ચૂકવવી અઘરી હોતી નથી.બસ થોડો સ્નેહનો વરસાદ પૂરતો છે.
સંબંધ જ્યારે જન્મે છે ત્યારે આયુષ્ય લઈને આવતા નથી ક્યારેક સંબંધો તૂટે છે સંબધો ગાળાની ભીસ બને છે. ત્યારે માણસ મુક્ત થવા તરફડે છે.પણ સંબંધોમાં અળગા થવું સહેલું નથી, હૂફ આપતો હાથ અચાનક ગરમ થઈ જાય અને હૂંફની જગ્યા દાહ લઈ લે છે. રોમેરોમ બળવા લાગે છે. આપણી અપેક્ષા જ આપણને દુઃખી કરે છે જે સંબધ મુરઝાઈ ગયા છે,એમાં આપણે ક્યાંક તો આપણે જવાબદાર હોઈએ છીએ.ક્યારેક સંજોગો, સમય, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર થાય. સંબંધની નિષ્ક્રિયતા થતા એક સમયે સાથે હોય તેવી વ્યક્તિ સામસામે છેડે મૂકાઇ જતા ઘણીવાર તૂટી ગયેલા સંબધો નો સામનો કરવો પડતો હોય છે પરંતુ યાદ રાખવાનું એ છે કે આપણે સંબંધોથી પરાસ્ત નથી થયા. સંબંધ ભલે ખતમ થાય ‘ગ્રેસ’ સહજતા ખતમ ન થવી જોઈએ,જે સરળતાથી સંબંધ શરૂ થાયા હતા અને એ જ સરળતાથી સંબંધ આગળ વધ્યા હતા ,અને એ જ સંબંધમાં જ પ્રેમની સુવાસ ભળી હતી તો સંબંધ પૂરો થાય ત્યારે કે કોઇ કારણસર અલગ થવું પડે આમાં માત્ર સરળતા સિવાય કશાનું મહત્વ જ ના હોવું જોઇએ.આજ સંબંધોનું તથ્ય છે અને સત્ય છે. સંબધને વહેવા દો….ઊડવા દો……અવકાશ આપો……લાગણી છે ત્યાં સંબધ છે.એને મુક્તપણે વિસ્તરવા દો.જો સંબંધો કુદરતી જ હોય તો એને નદીના વહેણ ની જેમ વહેવા દો….. બાંધશો તો તોફાન આવ્યા વગર નહિ રહે.
મહાન ફિલસૂફ ,ખલિલ જિબ્રાનનું આ વાક્ય સંબંધ અને બંધન વિષે સરસ સમજણ આપે છે. એકબીજાને પ્રેમ કરો, પરંતુ પ્રેમનું બંધન ન કરો: તમારા આત્માઓના કિનારે ચાલતા રહો. એકબીજાના કપ ભરો પરંતુ એક કપથી પીવું નહીં.
જો સંબધના મુલ્યો યુગે યુગે બદલાય છે તો જે બદલાય એ શાશ્વત કેવી રીતે હોય શકે ? આધ્યાત્મ કહે છે સંબંધ બંધન કરતા છે જે વહેવારની અસર આપણે અનુભવીએ તે બંધન નહિ તો બીજું શું ? જન્મતાની સાથે છારી જેવા આવરણો શુદ્ધતા ઉપર એવા ચડવા માંડે છે…દૂધ આપે એ મારી માં જે મારાપણા નો અહેસાસ દેવડાવે છે. હકીકતમાં આ માત્ર ભાસછે કે ખોટા અભિપ્રાય છે એ માનવી ભૂલી જાય છે અને પછી એ ભાસને સંબંધોના નવા સ્વરૂપે જોઇએ છીએ. કયારેક દુઃખી તો કયારેક સુખી થઇ મહાલતો રહે છે.આવા ખોટા અભિપ્રાય સાથે આપણે જીવીએ છીએ ત્યારે આધ્યાત્મ કહે છે શુદ્ધતા જુવો હું,તું, તમે,મારું,તમારું,આપણું માત્ર વિવિધ નામો… તો પછી સંબંધ ના વિશેષણો ને ભૂસી કેમ ન નાખવા ?માનવીના સાચા સ્વરૂપને કેમ ન ઓળખવું ? દરેકમાં શુદ્ધ આત્મા કેમ ન જોવો ? નિશ્વાર્થ,શુદ્ધ સાત્વિક પરિપૂર્ણ સંબંધ કેમ ન બાંધવો ?અને સંબધોના ખોટા અભિપ્રાય થી મુક્ત થઇ કેમ ન વિહરવું !
Pragnaji
–
Like this:
Like Loading...