મિત્રો ,
વિનોદભાઈ પટેલે ખુબ સરસ વાત અહી મોકલી છે ,
આપણે વાસ્તવિકતાને ન સ્વીકરવા ચેહેરા પહેરતા હોઈએ છીએ.કેટલા બધા સવાલો એવા હોય છે જેના જવાબ મળતા નથી. ,જ્યાં માણસનું મુલ્ય મોકા પ્રમાણે બદલાતું રહે છે.ત્યાં માણસ પણ પોતાનું સાચું સ્વરૂપ દેખાડતા ડરે એ ખુબ સ્વાભાવિક છે.દરેક વ્યક્તિ જીવનમાં સુખ ઇચ્છે છે.સુખ નથી એ વિચાર મનોબળ વધારતો નથી, પરંતુ વિચાર શકિતને પણ ઘટાડી દે છે .માટે ચમકતી આંખો ,રમુજી સ્વભાવ ને દયાળુ હૃદય ,હસતો ચહેરો જ સાચો છે. સ્વીકારો…. … તો દુઃખનું ખોતરવું બંધ થઇ જશે.કહ્યું છે ને દુઃખ નો ઓસડ દહાડા ..
માણસનું મુલ્ય ….. વિનોદ પટેલ
મુખ ઉપરથી સુખી જણાતો કોઈ માણસ,
વાસ્તવ જગતમાં એટલો સુખી હોતો નથી,
મુખની રેખાઓ સદા છેતરામણી હોય છે.
સુન્દરતમ સ્મિત જે મુખે દેખાઈ રહ્યું છે,
ભીતરમાં ઊંડે કોઈ રહસ્ય પડેલું હોય છે,
ચમકતી આકર્ષક આંખો જે દેખાઈ રહી છે,
એ આંખો, રડી રડીને ,ઉજળી થઇ હોય છે ,
રમુજી સ્વભાવ ને દયાળુ હૃદયની ભીતર,
કોઈ ઊંડું, વણ દેખ્યું, દર્દ છુપાયું હોય છે,
માણસનું મુલ્ય આંક્વું એ સદા મુશ્કેલ કામ છે,
એકથી બીજી વ્યક્તિ ,એકસરખી મળતી નથી.
વિનોદ પટેલ ,સાન ડીયેગો , 2-9-2015
https://vinodvihar75.wordpress.com/
Like this:
Like Loading...