કલમના કસબી : કનૈયાલાલ મુનશી -33

શબ્દને મળે સૂરનો સથવારો તો નીપજે અમર સંગીત. શબ્દને મળે સંસ્કૃતિનો સથવારો તો નીપજે સાહિત્યની અમર કૃતિ. એવી જ એક કૃતિ છે ‘જય સોમનાથ’. મુનશીજીની કલમની પ્રસાદી એટલે ‘જય સોમનાથ’. દરેક સંસ્કૃતિ એ વિવિધ સમયખંડોની સરવાણી છે. ગુજરાતની સંસ્કૃતિ પણ ઇતિહાસના વિવિધ કાલખંડનો સરવાળો છે. આવા એક કાલખંડની પ્રસ્તુતિ છે ‘જય સોમનાથ’.

સમયની સરિતામાં…
આવા એક કાલખંડના કિનારે ..
ઇતિહાસ કરવટ બદલે છે…
ઇ સ 1024…

જ્યારે મુસ્લિમ આક્રમણકાર મહમૂદ ગઝનીએ ભારત પર આક્રમણ કર્યું. ગુજરાતના દરિયાકિનારે આવેલા સુપ્રસિદ્ધ સોમનાથનું શિવ મંદિર તોડી, તેની મૂર્તિ ખંડિત કરી, અઢળક સંપત્તિ અને મૂર્તિના ટુકડા પોતાના વતન લઈ ગયો. એ ઐતિહાસિક વિગતોને પોતાની કલ્પના સાથે મઢી મુનશીએ આ નવલકથા લખી છે. વીર રાજપૂતોએ ભેગા મળી સોમનાથનું રક્ષણ કરવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા હતા. એ શૌર્યકથાની પશ્ચાદભૂમાં કથાનાયક ભીમદેવ સોલંકી અને દેવનર્તકી ચૌલાની પ્રણયકથા મુનશીએ આલેખી છે. આ કથાનું સૌથી સબળ પાસું મુનશીની શૈલી અને પ્રસંગોનું વર્ણન છે. તેમાં પણ મહંમદ ગઝનીનું આક્રમણ, રાજપૂતોની વીરતા, ઘોઘા રાણાની યશગાથા, યુદ્ધનો આબેહૂબ ચિતાર, ભીમદેવ અને ચૌલાનો પ્રણય પ્રસંગ, સોમનાથ ભગવાન સમક્ષ ચૌલાનું નૃત્ય, રણની આંધીનું વર્ણન તથા બંને તરફના લશ્કરોનું વર્ણન નવલકથાનું આકર્ષણ છે.

આજે માણીએ આ પ્રેમ અને  શૌર્યની કથા ‘જય સોમનાથ’ને. અને મળીએ આ નવલકથાના થોડા પાત્રોને સાથે માણીએ થોડા પ્રસંગો અને શબ્દચિત્રો…..

આજે જ્યારે સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સોનેરી બન્યું છે તો  ત્યારનું સોમનાથ કેવું હશે એ જાણવામાં આજના વાચકને જરૂર રસ પડશે.  સોમનાથની સમૃદ્ધિ અને જાહોજલાલીની ચર્ચા દેશપરદેશમાં થતી. એ જ તો કારણ હતું કે વિદેશી આક્રમણકારો અફાટ રણ વીંધી સોમનાથ સુધી આવ્યા.  સોમનાથ શિવાલય નહોતું આલય કે નહોતું શહેર. સદીઓની શ્રદ્ધાએ તેને દેવભૂમિસમું સમૃદ્ધ અને મોક્ષદાયી બનાવી મૂક્યું હતું. લોહચુંબકથી ખેંચાતા હોય એમ યાત્રાળુઓ સોમનાથના પરમ પૂજ્ય શિવાલય તરફ આવતાં ને સુર્યતેજમાં ઝગમગતા ભગવાન શંકરના પાટનગર પર ભક્તિસભર નયનો ઠારતા, તેનાં હજાર મંદિરશિખરોની ધજાઓનાં નર્તન વડે હૈયાં ઉત્સાહઘેલાં કરતા, સોમનાથના મંદિરના સોનાના કળશના મોહક તેજથી મુગ્ધ થતા અને તેની ભગવી મોટી ધજાના વિજયમસ્ત ફરકાટમાં મોક્ષમાર્ગ નિહાળતા. નગરના મુખ્ય દ્વાર પર પહોંચી હોંકારો કરતા, ‘જય સોમનાથ’નો ઘોષ કરતા. મંદિરના દરવાજાની બે બાજુએ અદભુત કોતરકામવાળી દીપમાળો હતી. આગળ ભવ્ય અને વિશાળ સભામંડપ હતો, જ્યાં પાંચ હજાર માણસો એકસાથે દર્શન કરી શકતાં. આગળ ગર્ભગૃહમાં ત્રણ ભુવનના નાથ -ભગવાન સોમનાથ- બિરાજતા. આ જ્યોતિર્લિંગ પર દિવસરાત રુદ્રી થતી. તેમની સામે સભામંડપમાં સૂર્યોદયથી મધ્યરાત્રિ સુધી સતત નૃત્ય થતું.  આરતી સમયે દીપમાળો પર હજારો દીવાઓ પ્રગટતા, સભામંડપમાં સોનેરી દીપીઓ પર બત્તીઓ સળગતી, છત પર, થાંભલાઓ પર, ચીતરેલા ત્રિપુરારિના પરાક્રમો જાણે સજીવન થતાં, ચાર ચાર થાંભલાઓ વચ્ચે સોનાની સાંકળે લટકતાં ઘંટોના નાદ થતાં, ગર્ભગૃહની છતમાંથી લટકતા રત્નજડિત દીપકમાં દીવાઓ બળતા અને વચ્ચે છાતી સમાણું ઊંચું, પુષ્પ અને બીલીપત્રોના ઢગમાં છુપાયેલું સોમનાથનું લિંગ કૈલાસનો ભાસ કરાવતું. તેની ઉપર સોનાની જલાધરીમાંથી પાણી પડતું ને પ્રલય સમુદ્રની ગર્જના હોય તેમ ‘જય સોમનાથ’નો  ઘોષ ચોમેlર ફરી વળતો ને આખું પ્રભાસ સોમનાથમય થઈ જતું.

આવા ભવ્યાતિભવ્ય, દેવોના દેવ એવા સોમનાથનો વિનાશ કરવાનું વ્રત લઈ ગરજનનો હમ્મીર મહમ્મુદ રણ ઓળંગી  ચડી આવ્યો હતો. આ જ હતો એ  મ્લેચ્છ જેણે કનોજ, કલિંગર, નગરકોટ ને મથુરાને જમીનદોસ્ત કર્યા હતાં. તેણે મથુરાના વિપ્રવર્યોને ગરજનના બજારમાં સાડા ત્રણ રૂપિયે વેચ્યા હતા. તે હતો ગઝનીનો સુલતાન. ચૌદ વર્ષે તેણે ગઝનીના ભયંકર વીરોમાં પણ કીર્તિ મેળવી હતી. ગરીબ છતાં  ધન મેળવ્યું હતું.  સત્તાહીણો છતાં સત્તા મેળવી હતી. ખોરાસાનની હકુમત મેળવી તેણે ગઝનીની અમીરાત ભાઈ પાસેથી ઝડપી લીધી હતી. જેને એ હાથ અડકાડતો એ શરણે આવતું ને જે ઈચ્છતો તે એને મળતું. પિતાને પંથે જઈ એણે હિંદનું અઢળક ધન લૂંટવું શરૂ કર્યું. હિન્દુ રાજાઓ એની મહેરબાની માગતા થયા. ગ્વાલિયર, કનોજ, દિલ્હી ને સપાદલક્ષના સંયુક્ત સૈન્યો એના પ્રખર પ્રતાપ આગળ અનેક વાર ઓગળી ગયા. ધનના ઢગ સમું નગરકોટ એણે હાથ કર્યું. એને મૂર્તિભંજકની અમર કીર્તિ પ્રાપ્ત કરવાનો મોહ લાગ્યો ને તે ઇસ્લામનો વિજય સમશેર બન્યો. જાહોજલાલીમાં ભવ્ય એવા મથુરાના મંદિરો ભસ્મીભૂત કરી દેવોના મુકુટકુંડલો એના જનાનાને શોભવતાં થયાં. પૂજ્ય ગણાતા પંડિતો ગઝનીના ગુલામ બની વેચાયા. એના શૌર્યની સીમા ન હતી. એણે ઇસ્લામનો ડંકો જગતભરમાં વગાડવો હતો. સ્થાપત્યે ગઝનીને શણગારવું હતું. સમૃદ્ધિએ એનું સિંહાસન દીપાવવું હતું. મૂર્તિપૂજાનો એ દ્વેષી હતો. એ રાજપૂતોને સંહારતો ને એમનું અડગ શૌર્ય જોઈ મુગ્ધ બનતો. એણે મુત્સદ્દગીરીથી મહાન સેનાનો વ્યૂહ ઊભો કર્યો હતો. અત્યારે એ ધન લૂંટવા આવ્યો હતો. રાજપૂતો પોતાના નાનકડાં રાજ્યોની ટુંકી મહત્તામાં પોતાને સુરક્ષિત સમજતા. તેઓ સરળ, અડગ, ટેકી ને શૂર તો હતા પણ અભિમાનમાં સામાનું બળ પારખવાને અશક્ત હતા. તેઓ જંગના રસિયા હતા પણ ભેગા મળીને લડવાના કાયર હતા. એટલું જ નહિ પણ એક દેશની દાઝ કે એક ધર્મની ભાવના કરતાં સંકુચિત સત્તાશોખ કેળવવા તત્પર હતા. જેનો ભરપૂર ફાયદો હમ્મીરે ઉઠાવ્યો.

‘જય સોમનાથ’ ઇતિહાસના કાલખંડની ક્ષણોને જીવંત કરે છે. આ જીવંતતાનું નિરૂપણ મુનશીજી એવી સુંદર રીતે કરે છે કે આપણને પ્રતીતિ થાય છે કે આ પળો આપણને કંઇક ઇતિહાસબોધ આપી રહી છે. આપણી આજ એ અનેક ગઈ કાલનો સરવાળો છે. કથાનું વિષયવસ્તુ ભલે ઐતિહાસિક હોય પણ તે માત્ર ઇતિહાસ નથી. ભગવાન સોમનાથની પૌરાણિક કથા પ્રમાણે સોમનાથ એ શિવજીનું જ્યોતિર્લિંગ છે. સોમ એટલે ચંદ્ર. ચંદ્રને મળેલા શ્રાપને લીધે પ્રતિદિન ક્ષીણ થઈ રહેલો ચંદ્ર શિવજીનું આરાધન કરે છે. ચંદ્ર ક્ષીણ થતાં બીજના ચંદ્રની કક્ષાએ પહોંચે છે, ત્યારે ભગવાન શિવ પ્રગટ થઈ ચંદ્રને વરદાન આપે છે અને ચંદ્ર બીજના ક્ષીણ ચંદ્રમાંથી વૃદ્ધિ પામી પૂર્ણિમા સુધી પહોંચે છે. ચંદ્રની આ ગતિ જેને આપણે ચંદ્રની કળા કહીએ છીએ તે અપૂર્ણતાથી પૂર્ણતા તરફની ગતિ છે. જીવન તેની કોઈ પણ ક્ષણે અપૂર્ણતાથી પૂર્ણતા તરફની ગતિ જ છે. આ જ રૂપકના પગલે આપણી સાહિત્યયાત્રા પણ પૂર્ણતાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે…
અપૂર્ણથી પૂર્ણ…
બિંદુથી સિંધુ સુધીની યાત્રામાં …
સવિશેષ આવતા અંકે…

રીટા જાની

દ્રષ્ટિકોણ 47: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – હિન્દૂ ધર્મ (સર્વ ધર્મ સમાન) – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ કોલમ ઉપર યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, બુદ્ધ, શીખ, ઇસ્લામ વગેરે ધર્મો ઉપર આપણે ચર્ચા કરેલી છે. આજે હિન્દૂ ધર્મ અને સાહિત્ય અને તેના શિલ્પકામ ઉપર થોડી વાત કરીએ.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.
હિન્દૂ ધર્મ: હિન્દૂ ધર્મ પુરાતન ધર્મ છે અને તેનું સાહિત્ય ખુબ જ વિશાળ છે.  તેથી સઘળા હિન્દૂ સાહિત્ય વિષે કઈ પણ કહેવું સહેલું નથી. સૌ પ્રથમ, હિન્દૂ સાહિત્ય માં વેદ અને ઉપનિષદ નો ઉલ્લેખ થાય. ભગવદ ગીતા, અગામા, ભાગવત પુરાણ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ નો સમાવેશ તેમાં થાય. ત્યાર બાદ શ્રુતિ અને સ્મૃતિ નો સમાવેશ થાય. શ્રુતિ એટલે સાંભળેલું ધર્મ સાહિત્ય અને સ્મૃતિ એટલે સ્મરણ કરેલું સાહિત્ય – કેમકે મોટા ભાગનું ધર્મ વિશેનું પુરાતન જ્ઞાન આ બે પ્રકારનું હતું. હિન્દૂ દાર્શનિક જ્ઞાનીઓ, નિબંધકારો, કવિઓ વગેરે લોકોએ રાજકારણ, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિ, કલા, સમાજ, સામાજિક નિયમો, અને સાત્વિક અને આધ્યાત્મિક તેમજ રોમેન્ટિક પ્રેમ જેવા વિવિધ વિષયો સાથે હિન્દૂ ધર્મને એ રીતે સાંકળી લીધો છે કે હિન્દૂ ફિલસુફી જીવન જીવવાનો માર્ગ બતાવે છે.  
ખાસ કરીને નરસિંહ ના કાવ્યો, તુલસીદાસ ની કૃતિઓ, મીરા ના ભજનો, કબીર ના દોહા અને કાલિદાસ ના નાટકો જેવી સર્જનાત્મક અને કલાત્મક કૃતિઓમાં હિન્દૂ ધર્મ ના સંદેશ ને સુંદર રીતે સાંકળી લેવામાં આવ્યો છે. સંત તુલસીદાસ હનુમાન ભક્ત હતા અને તેમણે હનુમાન ચાલીસામાં એ રીતે ઈશ્વરને સાંકળી લીધા છે કે શ્રી અટકિન્સે હનુમાન ચાલીસા નો અંગ્રેજી માં ભાષાનુવાદ કર્યો ત્યારે તેમણે કહ્યું કે “ઈશ્વર વિષે આટલી સુંદર રચના માણ્યા બાદ કોણ ભાવના થી બુલંદ થઈને સ્વર્ગ ના સીધા માર્ગે જવાનું પસંદ ન કરે?” 
તુલસીદાસે કહેલું,
रामचरितमानस बिमल संतनजीवन प्रान ।
हिन्दुवान को बेद सम जवनहिं प्रगट कुरान ॥
એટલે  “નિષ્કલંક રામચરિતમાનસ સંતોના જીવન ના શ્વાસ સમાન છે. તે હિન્દુઓ માટે વેદો અને મુસ્લિમો માટે કુરાન સમાન છે. 
ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિમય રંગે રંગાયેલ મીરા ના ભજન હૃદય સોંસરવા નીકળી જાય તેવા છે.
पायो जी मैंने राम रतन धन पायो
जन्म जन्म की पूंजी पाई
जग में सबी खुमायो
पायो जी मैंने राम रतन धन पायो
કબીર ના તો નાના નાના દોહા માં એટલું શાણપણ સમાયેલ છે કે બે વાક્ય માં જીવન નો માર્ગ મળી જાય અને સાંભળવામાં પણ તે ખુબ સુંદર લાગે છે. તેમાં માત્ર ઈશ્વરનો ઉલ્લેખ નથી પણ જીવન માટેના સિદ્ધાંતો સમાયેલ છે. જેમકે જો ખરાબ વ્યક્તિને શોધવા નીકળું તો મારાથી ખરાબ કોઈ નથી મળતું, અને ઈશ્વર; જયારે તું જગત માં આવ્યો ત્યારે તું રોયો, બધા હાસ્ય, હવે એવા કર્મો ના કરીશ કે તું જાય પછી બીજા હસે, ચોપડીઓ વાંચી વાંચીને પંડિત ન બનાય પણ અઢી અક્ષર પ્રેમ નો જે સમજે તે પંડિત થાય , અને તારો ઈશ્વર તારામાં જ છે, તું જાગી શકે તો જાગ.
બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલા કોઈ
જો મન ખોજા અપના, મુજસે બુરા ન કોઈ 
જબ તું આયા જગત મેં, લોગ હસે તું રોય
ઐસી કરની ના કરી, પછે હસે સબ કોઈ 
પોથી પઢ પઢ કર જગ મૂઆ, પંડિત ભાયો ના કોઈ
ઢાઈ અક્ષર પ્રેમ કે જો પઢે સો પંડિત હોય 
જૈસે તિલ મેં તેલ હૈ, જ્યોં ચકમક મેં આગ
તેરા સૈ તુજમેં હૈ, તું જાગ શકે તો જાગ 
અને વારંવાર હિન્દૂ ધર્મ માં શાંતિ નો ઉપદેશ વણી લેવામાં આવ્યો છે જેમકે…
સર્વે જન સુખીનો ભવંથુ – દરેક જણ ને સુખ મળે
માનવ સેવે, માધવ સેવા – વ્યક્તિની સેવા કરવી તે પ્રભુ ની સેવા કરવા સમાન છે.
અહિંસા પરમોધર્મ – હિંસા ન કરવી તેજ સૌથી મોટો ધર્મ છે. 
હિન્દૂ ધર્મ માટે ઘણું ઘણું લખાયું છે અને મોટા ભાગના વાચકો પણ મારા કરતા ખુબ મોટા જ્ઞાન  નો ખજાનો આ વિષય ઉપર ધરાવે છે. આ વિષય ને પૂરો ન્યાય આપવાનું મારી કુશળતા ની બહાર છે. 
હિન્દૂ મંદિરોનું શિલ્પકામ: વિશાળ હિન્દૂ મંદિરો દુનિયા માં ઠેર ઠેર છે. પણ સૌ પ્રથમ ખુબ જુના વિશાળ હિન્દૂ મંદિર વિષે હું નાનપણમાં શાળામાં ભણી હતી તે જોવાની મને ખુબ ઉત્કંઠા હતી અને આખરે પુરી થઇ તેની વાત કરું. ચારેક વર્ષ પહેલા મારી દીકરી અને હું કંબોડીયા ગયા ત્યારે ત્યાંના અંકોર વાટ હિન્દૂ મંદિર ની સફર અમે કરી. અંકોર વાટ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે અને તે 402 એકર ની જગ્યા ઉપર રાજા સૂર્યવર્મન 2 દ્વારા 12મી સદીમાં બનાવાયેલ. તે મંદિર ભગવાન વિષ્ણુ ને અર્પિત છે. 
ભારત માં ઘણા સુંદર હિન્દૂ મંદિરો છે. તામિલનાડુમાં આવેલ શ્રીરંગમ મંદિર હાલ માં ઉપયોગ માં લેવાતું સૌથી મોટું હિન્દૂ મંદિર છે અને તે 156 એકર ના વિસ્તાર માં આવેલ છે. જો કે, આખા મંદિરનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે કરવામાં આવતો નથી.  સાતમાંથી પ્રથમ ત્રણ દિવાલોનો ઉપયોગ રેસ્ટોરન્ટ્સ, હોટલો, ફૂલ બજાર, રહેણાંક ઘરો અને વ્યાપારી સંસ્થાઓ માટે રાખવામાં આવ્યો છે. દિલ્લીનું આકાશવર્ધન મંદિર પણ ખુબ પ્રખ્યાત છે અને તેની ઉપર 7000 શિલ્પકારો અને 3000 સ્વંયસેવકોએ કામ કરેલ છે. ભારત ના બિરલા મંદિરો, બેલુર મઠ, મીનાક્ષી મંદિર, જગનાથ પુરમ નું મંદિર વગેરે બધાજ મંદિરો નું શિલ્પકામ અદભુત છે. થિરુવનંથપુરમ માં આવેલ શ્રી પદ્મનાભસ્વામી નું મંદિર પ્રખ્યાત છે અને ત્રણ વર્ષ પહેલા મારા કઝીન્સ જોડે હું તેની મુલાકાતે ગયેલ. કહેવાય છે કે આ મંદિર ના પાયા એટલા જુના છે કે હિન્દૂ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ માં તેનો ઉલ્લેખ થાય છે. અને આ મંદિર દુનિયા ના બધા ધર્મસ્થળ માં સૌથી ધનવાન જગ્યા છે. કહેવાય છે કે તેના નીચા ભાગ માં આવેલ સોના, હીરા, કિંમતી પથ્થરો અને દાગીના ની કિંમત 1.2 લાખ કરોડ એટલે કે 17 બિલિયન અમેરિકન ડોલર જેટલી થાય. લોકો એટલું દાન કરે છે કે તે ધન વધતુંજ જાય છે. 
સ્વામિનારાયણ સંપ્રદાય ના 10 મંદિર ભારત માં બનાવવામાં આવેલ। અત્યારે દુનિયા માં તેવા 1000 થી વધુ સંખ્યામાં મંદિરો છે. શ્રી કૃષ્ણ ને અર્પિત આ મંદિરોમાં પૂજા માટે ના પરિભ્રમણ માટે મંદિરની મધ્યસ્થમાં માર્ગ હોય છે અને સ્ત્રીઓ અને પુરુષો માટે બે અલગ વિભાગ હોય છે. ભાગવત પુરાણમાં વર્ણવેલી ઘટના જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનના ગ્રામજનોને મુશળધાર વરસાદથી આશ્રય આપવા માટે ગોવર્ધન ટેકરી ઉંચી કરી હતી તેની કૃતજ્ઞતા દર્શાવવા ગોવેર્ધન પૂજા દરમ્યાન ભક્તો ભગવાન ને અન્નકૂટ (વિવિધ શાકાહારી ભોજન) અર્પણ કરે છે.

Famous indian Madhya Pradesh tourist landmark - Kandariya Mahadev Temple, Khajuraho, India. Unesco World Heritage Site

ખજુરાહો મંદિરો: મધ્ય પ્રદેશ માં આવેલ ખજુરાહો ના પાંચ મંદિર જૈન અને હિન્દૂ ધર્મ ના છે. લગભગ બારેક વર્ષ પહેલા હું મારી અમેરિકન સહેલી ને લઈને ત્યાંની સફરે ગયેલ. આ મંદિરો ચંદેલ વંશ દ્વારા 950 થી 1050 ની વચ્ચે બનાવવવામાં આવેલા. આ મંદિરો તેમના શૃંગારિક શિલ્પો માટે પ્રખ્યાત છે.  મંદિરો સીબ સાગર, અને ખજૂર સાગર ની પાસે બાંધવામાં આવેલ અને મોટા ભાગના મંદિરો ના પ્રવેશદ્વાર સૂર્યોદય તરફ બનાવેલ છે. આ બધા મંદિરો માં દેવીઓ અને દેવતાઓ બંને નો સમાવેશ થાય છે.  શિલ્પકામ હિન્દૂ ધર્મ ના ચાર પ્રતીક ને ધ્યાન માં રાખીને બનાવેલ છે; તે છે ધર્મ, કર્મ, અર્થ, અને મોક્ષ. ત્યાંના મંદિરો શિવ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય દેવતા અને જૈન તીર્થંકરોને અર્પિત છે.  આ મંદિરો તેમના શારીરિક અને શ્રુંગારિક શિલ્પકામ માટે જાણીતા છે અને તે શિલ્પકામ ખરેખર અદભુત છે પણ તે માત્ર 10 ટકા નું કામ છે. બાકી પણ ઘણું બારીક શિલ્પકામ છે. 
AUROVILLE,PUDUCHERRY (PONDICHERRY)/INDIA-FEBRUARY 26 2018:A groundsman tends an area in front of the golden globe of Matrimandir or  Mother Temple, which stands as the spiritual center of Auroville.
છેલ્લે અરોબિન્દો આશ્રમ, પોન્ડિચેરી માં આવેલ માતૃમંદિર નો પણ ઉલ્લેખ કરું છું. માતૃમંદિર આમ જોઈએ તો હિન્દૂ મંદિર નથી. પણ સર્વ ધર્મ સમાન ની હિન્દૂ ભાવના થી બનેલ અત્યંત સુંદર મંદિર છે. હું નાનપણ માં બે, ત્રણ વાર ગયેલી પણ ત્યારે માતૃમંદિર બંધાતું હતું.  હમણાં ત્રણેક વર્ષ પહેલા મને ત્યાં જવાનો ફરી મોકો મળ્યો અને પૂરું થયેલ મંદિર ની સફર કરી અને તેમાં મેડિટેશન નો લાભ લીધો. માતૃમંદિર નું મહત્વ એ છે કે તે કોઈ પણ ધર્મ ના સાધક ને તેના જિંદગી માટેના મુખ્ય સિદ્ધાંતો ને વિચારવા માટે ત્યાં શાંતિપ્રધાન જગ્યા મળે છે. માતૃમંદિર ને બનતા 37 વર્ષ થયા અને તે સાલ 2008 માં પૂરું થયું. તે ગોળાકાર મંદિર ની 12 પાંખડી છે. જીઓડિસિક સોનેરી ગુમ્બજ સૂર્ય ના કિરણો નું પ્રતિબિંબ એ રીતે પાથરે છે કે તે ખુબ અદભુત દેખાય છે. આ વિશ્વનો સૌથી મોટો ઓપ્ટીકલી પરફેક્ટ ગ્લાસ ગ્લોબ કહેવાય છે.  સેન્ટ્રલ ડોમની અંદર એક મેડિટેશન હોલ છે અને તે લોકો માટે ખુલ્લો છે. ત્યાં મેડિટેશન કરવા માટે મૉટે ભાગે પહેલે થી નામ નોંધાવવું પડે છે. 
આપણે ભારત માં પ્રચલિત બધા ધર્મો વિષે અને તે ધર્મ ના દુનિયા ના શિલ્પકામ વિષે વાત કરી. આવતે અઠવાડિયે હું સમીક્ષા અને ધર્મ વિશેના મારા થોડા વિચારો રજુ કરીશ. 

 

દ્રષ્ટિકોણ 45: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – ખ્રિસ્તી ધર્મ (love thy neighbor) – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ પહેલા આપણે યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, શીખ, અને બુદ્ધ ધર્મો વિષે વાત કરી. આજે ખ્રિસ્તી ધર્મ વિષે વાત કરીએ.

 

ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.

 

ખ્રિસ્તી ધર્મ: ખ્રિસ્તી ધર્મ નું એકદમ જૂનું લખાણ ગ્રીક ભાષા માં છે. તે પછીનું લેટિન માં અને તે પછી અંગ્રેજી માં લખવામાં આવ્યું છે. ઈશુ ઘણી વખત બહુજ સાદી ભાષામાં લોકોને સમજાય તેવા ટૂંકા નૈતિક પાઠ દ્વારા પ્રભુનો સંદેશ લોકોને આપતા હતા. ઈશુનો શાંતિનો સંદેશો માત્ર તેમના શબ્દોમાં નથી પણ તેમની વાર્તાઓમાં અને તેમના વર્તન માં પણ દેખાય છે.  ઈશુ એ કહ્યું છે કે
“તમારા દુશ્મનોને પ્રેમ કરો, તમને નફરત કરનારાઓનું સારું કરો, જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપો, તમને દુરૂપયોગ કરનારાઓ માટે પ્રાર્થના કરો”.

 

પાડોશીને પ્રેમ કરો

 

ખ્રિસ્તી ધર્મ નો સંદેશ કે તમારા પાડોશીને પ્રેમ કરો તે રમુજી અર્થ માં નહિ પણ સાચા અર્થ માં લેવા યોગ્ય છે. ઈશુએ કહેલું કે ઈશ્વર ને ખરા દિલ થી ચાહો અને તે જ રીતે તમારા પાડોશી પ્રત્યે દયા અને પ્રેમ ની લાગણી રાખો. મેં ઇઝરાયેલ, ઈજીપ્ત અને જોર્ડન માં આખી ખ્રિસ્તી ધર્મ ના યાત્રાળુઓ જોડે “ઈશુના પગલે ચાલો” નામની પુરી યાત્રા કરેલી.  તેમાં મને ઘણું જોવા, જાણવા અને શીખવાનું મળ્યું અને ખ્રિસ્તી ધર્મ ના શિલ્પકામ વિષે નીચે વાત કરીશું. ઇસરાઇલમાં એક વસ્તુ એ જોવા મળી કે તે ખુબ એ નાનો પ્રદેશ છે અને એકદમ બાજુ બાજુમાં યહૂદીઓ, ખ્રિસ્તીઓ, અને મુસલમાનો રહે છે. ઈશુનો પાડોશીને તરફ પ્રેમ અને દયાનો સંદેશ ત્યાં અત્યારે પણ તેવોજ લાગુ પડે છે જે ત્યારે લાગુ  પડતો હતો જયારે ત્યાં રોમનો વસતા હતા અને યહૂદીઓને પજવતા હતા.

 

ઈશુએ તેમના પ્રવચન માં કહેલું છે………
* ધન્ય છે દયાળુઓ, કારણ કે તેઓ પર દયા કરવામાં આવશે. …
* તમારી વચ્ચેની જે કોઈ પાપ વિનાની વ્યક્તિ હોય તે બીજા ઉપર શંકા કરીને તેને પથ્થર ફેંકી શકે છે. છે એવું કોઈ જેણે કદી કોઈ પાપ ન કર્યા હોય?
*જો તે આખું વિશ્વ મેળવે પણ પોતાનો આત્મા ખોઈ નાખે, તો તે માણસને શું ખરો ફાયદો થશે?
*જાણો કે હું હંમેશાં તમારી સાથે છું; હા, સમયના અંત સુધી.
*બધી કડવાશ અને ક્રોધ, ગુસ્સો, ધાકધમકી અને નિંદા ને તમારાથી દૂર રાખો, અને એકબીજા પ્રત્યે માયાળુ થાવ, એક બીજાને માફ કરજો, કેમ કે ક્રાઈસ્ટ ભગવાને તમને માફ કરી દીધા છે. તેથી બાળકોની જેમ ભગવાનનું અનુકરણ કરો અને પ્રેમ ના રસ્તે ચાલો.

 

ખ્રિસ્તી શિલ્પકામ અને દુનિયા ના અદભુત ચર્ચ:

 

Barcelona, Spain - September 24, 2015: Cathedral of La Sagrada Familia. It is designed by architect Antonio Gaudi and is being build since 1882.

વેટિકન માં આવેલ સેન્ટ પીટર ની બાઝિલિકા જ્યાં ખ્રિસ્તી ધર્મ ના સૌથી મોટા ગુરુ પૉપ વસે છે તે દુનિયાનું સૌથી મોટું ચર્ચ છે. લગભગ 30 વર્ષ પહેલા હું ગયેલી ત્યારે ત્યાંની બારીમાંથી પોપે દર્શન આપેલા. ઇટાલીમાં બીજા ઘણા અતિ ભવ્ય ચર્ચ આવેલા છે. રશિયા ના અતિ સુંદર ચર્ચ મેં જોયા નથી. પરંતુ ટર્કી માં આવેલ હાગિયા સોફિયા ચર્ચ દુનિયાનું સુંદર ચર્ચ ગણાય છે અને તે ખરેખર અદભુત છે. તે ચર્ચ માંથી મસ્જિદ માં બદલાય ગયેલ અને અત્યારે ત્યાં મ્યૂઝિમ છે. મને ટર્કીનો ધર્મનિરપેક્ષ ઉપાય ખુબ ગમ્યો.  એસ્ટોનીયા, સર્બિયા અને જોર્જિયા માં પણ સુંદર ચર્ચ આવેલા છે. સ્પેઇન માં આવેલ બેસિલિકા દ લા સાગરાડા ફેમીલીઆ દુનિયા નું સૌથી મોટું અધૂરું ચર્ચ છે અને તેનું બાંધકામ ગૌડીએ આપેલ ડિઝાઇન અનુસાર ચાલ્યેજ રાખે છે.

 

ઇંગ્લેન્ડ નું વેસ્ટમિનિસ્ટર એબી ચર્ચ 1066 માં બાંધવામાં આવેલ અને શાહી લગ્ન અને રાજ્યાભિષેક માટે તેનો ઉપયોગ થાય છે. તમારા જાણ માં હશે કે ખ્રિસ્તી ધર્મ ના બે પંથ રાજા હેન્રી 8 ના સમય માં ઇંગ્લેન્ડ માં પડ્યા. હેન્રી ને બીજા લગ્ન કરવા હતા પરંતુ ખ્રિસ્તી ધર્મ અનુસાર તેને પૉપ પાસેથી તેની પત્ની કેથરીન પાસેથી છૂટાછેડા લેવાની પરવાનગી મળતી નહોતી. હેનરીએ ધર્મ ને થોડો બદલ્યો અને કેથોલિક પંથ થી અલગ, હેન્રીના તે પ્રોટેસ્ટન્ટ પંથમાં, રાજા પોતે તેનો ઉપરી બની શકે તેવું ફરમાન કર્યું અને તે પછી તેણે કેથરીન ને છૂટાછેડા આપ્યા અને એન બોલીન જોડે લગ્ન કર્યા। પછી તો હેનરીએ પાછળ જોયું જ નહિ. તેને જેન સીમોર જોડે લગ્ન કરવા હતા તો તેણે એન ના કૈક ગુના ગોત્યા અને એન નો વધ કર્યો અને જેન જોડે લગ્ન કર્યા। જેન ગુજરી ગઈ પછી તેણે એન ઓફ કલીવ્સ સાથે લગ્ન કર્યા। તેની પાસે થી છૂટું થવું હતું ત્યારે એન ઓફ ક્લીવસે તુરંત હા પડી — મરવા કરતા તો છુટ્ટુ થવું સારું. અને તે પછી હેનરીએ કેથરીન હાવર્ડ જોડે લગ્ન કર્યા અને તેનો પણ શાહી ગુના ના આધારે વધ કર્યો અને કેથરીન પાર સાથે લગ્ન કર્યા। કેથરીન પાર સરાસર બચી ગયી કેમ કે આખરે હેન્રી મૃત્યુ પામ્યો.  આ હેન્રી 8 અને તેની 6 વહુઓની તો સાઈડ સ્ટોરી થઇ ગઈ.

 

JERUSALEM, ISRAEL - JUNE 19, 2015: Altar erected over the place of the crucifixion of Jesus Christ in Church of the Holy Sepulchre.

મેં ઈઝરાઈલ માં ખુબ પ્રાચીન ચર્ચ જોયા। ઈઝરાઈલ માં આવેલ ચર્ચ ઓફ હોલી સેપલચર ખુબ જૂનું અને પ્રાચીન ચર્ચ છે. ઈશુને, રોમન રાજાએ તેને મારવા માટે કરેલ ક્રોસ લઈને ચાલવાની ફરજ પાડી હતી. ઈશુ જે માર્ગ ઉપર ચાલ્યા તે માર્ગ યાત્રાનો માર્ગ ગણાય છે જેના ઉપર અમે ચાલેલા. ઈશુ વધસ્તંભ સુધી પહોંચતા ચૌદ જગ્યાએ થોભેલા અને દરેક જગ્યાએ શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ થોભીને પ્રાર્થના કરે છે. (કેવી ક્રૂરતા કે જે વ્યક્તિએ પ્રેમ અને દયાનો સંદેશ આપ્યો તે જ વ્યક્તિને ધર્મ ને નામે આટલી ક્રૂરતા સહન કરવી પડી). દરેક જગ્યા ઉપર જ્યાં ઈશુ થોભેલા તેનું અમુક મહત્વ છે. પહેલી જગ્યાએ તેમને પોન્ટિસ પાઇલટ રાજાએ મ્ર્ત્યુ ની સજા જાહેર કરી અને ક્રોસ લઈને ચાલવાની ફરજ પડી, પછી તે તેમની માતાને મળ્યા, એક જગ્યાએ તે થોભ્યા ત્યારે એક બાઈએ તેમના ચહેરાને લૂછ્યો, એક જગ્યાએ જેરુસલેમ ની બહેનો રોવા લાગી તેમ અમુક જગ્યાએ નાના નાના ચર્ચ છે જેમાં લોકો થોભીને પાર્થના કરે છે. અને આખરે જ્યાં ઈશુને ક્રોસ ઉપર ચડાવ્યા તે જગા ઉપર પહોંચતા ત્યાં આ મોટું ચર્ચ બનાવેલ છે.

 

નાતાલ નો તહેવાર નજીક આવી રહ્યો છે. બધાને નાતાલ અને નવા વર્ષ ની શુભેચ્છાઓ। હું ક્યારેક ક્યારેક નાતાલ ની રાત્રે મીડ નાઈટ માસ (ખ્રિસ્તી પ્રાર્થના) માટે ચર્ચ માં જાવ છું અને તેના ગીત ગાવાની પણ મજા આવે છે. એક જાણીતા ગીત ની લિંક અહીં મુકેલી છે.  https://www.youtube.com/watch?v=3CWJNqyub3o .

 

આવતા અઠવાડિયા માં આપણે ઇસ્લામ અને હિન્દૂ ધર્મ વિષે વાત કરીશું.

દ્રષ્ટિકોણ 43: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – બુદ્ધ ધર્મ (સારા કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્તિ) – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું.
આપણે દરેક ધર્મમાં શાંતિ નો સંદેશ કઈ  રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ.આ પહેલા આપણે યહૂદી, ઝોરાસ્ટ્રીઅન http://bit.ly/2MsTXDy અને જૈન http://bit.ly/2PrtUym  ધર્મો વિષે વાત કરી.
આજે બુદ્ધ ધર્મ વિષે વાત કરીએ.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.
બુદ્ધ ધર્મ: બુદ્ધ ધર્મ નું જન્મસ્થળ પણ ભારત છે. પરંતુ હાલ માં બુદ્ધ ધર્મ ના અનુયાયીઓ ભારતની બહાર ઘણી વધારે સંખ્યામાં છે અને દુનિયા માં 7 પ્રતિશત માણસો પોતાની ધાર્મિક ઓળખ બુદ્ધિસ્ટ તરીકેની આપે છે. બુદ્ધ ધર્મ નું સાહિત્ય પહેલા ભારત ની પાલી અને પ્રાકૃત ભાષામાં હતું અને તે પછી ઘણી ભાષાઓમાં તેનું સાહિત્ય વિકસ્યું અને અત્યાર સુધીમાં તે બધાનો અંગ્રેજી માં અનુવાદ થઇ ચુક્યો છે. બૌદ્ધ ધર્મ ની અંદર વિવિધ પરંપરાઓ, માન્યતાઓ, અને આધ્યાત્મિક પદ્ધતિઓનો સમાવેશ થાય છે જે મોટાભાગે ગૌતમ બુદ્ધ ના મૂળભૂત ઉપદેશો પર આધારિત છે. બુદ્ધિઝમ ફિલોસોફી દરેક સંસ્કૃતિ માં થોડી અલગ અલગ રીતે અને વિવિધ રીતે ચર્ચાઈ છે.  તો તેમના મૂળભૂત ઉપદેશો ને જોઈએ। સામાન્ય માણસ ને સહેલાઈથી સમજાય તેવી રીતે બુદ્ધે તેમના ઉપદેશો આપ્યા છે અને તે ઘણા છે. મને ગમે તેવા થોડા વાક્યો મેં અહીં મુક્યા છે. 
* જે વ્યક્તિએ હિંસા નો ત્યાગ કર્યો છે અને તે કોઈની હત્યા નહિ કરે અને નહિ કરાવે તેવી વ્યક્તિને હું પવિત્ર માનું છું.
* જે સત્ય ના માર્ગે ચાલે છે તે આ જીવન માં અને તેના પછી ખુશ રહેશે।
* આપો, તમારી પાસે થોડું જ હોય તો પણ.
* જો તમે મારી જેમ આપવાની શક્તિ ને જાણતા હો તો તમે એક પણ ભોજન બીજાને આપ્યા વગર ખાશો નહિ.
* હજાર  ખોખલા શબ્દો કરતા એક શાંતિસભર શબ્દ બધું કિંમતી છે.
* આજે તમે જે છો તે તમારા કરેલા કાર્ય નું પરિણામ છે. તમે કાલે શું બનશો તે આજે શું કરો છો તેની ઉપર આધારિત છે.
* બોલતા પહેલા વિચારો, કે જે બોલવાના છો તે સત્ય છે, જરૂરનું છે, અને દયાળુ શબ્દ  છે.
* આપણે જે છીએ તે આપણા વિચારો છે. આપણા વિચારો દ્વારા આપણે દુનિયા સર્જીએ છીએ.
* તીક્ષ્ણ છરી જેવી જીભ… લોહી વહાવ્યા વગર મારી નાખે છે.
* તમે ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચો, ગમે તેટલા પવિત્ર શબ્દો બોલો, પણ તે શું કામનું; જો તમે તે પ્રમાણે વર્તો નહિ તો?
* સાચો માર્ગ આકાશ દ્વારા નથી, સાચો માર્ગ સાચા હૃદય થી નીકળે છે. 
બુદ્ધિસ્ટ શિલ્પકામ: બુદ્ધિસ્ટ ધર્મ ભારત માં જન્મીને ભારત ની બહાર ઘણો ફેલાયો। તે જાપાન માં ખુબ પ્રચલિત છે. જાપાન માં બુદ્ધિસ્ટ શિલ્પકામ પણ અતિ સુંદર હોય છે.  જાપાનના નારા એરિયા માં બુદ્ધિસ્ટ ધર્મ વધુ પ્રચલિત રહ્યો, ત્યાંના બુદ્ધિસ્ટ આશ્રમ (મોનેસ્ટ્રી)માં મારી જાપાનીઝ સખી જોડે હું ચાર દિવસ રહી આવી છું અને તે એક અતિ સુંદર અનુભવ હતો. એકદમ સાફ જગ્યા માં રહેવાનું. સુંદર બાથ માં નાહવાનું. ઓરડો એકદમ સાદો અને જમીન ઉપર કરેલી પથારી માં સુવાનું. સવારે મેડિટેશન કરવા જવાનું. અને સવાર સાંજ સુંદર શાકાહારી ખોરાક મળે અને જમતી વખતે બિલકુલ વાતચીત નહિ કરવાની. જાપાનના ઘણા બુદ્ધિસ્ટ મંદિરો ચાઇના ના બુદ્ધિસ્ટ મંદિરો ઉપર આધારિત છે તેથી ઘણી સમાનતા જોવા મળે, ત્યાં મંદિરોની છત જોવામાં ખુબ આકર્ષક હોય છે અને મૉટે ભાગે તે મંદિર ની અડધો ભાગ રોકે છે. સહેજ વળાંકવાળી છાલ દિવાલોથી આગળ વિસ્તરેલી હોય છે અને ફરતા વરંડાને આવરી લે છે. આ મોટી છત ના વજન ને  ટોક્યો નામની જટિલ કૌંસ સિસ્ટમ્સ દ્વારા સમર્થન આપવું આવશ્યક છે. આ ઓવરસાઇઝ ઇવ્સ આંતરિક ભાગ ને સરસ ગુણધર્મ પ્રદાન કરે છે.  ક્યોટો માં રેયોનજી મંદિર જોયું તેમાં બહાર નો પથ્થર નો બગીચો બહુજ સુંદર હતો. જાપાન ના ઘણા બુદ્ધ મંદિરોમાં બહાર સુંદર પથ્થરનું ડ્રાય લેન્ડસ્કેપ હોય છે. તેવા ઝેન બગીચાને કરે-સેનસુઇ કહેવામાં આવે છે. 

The world famous Kinkakuji Temple (The Golden Pavilion) in Kyoto, Japan

lake of ginkakuji temple, kyoto, japan

મેં ક્યોટોમાં બે ભવ્ય મંદિરો જોયા તે છે કિનકાકુજી (સોનેરી મંદિર) અને ગીનકાકુજી (ચંદેરી મંદિર). તે સુંદર અને ભવ્ય મંદિરોનું વર્ણન કરવાનું મારુ સામર્થ્ય નથી તેથી  વર્ણન ની બદલે તેમના ફોટા મુકું છું. તે સુંદર દિવસે અમને બે જાપાનીઝ 80 અને 82 વર્ષની સખીઓ, નાકાગોમાં સાન અને હનાડા સાન ફરવા લઇ ગયેલ અને તેમણે આખો સુંદર દિવસ પ્લાન કરેલો તે મારી ઘણી સફરો માં નો એક અત્યંત યાદગાર દિવસ રહ્યો છે. હોંગ કોંગ માં પણ ઘણા બુદ્ધિસ્ટ મંદિરો અમે જોયા તેમનું એક હતું શા ટીન માં આવેલ દસ હજાર બુદ્ધ નું મંદિર.  આ બૌદ્ધ મઠ પ્રખ્યાત છે કારણ કે તેની મુખ્ય ઇમારતમાં દિવાલો પર કલાત્મક રીતે મુકેલી સોનાના સિરામિક બુદ્ધની મૂર્તિઓનાં 13,000 લઘુચિત્ર છે.
આ પછી શીખ ધર્મ અને પછી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ અને છેલ્લે હિન્દૂ ધર્મ ઉપર વાત થશે.