
પ્રેમની વ્યાખ્યા – લેખક શ્રી પી.કે. દાવડા
પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક વ્યાખ્યા માટેના કારણો પણ આપ્યા છે.
“પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.
“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.
“પ્રેમ યુધ્ધ જેવો છે.” શરૂ થઈ જાય છે, રોકવું મુશ્કેલ છે. આ વાત એટલે પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.
“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષયમાં મારે કંઈ કહેવાની જરૂરત છે?
“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.
“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બંધ થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.
આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમા તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કર્યાં પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે,
પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.
આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય ,
રાજા-પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.
પ્રેમ છિપાયા ના છીપે, જો ઘટ પ્રગટ હી હોય ,
જોકિ મુખ બોલે નહિ, નયન દેત હૈ રોય .
-પી.કે.દાવડા, ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા .
પ્રેમ એક દિવ્ય અનુભૂતિ છે
આપણે જયારે સંવેદનાની વાત કરીએ કે તરત પ્રેમ યાદ આવે તો આવા પ્રેમ ની વ્યાખ્યા કઈ ?ઘણાએ પોતાના અનુભવ અને દ્રષ્ટીબિંદુ પૂર્વક કરી છે, દાખલા તરીકે પ્રેમ એટલે -કંઇ પણ અપેક્ષા વગર નું સમર્પણ આ હું નીથી કહેતી ઘણી જગ્યાએ વાંચેલું અને આ જમાનાને ન લાગુ પડતું સત્ય,કોઈ પણ વ્યક્તિ સૌ પ્રથમ પોતાને પ્રેમ કરે છે પછી પોતાને પ્રેમ કરનારને ,વિજ્ઞાન કહે છે પરમાણું નું આકર્ષણ એટલે પ્રેમ.આમ જોવા જઈએ તો કોઈ મને પ્રેમ કરે છે અને હું કોઈને પ્રેમ કરું છું આ પણ એક આપણી ભ્રાંતિ જ છે ,સામાન્ય રીતે જોશોતો મનુષ્ય માં પ્રેમ એટલે બે વ્યક્તિના હકારત્મક વિચારો પછી થતી લાગણીની અભિવ્યક્તિ ,મોટે ભાગે તો પછી એજ લાગણી અને સંવેદના સાથે ,આકર્ષણ ,સાહનુંભૂતિ,સમર્પણ ,આશા વિશ્વાસ વગેરે વગેર જોડાઈ જતા હોય છે જે હકીકતમાં રાગના વિવિધ સ્વરૂપ છે..આવો પ્રેમ તો આકર્ષણ ને વિકર્ષણ છે આવો પ્રેમ ઊતરી જાય તો દ્વેષમાં પરિણામ પામે.પણ પ્રેમ એક દિવ્ય અનુભૂતિ છેએ ભૂલવું ન જોઈએ .જેનું અવલંબન કશા પર નથી.
વધુ જાણતી નથી પરંતુ એ શુદ્ધ સ્વરૂપી આત્માનો ગુણ છે જયાં અભેદતા ત્યાં પ્રેમ
Like this:
Like Loading...