અમેં સૌ ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા,સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’ (પદમાબેન કનુભાઈ શાહ )
અમેં સૌ ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા,સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’ (પદમાબેન કનુભાઈ શાહ )
વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.
અતિ સર્વત્ર
બસ ..આ જ આનંદ જે –અપ્રગટ છે એને પામશો …..જન્મદિવસ મુબારક
….અભિનંદન …..
ચિ. દિનેશભાઈ માનવતાના દિવ્ય દિપક
ગેઇન્સવિલ ગામના સૌ એમના ચાહક
ડો. શાહ છે વિદ્યાર્થી આલમનું અજબ નૂર
નાનામોટા ચાહે આદર અનેપ્રેમથી ભરપૂર
ફ્લોરીડા સ્ટેટમાં જાણીતુ ડો.દિનેશ શાહ નામ
સ્નેહિ સ્વજનો સૌ લોક નમ્રતાથી નમે તમામ
ઘરની ભવ્ય આગતા સ્વાગતા અને પ્રેમ
સૌના હૈયામા એ યાદ જીવંત અખંડ ક્ષેમ
અસંખ્ય સંસ્મરણો અનેક જન અનુભવતા
ચીર સ્મરણિય સૌના હૈયે ચિરંતન રમતા
યુનિવર્સીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા જ્યાં જ્યાં
શુભેચ્છા, અભિનંદન અને સંદેશ પાઠવતા રહ્યા
પરિવાર સૌ આનંદ ઉત્સવ ગૌરવ સહ ઉજવે
“મા”શારદા,”અર્ધાંગિની” સુવર્ણા શાંતિ અનુભવે
પદ્માબેન કનુભાઈ
પદ્માબેન કનુભાઈ શાહ
” મુ. પ્રજ્ઞાબેનનું પ્રદાન મારા ગુજરાતી ભાષાના વારસાને ચાલુ રાખવાના પ્રયત્નોમાં અવિસ્મરણીય રહેશે . રણના મુસાફરને જેમ કોઈ વહેતું ઝરણું મળી જાય તેવીજ રીતે મારી મુલાકાત પ્રજ્ઞાબેન સાથે અહિયાં બે–એરીયામાં થઇ. મુંબઈમાં અમારું જીવન ગુજરાતી વાતાવરણથી સભર હતું . બધા પડોશીઓ ,મિત્રમંડળ , સૌ ગુજરાતી હતા . 1979 માં અહી અમેરિકા આવ્યા પછી અમારી ગુજરાતી ભાષાની દુનિયા ઉપર પડદો પડી ગયો . જોબ , ટીવી , બાળકો સાથે તેમજ ન્યુઝપેપર બધેજ ઇન્ગ્લીસ નો ઉપયોગ થતો રહ્યો . ત્યારબાદ પ્રજ્ઞાબેનની ઓળખાણ થઇ અને બેઠક જેવી પ્રવૃત્તિ શરુ થતા મને ગુજરાતી સાહિત્ય લખવાની તક મળી.
આ અનુભવથી જે આનંદ, શાંતિ અને સંતોષ મેં અનુભવ્યો તે અવર્ણનીય છે . મારા ગુજરાતી સાહિત્યના હોલવાઈ જતા કોડિયામાં ફરીથી તેલ પૂરી ઝગમગતો કરવાની પ્રેરણા આપવા બદલ હું પ્રજ્ઞાબેન ની રૂણી છું. મારા જે ઘણા નિવૃત વ્યક્તિઓ આવીજ લાગણી અનુભવે છે. પ્રજ્ઞાબેન આ પ્રવૃત્તિ ચાલુ રાખે અને સૌને લાભ આપે તેવી શુભેછા .
પદ્માબેન કનુભાઈ શાહ , સનીવેલ, કેલીફોર્નિયા “
શ્રી નરસિહ ના સ્વામી શામળિયા ને નીરખિએ ..
ભક્ત નરસિહ આ કાવ્યમા એમના મનના માનિતા સુંદર શ્યામસ્વરૂપશ્રી શામળિયા ના અંતકરણ પૂર્વક આવવાના એન્ન્ધાણ સાંભળી ભાવ વિભોર થઇ જતા.કવિ એમના દેહને રાધા સ્વરૂપ મા જ પાતાની જાતને જોતા અને તન્મયતા અનુભવતા,કવિ એમના સુંદર શામળિયા વરને નિરખીને આનંદ મગ્ન થતા.
એમના મનના માનેલા મનમોહક સુંદર શ્યામના નાજૂક પગલાના પગરવના એન્થાન સાંભળે છે. ઠંડા પવનના સુસવાટા સંભળાવા લાગ્યા,વિજળી જબુકવા લાગી,ઘનઘોર વાદળ વિજળીના કડાકા સાથે વાદળ ગર્જના કરવા લાગ્યા ને ત્યાંજ એમના સુંદર સોહામણા ઘનશ્યામ ના પગરવ સંભળાય છે.
“હે જશોદાજીના જાયા, હે નંદજીના લાલ,તમારા દર્શનની અભિલાષા મા મારુ મન નાચી રહ્યું છે”
ગોકુળના ગામમા મોરલાનો ટહૂકાર ટહૂકી રહ્યો છે ને શ્યામ સુન્દર ના પગલા ના ઝણકાર ના ભણકાર વાગી રહ્યા છે ,આપના દર્શનની રાહ જોઈ રહ્યોછુ ,આપના મુખારવિંદ ના દર્શન કરવા મન તલસી રહ્યુ છે.
હે દામોદર, હે માધવ, તમે ગોકુલમા ગાયો ચરાવતા, તમે ગોવાલણીના ઘરમા પ્રેમથી માખણ આરોગતા,કાળી કામળી ઓઢી વ્રજમા ગાયો ચરાવતા,કદંબના વૃક્ષના છાયામાં આપ વેણુ નાદ છેડતા જેના સૂરે સારાએ વ્રજના ગોપગોપી ઘેલા થઇ ગુલતાન બની રાસ રમતા,એક એક કાન અને એક એક ગોપીનુ યુગલ બની રાસની રમઝટ જામતી,
કેટલી ય વાર મધુર વાંસળીના સુરે ગોપિઓ ભાન ભૂલી ને વાછરડા છોડી મુક્તી ,ભૂલમા તેમના બાળકોને ગાયના ખૂંટે બાંધી દેતી,વાંસળીના નાદે આંખનું કાજળ ગાલે લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ.
Padmaben Kanubhai Shah
Sunnyvale, CA. June 2014
ગુજરાતી ગીત, ગરબા અને લોકગીતના રચનાર અને તે સ્વરબધ્ધ કરનાર લોકપ્રિય કવિ અવિનાશ વ્યાસને આજે પણ સૌ યાદ કરે છે. એમણે ઘણી ગુજરાતી ફિલ્મ સંગીતનું સ્વર નિયોજન કરેલુ. 1943માં એમનું પહેલુ ચિત્ર ” મહાસતી અનસુયા ” થી શરૂઆત કરેલી. “ભક્ત ગોરા કુંભાર“નું સ્વર નિયોજન ખૂબજ લોકપ્રિય નીવડેલું.
એમનો જન્મ અમદાવાદ શહેરમાં 1912ની જુલાઈની એકવીસમીએ થયેલો. એમણે બારસોથી વધુ ગીતો સ્વરબધ્ધ કર્યા છે. ગીતા દત્ત, મહંમદ રફી, સમશાદ બેગમ, મન્નાડે, હેમંતકુમાર, કિશોરકુમાર, લતા મંગેશકર, અશાભોસલે અને બીજા ઘણા સાથે ગીત ગાયા છે જે આજે પણ બધાને ગાવા અને સાંભળવા ગમે છે.ઘણા સંગીતકારો સાથે મળીને ગીતો રચ્યા છે. આ ગીતો ખૂબજ લોકપ્રિય થયા છે. ……. જેમાં “મારી વેણીના ચાર ચાર ફૂલ“, “પાંદડું લીલુ ને રંગ રાતો“,
“ચરર ચરર મારું ચકડોળ ચાલે“, “રાખના રમકડાને મારા રામે “, “ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી” વિ. ગીતો આજે પણ ઉમળકાથી લોકો ગાય છે.એમણે એકાવન જેટલા ચલ ચિત્રોનું સંગીત નિયોજન કરેલુ. “રામલક્ષ્મણ“, “જંગ બહાદૂર“, ‘રિયાસત‘, “હવામહેલ” વિ. વિ. ફિલ્મોનું સંગીત આપેલું.
કવિ પ્રદીપજી, પ્રેમ ધવન, ભરત વ્યાસ, રાજા મહેંદી અલીખાન વિ. સાથે મળીને ચલચિત્રોના ગીત સગીતની રચના કરી હતી. આજના સંગીત કલાકારોમાં એમની છત્ર છાયામાં વિકાસ પામનાર પુરૂષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, રાસબિહારી દેસાઈ, અતુલ દેસાઈ વિ. તેમની સાધનાને બિરદાવી આજે પણ યાદ કરે છે. તેમને “પદ્મશ્રી” નો એવોર્ડ મળ્યો હતો. 20મી ઓગસ્ટ 1984માં એમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો.એક અતિ લોકપ્રિય કવિ અને સંગીતકાર ગુમાવ્યાનું દુ:ખ સૌએ અનુભવ્યું.
કર્ણપ્રિયસંગીત અને અર્થસભર ગીતો લખનારા એ કસબી અવિનાશ વ્યાસ ની આ કાવ્ય રચના — અજર અમર કૃતિ મને ખૂબજ ગમી છે જે અત્રે રજુ કરૂ છું. આ કાવ્યમાં કવિની કુદરત પ્રત્યેની અતૂટ શ્રધ્દ્ધા અને ભક્તિના દર્શન થાય છે. આ બ્રહ્માંડના અસ્તિત્વને ધરતી તથા સૂર્ય,ચંદ્ર અને તારાના શણગારને માના આભૂષણ તરીકે વર્ણવ્યા છે. કવિ દેવીના અનન્ય ઉપાસક હતા. આ કાવ્ય કૃતિ અંબાજી માના મદિરમાં દર્શન કર્યા પછી સ્ફૂરેલી. તે રાત્રે આસો સુદ પુનમનો ચંદ્ર ખીલેલો હતો નોરતાના ગરબા ગવાતા હતા…. અને આ ભાવ ભર્યા શબ્દો તેમના હૃદયમાં ઉદભવ્યા. ઓ માં …. ઓ માં …..
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… ( અવિનાશ વ્યાસ )
ગુજરાતી ગીતોને લોકબોલીથી માંડીને સાહિત્યિક ભાષામાં રજૂ કરવાની હથોટી આદરણીય અવિનાશભાઈ પાસે હતી… ગીતો જીવનના વિવધ રંગો અને તબક્કાને બખૂબી રજૂ કરતા હતા. બાળપણથી માંડીને આજ સુધી ઘણા બધા ગુજરાતી ગીતો સાંભળ્યા છે અને ગમ્યા છે. આજે માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો……. અદકેરો આનંદ તો ખરો જ! લાલાશ ભર્યા સોનેરી સૂર્યના પ્રકાશમાં જેના સપ્ત રંગી કિરણો ધરતીના પટને ચેતનવંતો ને આનંદમય કરે છે….. ચારે બાજુ ઉષ્મા ભર્યું વાતાવરણ સર્જાય છે. … જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો…. કવિ અવિનાશ વ્યાસની આ ઉત્તમ કાવ્ય કૃતિ છે
.–પદ્માબેન કનુભાઈ શાહ (Sunnyvale CA )
પ્રણામ માડી ચરણે તારા, મીઠી છાયા દીધી રે
જન્મ દઈને અમૃત પાયા ઉછેર્યા ખોળા માહી રે
પાપા પગલી ભરતા શિખવી હળવે પકડી હાથરે
મ્હોમા મુક્યા પ્રસાદ પ્રભુના,જળ સાકાર ને તુલસી રે
રક્ષણ કીધા શિક્ષણ દીધા, ચીન્દ્યા માર્ગ અમુલારે
સુખ શાંતિની વાડ બનાવી, જતન કરી સંભાળ્યા રે
શું શું અર્પુ ચરણે તારા, યાદ ઘણી ઉભરાતી રે
મેહ વરસતો આંસુઓનો , પુષ્પ ચરણમા ધરતી રે
માનવતાના મૂલ્ય હૃદયમાં , ક્વચિત હૂં ના ભૂલું રે
કર્તવ્યો ના તર્પણ કરીને, ઋણાનું બંધન ચૂકવું રે
આદર્શો હું કદીના વિસરુ, જીવનપંથે તરવું રે
ઉજ્વલ ધ્યેય ને પાર ઉતારું , ઓ ઇશ સદા બળ દેજે રે
સુખ દુખના ડગલે ને પગલે, હું રોજ તને સાંભળું રે
કદીયે ના વિસરુ માં હું તુજને, સન્મુખ તુજને નીરખું રે
પદમાબેન કનુભાઇ શાહ
સનીવેલ, કેલિફોર્નિયા
May 10, 2015
થોડા થોડા થાવ વરણાગી ……..
વરણાગીપણું શેમાં લાવવું જોઈએ ?આપણા સંતોએ કહ્યું છે કે સાત્વિક વિચાર ,વાણી અને વર્તનમાં લાવવું જોઈએ.પ્રથમ સાત્વિક વિચાર વિષે વિચારીએ.
પરોપકારનું પ્રથમ પગથિયું કુટુંબથી શરું કરવું જોઈએ. ઘરના ને મદદરૂપ થયા બાદ સમાજ ને અને દેશને ઉપયોગી થવાના પ્રયત્નો વધારી વરણાગી થવાય. વાણી માં વિવેક અને મીઠાશ લાવી વરણાગીપણું ખીલવી શકાય. વિચાર અને વાણી માં વરણાગીપણું આવતાં વર્તન આપોઆપ વરણાગ્યું દેખાશે .
બેનો ઘરની સ્વછતા , સુઘડતા અને બાળકોનાં શિક્ષણ માં રસ લઇ વધુ વરણાગી થઇ શકે છે. સમયને અનુરૂપ થઇ ને રહેણીકરણી માં ફેરફારકરી વરણાગી થઇ શકાય . હાલના સંજોગ મુજબ પાણી ની તેવડ કરવી અનિવાર્ય છે. પાણીનો યોગ્ય ઉપયોગ ,અને વપરાયેલા પાણીનો પણ
ઉપયોગ કરી આંગણું લીલુંછમ રાખે અને સમાજ માં બીજા લોકોને પણ જણાવે તેય વરણાગીપણા નું એક પાસું છે. પૈસા ખર્ચી ને જ વરણાગી થવાય એવું નથી. તેવડ કરી વસ્તુ ને શોભાયમાન કરવી એમાં સાચી કળા સમાયેલી છે. કસરત,યોગ આસન તેમજ ઘરના કામકાજ કરી , શારીરિક
સ્ફૂર્તિ મેળવી મોં ઉપર લાલાશ લાવીએતો તે સાચું વરણાગીપણું છે.
પદ્માબેન કનુભાઈ શાહ
શ્રીકૃષ્ણનું જીવન પ્રેરણાદાયી છે, તેમના જીવનમાંથી આપણને શુભવિચારો સાંપડે છે, જે આપણા સૌના જીવનને પ્રકાશિત કરે.જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ સૌને આશીર્વાદ આપે તેવી હૃદયપૂર્વકશુભેચ્છા.
મારા વ્હાલા વાચકોને આજના પવિત્ર દિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ !! આવનારી દરેક પળ આપ સૌને માટે શુભવંતી,મઈ,માખણ, મીસરી અને પંજરી થી ભરપુર અને વેર,ઈર્ષ્યા,ક્રોધ,રૂપી કંસનું નિકંદન થાય એજ અભ્યર્થના. ..
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી,
હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલકી.
શ્રી કૃષ્ણ
દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર
અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર.
કંસરૂપી’ હણ્યો દાનવ-માનવનો ‘અહંકાર’
માનવ જગમાં થયો કૃષ્ણનો જય જયકાર
.
મિત્રો
કલ્પના બેનની અનુભૂતિનો અહેસાસ માણ્યા પછી પદ્મા માસીની આ કવિતા માણો એ પહેલા દીપક કાશીપુરિયા ની વાત સમજી લઈએ કે અવતાર એટલે શું? …દર વર્ષે કૃષ્ણ જન્મ ઉજવીએ તો છીએ પરંતુ ગીતાનો ચોથો અધ્યાય ને સમજી લેશું તો પ્રભુ ના દર્શન જરૂર થશે
ગીતાના ચોથા અધ્યાયમાં ૪૨ શ્લોક છે. તેમાં ૪૧ શ્લોકો માત્ર ‘ભગવાનુંવાચ’ ના છે.
જ્યારે માત્ર ૧ શ્લોક જ ‘અર્જુન ઉવાચ’ નો છે. અર્જુને આ એક જ પ્રશ્નમાં ‘અવતાર’ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરી છે.
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને અવતાર વિશે જણાવતાં કહે છે: ‘અલૌકિક તત્વ જગતમાં આવીને પોતાની તેજસ્વિતાથી, પોતાની શક્તિથી, પોતાની સત્તાથી, વાણી-વર્તન-વ્યવહારથી તથા સદાચારથી મનુષ્યોને માર્ગદર્શન આપે છે એને ‘અવતાર’ કહેવાય.’
‘અવતાર’ શબ્દ ‘અવરોહણ’ પરથી બન્યો છે. અવરોહણ એટલે ઉપરથી અને અવતરણ એટલે નીચે. ઉપરથી નીચે એટલે અવરોહણ-અવતાર
-શ્રીકૃષ્ણ ભગવાન અવતારી પરમાત્મા છે.
તેઓ બ્રહ્નાંડમાંથી-પૃથ્વી પર ઉપરથી-નીચે આવ્યા-અવતર્યા એટલે અવતાર ધારણ કર્યો.
ભગવાન કહે છે: ‘જોકે હું આ જન્મ છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી.
હું સર્વ જીવોનો સ્વામી છું છતાં દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું.
’અવતાર વિશે આટલું જાણીએ તો પણ પર્યાપ્ત છે.
શ્રી કૃષ્ણ
દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર
અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર
કાળ યવન અને જરાસંઘના યુધ્ધમાં થયો મહાસંહાર
શ્રી કૃષ્ણએ કરી અદ્ધવીતિય દ્વારિકાપૂરી સમુદ્રમાં તૈયાર
દ્વારકાધીશ કહેવાયા પ્રભુજી, ભોમાસુરનો કર્યો સંહાર
કૌરવ પાંડવનુ મહા યુદ્ધ નિવારવા બન્યા વિષ્ટિકાર
મિત્ર સખા અર્જુનને કહી સંભળાવ્યો સપૂર્ણ ગીતાસાર
નિષ્કામ કર્મ કરે જા તું સખા, કોઈ ફળની આશ વગર
ના માન્યો ક્રોધી દુર્યોધન યુધ્ધમાં થયો મોટો સંહાર
પાંડવ યુદ્ધ જીત્યા, પણ સંતાન ગુમાવ્યાનું દુઃખ અપાર
દ્રૌપદીના સંતાનના શિષ વાઢનારનુ શીર લાવીશ નિર્ધાર
ક્ષમા દીધી ગુરૂપુત્ર અશ્વત્થામાને, મણી લઇ લીધો સત્વર
-પદ્માબેન કનુભાઈ શાહ-
“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.”
અરરરર !
કૌરવ અને પાંડવ જુગટુ રમતા દાવ પર દાવ હારજીતમાં ચડસે ચડ્યા,દુર્યોધન મામા શકુની ની ચાલબાજી પ્રમાણે કાવાદાવાથી રમવામાં એક પછી એક દાવ જીતતો ગયો અને પાંડવો દાવ હારવા લાગ્યા, પાંડવો એમના રાજવી પોષાક,એમના પહેરેલા જરઝવેરાત હાર્યા અને છેલ્લે એમણે એમની પત્ની દ્રૌપદી ને હોડમાં મુકી ,છેવટે તેઓ દ્રૌપદીને પણ દાવમાં હારી ગયા.
મહારથી દાદા ભિષ્મ પિતામહ તેમજ અન્ય ભાઈઓ કાકા મામા અને વડિલ ગુરુઓ થી ભરેલી સભામાં અહંકારી દ્દુષ્ટ દુર્યોધન એના ક્રૂર સ્વભાવ મુજબ એણે દુર બેઠેલી દ્રૌપદીને સભા વચે ખેંચી લાવવા દુશાસનને હાંક મારી ‘હે દ્રૌપદી! તારા પાંચ પતિઓ તને હોડમાં હારી ગયા છે હવે તુ મારી દાસી છે ”
પાંડવ પત્ની દ્રૌપદી રજસ્વલા હોવાથી એકબાજુ પર બેસી એમના પતિના સામુ જોઈ રહી હતી.બાણાવળી અર્જૂન એને સહાય જરૂર કરશે તેવી આશા હતી, દાદા ભિષ્મ પણ દુર્યોધનને એના વર્તાવ માટે રોકશે એમ માનેલુ,પણ દાદા પણ કાઈ બોલ્યા નહિ કારણ કે તેઓ દુર્યોધનનું લૂણ ખાતા હતા ,દુર્યોધન ભરી સભામાં સતી દ્રૌપદીને બીભત્સ ગાળો દેવા લાગ્યો,સાથળ ઠોકિને ખોળામાં બેસવાનુ કહેવા લાગ્યો,”હવે તો તું મારી દાસી છે ”આ શબ્દો સાંભળી દુશાસન ભારીસભા મધ્યે દ્રૌપદી ને ખેચી લાવ્યો,સતી દ્રૌપદી નિસહાય બની ચીસો મારી.
હે કૃષ્ણ !હે કૃષ્ણ !હે મારા વીર !ભાઈ!તમારી બેન દ્રૌપદી ની વ્હારે આવો,હે મારા તારણહાર ભાઈ !આ દુષ્ટ કૌરવ દુશાસન થી મારી લાજ બચવો,અરરરર ભરી સભામાં સૌના મુખેથી ઉદગાર નીકળ્યા,સૌ નિસહાય થઇ આ દ્રશ્ય જોઈ રહ્યા,કોઈનો પણ વિરોધ નો અવાજ ના નિકળ્યો ,પાષાણની માફક ભરી સભા સ્તબ્ધ બની ગઈ,
અને ત્યાંજ સૌએ કૌતુક ભરી દ્રષ્ટિથી નિહાળ્યું કે બેન દ્રૌપદીની પોકાર ભાઈ કૃષ્ણએ સાંભળી,બેન દ્રૌપદીની સાડી જેમ જેમ દુશાસન ખેચતો ગયો ખેચતો ગયો તેમ તેમ સાડી વધવા લાગી,ભાઈ શ્રી કૃષ્ણ એ બેન દ્રૌપદીને નવસો નવ્વાણું ચીર પહેરાવ્યા,બેન દ્રૌપદી ની લાજ બચાવી,દુશાસન નવસો નવ્વાણું ચીર ખેંચતા ખેચતા થાકી ગયો, પરસેવા થી રેબઝેબ થઈ ગયો,એના હાથમાંથી સાડી સરકી ગઈ,થાકી જઈ બેસી પડ્યો, ભરી સભામા સૌના મોંમાથી ચિત્કાર નિકળ્યો,અરરરર ધિક્કાર છે આ દંભી કૌરવોનો પિતા ધૃતરાષ્ટ્ર છે જે આખે અંધ અન્યાયી અને લોભી પિતા,આંખે દેખવા છતાં પાટા બાંધી અંધ રહેનાર માતા ગાંધારી ના પુત્રો સૌ કપટ કરનારા બુધ્ધી મા અંધ નિકળ્યા,અરરરર !
પદ્માબેન કનુભાઈ શાહ
સનીવેલ