ખરેખર
અમૃત ‘ઘાયલ’ ના આશીર્વાદ લઈ ડો. મહેશ રાવલે શરૂ કરેલી ગઝલ યાત્રાઅવિરતપણે ચાલી રહી છે. ‘તુષાર’ અને ‘અભિવ્યક્તિ’ પછીનું ‘ખરેખર’ મહેશભાઈનુંત્રીજું ગઝલ સંગ્રહ છે. થોડા દિવસ પહેલા એક મુલાકાતમાં મહેશભાઈએ ‘ખરેખર’પુસ્તક મને ભેટમાં આપ્યું, જે વાંચીને આજે પુરૂં કર્યું.
સાંપ્રતિક ગઝલ લખનારાઓમાં મહેશભાઈએ પોતાની ચોક્કસ જગ્યા બનાવી લીધી છે.એમની ગઝલો સભ્ય સમાજની દૈનાદિન વ્યવસ્થાની ઇર્દગીર્દ રચાયલી છે. એમનીઘણીબધી ગઝલમાં ગુસ્સો (aggression) છે, પોતાના હક્ક માટેની લડત છે. ઘણીગઝલોમાં એમના મત્લામાં શીંગડા છે તો મક્તામાં મગરનાં પૂંછ જેવી ઝાપટ છે.વચ્ચે વચ્ચે એમના શેરમાં મુક્કા અને ધૂસા પણ જોવા મળે છે. રોજીંદા વ્યહવારમાંવપરાતા શબ્દો ઉપરાંત જૂના જમાનાના અને ગામડામાં બોલાતા શબ્દોનો પણ એમણેઉપયોગ કર્યો છે. અહીં આપણે ‘ખરેખર’ માંના થોડા શેરની મુલાકાત લઈયે.
આપણે રોજીંદી જીંદગીમાં જોઈયે છીયે કે લોકો મીઠું મીઠું બોલી આપણને છેતરી જાયછે. એવા લોકોને મહેશભાઈ ચોખું કહે છે,
“જો ખરેખર હોય દાનત ઊજળી,
લાગણીને છળને વચ્ચે રાખ માં.”
ઘણીવાર કંઈ સારૂં-માઠું બનવાનું હોય ત્યારે આપણને કોઈને કોઈ આગોતરા સંકેતમળે છે. મહેશભાઈ લખે છે,
“કાચથી પથરા ડરે છે, કંઈક તો ખોટું થયું છે,
વા વગર વાદળ ફરે છે, કંઈક તો ખોટું થયું છે.”
અને આ વાતને અંકે કરવા વધુમાં કહે છે,
“થઈ અવસ્થાવાન ખરવું કુદરતી ક્રમમાં ખપે,
પાંદડા લીલા ખરે છે, કંઈક તો ખોટું થયું છે.”
પ્રથમ દૃષ્ટીએ આપણે માણસને ઓળખી શકતા નથી, એટલે મહેશભાઈ ચેતવે છે,
“થોડો વધે પનારો પછી જાત ખૂલસે,
લોકો ઉપર ઉપરથી મિલનસાર લાગશે.”
અહીં મને જૂનો દોહો યાદ આવે છે,
જોઈને વહોરિયે જાત, મરતાં લગણ મેલે નહિં,
પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિં.
સારી ગઝલ લખવાનું કેટલું કઠીન છે, એ નીચેની બે પંક્તિઓમાં સમજાવ્યું છે,
“ડૂમો બની ઘૂંટાય ભીતર લાગણી સંજોગ વશ,
તો પાંપણોની ધાર વચ્ચેથી ટપકવાની ગઝલ !”
આનાથી સારી રીતે કોણ સમજાવી શકે?
એકબીજાને અતિશય પ્રેમ કરતા બે જણ વચ્ચે કોઈવાર ગેરસમજમાં અબોલા થઈજાય, પણ અહમ (EGO) વચ્ચે આવે તો કેવી પરિસ્થિતિ થાય, એનું બયાન આશેરમાં છે,
“કોઈવેળા એ બને કે સાવ સામે હોઈયે,
પણ હરફ ઉચારવું બહુ આકરું થઈ જાય છે.”
ગીતામાં ગમે તે કહ્યું હોય, પણ માણસને પોતાની મહેનતના ફળની ઇચ્છા હોય જ છે.આ વાત મહેશભાઈ આ શેરમાં સરસ રીતે સમજાવી છે,
“ફળ અને છાંયો સહજ, સહુને અપેક્ષિત હોય છે,
આંગણાં વચ્ચે ખજૂરી કોઈને પોષાય નહિં !”
આજની પરિસ્થિતિનું સંપૂર્ણ ચિત્ર આ મત્લામાં આવી જાય છે,
“મહત્તા જોઈને માણસ હવે વ્યહવાર રાખે છે,
વિકલ્પો એકબીજાનાં બધા તૈયાર રાખે છે.”
આજે backup અને alternative વગર કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવું શક્ય જ નથી.
એક ગઝલમાં એમના સિધ્ધાંતો અન્ય અનેક લોકો કરતાં કેવી રીતે અલગ છે, એવાત સમજાવતા મત્લામાં કહે છે,
“અમે સંબંધ સાથે લાગણીને જોડતાં શીખ્યા,
પ્રથમ ખુદને મઠારી અન્યને ઢંઢોળતા શીખ્યા”
અને મક્તામાં કહે છે,
“તફાવત એજ છે મોટો અમારામાં ને તમારામાં,
તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતાં શીખ્યા.”
ડો. મહેશ રાવલની ગઝલો વિષે લખવા બેસું તો પાનાના પાના ભરાઈ જાય, પણ હુંજાણું છું કે કોમપ્યુટરમાં લોકો લાંબું લખાણ વાંચતા નથી, એટલે જેમને રસ પડ્યોહોય તે લોકો એમનું પુસ્તક વાંચે એવી ભલામણ સાથે રજા લઉં છું.
-પી. કે. દાવડા
Like this:
Like Loading...