ઘણીવાર ઘણી વ્યક્તિ ટુક સમય માટે મળે તો પણ લાંબી છાપ મુકીને જતા હોય છે.આજે આવો જ અનુભવ મનીષાબેન પંડ્યાના ઘરે થયો, જયારે એક કોલમીસ્ટ અને અભિયાનમાં એક વખતના એડિટર જ્યોતીબેનને મળી ત્યારે…
જ્યોતિ ઉનડકટ એ ગુજરાતી પત્રકારીતામાં એક ઝળહળતું નામ છે…પહેલા જોઈએ ત્યારે લાગે ફાલ્ગુની પાઠક જેવા દેખાય છે. પર્સનાલીટી “ટોમબોય” જેવી મુક્ત, સહજ અને પારદર્શક, બોલવામાં કાઠીયાવાડી લહેકો અને પહેલીવાર મળીએ તો પણ આપણાપોતાના જ હોય તેવો અહેસાસ એને વાંચ્યા ન હોય તે પણ છુટા પડે ત્યારે કૈક વાંચ્યાનો અને મેળવ્યાનો અનુભવ કરાવે તેવું વ્યક્તિત્વ. જીજ્ઞાશું અને નિરક્ષક આંખો, સાદી સરળ ભાષા, વાતચીતમાં કયાંય મોટો દંભ નહિ..દ્રઢ છતા અત્યંત ઋજુ અને સંવેદનશીલ, જ્યોતિબેન ને મળ્યા પછી જાબાંજ અને મક્કમ મનોબળની આ નારીનું વ્યક્તિત્વ જ ક્યાંક અનોખું છે એવું લાગ્યું, સાચું કહ્યું એમના માંહ્યલાનો જાદુ સહજ વર્તાયો. એક સ્ત્રી કલમ પકડે છે ત્યા એની સંવેદનાઓ શબ્દરૂપ ધારણ કરે છે.સ્ત્રી સર્જકોની વાત જરા જુદી રહેવાની એને આવી લખતી અને અનેકની સંવેદનાને જગાડતી સ્ત્રીને મળીએ ત્યારે તેના માટે સહજ લખવાનું મન થાય.
એક દોઢ કલાકમાં ઘણી વાતો કરી..વાતચીત દરમ્યાન એમણે કહું મેં અમેરિકાની એક એક ક્ષણ માણી,અહી આવ્યા પછી કોઈ બપોર મેં આરામ કરવા વિતાવી નથી,જાણે એમણે મનની મોસમ ને ખીલવી. મનની મોસમ એટલે મનના વિવિધ વિચારો…મનની મોસમ એટલે સહજ ખીલવું, અને સહજતા જ માનવીને અર્થ આપે છે.જયારે કોઈ વ્યક્તિ પોતાના શબ્દોથી પુષ્પને ખીલવે ત્યારે સામેવાળા એ ખીલેલા પુષ્પ ને માણે છે,જયારે આ તો એક પ્રત્રકાર એ જયારે વાતો કરે ત્યારે એમની આંખો ઉપર ચશ્માં અને એની ઉપર દ્રશ્યો અને જોયેલી, અનુભવેલી ઘટના સિવાય પણ કંઈ ઘણું બધું દેખાય… ‘ઘણું બધું એટલે માનવીય સંવેદના નો અહેસાસ
બીજી એક વાત મને સ્પર્શી ગઈ કે શ્રી કૃષ્ણકાંત ઉનડકટ ની હાજરી ન હોવા છતાં એમની હાજરી દેખાણી… એક જ વ્યવસાય માં સાથે કામ કરનારા પતિ પત્ની આટલા એકબીજાના પુરક હોય અને તે પણ આવા પ્રગતિશીલ સમાજમાં ?જોઇને આનંદ થયો,સાથે તેમના આ લગ્ન એ લાદેલો નહિ પરંતુ સમજણ પૂર્વક સહજ સ્વીકારેલો સંબંધ છે એ જાણે અમે પણ મહેસુસ કર્યું અને ..જ્યોતિ અને કૃષ્ણકાંત એ એકબીજા વગર અધૂરા છે એ વાત મારા મને જાણે નક્કી કરી લીધું.
જ્યોતિબેને એક એક ક્ષણ માણી જીવન માણતા આનંદ અનુભવતા, શબ્દમાં પરોવી બીજાના મનની મોસમને ખીલવતા હતા જેના પડઘા અમે મુલાકાતમાં અનુભવ્યા,જ્યોતિબેનને પહેલીવાર જ મળ્યા પણ એક અજાણી વ્યક્તિ તરીકે નહિ હુંફાળા વ્યવહાર સાથે,જેણે મિત્રતાનો અહેસાસ કરાવ્યો. ..
મિત્રો મારી અને મનીષાબેનની ઈચ્છા એમને ‘બેઠક’ના સર્જકો અને વાચકો આપ બધા સાથે મેળવવાની હતી પરંતુ સંજોગો વસાત એમને ‘બેઠક’માં ન લાવી શકી તેનો અફસોસ થયો.
પરંતુ અમે મળ્યા, ખુબ મજા આવી પણ સમય ઓછો પડ્યો..
પ્રજ્ઞા દાદ્ભાવાળા