વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…
નમસ્કાર મિત્રો, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું ફરી એકવાર અને છેલ્લી વાર સ્વાગત છે. જાન્યુઆરી 2021 થી શરુ થયેલી આ લેખમાળાના સૌથી છેલ્લા તબક્કે આપણે આવી પહોંચ્યા છીએ. બસ હવે બે જ દિવસમાં 2021 વિદાય લેશે અને 2022 કે જે પધારવા થનગની રહ્યું છે તે દબદબાપૂર્વક આવી પહોંચશે. Many corporations and companies complete their fiscal year on December 31st and as part of their accounting regime, financial statements including balance sheet (સરવૈયું) gets prepared.
Balance sheet એટલે કે સરવૈયું – કેટલું મેળવ્યું – કેટલું ગુમાવ્યું તેનો હિસાબ… જિંદગીનું વાર્ષિક સરવૈયું કરીએ તો એમાં પણ શ્વાસ અને સબંધોની આવન-જાવન અનુભવાશે. લાગણીઓ અને તર્કના ચડાવ-ઉતાર નજરે ચઢશે…આવાજ કંઈક ભાવ દર્શાવતી સ્વ-રચિત કવિતા આજે તમારી સૌની સાથે હું વહેંચું છું. આશા રાખું છું કે તમને ગમશે.

વર્ષનું સરવૈયું હોય કે જિંદગીનું સરવૈયું હોય, ત્યાં આવન અને જાવન, લેખા-જોખા તો રહેવાનાજ. બારે ને ચારે દિવસ ક્યારેય કોઈના પણ એક સરખા જતા નથી. શ્વાસ અને સંબંધોની અને વહાલ અને વેદનાની આવન-જાવન વચ્ચે જ એક પછી એક વર્ષ અને એમ એમ કરતા જિંદગી પસાર થતી રહે છે. આવું વાર્ષિક સરવૈયું કાઢીએ ત્યારે એવો અહેસાસ થાય કે આપણી લાયકાતના પ્રમાણમાં પ્રભુએ આપણા પર અનેકગણી કૃપા વરસાવી છે. અને આ અહેસાસજઆપણને મન-વાણી અને કર્મથી એ દિવ્ય શક્તિનાચરણોમાં સમર્પિત થવાપ્રેરિત કરશે.

જયારે આપણે 2021ના અંતિમ તબક્કે પહોંચ્યા છીએ અને આજે જયારે હું આ લેખમાળાનો છેલ્લો લેખ લખી રહી છું ત્યારે મારે સૌ પ્રથમ તો “બેઠક” અને ખાસ કરીને “બેઠક” પરિવારના સંચાલિકા પ્રજ્ઞાબેન દાદભાવાલાનો આભાર માનવો છે કે જેમણે મારી કલમને વહેવા માટે એક મંચ આપ્યો. અને તમે – આ લેખમાળાના વાચકો કે જેઓ મારી લેખમાળા થકી મારી સાથે જોડાયેલા રહ્યા અને વૈશ્વિક કવિતાના ભાવવિશ્વની આ સફરમાં મારી સાથે હારોહાર ચાલ્યા – તેમને તો હું કેવી રીતે ભૂલી શકું. સૌ વાચકમિત્રોનો હું અંતઃ કરણ પૂર્વક આભાર માનું છું. વર્ષ દરમિયાન ઘણા બધા વાચક મિત્રોએ મને વિવિધ માધ્યમો દ્વારા પોતાનો અભિપ્રાય અનેમાર્ગદર્શન આપ્યા છે તેઓનો હું ઋણસ્વીકાર કરું છું. હા, અગંત કારણોસર વર્ષ દરમિયાન આ લેખમાળામાં અનિયમિતતા ઉભી થઇ હતી તે બદલ સૌની માફી માંગુ છું. જયારે જાન્યુઆરી 2021માં આ લેખમાળા લખવાની શરૂઆત કરી ત્યારે મને પોતાને વિદેશી ભાષાઓમાં રચાયેલી કવિતાઓનો ખાસ કોઈ પરિચય ન હતો પણ આ લેખમાળાની સર્જન પ્રક્રિયા દરમિયાન હું Maya Angelouની મમતા ભરેલી કવિતા થી માંડીને રૂમીની આધ્યાત્મ સભર રચનાઓને જાણી શકી, , સમજી શકી.
હું એવું દ્રઢ પણે માનું છું કે કવિતા માત્ર શબ્દોની પ્રાસબદ્ધ કે છંદબદ્ધ ગૂંથણી જ નથી – તેનાથી કંઈક સવિશેષ છે. હું તો ત્યાં સુધી કહીશ કે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ કવિ કે કવિયત્રી નથી હોતા… કોઈ પણ મનુષ્યના હૃદયની ઋજુતા અને મનના મનોભાવો ને શબ્દદેહ મળે ત્યારે કવિતાની રચના થાય છે. આશા રાખું છે કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત રજુ કરેલા ભાવાનુવાદમાં મૂળ કવિતાના ભાવ અને સંવેદના અકબંધ રહી શક્યા હોય!
આ સાથે આ લેખમાળા સમાપ્ત કરતા આ કલમને હાલ પૂરતો વિરામ આપું છું. Wishing you all a very happy, healthy, and prosperous new year 2022. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
– અલ્પા શાહ