સિક્કિમ મારી દ્રષ્ટિએ
સામાન્ય રીતે ગુજરાતીમાં કોઈ ફરવાના સ્થળે જાય ત્યારે એમ કહેવાય કે અમે હવા ફેર કરવા જઈએ છીએ દર વર્ષે અમે ભારત આવીએ ત્યારે જરૂરથી ભારતના અમે ન જોયેલા સ્થળો જોવા જઈએ હા હવા ફેર કરવા જઈએ આ વખતે માત્ર હવા નહિ પાણી, ખોરાક બધું જ ફેર કરી આવ્યા..અમે સિક્કિમ જઈ આવ્યા.
સિક્કિમ ચીન, નેપાળ તથા ભૂતાન ની સરહદે આવેલું ભારત નું રાજ્ય છે. તેનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. અમુક ક્ષેત્રોમાં સિક્કિમી અને લેપ્ચા ભાષા પણ બોલાય છે. સિક્કિમ આમ તો ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય ગણાય છે .અમે સૌ પ્રથમ ગેગટોક ગયા. ગંગટોક સિક્કિમની રાજધાની છે, સાથે સાથે સુંદર હિલ સ્ટેશન પણ છે. અહીંથી તમે કાંચનજંઘાની સફેદ પહાડીઓને માણી શકાય છે. બરફની સફેદ ચાદરમાં ઢંકાયેલી કાંચનજંઘાની પહાડીઓનું દ્રશ્ય મનને પ્રફુલ્લિત કરી દે છે. હિમલાયના ખોળે વસેલું આ પ્રાચીન હિલ સ્ટેશન કુદરતી સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે.
અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉતર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે.1957ની 16મી મે એ સિક્કીમ એ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. ભારતની આઝાદી સમયે સિક્કીમ સ્ટેટે ભારત સાથ જોડાવાનો ઈન્કાર કર્યો હતો. ૧૯૫૦માં સિક્કિમ અને ભારત વચ્ચે સંધિ થઈ, તે અનુસાર સિક્કિમ એ ભારત રક્ષિત રાજ્ય બન્યું અને સિક્કિમની વિદેશ નીતિ, રક્ષણ અને સંદેશવ્યવહાર ભારતને હસ્તક રહ્યો. તે સિવાય સર્વ ક્ષેત્રોમાં, રાજ્યકારભાર સંબંધેની સ્વાયત્તતા મળી. બાદમાં રાજાશાહીનો ત્રાસ વધતા સિક્કિમના વડાપ્રધાને ભારતીય સંસદને સિક્કિમને તેના એક રાજ્ય તરિકે ભેળવી દેવાની વિનંતી કરી હતી. જે સંદર્ભેના લોકમતમાં 97.5 ટકા લોકોએ રાજાશાહીનો અંત કરી ભારતીય સંઘમાં જોડાવાની તરફેણ કરી હતી.
સિક્કીમ બીજા પહાડી હિલ સ્ટેસશન જેવું જ સુંદર। …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં ચોપાસ લેન્ડસ્કેપ જેવા દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ। ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ ,સાહસિક દ્રષ્ટિકોણથી, ગોલ્ફરો, ટ્રેકર્સ અને સ્કીઅર્સ માટે એક સ્વપ્ન સ્થાન….. શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …હા અહીં પ્રવાસીઓ આત્માની અને માનસિક શાંતિને સિક્કિમના બૌદ્ધ મઠ પામી શકે છે.સિક્કિમમાં ૭૫ બૌદ્ધ મઠો આવેલા છે તેમાંથી સૌથી જૂનો ૧૭૦૦ના સૈકામાં સ્થપાયો છે ….હા તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિના પડઘા પહાડોની વચ્ચે પણ વર્તાય … સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..આજે જ્યારે આખી દુનિયા ખાદ્ય પદાર્થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી ચિંતિત છે, ત્યારે સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે. ૬ લાખ ૧૦ હજારની વસતી ધરાવતું આ નાનકડું રાજય દુનિયાનું પ્રથમ ૧૦૦ ટકા ઓર્ગેનિક રાજય બની ગયું છે.સામાન્ય રીતે સફરમાં મિનરલ બોટલ સાથે લઈને ફરવું જ પડે પણ અહીં દાખલ થતાની સાથે પાણી ની બોટલ ફેકવી પડે છે ..નો પ્લાસ્ટિક બોટલ। …સિક્કિમ ભારતનું પ્રથમ એવું રાજ્ય છે જે 100 ટકા ઓર્ગેનિક સ્ટેટ બન્યું અને સિક્કિમ દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર કરાયું છે.2016માં પીએમ મોદીએ સિક્કિમને દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર કર્યું હતું. હા ….સિક્કિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે જૈવિક ખેતી થાય છે પૂર્ણપણે એટલે કે 100 ટકા જૈવિક ખેતિ કરવામાં આવે છે.સિક્કિમે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને રિવાજો તથા આધુનિકરણ વચ્ચેનું સમતોલપણું જાળવી રાખ્યું છે, જેના થકી તેમણે પર્યાવરણનો નિરંકુશ નાશ કર્યા વગર પ્રગતિ સાધી છે.
