મિત્રો શરદબાબુની ગૄહદાહ વાર્તા એ સૂક્ષ્મ કરુણાની મહાકથા છે. આ વાર્તામાં તેઓએ બે મિત્રોની વાર્તા માંડી છે આ વાર્તાનો બંગાળી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ ભોગીલાલ ગાંધી એ કર્યો છે.બંગાળના કેટલાક વિવેચકો શરદબાબુની આ નવલકથાને શ્રેષ્ઠ ગણે છે. તેમની આ નવલકથા મહાનવલકથા તો છે જ બીજી નવલકથાઓ કરતા આમાં કાર્ય નો પ્રવાહ તો છે જ, પણ તેથી વધુ મહત્વનું છે રજુ કરાયેલું જીવન દર્શન.
બે મિત્રો સુરેશ અને મહિમ બાળપણના મિત્રો છે. બંને બાળપણથી જ ગામડામાં સાથે ભણ્યા .બંનેમાં આર્થિક રીતે ઘણો જ મોટો તફાવત સુરેશ અમીર મહિમ ગરીબ,પણ બન્નેનાં હૃદયમાં એકબીજા માટે ખૂબ જ પ્રેમ હતો. સુરેશના શરીરમાં જેવું અસાધારણ બળ હતું તેવું જ તેનું હૈયું કોમલ અને સ્નિગ્ધ હતું. પરિચત અપરિચિત કોઈને વિશે પણ જો દુઃખ કષ્ટની વાત સાંભળતો તો તેનું હૈયું ભરાઈ આવતું. નાનપણમાં તો તે એક માછલી સુધ્ધા મારી શકતો નહોતો. જૈન પાડોશીની દેખા દેખી કંઈ કેટલાય દિવસ તે પણ ખિસ્સામાં. સોજી (એટલે ઘઉંનો જાડો લોટ) અને ખાંડ ભરી જતો અને નિશાળ જવાને બદલે ઝાડે ઝાડે ફરીને તે કીડીઓને ભોજન કરાવતો !આટલી જિંદગીમાં એને કંઈ કેટલીય વાર માસ માછનો ત્યાગ કર્યો હતો .પાછું ખાવા પણ લાગ્યો હતો .એનો કોઈ હિસાબ નથી. જેની ઉપર તે પ્રેમ રાખતો તેને માટે જાન છીડકતો .
મહિમ ખૂબ જીર્ણ, પાતળો અને આર્થિક અવ્યવસ્થા નબળી હોવાને કારણે પહેરણ પણ ફાટલું પહેરતો. નિશાળમાં તે સૌ કરતાં વધુ સુશીલ વિદ્યાર્થી હતો. પગના જોડા પણ જીર્ણ અને જૂના પહેરતો. તેનો ચહેરો નિસ્તેજ હતો,છતાં સુરેશને તેના તરફ આકર્ષણ હતું. તેના પ્રત્યેનો પ્રેમ પૂરનાં પાણીની જેમ વધે તેમ વધતો ગયો હતો. આ વિદ્યાલયમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
બંને આગળ ભણવા કલકત્તા ગયા મહિમને સ્કોલરશિપ મળી હતી, ચાર રૂપિયા. આ પૂજી લઇ તે કલકત્તા જવા નીકળી પડ્યો હતો .સુરેશ તેને તેની સાથે રહેવા આગ્રહ કરતો હતો પણ મહિમની દૃઢતા તેનો નકાર જ કરતી.મહિમના ધર્મ માટેના વિચાર જોય સુરેશ ચિંતિત રહેતો તેને ખૂબ ટોકતો તેની સાથે ચર્ચા ટાળતો. મહિમ એક બ્રાહ્મોસમાજી કુટુંબનાં પરિચયમાં આવ્યો હતો. તે કેદાર બાબુનું કુટુંબ હતું.
કેદાર બાબુ મુખજ્જેનું ઘર ક્યાં આવેલું છે એ સુરેશ જાણતો હતો .તે ત્યાં મહિમને શોધતો શોધતો પહોંચ્યો .તેને તે લોકો માટે જરાય માન નહોતું. પોતાના મિત્રને બ્રહ્મોસમાજીથી દૂર રાખવાનો નિર્ણય લઇ ત્યાં પહોંચ્યો હતો, પણ મહિમ તેને મળ્યો નહિ. તેમની દીકરી અચલા જરૂર મળી.તેને એમ હતું કે મહિમનું સત્ય જણાવીશ તો આ લોકો દૂર થશે .હા ,કેદાર બાબુને જરૂર ખરાબ લાગ્યું પણ અચલા બધું જ જાણતી હતી. અચલાને મળ્યા પછી સુરેશને પણ આ અચંલાનું મુખ અંગ ભાષા વર્તન બધું શરૂથી અંત સુધી વારંવાર યાદ આવવા લાગ્યું. તેને લાગ્યું પોતે જાણે તેણીથી ઉતરતો હોય. એક નશો મેદ જાણે ચઢ્યો હોય તેમ અનુભવવા લાગ્યો .આ તરુણીને પ્રાપ્ત કરવા કોઈ પણ પુરુષ જાણે પોતાનું દુર્ભાગ્ય ન પણ અહોભાગ્યતો છે જ એમ માનવા લાગતો.તે શાંત મક્કમ મનવાળી હતી.મહિમ માટે બોલાયેલા ગમે તે શબ્દોથી પણ તે ચંચળ થઇ ગુસ્સે થઈ નહોતી કે દલીલ પણ નહોતી કરી .આ વિદ્યા તેણી જાણે મહિમ પાસેથી શીખી હોય એમ સુરેશ ને લાગતું હતું.
મહિમને મળી પ્રેમ જતાવવો અને અચલા ને મળી મહિમને વખોડવો જાણે આ ક્રમ બની ગયો હતો સુરેશનો.તે દ્વિમુખી જીવન જીવતો હતો. હવે તે કેદાર બાબુને ત્યાં જતો આવતો થયો.જેને બ્રાહ્મોસમાજી કહી હડધૂત કરતો હતો તેને ત્યાં તે જમશે એમ પણ કહી ઊઠ્યો. ધીરે ધીરે કેદાર બાબુ એ પોતાનું મક્કમ મન કરી મહિમ સાથે દીકરી અચલાનાં લગ્ન ન કરવાનો નિર્ણય કરી લીધો.
સુરેશે જ્યારે જાણ્યું કે કેદાર બાબુને બે ત્રણ હજારનું કર્જ છે ત્યારે તેણે મોઘમ રીતે તે ભરપાય કરી દેવાનું સૂચન કેદાર બાબુને કર્યું ,તેમણે પણ મક્કમતાથી કહ્યું કે ઋણ ચૂકવી આગળ આ ઘર સુરેશ ને અચલાને આપી દેશે. દેવાની જાળમાં ફસાયેલા, વિપત્તિ ગ્રસ્ત પિતા અનેક અસત્ તથા હીન કર્મો દ્વારા પણ તત્કાલ પોતાની આત્મરક્ષા કરવાને મથી રહ્યા છે .એ અચલાની જાણ બહાર નહોતું.
અચલા અસમંજશમાં ઘણું વિચારે છે .તેને થાય છે કે આ બે મિત્રોમાં એક ને મારે જાઓ કહી વિદાય આપવી જ પડશે.મહિમ તો તેની પર પરમ વિશ્વાસ કરી પોતાના કામે ગયો છે .તો સુરેશને લીધે પિતા ઉત્સાહિત થઈ ગયા છે. એટલે ધીરે ધીરે સુરેશને આશાઓ આપવા માંડી .તે ઈચ્છતી હતી કે મહિમને સંદેશો પહોંચે ,પણ તે ક્યાં અને કઈ તરફ છે તે જાણી પણ નથી શકી. આમને આમ વારંવાર આવી સુરેશ અચલાની નજીક ને નજીક પહોંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એકવાર એક સાંજે બહારથી બંને ગાડીમાં પાછા આવ્યા અને રસ્તામાં વારંવાર અચલાના હાથ ને ચૂમી તે પ્રેમ જતાવવા લાગ્યો. ગાડી ઘર આગળ પહોંચી અને સુરેશ તેને હાથ પકડી ઊતારી રહ્યો હતો ત્યાં સામેજ મહિમને ઉભેલો જોયો.
પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જાણે ચોરી પકડાઈ ગઈ .મહિમના આશ્ચર્ય વચ્ચે સુરેશ અને અચલાની આટલી નજદીકિયા! તેણે જાણવાનો પ્રયત્ન કર્યો અને એટલું જાણી શક્યો કે સુરેશે કેદાર બાબુને ઋણમાંથી મુક્ત કર્યા છે .કોને ખબર પણ અચલા હવે મક્કમ જ રહી. તેણીએ સુરેશની એક ન સાંભળી. પિતાની પણ વાત કાને ધરી નહીં અને મહિમની તરફ ઝૂકેલી રહી.
એક દિવસ એણે સુરેશને કહી દીધું કે મહિમ બિમાર મિત્રની ખબર પૂછવા આવી શકશે નહિ. તમે ડોક્ટર છો તો તમે જ જાવ,અને તેણીએ મહિમને ન જવા દીધો ,મહિમને ના પાડવાનો અધિકાર તેણીને જ છે કહી તેણીએ સુરેશ ને કહી જ દીધું કે સુરેશનું સ્થાન ક્યાં અને કેટલે છે.સુરેશ અપમાન ન સહી શક્યો તે ચાલ્યો ગયો.
થોડા જ દિવસમાં બંને પરણી ગયા.ગામડે ચાલ્યા ગયાં. ત્યાં મહિમે પાર્ટનર સાથે દુકાન કરી .તે દુકાન ચાલી નહિ .અચલા હવે ધીરે ધીરે મહિમથી પરિચિત થવા લાગી. ત્રણ-ચાર મહિનામાં તો તેનાથી જાણે થાકી ગઈ શાંત અને સૌમ્યતા તેને ડંખવા લાગી .વારેવારે મહિમ સાથે બોલાચાલી થઈ જતી.એકવાર ફરી ઝંઝાવાત સમાન સુરેશ ગામડે પહોંચી ગયો. ત્યાંરથી ફરી અચલામાં મહિમનો વિરોધ કરવા માટે જાણે કોઈ પીઠબળ મળી ગયું.
એ સાંજે ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી પર એચલાની નજર પડી અને તે મૃણાલની હતી. તેણીએ લખ્યું હતું મહિમને ,”સેજદા મશાઈ ! શું કરો છો .પરમ દિવસથી તમારી રાહ જોઈ જોઈ તમારી મૄણાલની આંખો ઓગળી ગઈ,”
મિત્રો ઘણી મોટી નવલકથા છે તેથી આપણે તેને બે વિભાગમાં જોઈશું . વધુ હવે આગળ આવતા અંકે .સુરેશ મહિમની મિત્રતા અને અચલાના જીવનનો ઝંઝાવત શું પરિણામ લાવે છે.
(ક્રમશઃ)
*જયશ્રી પટેલ .*
*૩|૪|૨૨*