વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,
એપ્રિલ મહિનો વાસંતી વધામણાં અને છાંટણા સાથે અહીં આગળ ડગલાં ભરી રહ્યો છે. ચારેકોરે હવામાં વાસંતી ખુશ્બુ ફેલાયેલી છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લેખમાળા અંતર્ગત આજે આપણે આ વાસંતી વૈભવને વર્ણવતી એક ખુબ સુંદર French કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. આ કવિતાનું શીર્ષક છે Printemps or Springtime અર્થાત ઋતુ વસંત… written by famous French poet Victor Hugo. તમે આ ફ્રેન્ચ કવિતાને એના મૂળ સ્વરૂપે અને અંગ્રેજી ભાષાંતર આ લિંક પર માણી શકશો. https://www.mamalisa.com/blog/printemps-sprintime-poem-by-victor-hugo-with-mp3-recording/

આ નાનકડી કવિતામાં કવિએ પોતે પ્રકૃતિ સાથે ઓતપ્રોત થઈને ઋતુરાજ વસંતના ભવ્ય નજારાને સરળ શબ્દોમાં વહેતો મુક્યો છે.આ શબ્દોમાં કોઈ ગૂઢ અર્થ નથી અને હોઈ પણ ન શકે કારણકે અહીં તો પ્રકૃતિનું સચોટ અને તાદ્રશ વર્ણન છે. અને પ્રકૃતિથી પારદર્શક તો આ બ્રહ્માંડમાં કશું હોઇ જ ના શકે. આ કવિતામાં કવિ વાસંતી મહિનાઓમાં પ્રકૃતિ દરેક સ્વરૂપે કેવી રીતે નિખરે છે તેનું અલંકારિક વર્ણન કરે છે. ઋતુરાજ વસંતની વધામણી થાય ત્યારે સોનેરી સ્મિતની રસધારની સાથોસાથ આ આકાશી ઘૂમ્મટ નીચે અનંત આનંદનો આવિષ્કાર થાય છે તેની વાત famous French writer Victor Hugoની કલમે અહીં થયેલ છે.
1802માં જન્મેલા Victor-Marie Hugo ફ્રેન્ચ સાહિત્યજગતના અત્યંત પ્રખ્યાત સાહિત્યકાર હતા. છ દાયકા ઉપરની તેમની સાહિત્યિક કારકિર્દીમાં તેમણે ફ્રેન્ચ સાહિત્યજગતને Notre-Dame de Paris (1831) and Les Misérables (1862) જેવા અમૂલ્ય સર્જનોની ભેટ આપીને ફ્રેન્ચ સાહિત્યનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર આગલી હરોળમાં મૂકી દીધું. Notre-Dame de Paris and Les Misérables novels inspired music and legendary musicals have been created from them. Hugo is renowned for his poetry collections, such as Les Contemplations (The Contemplations) and La Légende des siècles (The Legend of the Ages). Hugo was at the forefront of the Romantic literary movement with his play Cromwell and drama Hernani. He produced more than 4,000 drawings in his lifetime and campaigned for social causes such as the abolition of capital punishment.
ઋતુરાજ વસંત હંમેશા કવિઓ અને સર્જકો માટે એક પ્રેરણાદાયી વિષય બની રહેલ છે. અને કેમ ના હોય? વિશ્વના મોટાભાગના વિસ્તારમાં ઠંડા અને બરફાચ્છાદિત લાંબા શિયાળા પછી વસંતનું આગમન થાય છે. વસંતઋતુ એ પ્રકૃતિના નવપલ્લવિત થવાની ઋતુ છે. આ ઋતુઓનું ચક્ર પણ કેવું અનોખું છે. દરેક ઋતુને પોતાનું આગવું વ્યક્તિત્વ અને ખુમારી હોય છે. ઋતુઓનું ચક્ર મનુષ્યના જીવનમાં એક લયબધ્ધતા rhythm લાવે છે. એક predictability લાવે છે. It is certain that spring will follow winter and summer will follow spring. Yes – global warming is impacting up to certain extent, but the predictability is still being maintained. અને સાથે સાથે બદલાતી ઋતુઓ આપણે એ સંદેશ પણ આપે છે કે જીવનમાં કશુંજ constant નથી. Change is the only constant. જે તે ઋતુ જયારે આવે ત્યારે તે ઋતુનો આનંદ માણી લેવો કારણકે એના સમયે ઋતુ તો બદલાવાનીજ છે અને નવી ઋતુ આવવાનીજ છે. એટલેજ જે આ ક્ષણને માણતા શીખી જાય તે જીવનને જાણતા શીખી જાય. અને આ કવિતામાં તો કવિ જાણે આંનદ અને ઉલ્લાસનો ખજાનો ખુલ્લો મૂકે છે અને નવપલ્લવિત પ્રકૃતિના રૂપને ખોબલે ખોબલે પોંખે છે...
તો ચાલો આજે હું પણ મારી બારીની બહારના વાસંતી નજારાને માણતા માણતા મારી કલમ ને વિરામ આપું છું.આવતા અઠવાડિયે એક બીજી વાસંતી કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….
– અલ્પા શાહ