વિસ્તૃતિ….૪૭ જયશ્રી પટેલ



ગતાંકથી ચાલું.શરદ ચંદ્રની વાર્તા મંન્દિરનો થોડો અંશ આપણે આગળ જોઈ ગયાં. તેનો આગળનો બીજો ભાગ અહીં પ્રસ્તુત કરતાં મને આનંદ થાય છે કે આ વાર્તા એક એવી સ્ત્રીના મનોભાવને વ્યક્ત કરે છે કે તેને તેના મંન્દિર સિવાય બીજા કોઈની લાગણી સ્પર્શી શકતી નથી.

આપણે આગળ જોઇએ મિત્રો કે અપર્ણાનાં લગ્ન અમરનાથ સાથે થઈ જાય છે જતાં જતાં અપર્ણા પોતાના પિતાને જણાવે છે કે પોતે જે પૂજા ,પાઠ ને સેવાની મંદિર માટે વ્યવસ્થા કરી છે તેને તેમ જ રાખજો. તેને માટે સૂતા, ઊઠતા બેસતા સર્વસ્વ મંન્દિર જ હતું. તે ઉદાસ થઈ ગઈ મંન્દિર છોડીને જવું પડશે વિચાર માત્રથી. તે રડી પડી ,પિતાએ પણ રડતાં રડતાં વચન આપ્યું કે તેમાં કોઈ ત્રુટી નહીં રહે. તે જતાં પિતાને રડતા જોઈ રહી તે એક પણ વાર પાછી ન ફરી . તેણે પિતાના આંસુ ના લૂછ્યાં.પાછળથી તે આ વાતથી દુઃખી રહેવા લાગી ને મંન્દિરની કલ્પના કરી રડતી રહી. સાસરે જતાં પાલખી ખોલી રડી રહી ને તેના પિતા પણ મંનદિરમાં મૂર્તિ સામે દીકરીની કાલ્પનિક મૂર્તિ જોઈ રહ્યાં. પહેલે દિવસે સાસરીમાં આવી તે નવ વિવાહિત જીવનને ન સ્વીકારી શકી. પતિ અમરનાથ બે ચાર દિવસ પછી તેની ઉદાસીનું કારણ પૂછ્યું તો તેણીએ પિયર જવાની વાત કરી. અમરનાથે દુઃખી થઈ પૂછ્યું, “ શું મારાં માટે તને કોઈ લાગણી નથી ?”
અપર્ણાએ આવી વાત ન કરવા કહ્યું આવી વાતોથી પતિ-પત્નીમાં ઝઘડા થાય છે એમ સમજાવ્યું . ફરી તે પોતાની જાતને પૂજા પાઠ ધર્મમાં વાળી વૈરાગીની જેમ ઓતપ્રોત રહેવાસલાગી.
અમરનાથ એ તેને એક દિવસ ફરી કહ્યું ,” આવ અપર્ણા આપણે ઝઘડી જ લઈએ .”
અપર્ણા આ બધાથી દૂર રહેવા માંગતી હતી. મિત્રો એક પતિ પોતાની પત્નીનું આ શૂન્ય મનસ્ક વર્તન જોઈ અકળાઈ જતો .અપર્ણાને મન અમરનાથ સાથે આમ જ જીવન જીવવું એ સરળ હતું, પણ અમરનાથ સંસારી જીવ હતો. એકવાર તે બે અત્તરની બે અત્તરની શીશી લઈ આવ્યો ને એક સુંદર ડબ્બી લઈ તેની પાસે આવ્યો. જેની પર સુવર્ણ અક્ષરે અપર્ણાનું નામ કોતરેલું હતું.રેશમી કપડાંમાં વીંટાળેલી આ ભેટ અપર્ણાને ધરી થોડીવાર તેની સામે જોઈ રહી બોલ્યો,” અપર્ણા આ તારા માટે છે.”
તે પણ એકી નજરે તેની સામે જોઈ રહી .અમરનાથ એ પૂછ્યું ,”તને ન ગમી ?” તેણે જવાબ આપ્યો મૂકી દો એને વાપરવા વાળા ઘણાં છે . અમરનાથનું હૃદય તૂટી ગયું એને આઘાત લાગ્યો તે કાંઈ જ બોલ્યો નહિ .બે દિવસ સુધી તેની સામે પણ ના આવ્યો. બે રાત્રિ ઘરની બહાર રહ્યો. અમરનાથની માતાએ આ જાણ્યું ને એણે બંનેને મીઠી દાટ ફટકાર આપી. તે રાત્રીએ અપર્ણાએ તેની ક્ષમા માંગી.અપર્ણાએ તેને એ પૂછ્યું કે શું મારાથી રિસાયા છો ? તેણે ના પાડી ,પણ વિચાર્યું કે તે કેવી રીતે માની ગઈ કે હું રિસાયો નથી !
અમરનાથે જલ્દી કલકત્તા જવાનો નિર્ણય સંભળાવ્યો તો અપર્ણાએ કહ્યું ,”શું બે દિવસ ન રોકાઈ શકો ?” તે રોકાયો પણ અપર્ણા તો તે જ નિર્લેપ ભાવે તેની સાથે રહી . તેણીને કોઈ ફર્ક ન પડ્યો. આખરે અમરનાથ ને અંદરથી થયું કે તે દૂર ચાલ્યો જાય તે જ સારું. કલકત્તા જઈ તે મુરઝાયેલો ને અંતરમુખી થઈ ગયો. ના અભ્યાસમાં ચિત્ત લાગ્યું ન ખેલ કુંદમાં.બે મહિના બાદ માનસિક વિટંબણા, નિરાશાને કારણે તે માંદો પડ્યો . પથારી પકડી લીધી.માતા-પિતા પહોંચ્યા પણ અપર્ણા ના આવી . અમરનાથ કાંઈજ ન બોલ્યો. તેણે અંતરમાં જ આ વાત ધરબી લીધી. ધીરે ધીરે સાજા નહિ થઈ તેણે મૃત્યુને સ્વીકારી લીધું.
અમરનાથના મૃત્યુથી અપર્ણાને આઘાત ન લાગ્યો તેને થયું તે આ બંધનમાંથી જાણે સાચેજ મુક્તિ ઇચ્છતી હતી. પિતા આવ્યા ખૂબ રડ્યા પોતે પણ રડી .બીજા દિવસે પિતાએ તેને કહ્યું ,” બેટા મદનમોહન તારી રાહ જોઈ રહ્યાં છે ચાલ .” અને તે પિતા સાથે જવા તૈયાર થઈ. પોતાનું મંન્દિર જોવા આકુળવ્યાકુળ થઈ ગઈ હતી તેથી તે ચાલી ગઈ .

બીજી બાજુ શક્તિનાથ પોતાના રંગ રોગાન કાર્યમાં મસ્ત રહેતો. પિતા મધુસૂદનના પૂજા પાઠના વ્યવસાયમાં તેને બિલકુલ રસ નહોતો. ક્યારેક માંદગીમાં તો તે જમીનદારને ત્યાં પૂજાપાઠ કરી આવતો. આજે પણ પિતા બીમાર હતા તેથી સોમનાથ સ્વયં જમીનદારને ત્યાં પૂજા કરવા આવ્યો ત્યાં અપર્ણા ને જોઈ .અપર્ણાનાં આગમનથી મંન્દિરનાં ઠાઠ- માઠ બદલાયા હતાં. પૂજા નૈવેદ્ય,ફળ ફૂલ અગરબત્તીથી ઓરડો મહેંકી ઉઠ્યો હતો. શક્તિનાથ તેને જોઈ મૂંઝાયો જેમ તેમ જળ પાન ફૂલ ચોખા ચડાવી પૂજા પૂર્ણ કરી. સીધું ને સામગ્રી આપતા અપર્ણાએ તેને કહ્યું ,”મહારાજ બ્રાહ્મણપુત્ર થઈ પૂજા કરતા નથી આવડતી.”

મિત્રો અહીં વાર્તાએ નવા સ્વરૂપે વળાંક લીધો. મોટા મંન્દિરનાં પૂજારી પૂજા કરવા આવવા લાગ્યા અને તેમણે શક્તિનાથની થાય તેટલી બુરાઈ કરી. તે જ અરસામાં બિમાર મધુસૂદનનું મૃત્યું થયું. નરમ દિલ અપર્ણાને લાગ્યું કે બ્રાહ્મણપુત્ર છે ,તેની રોજી રોટી ન છીનવી લેવાય ! આથી તેને બોલાવી કહ્યું કે જેવી આવડે તેવી પૂજા કરશો ભગવાન સમજી જશે . શક્તિનાથ આ સુંદર સફેદ વસ્ત્રો અને રૂખા વાળમાં શોભતી યુવતી તરફ આકર્ષાયો . ધીરે ધીરે તે હવે સંપૂર્ણ ધ્યાનથી પૂજા કરતો. આપર્ણા પણ મહારાજ બ્રાહ્મણ પુત્રનું પૂર્ણ ધ્યાન રાખવા લાગી જમવું પહેરવું શું ખાવું, બધું જ .

એકવાર શક્તિનાથના મામાનો દીકરો તેને લેવા આવ્યો અને તે અપર્ણાની રજા લઈ કલકત્તા ગયો. ત્યાં બે-ત્રણ મહિનામાં જ તેનું મન ભરાઈ ગયું. અહીં અપર્ણાએ તેની ગેરહાજરીમાં બીજા બ્રાહ્મણને પૂજાપાઠ માટે રાખી લીધાં તે વધુ દિવસો થતા તેનાથી દૂર થવા લાગી . કલકત્તાથી પાછા ફરતા શક્તિનાથ અપર્ણા માટે બે અત્તરની સુગંધિત શીશી લઈ આવ્યો હતો પણ તે આપવાની હિંમત ન કરી શક્યો. અપર્ણા આમ પણ વૈરાગ્ય પૂર્ણ ભક્તિ ભાવથી જીવન જીવતી હતી.

તેણે શક્તિનાથના આવ્યા પછી જે મહારાજને રોક્યા હતા તેમને રજા આપી દીધી હતી. શક્તિનાથ પૂજા કરવા આવવા લાગ્યો. શક્તિનાથને બે દિવસ સખત તાવ આવ્યો અને તો પણ તે નાહી ધોઈને પૂજા કરવા આવતો. અપર્ણાને આ ખબર પડી કે બે દિવસથી તે જમ્યો પણ નથી . આથી અપર્ણાએ તેને પૂછ્યું ,”કેમ તમે તબિયત સારી નથી તો પણ આવ્યા કરો છો ?” શક્તિનાથે હિંમત જોડી પાસે ના રેશમી કપડાંમાં બાંધેલી બે અત્તરની શીશી કાઢી અને કહ્યું કે આ તમારા માટે છે તમને સુગંધ પસંદ છે ને ? એમ કરી બે શીશી તેને ભેટ સ્વરૂપે ધરી. અપર્ણા હવે જે સંપૂર્ણ વૈરાગ્ય તરફ વળી હતી તે તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તે બંને શીશી બહાર પડેલા સૂકા વપરાયેલા ફૂલોનાં ઢગલામાં જઈને ફેંકી દીધી.મહારાજ તમારાં મનમાં આ શું ચાલી રહ્યું છે કરી ધમકાવી કાઢ્યો.શક્તિનાથ દુઃખી થઈ ઘરે ચાલ્યો ગયો .એ પછી તે જમીનદારના ઘરે પાછો ન આવ્યો. અપર્ણાએ એ તેની ભાળ પણ ન કાઢી. તેને ગુસ્સો આવ્યો હતો કે મહારાજ ના મનમાં આટલું બધું મારા માટે ભર્યું હતું.હવે પાછા ન આવતા એમ કહી ને આંગળી બતાવી અને રસ્તો બતાવી દીધો હતો ,તેથી તે પણ તેની ભાળ કાઢવા ના ગઈ .

પૂજા કરવા મહારાજ રાખી દીધાં. યદુનાથ મહારાજ આવવા લાગ્યા હતા. અચાનક એક દિવસ બધો સામાન ભેગો કરતાં તેઓ બોલ્યા કે બિચારો બ્રાહ્મણ પુત્ર વગર ઈલાજે મૃત્યુ પામ્યો . ત્યારે અપર્ણાએ પૂછ્યું કે કોણ મૃત્યુ પામ્યું? મહારાજે કહ્યું તમે સાંભળ્યું નહીં મધુસુદનનો પુત્ર શક્તિનાથ મૃત્યુ પામ્યો . અપર્ણા બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ !શક્તિનાથના સમાચાર તેને માટે આઘાતજનક બન્યા મહારાજના ગયા પછી પૂજાનાં ઓરડાના દરવાજા બંધ કરી ભગવાન સામે જમીન ઉપર માથું મૂકી અને તે રડતી રહી ,કારણ તે હવે સમજી કે તેની આ જાણી જોઈને કરેલી અવગણના જ શક્તિનાથને મૃત્યુ સુધી લઈ ગઈ. જ્યારે યદુનાથે કહ્યું કે પાપી મનથી પૂજા કરે તેને આવી જ દશા થાય આવું જ મૃત્યુ મળે .ત્યારે તે મનોમન બોલી ઊઠી પાપી કોણ શક્તિનાથ કે પોતે ! ભગવાન આગળ માથું પછાડીને ખૂબ રડી .થોડીવાર સ્વસ્થ થઈ પાછળ ફેંકી દીધેલી અત્તરની શીશી ફૂલોમાંથી ઉપાડી લાવી અને સસ્નેહથી માથે લગાડી તેણે તે મંન્દિર ઉપર મૂકી દીધી અને પ્રભુને કહ્યું કે પ્રભુ આ હું ન લઈ શકી તમે લઈ લો આજ સુધી મેં પૂજા નથી કરી ,આજે પૂજા કરી રહી છું સ્વીકારજો . તે પૂજા કરવા લાગી .
મિત્રો અહીં વાર્તામાં એક સ્ત્રીની નાસમજ તેના પ્રેમીઓની અવગણના બની અને છતાં પણ પ્રેમ બતાવી એ સ્ત્રી બે બે પુરુષના મૃત્યુ માટે જવાબદાર બની. પાપી એ હતી કે પ્રેમની ભાવના રાખનાર અમરનાથ અને શક્તિનાથ !
*મંન્દિર* તરફનું અપર્ણાનું આ ઘેલું જોઈ શરદચંદ્ર ચટોપાધ્યાયે તેને મુખ્ય શીર્ષક આપીને સાર્થક કર્યું. શું સ્ત્રી અહીં હૃદય નથી કે તે જાણી જોઈને પુરુષોના હૃદયને ઓળખી ન શકી કે તેણે જાણી જોઈને તેઓની અવગણના કરી ! એ આ વાર્તાનાં અંતે કેવું કરુણાંત બની રહ્યું !

શરદચંદ્રની આ વાર્તાનો ગુજરાતી અનુવાદ મને નથી મળ્યો પણ એક હિન્દી ઓડિયો મને મળતા મેં તેનો ગુજરાતી અનુવાદ કરી અહીં મૂક્યો છે .છતાં પણ આપણા મહાઅનુભવોએ જો અનુવાદ કર્યા હોય અને કોઈની પાસે મળી આવે તો જરૂર મને કહેશો . આવી દોઢસો વર્ષ જૂની વાર્તા સાંભળતા કે વાંચતા પણ એવું અનુભવાય છે કે જાણે આજે જ વાર્તાનું નિરૂપણ થયું હોય. કરુણા સભર વાર્તા ત્યારે પણ પ્રથમ ક્રમાંકે હતી અને આજે પણ છે.

અસ્તુ
જયશ્રી પટેલ
૩૦/૧/૨૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.