વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહા જ્યારે મેં વાંચી ને તે પછી મને શ્રી હસમુખ દવેનો ગુજરાતી અનુવાદ પ્રાપ્ત થયો તો હું ખૂબજ ખુશ થઈ. એ પુસ્તકની વધુ નજીક જાણે પહોંચી ગઈ. અહીં સંક્ષેપમાં રજુ કરું છું.
બર્મા જવા નીકળેલ શરદબાબુના જીવનમાં પડેલા ઘણા સંઘર્ષો જાણવા મળ્યા ખરેખર તેઓ જ્યારે કલકત્તા છોડી રંગૂન જઈ રહ્યાં હતા ત્યારે નાની પતરાની ટ્રંક લઈને વહાણમાં બેસવા ગયાં હતાં,ત્યાં તેમને લાંબી લચક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું અને ત્યાં મેડિકલ ચેકઅપ કરાવવું પડ્યું હતું કારણ ભારતમાંથી પ્લેગ બર્મા ગયો હતો. તેઓને માંડ માંડ બેસવાની જગ્યા મળી હતી. પરંતુ આખા વહાણમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અનેક સ્ત્રી-પુરુષો બર્મા જઈ રહ્યાં હતાં , જાણે એવું લાગી રહ્યું હતું કે તેઓ ભારત દર્શન કરી રહ્યાં છે .તેમને બર્મા પહોંચતા ચાર દિવસ લાગ્યાં હતાં .
શરદ બાબુ માટે આ નવો જ અનુભવ હતો તેમાં એક દિવસ સમુદ્રમાં તોફાન પણ આવ્યું,મોટા મોટા મોજાં વહાણ સાથે અથડાતાં હતા .લોકો જોર જોરથી ચિત્કાર કરતા હતાં.લોકોને વહાણમાં સીકનેસ શરૂ થઈ ગઈ હતી. ખૂબ ઉલટીઓ થતી ,ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ડોક્ટરે આવી દવા અને સફાઈ કરાવી હતી. નવા અનુભવ સાથે શરદબાબુ રંગૂન પહોંચ્યા હતા .જેમ જેમ રંગૂનનુ બંદર નજીક આવતું હતું તેમ તેમ સંભળાવવા લાગ્યું કવોરોંટીન થવું પડશે. બધાં મુસાફરોને કવોરોંટીન કરી અને પછી શહેરમાં દાખલ કર્યા .
ત્યારબાદ તે એક હોટલમાં રહ્યાં અને પછી માસા અઘોરનાથને ત્યાં પહોંચ્યા .તેમની હાલત તો જાણે ભિખારી જેવી જ થઈ ગઈ હતી .મેલા દાટ ફાટેલાં કપડાં , પગમાં તૂટેલી ચંપલ અને ખભા પર ફાટેલી ચાદર ,અસ્તવ્યસ્ત વાળ ,શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું. માસા અઘોરનાથને જોઈને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. માસા અઘોરનાથ તેની હાલત જોઈને ગભરાઈ ગયાં,તેને કહ્યું કે તે મારું નામ કેમ ન દીધું તું મહા મૂર્ખ છે ભલભલા લોકો મારી ઓળખ આપીને છટકી જાય છે .અઘોરનાથ ત્યાં એક જાણીતા એડવોકેટ હતા તેઓ ખૂબ જ મુક્તમનના હતા. તેમને ત્યાં શનિવારે ઘર પાર્ટી યોજાતી તેમાં ખાવા પીવાનુ તથા સંગીતની મહેફીલ જામતી .સર્વ ધર્મ જાતિનાં લોકો ત્યાં આવતા.માસા માસી એ તેમનું પ્રેમપૂર્વક અને ઉમળકાથી સ્વાગત કર્યું. ભાગલપુર અને ભવાનીપુરમાં જે અપમાન અને અવહેલના સહી હતી તેને બદલે અહીં પ્રેમ મળ્યો.
તેને બર્મી ભાષા શીખવી પડશે જો કાયદાનો અભ્યાસ કરવો હોય તો, એવી સલાહ માસાએ આપી.ત્રણ મહિના પછી શરદને બર્મા રેલવેની ઓડિટ ઓફિસમાં નોકરી મળી ગઈ .તે માસીની દીકરીને સંગીત પણ શીખવાડતા. હવે તેમને લાગ્યું હતું કે દુઃખનાં દિવસો વીતી ગયાં. બર્મી ભાષાની પરીક્ષા તે પાસ ન કરી શક્યા અને તેની નોકરી છૂટી ગઈ અને તેથી તે વકીલ ના બની શક્યા. તેમના પ્રેમાળ સ્વભાવને કારણે ત્યાં બંગાળી સમાજમાં તેમણે ખૂબ પ્રેમ પ્રાપ્ત કર્યો .તેમનું સંગીત સાંભળવા અઘોરનાથને ત્યાં અનેક ભદ્ર બંગાળી લોકો આવતા .તેમાં ગિરીન્દ્રનાથ સરકાર સાથે તેને સારા સંબંધો બંધાયાં. તેઓ વિશેવપ્રવાસી હતાં. ખૂબ જાણકાર હતાં.તેમની સાથે ખૂબ સાહિત્યક ચર્ચા પણ થતી.
એક દિવસ માસી દીકરીનું લગ્ન નક્કી કરવા કલકત્તા ગયાં હતાં અને ત્યાં અઘોરનાથ ન્યૂમોનિયામાં પટકાયા. રાત્ર દિવસ જોયા વગર શરદે માસાની તનતોડ સેવાચાકરી કરી ,પણ એ ના બચી શક્યા .ફરી એકવાર તે નિરાધાર થઈ ગયા. અઘોરનાથના મૃત્યુ પછી તે ઘણાં વ્યક્તિઓને મળ્યા,ઘણાં અનુભવો પણ મેળવ્યા પણ દિશા ભૂલેલા વ્યક્તિ જેવા તેઓ બની ગયા.આજે તે રંગૂન હોય કે કાલે પૈંગુ માં ,વળી કોઈ વાર ઉત્તર બર્મામાં તે બૌદ્ધ સાધુ બનીને ઘણું ફર્યા ,પણ આવું ક્યાં સુધી ચાલે પોતાના ભાઈ બેન નિરાશ્રિત મૂકીને આવ્યા હતા.
તેથી તેણે એક્ઝામિનર પબ્લિક વર્કસ એકાઉન્ટની ઓફિસમાં 30 રૂપિયાની નોકરી પણ સ્વીકારી લીધી.
ત્યાં તેમની મણીન્દ્રકુમાર મિત્ર સાથે મુલાકાત થઈ .તેઓને તેના ગીતો ખૂબ ગમતા શરદ પર તેમને ખૂબ સ્નેહ હતો.તેઓને લાગતું કે શરદના કંઠમાં અલોકિક માધુર્ય છે .બરમામાં એક પછી એક અનેક નોકરીઓ બદલી વચ્ચે વચ્ચે બેકારી પણ આવી જતી. આ બેકારીનાં સમયમાં તે વાંસળી વગાડતા, શતરંજ રમતાં,શિકાર કરતાં,ક્યારેક ક્યારેક ભગવા વસ્ત્રોને શરણે પણ જતા પૌંગી બૌદ્ધ સાધના વેશમાં એની ચીર પરિચિત અને દિશાહીન યાત્રામાં નીકળી પડતા.જ્યારે થાકી જતા ત્યારે રંગૂન પાછા આવી જતાં.છેવટે તેમને મિત્ર મહોદયની કૃપાથી સ્થાયી નોકરી મળી ગઈ .પગાર પંચાસ રૂપિયા જો કે ત્રણ મહિના પછી સંતોષજનક કામને લઈને 65 રૂપિયા થયો હવે તેમનું સ્થાયી જીવન શરૂ થયું અને પગાર ₹90 રૂપિયા સુધી પહોંચી ગયો.
મણીન્દ્રનાથ મિત્ર સાથે જ રહેતા.બંને જણા સંગીત અને તત્વજ્ઞાનની ચર્ચા કરતા તે મિત્ર મહોદાયના બાળકોને પણ સંગીત શીખવાડતા બર્મામાં તેં સરકારી નોકરી કરતા માટે તેને ત્યાં બેંગોલ સોશિયલ ક્લબમાં પણ મેમ્બરશીપ મળી ગઈ .ક્લબના સભ્યો માટે મુખ્ય ગીત ગાયક થઈ ગયા.એમના મધુર કંઠે રવીન્દ્રનાથના ગીતો સાંભળી શ્રોતા ખુશ ખુશ થઈ જતાં.રંગુનમાં ત્યારે એક વાર શ્રી નવીનચંદ્ર પધાર્યા હતાં .બેંગાલ ક્લબમાં તેમના સન્માન નિમિત્તે શરદને ગાવાનું કહેવામાં આવ્યું અને શરદે પડદા પાછળ રહી ગાયું. ત્યારે તે નવીનચંદ્રને મળ્યા નહીં બહુ જ આગ્રહ છતાં પણ તે નવીનચંદ્રની સામે હાજર થતા નહીં કારણ સમજાતું નહીં .એકવાર કંઈ કામને અર્થે તેઓ નવીનચંદ્રના ઘરે પહોંચ્યા ત્યારે ન્યાયાધીશ શ્રી યતીન્દ્રનાથ સરકાર ત્યાં હાજર હતા શરદ આ જોઈને ઊભી પૂછડિયે ભાગી ગયા હતા .શ્રી નવીનચંદ્ર સેનના ત્યાં ત્તેમને જવું પડ્યું ત્યારે તેમણે કહ્યું કે હું તમારી ચાતકની જેમ રાહ જોતો હતો ,પણ શરદચંદ્રે તેમના પુત્ર નિર્મળ ચંદ્રના વખાણ કર્યા અને કહ્યું તે જો પહેલા ગાશે તો જ હું ગાઈશ .એ સમયે રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ સ્વામી રામકૃષ્ણનંદ પણ ત્યાં હાજર હતાં. તેમણે કહ્યું કે નિર્માણચંદ્ર, શરદચંદ્ર અને નવીનચંદ્ર બધા જ હાજર છે ,પણ મારે તો શરદ સુધા પાન કરવું છે .ત્યારે પણ ત્યારે પણ તેમણે ગાયું નહીં અને નિર્મળ ચંદ્ર પાસે ગવડાવ્યું ,ત્યારબાદ જ તેમણે ગાયું .નવીનચંદ્ર ભાવવિભોર થઈ ગયા અને તેમને *રંગૂન રત્નનો* ખિતાબ આપ્યો .શરદચંદ્ર આ ખિતાબ પચાવી શક્યા નહીં કે સાચવી શક્યા નહીં .ઉપેક્ષા અને અભિમાન્ય કારણે એક દિવસ એમણે કંઠનું માધુર્ય ગુમાવી દીધું અને ધીરે ધીરે સંગીત પ્રત્યે તેમને અરુચિ થઈ આવી .ક્યાંય પણ પહેલું ગીત ગાતા અને તેઓ અધૂરું મૂકીને ભાગી જતા .બીજું ગાવાનો તો પ્રશ્ન ઊઠતો જ નહીં ,પરંતુ એનો બીજો એક છુપાયેલો શોખ હતો વાંચન કોને ખબર હતી કે આ શોખ તેમને માટે ઊંચો શોખ બની જશે તેમના આ વારંવાર નાસી જવા કે ગાયબ થઈ જવા પાછળ એક અદભૂત લેખકની મૌન સાધના હતી .જે આપણને અમૂલ્ય શરદ સાહિત્ય આપી ગઈ .
મિત્રો આવતા અંકમાં ફરી આપણે શરદબાબુ વિશે નવું કંઈક જાણવાનો પ્રયત્ન કરશું.
અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૩/૧૦/૨૨