એક સિક્કો બે બાજુ: આવજો !


આ આપણી ગુજરાતી ભાષા પણ અજબ છે ! જનાર વ્યક્તિ ને આપણે વિદાય પણ કેવી રીતે આપીએ ? આવજો !
આવજો ? જેમાં છૂટાં પડ્યાં પછી પણ પાછાં મળવાનો ભાવ રહ્યો છે !
છેલ્લાં ચાર વર્ષથી બેઠક ના બ્લોગ પર પ્રત્યેક મંગળવારે મારો એક લેખ તમે વાંચ્યો છે .
શરૂઆત થઇ ; “ આવું કેમ ?” એ વિચાર ધારાથી .ધનતેરસનો એ દિવસ હતો ; વર્ષ હતું ૨૦૧૭! દર અઠવાડીએ વિવિધ વિષયો ઉપર આવું કેમ ? એ પ્રશ્ન સાથે આપણાં વાચક અને લેખકના સબંધો શરૂ થયા .
ને એના પુરા ૫૧ લેખ બાદ બીજે વર્ષે લખવાનું શરૂ કર્યું ‘ત્યાં સુધીમાં અમારું શિકાગોથી કેલિફોર્નિયા તરફનું પ્રયાણ પણ શરૂ થઇ ગયું હતું . સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલ્સ વચ્ચે બિઝનેસમાંથી નિવૃત્તિ લઈને અમે લોસએન્જલ્સમાં સ્થાયી થવાનું નક્કી કર્યું .. બાળકો સાથેના મારા ત્રણ દાયકાના અનુભવોને “વાત્સલ્યની વેલી’ એ કોલમમાં લખીને .વાગોળવાની પણ મઝા આવી ને સાથે સાથે સૌ સાહિત્ય રસિક મિત્રો સાથે એની ચર્ચા કરવાનો સમય પણ મળ્યો , જે ત્રીસ વર્ષ બાળકો સાથે કામ કર્યું ત્યારે એક પણ વાર એવો સમય પ્રાપ્ત થયો નહોતો !!પ્રવવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે એટલો જ ફેર છે : ને એટલે જ કહે છે ને કે જીવનમાં પૂર્ણ વિરામ આવે તે પહેલાં થોડાં અલ્પ વિરામો પણ આવવા દો !!
ને પછી ગયા વર્ષે તો શુદ્ધ ગુજરાતી સાહિત્યનો જ એક વિષય લખવા માટે નક્કી કર્યો ! હાં રે દોસ્ત હાલો અમારે દેશ ! જેમાં સૌરાષ્ટ્રની વાતો કરતાં કરતાં ઝવેરચં મેઘાણી વિષે ઊંડાણથી અભ્યાસ કરીને લખવાનું બન્યું . મારાં જીવનની કારકિર્દીની શરૂઆત જ મેં ગુજરાતી ભાષાના વ્યાખ્યાતા – લેક્ચરર – તરીકે કરી હતી , જે અમેરિકાના ચાર દાયકાના નિવાસ દરમ્યાન સાવ ભુલાઈને સ્વપ્નું બની ગયેલી ; તે સૌ યાદો તાજી થઇ . ને તેનો આભાર બેઠકના પ્રણેતા પ્રજ્ઞાબેનને જ આભારી છે ને ? પહેલાં તો એ લોકોને ગુજરાતી ભાષા – માતૃભાષા માટે પ્રેમ જગાડે . પછી ગુજરાતી વાંચવા પ્રેરે . પછી લખતાં શીખવાડે . ગુજરાતી લિપિમાં કમ્પ્યુટરમાં કેવી રીતે લખવું તે શીખવાડે . ને પછી સ્વાતતંત્ર રીતે લખવા પ્રેરણા આપે .
હા , હું પણ આ બધાં પગથિયાંઓમાંથી પસાર થઇ છું . મને તો તેમણે દર વર્ષે કોલમમાં નિયમિત લખવા માટે પ્રેરણા આપી , ને આજ સુધીમાં ભાગ્યેજ મેં ચાર વર્ષમાં ચાર હપ્તા ગુપચાવ્યાં હશે !
આ વર્ષે – એટલે કે ચોથા વર્ષે એક સિક્કો : બે બાજુ કોલમમાં ધર્મ , વિજ્ઞાન અને રાજકારણ બધું જ બીજી બાજુથી જોવા , નિહાળીને નિરીક્ષણ કરીને એની બીજી બાજુ વિષે લખવાનું શરૂ કર્યું અને બીજી અનેક દિશાઓ ખુલી ગઈ .
આમ પણ , ઝવેરચંદ મેઘાણી માટે મેં જ લખ્યું હતું તેમ : ગાંધી યુગમાં જન્મીને મેઘાણીએ સામાન્ય જનતામાં જાગૃતિ આણવાનું કામ કર્યું ;”નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે , ખબર છે એટલી કે માતની હાકલ પડી છે !”
એમણે લખ્યું , ગાયું અને લોકોમાં જાગૃતિ આણવા ગામડે ગામડે એ ઘૂમ્યા . ગાંધીજીએ એમને એથી જતો રાષ્ટ્રીય શાયર – રાષ્ટ્ર કવિ કહ્યા હતા ! આમ જુઓ તો સાહિત્યકારનું કામ સમાજને ઘડવાનું હોય છે . અથવા તો સમાજના પ્રશ્નોની છણાવટ સાહિત્યમાં થતી હોય છે . એ જ સાચું સાહિત્યકારનું કર્તવ્ય છે .
બસ ! એવા જ કોઈ આશયથી હવે સિક્કાની આ બીજી બાજુનો અભ્યાસ કરવા મન થનગને છે . હિન્દુત્વ અને એના અસ્તિત્વ ઉપર જયારે પ્રહારો થઇ રહ્યા છે ત્યારે એ પ્રશ્નોનો અભ્યાસ કરવા , એની જણકારી સમાજમાં આપવા એના અનુસન્ધાનમાં નાના નાના પ્રસન્ગો , સ્કીટ , ગીત – કાવ્ય વગેરે રચીને સમાજમાં મુકવા એક પ્રયાસ કરવા જઈ રહી છું ત્યારે આપ સૌની શુભેચ્છાઓ ઈચ્છું છું . અને આપ સૌની અહીંથી ભારે હ્ર્દયે રજા વાંછુ છું .
આવજો ! અસ્તુ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.