અમારાં એક મિત્રને ત્યાં સરસ માહોલ ઉભો થયો હતો ત્યાં બે ભાઈબંધો સામસામે વાગ્યુદ્ધ પર આવી ગયા !
આમ અચાનક વાતાવરણ તંગ થઇ ગયું .
શું થયું છે તે જાણવા અમે બધાં એક બીજાને હજુ કાંઈ પૂછીએ ત્યાં એ મિત્રે જ ફોડ પાડ્યો ; કહે; “ મને તારી ચાણક્ય નીતિની ખબર છે ; અમારાં ઘરમાં ય તું આવી રીતે બધાંને ઝગડાવતો ફરે છે !અમારાં કુટુંબથી હવે તું દૂર જ રહેજે !”
બીજા મિત્ર પણ હેબતાઈ ગયા . ગુસ્સામાં કંપતા એમણે સામે પ્રશ્ન કર્યો ; “ હું – હું શું ચાણક્ય નીતિ વાપરું છું? અરે હું તો તારી બાને આજના જમાનાના છોકરાંઓ અને એમનાં મા બાપ વિષે સમજાવતો હતો ! તેમાં તું એકદમ અકળાઈને મને જેમતેમ બોલે છે ! ”
બંને અમારાં પરમ મિત્ર અને વર્ષોની જૂની મૈત્રીને લીધે હવે કાંઈ પણ કહેવાનો , સમજાવવાનો ભાર અમારાં ઉપર આવી ગયો !
સૌથી પહેલાં તો વાતાવરણને હળવું કરવું જરૂરી હતું .
સુભાષે એ બંને મિત્રોને પૂછ્યું કે ‘આ તમે એક બીજાની ફરિયાદ કરો છો કે પ્રસંશા? ચાણક્ય નીતિ એ એક સરસ રાજનીતિ છે ; કુટુંબમાં સંપ કરાવવાની , ઐક્ય સાધવાની નીતિ છે . મને કોઈ ચાણક્ય કહે તો હું એને મારુ અહોભાગ્ય સમજુ . ચાણક્યે રાષ્ટ્રની એકતાને ધ્યાનમાં રાખીને નીતિ ઘડી હતી .” સુભાષે મિત્રને મજાકમાં કહ્યું ; “ તું નારદ મુનિની વાત કરે છે કે ચાણક્યની ?” અમે બધાંએ હસી પડ્યાં.
વાતાવરણ જરા હળવું થયું એટલે પેલા મિત્રે પણ એ વાતને અનુમોદન આપ્યું કે મિત્ર પત્નીને અને મિત્રની મા વચ્ચે અણબનાવ દૂર કરવા એમણે એ બંનેને ફેમિલી કાઉન્સેલિંગ સૂચવ્યું હતું .. એમાં કોઈને બદનામ કરવાનો ઈરાદો નહોતો …વગેરે વગેરે . એ વાતોથી ત્યારે તો સૌને શાતા વળી , પણ ચાણક્ય નીતિ વિષે જાણવાની ઇંતેજારી પણ સૌની વધી ગઈ !
આજથી ત્રેવીસસો વર્ષ પહેલાં થઇ ગયેલ એ એક સામાન્ય બ્રાહ્મણ ચાણક્યને આપણે શા માટે યાદ કરીએ છીએ ?
એ કોઈ રાજા નહોતો . એ કોઈ મહાન પંડિત પણ નહોતો ; કે નહોતો ધનાઢ્ય કુટુંબનો નબીરો !
હા , એ એક કુશળ રાજનીતિજ્ઞ હતો .
એક દેશપ્રેમી હતો.
અને એક દૂરંદેશીય વ્યક્તિ હતો !
આપણો દેશ એ સમયે જ ગુલામ થઇ ગયો હોત જો ચાણક્ય જેવો સમજદાર માણસ ત્યારે જન્મ્યો ના હોત !
જે વ્યક્તિને આપણે દેશ પ્રેમી તરીકે યાદ કરીએ છીએ એજ વ્યક્તિને એની ચાણક્ય નીતિ થી ભેદભાવ કરનારી , કુટુંબને પાયમાલ કરનારી ખતરનાક નીતિ કહીને પણ વગોવીએ છીએ !
કેમ ?
કારણકે દરેક વાતને બીજી બાજુ પણ હોય છે ! સામેવાળાને શામ , દામ, દંડ કે ભેદથી હરાવવો.એવું ચાણક્ય કહે છે . એટલે એની ટીકા પણ થાય છે !
“ ગીતા , ગયા અઠવાડીએ તે પૃથ્વીરાજ ચૌહાણ અને મહમદ ઘોરીની વાત કરેલી કે વેરની વસૂલાતમાં પૃથ્વીરાજ અને જયચંદના ઝગડામાં પરદેશી દુશ્મન મહમદ ઘોરી કેવો ફાવી ગયો , અને પછી સમગ્ર દેશ ગુલામ બની ગયો ..બસ , એવી જ પરિસ્થિ તી ત્રેવીસસો વર્ષ પહેલાં દેશમાં ઉભી થઇ હતી ; પણ ત્યારે ચાણક્ય જેવા દૂરંદેશી દેશ પ્રેમીને લીધે દેશની અખંડતા જળવાઈ રહી !” સુભાષે કહ્યું .
“ચાણક્ય નીતિ વિષે મને થોડી ખબર છે-“ મેં કહ્યું ; “ ચાણક્ય કહે છે કે દુશમનને શામ , દામ, દંડ કે ભેદથી હરાવવો .”
“ હા , દેશની રક્ષા કરવા એમણે આપણાં સૈનિકો જે એલેકઝાન્ડરના સૈન્યમાં જોડાઈ ગયાં હતાં તે સૌને ફોડ્યાં.. ને વિજય મેળવ્યો ..” સુભાષે પોતાનું ઇતિહાસનું જ્ઞાન બતાવ્યું .
વાચક મિત્રો , કોઈ પણ પ્રસંગ બને તેને આપણે કેવી રીતે મૂલવીએ છીએ તેના ઉપર સમગ્ર પરિણામ અવલંબે છે .
વાત આમ બની : મગધ દેશ જે આજે બિહાર રાજ્ય છે ત્યાં ધનાનન્દ રાજા વિલાસી અને ભ્રષ્ટાચારી હતો.
ચાણક્યની સલાહ ધનાનન્દને ગમી નહીં એટલે એને મારી નાંખવા માણસો મોક્લ્યાં પણ સ્ત્રીના વેશમાં ચાણક્ય છટકીને બીજે ગામ જતો રહ્યો ! રાજાને ઉથલાવવા કોઈ બાહોશ નવયુવાનની શોધ આદરી અને ચંદ્રગુપ્ત મૌર્ય નામના કિશોરને પછી રાજનીતિની તાલીમ આપી ! આ સમય હતો ઈસ્વીસન પૂર્વે ત્રીજી ચોથી સદીનો ! ૩૨૬ b c માં ગ્રીકથી એલેક્ઝાન્ડર ચઢી આવ્યો ! એણે ગ્રીસથી નીકળીને આજે જે ઈરાન છે તે જીતી લીધું ; હવે એ આગળ વધી રહ્યો હતો અને આપણે ત્યાં પંજાબ આવી રહ્યો હતો ! ચાણક્યને એ સમજાઈ ગયું હતું કે આપણા રાજાઓ કેવાં માટી પગા હતા ! પંજાબમાં પોરસ રાજા અને ગંધારના આરંભિક રાજાને દુશમનાવટ હતી ; એટલે ચાણક્યે બંને rajao
રાજા ને સમજાવ્યું કે આપણે સૌ એક સંસ્કૃતિના છીએ
જોકે ગાંધારના આંભીકે એલેકઝાન્ડરને સાથ આપ્યો !
ત્યારે ચાણક્યે એના સૈનિકોને ફોડ્યા અને યુદ્ધમાં એલેક્ઝાન્ડર ફાવ્યો નહીં !
દેશ દુશ્મનોના હાથમાં જતાં બચી ગયો !
પછી શું થયું ? તમે પૂછશો !
પછી સખત થાકેલ એલેક્ઝાન્ડર પાછો વળતો હતો ત્યાં
નાની ઉંમરમાં જ મરી ગયો ; એની પાછળ વિદ્રોહ ઉભી થયો ને એમાંનો એક વિદ્રોહી સેલ્યુકસ – જેની દીકરી સાથે ચંદ્રગુપ્તને પરણાવ્યો એટલે છેવટે શાંતિ સ્થપાઈ . અને પછી ફરીથી આક્રમણનો પ્રસંગ જ ઉભો થયો નહીં !
પ્રિય વાચક મિત્રો ! ક્યારેક આપણા અભિમાન અને ઈગોને લીધે આપણે અવિચારી પગલાં લઇ લેતાં
લઈએ છીએ ત્યારે ચાણક્ય જેવા દુરન્દેશીને યાદ કરીએ ! એના જેવા જો બધાં જ હોત તો અંગ્રેજો પણ દેશમાં આવી શક્યાં ન હોત! પણ દેશમાં જયારે અમીચંદો જેવા દેશ દ્રોહીઓ ઉભા થયા ત્યારે દેશ અંગ્રેજોના હાથમાં ગયો !તો એની વાત ફરી ક્યારેક !
ગીતાબેન સુભાસભાઈ તમે ઇતિહાસ ના પાના ઉઠલાવી સાચી વાત દર્સાવી છે એક શિકાની બનેબાજુ બતાવી છે ધન્યવાદ નિરવિવાદ ને પાત્ર છે
Nalini ત્રિવેદી
LikeLiked by 1 person
Thank you Naliniben ! તમારાં બધાં સાથે આ રીતે વાતો કરતાં હું પણ આપણા દેશના ઇતિહાસને ફરીથી તાજો કરું છું !
LikeLike