હળવે થી હૈયાને હલકું કરો..-૬

મેં  તે દિવસે  મમ્મીના ઘરની બેલ મારી એક બે ત્રણ અને ચારવાર એક સાથે .
આવું છું ,આવું છું.એક મિનીટ ઉભા તો રહો.મમ્મી એ અકળાતા વળતો જવાબ આપ્યો.
દરવાજો ખોલતા જ મમ્મી  તો ખુશ થઇ ગઈ.
અરે તું ? મને હતું જ આવી બેલ તારા સિવાય કોઈ ન મારે, what surprice ?
હવે અંદર આવવા દઈશ ? જરાક  અકળાતા હું બોલી.
અરે હા ! આવ આતો આમ અચાનક આવી ને એટલે જરા.. any way  એકલી આવીછો ? કેમ એકલી આવી ?ક્યાં છે મારા જમાઈ બાબુ ?
મમ્મી એનું નામ પણ નહિ લેતી ..હું અને છુટાછેડાના પેપર પકડાવી ને આવી છું,સવાલ નહિ કરતી,… આજ મારો પોતાનો નિર્ણય છે.એમ બોલી મારી પોતાની રૂમમાં જઈ મેં બારણું બંધ કરી દીધું.
અરે સંભાળ તો ખરી ,દરવાજો ખોલ તો ..શું થયું એ વિગતથી વાત કર ? અને મમ્મીએ બોલે રાખ્યું અને દરવાજો ખખડાવતા રહ્યા.
હે ભગવાન આ છોકરીની રક્ષા કરજો ..લાવ એમને ફોન લગાડું,
અને મમ્મીએ ફોન લગાડ્યો ..અને બબડ્યા .આ પણ મોટા મીનીસ્ટર છે અત્યારે જ, કામ છે ત્યારે  ફોન નહિ ઉપાડે !
તે દિવસે સાંજ સુધી મમ્મી અકળાતી રહી સાંજે પપ્પા આવ્યા મમ્મીએ બધી વાત કરી એટલે એમણે પણ દરવાજો ખખળાવ્યો.એમણે ધાર્યું નહોતું પણ મેં તરત ખોલ્યો.અને થોડી વાર માટે સ્નાટ્ટો છવાઈ ગયો. 
મમ્મી બોલી વાત તો કર બેટા, 
મેં એટલું જ કહ્યું મમ્મીએ કહ્યું એ સાચું છે હવે હું ત્યાં પાછી નહિ જાઉં…
પણ આમ એક ઝાટકે ?
લગ્ન એ ખુબ પવિત્ર સંબંધ છે બેટા, જેમાં બે વ્યક્તિ દ્વારા બે પરિવારો અને પરિવારો દ્વારા સમાજ ને જોડવામાં આવે છે.
મમ્મી વચ્ચે જ બોલી બધા શું કહેશે ? તે તારી મરજીથી લગ્ન કર્યા હતા ને ? સંબધો આમ એક ઝાટકે ન તોડાય. 
પણ આ સંબધોના સાત સુર ખોટા પડે અને જીવન બેસૂરા પડે ત્યારે શું ?
માત્ર તમે હિમત કેળવો પપ્પા ,આ સમાજ અને સામે તમે હવે ઉભા રહેતા શીખી જાવ સમાજ આપણો જ બનાવેલો છે. સજોગોને સ્વીકારવાની હિમંત આપણે દેખાડવાની છે.
પણ બેટા મતમતાંતર તો બધે જ હોય .
હા તમારી વાત સાચી છે,પણ આ લગ્ન જીવન જો આગળ ચાલત તો મને જરૂર માનસિક ત્રાસ થાત.એના ​મનમાં મારા વિષેના મંતવ્ય જાણ્યા પછી તેની  સાથે રહેવું અને એનો સામનો કરવો મારા માટે અશક્ય હોવાથી બેટર છે કે અમારે  અલગ થઇ રહેવું જોઇએ તેથી મેં આ માર્ગ અપનાવ્યો છે.​ અને હા બીજું તમે સમાજથી ડરતા નહિ ​વિધિની વક્રતા એ છે કે આપણો સમાજ જેટલો લગ્ન કરાવી આપવામાં ઉત્સાહી હોય છે એટલો સાથ છુટા પડવાની પ્રક્રિયામાં નથી આપતો. 
પણ બેટા દરેક નાનામોટા ઝગડામાં સીધા છૂટાછેડા સુધી પહોંચી જવું એ યોગ્ય નથી જ ને ?
હા પપ્પા પરંતુ જયારે બંને વ્યક્તિ એ સબંધનો બોજ ઉંચકવાની ક્ષમતા ના ધરાવતા હોય ત્યારે સમાજની બીકે ખોટો ઢસરડો કર્યે જવું પણ ઠીક નથી ને ?.
અને તે દિવસે મેં મક્કમતા સાથે નિર્ણય લઇ લીધો.
છુટાછેડા…એ નિરાશાનો પર્યાય  નથી. વાત અહી સ્વીકારની છે. આજની પ્રજા  અસહિષ્ણુ  છે કે નહિ એ નથી ખબર પરંતુ હવેની પેઢી આપણા વડીલોની માફક અધકચરું જીવીને પણ સબંધ નિભાવવામાં નથી માનતી માટે ​હકારત્મકતા સાથે પરિસ્થિતિ ને સ્વીકારી આગળ વધવું જોઈએ.વધુ કઈ નહિ તો છૂટાછેડાનો નિર્ણય કરનાર વ્યક્તિનું પાસું સમજી એને સમજાવી જોયા બાદ એમની માથે માછલાં ધોવા કરતા સપોર્ટિવ રહીશું તો સારું રહેશે.સારા વિચારો દિવસના જોમની પારાશીશી જેવા છે. વિચારો દર્ષ્ટિ દેખાડે છે.વિચારોને મોકળું મેદાન જોઈએ છે અને વિચારોને સમજતા થઈએ ત્યારે આપણામાં રહેલું માણસપાણું બહાર આવે છે.
આનું નામ જ જીવવું છે. જીવવું નામનો અરીસો દરેક પાસે છે અને એ પ્રતિબિંબ  પાડે છે.  મિત્રો તમે કોઈએ આવી પરિસ્થિતિ સ્વીકારી હોય તો આવો હળવેથી હૈયાને હલકું કરો.. કદાચ આપનો અનુભવ કોઈકના જીવનને જીવંત બનાવશે.અને રંગોથી ભરી દેશે.

પ્રજ્ઞા દાદભાવાળા

14 thoughts on “હળવે થી હૈયાને હલકું કરો..-૬

  1. આપણો સમાજ જેટલો લગ્ન કરાવી આપવામાં ઉત્સાહી હોય છે એટલો સાથ છુટા પડવાની પ્રક્રિયામાં નથી આપતો.એ વાત સાચી છે.પરંતુ સમયની સાથે ચાલવું રહ્યું.સમજાવટથી સમાધાન ના થાય.તો બોજ સાથે જીવવા કરતાં છુટા પડવું સારું. આ નાજૂક બાબત છે માટે વિચારીને પગલું ભરવું સારું.

    Liked by 1 person

    • I agree with you…..
      બે પુખ્ત ઉંમરની વ્યક્તિઓ મ્યુચ્યુલી, એકબીજા સાથે વિચાર વિમર્શ કર્ય બાદ, એકબીજા વચ્ચેના મતભેદો ને સમજી સામુહિક રીતે,

      પરસ્પર સમજુતીથી છૂટાછેડાની અરજી કરે ત્યારે પણ આપણા કાયદા મુજબ પ્રથમ સુનાવણીની તારીખ સીધા ૬ મહિના બાદની જ આપવામાં આવે છે,

      આની પાછળ કોર્ટનો હેતુ એવું હોય છે કે ઉતાવળિયા નિર્ણયને બદલે બંને પાત્રો એકબીજાને હજુ થોડો સમય આપી સમજી વિચારીને નિર્ણય લે.

      Like

  2. Khub saras vicharo che pan we always regret decision taken in haste so give a second chance!!
    aa mara vicharo che. dhanywad

    Like

  3. જ્યારે બે વ્યક્તિ કોઈપણ સંજોગોમાં જોડે રહી જ ના શકે ,તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તો તે સંજોગોમાં દીકરા કે દીકરીને માનસિક સપોર્ટ આપવાે કુંટુંબીજનો માટે ખૂબ જરુરી છે.સમાજની ચિંતા કર્યા વગર પોતાના બાળકને સપોર્ટ કરવો જોઈએ.પરતું આજકાલ યુવાનોની ધીરજ અને એકબીજાને અનુકુળ થવાની વૃતિ ઓછી થતી ગઈ છે.કદાચ સ્ત્રીઓની આત્મનિર્ભરતા પણ કારણ હોઈ શકે.પરતું કજોડા ખેંચી રાખવાનો તો કોઈ મતલબ જ નથી.

    Liked by 1 person

    • જીગીષા તારી વાત ગમી આ વિષય પર જે વાંચે તે પોતાના વિચાર દર્શાવે તો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તેમને પોતાને અને અને માબાપને પણ અવ સંજોગોમાં વિચાર કરતા કરે.જેમ નવી પેઢી પાસે સહન શક્તિ નથી તેમ પોતાની ભૂલ સ્વીકારી આગળ વધવાની હિમંત પણ છે.

      Liked by 1 person

  4. ખૂબ સાચી વાત. દીકરીની હિંમતને સલામ. સમય આપણી આગલી પેઢીનો હોય, આપણો હોય કે ભવિષ્યનો હોય મૂળ વાત માણસને માણસ તરીકે સમજવાની અને સ્વીકારવાની છે. દરેક વ્યક્તિ કેટલું એડજસ્ટ કરી શકે, સહન કરી શકે એ જાતે જ નક્કી કરી શકે. એ અસ્વીકાર કયારેક વ્યક્તિને જીવનના અંત તરફ વિચારવા પ્રેરે એના કરતા પરિવાર એની વાતને સમજે, સ્વીકારે અને યોગ્ય લાગે ત્યારે સાચો રસ્તો બતાવે પણ જો દીકરા કે દીકરી કોઈપણ સંતાનની વાત અને નિર્ણય યોગ્ય લાગે તો એ જ જીવન ફરી જીવવા મજબૂર ન કરીએ ને એને આગળ વિચારેલા રસ્તે બની શકે એટલો સપોર્ટ આપીએ. માનવજીવનનો મૂળ હેતુ દરેકનો શાંતિ અને પ્રેમ પામવાનો હોય છે. દુનિયામાં દરેક વ્યક્તિ સાથે આપણે એ જ રીતે રહી નથી શકતા ત્યારે અલગ થઈ શાંતિથી જીવી શકાય એ બેટર વે છે કેમકે એ સંબંધમાં પછી પ્રેમ તો બચ્યો જ ન હોય તો વેંઢારવાનો મતલબ નથી.
    છૂટાછેડાને આપણે પ્રોત્સાહન નથી આપતા કેમકે ઘણી જિંદગીઓ એમાં બગડતી હોય છે. જ્યારે બાળકો હોય ત્યારે અલગ પડતા પહેલાં દસવાર વિચારવું જોઈએ ને થાય એટલું એડજસ્ટ કરવું જોઈએ પણ તેમ છતાંય કોઈપણ રસ્તો ન બચે ત્યારે બે વ્યક્તિ જ નક્કી કરી શકે કે સાથે રહી શકશે કે કેમ? સમાજ વાત કરીને સલાહ આપીને જતો રહેશે. જીવવાનું રોજ દોઝખ લાગે એ સંજોગોમાં અલગ રહેવું એ ઉપાય અપનાવવો પડે તો એ ખોટું નથી. દુનિયામાં જીવવાના ઘણા હેતુ, કારણો છે. ભગવાને દરેક જીવને એક ઉદેશથી પૃથ્વી પર મોકલ્યા હોય છે ત્યારે એક વ્યક્તિ સાથે મેચ ન થયું તો જીવન બગાડલાને બદલે આપણા જીવનના સારા ઉદેશ માટે જીવી ઘણું ઉપયોગી કાર્યમાં જીવન સાર્થક કરી શકાય.

    Liked by 2 people

    • ભગવાને દરેક જીવને એક ઉદેશથી પૃથ્વી પર મોકલ્યા હોય છે ત્યારે એક વ્યક્તિ સાથે મેચ ન થયું તો જીવન બગાડલાને બદલે આપણા જીવનના સારા ઉદેશ માટે જીવી ઘણું ઉપયોગી કાર્યમાં જીવન સાર્થક કરી શકાય. વૈશાલી વાત સાચી છે.રોજનો કંકાસ આસું ,ડુસકા ,ઝગડા આ બધાથી જીવવાનું રોજ દોઝખ લાગે ત્યારે છુટા પડવું યોગ્ય જ હોય છે.પણ બીજી વાત પણ છે આપણા સમાજમાં છૂટાછેડા એ એવી મોટી દુર્ઘટના છે કે તે સ્ત્રીને કોઈકવાર આત્મહત્યા કરવા માટે દોરી જાય છે અને તેને જીવવા અને લડવા માટે મજબૂર કરે છે? શા માટે આપણો સમાજ એ હકીકત સ્વીકારતો નથી કે સ્ત્રીને પણ એકલા રહેવાનો અધિકાર છે, કેટલાક માણસો જે રીતે જીવે છે?…..હા છૂટાછેડા જીવનનો અંત નથી

      Like

  5. Very interesting topic! સુખની શોધમાં એક વ્યક્તિને છોડીને પોતે એકલા રહેવાનું કે બીજે પરણવાનું નક્કી કરે તો પણ ક્યારેક સુખ દૂર જ રહેતું હોય તેમ બની શકે. એકલી સ્ત્રીને તેના અનેક પ્રશ્નો હોય છે – અહીંયા અને ત્યાં – બધેય! પણ માં બાપની ફરજ છે કે પોતાના સંતાનના નિર્ણયને સાથ આપે

    Like

    • thank you Geetaben here point is marriage is designed to help people grow — and sometimes they grow out of the relationship……..sometimes happens is that they come to the realization that their marriage isn’t helping them live the life they want. “Making a mature decision in that direction may be the best outcome of all,”,

      Like

  6. લગ્નસંબંધ અને છૂટાછેડા એ એક રીતે તો સાવ જ બે વ્યક્તિ વચ્ચેની વાત છે. એક એવી હદ આવે જ્યારે વ્યક્તિને જીવનભર સાથે રહેવાના વાયદા નિભાવવા જ અઘરા લાગે ત્યારે સમજૂતીપૂર્વક છૂટા પડવું એ જ યોગ્ય નિર્ણય છે. સમજૂતીપૂર્વક એટલા માટે કે ક્યારેક ઉતાવળા નિર્ણયો કે આવેશમાં આવીને લીધેલા નિર્ણયો પાછળ ઘણી બધી જગ્યાએ, ઘણાબધા સંબંધોને અસર કરતા હોય ત્યારે પ્રજ્ઞાજીએ કહ્યું તેમ કોર્ટે આપેલો છ મહિનાનો સમય પસાર થવા દેવો જ યોગ્ય છે. સંતાન ન હોય ત્યાં સુધી તો આ છૂટા પડવાની વાત અંગતે રીતે તો માત્ર બે વ્યક્તિને જ અસર કરતી હોય છે પણ સંતાન હોય એવા દંપતિને તો એમના કરતાં ય બાળકોનું ભાવિ વધુ અનિશ્ચિત બની જશે એ પણ વિચારવું તો પડે જ છે.
    આ બધા જ સંજોગો સમજી વિચારીને પણ જો સાથે રહેવાનું શક્ય ન હોય તો લગ્નસંબંધનની લાશનો ભાર મન પર, આત્મા પર લઈને સાથે રહેવાનો કોઈ જ અર્થ નથી. આત્મા વગરનું ખોળિયું તો છેવટે ગંધાઈ જ જાય ને? છૂટા પડ્યા પછી એનો બોજ બાકીના જીવન પર અસર ન કરે તો જ ગનીમત.

    Like

  7. લગ્નસંબધ જયારે ભાર લાગવા માંડે ત્યારે એક વાત નક્કી છે કે કોઈ એક વ્યક્તિમાં પ્રેમ, સમજણ અને ક્ષમતા ઓછી થઇ ગઈ છે અને બીજી વ્યક્તિ વધુ સમાધાન નથી કરી શક્તિ ત્યારે આવા નિર્ણય આવે છે.પણ માબાપને ઘણીવાર તેમનું નામ, સમાજ, મયાર્દા બધું દેખાય છે અને તેઓ નામોશી થી ડરતા હોય છે.સમય બદલાયો, પેઢીઓ બદલાઈ, વિચારધારા બદલાઈ છે. અને આજની પેઢીને આડંબર ગમતો નથી.પરાણે સંબધો રાખી ગૂંગળાઈ જીવવાનો અર્થ નથી માત્ર માબાપે સમજણ કેળવી ઉકેલ લાવવાનો છે.રાજુલબેન તમારી વાત સાચી છે કે લગ્નસંબંધનની લાશનો ભાર મન પર, આત્મા પર લઈને સાથે રહેવાનો કોઈ જ અર્થ નથી.

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.