દ્રષ્ટિકોણ 31: ડાર્વિન થીઅરી ઓફ ઈવોલ્યુશન – દર્શના  

આ અઠવાડિયે ડાર્વિન દિવસ છે, તો શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર આપણે ડાર્વિન વિષે અને મનુષ્ય જાતિ વિષે વાત કરીએ.  મનુષ્ય જાતિને ઓળખવા માટે ડાર્વિને આપણને એક નવી જ દ્રષ્ટિ આપી.  આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ મળી તે આપણા ઇતિહાસ ની એક મહત્વની પળ હતી.
ડાર્વિન ની વૈજ્ઞાનિક શોધને કારણે આપણે આપણને પોતાને કઈ દ્રષ્ટિ થી સમજીએ માત્ર તેજ બદલાયું નથી પણ આપણે પ્રથવીના અન્ય જીવો જોડે કઈ રીતે સંકળાયેલા છીએ તે પણ ડાર્વિન ની શોધ થી બદલી ગયું છે.  આપણે ડાર્વિન થીઅરી ઉપર વધુ ચર્ચા કરીએ તે પહેલા ડાર્વિન વિષે થોડી જાણકારી મેળવીએ.  ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન નો જન્મ 1809 માં ઇંગ્લેન્ડ માં થયેલ. 1831 માં તે 5 વર્ષ ની રિસર્ચ મુસાફરી માં નીકળ્યા અને તેમણે જે નિરીક્ષણ કર્યું તેના આધારે તેમની ઈવોલ્યુશન થીઅરી પાંગરી. 1859 માં તેમણે “ઓરિજીન ઓફ સ્પીશિસ” નામનું પુસ્તક બહાર પાડ્યું। તે સમયે ઇંગ્લેન્ડ માં બધાજ લોકો માનતા હતા કે એડમ અને ઇવ માંથી માનવજાત આગળ વધી. તે ઉપરાંત લોકો એમ પણ માનતા હતા કે માનવ જાત સૌથી ઉપર છે અને તે કોઈ જ રીતે બીજા કોઈ જીવો સાથે જોડાયેલ નથી. તેથી ડાર્વિન ની થીઅરી એ ઉહાપોહ મચાવી દીધો. 
Theory of evolution
Image result for darwin theory giraffeથીઅરી ઓફ ઈવોલ્યુશન ના મંતવ્ય પ્રમાણે species survives through a process called “natural selection,” એટલે કે દરેક જીવિત પ્રજાતિઓ “પ્રાકૃતિક પસંદગી” તરીકે ઓળખાતી પ્રક્રિયા ને આધારે જીવિત રહે છે. સામાન્ય શબ્દોમાં સમજવા માટે જિરાફ નું ઉદાહરણ લઈએ. જિરાફ જે પ્રદેશ માં હોય છે ત્યાં ઘણીવાર દુકાળ જેવી દશા હોય છે અને ત્યાંના ઊંચા ઊંચા ઝાડ ઉપર ક્યારેક પાંદડા, ફળ, ફૂલ અને શાક પાન હોય છે. ડાર્વિન ના મત અનુસાર તેવી જગાઓમાં લાંબા ગળાવાળા જિરાફ જીવિત રહી શકે છે તેથી ત્યાં જિરાફ વધુ છે. જે જીવિત પ્રાણી પ્રાકૃતિક દશા ને અનુકૂળ થઇ ને રહી શકે તેની જીવિત રહેવાની સંભાવના વધી જાય. અને જે પ્રજા તેવું ન કરી શકે તેનો નાશ થાય જેમ કે ડાયનોસોર। ડાર્વિન ની થીઅરી પ્રમાણે દરેક આવતી પેઢી માં વધુ જીવિત રહી શકે તેવી પ્રજા ઉત્પન્ન થાય છે.  અને તે પ્રજા જીવિત રહેવા માટે વધુ ને વધુ સબળ બને છે, જેમ કે પહેલા ના જિરાફ ના ગળા કદાચ એટલા લાંબા ન હોય પણ સમય જતા દરેક આવતી પેઢી માં તેમના ગળા વધુ લાંબા થઇ ગયા કે તે આસાનીથી લાંબા ઝાડના પાન ને પહોંચી શકે.
ડાર્વિન ની ગણતરી જીનિયસ લોકોમાં થાય છે. ડોબઝન્સકી કરીને એક મોટા વૈજ્ઞાનિકે ડાર્વિન માટે કહેલું કે “બાયોલોજી ના વિષય માં કઈ અર્થ જલ્દી સમજ આવતો નથી જ્યાં સુધી તમે ડાર્વિન ની ઈવોલ્યૂશન થીઅરી ના પ્રકાશ માં ન જુવો ત્યાં સુધી”.
ડાર્વિન ની સરળ થીઅરી ના પ્રકાશ માં ઘણી વૈજ્ઞાનિક ઘટનાઓ આપણે સમજી શકીએ છીએ. આપણે દાખલો લઈએ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ નો.  પહેલા તો આ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ શું છે અને પછી જોઈએ કે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે.  જયારે કોઈ રોગ ના બેક્ટિરિયા એટલા પાવરધા બની ચુક્યા હોય છે કે કોઈ પણ દવા તેની ઉપર કામ નથી કરી સકતી તેને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય છે. અને તે આજે દુનિયા માં એકદમ મોટી સમસ્યા બની ચુકી છે. તે વિષે ક્યારેક વિસ્તારથી વાતો કરીશું. પણ આજ માટે એ મહત્વનું છે કે આપણે જે દવા આ બેકટીરિયા ઉપર વાપરીએ છીએ તે અધવચ્ચે થી બંધ કરી દઈએ કે કોઈ બીજા કારણસર આ બેકટીરિયા નો પુરી રીતે નાશ ન થાય તો જે બેક્ટિરિયા જીવિત રહે છે તે વધુ પાવરધા બની જાય છે અને તેની દરેક આવતી પેઢી વધુ ને વધુ પાવરધી થતી જાય છે.  અમુક ટીબી જેવા રોગો ઉપર કોઈપણ દવા ક્યારેક કામ જ નથી કરતી તેને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી અથવા MDR-TB તરીકે ઓળખાય છે. આવા તો ઘણા વૈજ્ઞાનિક બનાવો ને ડાર્વિન ની થીઅરી ના પ્રકાશમાં સમજવા સરળ બને છે.
અંત માં, ડાર્વિન ની થીઅરી પ્રમાણે દરેક જીવિત પ્રજા બીજી પ્રજા સાથે જોડાયેલ છે. આપણે જાણીએ જ છીએ કે મનુષ્ય વાનરો માંથી વિકસ્યા. એટલુંજ નહિ પણ તાજેતરના સંશોધન માં વધુ પુરાવો મળ્યો કે પૃથ્વી ના તમામ જીવો એક કોશવાળા જીવતંત્ર અમીબા જે આશરે 3.5 અબજ વર્ષ પહેલાં જીવ્યું હતું, તેમાંથી વિકસ્યા છે.  150 વર્ષ પહેલાં ચાર્લ્સ ડાર્વિને તેમની થીઅરી માં સૌપ્રથમ “universal common ancestor”  “સાર્વત્રિક સામાન્ય પૂર્વજો” વિશેનું વર્ણન કરેલું. આજે ડાર્વિન દિવસ મનાવતા આપણે એ મર્મ કાઢીએ કે તમામ જીવ પ્રત્યે સંવેદના અને કરુણાનો ભાવ રાખી જિંદગી જીવી જઈએ અને જેમ બને તેમ ઓછા પૂર્વગ્રહ બાંધીએ. આખરે આપણે બધા એકમેકથી જોડાયેલ જીવો છીએ.

7 thoughts on “દ્રષ્ટિકોણ 31: ડાર્વિન થીઅરી ઓફ ઈવોલ્યુશન – દર્શના  

  1. ની થીઅરી પ્રમાણે દરેક જીવિત પ્રજા બીજી પ્રજા સાથે જોડાયેલ છે….મર્મ કાઢીએ કે તમામ જીવ પ્રત્યે સંવેદના અને કરુણાનો ભાવ રાખી જિંદગી જીવી જઈએ અને જેમ બને તેમ ઓછા પૂર્વગ્રહ બાંધીએ. આખરે આપણે બધા એકમેકથી જોડાયેલ જીવો છીએ. ખુબ સરસ જિંદગીમાં નવા દ્રષ્ટિકોણ અપનાવા જ રહ્યા

    Liked by 1 person

  2. ખૂબ સરસ વાત કરી. દર્શના.સારો અને સાચો દ્રષ્ટિકોણ અપનાવવો જ રહ્યો.

    Liked by 1 person

  3. દર્શનાબેન, ડાર્વિનવાદ ની સુંદર સમજ સાથે તમામ જીવ સાથે સંવેદના અને કરુણા રાખી પૂર્વગ્રહ મિટાવવાની ઉમદા વાતે
    દ્રષ્ટીકોણને ચાર ચાંદ લગાવી દીધા.

    Liked by 1 person

  4. The expressions in the last few lines of the article are very relevant for all human beings, and that they will adopt them.
    The humans have always tried to justify either in favor of or against the prevalent ideas or situations. Of course,it’s the inquisitiveness of the humans- Bishop Ussher is in the forefront, with the God’s creation in 4004 BC , Noah’s curse upon Ham,and ending up with God’s anger resulting in Dispersal of his people, groups with varied languages and shades.
    Highly learned, Max Muller followed it up by introducing Aryan race into India in 1500 BC, producing the famous AIT, resulted in divisions, Aryans and Dravidians. California Education Authority has rejected AIT as imaginary.
    Another learned Genetic expert developed the theory of migration the world over that started from Africa, producing all sorts of color combinations, e.g. dark skinned people in South India. There was a cry for research,and around 2009, two Universities, one from India and the other from USA, jointly produced the results of their genetic testing of Indian population and reported that the South India has the purest population any where in the world and that the North Indians have some Asiatic genetic indications.
    The practical implications of the theory of Darwin has been very well pointed out by you. I suppose, there must be colonies of halfway humans in many countries ,assuming that,it is a continuous process.

    Like

Leave a reply to bhikhu1933 Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.