વસંત આવી ગઈ છે. ઘાસ લીલું થવા લાગે તે પહેલાં જંગલી છોડમાં [ weeds ] ઘણી વહેલી ફૂટ આવી ગઈ છે. ઘાસનાં પાનથી બેકયાર્ડમાં હરિયાળી છવાઈ જાય, તે પહેલાં એમનું સામ્રાજ્ય ઘણું ઊંચું થઈ ગયું છે.
આમ જ બનતું હોય છે. દુર્ગુણો, દુરાચાર, અસહિષ્ણુતા, નકારાત્મકતા …. એ બધાંની સેના વધારવા અને આગળ ધપાવવા કોઈ માવજત કે તાલીમ જરૂરી નથી હોતાં. એના કોઈ ટ્યૂશન ક્લાસ ચલાવવા નથી પડતા! એ તો હાવ ‘મફત’માં મળી જતું ગનાન હોય છે. સમાજ સુધારકો, યુગપ્રવર્તકો, મુઠ્ઠેરી ઊંચા મ્હાનુભાવો સુધરવા માટે કહી કહીને થાકયા અને ….વિદાય થઈ ગયા.
આપણે તો રામ એના એ જ !
ગીતા બહેન પુછતાં જ રહેશે –
‘આમ કેમ?’ !
બેકયાર્ડમાં હિંચકે ઝૂલતાં ઝૂલતાં આ વિચારના ઝોલે ચઢી જવાયું. મન અતીતમાં ગરકી ગયું. આવું જ કાંઈક પહેલાં પણ વિચાર્યું હતું , તે યાદ આવી ગયું . આ રહ્યું –
છેલ્લા અઠવાડિયા કે દસ દિવસથી શિયાળો પૂર બહારમાં છે. સવારે ઊઠીએ ત્યારે ય થર્મોમિટરનો કાંટો ચાલીશ અંશ ફે. ની નીચે જ હોય. રાત્રે તો ૩૨ ની નીચે થઈ જતો હશે. ઘાસનું એક તણખલું પણ લીલું નથી. બધાં ઝાડ સાવ બોડાં બની ગયાં છે. બધું સાવ સુક્કું અને નીરસ લાગે છે.
પણ આ સુક્કાભંઠ ઘાસની વચ્ચે રડ્યુંખડ્યું જંગલી નીંદણ લીલુંછમ્મ છે. તેની ઉપર આ ગાત્રો થીજવી દેતી ઠંડીની કોઈ જ અસર થતી નથી. તેની પ્રતિકારશક્તિ અનન્ય છે. એને કોઈ માવજતની જરુર નહીં. એ તો ગમે ત્યાં અડાબીડ ઉગી જાય. કદાચ ઝાકળનું પાણી પીને પણ એનો ગુજારો થતો હશે! ખેતરનો બધો રસકસ ચૂસી લે. જંગલી ઝાડીઓમાંય આમ જ હોય છે ને? ગમે તેવા ઉપવનને વનમાં ફેરવવાની તેની શક્તિ અજોડ છે!
અમે તો કેટલીય વાર એને કાઢી મુકવા ઝેરી રસાયણો છાંટ્યાં. પણ એ રામ તો એના એ. આપણી જમીનમાંથી વિદાય લઈ લે, તો પાડોશીના પ્લોટમાંથી એ તો ઊડતાં ઊડતાં આવી જાય – પેલા ગ્રીક ફિનિક્સ પંખીની જેમ. એ તો બળી જાય તો પણ રાખમાંથી નવજીવન પામી જાય.
માટે તો ખેતરોમાં અને બગીચાઓમાં પાક ઊગાડવા જેટલું જ નીંદામણ કરવું અગત્યનું હોય છે. એ રાક્ષસી માયાને વધવા ન જ દેવાય. બધા રસ્તા અજમાવી એને તો ઝબ્બે જ કરવી પડે.
એ વખતે અહિંસાને પરમ ધર્મ ન બનાવી દેવાય !
દુર્જનો અને દુર્ગુણોનુંય આમ જ છે ને?
સરસ ચિંતન લેખ
દુર્જનો અને દુર્ગુણોનુંય આમ જ છે ને?
સજ્જનો અને ગુણોની હરિયાળી લોનમાં દુર્જનો અને દુર્ગુણોનું જંગલી ઘાસ ફરી ફરી ઉગી જાય છે અને લોનની શોભા બગાડી મુકે છે !
LikeLike
એક બહુ જરૂરી વાત લખવાની રહી ગઈ…
આપણે આપણા બેકયાર્ડમાં જ નીંદણ કરી શકીએ – પાડોશીના બેકયાર્ડમાં નહીં !
પણ કમનસીબે આપણને આપણા દુર્ગુણો નજર અંદાજ઼ નથી થતાં હોતાં ! આપણને તો દુનિયાને સુધારવાના ધખારા હોય છે !
LikeLiked by 1 person
હા હા! Very funny !પણ આવું કેમ ? તમે કોઈનો ઉલ્લેખ કરો પણ નોટિફિકેશન બહુ મોડું – કોઈ ફ્રેન્ડના ફોન કોલ થી આવે ?( just kidding : but because got busy with traveling , family ..) but you are right : we like to straighten other’s lives .. it’s more fun!! હા હા
LikeLiked by 1 person
હાચી વાત કડવી લાગે!
LikeLike
માનનીય ચીમનભાઈ
આપ પ્રતિભાવ આપો છો એ ગમે છે…બધા લેખમાં મુકશો તો વધુ આનંદ થશે
LikeLike
very nice observation- and phylosophy of life- how bad wins over good without any tuition classes.
LikeLike
અમને આપના પ્રતિભાવ પ્રોત્સાહન આપે છે આપતા રહેજો
LikeLike
સાચી વાત… આપણને તો દુનિયાને સુધારવાના ધખારા હોય છે !
સરસ ચિંતન લેખ ….
LikeLike