મિત્રો
આપણા બ્લોગના નવા પરિવર્તને લેખકોને લખવા પ્રેરણા આપે છે.આજે કલ્પનાબેનની શબ્દ યાત્રા -શબ્દના સથવારે જયવંતીબેનને પ્રરણા આપી છે. એના માટે કલ્પનાબેનને અભિનંદન જયવંતીબેને આજે અગ્નિ શબ્દની અનેક પરિભાષા આપી આજે અગ્નિ ના વલણો સમજવાનો પ્રયત્ન કરીએ તો જયવંતીબેનના આ પ્રયત્નને આવકારશો . સવાલ અહી વાંચન સાથે સર્જન કર્યાનો છે. ‘બેઠક’ એટલે ભાષાને ગતિમય રાખવાનો એક નમ્ર પ્રયત્ન પ્રયત્ન. ..એક પણ લેખક લખે તો પૂર્ણ થયાનો અહેસાસ આજે થાય છે અને મારા બ્લોગ બનાવ્યાની સાર્થકતા અનુભવું છું. માટે મિત્રો આપણા બ્લોગના કોઈ પણ લેખક કે લેખ તમને પ્રેરણા આપે તો જરૂરથી લખી મોકલશો.જેટલું વેચશું એટલું પામશું.હા ૧૫૦ બ્લોગ કદાચ આ લેખ ન વાંચેતો પણ તમારા મનને આનંદ પમાડે તે લખજો.હા બ્લોગ પ્રસિદ્ધી માટે નહિ સ્વના વિકાસ અર્થે છે.
અગ્નિ
હું અગ્નિની સાક્ષીએ ….વચન આપું છું….કે …
પ્રભુતામાં પગલા માંડતા લેવાયેલ વચન ,લગ્ન જીવનનાં પવિત્ર મંત્રોચ્ચાર, વિધિ વિધાન બધું જ અગ્નિ ની સાક્ષીએ…
અગ્નિ એક સામન્ય અને જાણીતો શબ્દ,પણ અનેક પ્રયોગ અને અર્થ આપણા જીવન સાથે સંકળાયેલા છે.
હા આમ જોવા જઈએ તો અગ્નિ એટલે સળગતો સળગાવતો પદાર્થ, દેવતા, દેતવા, આગ. દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો ખૂણો.એક શબ્દાર્થ -અગ્નિ એટલે પ્રકાશ અને ઉષ્ણતાનો કે અગ્નિખૂણાનો અધિષ્ઠાતા દેવ.પરંતુ એથી પણ વિશેષ પાંચ મહાભૂતોમાંનું એક તેજસ્તત્ત્વ.
તેજસ્તત્ત્વનો અધિષ્ઠાતા દેવ એટલે અગ્નિ
પુરાણ કાળમાં યજ્ઞ ખૂબ જ પ્રચલિત હતા. સાધુ સંતો પૂરી શ્રધ્ધાપૂર્વક યજ્ઞ કરતા. આજે પહેલાં જેટલાં યજ્ઞ નથી થતાં પણ તેનું મહત્વ તો હજુ જળવાય રહયું છે. અગ્નિની સાક્ષીએ લેવાયેલા વચનો પવિત્ર તેમજ સુરક્ષિત રહે છે. અગ્નિનું મહત્વ ખાલી હિંદુઓ માટે જ એવું નથી. દુનિયાની વિભિન્ન જાતિઓ અગ્નિને ખૂબ જ માન આપે છે. જેમને પોતાની સંસ્કૃતિ છે તેઓ અગ્નિનું મહત્વ જાણે છે.
અગ્નિ એક દેવતા છે. શુભ કાર્યમાં અગ્નિને આહવાન કરી આમંત્રિત કરાય છે. દ્રૌપદી અગ્નિમાંથી જન્મેલી સંપૂર્ણપણે વિકસિત નારી હતી. એ અગ્નિમાંથી પ્રગટી હોવાથી એનાં પ્રશ્નો પણ અગ્નિની જેમ દઝાડતા હતા. એની બુધ્ધિ અગ્નિ જેવી દાહક, શસ્ત્રની ધાર જેવી ઘાતક અને તેજથી સામેની વ્યક્તિને આંજી નાખતી બુધ્ધિ હતી. એ સતત પ્રજ્વલ્લિત રહેતી હતી. પણ એ અગ્નિ જેટલી જ પાવક હતી.
પ્રકાશ અને ઉષ્ણતા,હૂફ એટલે અગ્નિ
આપણે દીવડા પ્રગટાવીએ છીએ, એ અગ્નિનો એક પ્રકાર છે. દીવાની જ્યોત નજીકથી દઝાડે છે. પણ એજ જ્યોત અંધકારનો નાશ કરી સમગ્ર વિશ્વમાં પ્રકાશ પાથરે છે. દિપાવલીનું શુભ પર્વ હજારો દીવડા પ્રગટાવી મનાવાય છે. અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન નો પ્રકાશ પાથરો એ સંદેશ વહેતો મૂકે છે. શ્રી રામ ચૌદ વર્ષ વનવાસ ખેડી પાછા અયોધ્યા માં પ્રવેશે ત્યારે આખી અયોધ્યા દીવડાઓથી સજી, જ્ઞાન અને પ્રેમનો સંદેશ પ્રજાએ જાળવી રાખ્યો. આજે પણ લોકો એ જ ભાવનાથી દીવા પ્રગટાવે છે.
જંગલમાં રહેતો માનવી, કડકડતી ઠંડીમાં તાપણું કરી, તે અગ્નિની હૂંફથી જીવે છે. ગરીબો માટે તાપણું આવશ્યક જીવન ઊપયોગી પ્રક્રિયા છે. એવી જ હૂફ બાળક જન્મે ત્યારે માના પેટમાં બાળક અનુભવે છે.માના શરીરમાં પ્રજવલતો અગ્નિ બાળકને જીવન પ્રદાન કરે છે…
તો હોળી વખતે પ્રગટાવેલી હોળી જનજીવનને માટે જીવવાનું પરિબળ બને છે. હોળીના અગ્નિમાં વેરઝેર, કાપ – ક્લેશ, માન -અપમાન હોમી નવજીવનનનો પ્રારંભ કરો એવું શીખવે છે. નવરાત્રિના નવ દિવસ પછી દશેરાને દિવસે દશાનનનું પૂતળું બનાવી સળગાવી દેવામાં આવે છે. અને એવો સંદેશ આપે છે કે દશ ઇન્દ્રિઓને કાબૂમાં રાખો. જો બેકાબુ બની જશે તો તમારો જ સર્વનાશ નોતરશે.
ભારેલો અગ્નિ …અગ્નિદેવ રૂઠે ત્યારે…
વર્ષો પહેલા લાકડાં અને કોલસા બાળી અગ્નિ પ્રગટાવતા. આજે ગેસ અને વીજળીનો ઊપયોગ વધુ ઊપલબ્ધ છે. કે જે આપણે દરરોજની રસોઈ માટે વાપરીએ છીએ. છતાં પણ અણસમજ, સ્વાર્થી લોકો જંગલમાંથી ઝાડો કાપી , લાકડાનો ઊપયોગ અનેક રીતે કરે છે.અને પર્યાવરણને મદદ નથી કરતા.
વૃક્ષો ને સાચવવા એ પર્યાવરણને માટે ખૂબ જરૂરી છે. વૃક્ષો રોપવા અને બાળકો પાસે પણ રોપાવવા એ આપણી સર્વેની ફરજ બની જાય છે. દિલ્હીમાં ધુમ્મસ વાળી હવા પર્યાવરણનાં પ્રદુષિત થવાથી જ થાય છે. ખેતરોને સળગાવવાથી જે ધૂમાડો થાય છે તે પ્રદુષણમાં વધારો કરે છે.
હમણાં જ, ગયા ઓક્ટોબર મહિનામાં ઉત્તર કેલિફોર્નિયામાં નાપા અને સોનોમા કાઉન્ટીમાં ભયંકર આગ લાગી હતી. હજારો એકર જમીનમાં જે ઘરો, શોપિંગ મોલ્સ, હોસ્પિટલો, નિશાળો , પ્રાર્થના ઘરો વિગેરે હતાં તે ભારે અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયા. કેટલાયે લોકોનાં જાન ગયા. ખૂબ સગવડવાળો દેશ છતાં આગને બુઝાવી ન શક્યા. અગ્નિદેવ રૂઠે ત્યારે કોઇનું ચાલતું નથી. તેમાં વાયુદેવે પણ અગ્નિદેવને પૂરો સાથ આપ્યો હતો. દ્રાક્ષ, મોસંબી , સફરજન , બદામ , અખરોટ વિગેરે કિંમતી પાકને પૂષ્કળ નૂકશાન પહોંચ્યું હતું.
અગ્નિ લાંબા સમય માટે ધરતીનાં પેટાળમાં ઢબરાયેલો રહે છે. જયારે પૃથ્વી એટલે કે પ્રકૃતિ એ ભાર સહન ન કરી શકે ત્યારે જ્વાળામુખીનાં સ્વરૂપમાં બહાર આવે છે. હમણાં જ બાલીના અગંગ પર્વત ઉપર જ્વાળામુખી ફાટ્યો હતો અને ભારેલો અગ્નિ – લાવા રસ થઇ બહાર ફેંકાયો જે મોટા ભાગનો સમુદ્રમાં પડ્યો હતો. આ લાવા રસ એટલો ઊષ્ણ અને પ્રજ્વલ્લિત હોય છે કે એનાં માર્ગમાં આવતી દરેક વસ્તુ બળીને ભસ્મ થઇ જાય છે.
પાચક્તત્વ -પ્રાણીમાત્રના જઠરનો અગ્નિ.જઠરાગ્નિ;
શ્રીકૃષ્ણ કહે છે કે હું જઠરાગ્નિ થઈ મનુષ્યના દેહની અંદરનાં ચતુર્વિધ અન્ન પચાવું છું.આપણું શરીર પણ એક ટચૂકડા બ્રહ્માંડ જેવું છે.ખાધેલું પચાવતી પેટની ગરમી કે અગ્નિ ની જરૂર છે. શરીર ચલાવવા માટે ખાધેલી ચીજોને પચાવવા માટે જઠરમાં યોગ્ય માત્રામાં અગ્નિ, ગરમી કે પાચકરસ પેદા થયેલો હોવો જરૂરી છે.જઠર બૉડીનો સ્ટવ છે એમ કહી શકાય. શરીર ચલાવવા માટે ખાધેલી ચીજોને પચાવવા માટે જઠરમાં યોગ્ય માત્રામાં અગ્નિ, ગરમી કે પાચકરસ પેદા થયેલો હોવો જરૂરી છે. . મૉડર્ન મેડિસિન એને ફાઇવ એલિમેન્ટ્સ કહે છે. હંમેશાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આાકાશ એ પંચમહાભૂતો સંતુલનમાં રહે એ જરૂરી છે.
સત્ય ની અગ્નિ પરીક્ષા.
સ્ત્રીની કસોટી દરેક યુગમાં થઇ છે. ચાહે એ ત્રેતા યુગ હોય, સતયુગ હોય કે પછી કળિયુગ હોય. શ્રી રામ આદર્શ પુરુષ જરૂર હતા, પણ એમના અમુક આદર્શો ઘણા લોકો માટે બોજારૂપ બની ગયા … એમણે કરેલી સીતાજીની અવગણના આજે પણ ભારતીય નારીઓ ને સતત દુઃખ આપે છે.સીતાજીને પણ પ્રજાજન માટે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. અને કંચનની ભાતિ તેમાંથી બહાર આવ્યાં હતા. અગ્નિએ કેટકેટલાંની પરિક્ષા લીધી છે અને હજુ લેતો રહેશે . અગ્નિની અવગણના ન કરતાં તેને પવિત્ર સમજી તેની સાવધાની પૂર્વક આદર આપતા શીખો તો અગ્નિ દેવ તમારો સહાયક રહેશે.
ઈચ્છા એટલે ભારેલો અગ્નિ ..
તો આધ્યાત્મ શું કહે છે – મનુષ્ય ની વ્યાખ્યા આપતા કહ્યું છે કે “ઉષ્યતિ મનઃ યસ્ય સઃ” (ઉષ=બળવું) અર્થાત જેનું મન વાસનાની અર્થાત ઈચ્છાની આગમાં બળે તે છે મનુષ્ય. આ ઈચ્છા એટલે અંતઃકરણમાં ભારેલો અગ્નિ છે.આ વાત સમજવા અહીં અંતઃકારણનો સાચો અર્થ સમજવાની જરુર છે. સ્થૂળ દેહ એટલે શરીર, અને સુક્ષ્મ દેહ એટલે અતઃકરણ અને દેહ અર્થાત જીવાત્મા. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે અગ્નિ દાહ આપતા સ્થુળ દેહનો નાશ થાય છે.આધ્યાત્મ શું કહે છે ?..સરળ ભાષામાં ચિત્ત સંપૂર્ણ રીતે વૃત્તિ વિહીન ન થાય ત્યાં સુધી મન મરતું નથી.
કોઈએ કહ્યું છે ..
બૂઝ્યો અગ્નિ શમી ચીતા કરી આ દેહને ભુક્ત
બળ્યોના અગ્નિ વાસના કેરો થયો ના આત્મા મુક્ત
જો અગ્નિ વાસના કેરો ન પૂરો બળી જાય
તો બળેલ એ રાખમાંથી પણ દેહ નવો ઊભો થાય.
જયવંતીબેન ખુબ સરસ પ્રયત્ન ..
LikeLike
જઠરાગ્નિ. આમ તો એ ભુખના સંદર્ભમાં છે. પણ જીવનનું મૂળ ચાલક બળ અગ્નિ છે. શરીરના દરેક કોશમાં તે જલતો રહે, ત્યાં સુધી જ જીવન.
અગ્નિની પૂજા એ કોશ કોશમાં જલતા આતશની પૂજા છે.
————-
સમાજ જીવનમાં પણ ‘આતશ’ ન હોય તો, તે સમાજ મડદા સમાન છે – નિષ્પ્રાણ છે.
LikeLike
abhinndn Jyvtibhen,mahiprd lekh che.
LikeLike
aap sarveno khub aabhar.
LikeLike
જયવન્તીબેન,અગ્નિ વિષે આપે ઘણી માહિતી આપી છે.સરસ.
LikeLike