
જીવનમાં અચાનક એવા મિત્રો કે માનવને મળવાનું થાય કે જેમને મળવાથી એમ લાગે કે આપણે તેને વર્ષોથી ઓળખીએ છીએ. નજરથી નજર મળે, ધીમું સ્મિત મુખ પર લાવી, આપણો આભાર માને ત્યારે તો એમજ થાય કે આનું નામ શિસ્ત. શું નમ્રતા છે! શું વિવેક છે ! આભાર માન્યો તે પણ કેટલા વિવેકથી.
જાણે એ ક્ષણને વાગોળ્યા રાખવાનું મન થાય. બસ, આજ કહેવા માંગુ છું. કોઈનો આભાર માનીએ તે પણ એટલી નિખાલસતાથી અને વિવેકથી કે સામી વ્યક્તિને લાગે જ નહીં કે તેમનો આભાર માન્યો અને છતાં કૃતજ્ઞતાની ભાવના છવાયેલી રહે.
આપણી સંસ્કૃતિમાં બોલીને આભાર નથી માનતા. કૃતજ્ઞતા નજરથી વર્તાય છે, વર્તનથી વર્તાય છે. એક બીજા સાથે મીઠો સબંધ કેળવી તેને ટકાવી રાખવો એ એક આભાર માનવાની રીત છે. આમ કરવામાં ઘણી વખત કડવો ઘૂંટડો ગળી જવો પડે છે. અને વર્ષો વિતિ જાય છે તેને ઓળખવામાં અને સમજવામાં. સહનશીલતાની કસોટી થાય છે. એમાં છીછરાપણું બિલકુલ નથી હોતુ, એને જ કદાચ સમર્પણ કહેતા હશે. નાના હતાં ત્યારથી ઘરમાં એક બીજાનું કામ આટોપી લેતા આવ્યા છે. પણ થેંક્યુ કે સોરી શબ્દ વાપર્યો નથી. પણ હવે નવા જમાનાને અનુકુળ વારે વારે આભાર વ્યક્ત કરવો પડે છે. તેમાં કાંઈ ખોટુ નથી પણ એ ભાર કદાપી ન બનવો જોઈએ.
ઘણી વખત વિચાર આવે કે કુદરતનો કેટલો આભાર માનીએ જેણે આપણા શરીરની રચના જે રીતે કરી છે !! આપણા શરીરની રચનાને જોઈ એ સર્જનહારને દંડવત કરવાનું મન થાય અને ઊપકાર માનતા મન થાકે નહીં. શું રચના કરી છે!! ખોરાકને ચાવી, વાગોળી, એક રસ થાય એટલે પેટમાં જાય. ત્યાં પાછું ઘુમે. એવું ઘુમે કે આંતરડામાં જાય ત્યારે બારીકાઈથી લોહીમાં જતુ રહે અને આપણા શરીરને પોષણ મળે. આ તો એક વિભાગ. એવા તો કેટલાય વિભાગ બનાવેલ છે .મળ મુત્રને જુદા માર્ગે નિકાસ કરી શરીર શુધ્ધ રાખે છે. લોહીને આખા શરીરમાં ભ્રમણ કરાવે છે. બધી નળીઓ કેવી એક બીજા સાથે સઁકળાયેલી છે. અને ક્યારેક વાગે કરે તો સંદેશો મગજ સુધી પહોંચાડી તરત તેનો રસ્તો કાઢી સંરક્ષણ માટે તૈયાર રહે છે. મગજની સાથેનું જોડાણ અને હ્દયમાં રહેલું મન તેનું કનેક્સન કળી ન શકાય તેવું છે. સુઃખ દુઃખ ની લાગણી, સારા નરસાની ઓળખ, અને એક બીજા માટે ન્યોછાવર થઇ જવાની ભાવના પણ એ મન જ નક્કી કરે છે…..કેટલીયે શોધ ખોળ થઇ છે. રોબોટ બનાવાયા છે. ડ્રોન પ્લેન બન્યા છે. અને હજુ ઘણી શોધ ચાલુ જ છે. પણ
જે કુદરતે કળા કરી આપણું શરીર બનાવ્યું છે તેની તોલે તો કોઈ ટેક્નોલોજી, પૈસો કે ભાવના ન આવી શકે ! તો એ સર્જનહારનો કેવી રીતે આભાર માનવો ? થેક્યું થેક્યું – આભાર આભાર નો સતત જાપ કરવો પડે.
અને છતાં એ અનિર્વાય છે કે આપણે એકબીજાની સાથે પ્રેમથી વર્તન કરીએ. આપણે માટે કોઈ કાંઈ કરે તો આપણને તરત થાય કે તેનો આભાર કઈ રીતે માનું ? માં બાપનું ઋણ કેવી રીતે ચૂકવાય ? જયારે ઘરડાં થાય ત્યારે તેમની લાગણીપૂર્વક સારસંભાળ રાખી આભાર વ્યક્ત કરાય. એ પણ સહેલું નથી કારણકે ઘણાં માબાપો દુઃખી હૃદયે સંતાનોથી અલગ રહે છે કે જયારે તેમને સૌથી વધારે બાળકોનાં સાથની જરૂરીયાત હોય છે.
આભારની સાથે સંતોષની લાગણી સંકળાયેલી છે. એવા કેટલાયે લોકોને મેં જોયા છે જેને બે ટંકનું ખાવાનું નથી મળતું, રહેવાં ઘર નથી હોતું પણ સંતોષથી જીવે છે. આપણને સારું ઘર, સારો ખોરાક અને પોતાનો પરિવાર મળવા છતાં ઘણી જગ્યાએ અસંતોષની લાગણી નિહાળવા મળે છે. જેને બદલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જે આપ્યું છે તે પુરતું છે અને મને સંતોષ છે. હું પ્રફુલ્લિતતાથી જીવું છું.
આભાર વ્યક્ત કરવો એટલે પર્યાવરણને જીવંત રાખવું. આને અલગ તરીકે આભાર માનેલો કહેવાય. આપણે સૌ એટલું તો જરૂર કરી શકીયે કે વૃક્ષોને કાપવા નહીં. દર વર્ષે બાળકો પાસે તેમજ આપણે પોતે પણ વૃક્ષો રોપવા. બાયોડિગ્રેડેબલ (એટલે કે જે પ્રકૃતિ સાથે મળી જાય એવી) વસ્તુ વાપરવા ઊપર ભાર રાખવો. જેથી પ્રકૃતિ જીવંત રહે. કદાચ તમને થશે કે આ જરા હું ફેરફાર કરું તેમાં શું વળવાનું છે પણ દરેકનો થોડો ભાગ એક મોટો હિસ્સો બની જાય છે. પ્રકૃતિનો આપણે આભાર માનેલો ગણાશે. જાગૃત મન અનેક સ્વરૂપે આભાર માની શકે છે અને આભારી છે.
જયવંતિ પટેલ
મને આ લેખ મોકલી આભાર માનવા માટે જાગૃત કર્યો એ માટે ‘આભાર’. આ લેખ છેટ સુધી ન વાંચ્યો હોત તો ‘Like’ બટન દબાવી હાલી નિકળતે! ‘Like” કરનારાઓની આજકાલ બહુમતી છેને? તમે આ પાઠ ભળીલોતો કેવું? બધા તમને ફોલો કરતા થઈ જાય!
LikeLike
જયવન્તીબેન,ખુબ સરસ મારા મનની વાત મનમાં રહી ગઈ અને તમે લખી નાખી
LikeLike
srs rjuaat kri.
LikeLike