ચાલો લ્હાણ કરીયે -(૧૩)મન ભરીને જીવો, મન માં ભરીને નહીં -રાજેશ શાહ

 
 

ચાલો લ્હાણ કરીયે …એ વિષય ઉપર મન વિચારે ચડયું ત્યારે વિષય ના વ્યાપ નો ખ્યાલ આવ્યો..જીવન એટલે શું? જીવન એક યાત્રા..જીવન એક વાર્તા, જીવન એક પરીક્ષા, જીવન એક રમત …કેટ કેટલી વ્યાખાઓ અને કેટલા બધા અર્થઘટનો.

મને તો જીવન ની સરખામણી ક્રિકેટ ની રમત સાથે કરવાનું મન થાય છે. તમે જાણો છો? ક્રિકેટની રમત માં કોઈ નિશ્ચિતતા જ નહિ…બોલર બોલ કેવા નાખશે ..બેટ્સમેન કેવી રીતે બોલ ને રમશે…હવામાન કેવો બદલાવ લેશે…સામેની ટીમ કેવો જુસ્સો બતાવી લડત અપાશે…બેટ્સમેન ને એ પણ ખબર નથી હોતી કે કયો બોલ તેના માટે છેલ્લો બોલ છે. ક્યારેકતો પહેલો બોલ જ તેના માટે છેલ્લો બોલ બની ને આવે છે…આપણી જિંદગીનું પણ કંઈક આવુજ છે….આપણને ક્યારેય ખબર નથી કે કયો શ્વાશ આપણી જિંદગી નો આખરી શ્વાશ હશે…અને લિમિટેડ ઓવેરની મેચ નું તો ગજબનું આકર્ષણ હોય છે…બધાને ખબરજ હોય છે કે રમતનું પરિણામ તો આવશેજ હવે જો આ રમતમાં પણ બેટ્સમેન ચીટકીને રન કર્યા વગર ઉભો રહેશે તો રમતના ચાહકો તેનો હુરિયો બોલાવશે અને કપ્તાન પણ ચિઠી મોક્લશેકે હવે રન કર કે પાછો આવી જા ..જિંદગી માં પણ આવુજ છે…પાંસઠ કે સિત્તેર વર્ષ સુધી પેલા ચીટકી રહેલા બેટ્સમેનની જેમ વર્ષો પસાર કરી નાખીયે અને પછી ખબર પડે કે જીવવાનુંતો રહીજ ગયું…ગાદલા બિછાવવામાં રાત તો વહી ગયી…ઉંઘવાનું રહી ગયું ને સવાર થયી ગયી.

એટલેજ જિંદગી નો દરેક દિવસ છેલ્લો દિવસ છે એમ પુરી તૈયારીઓ સાથે, સજાગતાથી, જાગૃતિથી  જીવવાનું..પ્રભુના લાડકવાયા થવું હોય તો કર્મ પુષ્પથી પ્રભુની સેવા કરવાની અને સમર્પિત થઈ સાક્ષી ભાવથી કર્મ કરે જવાના….બસ એજ યાદ રાખવાનું કે આપણે અર્જુન જેવા થવાનું છે અને કૃષ્ણ પાસે જવાનું છે….આમ મન ભરીને જીવશો તો પછી બસ આનંદ જ આનંદ

જુવોને પુષ્પનું આયુષ્ય કેટલું ટૂંકું છે? છતાંય ખુબ જ ઓછા સમયમાં પણ તે સુવાસ પ્રસરાવી, ઉપવન ને મહેકતું કરીને, કુદરતની સુંદરતામાં વધારો કરીને જાય છે…મેઘધનુષ્ય પણ ખુબ ટૂંકા સમય માટે દેખાય છે….સૌ કોઈ તે જોવાનું અને માણવાનું ચુકતા નથી….મેઘધનુષ્ય એટલા ઓછા સમયમાં પણ નભ ના પ્રાંગણમાં સપ્તરંગી રંગોળી પુરી આપણા સૌના મન ને પ્રફુલ્લિત કરીને જાય છે….તો આપણે મનુષ્યો કેમ પાછા પડીએ?

તો ચાલો આજેજ મન ભરીને જીવી લઇએ……

કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે ..જિંદગી તોય મધુરી હોય છે

દ્રાક્ષ ખાટી દરવખતે હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે                     

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે, માણસ ના બોલ કરતા મીઠા લાગ્યા છે 

જીંદગી રોજ મને શીખવે – જીવતા શીખ… એક સાંધતા તેર તૂટશે પણ જીવતા શીખ.

 – રાજેશ શાહ

5 thoughts on “ચાલો લ્હાણ કરીયે -(૧૩)મન ભરીને જીવો, મન માં ભરીને નહીં -રાજેશ શાહ

  1. કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે ..જિંદગી તોય મધુરી હોય છે. આ મધુરી જીંદગી જીવવાની વાત ખુબ સરસ કહી રાજેશભાઇ.

    Like

Leave a reply to Subodh Trivedi Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.