હર પલ,હર ક્ષણ, હર ઘડી,બદલાયે મોસમ
આટલું લખ્તાની સાથે મનની મોસમ જાણે શરુ થઇ ગઈ ના હોય તેમ અચાનક એક સિનેમાનું ગીત મન ગણગણવા લાગ્યું.
હર ઘડી બદલ રહી હય યે જિંદગી,છાંવ હય કભી,કભી હય ધૂપ જિંદગી!હર પલ યહાં જી ભર જીઓ,જો હય સમાં કલ હો ન હો?
સમય ક્હો કે મોસમ બન્ને અનિશ્ચિત છે.
મનની મોસમ જાણતા પહેલા આપણે મોસમને જાણીએ
હૂ હૂ કરતો આવે શિયાળો, ઉનાળો કરાવે હાય હાય
ભલે ભીંજાતાં વર્ષામાં,મુખેથી બોલતા જાય હાશ,હાશ!
મનનો વિચાર કરતા, મન નથી એકલું તન સાથે છે જોડાયલું
મન વિનાનું તન છે જાણે સહુ એ મડદું!પણ,પણ તન વિનાનું મન?
શું કહેવાય ભૂત કે પ્રેત?ના હું પહેચાનું.પણ
તનને વયની અવધિ છે, મનને ના કો અવધિ છે,
જ્યાં સુધી જોડાયેલ છે,હર મોસમના એ સંગી છે
તનની બાલ્યાવસ્થામાં હરખાઈને બોલાવે વર્ષાને ગાઈ ગીતમાં
આવ રે વરસાદ ઘેબરિયો પ્રસાદ,ઉની ઉની રોટલી ને કારેલાનું શાક!
લાંબુ ચાલે ચોમાસું તો? તેના પણ ગીત ગવાય!
તારે મેહુલીયા કરવા તોફાન અમારા લોકોના જાય છે જાન,
કેટલા દિવસનો તું આવ્યો છે અહી કેમ તારી બા તને લઇ જાય નહીં?
મનનો મિજાજ એજ મનની મોસમ ખરી ?ઘડી ઘડીમાં જાય એ ફરી ફરી?
હું રે મેહુલીયા રમવાને જાઉં ભૂખ્યો થાતા ઘેર પાછો આવું!
મન છે માંકડું ને સાંકડું,ઓથેથી રહીને બતાવે પોતાને મસ્ત થઈ ફાકડું!
બદલાતી મોસમમાં થાય હુહુ,હાયહાય,કે હાશ હાશના ઉચ્ચાર !
હરેક મોસમમાં ગુંજી રહે “હ’ નો હકારાત્મકનો હોકાર
એક વિખ્યાત લેખક ઈમર્સનના ખુબ સરસ શબ્દો “યદી મુઝે નરક મેં રખા જાયે,
તો મય અપને સદગુણો કે કારણ વહા ભી સ્વર્ગ બના દુંગા”બખૂબ!
મન સમ બની જાય,મોસમ! ત્યા રે જ એ મનની મોસમ મણાય
એક બહુ જૂનું ગીત” મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા”
જોતીતી વાલમની વાટ રે અલબેલા કાજે ઉજાગરા. મનના ભાવથી
કરેલા મનગમતી વ્યક્તિ કાજે કરેલા ઉજાગરા એક એક ક્ષણ તેના મનને ઉત્સુક કરે છે.
ના મનને કે ના તનને કર્યા બોર, પ્રેમ આનંદમાં કરી દીધા તરબોળ!
મનને થોડી ઘહરાઈથી જોતા જ્ઞાત થયું,કે મનને બે જોડિયા ભાઈ છે!.એક છે જાગ્રત મન અને બીજું છે અર્ધ જાગ્રત મન.
જાગ્રત મન પાસે છે ૧૦%શક્તિ, જયારે અર્ધ જાગ્રત મન પાસે ૯૦% શક્તિ છે. એ ૯૦ %શક્તિનો ઉપયોગ કરવાનું આપણે જો શીખી લઈએ તો બધું મેળવી શકીએ.જાગ્રત મનથી જીવનની સમસ્યાનો હલ ન કરી શકવાથી કોઈ સગા સમ્બંધી,કે સમર્થ વ્યક્તિ,કે જ્યોતીશ પાસે દોડી જાય છે.અંતે ભગવાનને શરણે જાય છે.એ પણ સહેલો તો ન કહેવાય.આ સિવાય વૈજ્ઞાનિક રીતે જે સચોટ રસ્તો છે એ છે “તમારા અર્ધ જાગ્રત મન” પાસે જવાનો.કારણ કે તમને મુઝવતા દરેક પ્રશ્નનો ઉકેલ તમારા અર્ધ જાગ્રત મન પાસે છે.
આપણા દરેકના અર્ધ જાગ્રત મન પાસે વિશ્વના સમગ્ર વાતાવરણ ઉપર અસર કરવાની તાકાત છે.એ પછી ભૌતિક, માનસિક કે બાયોલોજિક વાતાવરણ હોય.આપણે જયારે અર્ધ જાગ્રત મનને કોઈ મહાન કાર્ય માટે આહ્વાન આપીએ છીએ ત્યારે આત્મ ચેતના જગાડીએ છીએ.અર્ધજાગ્રત મન વિશ્વ ચેતના (કોસ્મિક પાવર)પાસેથી શક્તિ મેળવી પોતાની ધારી અસર દેખાડે છે. ને ત્યાં કોઈ પણ દુરી નડતી નથી.આપની પ્રબળ ઈચ્છા {બર્નિંગ ડીઝાયર}તેના અર્ધ જાગ્રત મનમાં જઈને એક ચુંબકીય વાતાવરણ ઉત્પન્ન કરે છે.એ ચુંબકીય પાવરથી ભગવાન શ્રીરામ શબરીને ઘેર પધારે છે.અભણ જંગલમાં રહેતી એક આદિવાસી સ્ત્રી શબરી જો પોતાના અર્ધ જાગ્રત મન દ્વારા ભગવાનને પોતાના તરફ ખેંચી લાવે,તો આપણે આપણી આ શક્તિને ઓળખી લઈએ અને બરાબર ઉપયોગ કરી શકીએ તો?તો ના જવાબમાં અર્ધ જાગ્રત મન એ ભગવાનનો જ અંશ છે.તેની શક્તિ પર શંકા કરવા કરતા ધીરજ સાથે હકારાત્મક વિચારથી એકાંતની પ્રાર્થનામાં આપણે આપણી ચેતના શક્તિને જગાડતા,અર્ધ જાગ્રત મનને કાર્યશીલ કરીએ છીએ.ત્યારે વિશ્વ ચેતનામાંથી શક્તિનો સંચાર થાય છે.ચેતના શક્તિ એ શક્તિની જાગૃતિની ક્રિયા છે.આ શકતી છે તે પૃથ્વી અને બ્રહ્માંડને સંભાળે છે.તે બ્રહ્માંડની અદ્રશ્ય શક્તિ છે.તેગતિમાં રહે છે તે સંપૂર્ણ છે.દિવસમાં દીસે અનેક માર્ગ,સુઝે ના એકે માર્ગ?એક રાત્રીના અંધકારમાં,એક નાનાશા દીપકમાં પ્રગટી ભક્તિની જ્યોત,વહે શક્તિનો ધોધ,સ્નાન કરતા સ્વચ્છ થાયે મન ને ત્યારે જ ને ત્યારે જ ખીલી ઉઠે મનની મોસમ!
હર કણ હર ક્ષણ પ્રભુમય બની જાય!
આનંદો ,આનંદો,આનંદો!
પદમા-કાન
મીઠા લાગે છે મને આજના ઉજાગરા
જોતીતી પ્રીતમ ની વાટ!”
ઉજાગરાનો આ પ્રકાર તો સાવ ભુલાઈ જ ગયો ‘ તો!
સરસ!
વાંચવાની મઝા આવી જયારે આજે સવારે એક ટેંશનમાં હતી ને આ ,ઇમેઇલ બ્રાઉઝ કરતાં વાંચ્યું !!
JSK
LikeLike
jivn visheno aanndmy abhigm srs vat kri pdmaben.
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike