મનની મોસમને ઉછેરતા બળવંતભાઈ જાની

 

મનની મોસમને ઉછેરતા બળવંતભાઈ જાની મનની મોસમના અનેક રંગ. કયો રંગ કયારે મળે અને કયારે છવાઈ જાય એની ખબર જ ન પડે અચાનક જેમ મોસમ બદલાય તેમ કોઈ આપણે ત્યાં આવે અને ઋતુ બદલાઇ જાય, કોઈ ઝીણી ઝીણી કાળજીમાં પોતાપણાંની સુવાસ લઈને આવે અને બસ પછી મનની મોસમ ખીલે…

બળવંતભાઈ જાની ને મળવાનો મોકો મને બે એરિયામાં ગાર્ડીના એવોર્ડ પ્રસંગે અમેરિકા આવ્યા ત્યારે મળ્યો અમે “બેઠક”માં ખાસ એમનો એક પ્રોગ્રામ ગોઠવ્યો એ પહેલા એમને મારે ત્યાં જમવા લઇ આવવાનો મોકો અનાયસે જ મને મળ્યો,આટલી મોટી વ્યક્તિને મળવાનો આનંદ અને ઉત્સાહ સાથે હું મારી મિત્ર દર્શના સાથે એમને લેવા ગઈ..પણ હું કદી ન ભૂલી શકુ તેવો એક પ્રસંગ એમની હાજરીમાં નહોતો બનવો જોઈતો તેવો બન્યો એક સમાજની ખુબ આગળ પડતી વ્યક્તિ વડીલે બળવંતભાઈ અને અંબાદાનભાઈની હાજરીમાં મને અપશબ્દો કહ્યા મારી આંખમાં ઝળહળિયા આવ્યા. અમે ત્યારે એકબીજાને ખાસ ઓળખતા પણ નહોતા, માત્ર કેમ છો? અને જય શ્રી કૃષ્ણ જેટલોજ પરિચય પણ તેમ છતાં એ અપમાન એમનાથી ન સહેવાયું ઉભા થઇ ગયા આવા શબ્દો કેમ બોલાય ?. એક સ્ત્રીના અપમાની વાત હતી. એમનું આટલું સંવેદશીલ વ્યક્તિત્વ હશે ! હું જોઈ રહી.બહારથી ખબર ન પડે તેવી પ્રતિભા દેખાણી! વાત મારી નહોતી સ્ત્રી પ્રત્યેના તેમના ઉચા વિચારની હતી. એમના સ્ત્રીના પ્રત્યેના આદર્શની અનુભૂતિ થઇ. મને કહે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.’જ્ઞાન પુસ્તક પુરતું નહિ પણ જાગ્રત દેખાણું .અને એમણે કહ્યું, “તમે ભલે શાંતિથી સાંભળ્યું પણ મારાથી આંખ આડા કાન નહી થાય.એક અધ્યક્ષ પદને શોભાવે તેવી વાત હતી,ઘણાના મોઢે સાંભળ્યું હતું કે ડૉ.બળવંત જાની એટલે ચતુર્ભૂજ, ચતુર્વર્ણ અને ચતુર્યુગીય સારસ્વત વ્યક્તિત્વ…પણ આ વાક્ય પ્રત્યક્ષ એક અનુભવે પુરવાર કર્યું ….આટલું નમ્ર,લાગણીસભર,સંવેદશીલ વ્યક્તિત્વ હશે તેવું ધાર્યું નહોતું, મને કહે હું રાજકોટનો. મેં કહ્યું તો મારા મોસાળ થી આવ્યા કહેવાવ, અંબાદાનભાઈએ કાઠિયાવાડી ભાષામાં કહ્યું કે તમે તો અમારા ભાણીબા કહેવાવ અને બળવંતભાઈ પણ પ્રેમથી બોલ્યા ભાણીબા!..અને હું એ ભાઈનું બધું અપમાન ભૂલી ગઈ અને મનની મોસમ ખીલી ગઈ શબ્દો હૃદય અને મન સુધી પહોંચ્યા. કેટલો આપણાપણાનો ભાવ! .. પ્રેમ આમ જોવા જઈએ તો દરેક મનુષ્યના અંતરની મહાન ગરજ છે અનેક રૂપે અનેક નામે પ્રગટ થાય અને મામા બનીને કોઈ આવે ત્યારે માં અને પિયરની સુગંધ લઈને આવે,અમે સાથે જ્મ્યા અને બીજે દિવસે તો દરિયે સૌ સાથે રમ્યા સમી સાંજના ગુલાબી અને કેસરી રંગને સૌએ સાથે બાળકની જેમ માણ્યા. પ્રેમ ઈશ્વરનું અને દિવ્ય જીવંત પ્રકૃતિનું સુંદર પ્રતિબિંબ છે એ વાત સમજાઈ ગઈ… ઘરે ગઈ ત્યારે મારા મને સવાલ કર્યો હું ગાર્ડી રિસર્ચના એક વડા અધ્યક્ષ ને મળી કે મામાને ?

બળવંતભાઈ અને અંબાદાનભાઈ ઘરે જમવા આવ્યા ત્યારે દર્શના અને મેં ઘણી વાતો કરી એમના ડાયાસ્પોરા સાહિત્ય પરના સંશોધન ઉપર ઘણી ચર્ચા કરી. ઘણું નવું જાણ્યું . તેઓ ડાયસ્પોરા એવોર્ડ કમિટીમાં,ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતી ભાષાના સમિતિના સંયોજક છે.ડો.બળવંતભાઈ જાનીએ દેશવિદેશની યુનિ. માં અધ્યાપકની સેવા આપી છે.ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ હતા.હાલ સૌરાટ્ર યુનિ.ના ગુજરાતી ભાષા સાહિત્યભવનના અધ્યક્ષ છે.હાલમા એ ડાયાસ્પોરા સાહિત્યમાં સંશોધન કરીને એ વિષય પર ગ્રંથો લખી રહ્યા છે.શ્રી બળવંતભાઈ ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ફોર ડાયાસ્પોરાના અભ્યાસમાં ઓનરરી ડાયરેકટર છે.હું અને દર્શના અધધ થયી ગયા ક્યાં એક નાનકડી પાઠશાળા જેવી આપણી “બેઠક” અને ક્યાં બળવંતભાઈ, અંદરથી આનંદ હતો ખુબ મોટી વ્યક્તિ “બેઠક”ના આંગણે આવશે, ખુબ શીખવા મળશે.મેં અમારી બેઠકના સર્જકોનું પુસ્તક દેખાડ્યું.વાત વાતમાં જાણવા મળ્યું કે શ્રી બળવંતભાઈ જાનીએ યુરોપમાં જઈને ડાયાસ્પોરાનો અભ્યાસ કર્યો તો એમણે ત્યાંના ઘણાં સર્જકો અને એમના સાહિત્ય વિષે વાતો કરી ..સર્જકો ઉપર એમણે ૧૮ જેટલાં ગ્રંથો લખ્યાં છે.યુરોપમાં એમણે શોધ કરી તો ૨૭ લેખિકાઓ છે..આ ગ્રંથો સિવાય બીજા ૧૦૦ જેટલાં ગ્રંથો લખ્યાં છે જેમાં મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય, ભારતીય ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય શામિલ છે.એમણે ત્રણ મૌલિક પુસ્તકો પણ લખેલાં છે.એ સિવાય અમુક ગ્રંથોનાં હિન્દી અંગ્રેજીમાં અનુવાદ પણ કરેલ છે.આ સિવાય એ એક સાહિત્યના મોટા વિદ્વાન છે.મારું આ લખાણ અને પુસ્તક ખાલી સૂરજ આગળ દિવો બતાવવા જેવું છે. અમારે ત્યાં માતૃભાષાના સંવર્ધનનો મહાગ્રંથ હતો, મામાએ જોયો, (બળવંતભાઈ જાની )એમણે જાતે ઉચકી ખોલીને જોયો, કાળજીથી પાના ફેરવી વાંચ્યો ને બોલ્યા “ખુબ મહેનત કરી છે”.મન તરત બોલ્યું, કેવી માતા જેવી દ્રષ્ટિ અને કદર! અમારા પુસ્તકો પણ વાંચ્યા હવે મેં ગાર્ડી રિસર્ચના વડાની અનુભવી દ્રષ્ટિને જોઈ,એ બોલતા હતા અને મેં બળવંતભાઈની વિડીયો લીધી અનેક વાતો જાણી એમણે, મને, તમને અને સામાન્ય સર્જકને સમજાય તેવી ભાષામાં ખુબ સુંદર વાતો કરી, એમની સદભાષી,મિતભાષી વાતો શીરાની જેમ ગળે ઉતરી ગઈ,પ્રોત્સાહન પણ આપ્યું, તમે પરદેશમાં,સ્વકેન્દ્રી વાતાવરણમાં રહીને માતૃભાષાનું જતન કરો છો તે ખુબ મોટી વાત છે. તમારા ભાષા સંવર્ધનના પાયામાં “પુસ્તક પરબ” અને તેના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા છે અને વાંચન સાથે સર્જન કરતા સંવર્ધન થાય છે ત્યારે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજળું વર્તાય છે. આ ગ્રંથની અને તમારી મહેનતની નોંધ લેવાશે અને જરૂર લેવાશે..મને કહે તમે લશ્કર પાસેથી સેનાપતિ ઝુંટવી શકો પણ માણસ પાસેથી તેનો સંકલ્પ નહિ, હું “બેઠક”ના કાર્યને સંકલ્પને અને લીધેલા યજ્ઞને બિરદાવું છું હ્યુસ્ટન સાથેના તમારા સહિયારા કાર્યને માટે માન છે.આ કામ ખુબ વાંચન સાથે ચાલુ રાખો,ગાર્ડી રીસર્ચના એક અધ્યક્ષ બોલ્યા અને મેં મનની મોસમના નવા રૂપને જોયું, કશુક પામ્યાના અહેસાસે કુંપળને ખોલી સુગંધ પ્રસરાવી, વસંત ખીલી મનની મોસમે જ્ઞાન અને ભાષાનું એક રમ્ય ભવ્ય અને દિવ્ય રૂપ દેખાયું આપણા શરુ કરેલા યજ્ઞમાં અને આપણા પ્રગટાવેલા કોડિયામાં બળવંતભાઈએ પ્રેરણારૂપી ઘી પૂરી દીપમાળા પ્રગટાવી અને વસંત નો કેસરવંતો રંગ ચોમેર છવાઈ ગયો. -પ્રજ્ઞા- મનની મોસમના અનેક રંગ કયો રંગ  કયારે મળે અને કયારે છવાઈ જાય એની ખબર જ ન પડે અચાનક જેમ મોસમ બદલાય તેમ કોઈ આપણે ત્યાં આવે અને ઋતુ બદલાય જાય, કોઈની જીણી  જીણી  કાળજીમાં પોતાપણાંની સુવાસ લઈને આવે અને બસ પછી મનની મોસમ ખીલે…

 

-પ્રજ્ઞા-

..

 

 

 

 

 

 

 

 

બળવંતભાઈ જાની ,

એક એવી પ્રતિભા જે જે ગુજરાતી ભાષા ને નખશીખ ચાહે છે.એમને મળવાનો યોગ અહી કેલીફોર્નીયા આવ્યા ત્યારે થયો. મૂળ શિક્ષક જીવ, વાંચવું વંચાવવું અને સાહિત્ય, અને ભાષામાં ઊંડા ઉતરી સંશોધન કરવું. આજે ​વર્તમાન સમયમાં સમાજ જે રીતે ​ગુજરાતી ​માતૃભાષાથી વિમુખ થતો જાય છે અને અન્ય ભાષાથી પ્રભાવિત થતો જાય છે, તેનું સતત વધતું જતું પ્રમાણ જોઈને સમાજના અગ્રણી કેળવણીકારો ચિંતિત છે​,​ ​ત્યારે ​આ પરિસ્થિતિમાં કોઈ માતૃભાષા સંવર્ધન સંદર્ભે જનજાગૃતિ ​કેળવે,શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું ગૌરવ જળવાય આદિ બાબતો તરફ સક્રિય પ્રવૃત્તિ ​કરી માત્ર ભારતમાં જ નહિ પરદેશમાં પણ ગુજરાતી ભાષાને ​ગીતીમય અને સમૃદ્ધ રાખવાનો ​​ પ્રયત્ન ​કરે તે ​ખરેખર ​પ્રસંસનીય છે. ​પરદેશમાં રહેતા ગુજરાતી પ્રજાના હૈયે ​આજે પણ માતૃભાષા માટે ​આદર ​​છે એની નોધ બળવંતભાઈએ લીધી છે અને એ આદરને ડાયોસ્પરા ​દ્વારા રજુ કરી માનવીય સંવેદનાને સાહિત્ય રૂપે સાચવી સાથે માતૃભાષાના કૌશલને વિકસાવવાનો અને ગૌરવને જગાડવાનો ઉદ્દેશ ​જ ​બળવંતભાઈ જાની ની કાર્ય ક્ષમતા નું એક ઉદારણ છે.​
વિશ્વના ​ભાષા​ ​ચાહકો​ને ​પણ માતૃભાષા સંવર્ધન​માં જોડવા અને પરદેશમાં પણ ગુજરાતી પ્રજાને ચેતનવંતી બનાવવી એવા ઉત્તમ વિચારને માત્ર વાતો ન કરતા પ્રણાલિકા જાળવવી ભાષાને ગતિમય ​રાખી આગળ વધવાનો એમનો ધ્યેય મને એમના વ્યક્તિત્વનું એક અલગ પાસું દેખાડે છે. અહી એક વાત ખાસ કહીશ કે ​શ્રી બળવંત જાની હંમેશા ઉતરોતર આપણને સૌ ગુજરાતીઓને ગર્વ અપાવતા રહ્યાં છે​
કોઈ પણ સંસ્થાના અધ્યક્ષ તરીકે સાચી વિચારશીલતા ,શોધક વૃતિ ,સ્વાર્થમુક્ત નિર્ભયતા,અને સ્વતંત્ર વિચારશીલતા હોવી ખુબ જરૂરી છે.બળવંતભાઈ પાસે વિચારો છે સાથે મેં એમનામાં શોધક વૃતિ પણ જોઈએ છે માટે જ એમણે ​લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, સંત સાહિત્ય, ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે સંસોધન પછી સવાસોથી વધુ પુસ્તકો ​પીર્સ્યા છે.​અને સ્વાર્થમુક્ત કાર્ય કરવા નો તેમનો ધ્યેયએ જ કદાચ તેમને નિર્ભયતા બક્ષી છે.કોઈ ની સત્તા નીચે આવ્યા વગર કામ કરવું અને સાહિત્ય ના ભાવકના વિચારોને અપનાવી, જાળવી, સહકાર સાથે, ઉત્તમ સાહિત્ય આજે પણ સર્જવાના એમના પ્રયત્નો ચાલુ છે. લોકસાહિત્યકાર, સંશોધક અને ડાયસ્પોરા સાહિત્યના પ્રણેતા અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ પદ પર આરૂઢ ડૉ. બળવંત જાની​ ​અનેક ​ક્ષેત્રોમાં માહેર છે​ એ વાત સ્વીકારવી જ રહી ​.
જાનીસાહેબ ​આજે પણ ​શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સાર્થક રીતે પોતાનું પૂર્ણ યોગદાન ​આપી રહ્યા છે,​જે પ્રેરણા જગાડે તેવું છે.પરિષદમાં વાત સાહિત્યની છે ભાષાની છે સક્રિયતાની છે અને સૌની ગરિમા જાળવીને આપણે ​સાથે ​કામ ​કરવાની છે. ​બળવંતભાઈની ​સાહિત્ય માટેની સક્રિયતા ,​પરિવાર ભાવના​,​ ​અને સેવા ​આપણો ​સૌનો ​પવિત્ર હેતુ બની રહે ​તો ​​સૌ સાથે મળી સાહિત્ય પરિષદ માટે કામ કરી શકાય. અને તટસ્થભાવથી સાહિત્યનું મૂલ્યાંકન​ થાય ​તો ગુજરાતી ​સાહિત્યને વિશ્વ સાહિત્ય જગતમાં ટોચનાં સ્થાને પહોંચવામાં મદદરૂપ ​પણ ​​બને.
ડૉ. બળવંત જાનીને​અમેરિકાની ​ ​’બેઠક’ના સર્જકો વાચકો અને .બહોળા મિત્ર સમુદાયે શુભેચ્છા પાઠવેલ છે.⁠શ્રી બળવંત જાની સાથે વધુ ​મામા જેવી ​આત્મીયતા હોવાંથી એમને ટેકો આપવાનું મારે માટે અગત્યનું રહેશે​.​

 

7 thoughts on “મનની મોસમને ઉછેરતા બળવંતભાઈ જાની

  1. હું પ્રજ્ઞાબેનના લખાણ સાથે સહમત છું. અમેરિકા અને અમદાવાદમાં બળવંભાઈ જાનીને ૪વખત મળવાનો પ્રસંગ ઊભો થયો.વિદ્વાન અને સન્માનનીય સાથે નમ્ર,લાગણીસભર ,સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતી,મળવા જેવી વ્યક્તિમાંનાં એક…જેમની વાણી અને વર્તનમાં સુસંગતતા મને આજે પણ યાદ છે!

    Like

  2. પ્રજ્ઞાબેન તમે બળવંતભાઈ જાની વિષે ખુબ સરસ વાત કરી અને એમના વ્યક્તિત્વ નું ઉમદા વર્ણન કર્યું તે વાંચવાની ખુબ મજા આવી અને તેમની અને અંબાદાનભાઈ ની સફરની યાદ તાજી થઇ. સાહિત્ય જગતમાં બળવંતભાઈ ની પ્રચંડ પ્રગતિ છતાં પણ તેમના માં જે વિનમ્રતા છે તે ઉચ્ચ કોટિની વ્યક્તિ હોવાની સાબિતી પુરે છે. તમારી વાત વાંચીને તેઓ બંને આદરમાન વ્યક્તિઓની સફર દરમ્યાન વાતો કરવાનો મોકો મળ્યો તેનો અનેરો આનંદ ફરી અનુભવ્યો.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.