તરુલતાબેન વાર્તા સ્પર્ધાનું પરિણામ

પ્રજ્ઞાબેન ,

નીચે મુજબ ઇનામો જાહેર કરું છું,’બેઠક’માં હું હાજર રહીશ .બહારના લેખકોને ઈનામની રકમની વ્યવસ્થા કરી આભારી કરશો.વિજયભાઈ શાહની વાર્તાને ‘બેઠક’ તરફથી સન્માનપત્ર ઈ મેલથી
મોકલી શકાય, એમની વાર્તા પ્રથમ કક્ષાની છે પણ હરીફાઈમાં સામેલ કરી
નથી.તમારી વાર્તા ‘હલો કોણ?’સરસ મઝાની નાટિકા જેવી છે,તમે સચોટ સઁવાદોથી
સસ્પેન્સ આપો છો .

પરિણામ
પ્રથમ પુરસ્કાર (બે વચ્ચે વહેંચાય છે.)
ભૂમિ માછી વાર્તા ‘કુસુમના કંટક ‘
આરતી રાજપોપટ વાર્તા ‘સુવાસ ‘
દ્વિતીય પુરસ્કાર
રેખા પટેલ વિનોદિની વાર્તા ‘એક બોજ ‘
તૃતીય પુરસ્કાર
ઇન્દુબેન શાહ   વાર્તા ‘ભગવાન ભરોસે ‘
પ્રોત્સાહક ઇનામો
જયવન્તી પટેલ વાર્તા ‘ઝન્ખના’
પન્ના શાહ વાર્તા ‘વિધુ પુત્ર જમાઈ ‘

બેઠકમાં મળીશું ત્યારે ઈનામની રકમ તમને આપીશ.
બેઠકમાં સમય હશે તે પ્રમાણે વાર્તાઓની ચર્ચા કરીશ.
દર વર્ષે આ પ્રમાણે વાર્તા સ્પર્ધા રાખીએ તેવી શુભેચ્છા

વાર્તા સ્પર્ધામાં ભાગ લેનારા સૌ સર્જકોને અભિનન્દન.આ પ્રકારે ભવિષ્યમાં
સહકાર આપતા રહેશો તેવી આશા છે.તમારી સર્જનશક્તિથી વાચકોને ઉત્તમ આનન્દ
આપી આપણી માતૃભાષાને ગૌરવવન્તી કરશો તેવી શુભેચ્છા.

સૌ પ્રથમ વિજયભાઈ શાહની વાર્તાને માનદ સ્થાન આપ્યું. ‘સપ્તપદીની પ્રતિજ્ઞાઓ’બે
સઁસ્કૃતિનો મેળ કરી પ્રસન્ગને સરસ વાર્તારુપે રસ જમાવે છે.અંત ગમી જાય
તેવો છે.લોકપ્રિય છે છતાં સાહિત્યતત્વ જળવાયું છે,અભિનન્દન વિજયભાઈ.

૧-પ્રથમ ઇનામને પાત્ર ભૂમિ  માછીની ‘કુસુમના કઁટક ‘ એક જોરદાર વાર્તા
છે,ગરીબાઈમાં ચારિત્ર અને ગર્વ જાળવી રાખતી છોકરી માટે માન થાય છે,અંત પણ
સચોટ છે,જે કહેવાનું છે,તે પ્રસન્ગ અને સંવાદથી કહેવાય છે,બીજી ઘણી
વાર્તાઓ બોઘકથા જેવી છે.
2-આરતી રાજપોપટની ‘સુવાસ ‘ વાર્તાનું વસ્તુ નવીન છે,અંતમાં થોડું લંબાણ
છે,જે ટાળી શકાય.
૩-રેખા પટેલની ‘એક બોજ ‘સન્વેદનશીલ નારી પોતાના અહમને દીકરીના પ્રેમ ખાતર
ત્યાગી પોતાનામાંની માને જીતવા દે છે.મનના બોજને હળવો કરે તે ઉચિત છે.
૪-ઇન્દુબેન શાહની ‘ભગવાન ભરોસે ‘ કુતૂહલને જાળવી રાખે છે,સ્વાભાવિક લાગે
તેમ પ્રસન્ગો બને છે.વાર્તાની રજૂઆત સરળ ભાષામાં છે સૌને સ્પર્શે તેવો
અંત છે.
બધા જ લેખકોએ ઘણી માવજતથી વાર્તાઓ લખી છે.

૫-પ્રજ્ઞાબેનની ‘હલો કોણ’ બધાથીઅલગ રમૂજી વાર્તા છે,એક સરસ હાસ્યમય નાટિકા જેવી છે.મૂરતિયા શોધતા બાપનું સામાજિક દર્શન સચોટ છે.
૬-સાક્ષર ઠાકરની ‘બ્લેક ફ્રાઈડે ડીલ’ લોકપ્રિય સારી વાર્તા છે.

૭-મનીષાદેસાઈની ‘પ્રેમના અસ્થિ ‘ સરસ રીતે લખાયેલી ચીલાચાલુ પ્રેમથી સહેજ જુદી
છે,પણ હિન્દી મુવીમાં આવા પ્રેમના ત્યાગની વાત જાણીતી છે.
૮-છેલ્લે ગીતા પંડ્યાને ‘ખજાનો ‘વાર્તા માટે અભિનન્દન,કિશોરકથા માટે સારું ઉદાહરણ છે.
મારા તરફથી એક વધુ પ્રોત્સાહક ઇનામ હું જાહેર કરું છું.આવી નિર્દોષ સન્દેશ આપતી વાર્તાઓ લખતા રહેશો.
મારો એવો અભિપ્રાય છે કે વાર્તાઓમાં લેખકે પ્રસન્ગો ,પાત્રો
,પરિસ્થિતિ,મનોમન્થન તથા સંવાદ દવારા સૂચવવાનું હોય છે,વાચકો સમજદાર હોય
છે,કુતૂહલ અને વાર્તારસ જળવાવો જોઈએ , અંતમાં ચમતકૃતિ આવે તે સારી વાત છે
પણ કેટલીક વાર પાત્રને અનુરૂપ સહજ અંત આવે તેવું પણ બને.તમે પોતે તમારા
વિવેચક,વાચક અને સર્જક બનો.તમને ગમેલા લેખકની વાર્તાઓ વાંચો ,તેમાં કયું
તત્વ ચોટદાર છે તે તપાસો.
સર્જનનો આત્માને રીઝવે તેવો ભરપૂર આંનદ માણો અને વાચકોમાં વહેંચો -સહભાગી
બનાવો. સર્જનની વેદના છે,પ્રસૂતિની પીડા પણ શિશુ જન્મનો અદ્દભૂત આંનદની
તોલે કાંઈ નહિ.વાર્તાની તમારા બાળકની જેમ માવજત કરો,એને મઠારો ,સુધારો પૂર્ણ
વિકસિત કરો.હું મારી પ્રત્યેક વાર્તા માટે મથું છું ,ધડુ છું ,ભાગું છું
છેવટે શક્ય એટલી સન્તોષજનક કરવા સતત પ્રયત્ન કરું છું,પ્રભુને પ્રાર્થું
છું મને પ્રયત્ન કરવાની શક્તિ અને ધીરજ આપે.
આપણે સૌ આપણા પ્રયાસોથી ગુજરાતી ભાષાને જીવન્ત  રાખીએ  તેવી શુભેચ્છા.

તરુલતા મહેતા

14 thoughts on “તરુલતાબેન વાર્તા સ્પર્ધાનું પરિણામ

  1. Thanks pragnaben dadbhavala,ભારતની ધરતીથી દૂર રહીને પણ આપણી ગુજરાતી ભાષા ની ખૂબ સરસ એકટીવીટી કરી રહયા છો.મારી વાર્તાની નોંધ લેવા બદલ  આભાર.    વાતાૅ માં  કયા પ્રકારનાં વિષય પસંદ કરવામાં આવે એ વિષે ખુબ સરસ છણાવટ  કરી.સાચેજ આપણી ફિલ્મો અને સીરીઅલો માં એટલું આવી ચૂકયું છે કે લખતી વખતે એમ થાય કે આવું તો કશે જોયું છે.પણ આગવી રીતે લખવાનાં પ્રયત્ન કરતાં રહીએ છે .     ઉત્સાહ માટે આભાર. best wishes for your upcoming programme -manisha joban desai

    Like

  2. વિજેતાઓ ,સ્પર્ધકો અને આયોજકો ને અભિનંદન …

    Like

  3. ગુજરાતી માતૃભાષાને જિંવંત-જાગતી રાખતી પ્રવૃતી પરદેશમાં સુંદર મહેંક ફેલાવે છે.ગૌરવની વાત છે.સૌ વિજેતાને મારા હાર્દિક અભિનંદન.
    -વિશ્વદીપ

    Like

  4. તરુલતામાસી ને મારા રહદય થી અભિનંદન કેમકે વાર્તા સ્પર્ધા નું આયોજન કરી તેઑ શ્રી એ આપણા મા છુપાયેલી કલમ ની તાકાત ને બહાર લાવવા નો સુંદર પ્રયત્ન કર્યો ને આપણે આપણી લાગણીઓ & સંવેદનાઓને રજુ કરી . ધણીવાર એક વ્યક્તિ ની શશકતવિચારધારાઓ માનસ બદલી કાઢે . તમારા મા સુષુપ્ત બની ને બેઠેલી ભાવના જાગૃત થઈ તમારા મા વિચાર માળા મા પ્રાણ પુરવા નું કામ કરે . આ કામ તરુલતામાસી એ પ્રેરણા ની પરબ બની પુરવાર કર્યું છે. હા , આપણે એક બીજા ના પ્રતિસ્પર્ધી છીએ જ નહી . બધા “બેઠક પરિવાર ના સ્વજનો છીએ .
    લાગણી નો ગુલમહોર મહોરી ઊઠ્યો છે, સંબંધો ની સુવાસ મહેકી ઊઠી છે . ને આ સુવાસ ને ચોમેર ફેલાવવા ની છે . ગૂજરાતી ભાષા ની ગરીમા ને ગૂજરાત ની અસ્મિતા ને ફુલબહાર રાખવા ની છે . પ્રતાપ કાકા, તરુલતામાસી ને વિજયભાઇ “બેઠક” ના પ્રણેતા છે આ બધા વડીલો નું મને માર્ગદર્શન મળતું રહે તે આશા સાથે વિરમીશ . વડીલો ના આશિષ આપણ સૌ ને મળતા રહે . જયશ્રી કૃષ્ણ .પન્ના શાહ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.